________________
પિસ્તાલીસ આગામે
[ પ્રકરણ
(૩) કપ (કલ્પ)–
નામ–૪૦૦ થી ૪૭૩ લૅક જેવડા આ આગમનાં વિવિદા નામી છે. દા. ત. કપાધ્યયન, બહત્ક૯પ, બૃહસાધુ૫ અને દિકલ્પસૂત્ર.
વિભાગ–આ આગમમાં છ ઉદ્દેશક છે.
વિષય–સાધુસાધવીના આચાર અને એના નિયમ માટે આ મુખ્ય ગ્રંથ છે. એમાં સંયમને શું સાધક છે એ દર્શાવી . સંયમને કલ્પ અર્થાત્ ખપે એમ કહ્યું છે. એવી રીતે સંયમને શું આધક છે એ બતાવી એ ન કપે એમ કહ્યું છે. આ બંને જાતના વિચારે સ્થાન, વસ્ત્ર, પાત્ર ઇત્યાદિને અંગે કરાયા છે. વિશેષમાં કયા અકાર્ય માટે દસ પ્રાયશ્ચિત્તો પૈકી કયું આપવું એ બાબત અહીં વિચારાઈ છે. આમ આ આગમ દંડવિધાનના નિરૂપણરૂપ છે. વળી કલ્પના છ પ્રકારે વિષે પણ અહીં નિર્દેશ છે.
પ્રણેતા-પ્રત્યાખ્યાન પૂર્વમાં મૂલ ગુણો અને ઉત્તર ગુણેને અંગે પ્રાયશ્ચિત્તોને અધિકાર હતા. આ પૂર્વને અભ્યાસ રહ્યો નહિ ત્યારે પ્રાયશ્ચિત્તોને ઉચછેદ થતું અટકાવવા આની તેમજ વવહારની રચના શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામીએ કરી. આમ આ બંને આગમના પ્રણેતા ભદ્રબાહુસ્વામી છે.
વિવરણ–આ આગમ ઉપર નિયુક્તિ રચાઈ છે. એમાં
૧ કેટલાક પંચકલ્પને કMની નિયુક્તિનું એક અંગ ગણે છે તે કેટલાક એને કમ્પના ભાસનું અંગ ગણે છે. એ ગમે તે હો એ વિ. સં. ૧૬૧૨ સુધી ઉપલબ્ધ હતું. ખંભાતના કેઈ યતિના પ્રાચીન ભંડારમાં એની દસ પાનાની હાથથી હોવાનું કહેવાય છે. જે એ મળતી હોય તે તેમ, નહિ તે આ પંચકM ઉપર બે ભાષ્ય (એક સંઘદાસગણિ, ક્ષમાશ્રમણનું) અને કેઈકની ચૂર્ણિ મળે છે એ ઉપરથી પંચકષ્પ ઊભું થઈ શકે તેમ હોય છે. તે માટે પ્રયાસ થવો ઘટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org