________________
: ૧૨ :
સત્યની આણાએ
કૅટલીક ઘટનાઓ દેખાવે નાની છતાં મૂળથી મહાન હેાય છે. પણ ઘણીવાર એ ઇતિહાસનાં પૃષ્ઠો નજીક નથી જ પહોંચતી. અથવા ઇતિહાસનાં પૃષ્ઠ નજીક એને ઘસડી જવામાં આવે છે, તા એની મૌલિકતા અનેક રીતે ઘવાય છે. આછી જાહેરાત અને વધુ મૌનમાં જ એ ઘટનાઓની મહત્તા જળવાઈ રહે છે. છતાં કલમપરસ્તા કયે દહાડે એવી ઘટનાઓના આકર્ષણથી વંચિત રહ્યા છે કે રહેશે ?
વિ. સ. ૧૯૬૦ માં તીર્થ રક્ષણુની અપૂર્વ તમન્ના સાથે મુનિજી ધ્રોલથી નીકળેલા એક સંઘ સાથે શત્રુંજય ગિરિનાં પુનઃ દર્શન કરવા પાલીતાણા આવ્યા. આ વખતે એમના આત્માજ્ઞાસે એર જ રૂપ ધારણ કર્યું હતું. એક તરફ બ્રહ્મચર્યના તેજે ઝળહળી રહેલી યુવાની અને ખીજી તરફ શાસન સેવાના અદમ્ય તનમનાટ એમના મસ્ત હૃદયને અનેરા ભાવે ડાલાવી રહ્યો હતેા. આ પ્રસંગે દાદાગુરુ પંન્યાસ શ્રી કમલવિજયજી તથા શાન્તમૂર્તિ શ્રી હુંસવિજયજી મહારાજ વગેરે સાધુએ પણ અહીં જ વિરાજતા હતા.
આ વેળા શ્રાવક સમુદાય અને સાધુસમુદાયમાં તી અસાતનાની જૂદા જૂદા પ્રકારની ખખરા આવ્યા કરતી. માથાભારે
૪૫
Jain Education International
For Personal & Private Use Only
W
=
www.jainelibrary.org