Book Title: Dharm Sangraha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 147
________________ ૧૩૦ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ “લોગનાહાણ' : અને લોકનાથને નમસ્કાર થાઓ એમ અન્વય છે. અહીં=લોકનાથ' પદમાં રહેલા લોક” શબ્દથી બીજાધાનાદિથી સંવિભક્ત રાગાદિ ઉપદ્રવથી રક્ષણીય વિશિષ્ટ ભવ્યલોક ગ્રહણ થાય છે; કેમ કે એમાં જવિશિષ્ટ ભવ્યલોકમાં જ નાથત્વની ઉપપત્તિ છે. કેમ વિશિષ્ટ ભવ્યલોકમાં જ નાથત્વની ઉપપત્તિ છે ? તેમાં હેતુ કહે છે -- યોગક્ષેમ કૃત નાથ છે યોગક્ષેમ કરનાર નાથ છે, એ પ્રમાણે વચન છે. તે કારણથી અહીં=સંસારમાં, જેઓને જ બીજાધાનના ઉદ્દભેદના પોષણથી યોગ છે અને તે તે ઉપદ્રવાદિના અભાવથી ક્ષેમ છે. તે જ ભવ્યો બીજાધાનાદિથી સંવિભક્ત રાગાદિ ઉપદ્રવથી રક્ષણીય એવા ભવ્યજીવો જ અહીં લોકનાથ' પદમાં 'લોક' શબ્દથી ગ્રહણ થાય છે. અને આ યોગક્ષેમ સકલ ભવ્યજીવોના વિષયમાં કોઈને સંભવતો નથી કોઈ તીર્થકરને સંભવતો નથી; કેમ કે સર્વજીવોની મુક્તિનો પ્રસંગ છે. તે કારણથી કહેવાયેલા જ લોકના બીજાધાનાદિથી સંવિભક્ત રાગાદિ ઉપદ્રવથી રક્ષણીય વિશિષ્ટ ભવ્યલોકના જ, ભગવાન નાથ છે. લોગહિઆણં' : અને લોકના હિતને કરનારા એવા ભગવાનને નમસ્કાર થાઓ. અહીં=લોગહિઆણં' પદમાં ‘લોક” શબ્દથી સકલ જ સાંવ્યવહારિકાદિભેદથી ભિન્ન પ્રાણીવર્ગ ગ્રહણ કરાય છે, તેમને=સમસ્ત પ્રાણીવર્ગને, સમ્યગ્દર્શનના પ્રરૂપણ દ્વારા રક્ષણનો યોગ હોવાથી હિત કરનારા છે ભગવાન હિત કરનારા છે તેથી લોકહિતા છે. લોગપઇવાણં' : અને લોક પ્રત્યે પ્રદીપ એવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અવાય છે. અહીં=લોગપઈવાણ' પદમાં, ‘લોક” શબ્દથી તેમની=ભગવાનની, દેશનાદિનાં કિરણો દ્વારા મિથ્યાત્વરૂપ અંધકારના અપનયનને કારણે યથાયોગ્ય પ્રકાશિત જ્ઞયભાવવાળો વિશિષ્ટ જ સંજ્ઞીલોક ગ્રહણ થાય છે; કેમ કે તેની પ્રત્યે જ-વિશિષ્ટ સંજ્ઞીલોક પ્રત્યે જ, ભગવાનના પ્રદીપપણાની ઉપપત્તિ છે. દિ=જે કારણથી, અંધ પ્રત્યે પ્રદીપ પ્રદીપન નથી=પ્રદીપ પ્રકાશન કરનાર નથી, તે કારણથી આવા પ્રકારના લોક પ્રત્યે જેઓને ભગવાનના વચનથી બોધ થાય છે તેવા લોક પ્રત્યે પ્રદીપ છે=લોકપ્રદીપ છે=ભગવાન લોદપ્રદીપ છે. લોગપજ્જો અગરાણ - અને લોકને પ્રોત કરનારા ભગવાનને નમસ્કાર થાઓ એમ અવય છે. અહીં=લોકપજ્જો અગરાણ' પદમાં લોક’ શબ્દથી વિશિષ્ટ ૧૪ પૂર્વને ધારણ કરનાર લોક ગ્રહણ કરાય છે, કેમ કે ત્યાં જ=વિશિષ્ટ ૧૪ પૂર્વધરોમાં જ, તત્ત્વથી પ્રદ્યોતકરત્વની ઉપપત્તિ છે=પ્રકૃષ્ટ દ્યોતકરત્વની ઉપપત્તિ છે. અને પ્રદ્યોત્યક ભગવાન દ્વારા પ્રદ્યોત કરવા યોગ્ય સાત પ્રકારનું જીવાદિ વસ્તુતત્ત્વ છે. અને તેનું સાત પ્રકારના

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218