Book Title: Dharm Sangraha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 148
________________ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ૧૩૧ જીવાદિ વસ્તુતત્વનું, પ્રદ્યોતકરણ વિશિષ્ટ જ એવા પૂર્વના જાણનારાઓને થાય છે. તેઓ પણ=વિશિષ્ટ એવા ૧૪ પૂર્વધરો પણ, ષસ્થાનપતિત જ સંભળાય છે. અને તે સર્વોતે જsષસ્થાનપતિત સર્વ ૧૪ પૂર્વધરોને જ, પ્રદ્યોત સંભવતો નથી. દિ=જે કારણથી, પ્રદ્યોત વિશિષ્ટ તત્વસંવેદનયોગ્યતા છે. અને તે=વિશિષ્ટ તત્વસંવેદનયોગ્યતા, વિશિષ્ટ જીવોને જ હોય છે. તેથી વિશિષ્ટ ૧૪ પૂર્વના જાણનારા લોકની અપેક્ષાથી પ્રદ્યોતકર છે=ભગવાન પ્રદ્યોતકર છે. આ રીતે લાગુમાણ આદિ પાંચ આલાપકનું સ્વરૂપ બતાવ્યું. એ રીતે લોકોત્તમતાદિ પાંચ પ્રકાર વડે પરાર્થકરણ હોવાને કારણે સ્તોતવ્યસંપદાની જ=ભગવાનની સ્તોતવ્યસંપદાની જ, સામાન્યથી ઉપયોગસંપદા ચોથી છે સામાન્યથી ભગવાનનો લોકોને જે ઉપયોગ છે તેને બતાવનાર સંપદા ચોથી છે. હવે ઉપયોગસંપદાની જ હેતુસંપદાને કહે છે. અભયને દેનારા, ચક્ષને દેનારા, માર્ગને દેનારા, શરણને દેનારા અને બોધિને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ. એમ અવય છે. અભયદયાણ:" અહીં=સંસારમાં, (૧) આ લોકનો ભય, (૨) પરલોકનો ભય, (૩) આદાત ભય, (૪) અકસ્માત ભય, (૫) આજીવિકાનો ભય, (૬) મરણ ભય, (૭) અશ્લાઘાના ભયના ભેદથી ભય સાત પ્રકારના છે. આના પ્રતિપક્ષથી=સાત પ્રકારના ભયના પ્રતિપક્ષથી, વિશિષ્ટ એવા આત્માનું સ્વાથ્ય, નિઃશ્રેયસ ધર્મભૂમિકાના કારણીભૂત અભય છે. ધૃતિ એ પ્રમાણે બીજા કહે છે. તે કારણથી આવા પ્રકારનું અભય ગુણપ્રકર્ષના યોગથી અચિંત્યશક્તિયુક્તપણું હોવાને કારણે સર્વથા પરાર્થકારિપણું હોવાથી ભગવાન જ આપે છે, એથી અભયને દેનારા છે. તેઓને નમસ્કાર થાઓ એ પ્રમાણે અવય છે. ચકખુદયાણં - અને ચક્ષને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ એમ અવાય છે. અહીં–‘ચકખુદયાણ' પદમાં, ચક્ષ વિશિષ્ટ આત્મધર્મરૂપ તત્ત્વતા અવબોધનું કારણ ગ્રહણ કરાય છે. અને તે શ્રદ્ધા છેઃચક્ષુ શ્રદ્ધા છે. એ પ્રમાણે બીજા કહે છે; કેમ કે તવિહીનને શ્રદ્ધાવિહીન, અચસુવાળાની જેમ વસ્તુતત્વના દર્શનનો અયોગ છે. અને માર્ગાનુસારી શ્રદ્ધા સુખથી પ્રાપ્ત થતી નથી. અને કલ્યાણચક્ષુ જેવી આ હોતે છતેત્રમાર્ગાનુસારી શ્રદ્ધારૂપ ચક્ષુ હોતે છતે, વસ્તુતત્વનું દર્શન થાય છે. તે આગમાર્ગાનુસારી શ્રદ્ધારૂપ ચક્ષ, ધર્મકલ્પદ્રમના અવધ્યબીજભૂત ભગવાનથી જ થાય છે. એથી ચક્ષને આપે છે એથી ચક્ષુને દેનારા છે. મગ્નદયાણ - અને માર્ગને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ એમ અવય છે. અહીં=મગ્નદયાણં પદમાં, માર્ગ સાપના ગમતની તાલિકાના આયામ તુલ્ય વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં સમર્થ સ્વરસવાહી જીવતા સ્વભાવને વહન કરનાર ક્ષયોપશમ વિશેષ, હેતુસ્વરૂપ ફલશુદ્ધા સુખા' એ પ્રમાણે બીજા કહે છે. આ

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218