________________
શ્રાવકોના ૨ પ્રકાર ક્ર. | વ્રતોને જાણે વ્રતોને સ્વીકારે વ્રતોને પાળે
x |
૭ | ૪ |
|
✓ ✓ આમાંથી પહેલા સાત ભાંગામાં રહેલ શ્રાવક અવિરત છે, કેમકે સમ્યજ્ઞાનપૂર્વક અને સમ્યસ્વીકારપૂર્વક પાળેલા વ્રતો જ યથોચિત ફળ આપે છે.
આઠમા ભાંગામાં રહેલ શ્રાવક દેશવિરત છે. આમ શ્રાવકના બે પ્રકાર થયા- (૧) અવિરત અને (૨) દેશવિરત.
દેશવિરત શ્રાવક ૧, ૨, ૩ વગેરે વ્રતોને સ્વીકારનારો હોય યાવતુ ઉત્કૃષ્ટથી સંવાસ અનુમતિ માત્રને સેવનારો હોય, સંવાસ અનુમતિ સિવાયના બધા પાપોના પચ્ચખાણ કરનારો હોય.
અનુમતિ ૩ પ્રકારની છે –
(૧) પ્રતિસેવન અનુમતિ - જે પોતે કરેલા કે બીજાએ કરેલા પાપોની પ્રશંસા કરે, સાવદ્ય આરંભથી બનેલા અશન વગેરે વાપરે તેને પ્રતિસેવન અનુમતિ હોય છે.
(૨) પ્રતિશ્રવણ અનુમતિ - જે પુત્ર વગેરેએ કરેલા પાપોને સાંભળે અને તેની પ્રશંસા કરે, પણ તેને અટકાવે નહીં તેને પ્રતિશ્રવણ અનુમતિ હોય છે.
(૩) સંવાસ અનુમતિ - જે સાવદ્ય આરંભ કરનારા એવા પુત્ર વગેરે ઉપર માત્ર મમત્વ રાખે, એ સિવાય એમના કોઈપણ પાપોને સાંભળે નહીં અને તેની પ્રશંસા કરે નહીં તેને સંવાસ અનુમતિ હોય છે.