SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦ ] નૂતન પાદલિપ્તપુર સંઘ ચલાવે, શત્રુંજયને સેવે રે; યવન ઉપદ્રવ બહુવિધ થાતા, અણહિલપુર પછી જાવે છે. તી.૨ સમરાશાહ સરદાર દિલ્લીના, દેશલશાના પુત્ર રે; ઉદ્ધાર કરી તીર્થ રક્ષણ કરતા, વંશ કરે સહુ તત્રરે. તા.૩ સાજનશા ખંભાત પધાર્યા, બહુ વ્યાપાર કરવા રે; વિજયરાજસૂરિ નૂતન રચના, કરતા તીર્થની સેવા છે. તી.૪ પાટણ રાધનપુર ખંભાતી, નૂતન સમિતિ રચના રે, શિષ્ય મેકલિયા પાલીતાણે, રક્ષણની જસ રટના રે. તી.પ પછી ગારીઆધારથી ગોહેલ કાંધાજી બાઈ પદમાજી, બાઈ પાટલદેને લઈ કડવો દોશી અમદાવાદ ગયા. બારેટ પરબત, ગરજી ગેમલજી તથા લખમણુજી વિગેરે સંધ જેગું ખત કરવામાં આવ્યું. જેમાં ગેહલેએ સંધનું મળણું ચેકી કરવી, તેના બદલામાં છૂટક જાત્રાળુ પાસેથી અરધી જામી, એક ગાડે અઢી જામી અને સંધ પાસેથી સુખડી મણ ૧ અને અઢી જામી મળે તેમ ઠરાવ્યું. સંવત ૧૭૧૩માં શાંતિદાસ સહયકરણને શાહજહાને પાલીતાણા પ્રગણું બક્ષીસ આપ્યું અને સનંદ કરી આપી. તેજ સનંદ તેમના પુત્ર લખમીચંદ શેઠને નવી કરી આપી સંવત ૧૮૦૪ માં સુરતથી પ્રેમજી પારેખ સંધ લઈને કનાડ જ્યારે ગયા ત્યારે ગારીઆધારથી નેંધણજી મળણું કરવા આવ્યા. સંવત ૧૮૬૪માં વખતચંદ શેઠને સંધ ગયે તેમને મળવા સામે ઠાકોરથી ઉનડજી આવ્યા હતા. ત્યાર પછી સંવત ૧૮૭૮માં હીમાભાઈ શેઠે કાઠીઆવાડના પોલીટીકલ એજન્ટના સામે જામી, સુખડી, ભાટ, રાજગર અને ચેકીપહેરે, અસ્માની સુલતાની થાય તે ભરી આપવા. એના બદલામાં ઉચક રૂ. ૪૫૦૦ વાર્ષિક આપવા ઠાકોર કાંધાજીએ ઠરાવ્યા. સંવત ૧૯૧૯થી વાર્ષિક રૂપીઆ ૧૦૦૦૦ ને સંવત ૧૯૪૨થી રૂ ૧૫૦૦૦ અને સંવત ૧૯૮૪થી ૬૦૦૦૦ ઠરાવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034984
Book TitleNutan Shatrunjayoddhar tatha Mahtirthne Lagto Upayogi Sangraha
Original Sutra AuthorN/A
AuthorBalchand Hirachand
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1959
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy