Book Title: Gujarati Kahevat Sangraha tatha Prachin Dohrao Sakhio
Author(s): Ashram Dalichand Shah
Publisher: Mulchand Asharam Shah
View full book text
________________
કહેવત સંગ્રહ
૪૬૫. તેલનું ટીપું ને હીરની ગાંઠ. ૯
(જે વાત ચોક્કસ હોય તે વિષે.). તેલનું ટીંપે ને હીરની ગાંઠ. અંકે સે. જડબે સલાખ. લેહડે લી ને પટોળે ભાત. ધ્રુવના અક્ષર. એમાં મીન મેખ નહીં. કંકુચોખા ચોટી ગયા છે. જેઠવાને ઊજળી કહે છેઃ સેરો– તું શું તાળી લઈ, બે ઘડીએ બેલ્યાં નહીં;
એ અવઢવ રહી ગઈ, જામ કામી જેઠવા. ૪૦૪ A firm knot. ૪૬૬. ધૂળગજા સારૂ વેર કરવું. ૪
ઘળગજા સારૂ વેર કરવું. વિસ્તાર વગરની વાતમાં વઢવાઢ (રાખવી.) કાચરીર સારૂ વિવાહ બગાડ. હ-પડ્યા ચભાસર પાંસ, સોઢા વીશું સાત;
એક તેતરને કારણે, અલ રાખી અખીયાત. ૪૦૫ ૪૬૭. ધૂળમાંથી ધન પેદા કરવું. ૨.
ધૂળમાંથી ધન પેદા કરવું. શુન્યમાંથી સૃષ્ટિ કરવી. ૪૬૮. ધોબીના ઘરમાં ખાતર પડે તે ઘરાકનું જાય. ૫ ઘેબીના ઘરમાં ખાતર પડે તે ઘરાકનું જાય. હશે તેનું જશે, હું તો મંગળ ગાઉં. નાગા ઉપર ઉઘાડો પડે. ધોબીને પાંચે પારકાં. અંગે અંગ ઘાસે, ને બડી પતી નાસે.
૧ જામ કામી=કાયમ, કદી ખસે નહીં તેવી. ૨ કાચરી ચીભડા વિગેરેની સુકવણી. ૩ અખીયાતસદાને માટે કાયમ. પારકર (થરપારકર જીલ્લામાં) આગળ જ્યારે દુકાળ પડ્યો ત્યારે બે હજાર સોઢા પરમાર પોતાના ઘરખટલાને સાથે લઈ કાઠિયાવાડના પાંચાળ દેશમાં આવ્યા. તે પરમારના આગેવાન કુંજે ને લખધીર હતા. તેમણે મુળી નજદીક ઘાગરીઆ ગામમાં નિવાસ કર્યો. તે વખતે સાએલામાં ચભાડ ઠાકર રાજ કરતા હતા તે શિકારે નીકળ્યા. તેણે એક તીતરને ઘાયલ કે જખમી કર્યું. તે ના ને સેઢા પરમારની છાવણી કે વાંઢમાં આવ્યું. ચભાડ તેની પાછળ ગયા ને તીતર સેઢા પરમાર પાસે માગ્યું. શરણે આવેલું તીતર પરમારે આપ્યું નહીં અને તેમાં લડાઈ થઈ તેમાં પાંચસો ચભાડ ને એકસો ચાળીશ સોઢા પરમાર મરાયા તેને આ દેહરે છે. ૪ પતી નજખમોને નડે નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com