Book Title: Nyayasamucchaya
Author(s): Lavanyasuri
Publisher: Vijaylavanyasurishwar Gyanmandir Botad

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકાશકીય-નિવેદન વિદ્ધસમાજને સહર્ષ જણાવતાં અમને અતિ આનંદ થાય છે કે-અમારા શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજ્ઞાનમંદિર તરફથી પૂર્વે અનેક ગ્રન્થોનું પ્રકાશન થયેલ છે. આજે પણ એ ગ્રંથોની ભારતમાંથી અને ભારતના બહારના પ્રદેશમાંથી માંગ અાવી રહી છે. ઈગ્લેંડ, અમેરિકા અને જાપાન વગેરેની સરકારી લાઈબ્રેરીઓની માગણી આવતાં અમારી સંસ્થા તરફથી ભેટ તરીકે અનેક પુસ્તકો મોકલાવેલ છે. આજે આ ૨૦૧૩ માં વર્ષમાં પણ અમારા જ્ઞાનમંદિર તરફથી આ એક અનુપમ ન્યાયસમુચ્ચય નામનો ગ્રંથ પ્રકાશિત થાય છે. આ ગ્રંથમાં વિશદ સિલ્વવૃત્તિ અને તેના પર વિશાલકાય તરંગવિવરણ શાસનસમ્રા -- સૂરિચક્રચક્રવર્તિ-ભારતીય ભવ્યવિભૂતિ–દિવ્યતેજોમુર્તિ-તપગચ્છાધિપતિ- બાલબ્રહ્મચારિ– શ્રીકગિરિપ્રમુખનેક તીર્થોદ્ધારક-ભૂપાલાવલિનતપાદ% - પંચપ્રસ્થાનમયસૂરિમન્નસમારાધક –પરમપૂજ્ય-આચાર્યમહારાજાધિરાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમવિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર-વ્યાકરણવાચસ્પતિશાસ્ત્રવિશારદ-કવિરલ-અદ્વિતીય પ્રવચનસુધાવર્લી-સલક્ષ લોકપ્રમાણ નૂતન સંસ્કૃત સાહિત્યના સા-શાસનપ્રભાવક–બાલબ્રહ્મચારિ-પૂજયપાદ આચાર્યદેવ શ્રીમવિલાવણ્યસૂરીશ્વરજીમહારાજા છે. આ ગ્રંથના સંપાદક પ્રખરવક્તા-વિદ્ધવર્ય-બાલબ્રહ્મચારિ પૂજ્યપાદ પજ્યાસપ્રવર શ્રીસુશીલ વિજયજી મહારાજ છે. તેઓશ્રીએ આ ગ્રંથનું સંપાદન સુંદર રીતે કરેલ છે. તદુપરાંત આ ગ્રંથનો ગૂર્જરભાષામાં સંક્ષેપાર્થ અને પુરોવચન પણ તૈયાર કરી આપેલ છે. જે આ ગ્રંથમાં મુદ્રિત કરવામાં આવેલ છે. આ ગ્રંથની ભૂમિકા વ્યાકરણ-સાહિત્ય-વેદાન્તાચાર્ય પંડિતપ્રવર શ્રીવિશ્વેભઋાજીએ લખેલ છે. આ ગ્રંથની પ્રેસ કોપી મેળવવામાં પૂજ્ય વિદ્વાન મુનિરાજ શ્રીવિકાશવિજ્યજીએ તથા પૂજ્ય વિદ્વાન મુનિરાજ શ્રીમનહરવિજયજીએ પણ સારો સહકાર આપેલ છે. આ રીતે ઉક્ત સર્વેનો, દ્રવ્યસહાયકોનો, અને મુદ્રણકાર્યકર્તા વગેરેનો સહર્ષ આભાર અમે માનીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 206