Book Title: Dharm Sangraha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 143
________________ ૧૨૬ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૧ ભગવંતાણ’ : “ભગવાનને નમસ્કાર થાઓ' એમ અવય છે. ત્યાં='ભગવંતાણં' શબ્દમાં ‘મ'=સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણવાળું છે. અને કહેવાયું છે. સમગ્ર ઐશ્વર્યને, રૂપને, યશને, શ્રિયને=લક્ષ્મીને, ધર્મને, પ્રયત્નને છને ‘પા' એ પ્રમાણેની સંજ્ઞા છે.” [૧] અને ભક્તિથી તમ્રપણાને કારણે ઈન્દ્રો વડે શુભાનુબંધી મહાપ્રાતિહાર્યનું કરણ લક્ષણ સમગ્ર ઐશ્વર્ય છે=ભગવાનનું સમગ્ર ઐશ્વર્ય છે. વળી, રૂ૫=ભગવાનનું રૂપ, સકલ સુરના સ્વપ્રભાવથી વિનિર્મિત એવા અંગૃષ્ઠના રૂપની આગળ અંગારના નિદર્શનથી અતિશય સિદ્ધ છે. વળી યશ રાગદ્વેષ પરિષહ ઉપસર્ગમાં પરાક્રમથી ઉત્પન્ન થયેલ ત્રણલોકના જીવોને આનંદ કરનાર આકાલ પ્રતિષ્ઠ છે=ભગવાનનો યશ સદા વિદ્યમાન છે. વળી, શ્રી=લક્ષ્મી ઘાતકર્મના ઉચ્છેદના પરાક્રમથી પ્રાપ્ત કેવલાલોક નિરતિશય સુખસંપત્તિથી સમન્વિત પરા છે=ભગવાનની ઉત્કૃષ્ટ લક્ષ્મી છે. વળી ધર્મ સમ્યગ્દર્શનાદિ રૂપ દાન-શીલ-તપ-ભાવનામય સાશ્રવ-અનાશ્રવ મહાયોગાત્મક છે. વળી પ્રયત્ન, પરમવીર્ય સમુન્થ એકરાત્રિકી આદિ મહાપ્રતિમાના ભાવનો હેતુ સમુદ્દઘાત શૈલેષીઅવસ્થા વ્યંગ્ય સમગ્ર છે. આવા પ્રકારનો આ ભગ વિદ્યમાન છે જેઓને તે ભગવાન છે. તે ભગવાનને નમસ્કાર થાઓ એમ અવય છે. એ રીતે પ્રથમ સ્તોતવ્યસંપદામાં ‘નમોડસ્તુનું જોડાણ કર્યું એ રીતે, સર્વત્ર=સર્વ સંપદામાં, ક્રિયાનું યોજન કરવું=નમોડસ્તુ નમસ્કાર થાઓ એ ક્રિયાનું યોજન કરવું. આવા પ્રકારના જ=સ્તોતવ્યસંપદાથી બતાવ્યા એવા પ્રકારના જ ભગવાન વિચારકોને સ્તોતવ્ય છે. એથી આ બે આલાપક દ્વારા સ્તોતવ્યસંપદા કહેવાય. હવે આવી=સ્તોતવ્યસંપદાની, હેતુસંપદાને કહે છે. “આદિને કરનારા, તીર્થને કરનારા અને સ્વયંસંબુદ્ધ એવા ભગવાનને નમસ્કાર થાઓ' એમ અવય છે. “આઈગરાણ' : આદિ કરવાના સ્વભાવવાળા અથવા આદિ કરવાના હેતુવાળા એ આદિકર છે=સકલ નીતિના કારણ એવા શ્રતધર્મની આદિને કરનારા છે. એ પ્રમાણે સામર્થ્યથી જાણવું. તેઓને નમસ્કાર થાઓ એમ અવય છે. જોકે આ દ્વાદશાંગી ક્યારેય ન હતી એમ નહિ અને ક્યારેય નથી એમ નહિ અને ક્યારેય નહિ હોય એમ નહિ અર્થાત્ દ્વાદશાંગી ત્રણેય કાળમાં છે. ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. (નંદીસૂત્ર સૂ. ૧૧૮) એ પ્રકારનું વચન હોવાથી નિત્ય દ્વાદશાંગી છે. તોપણ અર્થની અપેક્ષાએ નિત્યપણું છે. વળી, શબ્દની અપેક્ષાથી સ્વ-સ્વતીર્થમાં શ્રતધર્મનું આદિકરપણું ભગવાનનું શ્રતધર્મનું આદિકરપણું, અવિરુદ્ધ છે. આ પણ મૃતધર્મની આદિને કરનારા ભગવાન પણ, કેવલ્યની પ્રાપ્તિ પછી તરત અપવર્ગવાદી

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218