Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Jain Pustak Pracharak Sanstha Surat
View full book text
________________
ઉપેા ધાત
૧૫
આ પુસ્તકના સબંધમાં પદેશનાના ઉપક્રમ( પૃ. ૨૪)માં ઉલ્લેખ છે. તેમાં જે ક્રમ નોંધાયા છે તેને બદલે નવ પદ, નવ તત્ત્વ, પાંચ મહાવ્રત, સાત ક્ષેત્ર, ત્રણ તત્ત્વ તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ક્રમ જોઇએ એમ આ ગીતાનું નિમ્નલિખિત અન્ય પદ્ય જોતાં જણાય છેઃ
"पूज्याराध्यपदानां नवकं जीवादीनां नवतव्याऽनु । पंचकमत्र महाव्रतनद्धं चैत्यादीनि च सन्ति तु सप्त ॥ १ ॥ देवः साधुर्धमे रत्नान्याप्तुं ज्ञानं दृक्चारित्रे । इत्येषा गीता जैनीया पत्रिंशदध्यायसमेतां ॥ २ ॥
'
ત્રણ મહાત્રતા—જૈન દર્શનમાં સ્યાદ્વાદને લક્ષીને આચાર અને વિચાર વિષે ઊહાપેાહ કરાયે છે અને તે પણ એટલી હદ સુધી કે સ્યાદ્વાદ-દર્શનને જૈન દર્શનનેા પર્યાય ગણવામાં આવે છે. સ્યાદ્વાદ એટલે અપેક્ષાવાદ, મહાવ્રતાની સંખ્યા પરત્વે પણ આ વાદને સ્થાન છે. એથી તા આપણે મહાવ્રત તરીકે-સા ભૌમ વ્રત તરીકે-એક અને અદ્વિતીય વ્રત તરીકે અહિંસાને નિર્દેશ કરીએ છીએ. અન્ય રીતે વિચારતાં મહાવ્રતે ત્રણ છે એમ સૂયગડ ( સુય. ૧, અ. ૧૦, સુ. ૨)ની શીલાંસૂરિષ્કૃત ટીકા શ્વેતાં જણાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહું તે શીલાંકસૂરિ ‘અદિન્ન’ સમજાવતાં કહે છે કે અદત્તાદાનના નિષેધથી પરિગ્રહના નિષેધ આવી જાય છે, અને અપરિગ્રહીતનુ સેવન થતું નથી એટલે અબ્રહ્મચર્યના પણ નિષેધ કહેવાયેા છે. આ ઉપરથી આપણે મહાવ્રત ત્રણ છે. એમ કહી શકીએ. એ ત્રણ મહાવ્રતે તે સર્વ પ્રાણાતિપાતથી વિરમણ, સ મૃષાવાદથી વિરમણ અને સર્વ અદત્તાદાનથી વિરમણુ છે.
3
ત્રણ યામ—કેટલાક એવી ગેરસમજ ધરાવે છે કે પહેલા
..