Book Title: Dharm Sangraha Part 04
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 170
________________ ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧ ૧૫૩ શ્રાવકને અવશ્ય પ્રાપ્ત થશે તેથી ઇચ્છાની આવશ્યકતા નથી) એનો ઉત્તર આપે છે. ક્લિષ્ટ કર્મના ઉદયના વશથી બોધિલાભના પ્રતિપાતનો સંભવ છે. અને જન્માંતરમાં તેનું અર્થ્યમાનપણું છે=જન્માંતરમાં બોધિલાભની પ્રાપ્તિની ઇચ્છા કરાય છે. માટે ‘બોહિલાભવત્તિઆએ' કહેવું ઉચિત છે એમ અન્વય છે. મોક્ષ પણ તેના દ્વારા=બોધિલાભ દ્વારા, પ્રાર્થના કરાય જ છે=ઇચ્છાય જ છે. (કેમ કે ફળરૂપ મોક્ષની ઇચ્છાથી જ તેના કારણ એવા બોધિની ઇચ્છા છે) એથી આ બંનેનો ઉપન્યાસ યુક્ત છે=બોહિલાભવત્તિઆએ અને નિરુવસગ્ગવત્તિઆએ એ બંને પદનું કથન ઉચિત છે. અને આ કાયોત્સર્ગ કરાતો પણ શ્રદ્ધાદિવિકલને અભિલષિત અર્થના પ્રસાધન માટે સમર્થ નથી= કાયોત્સર્ગના ફલની પ્રાપ્તિ માટે સમર્થ નથી, એથી કહે છે. “વધતી જતી શ્રદ્ધાથી, મેધાથી, વૃતિથી, ધારણાથી, અનુપ્રેક્ષાથી હું કાઉસ્સગ્ગમાં રહું છું." શ્રદ્ધા મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમાદિથી જન્ય પાણીના પ્રસાદક મણિની જેમ=પાણીને સ્વચ્છ કરનાર મણિની જેમ, ચિત્તમાં પ્રસાદને કરનારી છે. તે શ્રદ્ધાથી હું કાઉસ્સગ્ગ કરું છું એમ અન્વય છે. પરંતુ બલાભિયોગાદિથી નહિ. એ રીતે=જે રીતે શ્રદ્ધાથી કરું છું એ રીતે, મેધાથી કાઉસ્સગ્ગ કરું છું, જડપણાથી નહિ. અને મેધા સત્શાસ્ત્રના ગ્રહણમાં પરુ, પાપશ્રુતની અવજ્ઞાને કરનાર, જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમજન્ય ચિત્ત ધર્મ છે. અથવા મેધાથી=મર્યાદાવર્તીપણાથી હું કાઉસ્સગ્ગ કરું છું. અસંમજસપણાથી નહિ. આ રીતે=મેધાથી કાઉસ્સગ્ગ કરું છું એ રીતે, ધૃતિથી=મતની સમાધિરૂપ ધૃતિથી પરંતુ રાગ-દ્વેષની આકુળતાથી કરતો નથી. એ રીતે=કૃતિથી કરું છું એ રીતે, ધારણાથી કાઉસ્સગ્ગ કરું છું=અરિહંતના ગુણોના અવિસ્મરણરૂપ ધારણાથી કાઉસ્સગ્ગ કરું છું. પરંતુ તકલ્યથી નહિ=અરિહંતના ગુણના સ્મરણના શૂન્યપણાથી નહિ. એ રીતે=ધારણાથી કાઉસ્સગ્ગ કરું છું એ રીતે, અનુપ્રેક્ષાથી કાઉસ્સગ્ગ કરું છું=અરિહંતના ગુણોના વારંવાર અનુસ્મરણથી જ કાઉસ્સગ્ગ કરું છું. તેના વિકલપણાથી નહિ=ગુણોના સ્મરણરહિતપણાથી નહિ. ‘વર્ધમાન’ એ વિશેષણ શ્રદ્ધાદિ પ્રત્યેક શબ્દ સાથે અભિસંબંધ કરાય છે. શ્રદ્ધાદિના ક્રમનો ઉપન્યાસ લાભની અપેક્ષાએ છે. શ્રદ્ધા હોતે છતે મેઘા પ્રાપ્ત થાય છે. મેધાના ભાવમાં ધૃતિ પ્રાપ્ત થાય છે. તેનાથી=કૃતિથી, ધારણા પ્રાપ્ત થાય છે. તેનાથી=ધારણાથી, અનુપ્રેક્ષા પ્રાપ્ત થાય છે. વૃદ્ધિ પણ આમની=શ્રદ્ધાદિની, આ રીતે જ થાય છે=પૂર્વ-પૂર્વની વૃદ્ધિ થાય તો ઉત્તર-ઉત્તરની વૃદ્ધિ થાય છે. તિષ્ઠામિ=રહું છું=કાઉસ્સગ્ગ કરું છું. ‘નનુ’થી શંકા કરે છે. પૂર્વમાં ‘કરોમિ કાયોત્સર્ગમ્' એ પ્રમાણે કહેવાયું. હવે તિષ્ઠામિ=‘હું રહું છું' એ પ્રમાણે કેમ કહેવાયું ? તેનો ઉત્તર આપે છે. તારું કથન સત્ય છે. ‘સત્’ના સામીપ્યમાં ‘સત્’ની જેમ પ્રત્યય થાય છે. તે નિયમ પ્રમાણે કરોમિ=‘અરિહંતચેઇઆણં કરેમિ કાઉસ્સગ્ગ' એ પદમાં, જે કરેમિ શબ્દ છે તે ‘રિામિ' અર્થમાં છે. એથી ક્રિયા અભિમુખપણું પૂર્વમાં કહેવાયું=‘કરેમિ' શબ્દ દ્વારા પૂર્વમાં કહેવાયું. હવે વળી આસન્નતરપણું હોવાથી=કાયોત્સર્ગની નજીકપણું હોવાથી, ક્રિયાકાલ અને નિષ્ઠાકાળનો કથંચિત્ અભેદ હોવાથી તિષ્ઠામિ=અરિહંતચેઇઆણં સૂત્રમાં છેલ્લે ‘ઠામિ' પદ=હું રહું છું=હું કાઉસ્સગ્ગમાં રહું છું એ પ્રમાણે કહેલ છે. શું સર્વથા કાઉસ્સગ્ગમાં રહું છું ? નહિ. એથી કહે

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218