________________
[ ૩૪ ]
નુતન
ખમાસમણા
તીર્થાધિરાજના એક્વીસ નામના ખમાસમણા.
દેશી : સિદ્ધાચળ સમર સદા, સેરઠ દેશ મઝાર;
મનુષ્ય જન્મ પામી કરી, વંદો વાર હજાર. શ્રી શત્રુંજય તીર્થમાં, આદીશ્વર ભગવાન; નમતા પુણ્ય વધે ઘણું, તેણે મુજ કોડ પ્રણામ. ૧ પુંડરીક મુગતે ગયા, પાંચ કોડ મુનિ સાથ; પુંડરીકગિરિને નમું, સ્વર્ગભુવન સાક્ષાત. ૨ સિદ્ધિ મળે આત્માતણે, શાસ્ત્ર વદે સાક્ષાત; સિદ્ધક્ષેત્ર તેથી થયું, નામ જગત પ્રખ્યાત. ૩ વિમલ શુદ્ધ સહુ થાય જ્યાં, પાપતણે નહીં લેશ; વિમલાચલ પ્રખ્યાત છે, નામ પ્રસિદ્ધ વિશેષ. ૪ સુરવર ઇદ્ર ને અસરા, પ્રભુભક્તિ કરે નિત્ય સુરગિરિ જાણે એહ છે, સુરવાસે છે સત્ય. ૫ મહામુનિ કેઈ પામીયા, પરમ મુક્તિને વાસ; મહાગિરિ તેથી થયું, નામ અપૂર્વ નિવાસ. ૬
પુણ્યનો રાશિ વધે જીહાં, પાપી હોય પુણ્યવંત; પુણ્યરાશિ તેથી કહે, સજજન સંત મહંત. ૭ મેક્ષશ્રી ઈહાં મેળવે, કેઈક સાધુ અનંત;
શ્રીપદ તેથી નામ છે, જગમાં માન્ય મહંત. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com