Book Title: Nutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Author(s): Balchand Hirachand
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/034984/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | શ્રી યશોવિજયજી બ જૈન ગ્રંથમાળા, દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૧ ૩૦૦૪૮૪૬ પ્રકાશ " ની ૨૯૧૫ ૧૬ ની ભેટ ક shosllav Jain Granthimala _શ – જયો દ્ધા ૨ પરમ પવિત્ર ગિરિરાજ શ્રી શત્રુંજય | | મૂલ્ય આઠ આનો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ - - "શ્રી જૈન ધર્મ પ્રકાશ”ની સં. ર૦૧પ-ર૦૧૬ ની ભેટ શ્રી નૂતન શત્રુંજ્યો દ્વારા તથા મહાતીર્થને લગત ઉપયોગી સંગ્રહ પ્રકાશક શ્રી જન ધર્મ પ્રસારક સભા ભાવનગર રચયિતા જ શ્રી બાલચંદ હીરાચંદ સાહિત્યચંદ્ર" માલેગાંવ આર્થિક સહાયક શ્રી કરમચંદ લાલચંદ-કલકત્તા | શા. રસિકલાલ બાલચંદ મહેતા-માલેગાંવ વિ. સં. ૨૪૮૫ વિ. સં ૨૦૧૫ ઈ. સ. ૧૯૫૯ મૂલ્ય આઠ આના. સવિતા પ્રેસ : ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન દિવસે દિવસે મેઘવારી વધતી આવે છે અને “ શ્રી જૈન ધર્મ પ્રકાશ અને સારા પ્રમાણમાં ખોટ સહન કરવી પડે છે, છતાં પણ પ્રકાશના ગ્રાહકોને અને શ્રી જૈનધર્મપ્રસારક સભાના સભ્યબંધુઓને ભેટ પુસ્તક આપવાને શિરતે અખંડિત રીતે ચાલુ રાખવામાં આવ્યું છે, જે ખરેખર તે તેના સહાયક બંધુઓને જ આભારી છે. છેલ્લા કેટલાક વર્ષોથી એક પછી એક ઉપગી ભેટ પુરક આપવાથી લોકોને ચાહ વધતે આવે છે અને કેટલાક સભાસદ-બંધુઓના પ્રશંસ–પત્રો પણ મળે છે. આ વખતે સં૨૦૧૫-૧૬ ના વર્ષ માટે જાણીતા લેખક, શીધ્ર કવિ અને તત્ત્વચિંતક શ્રી બાલચંદભાઈ હીરાચંદ “સાહિત્યચંદ્રની નવીન કૃતિ “નૂતન શત્રુ દ્વાર” પસંદ કરવામાં આવી છે. તેની પ્રથમ આવૃત્તિ શેઠશ્રી કીસનદાસ ભૂખણદાસની આર્થિક સહાયથી વિ. સં. ૧૯૯૭ માં બહાર પડેલ, જે જનતામાં સારે આદર પામી હતી, તેની નકલ મળતી ન હતી એટલે લકનાાનિવાસી અને આપણું સભાના સભાસદ તેમજ શુભેચ્છક શ્રી કરમચંદ લાલચંદભાઈને તે સંબંધી પ્રેરણા કરતાં તેમણે ૩. ૩૦૦) ત્રણ તથા લેખકશ્રીની પ્રેરણાથી શા. રસિકલાલ બાલચંદ મહેતાએ રૂા. ૧૦૦) આર્થિક સહાય આપવાનું કબૂલ કરતાં અને આ કૃતિ પ્રકાશિત કરી શક્યા છીએ. શ્રી કરમચંદભાઈ ગુપ્ત સખાવતેમાં વિશેષ માને છે; કીતિથી પર રહે છે અને ધાર્મિક કાર્યોમાં સુકૃતની કમાણીને સદ્વ્યય કરતા જ રહે છે, જે ખરેખર અનુદનીય અને આચરણીય છે. તેમની રવર્ગસ્થ પત્ની માણેકબાઈના શ્રેયાર્થે આ પુસ્તક પ્રકાશન કરાયેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી બાલચંદભાઇ સભાના પરમાહિતી છે. શ્રી જન ધર્મ પ્રકાશ એક પણ એક એવું નહિં હોય જેમાં તેઓ થી પધિ કે ગધ લેખ નહીં હોય. શ્રી બાલચંદભાઈની આ કૃતિ માટે વખાણ કરવા તે સુવણુને ઓ૫ ચટાવવા જેવું છે. તેમણે પ્રાચીન ગ્રંથે પરથી અર્વાચીન પદ્ધતિએ શ્રી શત્રુંજયના થયેલા ઉદ્ધારને હળવી ભાષામાં ગૂંથી લીધાં છેઆ પુસ્તિકાને વિશેષ ઉપયોગી બનાવવા માટે આપણું સભાના સેક્રેટરી શ્રી દીપચંદ જીવણલાલ શાહે પરિશ્રમપૂર્વક તૈયાર કરેલ તીર્થાધિરાજ શત્રુંજયનું સંક્ષિપ્ત વર્ણનને સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓશ્રીએ તીર્થને લગતી સમગ્ર માહિતી સંક્ષિપ્તમાં છતાં મુદાસર આપી છે, જે તીર્થપ્રેમીને માટે ઉપયોગી છે. તદુપરાંત આ પુસ્તકને વિશેષ ઉપયોગી બનાવવા પ્રાચીન ચૈત્યવંદનો અને સ્તવન વિગેરેનો સમાવેશ કર્યો છે. શ્રી કરમચંદભાઈ જ્ઞાન–પ્રચારના આવા કાર્યોમાં વિશેષ સહાયતા કરતા રહે અને શ્રી બાલચંદભાઈ પિતાની સુકલમનો પ્રસાદ જનતાને ચરણે અર્યા જ કરે એમ ઈચ્છીએ છીએ. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર. સ. ૨૦૧૫: અક્ષય તૃતીયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ – આત્મનિવેદન - મારા ભાણેજ શેઠ કીસનદાસ ભૂખણદાસે શ્રી શત્રુ જય તીર્થના જુદા જુદા ફોટાઓ લેવરાવી, તેને એન લાર્જ કરાવી, તેમાં રંગ પૂરી આરીસાઓ બનાવી માલેગામના જિનમંદિરમાં “શ્રી શત્રુંજ્યપ્રાસાદ” તરીકે પધરાવેલ છે. તેઓએ નૂતન પદ્ધતિને અને સરી કાવ્યરચના કરવા મને જણાવ્યું અને તે માટે જોઈતા પુસ્તકો મને યા. તે મુજબ “શ્રી નૂતન વુિં જોદ્ધાર” નામક કાવ્ય મેં રચી આપ્યું. તેઓએ પિતાના ખર્ચે સંવત ૧૯૯૪ માં તેની પ્રથમ આવૃત્તિ પ્રગટ કરી. તેની પ્રતા હાલમાં ખલાસ થઈ ગઈ છે. ત્યારે તે પુસ્તકમાં કેટલાક સુધારાવધારો કરી શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને મેં સેપેલ. આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થતી જોઈ મને ઘણે આનંદ થાય છે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ તેમાં કેટલીએક નવી માહિતી ઉમેરી પુસ્તકની ઉપયુક્તતા વધારી છે તે માટે સભાને હું ઉપકાર માનું છું. માલેગાવ : સાહિત્યચંદ્ર બાલચંદ હરચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્વ, માણેકબાઈ કરમચંદ શાહ ... » 9 જન્મ : ભુજ (કચ્છ ) ૨૬ મી સપ્ટેમ્બર ૧૮૯૨ સ્વર્ગવાસ : કલકત્તા ૨૧ સપ્ટેમ્બર ૧૯૫૬ Shree Sudha maswami Gvanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માણેકબાઈ કરમચંદ શાહ કચ્છના પાટનગર ભુજમાં તેમને ર૬ મી સપ્ટેમ્બર ૧૮૯૨ ના રોજ જન્મ થયેલું. “માણેક જેવા કાન્તિવાળા હોવાથી તેમનું માણેકબાઈ એવું યથાર્થ નામ પાડવામાં આવ્યું. બાળવયમાં ઉચિત સંસ્કાર ” લઈ તેઓ સુશીલ અને સગુણ શ્રેઠિવર્ય શ્રી કરમચંદ લાલચંદભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા. સરલ સ્વભાવી અને સૌમ્ય મુખમુદ્રાને કારણે તેઓ જે સર્વના પ્રીતિપાત્ર બની ગયા. કુશળ ગૃહિણી તરીકે ગૃહ-સંસાર ચલાવી ધસુર પક્ષમાં સર્વ કેઈની ચાહના પ્રાપ્ત કરી લીધી. ધર્મના સંસ્કાર ગળથુથીમાંથી જ હોવાથી નિત્યકર્મ કદી પણ ચૂકતા નહિ. અઠ્ઠાઈ અને વર્ષી તપ જેવી તપશ્ચર્યા કરી સ્વજીવનનું સાફલ્ય કરેલું અને તે શુભ પ્રસંગને અનુલક્ષીને સુકતની લક્ષ્મીનો સારા પ્રમાણમાં અવ્યય કર્યો. દરેક માસે અષ્ટમી-ચતુર્દશીને ઉપવાસ કરતા. ઘણા વર્ષોથી ગરમ ઉકાળેલું પાણી હંમેશા પીતા અને ચેવિહાર પણ કરતા. કલકત્તામાં તેઓશ્રીની ધર્મકરણની સૌ કોઈ પ્રશંસા કરતું. ચોસઠ વર્ષની વ્ય થવા છતાં તેમની ધર્મશ્રદ્ધા ઘણી જ દૃઢ હતી. ૨૧ મી સપ્ટેમ્બર ૧૯૫૬ ના રોજ તેઓ સ્વર્ગવાસ પામ્યા તે દિવસે વહેલા ઊઠી પ્રથમ પ્રતિક્રમણ કરી લીધું. તે દિવસે જિનાલયમાં શાન્તિસ્નાત્ર જેવો મંગળકારી પ્રસંગ હોવાથી મેટર ડાઈવરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ સાડા સાત કલાકે મેટર તૈયાર રાખવાની સૂચના આપી, પિતે સામાયિકમાં બેડી. સામાયિક પૂબ થવાના સમયે કેટલા વાગ્યા છે, તે જોવા માટે, જુના રૂમમાં, ચરવળે તથા મુહપત્તિ લઈને ગયા. ઘડીયાળમાં જેનાં જ કંઈક ચક્કર આવવા લાગ્યા એટલે પિતે જમીન પર બેસી ગયા અને તક્ષણ જ મૂછિત બની ગયા. અચાનક આવી ઘટના બનતાં સર્વ કુટુંબીજનો એકત્ર થઈ ગયા અને ડોકટરને બોલાવ્યા મસ્તક પર શીતળ જળનો છંટકાવ કરી, મુખમાં પાણી પાવાની , ક્ષણે તરતજ પિતે બેલ્યા કે “આજે મારે પિરસીનું પશ્ચકખાણ છે. મને પાણી ન પાશે આટલું બોલીને પાછા બેભાન થઈ ગયા. ડોકટરે આવી તપાસતાં હાર્ટ-એટેક માલુમ પડ્યા. ઇજેકશન આપવાની તૈયારી કરતાં જ ગુણી ને સચ્ચારિત્રશીલ માણેકબાને આમા સ્વર્ગને પંથે સંચર્યો. ધાર્મિક લેસ્થામાં મૃત્યુ પામવું એ પણ જિંદગીને આણમૂલે લહાવે છે અને પરભવમાં સદગતિ પ્રાપ્ત થવાનું સૂચન છે. સ્વભાવે શાંત, પ્રકૃતિએ ભદ્ર, હસમુખા ને મિલનસાર પુણ્યવાન આત્માને જ આવું મૃત્યુ પ્રાપ્ત થાય. શ્રી કરમચંદભાઈએ સ્વર્ગસ્થના શ્રેયાર્થે લક્ષમીને છૂટે હાથ દુવ્યય . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ નૂતન શત્રુંજયોદ્ધાર श्रीशत्रुजयस्तोत्रम् । (उपजातिवृत्तम् ). शत्रुजयो नाम नगाधिराजः, सौराष्ट्रदेशे प्रथितप्रशस्तिः । तीर्थाधिराजो भुषि पुण्यभामस्तत्रादिनाय शिरसा नमामि ॥१॥ अनंततीर्थाधिपसाधुवृन्दैर्या सेविता शांतितपाभिवृध्थे । सा पुण्यभूमिर्वितनोतु सौख्य, जिनादिनाथ शिरसा नमामि ॥॥ अनेकराज्याधिपमन्त्रिमुख्यैर्विनिर्मिता सुंदरचैत्यपाकिः ।। स्वमितुत्वा भुवि सुप्रसिद्धा, तत्रादिनाथ शिरसा नमामि ॥३॥ विश्रामधामो मुनिसाधकानां, संसारतापैईतसाधकानाम् । यो यानतुल्यो भवजालमार्गे, जिनादिनाथ शिरसा नमामि ॥ या पादपो. पुनिता सुभूमिरनंतयोगीमुनिभिनितान्तम् । आकर्षणं चुम्बकरत्नतुल्य, तत्रादिनाथ शिरसा नमामि ॥५॥ निसर्गरम्योदितनाकतुल्या, गिरीन्द्रसौगन्धितवृक्षराजिः । विचित्रवण: सुमनोहरा च, तत्रादिनाथ शिरसा नमामि ॥६॥ शचीन्द्रदेव परिवेष्टिताच, नृत्यन्ति शृंगारभृता. सुभत्या । कुर्वन्ति पूष्टि मधुगन्धपुष्पस्तत्रादिनाथ शिरसा नमामि ॥७॥ स्वजीवितं पावनतामुपैति, ये पूजयंति प्रभुपादयुग्मम् । श्रीनामिपुत्र प्रथम जिनेन्द्र, युगादिनाथ शिरसा नमामि ॥८॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧. મંગલાચરણ નક દુહા - વીણા પુસ્તકધારિણી, પ્રણમું શારદ માત; જસ ચરણાંબુજ સેવતા, પ્રતિભા હે સાક્ષાત. ૧ તીર્થરાજ સિદ્ધાચલે, પ્રણમું આદિજિનંદ; જન્મ સલતા હું વરુ, વર્ણવતા જિનચંદ. ૨ ઢાળ ૧ લી (દેશી-ચેરી રચના કરી રૂડી માં) . ગિરિ સિદ્ધાચલ ગુણ ગાઈએ, ધરી આદિ જિનેશ્વર ધ્યાન, મૂકી અ સિદ્ધાચલ વંદીએ (આંક) ગિરિ શાશ્વત છે ત્રણ કાળમાં, એહ મુક્તિતણે છે દાતાર, જીને આધાર, સિ. ૧ થયા સિદ્ધ અનંત મુનિ ઈહાં, કે તીર્થકર જગદીશ, અનંત સૂરીશ, સિ. ૨ શુભ ભાવતણ શ્રેણ ઈહાં, થઈ ભક્તિ વિવિધ જે સ્વરૂપ, ચિદાનંદરૂપ, સિ. ૩ ગયા કેવલિ દેવ વિબુધ ઘણા, વય મુક્તિનગરીને વાસ, અખંડ નિવાસ, સિ. ૪ જેહ ભવ્ય ફરસે એહ તીર્થને, તસ સંસારને થાય અંત, વરે તે અનંત, સિ. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ શત્રુદ્ધાર [૩] શ્રી આદિ જિનેશ્વર કેવળી, પૂછે પુંડરીક ગણધાર, શાસ્ત્રને વિચાર, સિ. ૬ એહ તીર્થ અનાદિ અનંત છે, થયા થાશે અનંત ઉદ્ધાર, નિશ્ચય મન ધાર, સિ. ૭ જગમાંહે એ તીર્થ છે શાશ્વતું, થયું અનંત ચોવીશીનું ધામ, વિમલ અભિરામ, સિ. ૮ ઈહાં આવશે ભાવી તીર્થકરે, ત્રણ કાલ રહે એ અખંડ, મહિમા છે પ્રચંડ, સિ. ૯ એંશી જન જે પ્રથમારકે, થયે સિત્તેર દ્વિતીયમાં જેહ, નમે ધરી નેહ, સિ. ૧૦ થયે સાઠ જન ત્રીજા આરકે, થે અર્ધ શતક જેહ હોય, ન તુલ્ય કેય, સિ. ૧૧ પાંચમે બાર જન ભાખિયે, છઠે સાત હાથનું પ્રમાણુ, શાસ્ત્રમાંહી જાણ, સિ. ૧૨ સ્થિર નામ ને ઠામ છે જેહનું, નહિ તેડે પ્રલય પણ જેહ, ન તીર્થ તેહ, સિ. ૧૩ એવા તીર્થ ગિરિને ગાઈશું, લેઈ શાસ્ત્રત આધાર, ગાઈશું ઉદ્ધાર, સિ. ૧૪ જગમાંહે ન તીરથ એહવું, વદે બાલે ભક્તિ રસાળ, ધરીને વિશાલ, સિ. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ નૂતન [૪] ૨. ઉદારવર્ણન * દુહા તીર્થોદ્ધરણે પુય છે, ભવનિતારણ મંત્ર; ભ્રમણ માટે ભગવાન વિષે, આભેદ્ધારણ તત્ર. ૧ ઢાળ બીજી (દેશી–આવો આવો જસોદાના કંથી જય જય બેલે ગિરિરાજ, સિદ્ધગિરિ ભેટે રે, કે કેડ ભવાંતર પાપ, ક્ષણમાં મેટા રે. ( આંકણું) એહ તીર્થ તણા ઉદ્ધાર, વિવિધ કરાવે રે, કરી સેવાભક્તિ બહુ ભાવ, પાપ હરાવે છે. જય-૧ કરી તીર્થંતણું ઉદ્ધાર, આત્મા દ્વાર રે, મુક્તિનગરીને નિવાસ, મેળવે સાર રે. જય-૨ શ્રી ઋષભજિનંદ ઉપદેશ, પ્રથમ કરાવે રે, ચક્રવતી ભરત ઉદ્ધાર, અનુપમ ભાવે રે. જય-૩ આઠમ નૃપ ભરતને વંશ, ધર્મ દિપાવે રે, દંડવીર્ય નૃપતિ ઉદ્ધાર, બીજે કરાવે છે. જય-૪ પ્રભુ સીમંધર ઉપદેશ, ઇદ્રને ભાવે રે, કરે ઈશારેંદ્ર ઉદ્ધાર, મુગતિ સુખ પાવે રે. જય-૧ કરે ઉદ્ધાર મહેંદ્ર, દેવને સ્વામી રે, પુય પુંજ અખંડ મિલાય, સદગતિગામી રે. જય-૬ છદ્ર કરે ઉદ્ધાર, પંચમ વાર રે, દેવકથી આવી ગિરિદ, જન્મને સાર રે. જય-૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ શત્રુદ્ધાર જે ભુવનપતિ ચમરેંદ્ર, ભાવના જાગી રે, છઠ્ઠો કરતા ઉદધાર, ધર્મના રાગી છે. જ્યચક્રવર્તી ભરત પછી જાણ, સગર તે બીજો રે, જાગી ભાગ્યદશા મનમાંહે, અંતર રીઝે રે. જય-૯ પ્રભુ મણિમય બિંબ વિશાળ, કાલ પિછાણી રે, કરે સ્થાપિત ગુપ્ત ભંડાર, ટાળવા હાનિ રે. જય-૧૦ કરે કનકતનું જિન બિંબ, હર્ષ ઘણેરે રે, કરી સાત તીર્થોધ્ધાર, જિનવર પ્રભુને રે. જય-૧૧ વ્યંતરેંદ્રને આઠમે જાણ, શુભ ઉધ્ધાર રે, પ્રભુભક્તિતણે એ સાર, ધર્મ આધાર રે. -૧૨ શ્રી ચંદ્રપ્રભુ ઉપદેશ, ભાવના જાગી રે, નૃપ ચંદ્રજસા મનમાંહે, પ્રભુ રઢ લાગી રે. જય-૧૩ કર્યો નવમા તીર્થોધ્ધાર, સિધ્ધગિરિ આવી રે, મન ભાવ અપૂર્વ ઉલ્લાસ, ભાવના ભાવી છે. જય-૧૪ પ્રભુ શાંતિનાથ ઉપદેશ, ચકાયુધને રે, થયે દશમે તીર્થોદધાર, મનહર ગિરિને રે. -૧૫ શ્રી મુનિસુવત જિનરાજ, તીર્થમાં થાવે રે, રામચંદ્રત ઉધાર, સહુને ભાવે છે. જય-૧૬ દશરથભુત ભક્તિ સહિત, સિધગિરિ આવે રે, કરે અગ્યારમે ઉધાર, મનને ભાવે છે. જ્ય-૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ નૂતન પ્રભુ નેમિજિનેશ્વરરાજ, પાંડવ આવે રે, કરે બારમે તીર્થોધાર, સુંદર ભાવે રે. જય–૧૮ મુનિ વાષિ ઉપદેશ, ઉધાર તેરમે રે, જાવડશા શ્રેષ્ટિ સુજાણ, સજ્જન મન રમે રે. જય-૧૯ સંવત એકસે ને આઠ, ગિરિવર આવ્યા રે, કરે ઉધાર કાર્ય અનુપ, સહુ મન ભાવ્યા રે. જય-૨૦ નૃપરાજ શિલાદિત્ય જેહ, વલભીનગરે રે, મલ્લરાજ સૂરિ ઉપદેશ, ભાવના ધારે છે. જય-૨૧ સધર્મ પમાડ્યો તેહ, ભક્ત બનાવ્યું રે, ઉદધાર કરાવ્ય સાર, સહુ મન ભાવ્યે રે. જય-રર સંવત બાર તેરમાં જાણ, તીર્થોધાર રે, કરે બાહડ મંત્રી વિખ્યાત, ચૌદમી વાર રે. જય–૨૩ * જાવડશા અફગાનિસ્તાનમાં વેપાર કરતા હતા. ત્યાં મુનિસમુદાય ગયે હતા, અને જાવડશાને ઉપદેશ કરી શ્રી શત્રુંજયના ઉદ્ધારની પ્રેરણું તેમણે કરી હતી. તીર્થના મંદિરને કલશ ચઢાવતા જાવડશા અને તેમનાં પત્નીને અત્યાનંદ થયે. ભાન જવાથી અકસ્માત થયે, અને બને પતિ પત્ની તે જ જગ્યાએ સ્વર્ગસ્થ થયાં. + મહારાજા શિલાદિત્યના શ્રી મલવાદિસરિ ભાણેજ હતા. તેમના તેજવી ઉપદેશથી રાજાએ બુદ્ધ ધર્મ છેડી જૈન ધર્મ સ્વીકારી સં. ૪૭૭માં તીર્થોદ્ધાર કર્યો. ૪ ઉદયન મંત્રી તીર્થદર્શને ગયા ત્યારે એક ઉંદરે સળગતી વાટ લઈ બીલમાં પ્રવેશ કર્યો. તે નિહાળી આશાતનાનું કારણ જોઈ લાકડાનું કામ કાઢી નાખી, પાષાણમય મંદિર બંધાવવાની પ્રતિજ્ઞા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ [૧૭ ] શત્રુદ્ધાર હેમચંદ્રસૂરિ ઉપદેશ, મનમાં વસીઓ રે, કરે તીર્થસેવા બહુ ભાવ, મુક્તિને સિયે રે. જય-૨૪ સમરાશા જે ઓશવાળ, તીર્થને રાગી રે, કરે પંદરમે ઉધાર, ભાવના જાગી છે. જય-૨૫ એકત્તર તેરસે મહે, ઉધ્ધાર કીધે રે, કરી સેવાભક્તિ બહુ ભાવ, બહુ જશ લીધો છે. જય–૨૬ સત્યાશી પંદરશે સાલ, ઉદધાર સેળભે રે, કરમાશા શ્રાવક રાજ, કરતે તે સમે રે. જય-ર૭ આગામી કાળમાં જાણુ, ઉધ્ધાર કરશે રે, તેહ વિમલવાહન ભૂપાલ, ભવજલ તરશે રે. જય-૨૮ તીરથ ઉધારથી જાણ, ભવિજન તરશે રે, બાલેન્દુ કહે તે સુજાણ, મુક્તિને વરશે રે. જય–૨૯ કરી ઉદ્યયનમંત્રીએ આકરા નિયમો લીધા. દૈવયોગે યુદ્ધમાં તે મૃત્યુ પામ્યા પછી તેમના સુપુત્ર શ્રી કુમારપાળ મહારાજાના મંત્રી બાહડે પિતાની ઇચ્છા પૂર્ણ કરતાં તીર્થને ઉધાર કર્યો. નૂતન મંદિર સંવત ૧૨૧૪માં પૂર્ણ કરી પ્રતિષ્ઠા કરી. એ જ મંદિર હાલમાં વિધમાન છે * અલ્લાઉદ્દીનના વખતમાં સમરાશા તિલંગ દેશના સુબેદાર હતા. દિલ્હીમાં વસતા હતા. બાદશાહની સલાહ અને મદદ મેળવી તેમણે તીર્થોધ્ધાર કર્યો હતે. + કરમાશા ચિતેડમાં રાજકાર્યધુરંધર તરીકે પ્રસિધ્ધ થયા હતા. અમદાવાદને નાને શાહજાદો એમના આશ્રયે રહ્યો હતે. એ ગાદી ઉપર આવતાં તેની મદદથી કરમાશાએ તીર્થોધ્ધાર કર્યો. સંવત ૧૫૮૭ વૈશાખ વદ ૬. એ વખતે અનેક ગચ્છના આચાર્યોએ મૂળ મંદિર બધા ગછે માટે સરખું માન્ય અને પૂજ્ય ઠરાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ નૂતન ૩. પાલીતાણા દર્શન * દુહા ૯ પાલીતાણા નગરને, તીર્થ ચરણમાં વાસ; ભક્તિગંધ મહકે જિહાં, આપે નિત્ય સુવાસ, ઢાળ ત્રીજી (સુણ ગોવાલણી ગેરસડાવાલી). એ સિદ્ધગિરિ સોરઠ ભૂષણ, ભવભયભંજન તીર્થ છે; જે ભારતમાં જગતારણ, અકલંક અલૌકિક તીર્થ છે-આંકણી જે ગિરિવર રજરજ પૂનિત છે, મુનિતીર્થપતી સ્પર્શિત સહ છે; જે એકવીસ નામે વંદિત છે, નવાણું નામાંકિત પણ છે. એ સિ. ૧ જ્યાં પાદલિપ્તસૂરિના નામે, નાગાર્જુન શિષ્ય બહુમાને; પાલીતાણ પુર નિમાવ્યું, ગુરુસ્મરણ અખંડિત તિહાં લાવ્યું. એ સિ. ૨. જે ધર્મસ્થાન વિભૂષિત છે, જિનમંદિર મંડિત શેભિત છે; સાહિત્ય પાઠશાળા જ્યાં છે, આગમમંદિર સુંદર ત્યાં છે. એ સિ. ૩ મંદિર દશ પુરમાં શોભે છે, પ્રાસાદ ધર્મશાળા જ્યાં છે; ચાલીસ વિશાલ બિરાજે છે, આરોગ્યાલય પણ દીપે છે. એ સિ. ૪ શ્રી યશવિજય ગુરૂકુલ જ્યાં છે, મુનિગણ ભણતા બહુ દીસે છે; શાસ્ત્રાભ્યાસે રત સહુ જણ છે, પાઠક શિષ્ય તે ભૂષિત છે. એ સિ. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ નૂતન ત્યાંથી શjજય દીસે છે, મંદિર નગરી સમ ભાસે છે; ભકિત ઝરણું જ્યાં બહુ વહે છે, જય જય મુખથી જ્યાં નીકળે છે. એ સિ. ૬ ધનધાન્ય પયે ધૃતથી પૂરું, જે ભૂમિ રસાળથકી સારુ છે પુર પાલીતાણ પ્યારું, જે પુણ્યભૂમિ છે ભવતારુ. એ સિ. ૭ સંસારતાપથી જે તપતા, પાપી નિર્દય જ નહિ મમતા; એવા પણ એ ગિરિને ધ્યાવે, હેજે મુક્તિપદ તે પાવે. એ સિ. ૮ સહુને વિશ્રામ સુલભ જ્યાં છે, વિદ્યા ભણતા મુનિ શ્રાવક છે; આહાર સુલભ સુખકર ત્યાં છે, જ્યાં પંડિત ને ભવિ પાઠક છે. એ સિ. ૯ મન નિર્વિકાર હેજે થાવે, શાંતિ આત્માની પ્રગટાવે; કુંડે શીતલ જલથી ભરિયા, વનરાજી વનસ્પતિ દુઃખ હરિયા. એ સિ. ૧૦ આ દેવનગર ગિરિશંગમાં, દેવે વસાવ્યું આ જગમાં; ભાસે છે સ્વર્ગ જ અવનીમાં, વિશાખ મુક્તિના માર્ગોમાં. એ સિ. ૧૧ તપતપતા ગિરિની છાયામાં, જે વન્ય ગુફામાં ગિરિવરમાં; કેઈ શાંતિ વય નિજ આતમમાં, દર્શક થઈ માર્ગ જિનેન્દ્રોના. એ સિ. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ શત્રુ જયાહાર સિદ્ધાચલ જૈન હૃદય વસિયા, યાત્રા નિંત કરતા મન રસિયા; દુર્ભાગ્ય ન જે નજરે દેખે, તસ જન્મ ન છે લાગ્યા લેખે. એ સિ. ૧૩ જયાં ચિત્ત પ્રપુલ્લિત અહુથાવે,ગિરિવરના ગુણ સહુ મળી ગાવે, પ્રતિપદમાં આતમ વિકસાવે, ખાલેન્દુ જેના ગુણ ગાવે. એ સિ. ૧૪ ૧૦ * ૪. સિદ્ધાચલદન * દુહા ગિરિવર જગમાં બહુ રહ્યા, ક્રીસે બહુ ઉત્તુંગ; પણ એ ગિરિસમ નહીં દિસે, અન્ય કોઈ મન ચંગ. ૧ એરિથિી પણ વડા, જોતાં મન આન; ભત્રિજન હુ દર્શન, ધરતા માન. ૨ ઢાળ ચોથી (દેશી—મનમંદિર આવે રે, કહું એક વાતલડી) સિદ્ધગિરિવર જઈને રે, આદીશ્વર વા, સહુ ચાલા ઉમ ંગે રે, જેથી ચિર ન ં-આંકણી પહેલી ભાથા તળેટી ૨, સહુને શાંતિ કરે, માતા ગંગ’માઇનું રે, સ્મારક ચિત્ત હરે.સિ. ૧ લાલભાઈ સુપુત્રે રે, નિર્માયું ભાવે, ધધામ કરાવ્યું રે, સહુના મન ભાવે. સિ. ૨ ભાચુ નાહર કુલથી રે, પ્રારંભ જ્યાં થાવે, પુણ્ય માંધ્યું અખડ રે, ગતિ શુભ જે લાવે. સિ. ૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નૂતન પછી આગમમંદિર ૨, દર્શન ત્યાં કરીએ, જિનવાણ અખંડિત રે, સ્થિર થઈ નિરખીએ. સિ. ૪ કલિકાલ ચમત્કૃતિ એ, આણંદસાગરની, બહુ કાલ એ થાશે રે, શાંતિ ભવિક જનની. સિ. ૫ પિસ્તાળીસ આગમ રે, દેહરીઓ નિરમી, પ્રભુ વીરની વાણી રે, અમર મુગતિકામી. સિ. ૬ વીર પુત્ર પ્રભાવી છે, સાગર જ્ઞાનતણે, ઉદ્ધાર આગમને રે, સહુ કોઈ શાસ્ત્રી ભણે. સિ. ૭ આવી વિજય તળેટી રે, મુક્તિ તણે બારી, ભવિ જીવના મનમાં રે, લાગે જે સારી.- સિ. ૮ આદિજિન પગલાં રે, બીજા શાંતિ ભલા, દેરીઓ ત્યાં શેભે રે, બાવીસ શુભ પગલા. સિ. ૮ ધનવસહી બિરાજે રે, ધનપતસિંહતણું, મંદિર અતિ શોભે રે, કૃતિ જાણે ઇદ્રતણું. સિ. ૧૦ સંવત ઓગણીસે રે, ઓગણપચાસને, ધર્મચંદ શેઠ લાવે રે, સંઘ શ્રી સૂરતનો. સિ. ૧૧ મેહનમુનિ આવે છે, ગુરુ ગુણવંત ઘણા, તસ હસ્તે પ્રતિષ્ઠા રે, ઓરછવ થાય ઘણું. સિ. ૧૨ મહેતાબ કુમારી છે. સ્મારક કયું ભાવે, દર્શન ત્યાં કરતા રે, દુઃખ દુરિત જાવે. સિ. ૧૩ દર પગલે ડગલે રે, પા૫ સકલ નાસે, વસ્તુપાળે કરાવ્યો છે, માર્ગ ભલે વિલસે. સિ. ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શત્રુ જયેાદ્ધાર યાત્રા ભલી સહુને રે, થાએ એહ થકી, પથ ગ્લાન તપસીને રે, સુખકર એહ નકી. સિ. ૧૫ ગયા ઇંગ્રજ રાજા રે, આવ્યુ. સ્વરાજ ઇહાં, ટાકાર ને રાજા રે, સહુ કોઇ દૂર થયા. સિ. ૧૬ થયેા દેશ સ્વતંત્ર રે, લેાકશાહી આવી, રખેાપા-કર સહુ ગયા રે, આઝાદી લાવી. સિ. ૧૭ કર્યાં સુલભ પગથિયા રે, ખાલક વૃદ્ધ ચઢે, ગાએ જિનગુણ સહુ કાઇ રે, આનંદ ચિત્ત વધે. સિ. ૧૮ આવ્યો પહેલે હુડા રે, ભરત ચરણ નિરખા, ચક્રવર્તિ ભરતના રે, પ્રથમ શાસ્ત્ર પેખા. સિ. ૧૯ પછી પૈખ્યા કુમાર કુંડ રે, પગલા જિનપતિના, નેમિનાથજનંદના રે, વરદત્ત ગણધરના સિ. ૨૦ તેમ ઋષભ પ્રભુનાં હૈ, વંદન ભક્તિ કરો, ભવ કેાડનાં ક્ષણમાં ૨, પાતિક સવ હરો. સિ. ૨૧ માતા હિંગલાજ દીઠા રે, અંબામાત તિહાં, ઔષધ રસસ ંગ્રહ રે, વિપુલ વનસ્પતિ જ્યાં. સિ. ૨૨ કલિકુંડ પારસનાં ૨, પગલાં ત્યાં ભેટ, દુરિતા સહુ વિના રે, પાતક સ` મટે. આસિ. ૨૩ આવ્યા શાશ્વત જિનનાં ૨, પગલાં ચિત્ત હુર, દેહરી બહુ કારણી રે, સહુના ભાવ ઠરે. સિ. ૨૪ * સવત ૨૦૦૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ નૂતન યેગી મુનિ ધ્યાને રે, તપ તપવા કાજે, બહુ ઉચિત છે સ્થાન રે, સુંદર ત્યાં ગાજે. સિ. ૨૫ શ્રીપુજ્યની દેહરી રે, મન હરતી દીસે, આત્માની શાંતિ રે, જઈ વસીએ ભાસે. સિ. ૨૬ હીરબાઈને કુંડ રે, આવ્યો તળીઓમાં, ગઢ દીઠે જિમુંદને રે, હર્ષ વચ્ચે દિલમાં. સિ. ૨૭ ઉત્સુક મન થાએ રે, પ્રભુ કયારે ભેટે? - દાદાના ચરણે રે, મસ્તક કરું હટે, સિ. ૨૮ ક્ષણ થોડા રહ્યા છે રે, દાદાને મળવા, સાર્થક નરભવનું રે, પાતિકદળ હણવા. સિ. ૨૯ દ્રાવિડ વારિખિલ્ય ૨, મુનિ પગલા દીઠાં, તપ તપી ત્યાં જેહનાં ૨, કમે સહુ નાઠાં. સિ. ૩૦ આઈમ નારદજી રે, દ્રાવિડ મુનિજનની, વારિખિલ્ય મુનિની રે, મૂર્તિ મનહરણું. સિ. ૩૧ કરી મુનિ દર્શનને રે, સહુ દુઃખને હરીએ, તેહના ગુણ ગાઈએ રે, સહેજે ભવ તરીએ. સિ. રામ ભરત ને શુક મુનિ રે, શિલંકાચાર્ય થયા, થાવગ્યા મુનિવર રે, અહીં આ આવી રહ્યા. સિ. ૩૩ કરો દર્શન તેના રે, મન આનંદ વરો. પાતિક ભવભવનાં રે, ક્ષણમાં દૂર કરો. સિ. ૩૪ આ ઢંકડો મારગ રે, દાદાની ટુંક તણે, હવે ભેટશે જિનવર રે, આદિ પ્રભુ જાણે. સિ. ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શજદ્ધાર જાલી ને માલી રે, ઉવયાલી ભેટયા, દ્વારના જેમ રક્ષક છે, પાપ સહુ નાઠા. સિ. ૩૬ એહને નમે ભાવે રે, જય જય ગિરિ બોલે, મન આનંદ ઉભયે રે, અંતરપટ ખેલે. સિ. ૩૭ ઊગે સૂરજ આત્મનો રે, ઉલાસ બહુ માટે, ભેટશું દાદાને રે, પુણ્યનો નહિ તે. સિ. ૩૮ ઉતર્યો થાક સઘળે રે, આનંદ ચિત્ત ઘણે, જ્યાં જ્ય સિદ્ધાચલ રે, યે યે અષભતણે. સિ. ૩૯ જય જય આદિ જિનવર રે. જય સુત નાભિતણે, જય સુત મરુદેવી રે, જય જય હર્ષ ઘણે. સિ. ૪૦ સિદ્ધગિરિ એ પવિત્ર છે, જે સેવે ભાવે, કહે બાલેન્દુ તેહના રે, પાતિક સહુ જાવે. સિ. ૪૧ ૫. શ્રી આદિનાથ દાદાદર્શન , * દુહા દર્શન આદિ જિનંદના, ભવનિતારણહાર; જેથી અનતા પામિયા, સહેજે ભવજલ પાર, ઢાળ પાંચમી (દેશી–આ આવો પાસજી મુજ મળીઆ.) યુગાદિ જિનંદજી મુજ ભેટયા રે, મારા ભવભવનાં દુઃખ મેટયાં. યુગાદિ–(આંકણ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ નૂતન ૧૫ રામપળપ્રથમતિહાં આવે રે, સહુ ભાવિક તણું મન ભાવે રે; ભાવ ભકિત ઉચિત મન લાવે. યુ. ૧ મોહનલાલ વલ્લભ પુણ્ય પાળા રે, જેહ ઓરંગાબાદવાળા રે; પંચ શિખ ૨ પ્રાસાદ વિશાલા, યુ. ૨ આવી પિળ વિશાલ સગાળ રે, રક્ષક ચકી સુવિશાળ રે; સુંદર શોભા તિહાં ભાળ, યુ. ૩ નરશી કેશવજીની ટુંક રે, માર્ગ એહ નિકટને દેખ રે; ટુંક દશમી ગણુએ એ પેખ, આવી વિમલવસહિપુણ્ય ધામ રે, શાંતિનાથ મંદિર સુખખાણ રે; માતા ચક્રેશ્વરી ધર્મપ્રાણ, નેમનાથ વિવાહની ચોરી રે, પશુ કંદનને જાન સારી રે; પ્રભુ નેમિ જિનંદ બલિહારી, એહ વિમલ મંત્રીએ નિપાવ્યું છે, પુણ્ય તેથી અસંતું પાયું રે; જેહ ભવ્યતણે મન ભાવ્યું, હાં વિવિધ પ્રથિત પુણ્યવાન રે, નિપજાવ્યા મંદિર બહુ વાન છે; હરે મેહ મમત્વનાં માન, યુ. ૮ ચંદ નૃપતિ કથા વિખ્યાત રે, કુકડે થયે નર સાક્ષાત રે, સૂર્યકુંડ ઘણે પ્રખ્યાત, યુ. ૯ હેમચંદ્ર મુનિ ઉપદેશે રે, કાલમહિમા ગણને ખાસ રે, કરે ગુપ્ત તે કુંડ નિવાસ, યુ. ૧૦ નૃપ કુમારપાળે નિપાવ્યું છે, આદિનાથ મંદિર મન ભાવ્યું છે, ભવિજન તે પરમપદ પાયું, યુ. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શત્રુદ્ધાર એમ વિવિધ ઘણું પ્રાસાદ છે, જાણે માંડે છે આભથી વાદ રે; દેવદુંદુભિને થાય નાદ, યુ. ૧૨ એહ દેવનગર જગ ગાજે રે, ઘંટનાદ વિજય ધ્વનિ વાજે રે; તીર્થરાજ જગતમાં બિરાજે, : યુ. ૧૩ કપર્દિ યક્ષ અભિરામ રે, સિંદુરભૂષિત જસ વાન રે; કરે નમન કંઈક ભકિતવાન, યુ. ૧૪ શત્રુજ્ય જે ગુણ ગાવે રે, મહામ્ય ઘણું જે વધાવે રે; ધનેશ્વરસૂરિ મન ભાવે, યુ. ૧૫ મૂર્તિ સ્થાપી સૂરિરાજ રે, નમતા શિષ્ય મુકિત કાજ રે; જેહ સંસારજળનાં જહાજ, યુ. ૧૬ સૂર્યકુંડ તથા ભીમકુંડ છે, ત્રીજો છે ઈશ્વર કુંડ રે; લઘુ કુંડ જે પુણ્ય અખંડ, યુ. ૧૭ પ્રભુ હવણને જે જલ આપે છે, ભવભવનાં પાતિક કાપે રે, પ્રભુભકિત જે મન રોપે, યુ ૧૮ હાથી પોળ વિશાળ તે આવે છે. ભવ્ય ચિત્ત હરે મન ભાવે રે; માર્ગ દાદાના ચરણ બતાવે, યુ. ૧૯ દીઠી રત્નપળ હવે ખાસ રે, વધે હૃદયતણે ઉહાસ રે; થયે મુક્તિનગરીને ભાસ, રુ. ૨૦ મરૂદેવીનંદન આદિનાથ રે, જે તીર્થપતિ પ્રખ્યાત છે; જગ ડંકો વાગે છે વિખ્યાત, યુ. ૨૧ દર્શન પ્રભુ ઋષભનું થાય છે, ભવ કેડનાં પાતિક જાય છે, હવે આનંદ અંગ ન માય, યુ. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ શત્રુદ્ધાર [ ૧૭ ] પ્રભુ દર્શન પૂજન કરીએ રે, સેવાભક્તિ વિવિધ અનુસરીએ રે; હેજે તિહાં મુકિતને વરીએ, યુ. ૨૩ સત્યાશી પંદરસની સાલ રે, માસ વૈશાખ છઠ સુવિશાલ રે; કૃષ્ણ પક્ષની જે તિથિ ભાલ, યુ. ૨૪ પ્રભુ કીધી પ્રતિષ્ઠા ખાસ રે, રેહ મુક્તિતણે છે વાસ રે; વરત્યે જય જય સુવિલાસ, યુ. ૨૫ મૂળ બાહડ મંત્રીનું ચીત્ય રે, તેહ સમરાવ્યું છે નિત્ય રે; પ્રાચીન ઘણું છે એ કૃત્ય, યુ. ૨૬ નંદિવર્ધન પ્રાસાદ નામ રે, હીરવિજય પ્રદર્શિત તામ રે; તેજપાળ સેની દીએ નામ, . ૨૭ ધૂળીઆના રૂજુમતી શેઠ રે, સખારામભાઈ બહુ શ્રેષ્ઠ રે; આરસ કરે પ્રભુજીને ભેટ, યુ. ૨૮ વેણચંદ મહેસાણાનિવાસી રે, ઘરઘર ફરે થઈને પ્રવાસી રે; થયા સ્વર્ગ તણું તે નિવાસી, યુ. ૨૯ કરી ટીપ આરસની મોટી રે, પ્રસ્તરમય મંદિર કઠી રે; સહુ કીર્તિ ગાએ જસ મેટી, યુ. ૩૦ પુંડરિક ગણધરનું દેહરું રે, કરમાશા નિર્મિત સારું રે, વસ્તુપાળનું પણ મનહારું, યુ. ૩૧ ગણધર પગલા સુવિશાલ રે, ચૌદસને બાવન તિહાં ભાલ રે; મંદિર છે ઘણાં ત્યાં વિશાળ, યુ. ૩૨ રાયણ તળે આદિ જિનંદ રે, પગલા દેખી થાય આનંદ રે; ટળે ભવભયના સહુ બંધ, યુ. ૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] નૂતન શેઠ દલપતભાઈ નિપાઈ રે, દેહરી બહુ સુંદર પાઈ રે; મન ભાવદશા શુભ લાઇ, યુ ૩૪ સંપ્રતિ જિન ચોવીસ નિરખો રે, વીસ વિહરમાન જોઈ હરખ રે; દર્શન કરી પુણ્યને પરખે, યુ. ૩૫ અષ્ટાપદ મંદિર થાપે રે, સમેતશિખર સુખ આપે રે; કરે સમવસરણ વિજ રોપે, યુ. ૩૬ એમ વિવિધ મંદિરથી ભરિયું રે, સ્વભુવન સમું મન હરિયું રે; શાંતિ અમૃત સુખ વરિયું રે. * યુ. ૩૭ શુ ભકિત ધરી ગિરિરાજ રે, વળે ચિત્ત પ્રદ અવાજ રે; થયે બાલેન્દુ સુખભાજ, રુ. ૩૮ ૬. અન્યાન્ય ટૂંક વર્ણન * દુહા ભક્ત ઘણા ગિરિરાજના, રચના કરે વિશાલ; વિવિધ ટૂંક હવે વર્ણવું, સુણતા મંગલમાલ. ૧ ઢાળ છઠ્ઠી (દેશીયલ ટહુક રહી મધુ બનમે). સમકિતવંત લહે ગિરિ દર્શન, ભવભય પાપ હરે એક ક્ષણમેં, (આંકણી) બાપુરવાસી મોતીશા, દર્શન કરી હરખે નિજ મનમેં; દેખી કુંતાસરની ખાઈ, ગૂઢ વિચાર રચે નિજ ચિત્તમેં. આ સમ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ શત્રુજયદ્ધાર [ ૧૯ ] શેઠ હઠીભાઇ સહ કરી સકેત, ખાઇ પુરાવા નિશ્ચય વિરચે; ધન અઢળક ખરચી પૂરે તે, મરુદેવી શિખર સમાંતર હેતે. સમ. ૨ નલિનીગુલ્મ વિમાનની રચના, મંદિર સુંદર ઉપર વિરચે; શેઠ હઠીભાઇ અમર દમણિઓ, શેઠ પ્રતાપાદિક ધન ખરચે. સમ. શેઠ મેાતીશા ભાવના ભાવે, સ્વર્ગ સિધાવ્યા પ્રતિષ્ઠા પૂર્વ; સંવત ત્રાણું અઢારસે વરસે, પૂર્ણ કર્યાં સંકેત સુહષૅ. સમ. ૪ ખીમચંદ્ર સુપુત્રે કીધી, ચૈત્ય પ્રતિષ્ઠા ધર્મ અમર પિતાનું નામ કરાવ્યું, આનદમ'ગલ શાંતિ સ ંકેતે; સુહેતે. સમ. પ ખાલાભાઈ ટૂક હરે છે, ચિત્ત ભવિકનું સમિત કાજે; ત્રાણું અઢારસે સાલની રચના, સિદ્ધાચલમાં ભવ્ય બિરાજે. સમ. દ અદ્ભુત આદિ જિનેશ્વરકેરું, મદિર સેાળશે છાશીમાં કીધું; દૌલતાબાદના ધર્મદાસજી, પુણ્ય કરી જેણે બહુ ફળ લીધું. સમ. છ રાજનગરના પ્રેમચંદ મોદી, ટૂંક કરાવે સુંદર રચના; અઢારસે ત્રેતાલીસ સાલે, સ્થાપે મંદિર બિંબ જિનદના, સમ. ૮ પ્રસ્તર કારણા મનહર કીધી, કેઈક કરાવે મંદિર જિનના; વિવિધ ધણી પુણ્યશાલી કરાવે, વિવિધ અલંકૃત ચૈત્ય પ્રભુના, સમ. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] નૂતન શાંતિદાસ કુલદીપ હમાભાઈ ટુંક બંધાવે શત્રુંજયમાં; છાશી અઢારસે સ્થાપના કીધી, ચૌલ્ય પ્રતિષ્ઠા વિમલાચલમાં. સમ. ૧૦ વિવિધ તિહાં કઈ મંદિર રચના, ભવિક કરે પ્રાકાર સકલમાં; પુંડરિક મુખ મંદિર શોભે, અજિત જિનેશ્વર ભુવન તે સ્થળમાં. સમ. ૧૧ ઉજમવસહિ ગિરિશંગ દિપાવે, નંદીશ્વર રચના મનહારી; ચૌમુખ સત્તાવન નિપજાવે, વિવિધ શિખર નામાંકિત સારી. સમ. ૧૨ ઉજમ ફઈ સહ હેતે વખાણે, નગરશેઠના ફઈજી જાણી; ત્રાણું અઢારસે સાલમાં રચના, ભવજલતારક નાવ એ માની. સમ. ૧૩ સાકરચંદ વસાવે વસહી, ત્રાણું અઢારસે સ્થાપન કીધી; બહુવિધ મંદિર વિવિધ દેરીઓ, ગુચછક સુંદર આતમસિદ્ધિ. સમ. ૧૪ છીપાવસહી ભાવસાર બંધાવે, એકાણું સત્તરસમાં સુજ્ઞાની; ત્રણ મંદિર સુંદર કરે રચના, ભક્તિ કરે ફલ મોક્ષનું માની. સમ. ૧૫ અજિત ને શાંતિ જિનેશ્વર દેરી, સન્મુખ રચના કીધ સુજ્ઞાની; એકની ભક્તિ તે પૂંઠ બીજાને, આપત્તિ એ તિહાં જ્ઞાનીએ માની. સમ. ૧૬ મનિ નંદિણ પંડિતે કીધી, અજિતશાંતિ સ્તવના બહુ સારી; રાગ તાલ મંગલ કરી રચના, મનહર દીપે મેહને વારી સમ. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ શત્રુજયેાદ્ધાર [ ૨૧ ] કીધી અધિષ્ઠાયક દેવાએ, જોડમાં સત્વર અને દેહરી; ભકિત વિકની ઉન્નત દેખી, પૂરે આસ તે અંતરકેરી. સમ. ૧૮ પાંડવ મંદિર કુંતામાતા, દ્રૌપદી પ્રતિમા દર્શન થાયેઃ સમવસરણુ સિદ્ધચક્રની રચના, ચૌદ રાજલેાક ચિત્ર રચાવે. સમ. ૧૯ મરુદેવી માતા મેાક્ષમદિરમાં, ઋષભદેવ પર્વ સિદ્ધિ પાયા; જોવા પુત્રવધૂને હેતે, માર્ગ સુલભ કરે નિજ મન ભાયા. સમ. ૨૦ દર્શન સિદ્ધગિરિનું થાવે, પ્રથમ શિખર એહ દૃષ્ટિપથમાં; ભવ્યજનો આનંદને પાવે, મરુદેવી સ્મરણ કરી નિજ મનમાં. સમ. ૨૧ મરુદેવા શિખરે ચૌમુખ રચના, ટુંક ચૌમુખજીની બધાવે; સદાસામજી રાજનગરના, ધર્મ જાણી તે માટે ભાવે. સમ. ૨૨ સાળસે પચેાતેરમાં એ કીધી, સુંદર રચના ઉચ્ચ શિખરમાં; ખરતરવસહી નામ ધરાવે, બાહ્ય વિભાગને પ્રગટ છે જનમાં. સમ. ૨૩ ઓગણીસે એકવીસમાં કીધી, નરસી નાથાએ મંદિર રચના; ભક્તિ ભાવના જાગી માટી, શાંતપણે કરી દેવસ્થાપના. સમ. ૨૪ અગ્યારમી એ ટુંક ગણાવે, વિવિધ મ ંદિર દેહરીની ઘટના; દન કરતાં આનંદ આવે, ખાલેન્દુ મનમાંહે ભક્તિની ર૮ના સમ. ૨૫ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #31 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨ ] ૭. સધવણુ ( દુહ્ર! ) ૭. ૧ સધ લેઇ ગિરિવર ગયા, ધિયા ધર્મના રંગ, વાજિંત્રા વાગ્યા ઘણા, પ્રભુગુણ ગાતા સંધવી પધર કેઈ થયા, કરતા મુક્તિનિવાસ; તેહનાં ગુણ હવે ગાઈશુ, સુણજો ધરી ઉલ્લાસ. ૨ ઢાળ સાતમી (દેશી-કડખાનીચંગ રણુરગ મગલ હુવા) સંઘપતિ સોંઘ લેઇ વિવિધ આવે ઇંડાં, વિરલનર ભવતણે લાભ લેવા. (આંકણી) પ્રથમ નૃપ ભરત આ ખરે આવિ, દડવીચે પછી સ ઘસેવા; તીર્થ યાત્રા કરી સગરરાજે પછી, ભવ કર્યાં સફલ પ્રભુ ભકિતમેવા. સંઘ. ૧ અશત કાડ ને લાખ ૫દર વલી, સહસ પાણા સહુ સંધ આવ્યા; ભકિતભાવે કરી તી་વંદન તિહાં, નૂતન સિદ્ધગિરિરાજની સેવ ભાવ્યા. સઘ. ૨ મત્રી ખાડ કરૈ તીર્થં ઉદ્ધારની, કમ ચારી મંત્રણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સગાથે; www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ શત્રુદ્ધાર [૨૩] દીન વેષે તિહાં ભીમ* શ્રાવક વદે, અર્પવા નિજ મૂડી સર્વ સાથે. સંધ. ૩ મુગ્ધ થઈ તે પ્રશંસા કરે ભીમની ત્યાગની ચિત્તમાં શુદ્ધ ભાવે; નિજ અને તેના ત્યાગ ઔદાર્યની, સામ્યતા દેખી મને પ્રેમ આવે. સંઘ ૪ સિદ્ધગિરિને છરી પાળ સુવિધિએ, સંઘ આદર્શ કુમારપાળે; ગાજતેવાજતે લાવિયે ગિરિવરે, હેમચંદ્રાદિ મુનિર્વાદ ચાલે. સંઘ. ૫ * બાહડ મંત્રી મંદિર બંધાવવા માટે મંત્રણા કરી રહ્યા હતા, ત્યારે ઘીની ફેરી કરનારે એક ગામડાનો શ્રાવક ભીમ એણે પિતાના સમસ્ત જીવનની કમાણી (ભાયા-મૂડી) જે અત્યંત નજીવી હતી તે આ મહાન કાર્યમાં અર્પણ કરવાની ઈચ્છા જણાવી. મંત્રીએ એની શુદ્ધ ભાવના અને અતુલ ઔદાય જે તે (સાત રૂઈઆ) રવીકારી. તે ભીમ ઘેર ગયે. સ્ત્રી આ તેના ઔદાર્યથી ચીઢાઈ વઢવા માંડી ત્યાં એની ગાય ખીલ ખેંચી દોડવા માંડી. સ્ત્રીએ તે ખીલાના ખાડામાં જોયું તે ત્યાં દ્રવ્ય જણાયું. મંત્રીશ્વર તેની પાછળ છૂપી રીતે આવતા જ હતા. તેમણે આ દશ્ય જોયું. ભીમે તરત જ તે દ્રવ્ય મંત્રીશ્વરના ચરણે ધર્યું અને ધર્મકાર્યમાં વાપરવા વિનવ્યું બાહડે તેની ભાવનાની ઘણી પ્રશંસા કરી અને પોતાથી પણ તે ભાવનામાં કેટલો આગળ વધેલો છે તે જાણે તેની પિતાના દર્ય સાથે સરખામણી કરતાં. પિતા કરતા એનું ઔદાર્ય મંત્રીને અત્યંત શ્રેષ્ઠ જણાયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ નૂતન [ ૨૪ ] હય ગજાદિક ર તંબુ ડેરા ઘણ, વિવિધ સૈનિક તણે છંદ ચાલે; વિજય કે વગાડ્યો ખરા ધર્મને, જૈન ઉત્કર્ષ જગમાંહિ મ્હાલે. સંઘ. ૬ તીર્થમાલા ગુરુરાજ આજ્ઞા કરે, નૃપતિ કંઠે ઠ ઉચિત જાણું; નમ્રભાવે નકારે તદા રાજવી, *જગડુશાને સમર્પો સુવાણી. સંઘ. ૭ પુનડશા શ્રેષ્ઠિ નાગોરના રહીશ જે, સંઘ લાવે નગાધીશ પાએ; વસ્તુપાલે તદા સંઘ સન્માનનિઓ, ઉચિત સુનેહ મનમાંહિ ભાવે. સંઘ. ૮ * કુમારપાળને તીર્થમાળા પહેરાવવાને પ્રસંગ આવ્યું ત્યારે શ્રાવના વ્રતે પૂર્ણ રીતે ગ્રહણ કરવાથી ખંડીઆ રાજાઓ તેને લાભ લઈ મારા રાજ્ય ઉપર આક્રમણ કરશે માટે શ્રી હેમચંદ્રસૂરિને વિનંતિ કરી કે. શ્રાવકને માળા પહેરો. ત્યારે જગડુશા તરફ આચાર્યશ્રીની નજર ઠરી. તેમના પિતા હાસુ શેઠે પરિગ્રહ પરિમાણ વ્રત લીધું હતું. તેથી તેમની પાસે વધેલું દ્રવ્ય ખરચવાની તેમને સૂચના કરતાં પિતાની પાસે જુદા કાઢલાં અમૂલ્ય રત્ન કાઢી આપી તે દ્રવ્યનો વ્યય કરવા ની આજ્ઞા માણી કુમારપાળે તેમને જ તીર્થમાળા પહેરાવતાં જણાવ્યું. તે જે જગડુશા પિતાની મા પ્રત્યે દોડી ગય. તેમના ચરણે પડી તેમને જ એ માળા પહેરાવવા આગ્રહ કર્યો. ઉચિત જાણી ધારૂમાતાને માળા અર્પણ કરવામાં આવી અને દ્રવ્યનો વ્યય તીર્થોદ્ધારના કાર્યમાં કરવામાં આવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ શત્રુદ્ધાર [ ૨૫ ] બારશે ખ્યાશીમાં તીર્થને ભેટવા, વસ્તુ ને તેજને ભક્તિ જાગી; અમિત ગાડા ઘણાં ઊંટ પત્યેકને, વિવિધ શ્રાવકતણા છંદ રાગી. સંઘ, ૯ *માર્ગમાં નમ્ર ખીમા ભલે શ્રાવક, વિનવે નિજ ઘરે સંધ આવે; દૈન્યની જવનિકામાં વસ્યું અતુલ ધન, પાલ બંધુ તિહાં મુગ્ધ થાવે. સંઘ. ૧૦ * વસ્તુપાળ તેજપાળ સંધ લઈ જતા હતા. માર્ગમાં ખીમા નામના એક ગામડીઆ શ્રાવકે આવી પિતાને ત્યાં પધારવા વિનંતિ કરી. તેને દીનવેષ જોઈ કઈ ધારતું ન હતું કે, એ આવા મેટા સંધની વ્યવસ્થા રાખી શકાશે. ખીમાએ પિતાને ઘેર પ્રભુપ્રતિમા છે એમ જણાવ્યું. એની ઈચ્છા જોઈ વસ્તુપાળ તેના ઝુંપડે પહોંચ્યા. એક ભયરામાં તેમને તે લઈ ગયે. ત્યાં સુંદર પ્રાસાદ જેવું મંદિર જોઈ આનંદ થયો. ખીમાએ જણાવ્યું કે તે પોતે વૃદ્ધ થઈ ગયે છે માટે આ પ્રભુબિંબ શ્રી શત્રુંજય ઉપર પધરાવવા સાથે લઈ જાવ. મંદિર માટે મેં થેડી રકમ કાઢી મૂકી છે. મંત્રી આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે સંમતિ આપી. ત્યારે ખીમાએ વિનંતિ કરી “વખત વધુ થઈ ગયું છે,' એમ કહી એક બારણું ઉધાડ્યું. ત્યાં ભેંયરામાં અનેક જાતની રસોઈ તૈયાર રાખી હતી, આ ચમત્કાર જોઈ મંત્રીશ્વરના આશ્ચર્યને પાર રહ્યો નહીં. તેમણે સંધ સાથે ત્યાં ભેજન કર્યું. ખીમાની ઈચ્છા પૂર્ણ કરી. ખીમાને સાથે લઈ જાત્રા કરી ખીમાને ઉદ્દેશ પૂર્ણ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] નૂતન કચ્છમાં નગર ભલેશ્વરે રાજી, જગડુશા શેઠ ધનવાન ભાવી; જગતતારણ દુકાળે મહાત્મા કરે, . અન્નનું દાન કરુણા જગાવી, સંધ. ૧૧ તેરસે સેળમાં સંઘ કાઢે તદા, તીર્થ શત્રુંજયે ભાવ લાવી; બંધુજન નારિ પરિવાર સહુ ભાવથી, સંઘભક્તિ કરે ઉચિત ભાવી. સંઘ. ૧૨ માળવામાં રહ્યા તીર્થ માંડવગઢે, શેઠ પેથડ થયા ધનદ જેવા; તેરસે વીસમાં સંઘયાત્રા કરે, મેક્ષને સુખદ તે માર્ગ લેવા. સંઘ. ૧૩ જાવડ સમર ઉદ્ધાર તે કાળમાં, સંઘ આવ્યા અસંખ્યાત ભાવે; નૃપમડારાજ ને મંત્રીએ બહુ થયા, શ્રાવકની ન સંખ્યા ગણાએ. સંઘ. ૧૪ અહમદાબાદથી વાડીભાઈ સંઘપતિ, શેઠ છોટાભાઈ સાથ જાવે; ઓગણીશે ઓગણસાઠમાં નીકળે, સંધ નિજ આત્મકલ્યાણ કાજે. સંઘ. ૧૫ નેમિસૂરિ સાગરાનંદસૂરિ તથા, વિજયગંભીરસૂરિસિધાવે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજયોદ્ધાર [૨૭] સિદ્ધિસૂરિ મહા મુનિવરે સાથમાં, સંઘ જાત્રા કરે શુદ્ધ ભાવે. સંધ. ૧૬ છોત્તેર ઓગણીસે સુરતના સંઘવી, જીવણભાઈ લેઈ સંઘ આવે; સા ગ રાનંદસૂરિ પધારે તિહાં, તીર્થસેવા કરે ભકિતભાવે. સંઘ. ૧૭ એંશીની સાલમાં શેઠ કેશવ ભલા, દર્શનસૂરિ સહ સંઘ લાવે; રા જ ન ગ ર થકી વા જ તે ગા જ તે, સિદ્ધગિરિ ભેટવા લેક જાવે. સંધ. ૧૮ ચોરાસી સાલમાં શેઠ જીવાભાઈ, * રા ધ ન પુરથ કી સંઘ લાવે; ભદ્રસૂરિ તણુ સદુપદેશ ગયા, ગિરિવરે ભેટવા બહુલ ભાવે. સંધ. ૧૯ સા ગ રા નંદ ને ને મિ સુરિ તણું, - સદુપદેશ તિહાં સંઘ ચાલ્ય; સાલ એકાણુંમાં રાજનગરે વળે, ધર્મ ઉત્સાહ આનંદ મહા. સંઘ. ૨૦ શેઠ માણેકભાઈ સંઘ કાઢે ભલો, સહસ પચીસ જન સાથે થાવે; પાળતા “છ” રીતે ધર્મની ભાવના, વિમલગિરિરાજને ન મ્ર ભાવે. સંધ. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ITI [ ૧૮ ] નૂતન સાલ ચોરાણુંમાં પિપટલાલજી, ચિમનભાઈ સહુ સંધ લાવે, મેહનસૂરિ ને ને મિ સૂરિ ત થા, સા ગરા નંદસૂરિ સિ ધ વે. સંઘ. ૨૨ તીર્થમાલા મહા વદી તિથિ છઠ્ઠની, અમર પડહા ભલે ત્યાં બજાવે; રાજની માન્યતા નિત્ય પ્રતિ વર્ષની, પુણ્ય કર્મો ભલી ત્યાં મિલાવે. સંઘ. ૨૩ કેક સંઘવી થયા કેક યાત્રા ગયા, નામ ગણના તસ કેમ થાવે? પુણ્યશાળી ઘણું ધર્મ ધરી થયા, ભવ્યના ચિત્તમાં જેહ ભાવે. સંઘ. ૨૪ સંઘપતિ સંઘને લઈ યાત્રા કરે, અમિત શુભલ્મને જે નિપાવે; ધન્ય તે ભવ્યજન કર્મમલ પરિહરી, બાલ કહે મુક્તિમાં વાસ થાવ. સંઘ. ૨૫ R Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજયેદ્ધાર L[ ૨૯] ૮ તીર્થરક્ષણ (દુહા) પ્રામાણિક વૃત્તિ ધરી, તીર્થરક્ષણ કરે છે; અઢળક લક્ષ્મી તસ પદ, આલેટે ધરી નેહ, ૧ દેવદ્રવ્યને સાચવે, ધર્મભાવ ધરી ચિત્ત, તસ ઘર કમલાસ્થિર રહે, દુઃખ ન તસલવહેત. ૨ ઢાળ આઠમી (દેશી—ગિરૂઆરે ગુણ તુમતણ) તીર્થરક્ષણ ફલ અતિ ઘણું કઈ ન તોલે આવે રે; પુણ્ય અતુલ પામે ભવિ પ્રાણ, પાપપટલ સહુ જાવે છે. આંકણું. ઉદ્ધારકારક પ્રાચીન કાલે, તીર્થરક્ષણ કરે છે તે રે; એહ પરંપર બહુવિધ ચાલી, કાર્ય અખંડિત જેતે . તી.૧ * સંવત ૧૫૧૨ માં મહમદશાહના વખતમાં મેટે દુકાળ પડ્યો, ત્યારે હડાળાના શેઠ ખીમા દેદારે પીડિતોને છૂટથી અનાજ પૂરું પાડ્યું. તેથી બાદશાહે તીર્થંરક્ષણ કરવા માટે શેઠને છૂટથી મદદ આપવાનું કબૂલ કર્યું. સંવત ૧૬૮૬માં શેઠ શાંત્તિદાસ સહસકરણને શહાજહાન બાદશાહે શ્રી શત્રુંજય, શંખેશ્વર, કેશરીઆ, અમદાવાદ, સુરત, ખંભાત અને રાધનપુરનાં જૈનમંદિર અને શ્રી સંધની મિલકતના ભોગવટાને ખરીતે કરી આપે. તે વખતે યાત્રાળુઓ વિશેષ સંખ્યામાં આવતા રહેવાથી તેમના રક્ષણને બદલે કાઠી ગરાસીઆને ખુશી મુજબ અપાતો હતો. પાછળથી તેમાં તકરાર જાગવાથી ગારીઆધારના ગેહલને તે કામ સોંપાયું. તેઓ સંધની બધી વ્યવસ્થા અને સંભાળ રાખતા. તેના બદલાને નિયમ નહિ હતું તેથી તેમાં પણ ગૂંચવણો પેદા થઈ. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] નૂતન પાદલિપ્તપુર સંઘ ચલાવે, શત્રુંજયને સેવે રે; યવન ઉપદ્રવ બહુવિધ થાતા, અણહિલપુર પછી જાવે છે. તી.૨ સમરાશાહ સરદાર દિલ્લીના, દેશલશાના પુત્ર રે; ઉદ્ધાર કરી તીર્થ રક્ષણ કરતા, વંશ કરે સહુ તત્રરે. તા.૩ સાજનશા ખંભાત પધાર્યા, બહુ વ્યાપાર કરવા રે; વિજયરાજસૂરિ નૂતન રચના, કરતા તીર્થની સેવા છે. તી.૪ પાટણ રાધનપુર ખંભાતી, નૂતન સમિતિ રચના રે, શિષ્ય મેકલિયા પાલીતાણે, રક્ષણની જસ રટના રે. તી.પ પછી ગારીઆધારથી ગોહેલ કાંધાજી બાઈ પદમાજી, બાઈ પાટલદેને લઈ કડવો દોશી અમદાવાદ ગયા. બારેટ પરબત, ગરજી ગેમલજી તથા લખમણુજી વિગેરે સંધ જેગું ખત કરવામાં આવ્યું. જેમાં ગેહલેએ સંધનું મળણું ચેકી કરવી, તેના બદલામાં છૂટક જાત્રાળુ પાસેથી અરધી જામી, એક ગાડે અઢી જામી અને સંધ પાસેથી સુખડી મણ ૧ અને અઢી જામી મળે તેમ ઠરાવ્યું. સંવત ૧૭૧૩માં શાંતિદાસ સહયકરણને શાહજહાને પાલીતાણા પ્રગણું બક્ષીસ આપ્યું અને સનંદ કરી આપી. તેજ સનંદ તેમના પુત્ર લખમીચંદ શેઠને નવી કરી આપી સંવત ૧૮૦૪ માં સુરતથી પ્રેમજી પારેખ સંધ લઈને કનાડ જ્યારે ગયા ત્યારે ગારીઆધારથી નેંધણજી મળણું કરવા આવ્યા. સંવત ૧૮૬૪માં વખતચંદ શેઠને સંધ ગયે તેમને મળવા સામે ઠાકોરથી ઉનડજી આવ્યા હતા. ત્યાર પછી સંવત ૧૮૭૮માં હીમાભાઈ શેઠે કાઠીઆવાડના પોલીટીકલ એજન્ટના સામે જામી, સુખડી, ભાટ, રાજગર અને ચેકીપહેરે, અસ્માની સુલતાની થાય તે ભરી આપવા. એના બદલામાં ઉચક રૂ. ૪૫૦૦ વાર્ષિક આપવા ઠાકોર કાંધાજીએ ઠરાવ્યા. સંવત ૧૯૧૯થી વાર્ષિક રૂપીઆ ૧૦૦૦૦ ને સંવત ૧૯૪૨થી રૂ ૧૫૦૦૦ અને સંવત ૧૯૮૪થી ૬૦૦૦૦ ઠરાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ શત્રુ જોદ્ધાર [ ૩૧ ] અકબરાધક હીરસૂરીશ્વર, તીર્થરક્ષણ હક લાવ્યા રે; ધર્મકાર્ય એહ અભુત કીધું, સંઘતણે મન ભાવ્યા છે. તા.૬ યતિ સમુદાય કરે સહ રક્ષણ, શ્રી શત્રુંજય આવી રે, આચાર્યો બહુ સાત્વિક ભાવે, રક્ષા કરે શુભ ભાવી છે. તી.૭ શાહજહાન નૃપતિના રાજ્ય, શાંતિદાસ શેઠ થાવે રે અમદાવાદના નગરશેઠ તે, તીર્થરક્ષક પદ પાવે છે. તા.૮ સત્તરસે તેર વરસે લીધું, બક્ષિસ તીર્થ તે કાલે રે, તેહ પરંપરા ચાલી ત્યાંથી, *ખુશાલચંદ શેઠ પાલે રે. તી.૯ વખતચંદ બહુમાન મિલાવે, ગાયકવાડ નૃપતિથી રે; તીર્થંરક્ષણ કરે બહુવિધ સારું, નામ કીતિ બહુ તેથી રે. તા.૧૦ '+હીમાભાઈ તસ પુત્ર પ્રતાપી, પાલીતાણા નૃપ સાથે રે; સંધિ કરે ત્યાં તીર્થંરક્ષણને, વ્યવસ્થા બહુ ભાવે રે. તા.૧૧ . * ખુશાલચંદ શેઠના વખતમાં મરાઠા સરદાર પીલાજી ગાયકવાડે અમદાવાદ જીતી લૂંટનો હુકમ કર્યો ત્યારે શેઠે મોટી રકમ આપી લૂંટ, ખૂન અને અત્યાચારથી શહેરને બચાવ્યું. ગામના લોકોએ તેમને નગરશેઠ સ્થાપ્યા અને તેમને વંશપરંપરા કાંટા ઉપર ચઢતાં માલમાં સેંકડે ચાર આના આપવાનો ઠરાવ કરી આપે. તા. ૨૫–૭-૧૮૨૦ સુધી તે કર મળતો રહ્યો. બાદ કંપની સરકારે ઉધડો રૂપીઆ ૨૧૩૩ સાલના વંશપરંપરાગત કરી આપ્યા તે હજુ સુધી મળે છે. + શેઠ હીમાભાઈને વેપાર લગભગ આખા હિંદમાં હતું. રાજાઓની મહત્વની તકરારે તેઓ સાંભળી ફેંસલે આપતાં. ખંડણી વિગેરે નક્કી કરવાનું કામ પણ તેમને સોંપવામાં આવ્યું હતું. શેઠ બહાર નીકળતા ત્યારે છડીદાર નેકી પોકારતે આગળ ચાલતે. ઉપાશ્રયે જતા ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] નુતન પ્રેમાભાઈ પછી સહુ કરતા, ભારત સંઘ લાવે રે; સ્થાનિક પ્રતિનિધિ શત નવ કીધા, રાજનગર મન ભાવે રે. તી.૧૨ આણંદજી કલ્યાણજી નામે, પેઢી પ્રતિષ્ઠિત કીધી રે; ધર્માનંદ પ્રગટ કરી સારે, કલ્યાણ કલ્પના સિદ્ધિ છે. તી.૧૩ વહીવટ કરતા રાજનગરના, પ્રતિનિધિ પ્રમુખ કહાવે રે; પ્રમુખ કર્યા તિહાં શેઠ કુટુંબી, નૂતન રચના થાવે રે. તા.૧૪ માયાભાઈ પછી લાલભાઈ આવે, પ્રમુખપદે સોહાવે રે; ચિમનલાલભાઈ તેહ પછીથી, અગ્રપદે સ્થિત થાવે રે. તી.૧૫ શેઠ મણભાઈ પ્રમુખ થયા ત્યાં, સંઘતણે મન ભાવે રે; નગરશેઠ કસ્તુરભાઈ જે, પ્રમુખપદે બહુ શોભે રે. તા.૧૬ ઓગણીસે અડસઠમાં પાછે, ભારતસંઘ બેલા રે; મનસુખભાઈ સહમાં શેભિત, અગ્રભાગ જેણે ભજવ્યો રે. તી.૧૭ સંઘતણે બહુમાન વધાર્યો, ધારા રચના બે રે; લાલભાઈ સરદારતણા સુત, પ્રમુખ થયા મન ભાવે રે. તી.૧૮ કસ્તુરભાઈ હાલ બિરાજે, કાર્યકુશલ જે કહાવે રે સંધિ કરે નૃપ સાથે સારા માર્ગ સુખદ જે કરાવે છે. તી.૧૯ બહુવિધ તીર્થ સુધારા કીધા, નુતન સુખકર જેહ રે; સંઘતણા મનમાં જે ભાવે, કવિવર જસ ગુણ ગાવે રે. સી.૨૦ નૂતન સુખસોપાન માર્ગમાં, વૃક્ષ દ્વિવિધ તે રેપ્યા રે; આનંદે યાત્રા સહુ કરતા, બાલેન્દુ ગુણ ગાવે રે. તી.૨૧ દન તા ચાલતા હતા. રાજકોટમાં પોલીટીકલ દરબારમાં એમના માટે ખુરશી રહેતી અને ઓફિસમાં તીર્થના કામ માટે વકીલ રહેતું. એ વકીલને હક શેઠ આણંદજી કલ્યાણજી પણ ભોગવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ શત્રુદ્ધાર [ ૩૩ ] ૯. કળસ (દુહા ) સિદ્ધાચલ સ્તવન કરી, મન આનંદ ન માય; જે ભવિ ગાવે સાંભળે, તસ ઘર મંગળ થાય. ૧ ઢાળ નવમી (દેશી—એ છવ રંગ વધામણ પ્રભુ પાસને નામે) શ્રી સિદ્ધાચલ વર્ણવી, હેતે ગુણ ગાયા; વીર્યોશ્વાસ વચ્ચે ઘણે, નરભવ ફલ પાયા. (આંકણી) કિસનદાસ ભવિ શેઠ છે, મલ્લિકાપુરવાસી; ભૂખણદાસ સુપુત્ર છે, ભવિ ભક્તિ વિલાસી. શ્રી. ૧ તીર્થભકિત બહુલી કરી, થયા જે પુણ્યરાશી; તેહ તણા આગ્રહ કરી, રચના સુવિલાસી. શ્રી. ૨ છાયા ચિત્રપટ કરી, શત્રુંજય રચના; તેહ નિમિત્ત સ્તુતિ કરી, થઈ પૂનિત રસના. શ્રી. ૩ કષિગ્રહ અંકરાશી (૧૯૯૭ માંહે, એહ રચના કીધી; તીર્થ સ્તુતિ કરતા ભલી, મન શાંતિ સાધી. શ્રી. ૪ રંજન ભવિનું એ કરે, મન આનંદ લાવો; ભક્તિ ઝષભજિનની કરી, મુકિતસુખ પાવ. શ્રી. ૫ રૌત્રી કાર્તિકી પુનમે, પ્રભુ આગળ ગાવા; ભણતાં સુણતાં પુણ્યના, બહુ મળશે હાવા. શ્રી. ૬ જે ભણશે વા ભકિતથી, હેતે સાંભળશે; બાલમને સમતા વધી, તસ મુકિત મળશે. શ્રી. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪ ] નુતન ખમાસમણા તીર્થાધિરાજના એક્વીસ નામના ખમાસમણા. દેશી : સિદ્ધાચળ સમર સદા, સેરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદો વાર હજાર. શ્રી શત્રુંજય તીર્થમાં, આદીશ્વર ભગવાન; નમતા પુણ્ય વધે ઘણું, તેણે મુજ કોડ પ્રણામ. ૧ પુંડરીક મુગતે ગયા, પાંચ કોડ મુનિ સાથ; પુંડરીકગિરિને નમું, સ્વર્ગભુવન સાક્ષાત. ૨ સિદ્ધિ મળે આત્માતણે, શાસ્ત્ર વદે સાક્ષાત; સિદ્ધક્ષેત્ર તેથી થયું, નામ જગત પ્રખ્યાત. ૩ વિમલ શુદ્ધ સહુ થાય જ્યાં, પાપતણે નહીં લેશ; વિમલાચલ પ્રખ્યાત છે, નામ પ્રસિદ્ધ વિશેષ. ૪ સુરવર ઇદ્ર ને અસરા, પ્રભુભક્તિ કરે નિત્ય સુરગિરિ જાણે એહ છે, સુરવાસે છે સત્ય. ૫ મહામુનિ કેઈ પામીયા, પરમ મુક્તિને વાસ; મહાગિરિ તેથી થયું, નામ અપૂર્વ નિવાસ. ૬ પુણ્યનો રાશિ વધે જીહાં, પાપી હોય પુણ્યવંત; પુણ્યરાશિ તેથી કહે, સજજન સંત મહંત. ૭ મેક્ષશ્રી ઈહાં મેળવે, કેઈક સાધુ અનંત; શ્રીપદ તેથી નામ છે, જગમાં માન્ય મહંત. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ શત્રુજયદ્વાર [ ૩૫ ] ઇંદ્ર પ્રગટ કરે ભકિતને, નૃત્ય કરે બહુ ભાવ. ઇંદ્રપ્રકાશ છે તેહુથી, નામ પ્રસિદ્ધ પ્રભાવ. તારે મુનિજનવૃંદને, પાપીને પણ જેહ; મહાતીર્થં તેથી કહે, પ્રણમા મન ધરી નેહ. ૧૦ શાશ્વત છે. ત્રણ કાળમાં, તારક એ ગિરિરાજ; શાધૃતગિરિ તેથી કહે, બેાધિખીજ શિવરાજ, ૧૧ એહ ગિરિને સેવતાં, શકિત અમિત દૃઢ હાય; ઢશક્તિ તેથી કહે, તુલ્ય ન આવે કાય. ૧૨ મુકિતમા ખીજે નહીં, ગિરિસેવા વિષ્ણુ જે; મુક્તિનિલય તેથી કહે, ધામ મુક્તિનું તેહ. ૧૩ સુમતિ મળે સહુ જીવને, એ ગિરિવરમાં અનૂપ; પુષ્પદંત એ નામથી, જાણે સુરનર ભૂપ. ૧૪ પૃથ્વીમાં સુંદર ઘણેા, રજરજ પૂનિત જેહ; પૃથ્વીપીઠ જાણે સહુ, અવધારા ગુણગેહ. ૧૫ ભદ્ર સહુનું એ કરે, ગિરિવર સુંદર વાન; સુભક્ તેથી જાણવા, શાંતિ સુહંકર ભાણુ. ૧૬ ગિરિવર મહુ અવની વિષે, વિવિધ નામ પ્રખ્યાત; એ પર્વત કૈલાસગિર, મુક્તિનગરી સાક્ષાત. ૧૭ વિવિધ વૃક્ષ રાજી, ઇંડાં, ગધગુણે ભરપૂર; કદંબગિરિ કહે જેહને, કદંબ તરુ અકૂર. ૧૮ ઉજ્જવલ પ્રભુ ઉજવલ ગુણા, ઉજવલગિરિનાં શૃંગ; ઉજ્જવલરિ કહે તેહથી, સેવે વિજન ભંગ. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬ ] વિમલ ગુણેા પ્રગટે જીહાં, વિમલ સાધુ-મુનિ સંત; વિમલાચલ કહે તેથી, પૂજે પૂજ્ય મહંત. ઇહુ પર આકાંક્ષા સહુ, પૂર્ણ થાયે ઇણે ઠામ; સર્વ કામદાયકગિરિ, જગપ્રખ્યાત એ નામ. ૨૧ આશ પૂર્ણ માલેન્તુની, પ્રસર્યાં રગ રગ માદ; ગિરિવર ઘુણતાં આવીયા, આત્મશાંતિ પ્રમાદ ૨૨ નુતન ૨૦ શ્રી શત્રુ’જય પ્રશસ્તિ અથવા શ્રી શત્રુ ંજય પચ્ચીસી (શ્રી શત્રુંજયની સ્તુતિ મંદારમાલા જેવા દીવૃત્તિમાં કરી છે જે અતીવ શ્રવણમનેાહુર છે.) (મંદારમાલા વૃત્ત) શ્રી શારદા દેવી વીણા ધરી હસ્ત કાવ્યામૃતસ્યંદિની નંદિની, સ્ફૂર્તિ કવિની તથા કાવ્યવાણી કવિ વાણીથી વ તી હર્ષિણી; તારા નમી પાદપદ્મો સુભાવે સુસિદ્ધાચલ પ્રાથના ગાવતા, સ્ફૂર્તિ મને આપ ગાવા ગિરિરાજ વાણીથકી ભક્તિને ભાવતા. ૧ શત્રુ જયાઢે તને ભકિતભાવે સ્તવું કાવ્યખડે ઘણા ભાવથી, તુ ભારતે દેશ સૌરાષ્ટ્રમાંહે ખરા શાશ્વતો છે ત્રણે કાળથી; તીથ કરો સિદ્ધ શુદ્ધાત્મદેવ ઋષિશ્રેષ્ઠ આવ્યાં ઇંડાં ભાવથી, પામ્યા ઘણા આત્મસિદ્ધિ મુનિ કેઇ મુક્તિ વર્યાં ભાખિયા શાસ્ત્રથી. પ્રત્યેક રેણુ ખરી પૂનિતા છે અનંતા થયા સિદ્ધ તારા શિરે, તુ રાજવી પવ તોનો ખરા તાહરા જે ગુણા ચિત્ત સોનું રે; માટે તને ભેટવાને ઘણા આય દાંડી જતા નિત્ય દિસે નવા, મદ્રાસ ને ખંગ પંજાબથી ગુજરા ને મહારાષ્ટ્રથી આવિયા. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ શત્રુજયદ્વાર [ ૩૭ ] આકાશમાં સ્વગ ભૂમિ ભલા દેવતા આવતા ભાવતા ગુંજના, ધારી ઘણા દિવ્ય શૃ ંગાર નારી ધરી હાથ ભૃંગાર વારિતણાં; દોડે પ્રભુ દશ થાવા સુવેગે ભર્યાં થાળ ફૂલે ફળે અપવા, વાજે ઘણા વાદ્ય ગાજે દિશાએ ન લાજે પ્રભુભકિતને ગુજવા. ૪ પૃથ્વી વિષે ભવ્ય હિમાદ્રિ તેવા ભલે હાય સહ્યાદ્રિ વિધ્યાદ્રિ તે, તુંગાદ્રિ મેટા ઊભા સ્થૂલ દેહે ઘણા લાકમાં જાણુ છે દુગ તે; તેના શિરે હિમ વૃક્ષાદિ સંપત્તિ વારી સમૂહેા ઘણા ભવ્ય છે, તીર્થેશ શત્રુંજયાદ્રિતણા તુલ્ય આવે ન કોઈ જગે દિવ્ય જે. ૫ વારિપ્રપાતા તુષારે મણિતુલ્ય વર્ષાઋતુ હાર માતીતા, શાભે ચમત્કાર વૃક્ષેા ઘણા નીલ રાતા પીળા રંગ પર્થાતા; ખાણા દિસે ઇંદ્રના ભવ્ય સારા ગિરીન્દ્રે રહ્યા ઇંદ્રભકિતતણા, જે ભવ્ય ભક્તિ ધરી ચિત્તમાંહે ભજે તેડુ સિધ્ધિ વરે વેગમાં, ૬ વર્ષે ઘણી ગર્જના જયજયાનંદ નાચે શચીંદ્રાદિ વર્ષાઋતુ, ભક્તિથકી તે પખાળે ગિરિરાજ શુદ્ધોદકે હર્ષોંથી ગર્જતુ; વાતામ્બુ સોગંધ અપે પ્રભુપાદ-પદ્મ સહર્ષ તિહાં દેવતા, દૂરે કરે જે અસૂચી હરે શુદ્ધતાને સમયે કરી સ્વચ્છતા. ૭ વૃક્ષા ઘણા રાજિ વેલીતણી કુંજ ગંભીર સૌગંધ વ્યિોષધિ, ટાળે ગઢો માનવાના હરી દુઃખ દારિદ્રય આપે સદા શુદ્ધ ધી; એવા ગિરિને નમેા ભકિતભાવે રે કલેશ જે ભન્ય પ્રાણીતા, તાર્યાં મુનિ કેઇ ભકતે પ્રભુના ઇહાં મુક્તિ પામ્યા કરી પ્રાથના. ૮ જ્યાં કેઇ તપસ્વી ઋષિ ચાગ સાથે ગુફામાં પ્રભુ નામના ધ્યાનમાં, ભૂલી ગયા સ` સંસારને આત્મની ચિ'તનામાં ગયા મુક્તિમાં; જેને નહીં અન્નની વા તૃષાની પ્રભુભક્તિથી શ્રેષ્ઠ તે કલ્પના, જે છે સદાકાળ આત્માતણી ચિંતનામાં ન જેને દુજી જલ્પના, હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ [૩૮] નૂતન મંદારમાલા શશીકંઠ ઉત્કંઠ ધારી અલંકાર દિવ્યાંગના, સાનંદ શૃંગાર સોળે સજી નૃત્ય શત્રુંજયાદ્રિ વિષે વંદના; તાલી દિયે તાલને ભક્તિના ગાન દેવાંગના ગાય છે શાંતિના, કરે નૃત્ય સેવા સમયેં હરી કલેશ હેતુ ધરી મુકિતના. ૧૦ પ્રેમે નમું પાદ શત્રુંજયા! કરી દૂર શત્રુ સહુ આત્મના, તારા પદે દુઃખ દારિદ્રય જાયે સહુ ભવ્યના જન્મ કેટતણા; વંદું તને ભક્તિભાવે ગિરિરાજ થાએ ન કઈ થકી તુલ્યતા, ગાવે ફર્શદ્રો સ્વજિલ્લા સહસે ન ગાઈ શકે તાહરી ભવ્યતા. ૧૧ માનાદ્રિ તુંગાદ્રિ તેવા બલાદ્રિ ભલા નીલ આદિ ઘણા લોકમાં, ધારે શિરે શીત વાયુ સુધાતુલ્ય પાણતણું સંગ્રહ ડેકમાં; તારા વિના આત્મશાંતિ ન કેઈ સમર્પો હરી શત્રુઓ આત્મના, તે ધારિયા છે શિરે આદિ તીર્થકરે તેને હું કરું વંદના. ૧૨ઊંચા તથા નિમ્ન માર્ગો ગિરિરાજ જાતા ઘણા કે પ્રસ્વેદના, વાય હરે દુઃખ ગંધે ભર્યો શાંતિ આપે હરી પગલી વેદના; તેવે સમે સ્કૂર્તિ જાગે મને દોષ ટાળે હરે શત્રુ જે આત્મના, જાગે પ્રભુભકિત આનંદ ઊર્મિ ઘણું થાય છે જે પ્રભુ વંદના. ૧૩ આવ્યા અનંતા મુનિના સમૂહો કર્યા સ્પર્શ સર્વે અણુણુમાં, તેથી નિપાયા પ્રભુ ભાવનાના અસંખ્યાત મેઘ ગિરિરાજમાં; આવે ઈહાં ભવ્ય પ્રાણી અને પાપકારી સહુ શુદ્ધ થાએ ઘણા, માટે નમે નિત્ય સિદ્ધાદ્રિને ભાવ ધારી પ્રભુ આદિ દેવેંદ્રના. ૧૪ તીર્થકર કે ચોવીશીના એહ તીર્થેશમાં આવિયા ભાવથી, આચાર્યદેવે મુનિ ને તપસ્વીત| સુપ્રવાહો વહ્યા હેતુથી; આવ્યા ઘણા સંઘ ધર્માતણ સંઘભક્તિ ધરી અંગ સિદ્ધાચલે, તેથી ઘણે રંગ મુક્તિતણો સંગ પાપિત ભંગ થાએ ભલે. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ શત્રુ જદ્ધાર [ ૩૯ ] મોટી પ્રવૃત્તિ ધરી શુદ્ધ વૃત્તિ કરી પ્રાપ્ત સંપત્તિ કેઈ શ્રાવક, અપ પ્રભુ–પાદપો નમી શુદ્ધભાવે વિરાગી થઈ ભાવકે; અાવધિ રીપ્ય મુદ્રા સમપ કર્યા તીર્થપ્રાસાદ તીર્થેશમાં, આકાશથી જેહ સ્પર્ધા કરે ઈંદ્રમાની કહે તેહ સ્વર્ગો સમા. ૧૬ પૂનીત જે સાધુ ભક્તિથકી થાય વૈરાગ્યની સાત્વિક ભાવના, તે થાય સિદધાચલે જે અનાયાસ મોટી તપસ્યાથકી પાવના; સેવે ધરી ભકિત શત્રુંજય તીર્થ પૂજા કરે જેહ શુદ્ધાતમા, તે સચ્ચિદાનંદરૂપે રહે મેક્ષ પામી વરે શાંતિ આનંદમાં. ૧૭ વાયુ હારે મંદ સૌગંધ ગંભીર રેણુ પ્રભુ અંગથી શાંતિમાં, અર્પે પ્રભુસ્નાન માટે સુગંધી સુધા તુલ્ય પાણી ધરી પાત્રમાં; એવી કરે ઇંદ્રસેવા પ્રભુની સુવેલી કરે હાર પુપતણા, દિવ્યષધિ ગંધ કસ્તૂરિકા ચંદનથી ઘણું ત્યાં કરે પૂજના. ૧૮ શ્રી શારદા દિવ્ય ઝંકાર ગંભીર વીણુ બજાવી કરે પ્રાર્થના, થાયે સહુ મુગ્ધ તે સાંભળી મંજુવાણી ઝણત્કાર દેવાંગના; કાવ્ય તિહાં હસ્ત જેડી ઊભા જે અલંકાર શબ્દતણા ધારતા, અર્થો ભર્યા ગૂઢ જેના વિષે હોય તાત્પર્ય પાપીઘને વારતા. ૧૯ છે ઘણા કાવ્ય બંધે સુવૃત્ત મનોહારી નિબંધ શાસ્ત્રોક્ત જે, પદ્યો અવદ્યો સ્તુતિ નાદબદ્ધ કરે પ્રાર્થના મુગ્ધ ભક્તોક્ત તે; ધારી અલંકાર શબ્દાર્થ ઝંકાર સંસ્કાર ભેળી ચમત્કારને, આદિપ્રભુ ભક્તિની પ્રેરણાથી હરે ચિત્તવૃત્તિ વિસંવાદને. ૨૦ ચાલ્યા મુનિ કેઈ સાવીત સંઘ ગાવે મુખે દિવ્ય સુપ્રાર્થના, નાલીતણું પુત્ર આદિ પ્રભુના સ્મરી ગાન આનંદ અભ્યર્થના માતા મરુદેવીના પુત્રને વંદીને ભાવથી જન્મ સાફલ્યતા, માને ઘણું હર્ષથી સ્તોત્ર ગાતા ચઢે સિદ્ધક્ષેત્રે ફળે દિવ્યતા. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ [૪૦ ] નૂતન બાળે ચઢે આવી આનંદમાં બોલતા જય જયાનંદ ઉચ્ચારતા; નાચે ધરી ભાવ દાદાતણ દર્શ આજે થશે શબ્દ જે બોલતા; નારી ચઢે ભાવ ધારી સહુ વારી સંસાર માયા હરી ચિત્તથી, સારી મતિ ધારી હાથે લઈ વારી પ્રક્ષાલતી દેવ અંગો છતી. રર કસ્તુરિકા કેશર મિશ્રિતા ચંદનાદિ સુગંધે ભરી વાટિકા, અપ નવાગે ધરી ભાવ અંગે ઘણું સુપ્રસંગે પ્રભુ પૂજિકા; માળા સુગંધી ફલેની ઘણા વર્ણ આનંદ ને ભાવને વર્ષ તી, અર્થી પ્રભુકંઠમાં શોભતી સુંદર ભવ્ય ભાવઘને અર્પતી. ૨૩ ધૂમાચિતા જેહગંધને સર્વ દિભાગને ગંધ અર્પે ઘણ, આરાત્રિકાત આત્માતણ આપતી દર્શ જે દિવ્ય આત્માતણા; ઉતારતા ભવ્ય ભાવે વદે ગીત આદિપ્રભુના ઘણી ભાવના, એવી રીતે ચિત્ય વંદી સુભાબને લીન પુઘ જે આત્મના. ૨૪ એ ભક્તિની પુષ્પમાલા વિશાલા ઘણા વર્ણ એમાં સુગંધભર્યા, ગૂંથી પ્રભુભક્તિનાં તાનમાં ભાન ભૂલી સ્વશક્તિ વિના સાંભળ્યા; તે મદને ભક્તિના હેતુ જે થજે ભાવિકને સદા સૈાખ્યદા, સેવા યુગાદિ પ્રભુની ફળે બાલને આત્મશાંતિ થજો સર્વદા. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ શત્રુ જદ્વાર [ ૪૧ ] તીર્થાધિરાજ શત્રુ જ્યનું સંક્ષિપ્ત વર્ણન મોટા શહેરમાં ચારે બાજુ મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓથી ઘેરાયેલા મંદિરો જોઈએ તેટલી શાંતિ આપી શકતા નથી અને ભાવિકોને પરમાત્મા પ્રત્યેને ભક્તિભાવ જોઈએ તેટલે ઉલ્લાસ પામી શક્તા નથી તેથી ઉન્નત ગિરિશંગો કે પર્વત પર મદિર બંધાવવામાં આવેલ છે. મનુષ્ય સંસારની કે દ્રવ્યપાર્જનની વિવિધ ઉપાધીઓથી મુક્ત થઈ છેડા દિવસે તીર્થસ્થાનમાં, ધર્મ ગ્રંથોમાં બતાવેલ હોય તેવા શુદ્ધ વ્યવહારથી, પિતાના ઈષ્ટદેવની બની શકે તેટલી ભક્ત કરવા ઈચ્છા રાખે છે. જેને એ જે જે સ્થળને તીર્થો તરીકે સ્વીકારેલ છે તે તે સ્થળે જૈન ધર્મના તીર્થકરોના જીવનપ્રસંગે સાથે થોડેઘણે સંબંધ ધરાવતા હોય છે શ્રી શત્રુંજય પર પ્રથમ તીર્થકર આદીશ્વર ભગવાન પૂર્વ નવાણું વખત આવેલ છે. શ્રી ગિરનાર પર ભગવાન નેમિનાથના ત્રણ કલ્યાણક થયેલા છે. સમેતશિખર પર વીશ તીર્થકરે મોક્ષપદને પામેલ છે. કુદરતી સૌદયના ધામરૂપ પાવાપુરી શ્રી મહાવીરસ્વામીની નિર્વાણભૂમિ છે. આબૂ અને રાણકપુર સુંદર શિલ્પ માટે પ્રખ્યાત છે જ્યારે તારંગાજીનું મંદિર સુંદર બાંધણી માટે પ્રખ્યાત છે. જેનોના દષ્ટિબિંદુ પ્રમાણે તીર્થ એટલે સંસારથી મુક્ત કરે–તારે તે જેને દેહદમન પર વધુ પડતો ભાર મૂકે છે, તેથી જૈનેએ ઘણું કરીને પર્વતને તીર્થસ્થાન તરીકે પસંદ કરેલ છે. આત્મશુદ્ધિ માટે અને પરમાત્માની ભક્તિને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨ ] નૂતન મનને નિર્મળ અને સ્થિર કરવાની જરૂર છે. વળી મનની નિર્મળતા અને સ્થિરતા દેહદમન વિના પ્રાપ્ત થઈ શકતી નથી, પર્વત પર યાત્રા કરવાથી અમુક પ્રકારની એટલે ખાવાપીવા વગેરે અગવડો સડન કરવી પડે છે તેથી મનને નિર્મળતા અને સ્થિરતા પ્રાપ્ત થઇ શકે છે. વળી પત પરના તી સ્થાનાની યાત્રા કરવાથી આત્મશાંતિ મળે છે કારણ કે પવત પરના મ ંદિરેામાં દન, સેવાપૂજા અને જપ વગેરે ક્રિયાએ કરતાં મનુષ્ય આધિ, વ્યાધિ અને ઉપાધીઓને ભૂલી જાય છે. વળી કુદરતી રમણીયતાને લીધે તીસ્થાને મનને આહલાદક પણ લાગે છે. પ્રપુલ્લ મન સેવાભક્તિમાં વિશેષ આસક્ત બને છે. શ્રી શત્રુ જયની યાત્રા કરીને યાત્રિકેાના મનમાં જે અવણૅનીય આનંદ ઉત્પન્ન થાય છે તેવે। આનંદ બીજા તીર્થીની યાત્રા કરવાથી થતા નથી. શ્રી શત્રુંજય પર અનેક મંદિરે હાવાથી તેને “મદિરનું નગર્” પણ કહેવામાં આવે છે. શ્રી શત્રુંજય જેવી પવિત્ર અને પાવનકારી ભૂમિમાં યાત્રિકાના પૂર્વનાં દુષ્ટ કર્મના ક્ષય થવાથી તેમના આત્મામાં દિવ્ય પ્રકાશ પ્રકટે છે. કહ્યું છે કેઃ અકેકુ' ડગલુ` ભરે, ગિરિસન્મુખ ઉજમાળ, કોડી સહસ ભત્રના કર્યા, પાપ ખપે તત્કાળ, શ્રી શત્રુંજય તીર્થ પર અનેક તીથ કરા આવી ગયા છે તેથી શત્રુ ંજય તીર્થં પવિત્ર અને પાવનકારી મનાય છે. તી પર અસંખ્ય મુનિવરા સિદ્ધિપદને પામ્યા છે તેથી તેને “સિદ્ધાચળ” પણ કહેવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ શત્રુ યાદ્વાર [ ૪૩ ] આ પંચમકાળમાં શ્રી શત્રુ ંજયનું પવિત્ર વાતાવરણ યાત્રાળુઓને જ્યારે તેએ મદિરાની અંદર રહેલી મૂર્તિઓના દર્શન કરતાં હાય છે ત્યારે એક બીજી અલૌકિક દુનિયામાં વિહરતાં હાય તેવા ભાસ કરાવે છે. ર અદ્ભૂત જૈન કથા તર’ગવતી”ના વિદ્વાન કર્યાં અને યુગપ્રધાન શ્રી. પાદલિપ્તસૂરિનું નામસ્મરણુ કાયમ રાખવા માટે તેમના વિદ્વાન શિષ્ય નાગાર્જુને શત્રુંજયની તળેટીમાં “ પાદલિસ” નામે નગર વસાવ્યુ હતું અને તે પાદલિસનગર આજનું પાલીતાણા છે. રેલ્વે રસ્તે શિાર જકશનથી પાલીતાણા જવાય છે થાડે દૂર જતાં ગિરિરાજના દર્શન થાય છે ત્યારે યાત્રાળુઓના હૃદયા આનંદથી નાચી ઉઠે છે અને તેમના હૃદયમાંથી નીચેના ઉદ્ગારા એકાએક નીકળી જાય છે. સિદ્ધાચળગિરિ ભેટ્યા રે, ધનમાગ્ય હમારા એ ગિરિવરના મહિમા માટે, કહેતાં ન આવે પાર; રાયણ ઋષભ સમાસર્યા સ્વામી, પૂ નવાણું વારા રે. ધનભાગ્ય હમારા. શ્રી શત્રુંજય જેમ મદિરાનું નગર કહેવાય છે તેમ પાલીતાણા ધમ શાળાઓનું નગર કહેવાય છે. શહેરના મુખ્ય દેરાસરા મે!ઢુ દેરાસરઃ—શહેરના મધ્યભાગમાં શેઠ આણુ દજી કયાણજીની પેઢી પાસે આ રમણિય મંદિર આવેલ છે. આ મંદિરમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪ ] નૂતન ગોડીજીનું મંદિર –શહેરના ચોકમાં આ દેરાસર આવેલું છે. મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની અલોકિક અને સુંદર મૂર્તિ છે. નરશી કેશવજીનું દેરાસર –શેઠ નરશી કેશવજીની ધર્મશાળામાં ચૌમુખજીનું ભવ્ય મંદિર છે. " શ્રી નરશી નાથાનું દેરાસર:–શેઠ નરશી નાથાની ધર્મ શાળામાં આ દેરાસર છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્રભુજી છે. મહાવીર સ્વામીનું દેરાસર:-શ્રી વીરબાઈ પાઠશાળાના અંદરના ભાગમાં આ દેરાસર છે. મેતી સુખીયાનું દેરાસર:–મેતી સુખીયાની ધર્મશાળામાં આ દેરાસર છે. કંકબાઈનું દેરાસર -કંકુબાઈની ધર્મશાળામાં મેડી પર ઘર દેરાસર છે. જશકુંવરનું દેરાસર –જશકુંવરની ધર્મશાળામાં અંદરના ભાગમાં આ દેસસર છે. માધવલાલ બાબુનું દેરાસર:-માધવલાલ બાબુની ધર્મશાળામાં આ દેરાસર છે. મૂળનાયક તરીકે શ્રી સુમતિનાથ (સાચા દેવ) છે. પંજાબી ધર્મશાળામાં એક દેરાસર છે. મા જૈન બાલાશ્રમમાં એક દેરાસર છે. તળેટી નજીક જૈન સોસાયટીમાં રમણિય કાચનું શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સુંદર દેરાસર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ શત્રુદ્ધાર [૪૫] તળેટીમાં આગમમંદિર નામનું ભવ્ય દેરાસર છે. સુંદર ચૌમુખજીની પ્રતિમા છે. મંદિરના વિશાળ ચોકની ફરતી દીવાલોમાં આગ આરસની શિલામાં કેતરીને, કાચથી મઢાવીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. વચ્ચે ચૌમુખ પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આગામે દ્ધારક સ્વ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ આ ભવ્ય મંદિરને રમણીય, આકર્ષક અને સ્વચ્છ-સુંદર બનાવવા ભગીરથ પુરુષાર્થ કર્યો છે. શ્રી શત્રુંજયના ઐતિહાસિક ઉદ્ધારે તેરમે ઉદ્ધાર મહવાના જાવડશાએ વિ. સં. ૧૦૮ માં કર્યો હતે. એવી કવાયકા છે કે કોઈ ગીરાજે જાવડશાને શત્રુંજયના ઉદ્ધાર માટે પ્રેરણા કરી હતી. પ્રભાવક શ્રી વાસ્વામીના વરદ હસ્તે જાવડશાએ આદીશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરી હતી. પતિ પત્ની જ્યારે દવજદંડ ચઢાવવા પ્રાસાદના શિખર પર ચડ્યા ત્યાં જ પરમાત્માની સ્તુતિ કરતાં કરતાં મૃત્યુ પામ્યા હતા. ચૌદમે ઉદ્ધાર કુમારપાળ રાજાના સમયમાં સં. ૧૨૧૧ માં બાહડ મંત્રીએ કર્યો હતે. બાહડ મંત્રીના ઉદ્ધારને ટૂંક પરિચય એક વાર ઉદયન મંત્રી શ્રી સિદ્ધાચળની યાત્રાએ આવ્યા. ચૈત્યવંદન સમયે તેમણે મુખ્ય મંદિરને જીર્ણ થયેલું જોયું તેથી તેમણે મનથી તીર્થનો ઉદ્ધાર કરવાનો નિશ્ચય કર્યો, પણ પિતાના જીવન દરમ્યાન તે નિશ્ચયને અમલમાં મૂકી શક્યા નહિ. સંગ્રામમાં મૃત્યુ સમયે તેમણે પોતાના પુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ [ ૪૬ ] નૂતન બાહડને મંદિરનો ઉદ્ધાર કરવાનો પિતાને મનસૂબે જણ. બાહડે પિતાના પિતાની ઈરછાનુસાર તીર્થનો ઉદ્ધાર કરવાની તૈયારી કરી. બે વર્ષમાં મંદિર તૈયાર થયું પણ એકાએક સમાચાર આવ્યા કે મંદિરમાં તડ પડી છે. તરતજ બાહડ મંત્રી શત્રુંજય પર આવ્યા અને મદિરમાં તડ પડવાનું કારણ કારીગરને પૂછ્યું. તેઓએ જણાવ્યું કે મંદિરની અંદર પ્રદક્ષિણાને માટે જવા આવવાને જે માગે છે તેમાં હવાના ઝાપટા લાગવાથી મધ્ય ભાગમાં ફટ પડી છે. વળી શિલ્પશાસ્ત્ર પ્રમાણે પ્રદક્ષિણને માગ રાખવામાં ન આવે તે મંદિરના નિર્માતાને સંતતિ થાય નહિ એવું વિધાન છે. તરતજ મંત્રીશ્રીએ કહ્યું –ભલે, મને સંતતિ ન થાય પણ મંદિરમાં ફાટ પડવી જોઈએ નહિ. મંત્રીશ્રીના તીર્થ પ્રેમને માટે તેમને હજારો વંદન હશે ! સં. ૧૨૧૧ માં કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના હસ્તે તેમણે મુખ્ય જૈન મંદિરને ઉદ્ધાર કર્યો અને જાવડશાના સમયના પ્રતિમાજીને મુખ્ય મંદિરમાં વિરાજમાન કર્યા. ત્યાર પછી મુસલમાનોના અત્યાચારને લીધે મુખ્ય દેરાસરને નુકસાન થતાં અને પ્રતિમાજી ખંડિત થતાં સમરાશાએ સં. ૧૩૭૧ માં નવું મંદિર કરાવ્યું અને નવાં પ્રતિમાજી પધરાવ્યા અને છેવટે સં. ૧૫૮૭ માં વૈશાખ વદી છઠના દિવસે મેવાડનિવાસી કરમાશા શેઠે ગિરિરાજ પર નવું ભવ્ય મંદિર બંધાવી નવા પ્રતિમાજીને પધરાવ્યા છે, જે આજે વિદ્યમાન છે. મળનાયકની સામે શ્રી પુંડરીકસ્વામીજીના સુંદર પ્રતિમાજીને પણ કરમાશાએ સં. ૧૫૮૭ની સાલમાં પધરાવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ શત્રુદ્ધાર [૪૭] નવા આદેશ્વર ભગવાનના પ્રતિમાજીની વિકમના ૧૯ મા સૈકામાં સુરત નિવાસી તારાચંદ સંઘવીએ વસ્તુપાલ તેજપાળના મંદિરમાં પ્રતિષ્ઠા કરેલ છે, કારણ કે આ પ્રતિમાજીને જૂની દાદાની પ્રતિમાજીને સ્થાને પધરાવવા જતાં અંદરથી “મા મા” એ દવનિ થયે હતો. શ્રી શત્રુંજયની પાગ પાગ એટલે પગે ચાલીને શ્રી શત્રુંજય તીર્થ પર જવાને માર્ગ. મુખ્ય પાગઃ—જય તળાટીથી શરૂ થતાં રસ્તાને મુખ્ય પાગ કહેવામાં આવે છે. શેત્રુંજી નદીની પાગ –તળેટીના રસ્તા પર શ્રી કલ્યાણવિમળની દેરીની પડખેના રસ્તે થઈ બે ગાઉ દૂર શેત્રુજી નદી આવે છે, તેમાં સ્નાન કરીને આ રસ્તે શત્રુંજય પર ચઢાય છે. ઘેટીની પાગ –કંતાસરના મેદાનની પાસે નવ ટૂંકના રસ્તે જતાં આ રસ્તે આવે છે. નીચે ઉતરતાં એક મંદિર આવે છે, તેને ઘેટીની પાગનું મંદિર કહે છે. ફાગણ સુદ ૮ ને દિવસે યાત્રાળુઓ ખાસ કરીને ઘેટીની પાગના નીચેના મંદિરના દર્શન કરવા જાય છે, કેમકે ભગવાન આદીશ્વર ભગવાન આ રસ્તેથી પૂર્વ નવાણું કોડ વાર શ્રી શત્રુંજય પર ચઢયા હતા. બે યાત્રા કરવાના ઈરછુક યાત્રાળુઓ દાદાના દર્શન કરી આ પાગની યાત્રા કરે છે. ધનવસીની ટૂંક --(બાબુનું દેરું ) આ ટૂંકમાં મુખ્ય મંદિરમાં શ્રી આદીશ્વર ભગવાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ [૪૮] નૂતન ભવ્ય પ્રતિમા છે. ટૂંકની પાસે હાલમાં નવીન જલમંદિર બનાવવામાં આવેલ છે. તેમાં શ્રી મહાવીર પરમાત્માની પ્રતિમા છે. બાબુના દેરાસરમાંથી બહાર નીકળતાં પર્વત પરનું ચઢાણ શરૂ થાય છે. અમુક પગથી આ ચડતાં પહેલો હડે. આવે છે. અહીંથી સપાટ રસ્તે આવે છે અને તેને છેડે પહેલે કુંડ આવે છે. છેડા પગથિયાં ચડ્યા પછી બીજે હડે (વિસામે) આવે છે. પાસે “કુમાર કુંડ” આવેલે છે. ત્યાંથી આગળ ચડતાં હીંગલાજને હડે આવે છે. ત્યાં હીંગલાજ માતાજી પાસે બેઠેલા બારોટને નીચે પ્રમાણે દુહા થોડે દૂરથી સંભળાય છે – હીંગળાજને હડો, કડે હાથ દઈ ચડ; ફૂટ્યો પાપને ઘડે, બાંધ્યે પુન્યને પડે. અહીંથી આગળ ચડતાં નાને માનડીઓ આવે છે. ત્યાંથી આગળ ચડતાં માટે માન મેડીએ આવે છે. અહીંથી થોડે જ દૂર છાલાકુંડ આવે છે. અહીં પવનની શીતલ લહેરખીઓ આવતી હોવાથી યાત્રાળુઓને વિશ્રામ લેવાનું મન થાય છે. અહીંથી પશ્ચિમ તરફ “જિતેંદ્ર ટુંક” તરફ જવાય છે. ત્યાંથી સપાટ ભૂમિ પર ચાલતાં ચાતરા પર દેરી આવે છે. આ દેરીમાં દ્રાવિડ, વારિખિલ્લ, અઈમુત્તો અને નારદજીની ચાર મૂર્તિઓ કાઉસ્સગ ધ્યાનથી ઉભેલી છે. કાર્તિકી પુનમને મહિમા આ દેરીને લીધે છે. આગળ જતાં ચે અને પાંચમો કુંડ આવે છે. આગળ જતાં હનુમાન ધાર આવે છે. આ સ્થાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજયોદ્ધાર [ ૪૯ ] વિશ્રાંતિ માટે સુંદર છે. અહીંથી બે રસ્તા જાય છે. એક રસ્તે નવ ટુંકમાં જવાય છે અને બીજે રસ્તે દાદાની ટુંકમાં જવાય છે. દાદાની ટુંકના રસ્તેથી પવિત્ર શેત્રુંજી નદી દેખાય છે. આ રસ્તે આગળ વધતાં એક ભેખડમાં જાલી, મયાલી અને ઉયાલી એમ ત્રણ મૂર્તિઓ કોતરી કાઢેલ છે. ડે આગળ જતાં રામપાળ આવે છે. અહીં યાત્રાળુઓ પાસેથી લાકડી, છત્રી, મેજા વગેરે વસ્તુઓ લઈ લેવામાં આવે છે. પોળની અંદરના ભાગને “દેલા ખાડી” કહે છે. તેમાં સગાળકુંડ આવેલ છે. ત્યાંથી વાઘણ પિળમાં (વિમલવસહીમાં) જવાય છે. વિમલવસહીમાં દાખલ થતાં ડાબા હાથ પર મુખ્ય મંદિરે નીચે પ્રમાણે છે. (૧) શ્રી શાંતિનાથજીનું મંદિર, (૨) ચક્રેશ્વરી દેવી. મૂર્તિ રમણીય અને ચમત્કારી છે. શેઠ કરમાશાએ સં. ૧૫૮૭ માં શત્રુંજયના અધિષ્ઠાત્રી દેવી શ્રી ચકેશ્વરી દેવીની સ્થાપના કરેલ છે. - (૩) નેમનાથની ચોરી (કળામય મંદિર.) આ મંદિર વિમલશાહ મંત્રીએ બંધાવેલું હોય તેમ લાગે છે. મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ છે. બાજુના મંદિરના ઘુમ્મટમાં શ્રી નેમિનાથના જીવનપ્રસંગેના વિવિધ દે છે. (જી સહસકણું પાર્શ્વનાથનું મંદિર. (પ) ગતશેઠનું મંદિર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ [40] (૬) કુમારપાળનું મંદિર. જમણા હાથ તરફ્ના મુખ્ય મંદિર:(૧) અમીઝરા પાર્શ્વનાથનું મંદિર. (૨) સમવસરણનું દેરાસર. (૩) કપડવંજવાળા માણેકબાઇનું દેરાસર. નુતન કુમારપાળ મહારાજાના મંદિર સામે વૃક્ષ નીચે એક પાળીયેા છે, તે પાલીતાણાના ભાવસાર જુવાન વિક્રમશીના છે. તેણે શ્રી શત્રુંજય પર રહેતા અને યાત્રાળુઓને હેરાન કરતા એક વાઘને મારવામાં પેાતાના દેહનુ' અલિદાન આપેલ છે. વિક્રમશીના વૃત્તાંત જુવાન વિક્રમશી ભાઈ અને ભાભી સાથે રહેતા હતા અને કપડાં રંગવાનુ કામ કરતા હતા. એક વખત તેને અતિશય ભૂખ લાગી તેથી રસોડામાં ગયા પણ રસાઇ થવાને ઘેાડીવાર હતી તેથી ભાભી પર ખીજાઇ ગયા. તે વખતે ભાભીએ રાષમાં નીચે પ્રમાણે મેણું માર્યું. બૈરી પર શૂર શું બતાવા છે. ખરા હેા તેા શત્રુ જય પરના વાઘને મારા ને. ભાભીનું મેણું સાંભળતાં વીર વિક્રમશીને હાડાહાડ રાષ વ્યાપી ગયા. ઘરમાં ખીજું હથિયાર નહિ હાવાથી માત્ર ધેાકેા લઇ વાઘને પરાજિત કરવા ઘરની બહાર નીકળ્યે. દૃઢતા અને નિર્ભયતાથી તે શત્રુજય ચઢ્યો અને ઝાડ નીચે રહેલા વાઘને એવા જોરથી ધેાકેા માર્યાં કે તે વાઘ તમ્મર ખાઈ ગયા. પછી તે બંને વચ્ચે દ્વંદ્વયુદ્ધ જામ્યું. વિક્રમશીના રક્ષણ માટે માત્ર ધેાકેા જ હતા. જ્યારે વાઘના વિકરાળ પંજા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ શત્રુદ્ધાર [ ૫૧ ] મેતની નિશાની દર્શાવી રહ્યા હતા, છતાં વીર વિકમશીએ વાઘને ધોકાવડે ખરો કરી નાખ્યો. રોષે ભરાએલા વાઘે વિકમશી ઉપર જીવલેણ હુમલે કર્યો. બંને જણ બેભાન થયા અને મૃત્યુ પામતાં પહેલાં સંકેત પ્રમાણે વિક્રમશીએ જોરથી ઘંટ વગાડ્યો, એટલે વાઘણપોળ પાસે રહેલા લોકોએ જાણ્યું કે વાઘ મરાય છે. આ રીતે વીર વિકમશીએ યાત્રાને માર્ગ ખુલ્લે કર્યો. સૂર્યકુંડને પ્રભાવ સૂર્યકુંડ–હાથીપળની બાજુમાં એક લાંબી નળીમાં થઈને સૂર્યકુંડ પાસે જવાય છે. આભાપુરના રાજા વીરસેનને ચંદ્રકુમાર નામને પુત્ર હિતે પણ અપર માતા વીરમતીએ શ્રેષથી તેને કુકડે બનાવી દીધો. ચંદ્રકુમાર (કુકડાના રૂપમાં) પિતાની બીજી પત્ની સાથે શ્રી શત્રુંજયની યાત્રા કરવા આવે છે, કુકડાને એકાએક પૂર્વ જન્મ યાદ આવ્યું તેથી તે સૂર્ય કુંડમાં પડ્યો. તે વખતે તેને ડૂબતા બચાવવા માટે તેની પત્ની પ્રેમલાલરછી પણ કુંડમાં પડી. કુકડાને પકડવા જતાં અપર માતાએ બાંધેલ દરે હાથમાં આવતાં તે અચાનક તૂટી ગયે અને અજાયબી વચ્ચે કુકડે ફરી વાર ચંદ્રકુમાર સ્વરૂપે પ્રગટ થયે. આ બનાવથી સૂર્યકુંડને મહિમા ખૂબ વિસ્તર્યો. * શ્રી આદીશ્વર(દાદા)ની ટુંક. મુખ્ય મંદિરને ત્રણ પ્રદક્ષિણા દેવાથી નાના મોટાં બધાં મંદિરના અને દેરીઓની પ્રતિમાના દર્શન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ [ પર ] નૂતન (૧) સહસકૂટનું મંદિર. (૨) રાયણ પગલાં. (૩) સીમંધર સ્વામીનું મંદિર. આ મંદિરમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. (૫) મેરુ શિખર. (૬) સમેતશિખરનું મંદિર, (૭) પાંચ ભાયાનું મંદિર. (૮) બાજરીયાનું મંદિર. (૯) વીશ વિહરમાનનું મંદિર. (૧૦) અષ્ટાપદજીનું મંદિર. (૧૧) ગંધારીયાનું મંદિર. (૧૨) પુંડરીકસ્વામીનું મંદિર. દાદાના દર્શન કરતાં હદય નાચી ઉઠે છે. જગતના ત્રિવિધ દુઃખ ભૂલી જવાય છે. વળી સ્વાભાવિક સહજ આનંદ ઉત્પન્ન થાય છે કે જેથી જિનાલયની બહાર નીકળવાનું મન થતું નથી. વળી દાદાની મૂર્તિ સામે નજર રાખી એકી ટસે દર્શનામૃતનું પાન કરવાનું મન થાય છે. દાદાના દર્શન કરતી વખતે નીચેના ઉદ્દગા યાત્રિકોના હૃદયમાંથી એકાએક પ્રગટી નીકળે છે – સમકિતદ્વાર ગભારે પસતાજી, પાપ-પઠલ ગયાં દૂર રે, મેહન મરૂદેવીને લાડલેજ, દીઠો મીઠો આનંદપૂર રે. સમકિતદ્વાર ગભારે પસતાજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ શત્રુદ્ધાર [ ૫૩] ન વે ટુંક:હનુમાન ધાર પાસેથી નવટુંકને રસ્તો જુદો પડે છે. સૌથી પહેલાં અંગારશા પીરની કબર આવે છે. તીર્થની રક્ષા અર્થે આ કબર કરવામાં આવી હોય તેવી લેકેક્તિ છે. નરશી કેશવજીની પ્રથમ ટૂંક [૧] ચૌમુખજીની બીજી ટૂંકમાં જતાં પહેલાં શરૂઆતમાં નરશી કેશવજીની ટુંક આવે છે. મૂળનાયક શ્રી અભિનંદનસ્વામી છે. પ્રતિષ્ઠા સં. ૧૯૨૧ માં કરવામાં આવી હતી પણ મુહૂર્ત બરાબર ન હોવાથી યાત્રાળુઓમાં તેમજ ગામમાં વ્યાધિ ફેલાતાં ઘણું મરણ પામ્યા હતા. શબને બાળવા માટે સરપણ ખૂટી પડયું હતું. આ ટુંકના મુખ્ય દેરાસરે નીચે પ્રમાણે છે – (૧) શાંતિનાથજીનું મંદિર. (૨) મરુદેવી માતાનું મંદિર. ચૌમુખજીની ટુંક યા સવાસમાની ટુંક [૨]. આ ટુંકના મધ્યભાગમાં ચૌમુખજીને વિશાળ પ્રાસાદ છે, જે જેની લંબાઈ ૬૨ ફૂટ, પહોળાઈ ૫૭ ફૂટ અને શિખર ૯૭ ફૂટ ઊંચું છે. મુખ્ય મંદિરની ભવ્યતા અનુપમ છે. મંદિરના રંગમંડપના બાર થાંભલા પર ચોવીશ દેવીઓના મનહર ચિત્રો છે. વાહન સહિત કલામય રીતે દેવીઓ આલેખાયેલી છે. આ ટ્રેક પર્વતના ઊંચામાં ઊંચા ભાગ પર છે તેથી પચીશ ત્રીશ માઈલ પરથી ચૌમુખજીનું ઉત્તુંગ શિખર નજરે પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ [૫૪] નૂતન આ ભવ્ય જિનપ્રાસાદ કેવી રીતે બનાવવામાં આવ્યું તેની હકીકત જાણવા ગ્ય હોઈ અહીં રજૂ કરવામાં આવે છે. સવાસોમાની કથા એક વખતે વણથલીના સવચંદ શેઠ પાસે એક ગરાસદારે પોતે થાપણ મૂકેલા લાખ બાબાશાહી રૂ. માગ્યા પણ શેઠની પેઢીમાં તે સમયે તેટલા રૂપિયા ન હતા તેથી અમદાવાદના પ્રતિષ્ઠિત શેઠ સેમચંદ પર, જો કે તેની પાસે પિતાના રૂપિયા લેણું ન હતા તો પણ સવચંદ શેઠે હુંડી લખી. હુંડી લખતાં લખતાં આંસુનાં બે ટીપા હુંડી પર પડ્યા. હુંડી લઈ ગરાસદાર અમદાવાદ ગયે અને સેમચંદ શેઠના મુખ્ય મુનીમને મળે. મુનીમે ચેપડાં જોયા પણ સવચંદ શેઠના જમે રૂા. નીકળ્યા નહિ તેથી ગરાસદારને શેઠ આવે ત્યારે હુંડી લઈને આવવા કહ્યું. સોમચંદ શેઠ હુંડી વાંચતાં વાંચતાં આંસુનાં ટીપાના ડાઘથી વસ્તુસ્થિતિ સમજી ગયા તેથી શેઠે મુનીમને કહ્યું કે-મારે ખાતે લખીને હુંડી સ્વીકારી હત્યા. થડા વખત પછી સવચંદ શેઠ વ્યાજ સહિત લાખ રૂા. લઈ સેમચંદ શેઠ પાસે આવ્યા. અને અગાઉ પોતે લખેલ હુંડીની વાત કરી પણ સોમચંદ શેઠે કહ્યું કે તે રૂ. નો જમે ખર્ચ નંખાઈ ગયો હોવાથી લઈશ નહિ. સવચદ શેઠે કહ્યું કે હું રૂા. આપ્યા વિના જઈશ નહિ. છેવટે બંનેએ શ્રી શત્રુંજય પર ટુંક બંધાવવાનો વિચાર કર્યો. આ ટુંક સવાસોમજીની ટંકને નામે પ્રખ્યાત છે. છીપાવલી [૩] આ ટુંક ઘણી નાની છે. આ ટુંક સં. ૧૯૭૧ માં ભાવસાર (છીપા) ભાઈઓએ બંધાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨ચન શત્રુ જોદ્ધાર [ પ પ ] - શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથની ચમત્કારિક દેરીઓ આ ટુંકમાં આવેલી છે. લેકમાન્યતા છે કે આ બંને દેરીઓ સામસામે હતી. નંદિસૂરિ મહારાજે ચત્યવંદન કરતાં એક બીજી દેરીને પૂંઠ પડતી હોવાના કારણે અજિતશાંતિ સ્તવન બનાવ્યું. તે પૂર્ણ થતાં બંને દેરીઓ જોડાજોડ થઈ ગઈ છે. સાકરસી [૪] મૂળનાયક ચિંતામણી પાર્શ્વનાથ છે. આ ટુંકમાં પાંડનું મંદિર છે. ઉજમબાઈની ટુંક નંદીશ્વરદીપ [૫] આ ટુંકમાં નંદીશ્વરદ્વીપની મનહર રચના છે. હીમવસી [૬] હેમાભાઈ શેઠે આ ટુંક બંધાવેલી છે. મુખ્ય મંદિરમાં મૂળનાયક તરીકે શ્રી અજિતનાથ ભગવાન છે. પ્રેમવસી [૭] શેઠ પ્રેમાભાઈએ આ ટુંક બંધાવેલી છે. મુખ્ય મંદિરમાં મૂળનાયક ઋષભદેવ ભગવાન છે. આ ટુંકમાં સહસ્ત્રફણું પાર્શ્વનાથનું મંદિર છે. આ મંદિરમાં આરસની સુંદર કારીગરીવાળા બે ગેખલા છે. મોદીની ટુંક પાસેથી આશરે પાસે પગથીયાં ઉતરતાં શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં જવાય છે. આ પ્રતિમા ડુંગરમાંથી કેતરી કાઢેલી છે તેથી બહુ જ મેટી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ [ પ ] નુતન અદ્ભુત છે. આ મૂર્તિની ઊંચાઈ ૧૮ ફૂટ છે અને પહોળાઈ ૧૪ ફૂટ છે. અહીં એક નાની દેરીમાં શાંતિનાથની શ્યામ મૂર્તિ છે. બાલાપસી [૮] આ ટુંક ઘેઘાવાળા શેઠ દીપચંદ કલ્યાણજીએ બંધાવેલ છે. તેમનું હુલામણું નામ બાલાભાઈ હતું તેથી આ ટુંકને “બાલાસી” કહે છે. મુખ્ય મંદિરમાં મૂળનાયક ઋષભદેવ ભગવાન છે. મોતીશા શેઠની ટુંક ૯િ] વિક્રમના ઓગણીસમા સિકામાં જૈન સમાજમાં જે જે દાનવીર શ્રાવકે થયાં હતા તેમાં સુરત નિવાસી મતીશા શેઠનું નામ મુખ્ય છે. શ્રી આદીશ્વર ભગવાનની મોટી ટુંક અને હેમવસહી ટુંકની વચ્ચે “કુતાસર” નામની મોટી ખીણ હતો તે ખીણને લાખોના ખર્ચે પુરાવીને તેના પર દેવવિમાન જેવી સુંદર ટુંક મેતીશા શેઠે બંધાવી છે. આ ટંકની વચ્ચે ત્રણ માળનું રમણીય મુખ્ય મંદિર છે. આ મંદિરનું ખાતમુહૂર્ત વિ. સં. ૧૮૮૨ માં થયું હતું. મોતીશા શેઠની ભાવના પિતાના શુભ હસ્તે પ્રભુજીની પ્રતિષ્ઠા કરવાની હતી પણ ભવિતવ્યતા બળવાન હોવાથી તે બન્યું નહિ કારણ કે શેઠ સ્વર્ગવાસ પામ્યા ત્યાર પછી તેમના સુપુત્ર શેઠ ખીમચંદભાઈએ સુરતથી સંઘ કાઢી સં. ૧૮૯૩ ના મહા વદ બીજના શુભ દિવસે મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરેલ છે. મુખ્ય મંદિરની આસપાસ ભેળ મંદિરો છે અને મુખ્ય મંદિરની ભમતિમાં એક સે ત્રેવીશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ શત્રુજયદ્વાર ૫૭ ] દેરીઓ છે. દાદાની ટુંકમાં જવાની ખારીમાં મહાપ્રભાવશાળી મૂળચંદજી મહારાજની મૂર્તિ બેસારેલી છે. આ ટુંકની સ્વચ્છતા અને આકષકતા નજરે નિહાળીને ઘડીભર તે મુગ્ધ થઇ જવાય છે. પ્રદક્ષિણા દાઢ ગાઉની પ્રદક્ષિણા રામપેાળની બારીથી બહારના ભાગમાં કિલ્લાની આજુખાજી રસ્તે ક્રૂરતાં કરતાં નવટુક ફીને હનુમાનધાર આવી દાદાની ટુંકમાં જઇ દર્શન કરવાથી દાઢ ગાઉની આ પ્રદક્ષિણા પૂરી થાય છે. છ ગાઉની પ્રદક્ષિણા રામપાળની મારી પાસેથી છ ગાઉની પ્રદક્ષિણાને રસ્તે જાય છે. આગળ જતાં ઉલકા જલ નામે પેાલાણ આવે છે. દાદાનું નમણુ અહીં જમીનમાંથી આવતુ હતુ' એમ મનાય છે. ચિલ્લણ તલાવડી શ્રી મહાવીરસ્વામીનાં ગણધર શ્રી સુધર્માસ્વામીના તપસ્વી શિષ્ય શ્રી ચિલ્લણમુનિ એક મોટા સંઘ સાથે શ્રી શત્રુંજય પર આવતા હતા. સઘના મધ્યેાને બહુ જ તૃષા લાગી હતી તેથી તેમની તૃષાને શાંત કરવા માટે મુનિ મહારાજે પેાતાના તપની લબ્ધથી વિશાળ તળાવ પાણીથી ભરી દીધું. સંઘે પાણી પીને તૃષા શાંત કરી. અહીં બે દેરીઓમાં શ્રી અજિતનાથ અને શાંતિનાથની પાદુકા છે. અહીં યાત્રાળુએ યથાશક્તિ કાઉસ્સગ્ગ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ [ ૫૮ ] નૂતન ભાડવા ડુંગર છ ગાઉની પ્રદક્ષિણાને મહિમા આ ડુંગરને આભારી છે. સિદ્ધવડ–અહીં અસંખ્ય મુનિરાજે સિદ્ધિપદને પામ્યા હોવાથી “સિદ્ધવડ કહેવાય છે. અહીં આદિનાથ ભગવાનની પાદુકા છે. બાર ગાઉની પ્રદક્ષિણા કદંબગિરિ -આ પર્વત પર ગઈ ચોવીશીના બીજા તીર્થકર નિરવાણી જિનેશ્વરના કદંબ નામે ગણધર એક કોડ મુનિરાજે સાથે મોક્ષે ગયા છે. હસ્તગિરિ–કદંબગિરિથી એક ગાઉ દૂર એક ગામને પાદર શ્રી શેત્રુંજી નદી ઓળંગીને આ ટેકરી પર જવાય છે. યાત્રાના મુખ્ય દિવસ કાર્તિક શુદિ પૂનમઃ–શ્રી રાષભદેવજીના પાત્ર દ્રાવિડ વારિખિલ્ય, અઈમુત્તા અને નારદજી છ કરોડ મુનિવરો સાથે આ દિવસે સિદ્ધિપદને પામ્યા છે. આ ચાર મહાતપસ્વીઓની મૂર્તિઓ શત્રુંજય પર જતાં હીરબાઈ કુંડની પાસે એક દેરીમાં છે. ફાગણ સુદ તેરસ:-શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર સાબ અને પ્રદ્યુમ્ર સાડી આઠ કોડ મુનિવરો સાથે ભાડવા ડુંગર પર આ દિવસે સિદ્ધિપદને પામ્યા છે. ચૈત્ર શુદિ પૂનમ:-શ્રી પુંડરીક ગણધર પાંચ કોડ મુનિવરો સાથે આ દિવસે મુક્તિપદને પામ્યા છે. વૈશાખ શુદિ :–શ્રી ઋષભદેવ ભગવાનને અક્ષયતૃતીયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ શત્રુજયેાદ્ધાર [ ૫૯ ] ને દિવસે વરસીતપનું પારણું શ્રેયાંસકુમારના હસ્તે શેરડીના રસવડે આ દિવસે થયું હતું. પૂજ્ય મુનિમહારાજાએ તીર્થાધિરાજ શત્રુજયને અનુલક્ષીને ઘણા સ્તવના બનાવ્યા છે તેમાંનાં થાડા મુનિમહારાજાએની કડીઓ વાનગીરૂપે અહીં પીરસવામાં આવે છે. શ્રી દાનવિજજી મહારાજ: ચતુરાઇ શું...ચિત્તમાં ચેતી, હાથે તે સાથે; મરણ તણા નિશાના મેટાં, ગાજે છે માથું; ચાલેને પ્રીતમજી પ્યારા, સિદ્ધાચળ જઇએ. શ્રી જવિજયજી મહારાજઃ— કાઈ અનેરું જગ નહિ, એ તીરથ તે લે; એમ શ્રીમુખ હરિ આગળે, શ્રી સીમધર મેલે. ત્રિમલાચલ નિતુ હૃદયે. શ્રી પદ્મવજયજી મહારાજ: કલિકાળે એ તીરથ મેટુ', પ્રહણ જેમ ભર દરએ; વિમળગિરિ યાત્રા નવાણું કરીયે. શ્રી જ્ઞાનવિમલજી મહારાજ— ઇણ ગિર આવ્યા રે, જનપર ગણધરાએ; સિધ્યા સાધુ અનત, કાંઠણ કર્મ એ ગિરિ ફરસતાં એ, હવે કરમ નિશાંત. મારું મન મેલું રે શ્રી સિદ્ધાચળે રે. પવિત્ર ગિરિરાજના માહાત્મ્યને વર્ણવતાં અનેક ગ્રંથા લખાયા છે. તેમાં પૂજ્યશ્રી ધનેશ્વરસૂરિજીએ રચેલા “શત્રુ જય માહાત્મ્ય ” નામના પુસ્તકમાં તીને લગતી અનેક પ્રકારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ [ ૬૦ ]. નુતન હકીકતે દર્શાવવામાં આવી છે. તેઓશ્રીએ તે પુસ્તકમાં એક સ્થળે કહેલ છે કે: “હે ભવ્ય છે જે તમારે આત્મતત્ત્વ જાણવાની ઈરછા હોય અથવા ધર્મ કરવાની બુદ્ધિ હોય તો બીજું સર્વ છોડી દઈ આ સિદ્ધગિરિને આશ્રય કરો. શત્રુંજયગિરિ પર જઈને સર્વ જગતને સુખના કારણરૂપ જિનેશ્વરનું ધ્યાન કરવું શ્રેષ્ઠ છે કેમકે તેના જેવું બીજું પરમ તીર્થ નથી અને જિનધ્યાન . બીજો શ્રેષ્ઠ ધર્મ નથી. પ્રાણી એ કુલેશ્યાઓથી આપત્તિને આપનારું મન, વચન અને કાયાવડે જે ભયંકર પાપ ઉપાર્જન કરેલું હોય છે તે પાપ પણ પુંડરીકગિરિના સ્મરણથી અને સ્પર્શનથી નાશ પામી જાય છે. શ્રી સિદ્ધાચલજીનાં ચૈત્યવંદન શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર સિદ્ધાચલ સાચે; આદીશ્વર જિનરાયને, જિહાં મહિમા જા ૧ હાં અનંત ગુણવંત સાધુ, પામ્યા શિવલાસ. એ ગિરિસેવાથી અધિક હોયે લીલ વિલાસ; ૨ દુષ્કૃત સાવિ દરે હરે એ, બહુ ભવ સંચિત જેહ; સકલ તીરથ શિર સેહરે, દાન નમે ધરી નેહ. ૩ સકેલ સહકર સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સુણીએ; સુરનર નરપતિ અસુર ખેચર, નિકરે જે થણીએ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ શત્રુ ઉદ્ધાર [ ૬૧ ] સકલ તીરથ અવતાર સાર, બહુ ગુણગણ ભંડાર; પુંડરીક ગણધર જબ, પામ્યા ભવપાર. ૨ ચૈત્રી પૂનમને દિને એ, કર્મ કરી દર; તે તીરથ આરાહિયે, દાન સુયશ ભરપૂર. ૩ શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરિકગિરિ સા; વિમલાચલ ને તીર્થરાજ, જસ મહિમા જાચો. ૧ મુક્તિનિલય શતકૂટ નામ, પુષ્પદંત ભણુજે; મહાપદ્મ ને સહસ્ત્રપત્ર ગિરિરાજ કહીજે. ૨ ઈત્યાદિક બહુ ભાતિશું એનું નામ જપ નિરધાર; ધીરવિમલ કવિરાજને શિષ્ય કહે સુખકાર. ૩ શ્રી સિદ્ધાચલજીનું ૨૧ નામેવાળું ચૈત્યવંદન (૪) સિદ્ધા ચ લ શિખરે ચઢી, ધ્યાન ધરે જગદીશ મન વચ-કાય એકાગ્રશું, નામ જપ એકવીશ ૧ 1શ – જય ગિરિ વંદીયે, બાહુબળી ગુણધામ; કમરુદેવ ને પુંડરીકગિરિ, રૈવતગિરિ વિશ્રામ. ૨ વિમલાચલ સિદ્ધરાજજી, નામ ભગીરથ સાર; સિદ્ધક્ષેત્ર ને ૧૦ સહસકમલ, ૧૧મુક્તિનિલય જ્યકાર. ૩ ૧૨ સિદ્ધાચલ ૩ શતકૂટગિરિ ૧૪ઢક ને ૧૫કેડિનિવાસ; ૧દંબગિરિ લેહિત્ય નમે, ૧૯તાલધ્વજ ૧૯પુન્યરાશ ૪ ૨૦મહાબલ ને ૨૧દઢશક્તિ સહી, એમ એકવીશે નામ; સાતે શુદ્ધિ સમાચારી, કરિયે નિત્ય પ્રણામ. ૫ દશ્ય શૂન્ય ને અવિધિ દેષ, અતિપરિણતિ જેહ; ચાર દેષ છડી ભજે, ભક્તિભાવ ગુણગેહ. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ નુતન [ દર ] મનુષ્યજન્મ પામી કરી એ, સદગુરુ તીરથ ગ; શ્રી શુ ભ વી ૨ને શાસને, શિવરમણ સંગ. ૭ શ્રી સિદ્ધાચલજીનાં સ્તવનો ૧ - શેત્રુ જાગઢના વાસી રે મુજરો માનજો રે, સેવકની સુણું વાતે દિલમાં ધારજો રે; પ્રભુ મેં દી ઠ ડે ત મ દેદા ૨, આજ મને ઉપજો હરખ અપાર સાહિબ ની સેવા રે ભવદુઃખ ભાંગશે રે. એ આંકણી ૧ અરજ અમારી દિલમાં ધાર રે, રાશી લાખ ફેરા રે દૂર નિવાર રે; પ્રભુ મુને દુરગતિ પડતો રાખ, દરિસણું વહેલું દાખ. સા૦ ૨ દેલત સવાઈ રે સોરઠ દેશની રે, બલિહારી હું જાઉં તારા વેશની રે પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, મેહ્યા સુરનરવૃન્દને ભૂપ. સા૦ ૩ તીરથ કે નહિ શત્રુ જા સરિખું રે, પ્રવચન પેખીને કીધું મેં પારખું રે; ઋષભને જોઈ હરખે જેહ,ત્રિભુવન લીલા પામે તેહ. સા. ૪ સદા તે માગું રે પ્રભુ તાહરી સેવના રે, ભાવઠ ન ભાંજે રે જગમાં જે વિના રે; પ્રભુ મારા પહેલા મનના કોડ ઈમ કહે ઉરતન કહે કર જોડ. સા. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ શત્રુજયોદ્ધાર [ ૬૩ ] જાત્રા નવાણું કરીએ વિમલગિરિ, જાત્રા નવાણું કરીએ. એ આંકણી. પૂરવ નવાણુંવાર શેત્રુંજાગિરિ, ઋષભજિષ્ણુદ સમાસરીએ. વિમલ જા૦ ૧ કેાડી સહસ ભવ પાતક દે, શત્રુ જય સામે ડગ ભરીએ. વિમલ જા૦ ૨ સાત છઠ્ઠું દેય અેમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરીચે, વિમલ જા૦ ૩ પુંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ. વિમલ જા૦ ૪ પાપી ભવ્ય ન નજરે દેખે, હિંસક પણ ઉધરીએ. વિમલ જા૦ ૫ ભૂમિસ થારા ને નારીતણેા સંગ, હૃથકી પરિહરીએ. વિમલ જા૦ ૬ સચિત્તપરિહારી ને એકલઆહારી, ગુરુ સાથે પદ ચરીયે. વિમલ જા૦ ૭ પડિક્કમણાં દાય વિધિશું કરીએ, પાપ પડેલ વિખરીએ. વિમલ જા૦ ૮ કલિકાલે એ તીરથ મહેાટું, પ્રવણુ જિમ ભર રિચે. વિમલ જા૦ ૯ ઉત્તમ એ ગિરિવર સેવતાં, પદ્મ કહે ભવ તરીકે. વિમલ જા૦ ૧૦ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #73 -------------------------------------------------------------------------- ________________ [ ૬૪] નૂતન વિમલાચલ વિમલા પાણી, શીતલ તરુ છાયા ઠરાણી; રસધક કંચન ખાણી, કહે ઇંદ્ર સુણે ઈંદ્રાણી. સનેડીસંત એ ગિરિસેવો, ચૌદ ક્ષેત્રમાં તીરથનહીં . ૧ ષ રી પાળી ઉલસીએ, છ અમ કાયા કસીએ; મેહ મલ્લની સામા ધસીએ, વિમલાચલ વેગે વસીએ. સનેહી૨ અન્ય સ્થાનક કમ જે કરીએ, તે હિમગિરિ હેઠા હરીએ; પાછળ પ્રદિક્ષણા ફરીયે, ભવજલનિધિ વહેલા તરીએ. સનેહી) ૩ શિવમંદિર ચઢવા કાજે, સંપાનની પંક્તિ બિરાજે; ચઢતાં સમકિતી છાજે, દુરભવ્ય અભવ્ય તે લાજે. સનેહી ૪ પાંડવ પમહા કેઈ સંતા, આદીશ્વર ધ્યાન ધરતા;પરમાતમ ભાવ ભજતાં, સિદ્ધાચલ સિધ્યા અનંતા. સનેહી ૫ ષ, માસી ધ્યાન ધરાવે. શુકરાજા તે રાજ્યને પાવે; બહિરંતર શત્રુ હરાવે, શત્રુંજય નામ ધરાવે. સનેહી. ૬ પ્રણિધાને ભજે ગિરિ જાશે, તીર્થકર નામ નિકા મેહરાયને લાગે તમારો, શુભવીર વિમલગિરિ સાચે. સનેહી ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ શત્રુદ્ધાર [ ૬૫ ]. રાયણ પગલાંનું સ્તવન નીલુડી રાયણ તરુ તળે સુણ સુંદરી, પીલુડા પ્રભુજીના પાય રે ગુણમંજરી. ઊજજવલ યાને થાઈએ સુણસુંદરી, એહી જ મુક્તિ ઉપાય રે ગુણ મંજરી. શીતલ છાયાએ બેસીએ સુણ સુંદરી, રાતડે કરી મન રંગ રે ગુણમંજરી. પૂજીએ સેવન ફૂલડે સુણ સુંદરી; જેમ હોય પાવન અંગ રે ગુણમંજરી. ખીર ઝરે જેહ ઉપરે સુણ સુંદરી, નેહ ધરીને એહ રે ગુણ મંજરી; ત્રીજે ભવે તે શિવ લહે સુણ સુંદરી, થાયે નિર્મલ દેહ રે ગુણમંજરી. ૩ પ્રીત ધરી પ્રદક્ષિણા સુણ સુંદરી. દીએ એહને જે સાર રે ગુણમંજરી; અભંગ પ્રીતિ હોય જેહને સુણ સુંદરી, ભવ ભવ તુમ આધાર રે ગુણમંજરી. ૪ કુસુમ પત્ર ફલ મંજરી સુણ સુંદરી, - શાખા થડ ને ભૂલ રે ગુણમંજરી; દેવતણ વાસા અ છે સુણ સુંદરી, તીરથને અનુકૂલ રે ગુણમંજરી. ૫ , તીરથ યાન ધરે મુદા સુણ સુંદરી, સેવે એની છાંય રે ગુણમંજરી; ગાનવિમલ ગુણ ભાખિયે સુણ સુંદરી, શત્રુંજયમાહાસ્યમાંહી રે ગુણમંજરી ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ [ ૬૬ ] નુતન શ્રી પુ'ડરીકગિરિ-સ્તવન વીરજી આવ્યા રે વિમલાચલકે મેદાન સુરપતિ પાયા રે સમવસરણ કે મંડાણુ–એ આંકણી દેશના દેવે વીરજી સ્વામ, શત્રુ ંજય મહિમા વરણુવે તામ; પુંડરીકગિરિ અભિધાન, સાહમ ઇંદો રે; તવ પૂછે બહુ માન; કિમ થયું સ્વામી રે, ભાખા તાસ નિદાન. વીરજી૦ ૧ પ્રભુજી ભાવી સાંભળ ઈંદ, પ્રથમ જે હુવા ઋષભજિષ્ણુ દ; તેહના પુત્ર તે ભરત નરિંદ, ભરતના હુવા રે ઋષભસેન પુંડરીક; ઋષભજી પાસે રે, દેશના સુણી તહકીક, દીક્ષા લીધી રે, ત્રિપદી જ્ઞાન અધિક વીરજી ૨ ગણધર પદવી પામ્યા જામ, દ્વાદશાંગી ગૂંથી અભિરામ; વિચરે મહિયલમાં ગુણુધામ, અનુક્રમે આવ્યા રે; શ્રી સિદ્ધાચલ ઠામ, મુનિવર કેાડી રે; પંચતણે પરિવાર અણુસણુ કીધાં રે; નિજ આતમને ઉદ્ધાર, વીરજી ૩ ચૈત્રી પૂનમ દિવસે એહ, પામ્યા કેવલજ્ઞાન અહેતુ; શિવસુખ વરીયા અમર અદેહ, પૂર્ણાન દીરે અગુરુલઘુ અવગાહ; અજ અવિનાશી રે, નિજ ગુણુભાગી અમાહે: નિજ ગુણ્ ધરતા ૨, પરપુદ્ગલ નહીં ચાહ. વીરજી૦ ૪ તેણે પ્રગટત્યુ પુ ડરગિરિ નામ, સાંભળસેાહમ દેવલાક સ્વામ; એહુને મહિમા અતિદ્ધિ ઉદ્દામ, તેણે દિન કીજે રે; જય પૂજા ને દાન, ત વળી પેાસહ ૨; જેહ કરે અનિદાન, કુળ તસ પામે રે, પંચકેાડી ગુણું માન તપ વીરજી પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજયોદ્ધાર [ ૬૭ | ભકતે ભવ્ય જીવ જે હોય, પંચમ ભવે મુક્તિ લહે સેય; તેહમાં બાધક છે નહિ કેય, વ્યવહાર–કેરી રે; મધ્યમ ફળની એ વાત, ઉત્કૃષ્ટ ગેરે, અંતરમુહૂર્વ વિખ્યાત; શિવસુખ સાધે રે, નિજ આતમ અવદાત. વીરજી૦ ૬ ચૈત્રી પૂનમ મહિમા દેખ, પૂજા પંચ પ્રકારી વિશેષ; તેહમાં નહિ ઉણમ કાંઈ રેખ, એણી પેરે ભાખી રે; જિનવર ઉત્તમ વાણ, સાંભળી બૂઝયા રે; કેઈક ભવિક સુજાણ, એણી પરે ગાયે રે, પદ્યવિજય સુપ્રમાણુ વીરજી ૭ [૨] એક દિન પુંડરીક ગણધરુ રે લોલ, પૂછે શ્રી આદિજિકુંદ સુખકારી રે; કહીએ તે ભવ જલ ઉતરી રે લોલ, પામીશ પરમાનંદ ભવ વારી રે. એક ૧ કહે જિન ઈશુ ગિરિ પામશે રે લોલ, જ્ઞાન અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વાધશે રે લોલ, અધિક અધિક મંડાણ નિરધારી રે. એકટ ૨ ઇમ નિસુણીને ઈહાં આવીયા રે લોલ, ઘાતી કરમ કર્યા દૂર તમ વારી રે; પંચ કોડ મુનિ પરિવર્યા રે લોલ, આ સિદ્ધિ હજૂર ભવ વારી રે. એક૦ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ નૂતન [ ૬૮ ] ચૈત્રી પૂનમ દિને કિજીયે રે લોલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસગ્ગા રે લોલ, લેગસ્સ થઈ નમુક્કાર નરનારી રે. દશ વીશ ત્રીશ ચાલીશ ભલાં રે લોલ, પચાસ પુષ્પની માળ અતિ સારી રે; નરભવ લાહો લીજીયે રે લાલ, જેમ હોય જ્ઞાન વિશાલ મને હારી રે. એક ૪ એક પ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે, દેખીને હરબિત થાય; વિધિશું કીજે રે જાત્રા એહની રે, ભવભવનાં દુઃખ જાય. માં૪૦ ૧ પાંચમે આરે રે પાવન કારણે રે, એ સામે તીરથ ન કેય; માટે મહિમા રે, જગમાં એહન રે, આ ભરતે ઈહાં જોય. મારું૦ ૨ ઈશુ ગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે, સિધ્યા સાધુ અનંત; કટિણ કરમ પણ એ ગિરિ ફરસતા રે, હવે કરમ નિશાંત. મારું૦ ૩ જેન ધરમને સાચે જાણીયે રે, માનવ તીરથ એ સ્તંભ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજયદ્ધાર [ ૬૯ ] સુર નર કિન્નર ના વિદ્યાધરા રે, કરતાં નાટારંભ. મા. ૪ ધન્ય ધન્ય દહાડે રે ધન્ય વેલા ઘડી રે, ધરીએ હૃદય મઝાર; જ્ઞાનવિમલસૂરિ ગુણ એહના ઘણા રે, કહેતા ના હો પાર. મારું૦ ૫ શ્રી આદિજિનેશ્વર--વિનતિનું સ્તવન સુણ જિનવર શેત્રુંજા ધણજી. દાસ તણી અરદાસ, તુજ આગળ બાળક પરેજી, હું તો કરું ખાસ રે જિનજી મુજ પાપીને રે તાર. તું તો કરુણ રસ ભર્યો, તું સહુને હિતકાર રે. જિન મુજ૦ ૧ હું અવગુણને ઓરડેજી, ગુણ તે નહીં લવલેશ; પરગુણ પેખી નહિ શકુંજ, કેમ સંસાર તરેશ? જિનજી મુજ૦ ૨ જીવતણા વધ મેં કર્યા છે, બેલ્યા મૃષાવાદ; કપટ કરી પરધન હર્યા છે, સેવ્યા વિષય સંવાદ રે. જિન મુજ૦ ૩ હું લંપટ હું લાલચુંછ, કમ કીધાં કેઈ કોડ; ત્રણ ભુવનમાં કે નહીંછ, જે આવે મુજ જોડ રે. જિનછ મુજ૦ ૪ છિદ્ર પરાયાં અહોનિશે, જે કુતિતણી કરણી કરી છે, જોડ્યો તે સાથ રે. જિનજી મુજ૦ ૫ થિ પરાવા અહીનથજી, જેતા ૨હે જગનાથ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] નૂતન કુમતિ કુટિલ કદાગ્રહી, વાંકી ગતિ મતિ મુજ; વાંકી કરણી માહરીજી, શી સંભળાવું તુજ રે? ' જિનજી મુજ૦ ૬ પુન્ય વિના મુજ પ્રાણિઓજી, જાણે મેલું રે આથ; ઊંચા તસ્વર મેરીયાં છે, ત્યાંહી પસારે હાથ રે. જિનજી મુજ૦ ૭ વિણ ખાધા વિણ ભેગવ્યાજી, ફોગટ કર્મ બંધાય; આ ધ્યાન માટે નહીંછ, કીજે કવણ ઉપાય રે. જિન મુજ ૦ ૮ કાજળથી પણ શામળાજી, મારા મન-પરિણામ; સેણામાંહી તાહરુંજી, સંભારું નહીં નામ રે. જિનછ મુજ૦ ૯ મુખ્ય લેક ઠગવા ભણુજી, કરું અનેક પ્રપંચ; કુડ કપટ બહુ કેળવીજી, પાપ તણે કરું સંચ રે. જિનજી મુજ૦ ૧૦ મન ચંચળ ન રહે કિમેજી, રાચે રમણી રે રૂ૫; કામ વિટંબણા શી કહું, પડીશ હું દુર્ગતિ કૂપ રે. જિનજી મુજ૦ ૧૧ કિશ્યા કહુ ગુણ માહરાજી, કિશ્યા કહું અપવાદ જેમ જેમ સંભારું હિયે, તેમ તેમ વધે વિખવાદ રે. જિનજી મુજ ૧૨ ગિઆ તે નવિ લેખવેજી, નિગુણ સેવકની વાત; નીચતણે પણ મંદિરેજી, ચંદ્ર ન કાળે ત રે. જિનાજી મુજ૦ ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજયે દ્ધાર [ ૭૧ ] નિગુણો તે પણ તાહરછ, નામ ધરાયું દાસ; કૃપા કરી સંભાળજી, પૂરજે મુજ મન આશ રે. જિન મુજ૦ ૧૪ પાપી જાણી મુજ ભણું છે, મત મૂકી રે વિસાર; વિષ હળાહળ આદરજી, ઈશ્વર ન તજે તાસ રે, જિનજી મુજ૦ ૧૫ ઉત્તમ ગુણકારી હુએજી, સ્વાર્થ વિના સુજાણ; કરસણ સિંચે સર ભરેજી, મેહ ન માગે દાણ રે. જિનજી મુજ૦ ૧૬ તું ઉપકારી ગુણનીલેજ, તું સેવક પ્રતિપાળ; તું સમરથ સુખ પૂરવાજી, કર માહરી સંભાળ રે. જિન મુજ૦ ૧૭ તુજને શું કહીએ ઘણુંછ, તું સહુ વાતે રે જાણ; મુજને હાજે સાહિબાજી, ભવ ભવ તાહરી આણ રે. - જિનજી મુજ. ૧૮ નાભિરાયા કુલ ચંદલજી, મરુદેવીને નંદ, કહે જિનહરખ નિવાજજી, દેજે પરમાનંદ રે. જિનાજી મુજ. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ૭૩ ] નૂતન શ્રી શત્રુંજયનાં ૨૧ ખમાસમણ દેવા માટેના ૨૧ નામેના ગુણગર્ભિત દુહા પહેલા ખમાસમણના દુહા સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ અંગ વસન મન ભૂમિકા, પૂજાગરણ સાર; વાયદ્રવ્ય વિધિશુદ્ધતા શુદ્ધિ સાત પ્રકાર. ૨ કાર્તિક સુદિ પૂનમ દિને, દસ કેટી પરિવાર; \ દ્રાવિડ વારિખિલજી, સિદ્ધ થયા નિરધાર. ૩ તિણે કારણે કાર્તિકી દિને, સંઘ સયલ પરિવાર આદિજન સનમુખ રહી, ખમાસમણ બહુ વાર. ૪ એક્વીશ નામે વરણુ, તિહાં પહેલું અભિધાનઃ શત્રુજય શુકરાયથી, જનક વચન બહુમાન. ૫ [ “સિદ્ધાચલ સમરું સદા સેરઠદેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧] આ દુહો પ્રત્યેક ખમાસમણ દીઠ ખમાસમણના દુહા બોલ્યા બાદ બેલ અને પછી ખમાસમણ દેવું. બીજા ખમાસમણના દુહા સમસયાં સિદ્ધાચલે, પુંડરીક ગણધાર; લાખ સવા માહાતમ કહ્યું, સુર નર સભા મઝાર. ૬ ૧ શરીરશુદ્ધિ. ૨.વસ્ત્રશુદ્ધિ. ૩.ચિત્તશુદ્ધિ. ૪.ભૂમિશુદ્ધિ. ૫.ઉપકરણ શુદ્ધિ કે દ્રવ્યશુદ્ધિ. ૭ યથાર્થવિધિ શુદ્ધિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ શત્રુ જોદ્ધાર [ ૭૩ ] ચિત્રી પુનમને દિને, કરી અણસણ એક માસ; પાંચ કેડિ મુનિ સાથશું મુક્તિનિલયમાં વાસ. ૭ તિશે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત; મન વચ કાર્ય વ દીએ, ઉઠી નિત્ય પ્રભાત. ૮ સિદ્ધારા ત્રીજા ખમાસમણના દુહા વીશ કોડીશું પાંડવા, મેક્ષ ગયા ઈણે ઠામ, એમ અનંત મુક્ત ગયા, સિદ્ધક્ષેત્ર તિણે નામ ૯ સિદ્ધા ચોથા ખમાસમણના દુહા અડસઠ તીરથ ન્હાવતાં, અંગ રંગ ઘડી એક; તું બીજલ સ્નાન કરી, જા ચિત્ત વિવેક. ૧૦ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મકઠિન મલધામ; અચલ પદે વિમલા થયા,તિણે વિમલાચલ નામ. ૧૧ સિદ્ધા પાંચમા ખમાસમણના દુહા પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય; સિદ્ધ હુઆ સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. ૧૨ ભરતાદિ ચૌદ ક્ષેત્રમાં, એ સમે તીરથ ન એક; તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક. ૧૩ સિદ્ધા છઠ્ઠા ખમાસમણના દુહા એંસી જન પૃથુલ છે, ઊંચપણે ચવ્વીશ; મહિમાએ મોટો ગિરિ, મહાગિરિ નામ નમીશ. ૧૪ સિદ્ધા સાતમા ખમાસમણના દુહા ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાંહે વંદનિક જેહ તેહ સંયમી, વિમલાચલે (એ તીરથે) પૂજનિક. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ]. નૂતન વિપ્રલોક વિષધર સમા, દુઃખિયા ભૂતલ માન; દ્રવ્યલિંગી કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. ૧૬ શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુણ્યનું કામ; પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણ્યરાશિ નામ. ૧૭ સિદ્ધા આઠમા ખમાસમણના દુહા સંયમધર મુનિવર ઘણા, તપ તપતા એક ધયાન; - કર્મ વિયેગે પામીયા, કેવલ લક્ષ્મીનિધાન ૧૮ લાખ એકાણું શિવ વય, નારદર્શી અણગાર; નામ નો તિણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર. ૧૯ સિદ્ધારા નવમા ખમાસમણના દુહા શ્રી સીમંધર સ્વામીએ, એ ગિરિ મહિમા વિલાસ; ઇદ્રની આગે વર્ણ, તિણે એ ઇદ્રપ્રકાશ. ૨૦ સિદ્ધારા દશમા ખમાસમણના દુહા દશકેટી અણુવ્રતધરા, ભક્ત જમાડે સાર; જૈન તીર્થ યાત્રા કરે, લાભત નહીં પાર. ૨૧ તેહ થકી સિદ્ધાચલે, એક મુનિને દાન; દેતાં લાભ ઘણે હવે, મહાતીરથ અભિધાન. ૨૨ સિદ્ધારા અગિયારમા ખમાસમણના દુહા પ્રાથે એ ગિરિ શાશ્વતે, રહેશે કાલ અનંત, શત્રુંજય માહાતમ સુણી, નમે શાશ્વતગિરિ સંત. ૨૩ સિદ્ધા બારમા ખમાસમણના દુહા ગો નારી બાલક મુનિ, ચઉ હત્યા કરનાર; યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર. ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ શત્રુદ્ધાર [ ૭૫ ] જે પરદાર લંપટ, ચોરીના કરનાર; દેવદ્રવ્ય ગુરુદ્રવ્યનાં, જે વળી ચારણહાર. ૨૫ ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈણે ઠામ, તપ તપતાં પાતિક ગળે, તિણે દઢશક્તિ નામ. ૨૬ સિદ્ધા તેરમા ખમાસમણના દુહા ભવ ભય પામી નિકળ્યા, થાવગ્રાસુત જેહ; સહસ મુનિશું શિવ વર્યા, મુક્તિનિલયગિરિ તેહ. ર૭ સિદ્ધા ચૌદમા ખમાસમણના દુહા ચંદા સુરજ બિહું જ, ઊભા ઈણે ગિરિ શંગ; વધાવિયે વર્ણન કરી, (કરી વર્ણવ ને વધાવિયે) પુષ્પદંતગિરિ રંગ. ૨૮ સિદ્ધા -પંદરમા ખમાસમણના દુહા કમકલ ભવજલ તજ, ઈહાં પામ્યા શિવસધ; પ્રાણી પદ્મ નિરંજની, વંદે, ગિરિ મહાપ. ૨૯ સિદ્ધા સોળમા ખમાસમણના દુહા શિવવહુ વિવાહ ઉત્સવે, મંડપ રચિયે સાર; મુનિવર વર બેઠક ભણી, પૃથ્વીપીઠ મહાર. ૩૦ સિદ્ધાર સત્તરમા ખમાસમણુના દુહા શ્રીસુભદ્રગિરિ નમે, ભદ્ર તે મંગલ રૂ૫; જલ ત૨ રજ ગિરિવર તણી, શિષ ચડાવે ભૂપ. ૩૧ સિદ્ધા અઢારમા ખમાસમણુના દુહા વિદ્યાધર સુર અપછરા, નદી શત્રુંજી વિલાસ; કરતાં હરતા પાપને, ભજીયે ભવી કૈલાસ. ૩૨ સિદ્ધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] નૂતન ઓગણીસમા ખમાસમણના દુહા બીજ નિવણી પ્રભુ, ગઈ વીશી મઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર. ૩૩ પ્રભુ વચને અણુસન કરી, મુક્તિપુરીમાં વાસ; નામે કદંબગિરિ નમે, તે હોય લીલ વિલાસ. ૩૪ સિદ્ધાર વીસમા ખમાસમણના દુહા પાતાલે જસ મૂલ છે, ઉજવલગિરિનું સાર; ત્રિકરણ ને વંદતા, અ૫ હેયે સંસારે. ૩૫ સિદ્ધા, એકવીસમા ખમાસમણના દુહા તન-મન-ધન સુત વલ્લભા, સ્વર્ગાદિક સુખભેગ; જે વાંછે તે સંપજે, શિવરમણી સંગ. ૩૬ વિમલાચલ પરમેષ્ટીનું, ધ્યાન ધરે ષ માસ; તેજ અપૂરવ વિસ્તરે, પૂરે (પૂગે સઘળી આશ. ૩૭ ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચક ઉત્કૃષ્ટ પરિણામથી, અંતરમુહૂરત સાચ. ૩૮ સર્વકામદાયક નમે, નામ કરી ઓળખાણ; શ્રી શુભવીરવિજય પ્રભુ, નમતાં કોડ કલયાણ. ૩૯ સિદ્ધાર ઋષભદેવસ્વામિની સ્તુતિ શ્રી સિદ્ધાચલમંડણ, ભજિકુંદ દયાલ; મરુદેવાનંદન વંદન કરુ ત્રણ કાલ; એ તીરથ જાણું પૂર્વ નવાણું વાર, આદીશ્વર આવ્યા જાણી લાભ અપાર. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ શોવિ Elcloblle llen! おたよ 1 કે 'મ Sejay Jain Grautumal 1 છે. શ્રી શત્રુ જય સ્તોત્ર - 1 | શ્રી સિદ્ધાચળજીનાં મંગળાચરણ ઢાળ- | 2 ) ચૈત્યવંદના 4 6 - ઉદ્ધારવણ ને 4 | શ્રી સિદ્ધાચળજીનાં સ્તવના પાલીતાણા દર્શન 8 | શેત્રુ ગઢના વાસી રે 62 સિદ્ધાચળદશ ન તુત્રા નવાણુ" કરીએ 6 3 શ્રી આદિનાથ દાદાન 14 | વિમલાચલ વિમળા પાણી 64 અન્યોન્ય ટૂંક વણ ન 18 | નીલુડી રાયણ તર તળે 65 સંધવણ વીર આવ્યા રે વિમળાચળકે 6 6 તીય રક્ષણ 29 | એક દિન 5 ડરીક સુધરુ રે 9. કળશ 33 | માર" મન મેલું રે શ્રી સિદ્ધાળે 68 એકવીસ ખમાસમણાં 34 | સુણ જિનવર ધણી 68 શત્રુ જય પીસી 3 | શ્રી શત્રુ જયના એકબીસ ખુમાતીર્થાધિરાજનું સંક્ષિપ્ત વણ ન૪૧ | સમણના દુહાઓ કરી શ્રી ઋષભદેવસ્વામીની સ્તુતિ કરું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com