________________
ચાથું ]
મૂલસૂત્ર
[ ૩૫ ૧૮૦૦૦ કલેક જેવડ ઉપલબ્ધ ભાગ મુદ્રિત કરાય છે એ આનંદની વાત છે.
આ ઉપરાંત બીજી પણ કેટલીક વૃત્તિઓ છે. એ બધીનું પરિ માણ લગભગ એક લાખ શ્લેક જેટલું દર્શાવાય છે. વળી આવસ્મયના કઈ કઈ વિભાગને અનુલક્ષીને પણ બહોળા પ્રમાણમાં વૃત્તિ વગેરે સાહિત્ય જોયું છે. - પઠનપાઠન–આ મૂલસૂત્ર તેમજ એના વિવરણાત્મક તમામ સાહિત્યનો પઠન પાઠન તરીકે ઉપયોગ કરવાની હરકેઈ જૈનને શ્રાવક-શ્રાવિકાને પણ પૂરેપૂરી છૂટ છે. (૨) ઉત્તરજઝયણ (ઉત્તરાધ્યયન)
નામ–મુખ્યતયા પદ્યમાં રચાયેલા અને આશરે ૨૦૦૦ કલેક જેવડા આ આગમનાં ઉત્તર અને ઉત્તરાધ્યાય એવાં અનુક્રમે પ્રાકૃત અને સંસ્કૃત નામાંતર છે. ' વિભાગ–આ આગમ ૩૬ અધ્યયનમાં વિભક્ત છે. એમાં ૧૬૪૩ પદ્યો છે.
વિષય–કઈક ધર્મમાં શૌચને તે કેઈકમાં જ્ઞાનને તે કેઈકમાં ભક્તિને તે કેઈકમાં અનાસક્ત ભેગને પ્રાધાન્ય અપાયું છે, જ્યારે જૈન ધર્મમાં વિનયને મુખ્ય સ્થાન અપાયું છે. એ જોતાં આ આગમને પ્રારંભ વિનયના નિરૂપણથી કરાવે છે તે સર્વથા ઉચિત છે. આ આગમમાં જાતજાતની વાની પિરસાઈ છે –
રર પરીષહે, ધર્મનાં મનુષ્યત્વાદિ ચાર અંગોની દુર્લભતા, પ્રમાદના પ્રકારે, મરણના ભેદ, બહુશ્રુતતા, બ્રહ્મચર્યનાં દસ સ્થાને, ક્ષુલ્લક સાધુનું સ્વરૂપ, પાપ-શ્રમણની રૂપરેખા, ઉત્તમ સાધુનાં લક્ષણ, સાચું બ્રાહ્મણત્વ, આઠ પ્રવચનમાતા, દસ પ્રકારની સામાચારી, મોક્ષમાર્ગનાં સાધને, સંવેગાદિ ૭૩ દ્વાર, તપના પ્રકારે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org