Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 297
________________ પ્રકર્ષ અગી અવસ્થામાં થાય છે. અને તે ચરમ સમય ભાવી છે, અગીની અવસ્થા છદ્મસ્થાને અપ્રત્યક્ષપણે થાય છે, ત્યારે “સ્ત્રીત્વ રત્નત્રયના પ્રકર્ષનું વિરોધી છે” આ કઈ રીતે જાણી શકાય. કેમ કે, તે પરમ પ્રકર્ષ પ્રત્યક્ષ વિષય હેતું નથી. જે દષ્ટ નથી તેની સામે વિરોધની કલ્પના કરવી એ પણ ઠીક નથી. જે અદષ્ટ પ્રકર્ષની સામે વિરોધ માનતા હે તો પછી પુરૂષની સામે પણ એને વિરોધ માની લેવું જોઈએ. આ રીતે રત્નત્રયના અભાવથી સિયોમાં પુરૂષોની અપેક્ષા હીનતા માની શકાતી નથી. કદાચ એવું કહે કે, વિશિષ્ટ સામર્થ્યને અભાવ હોવાથી સ્ત્રિયો પુરૂષોની અપેક્ષા અપકૃષ્ટ છે તે આવું કહેવું પણ બરાબર નથી. કેમ કેએમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે એવું આપ ક્યા આધારથી કહે છે? શું તે સાતમા નરકમાં નથી જતી આ કારણે? અથવા વાદાદિ લબ્ધીથી એ રહિત છે આ કારણે ? અથવા અપમૃત જ્ઞાન એમને થાય છે આ કારણે? અથવા અનુપસ્થાપ્યતા પારાંચિતથી શૂન્ય હોય છે. આ કારણે? જે એમ કહે કે તે સપ્તમ પૃથવીમાં જતી નથી આથી એનામાં સામર્થ્યને અભાવ છે જગતમાં સર્વોત્કૃષ્ટ પદની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે, અન્ય પ્રકારથી થતી નથી. એવી માન્યતા આપની તેમજ અમારી છે. કેમ કે, આ વિષયને બતાવવાવાળું આગમ પ્રમાણે આપણું બનેને માન્ય છે. સર્વોત્કૃષ્ટ દુઃખનું સ્થાન સાતમું નરક છે. કેમકે એની આગળ બીજું કઈ દુઃખનું સ્થાન નથી. તથા સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન મોક્ષ છે. શાસ્ત્ર બતાવે છે કે, સિયે સાતમાં નરકમાં જતી નથી. કારણ કે, સાતમા નરકમાં જવા તથાવિધ સર્વોત્કૃષ્ટ મને વીર્યરૂપ પરિણતિને એમનામાં અભાવ છે. આ પ્રમાણે સાતમા નરકમાં જવાને અભાવ હોવાથી સંમૂચ્છિમ આદિની માફક સિયામાં સર્વોત્કૃષ્ટ મને વીર્યરૂપ પરિણતિને અભાવ સિદ્ધ થાય છે. આમ કહેવું એ પણ ખબર નથી કારણ કે, જે એનનામાં સાતમા નરકમાં જવા એગ્ય સર્વોત્કૃષ્ટ મને વીર્ય પરિણતિને અભાવ છે તે આને આપ કઈ રીતે જાણી શકે કે, એમનામાં નિયસના તરફ સર્વોત્કૃષ્ટ મનેવીર્યરૂપ પરિણતિને અભાવ છે એવી તે કઈ વાત નથી કે, જે પુરૂષ ભૂમિ કષણાદિક કાર્ય કરવામાં અસમર્થ હોય તે શાસ્ત્રોને ભણવામાં તથા જાણવામાં સમર્થ ન હોય? કેમકે, આમાં પ્રત્યક્ષથી વિરોધ આવે છે જે હાથી એક સૂચીને પણ ઉપાડી શકતું નથી તે શું વૃક્ષની ડાળેને તેડવામાં અસમર્થ હોય છે? નથી હોતું. જે આવું માનવામાં આવે તે એમાં પ્રત્યક્ષથી વિરોધ આવે છે. જે એવું કહેવામાં આવે કે, સંમૂર્ણિમ આદિકે માં સર્વોત્કૃષ્ટ દુઃખના સ્થાનમાં તથા સર્વોત્કૃષ્ટ સુખના સ્થાનમાં જવા ગ્ય તથાવિધ સર્વોત્કૃષ્ટ મને વીર્યરૂપ પરિણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪ २७८

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372