Book Title: Charitravijay Smarak Granth
Author(s): Balabhai Virchand Desai
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 189
________________ શ્રી ચારિત્રવિજય જળપ્રલયની ભયંકર રાત વટાવી જીવન પામેલા કેટલાક ક્રૂર માનવીઓ, જાણે ગઈ કાલને પ્રસંગ ભૂલી જ ગયા હોય તેમ જળપ્રલયને બદલો વાળવા પાણીના ખાબોચિયાં અને જુદા પાણીથી ભરેલાં સ્થાનમાં જળચર જીવને સંહાર આરંભ્યો; આ સમાચાર મહારાજશ્રીના કાને આવ્યા. એકદમ બધે ફરી વળી ઉપદેશ આપીને સંહાર કામ બંધ કરાવ્યું, અને મેજર ઑગે પણ મહારાજશ્રીના અનુરોધથી તે અંગેને મનાઈ હુકમ કાઢવો આ કાર્ય પછી સ્ટેટના નાના મોટા દરેક અમલદારો મહારાજશ્રીના ભક્ત બન્યા. ખુદ મેજર સ્ટ્રોંગ પણ મહારાજશ્રીના અનન્ય ભકત બનેલ. આ ઉપકારના બદલામાં જ તે અણુ વાળવા ખાતર મેજર સ્ટ્રોગે જૈન શાસનનો અમર કીતિસ્થંભ રોપવા મહારાજશ્રીને પાંચ વીઘા જમીન ભેટ આપી; ભાવી ગુરુકુળનો પાયો સ્વહસ્તે જ નાખ્યો. આજે એ કીર્તિસ્થંભ મહારાજશ્રીની યશપતાકા આકાશમાં ઉડાડતો ઊભો છે. મહારાજશ્રીના અભૂતપૂર્વ કાર્યની એ સાક્ષી આપે છે! વંદન હો એ દયાસાગરને! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230