Book Title: Pistalisa Agam Sankshipta Ruprekha
Author(s): Hiralal R Kapadia
Publisher: Sha Hirabhai Naginbhai Jariwala

View full book text
Previous | Next

Page 23
________________ પિસ્તાલીસ આગમા [ પ્રકરણ નિયુક્તિ અને ભાષ્ય એ અને પ્રાકૃતમાં અને તે પણ પદ્યમાં આર્યાં' છંદમાં છે. નિી ભાષા મુખ્યતયા પ્રાકૃત છે. એમાં કાઈ કાઈ વાર અને ક્વચિત્ તે એક જ વાક્યમાં પણ સંસ્કૃતમાં લખા જોવાય છે. આ વિવરણ ગદ્યમાં છે. ૪] ટીકાની રચના માટે ભાગે સંસ્કૃતમાં અને તે પણ ગદ્યમાં છે. કાઈ કાઈ પ્રાચીન ટીકામાં કથાએ પ્રાકૃતમાં અપાયેલી જોવાય છે. દરેક દરેક આગમને અંગે નિયુક્તિ વગેરે ચારે પ્રકારનું વિવરણ રચાયું હોય. એમ જણાતું નથી અને એમ રચાયું હોય તે પણ આજે ઉપલબ્ધ નથી. ટીકાની વાત જુદી છે. આજે ઉપલબ્ધ થતી આઠ નિયુક્તિઓના કર્યાં શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી હાવાનું મનાય છે. એ હિસાબે આના રચનાસમય મેાડામાં મેડા વીરસંવત ૧૭૦ના એટલે કે ઈ. સ. પૂર્વે ૩૫૭ના ગણાય. આ આઠ નિયુક્તિથી નીચે મુજના આ આગમાને અંગેની એકેક નર્યુક્તિ સમજવાની છેઃ (૧) આયાર, (૨) આવસય, (૩) ઉત્તરજયણ, (૪) ૩૫, (૫) દસવેયાલિય (૬) દસા, (૭) વવહાર અને (૮) સૂયગડ.૧ પંચાંગી—મૂળ આગમ અને આ ચારે પ્રકારનાં વિવરણના સમૂહને ‘પ’ચાંગી’ કહે છે. પ્રત્યેક આગમ માટે આ સંજ્ઞા ચાજાય તેમ નથી. પરિમાણ—આજે જે આગમા તેમજ એના ઉપર્યુક્ત ચાર પ્રકારનાં વિવરણેા ઉપરાંત ગુજરાતીમાં ટખ્ખા કે મલાવમેધ રચાયેલા જેટલા મળે છે તેનું પૂર ૩૨ અક્ષરના એક શ્લાક ગણતાં લગભગ સાડા છ લાખ શ્લાક જેવડું થવા જાય છે. ૧ સૂરપત્તિ અને ઇસિભાસિયની નિન્નુત્તિ મળતી નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84