Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
આત્માને મન-વચન-કાયાના યોગો દ્વારા કર્મ સાથે સંબંધ થાય છે એથી આત્મા કર્મનો કર્તા છે. (૪) બંધાયેલાં કર્મો શુભ અથવા અશુભ ફળ આપતાં હોય છે, એટલે એ કર્મોનો ભોકતા પણ આત્મા જ છે. ના કોઈ બીજાએ ઉપાર્જન કરેલાં શુભાશુભ કર્મો, બીજી વ્યક્તિને ફળ આપી શકતાં નથી. ખાય ભીમ અને ટટ્ટી જાય મામો શકુનિ' એવું કર્મોની બાબતમાં ના બની શકે. (૫) જ્યાં આધિરૂપ મનનાં દુઃખો, વ્યાધિરૂપ શરીરનાં દુઃખો અને બહારની ઉપાધિનું નામનિશાન નથી અને એકલો આત્મિક આનંદનો મહાસાગર છે, એવું કર્મ કષાયમુક્તિનું સ્થાન = મોક્ષ છે અને (૬) આવો મોક્ષ મેળવવાના ઉપાયો = સમ્યક્ દર્શન - જ્ઞાન - ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગ પણ છે જ.
વળી સમ્યગુદર્શન ચાર્વાદ - અનેકાંત સિદ્ધાંતને સ્વીકારે છે અને એટલે જ જ્ઞાનનયની સાથે જ ક્રિયાનયને પણ સ્વીકારે છે, ઉત્સર્ગમાર્ગની જેમ અપવાદ માર્ગને પણ માન્ય કરે છે, નિશ્ચયનયની જેમ વ્યવહારનયને પણ પોતપોતાના સ્થાને અગત્યના સમજે છે. જ્ઞાન વગરની ક્રિયા અશક્ત આંધળા જેવી છે અને ક્રિયા વગરનું જ્ઞાન આંખવાળા પાંગળા જેવું છે. બંનેના સમન્વયથી સળગતા સંસાર (= ભવ) વનમાંથી બહાર નીકળી શકાય છે. ઉત્સર્ગ માર્ગથી સાધુને કાચા ટીપાને અડી પણ શકાતું નથી. એ જ સાધુ સંયમની સાધનાના લક્ષથી = રાગ-દ્વેષની પરિણતિ ઘટાડવાના લક્ષથી અવસરે પાણીથી ભરેલી નદીને પણ ઓળંગી જાય છે. અરે ! અવસરે નાવમાં પણ બેસે છે. રાજમાર્ગનો પુલ તૂટી ગયો હોય ત્યારે ડ્રાઇવરઝન. દ્વારા પણ ઇચ્છિત સ્થળે પહોંચાય છે જ ને ? એ જ રીતે -
નિશ્ચયર્દષ્ટિ મન ધરી પાળે જે વ્યવહાર;
પુણ્યવંત તે પામશે, ભવસમુદ્રનો પાર. નિશ્ચયને ગૌણ કરે તો તત્ત વ્યવસ્થા ન રહે, વ્યવહારને ગૌણ કરે તો પ્રભુએ સ્થાપેલા મોક્ષમાર્ગસ્વરૂપ શાસનનો ઉચ્છેદ થઈ જાય. દરેક નય પોતપોતાના સ્થાને મહત્ત્વના છે જ. એમાંના એકની પણ ઉપેક્ષા ચાલે જ શી રીતે ?
મોક્ષમાર્ગ સ્વરૂપ ધર્મવૃક્ષનું મૂળ સદૈવ લીલુંછમ રાખવા માટે જરૂરી બને છે, વિનયધર્મ એમ સમ્યગ્દર્શનવંત ભવ્ય જીવ સારી રીતે સમજે છે. વિનયમાં પાંચ વાતો જરૂરી બને છે : (૧) બહારની સેવા સ્વરૂપ ભક્તિ. (૨) હૃદયનો પ્રેમ તે બહુમાન. (૩) ગુણોની સ્તુતિ કરવી. (૪) અવગુણોને ઢાંકવા. (૫) આશાતના ન કરવી. આ પાંચ પ્રકારનો વિનય શ્રી જૈનશાસનની અતિ મહત્ત્વની દશ વસ્તુઓ વિષયક સમજવો તે આ જ્ઞાનધારા-૩
૦૩ Fર જેન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)