Book Title: Dharm Sangraha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 140
________________ ધર્મસંગ્રહ ભાગ-૪/ દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ૧૨૩ સર્વ પદનું કથન હોવાથી તેના બિબમાં પણ સર્વપદની સ્થાપના જણાય જ છે. અને વ્યવહારભાષ્યમાં કહેવાયું છે. “આચાર્યના ગ્રહણથી તીર્થંકર અહીં ગ્રહણ થાય છે. અને આચારનો ઉપદેશ આપતા તીર્થંકરો શું આચાર્ય થતા નથી ?” II૧II. “અહીં=તીર્થંકર આચાર્ય છે એમાં, દૃષ્ટાંત છે. જે પ્રમાણે સ્કંધક વડે ગૌતમસ્વામી પુછાયા. હે ભગવંત ! કોના વડે તમને આદેશ અપાયો છે ? પાછળથી કહે છે. ધર્માચાર્ય વડે.” રા જિનના અતિશય હોવાથી તે જિન છે. ગુરુ ઉપદેશથી તે જ ગુરુ છે જિન જ ગુરુ છે. કરણ આદિના વિનયથી તે જ=જિન જ=ભગવાન જ, મારા ઉપાધ્યાય છે.” ૩ ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અને “આ પ્રમાણે સ્કંદક સાધુ આગળ શ્રી ગૌતમસ્વામી વડે કહેવાયેલી શ્રી વર્ધમાનપ્રભુની અરિહંતતા, ગુરુતા આદિ સર્વ પદવી સાંભળીને હે ભવ્યજીવો ! બોધ પામો. તે શ્રી વીરપ્રભુની અરિહંતતા-ગુરુતાદિ સર્વપદવી કહી તે સ્થાપનાચાર્યવાદિ અરિહંતનાં બિબોમાં પણ સ્પષ્ટ છે. અને ક્ષમાશ્રમણોએ=સાધુઓએ, તેની આગળ જિનપ્રતિમા આગળ, વિધિ કરવી જોઈએ.” III. આ રીતે સાક્ષાત્ સમાસા=પાસે, ભાવાચાર્યનો અસહ્મા હોતે છતે ખમાસમણપૂર્વક જિનબિંબાદિને પૂછીને ઈર્યાપથિકી પ્રતિક્રમણ કરવું જોઈએ. પરંતુ તેના વિના પણ નહિ જિનબિંબને પૂછ્યા વગર પણ નહિ. જે કારણથી આગમમાં છે. અને ગુરુના વિરહમાં સ્થાપના, ગુરુ-ઉપદેશના દર્શન માટે છેગુરુ-અનુજ્ઞા બતાવવા માટે છે.” (પ્ર. ૨૬૨) ઈત્યાદિ “સંઘાચારવૃત્તિમાં ઈર્યાસંપદ અધિકારમાં છે. વળી ઈર્યાપથિકી પ્રતિક્રમણ વગર પણ જઘન્ય-મધ્યમ ચૈત્યવંદન થાય છે. ઉત્કૃષ્ટ વંદનાથી વંદન કરવાની ઈચ્છાવાળા વિરત સાધુ, શ્રાવક, અવિરત સમ્યગ્દષ્ટિ અથવા અપુતબંધક યથાભદ્રક પણ યથોચિત પ્રતિલેખિત પ્રમાર્જિત સ્પંડિલવાળો=ભૂમિવાળો, ભુવનગુરુમાં=જિનપ્રતિમામાં વિનિવેશિત= સ્થાપત કરાયેલાં નયન અને માનસવાળો, સંવેગ અને વૈરાગ્યના વશથી ઉત્પન્ન થયેલા રોમાંચ શરીરવાળો, હર્ષનાં આંસુથી પૂર્ણ લોચતવાળો, અતિદુર્લભ ભગવાનનું પાદવંદન છે એ પ્રમાણે બહુ માનતો મહાવૃતવાળા અર્થયુક્ત અપુનરુક્ત નમસ્કારને કહીને યોગમુદ્રાથી અમ્મલિતાદિ ગુણોથી યુક્ત તેના અર્થતા અનુસ્મરણ ગર્ભ એવા પ્રણિપાતદંડકને બોલે છે. અને અહીં ‘સંઘાચારવૃત્તિમાં કહેવાયેલું આ વિશેષ છે – એક, બે યાવત્ ઉત્કૃષ્ટથી ૧૦૮ સ્તુતિ યથાશક્તિ બોલીને પાછળથી યથાવિધિ પૂર્વમાં કહેલા પ્રણિપાત કરે. અને તે પ્રમાણે આગમ છે. પ્રયત્નથી જિનેશ્વરોને ધુવ આપીને ઉપયોગપૂર્વક જિનેશ્વરોને ધૂપ કરીને, એકસો આઠ (૧૦૮) શુદ્ધ ગ્રંથયુક્ત=શુદ્ધ રચનાયુક્ત, અપુનર્યુક્ત એવા સ્તોત્રથી ભગવાનની સ્તુતિ કરે છે. ઈત્યાદિ

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218