Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કવિ આનંદઘનજી અંતમાં ગુરુના વચન પર શ્રદ્ધા રાખી આત્મિક ગુણો ખીલવવાનો સંદેશ આપે છે.
પ્રારંભિક પદોમાં આત્માને મોહરૂપી માયાજાળમાંથી બહાર નીકળવાનો બોધ છે. માનવીનું આયુષ્ય પળે પળે ક્ષીણ થાય છે, જેની તુલના તેઓ અંજલિમાં ભરેલ જળ સાથે કરે છે.
(પ્રથમ પદ) “ સોવે ૩૪ ની બી3 રે.
મંત્નિ નન ન્યૂ માથુ ધટત હૈ.” પ્રથમ પદમાં કવિ પ્રભુ મહાવીરે ગૌતમ પ્રભુને આપેલ ઉપદેશ આપે છે કે - “સમર્થ મા પમાફ નયમ' અર્થાતુ એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. કારણ કે માનવ જિંદગી તો “પાની બઢતા તેવર હી છિપ ગાયે, ચું તારા પરમાત' પાણીના પરપોટાની જેમ ક્ષીણ થાય છે, માટે એક ઘડીનો પણ વિલંબ કર્યા વિના પ્રભુનું ધ્યાન ધર. કવિ પ્રહર બદલાતા ઘડિયાળના ટકોરા દ્વારા મળતી ચેતવણી પર ધ્યાન આપવા કહે છે -
સ્વત પરિયાં ઘરિય ધા રે.. आनंदघन चेतनमय मूरति
શુદ્ધવિરંગન ટેવ ૩ રે." શુદ્ધ નિરંજન પરમાત્માનું ધ્યાન ધરવા મનુષ્ય એક ઘડીનો પણ વિલંબ ન કરવા પ્રબોધે છે.
તેમની રચનામાં અધ્યાત્મ જ્ઞાનરૂપ અમૃત નજરે પડે છે, જે તેમને જીવનમાં થયેલ અનુભવોનો નિચોડ છે.
એકવાર તેઓ અટ્ટમને પારણે ગોચરી વહોરવા ગયા. નગરમાં ગૃહસ્થોને ઘરે ફરતાં ફરતાં પણ તેમને આહાર પ્રાપ્ત ન થયો. સ્વસ્થાને આવી ફક્ત પાણી વાપરી આશામાં લપેટાતા જીવને ઉદ્દેશીને એક પદ રચ્યું. આ પદમાં તેઓ માનવીને સરળ શબ્દોમાં કહે છે કે - “આશા અને એની ઉપલબ્ધિ નિરાશા જ હોય છે, ઠગારી નીવડે છે.” જ્યારે આત્માના સહજ જ્ઞિાનધારા -૩ ૬૪ રૂ જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)