Book Title: Bar Vrat ni Pooja
Author(s): Jaybhikkhu
Publisher: Jivanmani Sadvachan Mala Trust

View full book text
Previous | Next

Page 39
________________ in દસ કાકી: આ આ જાદાના મંત, અમ ઘેર આવ રે ! ભક્તિવત્સલ ભગવંત, નાથ સેં ના રે ! એમ ચંદનબાળાને બેલડે પ્રભુ આવ્યા રે, મૂઠી બાકુળા માટે પાછા વળીને બોલાવ્યા રે. આવો આ૦ ૧ [ શ્રમણ ભગવાન મહાવીરની દીક્ષાનું બારમું વર્ષ ચાલે છે. કૌશાંબી નગરી છે. શતાનિક રાજા છે. મૃગાવતી રાણી છે. અમાત્ય સુગુપ્ત છે. અમાત્યપત્ની નંદા શ્રાવિકા છે. ભગવાને પિષ વદ એકમના રોજ અભિગ્રહ ધારણ કર્યો છે. રોજ કૌશાંબીમાં ભિક્ષા લેવા આવે છે, ઘેરઘેર ફરે છે, પણ ભિક્ષા લેતા નથી ને પાછા ફરે છે ! નગરીનાં દ્વાર દ્વાર પુકારે છે : હે યશોદા રાણીના કંથ! હે ભક્તિવત્સલ ભગવંત! અમારા ઘેર પધારે. અમારા પર ભિલાને અનુગ્રહ કરો: પણ ભગવાન રેજ ભિક્ષા ટાણે આવે છે ને ભિક્ષા લીધા વિના પાછા ફરી જાય છે! આમ કરતાં પાંચ મહિના પૂરા થયા; છઠ્ઠો મહિને અધવા. રે! એનેય પાંચ દિવસ શેષ રહ્યા. નગરીમાં ગજબ વિતી ગયે. પ્રભુ ભિક્ષા કેમ ગ્રહણ ન કરે? શા દોષે ? શા પાપે? એક દિવસ ધનાવહ શેઠના આંગણુમાં આવીને પ્રભુ ઊભાઃ ઓહ! સામે કોણ છે? માથું મૂડેલી, પગમાં બેડીઓ જડેલી, ત્રણ દિવસની ભૂખી, અડદના બાકળા બાફીને સૂપડાના ખૂણામાં લઈને ઊભેલી એક દાસી છે! રે! દાસી નહિ, : : : :: : - :: Jain bicara International For Personal & Priva www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112