________________
૧૧૯
અસંયોગી વગેરે ભાંગા કાઢવાની પહેલી રીત
આમ કુલ ૬૦ દેવકુલિકાઓ થઈ. અસંયોગી, બેસંયોગી વગેરે ભાંગા કાઢવાની રીત - પહેલી રીત -
જેટલા વ્રતના અસંયોગી વગેરે ભાંગા કાઢવા હોય ૧ થી માંડીને તેટલા અંકો નીચે નીચે લખવા. ઉપર ઉપરનો અંક નીચે નીચેના અંકમાં ઉમેરી તેનો જવાબ નીચેના અંકની બાજુમાં ઊભી લીટીમાં લખવો. ૧ ની બાજુમાં ૧ લખવો. સૌથી નીચેનો અંક ઉમેરવો નહીં, પણ એ જ અંક તેની બાજુમાં લખવો. હવે આ બીજી ઊભી લીટીમાં ફરી ઉપર ઉપરનો અંક નીચે નીચેના અંકમાં ઉમેરી તેનો જવાબ નીચેના અંકની બાજુમાં ઊભી લીટીમાં લખવો. ૧ની બાજુમાં ૧ લખવો. આ ઊભી લીટીમાં છેલ્લા બે અંક ન ઉમેરવા, તે બે અંક જ તેમની બાજુમાં લખવા. હવે ત્રીજી ઊભી લીટીથી માંડીને આગળ આ જ રીતે ઉપર ઉપરના અંક નીચે નીચેના અંકમાં ઉમેરી તેનો જવાબ નીચેના અંકની બાજુમાં ઊભી લીટીમાં લખવો. ૧ની બાજુમાં ૧ લખવો. પછી પછીની ઊભી લીટીમાં છેલ્લેથી ૧-૧ વધુ અંક ન ઉમેરતાં તે જ અંક તેની બાજુમાં લખવા. આ પ્રમાણે જેટલા વ્રત હોય તેનાથી ૧ ઓછી ઊભી લીટીઓ લખવી. છેલ્લી લીટીમાં લખેલી સંખ્યાઓ એ નીચેથી અસંયોગી વગેરે ભાંગાની કુલ સંખ્યાઓ છે.
દા.ત. બાર વ્રતના અસંયોગી વગેરે ભાંગા જાણવા હોય તો ૧ થી ૧૨ અંક નીચે નીચે લખવા.
માણસને સુખી જ થવું હોત તો સહેલાઈથી થઈ શકત, પણ બીજાઓ કરતા વધારે સુખી થવું છે ! અને બીજાઓ હોય છે તે કરતાં આપણે તેને વધારે સુખી કલ્પેલ હોય છે ! પઢના, ગુનના, ચાતુરી, યે તો બાત સરલ; કામ દહન, મન બસીકરન, ગગન ચઢન મુશ્કિલ.