Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 29
________________ સઘળી જંજાળથી નિમુક્ત છે, ભવ-પ્રપંચના પાધિક લેપથી સર્વથા વિમુક્ત છે. એને રાગ-દ્વેષ નથી. માટે જ રાગ-દ્વેષસૂચક કઈ ચીજનો-રાગસૂચક સ્ત્રી તેમજ આભષણ, અને દ્વેષભયાદિસૂચક શસ્ત્રાસ્ત્ર વગેરેનો-સંસર્ગ એની મૂર્તિ જેડે ઘટી શકે નહિ. રાજા-મહારાજાની અવસ્થાની મૂર્તિ હોય તો એને સ્ત્રી અને શસ્ત્રાસ્ત્રનો સંસર્ગ ઘટી શકે. ભૂતકાળના હોટા મહોટા વીરપુંગવોનાં અને નરેન્દ્રોનાં બાવલાં ઉભાં કરવામાં આવે છે, એમની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે, એ પ્રમાણે જે હોય તે કંઈ જ વાંધો નથી. પણ તે એ પરમાત્માની મૂર્તિ ન કહેવાય, પણ મહાન નરવીર કે મહાન નરેશ યા મહાન્ સમ્રાર્ની મૂર્તિ ગણાય. એ સ્થિતિમાં પ્રદર્શન માટે એ પ્રકારની મૂર્તિઓ અવશ્ય ઉપગી છે, અને એ પ્રકારના ભાવને ઉદ્દીપ્ત કરવામાં પ્રાજક છે. પણ પરમાત્માની મૂર્તિમાં તો એની પૂર્ણ વીતરાગતાને જ દેખાવ આવવો જોઈએ, રાગ-દ્વેષની સૂચક કઈ પણ ચીજનો સંસર્ગ ત્યાં ન હોવો જોઈએ. તે જ એ પરમાત્માની મૂર્તિ તરીકે વિતરાગ ભાવને પ્રેરવામાં ઉપયોગી થઈ શકે. અસ્તુ. પૂર્વોક્તસ્વરૂપ (સાકાર) પરમાત્માની પાસેથી આદિ ઋષિઓએ સાંભળેલું તે મૃત. એ શ્રત ઉત્તરેત્તર ષિપરંપરાથી વહેતું આવેલું આજે પણ ઉપલભ્ય છે. એમાંથી વિવેચક દષ્ટિએ પરમાત્માની મંગલભૂત આજ્ઞા યા કલ્યાણભૂત ઉપદેશને સાર પ્રાપ્ત કરી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120