________________
પ્રકીર્ણ
[૫૩
અનુલ્લેખ આ તેમજ આના પછીનાં ચાર પ્રકીર્ણ કેને નામે લેખ નંદી તેમજ પખિયસુત્તમાં નથી.
વિવરણ–૧૭૫ લેક જેવડા આ અજ્ઞાતકર્તક પ્રકીર્ણક ઉપર આનંદવિમલસૂરિના સંતાનય અને તંદુલયાલિયના વૃત્તિકાર વિવિમલે યાને વાનર (વાર્ષિ ગણિએ વિ. સં. ૧૯૩૪માં આશરે ૫૮૫૦ શ્લેક જેવડી વૃત્તિ રચી છે. આ આગમ ઉપર કેઈકની એક અવરિ છે, અને એની એક હાથપથી વિ. સં. ૧૬૪૬માં લખાયેલી છે.
(૭) ભત્ત પરિણું (ભક્તપરિજ્ઞા)
વિષય––૧૭૨ પદ્યમાં રચાયેલી આ કૃતિમાં ચતુર્વિધ આહારના પ્રત્યાખ્યાન માટેની યોગ્ય તૈયારીઓને નિર્દેશ કરાયો છે. એમ કરતી વેળા ‘અભ્યત મરણનું ફળ, ભક્ત-પરિજ્ઞાના બે પ્રકાર, અનશન માટેની ગ્યતા અને એને અંગે કરાવાતાં 'સમાધિપાન અને વિરેચન, શિષ્યને અપાયેલી શિખામણો, પાંચ મહાવ્રતનાં સ્વરૂપ અને ફળ તેમજ “પાદપે પગમન અનશન કર્યા બાદ ચાણક્યની મુબંધુએ કરેલી દુર્દશા અને ચાણક્યનું સમાધિમરણ એમ વિવિધ બાબતે ઉપસ્થિત કરાઈ છે.
કર્તા–આના ક્ત વીરભદ્ર છે (જુઓ. ગા. ૧૭૧).
વિવરણ–૨૧૫ કલેક જેવડા આ પ્રકીર્ણક ઉપર ગુણરત્નસૂરિની અવચરિ છે (જુઓ. પૃ. પર).
૧ ગા. ૪૧માં કહ્યું છે કે એલચી, તજ, નાગકેસર અને તમાલપત્રની સાથે સાકરવાળું દૂધ ઉકાળીને ટાઢું કરી પાવું તે “સમાધિ-પાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org