Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ઘાતના ચોથા સમયે પોતાના આત્મા પ્રદેશોને લોકવ્યાપી બનાવે છે તે સિવાય ત્રસજીવો લોકવ્યાપી બનતા નથી.
આ રીતે લોક પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવોથી સંપૂર્ણપણે સ્પષ્ટ છે. અને ત્રસજીવોથી લોક (કેવલી સમુદ્દાતની અપેક્ષા) ક્યારેક પૃષ્ટ હોય છે, ક્યારેક સ્પષ્ટ હોતો નથી.
અા સમયકાળ : તે અઢી દ્વીપક્ષેત્રમાં જ હોય છે. સમસ્ત લોકમાં નથી, તેથી લોક અટ્ઠા સમય(કાળ)થી કંચિત (દેશથી) સ્પષ્ટ છે અને કંથચિત સ્પષ્ટ નથી.
આ રીતે (૧) ધર્માસ્તિકાય (૨) તેનો દેશ (૩) તેના પ્રદેશો (૪) અધર્માસ્તિકાય (૫) તેનો દેશ (૬) તેના પ્રદેશ (૭) આકાશાસ્તિકાય (૮) તેનો દેશ (૯) તેના પ્રદેશ (૧૦) પુદ્ગલાસ્તિકાય (૧૧-૧૫) પાંચ સ્થાવર જીવો (૧૬) ત્રસકાયના જીવો (૧૭) અદ્દા સમય કાળ. આ સત્તર બોલમાંથી આકાશ થિન્ગલ એટલે લોક (૧-૨) ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બંને અખંડ દ્રવ્યોને (૩-૪) બંનેના અસંખ્ય પ્રદેશોને. (૫) આકાશાસ્તિકાયના દેશને (૬) તેના પ્રદેશોને (૭) પુદ્ગલાસ્તિકાયને (૮ થી ૧૨) પાંચ સ્થાવર જીવોને. આ રીતે બાર બોલોને પૂર્ણપણે સ્પર્શે છે. ત્રસકાયના જીવો અને અા સમયકાળ, આ બે બોલને કંથચિત સ્પર્શે છે. પરંતુ ધર્માસ્તિકાયનો દેશ તેમ જ આકાશાસ્તિકાય રૂપ અખંડ દ્રવ્યને, આ રીતે ત્રણ બોલની સ્પર્શના થતી નથી.
જ્ઞાનધારા -3
છે
૧૬૪
.
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩