Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 22
________________ મહાપુરુષોની જીવનચર્યામાં ઘટેલી વિવિધ ઘટનાઓ એટલી સ્પષ્ટ માનષિક ઘટનાઓ છે કે સમર્થ શક્તિશાલી મહારાજાઓ તમેટા રાજાઓ) ના જીવનને અનુરૂપ જ છે. કેઈ રાજ-પુરોહિત કે રાજપંડિત પોતાના મહારાજાને બહુ જ ઉંચી હદ સુધી વર્ણવે અને મહાત્માને પરમાત્મા બનાવી દે એથી કંઈ એ વસ્તુ ઐતિહાસિક યા તાત્વિક સત્યરૂપ બની જાય નહિ. “હીટલર” જેવી કે મહાપરાક્રમી શક્તિને વિજેતા, અસુરસંહારક કહેવાઈ જાય અને અત એવ ઈશ્વરને અવતાર ગવાઈ જાય તે એ કેવું સારું ગણુશે? બ્રહ્મથી જગતું થયું એમ કહીએ તે એને અર્થ એવો થાય કે શુદ્ધ નિર્મલ બ્રહ્મથી વિકારી જગત્ થયું. આ વાત ઘટી શકે કે? નિર્વિકાર બ્રહ્મ વિકારી જગનું ઉપાદાન બની શકે? જગ-રચના માયાથી બતાવાય તે માયાનું સ્પષ્ટીકરણ કરવું બાકી રહે છે. બ્રહ્મને માયાડડવૃત મનાય તે બ્રહ્મ કલુષિત બની જાય, બ્રહ્મનું પાવિત્ર્ય ઉડી જાય. ખરી વાત એ છે કે, અખિલ જગતમાં સર્વત્ર શરીર ચેતન વ્યાપ્ત છે. સમગ્ર કાકાશના દરેકે દરેક પ્રદેશમાં, સોયના અગ્ર ભાગથી પણ સૂક્ષ્મ પ્રદેશમાં અનન્ત સશરીર ચેતને-સૂક્ષ્મતમ જી વ્યાપ્ત છે. અને એ બધા પ્રાણીઓ માયાવૃત છે, અર્થાત્ કર્મનાં આવરણોથી આવૃત છે. આ રીતે સમગ્ર બ્રહ્માંડ ચેતનમય છે એમ કહેવું બરાબર છે અને આ દષ્ટિએ બ્રહ્મને વ્યાપક તેમ જ તેની સાથે માયાને વેગ માનવામાં બરાબર વ્યાજબીપણું છે. પણ કેઈ એક જ બ્રહ્મ વસ્તુ પૂર્ણ શુદ્ધ છે અને છતાં માયાવૃત છે, અને વળી જગત્સર્જનનું કામ કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120