Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંઘાતથી, અનંત પુદ્ગલ પરમાણુઓના સંઘાતથી તથા અનંતાનંત પુદ્ગલ પરમાણુઓના સંઘાતથી બને છે. બે પ્રદેશવાળા બે પુદગલ પરમાણુઓના સંબંધથી બે પ્રદેશવાળા પુદ્ગલ સ્કંધ ઉત્પન્ન થાય છે. ત્રણ પ્રદેશવાળા ત્રણ પુદ્ગલ પરમાણુના સંબંધથી ત્રણ પ્રદેશવાળા સ્ક ધ ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણે સંખ્યાત અસ ગ્યાત અને અનંતાનંત પ્રદેશવાળા સ્ક ધ પણ એટલા પુદ્ગલ પરમાણુઓના સંઘાતથી ઉત્પન્ન થાય છે. આજ પ્રમાણે કોઈ બૃહત્સકંધ હોય તે એને ભેદ કરવાથી પણ બે પ્રદેશ, ત્રણ પ્રદેશ, ચાર પ્રદેશવાળા કંધ ઉત્પન્ન થઈ જાય છે, આજ પ્રમાણે બીજા પણ સ્ક ધોની ઉત્પત્તિ જાણવી જોઈએ. બે પ્રદેશવાળા પુગલ પરમાણુઓના સંઘાતથી ઉત્પન્ન થયેલા સ્કંધથી લઈને અનંતાનંત પ્રદેશવાળા કંધના પરણાનુઓના સંઘાતથી જે સકંધ ઉત્પન્ન થાય છે. એને પર્યન્તવતી સ્કંધથી જ્યારે એક પરમાણુ અલગ થઈ જાય છે, તે એ સમયે ઉત્પન્ન થયેલ તે સ્કંધ એ બેક પરમાણુ ન્યૂન સ્કંધ કહેવાય છે. આજ પ્રમાણે બે, ત્રણ, આદિ પરમાણુઓના ભેદ કંપથી આગળ આગળ એટલા એટલા પરમાણુઓથી ન્યૂન સ્કંધ ઉત્પન્ન થઈ જાય છે. આ પ્રમાણે થતાં થતાં બે પ્રદેશવાળા પુગલ પરમાણુઓ સુધાને સ્કધ ઉત્પન્ન થઈ જાય છે. આજ પ્રમાણે કેટલાક પરમાણુઓના સંમિલિત થવા અને એજ સમયે એમાંથી કેટલાક પરમાણુઓનું વિઘટન થવાથી કંધ ઉત્પન્ન થાય છે. તાત્પર્ય–આનું એ છે કે, સ્કંધની ઉત્પત્તિમાં ત્રણ પ્રકાર છે. કેઈ સકંધ સંઘાત-એકત્વ પરિણતીથી ઉત્પન્ન થાય છે. તેના કોઈ ભેદથી બને છે રિા અને કઈ એક સાથે ભેદ અને સંઘાત બને નિમિત્તોથી બને છે જ્યારે અલગ અલગ સ્થિતિ બે પરમાણુઓના સંઘાતથી બે પ્રદેશવાળે આંધ થાય છે ત્યારે તે સઘાતજન્ય સ્કંધ કહેવાય છે. આ જ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, યાવત્ સંખ્યાત અસંખ્યાત અનંત-અનંત પરમાણુ એના મળવાથી ક્રમશઃ ત્રણ પ્રદેશવાળા, ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા, છ પ્રદેશવાળા, સાત પ્રદેશવાળા, આઠ પ્રદેશવાળા, નવ પ્રદેશવાળા, દસ પ્રદેશવાળા યાવત્ સંખ્યાત પ્રદેશવાળા, અસંખ્યાત પ્રદેશવાળા અને અનંતાઅનંત પ્રદેશવાળા સ્કંધ બની જાય છે. આ સંઘાતજન્ય છે તથા કોઈ મોટા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૫૬