Book Title: Kavi Shree Ddula Kag Smruti Granth
Author(s): Manubhai Pancholi & Others
Publisher: Ramabhai Kag
Catalog link: https://jainqq.org/explore/032364/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ RL 928.91471 પંચોળી બ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ સંપાદક મંડળ શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક શ્રી યશવંતભાઈ શુકલ શ્રી ઝીણાભાઈ દેસાઈ “સ્નેહરશ્મિ શ્રી જતીન્દ્ર દવે ડૉ. કુમારપાળ દેસાઈ સહ સંપાદક શ્રી રામભાઈ કાગ શ્રી નાનુભાઈ દુધરેજિયા શ્રી મુકુંદભાઈ શાહ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિ મે ૧૯૭૯ પ્રકાશક શ્રી રામભાઈ કાગ મજાદર પિ. વિકટર - જિ. અમરેલી મુદ્રક નરેન્દ્ર જે. સોની દિલુ પ્રિન્ટરી ૨૬, સત્યમ સોસાયટી, શાહપુર, અમદાવાદ-૧ ટાયટલ અને આટલેટ નટવર સ્મૃતિ પ્રિન્ટસ રાયપુર અમદાવાદ, આવરણ ચિત્ર જય પંચેલી Page #4 -------------------------------------------------------------------------- ________________ અમૃતનો આસ્વાદ મનુભાઈ પંચોળી ‘દર્શક’ દલાભાઈ સૌરાષ્ટ્રની સંપત્તિ હતા. કવિઓ પોતાના રાષ્ટ્રની રિદ્ધિસિદ્ધિ છે. કારણ કે તેમની વાણી દ્વારા તે દેશનું પ્રગટ-અપ્રગટ, જાગૃત કે સુપ્ત સ્વરૂપ દેશવાસીઓને જાણવા મળે છે. બધા લેકે આ દશ્ય કે અદશ્ય કે જાગૃત સુષુપ્ત શક્તિઓને આપમેળે જાણી જાય તેવું કદી બન્યું નથી અને બનવાનું પણ નથી. વનસ્પતિની આંતરચેતનાને અનુભવ વનસ્પતિશાસ્ત્રીઓ દ્વારા જ જેમ આપણને થાય છે, દરેક માણસ જગદીશચંદ્ર બોઝ થઈ શકતો નથી; તેમ પોતાના દેશવાસીઓના વર્તમાન, ભૂત અને ભવિષ્યના સ્વરૂપની સામાન્ય જનને આપમેળે ખબર પડતી નથી. પણ, જે દેશવાસીઓને આની ખબર ન પડે તેઓ દુભાંગી છે, કારણ કે આવી અનુભૂતિ વિના તેઓ પોતાના સમાજની વિસ્તૃત ચેતનાના ભાગીદાર થઈ શકતા નથી અને આવી ચેતના તે જ અમૃતનો આસ્વાદ છે. ક્ષણભંગુર, સ્વાથી અને સીમીત જીવનમાં રહેલ અસીમ ચિદાનંદને અનુભવ પોતાના દેશવાસીઓને કવિઓ કરાવે છે, એટલે જ ખુદ ભગવાને પિતાની વિભૂતિઓ વર્ણવતાં કવિઓમાં “ઉશના” હું છું એમ કહ્યું છે. દુલાભાઈ સોરઠી લેકજીવનના કવિ હતા અને તેઓ માત્ર ભૂતકાળના લેકજીવનના ગાનારા ન હતા પણ બદલાતા લેકજીવનના સૂરો તે સાંભળી શકતા અને સંભળાવતા હતા. તેમનાં ભૂદાન ઉપરનાં કાવ્યો તેની સાબિતી છે. જો કે તેમની આ જાગૃતિ એ પહેલાં પણ હતી, જેમણે “કાગવાણી' ભાગ ૧-૨ વાંચ્યા હશે તેને આની ખાતરી થશે. તેમાં એમણે ગાંધીજી વિષે સૂક્ષ્મતાથી કાવ્યારાધન કNિી દુલા કાગ સૃદિ-1થી Page #5 -------------------------------------------------------------------------- ________________ કર્યુ. છે તેમ નથી, પણ પતનને આરે ઊભેલી રાજપુતીને પણ ચેતવણીના સૂરો વીરરસની કાટિએ પહેોંચાડીને સંભળાવ્યા છે : નાવ મધસાગરે આજ તાય રજપૂત હા ! દેશ જેના ગયા વેશ પણ હજી મૂછ પર ४ ચારણાએ સામાન્ય રીતે પેાતાને તે વાતમાં સારી પેઠે તથ્ય છે. નથી પડતી તેવુ' નથી. પણ સાંભળનારાને ઊભા તે ઊભા તેમને કોઈ સકાય નથી થયા : રજપૂતનું, કરતા; લે જેના ગયા, હાથ ધરતા નભાવનારા રાજાએની પ્રશંસા કરી છે, આ જ વાત રાજગુરુ થતા બ્રાહ્મણાને પણ લાગુ દુલાભાઈ એ જુદી જાતના ચારણ હતા એટલે વહેરી નાખે તેવા ચાબખા રાજપૂતાને લગાવતાં ફક્ત રજપૂતનાં નામ ધારણ કરી, માંસ . વિધવિધ પશુનાં ઉડાવેા; દેશ હાલ્યા રસાતાળ આ ક્ષત્રિયા ! માંસના કઈક પરચા તાવો. વાંઝિયા શ્વાનનાં ખાળ પંપાળતા, પુત્રવાળા ! તમે કાં માા ? આ લીટીઓ જો તે વખતના રાજાઓએ સાંભળીને હૃદયમાં ઉતારી હત તે તેમનું સ્થાન કંઈક અલગ જ હેત! પણ આપણા પ્રશ્ન તા કવિની અંતરચેતના અને તેને પ્રગટ કરવાની ત્રેવડને છે. દુલાભાઈ આવી ત્રેવડવાળા કવિ હતા. લાકજીવન એટલે દરદ્રોનું જીવન એવું નથી. દુલાભાઈ દરદ્રો કે દલિતાના કવિ નથી, પણ લેાકજીવનમાં જ્યાં દરિદ્રતા જોઈ તેને કાવ્યમાં ઉતારતાં તેમને સકેાચ નથી થયા. એમનું ‘હાથી’ કાવ્ય વાંચતાં આ વાતને ખ્યાલ આવશે. લેાકજીવનને અર્થાં જેમ દરિદ્રતાનું જીવન નથી, ભદ્ર લેાકેાની ઉપાસના પણ નથી, લેાકજીવનને પોતાના આધાર તે પોતાનું વાયુમંડળ છે. તેને સાદો પાયા એક નાનકડો સમાજ જે પ્રકૃતિ, પશુ અને ખેતીની આજુબાજુના ઉદ્યોગા પર રચાયેલા છે, જે વૈજ્ઞાનિક રીતે બહુ આગળ વધેલા છે તેવું માનવાની કશી જરૂર નથી. પણ તેના વૈજ્ઞાનિક જ્ઞાનની ઉણપ તેની અનુભૂતિનાં ઊંડાણ સચ્ચાઈથી કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ - Page #6 -------------------------------------------------------------------------- ________________ પ. પુરાયેલાં હોય છે. પશુને સંપર્ક તેના પ્રેમને વિસ્તાર કરે છે. મનુષ્યતર સૃષ્ટિ તરફની પૂર્ણ બુદ્ધિ જગાડે છે. પરસ્પર પ્રત્યક્ષ સ્વરૂપે અવલંબતાં તેને સૌના સુખમાં આપણું સુખ, એવો અનુભવ કરાવે છે અને પ્રકૃતિ સાથેનું તેનું તાદામ્ય તેને ઈશ્વર તરફ વાળે છે. કારણ, તે જુએ છે કે પ્રકૃતિ પર કેટલીક બાબતોમાં તેની સત્તા ચાલતી નથી, અને કર્મફળ પ્રાપ્ત કરવા માટે કેવળ પુરુષાર્થ બસ નથી. માણસ પૂરો સ્વાધીન પણ નથી અને છતાં પૂરો પરાધીન પણ નથી. આ અલૌકિક સત્યને તેને નિત્ય અનુભવ થાય છે. બર્ટાન્ડ રસેલે એક જગ્યાએ વિજ્ઞાનના અતિરેકે મનુષ્યને પિતે ઈશ્વરની સમકક્ષ છે તેવો જે અહંકાર પેદા કર્યો છે, તેમાંથી નિપજતા ભય તરફ આંગળી ચીંધી છે. રસેલની કક્ષાને વિચારક આ સૈકામાં બીજે થયો નથી. તે ધાર્મિક માણસ ન હતા. વિજ્ઞાનને તેમણે પિતાની અદ્ભુત ગાણિતિક મેધાથી પીધું હતું અને તે પછીથી તેમણે આ ચેતવણી ઉચ્ચારી હતી કે ઈશ્વરની સમકક્ષ પ્રતિભ્રમમાં હોવાનું અભિમાન મનુષ્ય જાતિ માટે એક શાપ સમાન નીવડી જશે. આને જ નવા સમાજશાસ્ત્રીઓ બીજી રીતે કહે છે : તેઓ કહે છે, સમાજ ફેઈસ ટુ ફેઈસ સોસાયટી હોવો જોઈએ.' એટલે કે નાનો, એક બીજાને રોજ મળતા, . હળતે, એકબીજાના કામકાજમાં એકબીજા સાથે જોડાયેલું અને એ રીતે એકબીજાને ઓળખવાની સહજ પરિસ્થિતિવાળો હોવો જોઈએ. તે જ માણસ સ્વસ્થતા અને સુખને અનુભવ કરી શકશે. લોકજીવનને મહિમા ગાનારાઓનું પણ આ જ કહેવું છે. તેઓ મનુષ્યને પ્રકતિથી અલગ કલપી શકતા નથી. ખેતરની ખુલ્લી હવા અને વનસ્પતિને સહવાસ તેમને એક નવી સમજ આપે છે. દુલાભાઈ આવા લોકજીવન વચ્ચે રહ્યા તેથી તેમની કવિતામાં પશુ, પંખી, બધાને મહિમા ગાય છે. ગમે તેટલું શેધીએ તે પણ તેમાં સીમેન્ટ, નાઈલેન કે રોકેટને મહિમાં શોધી શકાશે નહિ. આવો પાયામાં પડેલે નિત્ય અનુભવ, એક વ્યવહારુ હાથવગું તત્ત્વજ્ઞાન જાણ્યા પછી માણસને સાર સૂયા વિના જપ વળતો નથી. પણ આ સાર શોધવા માટેની અનુકૂળતા અતિ મોટા ઘટક કે અતિ જટિલ વ્યવસ્થામાં સામાન્ય માણસ માટે શક્ય નથી. નહિ કે ત્યાં સાર શોધવાનું અશક્ય છે ! આખરે જટિલ સમાજમાં પણ કોઈને કોઈ પ્રકૃતિના કાચા મસાલા ઉપર જ ઉત્પાદન થતું હોય છે અને કેઈ ને કઈ વહીવટકારો ત્યાં પણ હોય જ છે. પણ સામાન્ય જનને માટે તે તાંતણે પકડવો, સમજ અને અનુભવવો તે જગ્યાએ મુકેલ છે, તેથી તેમને નિરાંત મળતી હોતી નથી. આજકાઇ - P S ICECII ŠTOI 2011 Page #7 -------------------------------------------------------------------------- ________________ દુલાભાઈનાં કાવ્યોનો અભ્યાસ કરનારા જીવનના આવા સારરૂપ કા સારી રીતે શોધી શકશે : કર્મ કરતાં રહે, કાંકરી, સ્વામી ! ક્યાં શોધણ કરું,’ ‘કાયાને ઘડનારો જાણે ન જાય, કીડીનાં આંતર કેમ ઘડીયાં,’ ‘ગોપીયુને ગમતું નથી રે ગોકુળ'માં વગેરે કાવ્યોમાં જોઈ શકશે. આવાં કાવ્યોમાં તેમની કવિપણાની સિદ્ધિ વર્ણનાત્મક કાવ્ય કરતાં પણ અદકેરી છે. - તળ ગુજરાતમાં લેકવન વહેલું વીલાતું ગયું, સૌરાષ્ટ્રમાં તે જીવતું રહ્યું અને હજુ પણ જીવે છે, તેવો અનુભવ થઈ શકે. એટલે સૌરાષ્ટ્રમાં જન્મેલા આ કવિએ સોરઠી ભાષામાં કંદ ને લઢણોમાં, સોરઠી ઉપમા ને અલંકારોમાં, અને સરઠી આપસૂઝથી ગાયું તેમાં બિરદાવલિ પણ રચી, તેને ઠપકો પણ આપે. ચારણી પરંપરામાં ઉછરેલા અને કવિતાની ઈમારતથી સંજોગોનાં કારણે દૂર રહેલા અને જેને આપણે શુદ્ધ કવિતા કહીએ છીએ, જેનું મુખ્ય લક્ષણ આકાર અને આંતરિક બંનેની સૌષ્ઠવતા માનવામાં આવી છે, તે આમાં ઝાઝી જોવા નહિ મળે. પણ એક મુખ્ય ગુણ અને તેમાંય શ્રાવ્ય કવિતાને મુખ્ય ગુણ સટતા, દલાભાઈની કવિતામાં ઠેર ઠેર આવી સચોટતા મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ સચોટતાનું મૂળ તેમણે યોજેલા ભાષા પ્રાગે, ઉપમા ને અલંકારો તથા લેકદકિટના દૈવતમાં દેખાશે. લેકજીવન રહેશે કે નહિ તે કહેવું મુશ્કેલ છે. ઉદ્યોગવાદને જે પ્રવાહ ચાલ્યો છે, ભૌતિક સુખોની જે ઘેલછા આપણી સંસ્કૃતિએ પેદા કરી છે તે વાજબી ભૌતિક સુખોથી સંતુડ અને આંતરિક ચેતનાના અનુભવમાં પુષ્ટ એવી સમતુલિત લેકસૃષ્ટિને કદાચ ન પણ રહેવા દે ! કદાચ ઉદ્યોગવાદ પણ પલટાય અને પ્રકૃતિ, મનુષ્ય અને પરમાત્મા વચ્ચેનું સમતોલન ઊભું કરવા માટે વિજ્ઞાન અને સમાજશાસ્ત્રીઓ આગળ આવે તેવા વખતે આ અનુભવ, કવિસંચિત વાણી, ઉપાસના, મદદગાર થશે અને તે વખતે દુલાભાઈની કેટલીક કૃતિઓ મૂલ્યવાન સંપત્તિ ગણાશે. લોકભારતી સણોસરા ૮-૨-૭૯ ગ્રંથના શુભેચ્છકે શ્રી હરજીવનદાસભાઈ બારદાનવાળા શ્રી ધીરુભાઈ અંબાણી - શ્રી ઉત્તમચંદભાઈ દડિયા કામિ દુલા કાગ રકૃતિ-ગુણ : Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૯ થી ૪૬ જીવન સંભારણાં કવિશ્રી દુલાભાઈ કાગ : કવિ કાગ અને મેરુભા ગઢવી : પહેલી સરવાણી : લેકસાહિત્યની માળાનો મેર : સ્વમાની ચારણ દેવ : ખલકને મોટી ખોટ : શબ્દબ્રહ્મના ઉપાસક શું ભૂલાય? મજાદર સાહિત્ય રામરહનાં મીઠાં સ્મરણો : હવે સાંજ પડવા આવી છે : બાપુને વંદના : સબ કે પ્રિય સબ કે હિતકારી : સૌરાષ્ટ્રનું અણમોલ રતન : સાચા લેક શિક્ષક : એક બહુમુખી પ્રતિભા : કવિ કાગ અને હું: સુમધુર સંસ્મરણોની યાદમાં : પ્રેરણાદાયી વાણી : સનાતન સત્યના ઉપાસક : ગેબી આત્મા : તુલસીશ્યામના માગે : ભગતબાપુ : લોકસાહિત્યના સ્વામી ભગતબાપુ: પવિત્ર સંભારણાં : : સારસ્વત પુત્રો સૂઈ ન રહે : પ્રિયદશીને કોણ પરાયું ? : કેટલાંક મીઠાં સ્મરણો : ભારતના કવિ : આજ મને મજા આવી છે : સર્વ હિતકારી : દુલેરાય કારાણી જોરાવરસિંહ જાદવ જયભિખુ રતિકુમાર વ્યાસ જમિયત પંડયા દોલત ભટ્ટ અરવિંદ ધોળકિયા દક્ષિણકુમાર જોશી જયંતીલાલ જોબનપુત્રા કલ્યાણજીભાઈ મહેતા નાનુરામ દૂધરેજિયા છોટુભાઈ મહેતા કુંવરજી જી. ભટ્ટ બચુભાઈ મહેતા શંભુપ્રસાદ હ. દેસાઈ ઈચ્છુભાઈ બ. શેઠ . વજુભાઈ દુ. ગાંધી કનુ બારોટ મૂળુભાઈ પાલિયા મહંત હરિકૃષ્ણાચાર્ય હરિસિંહજી ગોહિલ ભોગીલાલ તુ. લાલાણી મહંતશ્રી રામ સ્વરૂપદાસજી જયંતીલાલ ત્રિપાઠી નિરંજન વ્યાસ ચિત્તરંજન રાજા યતિશ્રી જયંત મુનિ કાંતિભાઈ કારિયા અમરદાસ બારાવાળા ૧૦૭ ૧૦૮ ૧૧૩ ૧૧૫ ૧૧૭ ૧૧૮ ૧૨૦ ૧૨૧ ૧૨૩ ૧૨૪ ૧૨૮ છાતી કuિઝ દુલા કાકા ઋદિલ-થિ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ અંજલી ૧૩૦ થી ૧૪૪ જુગતરામ દવે, જયમલ્લ પરમાર, મહંત ત્રિકમદાસજી, સ્વામી આત્મસ્થાનંદ, કૃષ્ણરાજ ઠાકરશી, રતુભાઈ અદાણી, મદાલસા નારાયણ, ફતેહસિંહરાવ ગાયકવાડ, લલુભાઈ શેઠ, શિવરાજકુમાર ખાચર, કે. પી. શાહ, રતિલાલ શેઠ, નરેન્દ્રસિંહ મહીડા, શ્રીકૃષ્ણ અગ્રવાલ, ઠે. ઈશ્વરભાઈ દવે, શશિકાન્ત ભટ્ટ, બળવંતભાઈ ભટ્ટ, બચુભાઈ ગઢવી, પુંજાભાઈ, ભાણાભાઈ ગીડા, ન્યાલચંદ શેઠ, રામનારાયણ ના. પાઠક, દિવ્યકાન્ત નાણાવટી, ખોડીદાસ ઝુલા, મોરારીદાસ હરીયાણી, નિખિલ બક્ષી, નટવરસિંહ, માધુભાઈ દેવચંદ, પી. સી. ચેટરજી, ભોગીલાલ લાલાણી, પટેલ કાંતિલાલ ખેતાભાઈ જી. ડી. વ્યાસ, ગિધુભાઈ કોટક, દક્ષિણભાઈ જોશી અને ધૂમકેતુ' પરિવાર, મંગળદાસ સંઘવી, છોટાલાલ, વજુભાઈ શાહ, વિજયકરણ કવિ, પિંગળશી પાયક, દેવેન્દ્ર વિજય, ઠાકોરભાઈ અમીન, વજુભાઈ ઉપાદ્યાય, વિનોદ મહેતા, જયંતીલાલ પારેખ, વૃજલાલ પ્રભુદાસ, પુરુષોત્તમ પારેખ, મહંત રામસ્વરૂપદાસજી, વેણીશંકર ઓઝા, કાળીદાસ વ્યાસ, નિરંજન વ્યાસ, સંતોકબહેન મહેતા, મનુભાઈ ગઢવી, એસ. વી. સોમૈયા, ચંદ્રકાન્ત ભટ્ટ, યુવક સેવા મંડળ, શારદાગ્રામ, આણદાબાવા સેવા સંસ્થા, ચારણ મિત્ર મંડળ, બોટાદકર કોલેજ, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, ગરાસિયા એસોશિયેશન, શાશ્વતી, (મોરબી) વિવેકાનંદ કે લેજ, (અમદાવાદ) મૂળીના ચારણભાઈઓ, સૌરાષ્ટ્ર સાંસ્કૃતિક મંડળ, ડી. કે. વી. કોલેજ (જામનગર), દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડા, ગંગાજળા વિદ્યાપીઠ (અલિયાબાડા) આસ-સાયંસ કોલેજ (મહુવા) લક્ષ્મણદાસ ચારણ બોર્ડિગ (માંડવી-કચ્છ) લાયંસ કલબ (મહુવા) સેલ શક્તિ ગઢવી સમાજ (આદીપુર કરછ) આકાશવાણી રાજકોટ કેન્દ્ર. કાવ્યાંજલિ ૧૪૬ થી ૧૭૨ દુલેરાય કારાણી, દિલીપ ભટ્ટ, પિંગળશી ગઢવી, કેશવ રાઠોડ, મીઠાભાઈ પરસાણા, હરકિશન જોશી, દેવીસંગ કેશરદાન, ગઢવી ભુરાભા, નારાયણદાસ બાલિયા, સૌરાષ્ટ્ર સાંસ્કૃતિક મંડળ (વલ્લભ વિદ્યાનગર), દયાશંકર નાયક, આ પાભાઈ ગઢવી, શંભુપ્રસાદ હ. દેસાઈ. આપા હમીર, પ્રજાપતિ વલ્લભભાઈ મનુભાઈ ચુડાસમા, દલુભાઈ જોશી, કાન્ત, કવિ મહેશદાન, ભક્ત કવિ “ઊર્મિલ”, મનહરદાન બારહઠ, બચુભાઈ મહેતા, હરગોવિંદ રામી, ડે. ધીરજલાલ મુની, શામજી જેઠવા, કવિ જબરદાન શિવાજી બારોટ, ગિધુ મહારાજ, સંતકવિ અમરદાસજી, શ્રીમાળી મગનલાલ, બાબુલાલ પરમાર, મીર કવિ નાનું ફન્દા, મહંત શાંતિદાસજી, પ્રજાપતિ માધા વીરા, શાંતિલાલ ટપાલી, વજુ ગઢવી, કવિ અંબુ દવે, મગનલાલ મોતીવાળા, મહારાજ ત્રિકમદાસજી, બળદેવભાઈ મહેતા, કવિ “કાન', વિદ્યારામ હરિયાણી. લેખો ૧૮૨ લોક સાહિત્ય અને સર્જાતું સાહિત્ય : પ્રમોદકુમાર પટેલ, ૧૭૮ આર્ષદૃષ્ટા ભક્ત કવિ : રામનારાયણ ના. પાઠક ૧૮૨ કાગવાણી ૧૮૬ થી ૨૧૬ આ ગ્રંથમાં કાગવાણીમાં પ્રસિદ્ધ થયેલાં કાવ્ય પ્રગટ કરવાની અનુમતિ આપવા માટે શ્રી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના સંચાલકના આભારી છીએ, ) રે કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ શe Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રેસન્ન મુદ્રામાં કાગબાપુ Page #11 -------------------------------------------------------------------------- ________________ કાગબાપુઃ યુવાનવયે તેમના નિવાસસ્થાનના પ્રાંગણમાં કાગબાપુની યુવાવસ્થાની તપશ્ચર્યા Page #12 -------------------------------------------------------------------------- ________________ મદરના નિવાસસ્થાનમાં લેખનકાર્ય કરતા કાગબાપુ શ્રી રતિભાઈ અદાણી દ્વારા સન્માનું સ્વીકારતા કાગબાપુ સૌરાષ્ટ્ર અકાદમીના સન્માન પછી કાગબાપુને અભિનંદન આપતા પોરબંદરના યુવરાજશ્રી ઉદયભાણસિહજી. Page #13 -------------------------------------------------------------------------- ________________ ભક્ત કવિ દુલાભાઈ કાગ પ્રયોજિત સરસ્વતી પુત્રોનો ડાયરો સ્વ. મેરૂભાભાઈને ધાબળા અને હાકે આપતા કાગબાપુ બાજુમાં : શ્રી જયમલભાઈ સ્વ. મેધાણીજીના વતન બગસરામાં તેમનું સ્મારક રચથી મુંબઈમાં પણુમુખાનંદ હાલમાં સ્વ. મેરૂભા ગાતા હતા ત્યારે એકાગ્રચિત્તે સાંભળી રહેલા કાગબાપુ. તેમની સાથે શ્રી યમલ્લ પરમાર, ડે. મગનભાઈ ગોંડલિયા અને નાનુરામ દૂધરેજિયા નજરે પડે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ " ભક્તકવિ દુલાભાઈ કાગ પ્રયોજિત - સરસ્વતી પુત્રોનો ડાયરો મનહરના ડાયરામાં કાગબાપુ સંબોધન કરે છે. બાજુ માં સુકાં પદ્ધ સાહિત્યકાર સ્વ. જયંભખુ ભકતકવિ દુલાભાઇ કાગ પ્રયોજિત | સરસ્વતી પુત્રોનો ડાયરો શું જમાડીશું ? ચર્ચા કરતા કોગબપુ, ‘જયભિખુ' અને શ્રી રતિકુમાર વ્યાસ Page #15 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના માજી મુખ્ય મંત્રી શ્રી. બળવંતરાય મહેતાના હસ્તે સન્માન સ્વીકારતા કાગબાપુ બગસરામાં ડો. મગનલાલના નિવાસસ્થાને “રામકૃપમાં સર્વશ્રી વનેચંદભાઈ ડી. ઘેલાણી પીંગળશીભાઈ ગઢવી, મગનલાલ ગાંડલિયા, શિવલાલ ગાંડલીયા અને જગદીશ ગંડલીયા Page #16 -------------------------------------------------------------------------- ________________ કવિ દુલા કાગ - એક ભાવ-મુદ્રામાં [ડાબી બાજુથી શ્રી રતિકુમાર વ્યાસ, કાગબાપુ અને કાગબાપુના પુત્ર શ્રી રામભાઈ કાગ Page #17 -------------------------------------------------------------------------- ________________ સન્માન પછીની પ્રસન્ન મુદ્રામાં ૩૧-૫-૭૪ના રાજ જૂનાગઢમાં કાગબાપુ આઈ સોનબાઈ બાપુને 5 આશીર્વાદ આપે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ કાગબાપુ એમની લાક્ષણિક પોરહભરી છટામાં કાગબાપુ મજાદરના અતિથિગૃહના ફળિયામાં : બાજુમાં તેમના પુત્ર શ્રી રામભાઇના બન્ને પુત્ર Page #19 -------------------------------------------------------------------------- ________________ ભાવનગરના નીલમબાગ પેલેસમાં રાજકબ અને નિમંત્રિતોને રામાયણ વાંચી સંભળાવે છે, કાગબાપુ એમના મજાદરના ડાયરા વચ્ચે : જમણીબાજુ આગલી હરોળમાં શ્રી રાતકુમાર વ્યાસ, શ્રી કલ્યાણુભાઈ અને શ્રી જેઠસુર દેવ. Page #20 -------------------------------------------------------------------------- ________________ કાકા કાલાવાળા જ જોઈ શકાય STEE [ડાબી બાજુથી) શ્રી રામભાઇ કાગ, અમરબાઈ રા. કાગ, રાજુબેને દુ. કાગ, લમીબહેન દુ. કાગ, તેમના હાથમાં રાજવીર રા. કાગ. વિરાભાઈ રામભાઈ કાગ, પૂ. રાજુબહેન દુલાભાઈ કાગ, બાબુભાઈ રામભાઇ કાગ Page #21 -------------------------------------------------------------------------- ________________ કાગબાપુની સમીપે પુત્ર રામભાઈ એ મજાદરના પાદરમાં કાગબાપુના અગ્નિસંસ્કાર કરતા રામભાઇ અંતિમ સંસ્કાર પહેલાનું પવિત્ર સ્નાન કરાવતા સ્વજને. Page #22 -------------------------------------------------------------------------- ________________ ਤੇ ਅਧਾ Page #23 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિગ્રંથ જેમને ભણેલું નહિ એવા ગામમાં નિવાસ, અને થોડું ભાંગ્યું તૂટયું ભણતર છતાં દુલાભાઈ ‘પદ્મશ્રી' જેવી ફાટેલ પિયાલાને કવિ ભારતકક્ષાની શ્રેષ્ઠ વ્યક્તિ બન્યા. કશી તાલીમ કવિતા કંઠ કહેણીને ત્રિવેણી સંગમ' વિના હજારો લાખો લોકોને પિતાની કાવ્યશક્તિ, અને જેમના કૃતિત્વને કે'ણી અને સાગર શા ધીરગંભીર ગળાથી મુગ્ધ કરી જૂનવટના સામર્થના સુમેળવાળું નવપ્રયાણ”. શક્યા, હજારો લોકો પર પોતાના વ્યક્તિત્વની છાપ ‘જેનો પ્રાણ સચ્ચાઈ અને યથાભાષી–તથાકારી સૂત્ર છે' ઉપસાવી અને એથીય વધુ લોકોને જીવનના સુપંથે પ્રબોધક સ્વાતંત્ર્ય ઉષા ભવ્ય બોલી કાગવાણી.” વાળી શક્યા. એ બધાને શું નાનું કાર્ય માની શકીશું ? જેવા શબ્દોથી બિરદાવાયેલ છે એવા સૌરાષ્ટ્રના - દુલાભાઈ જેવા પુરુષો વારંવાર મળવા મુશ્કેલ લેકસાહિત્યના કબીરવડ સમા દુલાભાઈ કાગનું છે. સેંકડો વર્ષના ગાળે તેવા એકાદ જન્મતા હોય છે. આખું યે જીવન એક સંત કવિ અને સાધકનું સ્વ. મેઘાણીએ લખ્યું છે : “મારી નજરે જીવન હતું. દુલાભાઈની ખરી કવિતા એમના જીવનપંથમાં પડી સંત અને કવિ સમાનગુણી હોય છે. સંત આઠે. છે.” એ આદર્શ અને ઉપાસનારત જીવનપંથ અને પહોર સંત છે, જ્યારે કવિ કાવ્યની રચના કરતી એ પંથે પ્રવાસ કરતા ટપકેલ કાવ્યમધુ અંગે પ્રસં. વખતે સંત હોય છે. કવિ કાવ્યો તે અનેક લખે ગોપાત એમણે પોતે પિતાની જ કલમથી જે કંઈ છે, પરંતુ તેમાંનાં ચિરંજીવ એ જ બને છે, જે લખ્યું છે, તે એમના જ શબ્દોમાં અહીં સંકલિત સંતભાવમાં પ્રવેશીને લખાયેલાં હોય ! કરવા પ્રયાસ કર્યો છે. - કવિ ત્રિભુવન વ્યાસે ઘણાંય ગીત લખ્યાં, પણ “મારું જન્મસ્થાન મહુવા પાસે સોડવદરી ગામ.” ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી !' અમર બન્યું. દુલાભાઈના પિતા પોતાની બહેન વિધવા થતાં પ્રાણશંકર યોગી’ નામના એક બીજા કવિએ પણ તેની ખેડ સંભાળવા થોડા વખત સોડવદરી જઈને ઘણું લખ્યું, પણ લોકોને હૈયે સ્પર્શી ગયું એક જ રહેલા, તે દરમિયાન વિક્રમ સંવત ૧૯૫૯ના કારતક -મહેલેના મહેલથી વહાલી અમને અમારી ઝૂંપડી'. વદી–૧૧, ૨૫ નવેમ્બર ૧૯૦૩ના રોજ દુલાભાઈને આનું કારણ એ કે આ કાવ્ય રચતી વખતે તેઓ જન્મ એ સોડવદરી ગામે થયેલો. જેટલા સંતપ્રકૃતિમાં ઊંડા પ્રવેશ્યા હશે, તેટલા શ્રી મેરુભાભાઈએ એક વખત કહેલું : “દુલાભાઈ અન્ય રચનાઓના સર્જન વખતે પ્રવેશ્યા નહિ હોય ! જેવાં નરરને ગમે તે પેટે ન પાકે. એને માટે તે જ્યારે દુલાભાઈમાં તે આ બંને હતાં. એ મા ધાનબાઈ જેવી મા જોઈએ. ફળિયામાં વિયાયેલ તપઃપૂત સંત પણ હતા, અને સહેજ તિવાળા કૂતરી મરી ગઈ. ચાર પિટા જેવાં ગલૂડિયાં મા વિના કવિ પણ હતા. એ જ કારણે લેકસાહિત્યના ક્ષેત્રે ટળવળે. એક થાનેલે પુત્ર દુલાભાઈ અને બીજા એમણે “અરધમાં એકલા” તરીકે આપણે જોઈ થાનોલે એ ચાર ભાવિહોણાં ગલૂડિયાંને આઈએ શકીએ છીએ. ધવડાવીને મેટાં કરેલાં. આવા સાગરપેટા કરુણાસભર અભણ માવતરને ત્યાં જન્મ, જ્યાં કોઈ જ ઉરમાં દુલાભાઈ જેવું મોત નીપજે.' એ કપિશ્રી દુલા કાસા ઋદિ-થિ - R૦૦// , S Page #24 -------------------------------------------------------------------------- ________________ જીવન ૧૧ માતૃપ્રેમ આ મા આઈ ધાનબાઈ અંગેનો એક બનાવ તે દિવસોમાં મજાદરની આસપાસ સો સે ગાઉમાં લો કચર્ચાનો વિષય બનેલ. ૧૯૪૧-૪૨ના અરસાને એ બનાવ. દુલાભાઈ કાગનાં મા ગુજરી ગયાં તે વખતે દુલાભાઈ બહારગામ હતા. તાબડતોબ માણસ મોકલીને તેમને બેલાવાયા. દુલાભાઈ આવે તે દરમિયાન સગાંવહાલાંઓએ અંતિમવિધિની તૈયારી ચાલુ રાખેલી. દુલાભાઈ મજાદર પહોંચ્યા ત્યારે માને નનામી પર લેવાની તૈયારી હતી. આવતાંવેંત દુલાભાઈ માના મૃતદેહ પાસે ગયા અને વિલાપ કરતા કરતા શબના કાન પાસે બાળક માફક મા! મા !” એવા સાદ પાડવા માંડ્યા. થોડા રૂદન, આંસુ અને મા ! મા!ના સાદ પછી મૃતદેહે આંખ ઉઘાડી, ‘તું આવ્યું બેટા !” એમ કહી ઘેડી વાત કરી. આ વાત પર ત્યારે કેટલું તથ્ય ને કેટલી લેકવાયકા તેની ચર્ચા ચાલેલી. લોકોને એક વર્ગ નજરે દેખાય, બુદ્ધિમાં ઊતરે એટલું જ ખરું; એમ માનતો થયો છે. પણ યથાર્થ ચિંતન કરતા એ સ્થિતિ કંઈ ખરી લાગતી નથી. ઈશ્વરે રચેલ સૃષ્ટિનો એકાદ અંશ જ તેણે આપણી સમક્ષ ગમ્ય કર્યો છે. અગમ્ય એવું પાર વિનાનું છે. તેથી, ન દેખાય કે બુદ્ધિમાં ન ઊતરે તે હોઈ જ ન શકે; એમ માનવું એ માનવી માટે ઘણી પ્રાથમિક દશાનું સૂચક છે. આ બનાવ અંગે કાગવાણી ભાગ-૭ની પ્રસ્તાવનામાં સેંધાયું છે કે; “ઉપરની વાત અંગે ધારું તે આજે પૂછી શકું તેમ છું. પરંતુ એવી પૂછવાની ઈચ્છા પણ થતી નથી. હું આ ગ્રંથના ફરમા જતો હતો તે વખતે એક મિત્ર આવ્યા. તેમણે પહેલે ફરમો હાથમાં લઈને “માના દુહા” વાંચ્યા અને તેમની આંખમાંથી ટપ ટપ આંસુ ખટ્વા માંડયાં. થોડી વારે એ બોલ્યા, “ભાઈ, મને બહુ નાને મૂકીને મારી બા ગુજરી ગયાં હતાં. એ “કેવી હતી ને કેવી નહિ એની કશી સ્મૃતિ મારા મનમાં નથી. એને ગયાને પચાસ વર્ષ થવા આવ્યાં, પણ આજે આ દુહા વાંચતાં મને એની જેટલી યાદ આવી અને મારા મને એની સ્મૃતિમાં ડૂસકાં ભર્યા, એટલાં અગાઉ કદી ભર્યા નથી.” કિં કસ્તસ્ય કાબૅન કિં કાણડેન ધનુષ્મત: . પરસ્ય હૃદયે લગ્ન ન પૂણ્યતિ યષ્ઠિર છે. કવિનું કાવ્ય અને ધનુર્ધરનું બાણ, જે સામાના હૃદયે ન ચોંટે તે કાવ્ય કે બાણ શા કામનાં ! પ્રાણના થીજી ગયેલા પિપડાને ઉમા આપીને ઓગાળવાનું, પ્રવાહમાન કરવાનું કામ એ કાવ્યનું કામ છે. જે દુહાઓના જડ (છપાયેલા) સ્વરૂપે એક અજાણ્યા માનવીની પચાસ વર્ષ અગાઉ મરી ગયેલ માતાને એક મનઃપટ પર જાગ્રત કરી; એ દુહા જે વખતે, જે માતાના વિરહથી, જે હૈયામાંથી નીકળ્યા હોય તેણે તે વખતે મડું બેઠું કર્યું હોય, તો તેમાં મને આજે કશું આશ્ચર્ય લાગતું નથી.” દુલા કાગનાં પૂર્વ બીજમાં હોય તે જ વૃક્ષમાં આવે. ૧૩મી સદીમાં થઈ ગયેલ બીજલ કવિ દુલાભાઈના ૭૯મી પેઢીએ પૂર્વજ થાય. માથું માગે તે માથું મળે એવી પ્રાણવાન કવિતાના એ કવિ હતા. કવિતા કરીને રા' ડિયાસનું માથું લઈ આવેલ. સૌએ વાહ વાહ કરી, ત્યારે બીજલ કવિ એ માથા સાથે ચિતામાં પ્રવેશેલ કવિ બીજાને ત્રણ દીકરા. કાગ સુર એમાં નાનો. કાગ સુરના વંશમાં શામળા કાગ થયા. એ સો ઘોડાં ફેરવે, તલવારની રમઝટ ચલાવે, જેના ત્રાજવે બેસે એને તારી દે. એક વાર એના સાથીઓ સાથે લૂંટે ચાલ્યા શેત્રુંજય તીર્થ લૂંટવાની સાથીદારોની મરજી. શામળા રક કuિી દુલા કાગ રમૃnિ-lin Page #25 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – પ્ર‘થ ૧૨ કાગ કહે : કોઈની માની ઇજ્જત ન લેવાય, એમ કોઈના દેવસ્થાનને મલાજો આપણાથી ન લૂંટાય.' કાગ સુરની ૩૬મી પેઢીએ ઝાલા કાગ થયા. ગીરમાં રહે, ઢાર ચારે. દુકાળમાં ઢેર સાફ ! ખાવા ટંકનાં ઠેકાણાં ન મળે. આવા ગરીબ ઝાલા કાગને કોણ દીકરી દે? બત્રીસ-તેત્રીસ વર્ષની ઉંમરે પડ રળે તે પેટ ભરે એ સ્થિતિમાં ઝાલા કાગ મજાદર ગામે આવ્યા. સાથે ધરવખરીમાં એ ભેંસ તે એક પાડા : એ જ એનાં રાજ તે પાટ ! પાડા પર ધરવખરી, અને ભેંસ પર આજિવિકા ! અહી' ચારણની એક ગીયડ અર શાખનાં ૨૫ ગામ. પણ નિયમ એવા કે એક શાખમાં દીકરી દેવાય નહિ, દીકરી લેવાય નહિ. મજાદરના જહા અરડુ જાણીતા ભડ માણસ. એ ગઢવીની નજરમાં ઝાલેા કાગ વસી ગયા. એણે એને ૪૦ વીધાનુ ખેતર ને દીકરી દીધાં. એના દીકરા ભાયા કાગ– ફુલાભાઈના પિતા, સૌરાષ્ટ્રના દક્ષિણ સાગરકાંઠે આવેલા પો આલ્બર્ટ વિકટર નજીકના ‘પીપા પાપ ન કીજીએ’ને ઉપદેશ આપનાર પીપા ભગતે સ્થાપેલ પીપાવાવના પ્રસિદ્ધ મંદિરથી દોઢેક માઈલના અંતરે આવેલુ સત્તર ખારડાની વસતીવાળું ‘મજાદર' એ એમનુ વતન. ફુલાભાઈનુ ઘડતર વ્યક્તિના ધડતર અને ચણતરમાં માતા-પિતાના સંસ્કારા, બાળપણના ભેરુબા, આસપાસનું વાતાવરણ, એમાંની નદી, ડુંગરા, મદિરા આ બધાંનો ફાળા હાય છે. બાળપણની એમની તીવ્ર જિજ્ઞાસાવૃત્તિને પોષણ મળેલુ વાર્તાઓમાંથી. ભાયા કાગ પણ વાર્તા સારી માંડી જાણતા. અવારનવાર આવતા મહેમાન ચારણા, બારોટોની વાર્તાઓ પણ કિશાર દુલાભાઈ રસથી સાંભળતા. વિકટરની નિશાળ એ એમની નજીકની શાળા. તેમણે લખ્યુ છે : “હું ગુજરાતી પાંચ ચેાપડી વિકટરની નિશાળે ભણેલા.’’ સંભવ છે કે એ વખતે નિશાળમાં એથી વધુ ભણવાની સગવડ નહિ હાય ! “તેર વરસની ઉંમરે હું ગાયા ચારતા હતા. મારા પિતાશ્રીને ત્યાં સાઠેક ગાયા હતી, ભેંસા પણ ત્રીશેક હતી. મને નાનપણથી જ ગાયે ચારવાના શાખ લાગેલા. પગમાં જોડા વિના અને માથે પાઘડી વિના હું ગાયો ચારતા. મજાદરમાં ચરાણુની તાણ જેથી પીપાવાવ, ઝોલાપર એ ગામાની સીમમાં પણ ગાયો ચરવા જતી. આખા દિવસ મારે વગડામાં જ વસવાનું હતું. રામાયણનું પુસ્તક સાથે લઈ જતા અને આખા દિવસ વાંચતા. રામાયણ મને તેા હાડોહાડ પહોંચી ગયેલ છે. નાની ઉમર એટલે ગાયા પછવાડે ચાલી ચાલીને પગ થાકી જાય. પાણી પણ કૂવામાંથી સીંચીને જ પાવું પડે. જો કે મારા પિતાએ ગાય ચારવાની ફરજ મને પાડેલ નહિ, એ તેા મારો જ શોખ હતા.’ પરંતુ દુલાભાઈની ગોસેવા અને રામયણનુ' આ અનુશીલન એમના પિતાને રુચિકર નહાતાં. “મારા પિતાશ્રી તે। એ વાતથી નારાજ હતા. કારણ કે ઘરને વહીવટ ઘણા મોટા હતા. પાંચ સાંતી અમારે ઘેર ચાલતાં. નાનાં-મોટાં ઘેાડાં, ભેસા, ગાયા, ઊંટ, બકરાં, બળદ થઈને સવા સે જેટલાં માલઢાર હતાં. વહેવાર પણ ખૂબ વધારેલા. આસપાસમાં સબંધ પણ ઘણા. મહેમાને પણ કવિ દુલા કાગ સ્મૃતિ-થ Page #26 -------------------------------------------------------------------------- ________________ જીવન ઘણા. મહેમાને પણ એક દિવસ ન આવ્યા હોય એવું બનતું નહિ. મારા પિતાશ્રી એ વખતના એક અડીખમ માણસ ગણાતા. એ વટદાર માણસ હતા. પિતાની શેહ બીજા માણસ પર પડે એવું એમનું વર્તન હતું. એ વખતમાં ઠેરની ચોરીઓ ઘણી જ થતી. કેઈ ગરીબનું ઢોર ચોરાઈ જાય, એટલે તરત જ તે ધા નાખો મજાદર આવે. મને બરાબર યાદ છે કે, એ વખતે વાવણી ચાલતી હોય કે લાણી ચાલતી હોય, અથવા ઘરમાં કેઈ બિમાર હોય, તે બધું છોડીને મારા પિતા તુરત જ ઘોડા પર ચડતા, અને એ ગરીબના ઢોરને પત્તો ન લાગે ત્યાં સુધી એ પાછા ઘેર આવતા જ નહિ. એમનાથી મોટા મોટા ભારાડી માણસે પણ બીતા હતા. તેમ એવા એવા માણસો સાથે તેઓ સંબંધ પણ રાખતા હતા. જે પિતાશ્રીની દિશા એ હતી જ્યારે મારી દિશા ગાયે ચારવાની અને રામાયણ વાંચવાની. એટલે એમના મનમાં મને જોઈ હર વખત ખેદ થતો. અને કયારેક એ કહેતા પણ ખરા કે “મારું આવડું મોટું કમઠાણ એનું શું થશે ? આ તે છતે દીકરે સીતારામ !' આ બધા વિચારે ઘોળાતાં ઘોળાતાં એમને એક ઉપાય સૂઝયો કે, દીકરાને દારૂ-માંસ ખવરાવું તે આ બધું છોડી દે. પણ મને દારૂ પીવાનું કહે કે? પતે તે ઘણીવાર કહેલ, પણ કાંઈ ન વળ્યું. એટલે હવે કોઈ બીજા મારફત એ કામ કરાવવું એમ એમને લાગ્યું.” દુલાભાઈની આસપાસની સૃષ્ટિમાં આવા માણસોને તેટો ન હતે. મારી આસપાસ એ જાતની સૃષ્ટિ હતી.” આસપાસની સૃષ્ટિ આહીર, ખસિયા, બાબરિયા, ગરાસિયા એ કોમમાં એ વખતે દારૂ પીવામાં—પાવામાં, એવી એવી મિજલસો કરવામાં, ચોરી કરવા-કરાવવામાં, બહાર, વટિયાઓને આશરો આપવામાં, પિતાથી બીજાં માણસે થરથરે, એવું વર્તન રાખવામાં ગૌરવ મનાતું એ માણસોમાં એ વખતનાં અનિષ્ટ તત્વોમાંના ઘણાં જ પડ્યાં હતાં; પણ સાથોસાથ સાચી માણસાઈને છાજે એવાં સરસ તો પણ હતાં. ભેળપણ, હૃદયની નિખાલસતા, શૂરવીરતા, કેઈની બહેનદીકરી સામે કૂડી નજર ન કરવી, ગમે તે અને ગમે તેટલી આંખની ઓળખાણ સિવાયના દેશપરદેશી આવે તે તેમની મહેમાનગતી કરવી, ગરીબો તરફની ઉદાર વૃત્તિ, મિત્રતા સાચવવા માટે પ્રાણુ સુદ્ધાં આપવાની ટેક પાળવી, એવાં એવાં ઊંચાં તો એમનામાં હતાં. એ માણસો ખરે વખતે તોપના મોઢામાં ઓરાવા તૈયાર થાય એવા નીડર અને અડીખમ હતાં. આજે નવા જમાનામાં એ માણસો હોત તે એ ખરાબ તો નાશ પામીને તેઓ નવા યુગના સરસ માણસો બનત. મારી આસપાસના જગતમાં સાંગણીઆ, કંટાળા વગેરે ઠેકાણાં એવાં હતાં, કે જ્યાં સ્નેહીઓને અથવા કોઈ પણ માણસને નીમ હોય તે પણ જબરદરતીથી દારૂ પાવામાં આવતો હતો, એમાં મોટાઈ મનાતી.” દારૂ-માંસની ટેવ પાડવાનો પ્રયાસ દુલાભાઈના પિતાએ દુલાભાઈને દારૂ-માંસ પીતાં –ખાતા કરવાનું કામ સાંગણિયાના એક સંબંધી હીપા મોભને સોંપ્યું. “મહુવા પાસે માલણ નદીને કાંઠે સાંગણિયા નામે ગામ છે, મારા ગામથી છ ગાઉ દૂર થાય. ત્યાંના | કવિબ્રી દુલા કાગ ઋતિ-ગુંથી Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ હીપા મેભને અને અમારે ત્રણ પેઢીને સંબંધ. એ પણ બધા મર્દ માણ. કઈ પણ હલકાઈનું તત્ત્વ એમનામાં નહિ અને સાવ સાધુડિયા પણ નહિ. હીપો મોભ હીપે મે મારા પિતાને કાકા કહેતો. પણ ઘણે જ સુખી માણસ. બાર સાંતી હંકાવે. બસે જેટલાં માલ-ઢોર રાખે. ઊંચી જાતના પંદર તે ઘોડા એને ત્યાં બાંધ્યા રહેતા. તેને ઘેર જઈએ ત્યારે છોટા શા દરબારને અણસાર આવતો. એક દિવસ મારા પિતાએ હીપા મોભ સાથે મને દારૂ પાવા વિષે બધી વાત નક્કી કરી. હીપે મોભ મહિનામાં એકબે વાર મજાદર આવે. - રાત્રે મને એણે બોલાવ્યા. પાદરમાં આવેલા અમારા ખેતરમાં જઈ અમે બન્ને બેઠા. ધીરે ધીરે એણે વાતની શરૂઆત કરી. મેં એને એટલું જ કહ્યું કે “ભલા માણસ ! તમારે અને અમારે ત્રણ પેઢીનો સંબંધ છે અને તારા જેવા ભડ માણસના મેંઢામાંથી મને એક બાળક જેવા માણસને દારૂ પાવાના શબ્દ નીકળે, તે સારી વાત ન કહેવાય. સ્નેહી તો તે જ કહેવાય કે જે ખરાબ રસ્તેથી સારા રતે લઈ જાય. વળી તું આહીરને દીકરો અને મને ચારણને દારૂ પીવા ઊભો થયો, તે તને શોભતું નથી.’ મારા એટલા જ વેણની એને ઊંડી અસર થઈ ગઈ. મારા પિતાને એણે તુરત જ કહ્યું કે, “આ ચામડું આવ્યું નથી, રંગાઈ ગયું છે. માટે હવે એને આપણે પંથે ચડવાનું કહેવું તે વ્યર્થ છે અને પાપ છે.” * ત્યાર પછી પણ દારૂ પાવા બાબતે મારા પર ઘણીયે ઘડીઓ વીતી ગઈ અને હીપા મોભ સાથે મારી મિત્રતા દા'ડે દિવસે વધતી ગઈ. 1 હું કવિતા બનાવતાં તે શીખી ગયો હતો એટલે મનમાં એક નવો શોખ જાગ્યા હતા, કે કોઈ દરબારની કવિતા કરવી અને ઈનામ-અકરામ લેવું. ફરવા જવું, સારા સારા દરબારને ત્યાં જવું પણ એ કોટ ફૂટવ્યો, ત્યાં જ મારા બાળમિત્ર હીપા મોભે એને મૂળમાંથી જ ખોદી નાખ્યો. મને બોલાવીને એણે કહ્યું : “તારે કોઈ દિવસ ક્યાંય પણ પૈસાની માગણી કરવી નહિ. આપણું ઘર એક જ કહેવાય, માટે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે સાંગણિયે ચાલ્યા આવવું. ભાયા કાગને દીકરો ડેલીએ ડેલીએ ભટકે, એ વાત સારી ન કહેવાય.” મારા પિતાશ્રી મને વાપરવા પૈસા આપતા નહિ. મારે તે તીર્થયાત્રા કરવા જવું હતું. જૂનાં જૂનાં સ્થળે જોવા જવું, સાધુ-સંન્યાસી પાસે જવું, એટલે પૈસા વિના કેમ ચાલે? પછી તે હું સાંગણિયે મહિનાના મહિના રહેતો. રામાયણ મહાભારત વાંચ્યા કરું, પ્રભુસ્મરણ કર્યા કરું, અને મુસાફરીએ જવું હોય ત્યારે પૈસા ત્યાંથી લઈ જાઉં. મારી અયાચકતાનું મૂળ કારણ હીપે મોભ છે, કારણ કે નાનપણથી માગવાનો છંદ મને લાગે હોત, તે કોણ જાણે આજે હું ક્યાં હોત ! આજે એ વાત સાંભરે છે, ત્યારે જીવ થંભી જાય છે. એ ગામડિયા માણસની રહેણીકરણી, એની મહેમાનગતી, વ્યવહાર-કુશળતા અને અડગપણું, એ બધું હજુ જાણે મારી સામે જ ઊભું છે. હસતાં કે ગમ્મત કરતાં એ આહીર કઈ દિવસખોટું બોલતો નહિ, અને જે બેલ્યા હોઈએ એ પાળવું જ જોઈએ, એ એનું જીવનતત્વ હતું. મારાં આચરણ એને બહુ જ ગમી ગયાં હતાં એટલે અમારી મિત્રતા હાડોહાડ સુધી પહોંચી ગઈ હતી. પછી તે એમને ઘેર જવામાં બાઈઓ અને બહેને મારી લાજ પણ કરતાં નહિ. એક વખત મારા પિતાશ્રીએ, છેવટે થાકી જઈ મારી આગળ એક હાથમાં પાઘડી ઉતારી અને બીજા . હાથમાં દારૂની પ્યાલી લીધી. એ દેખાવ મારા હુ હું કવિ દુલા કણ ઋતિ-ગ્રંથ છે. છે Page #28 -------------------------------------------------------------------------- ________________ જીવન ૧૫ હૃદયમાંથી હજી પણ ભૂંસાયો નથી. હું દિમૂઢ બની ગયે. ત્યાં હાપા મોભે ઊભા થઈ, દારૂની પ્યાલી ફગાવી દીધી અને પાઘડી મારા પિતાને માથે મૂકી. આવાં આવાં અનેક ધર્મસંકટોમાંથી મને એણે બચાવેલો. જો કે પોતે દારૂ-માંસ ત્યાગેલ નહિ, તે પણ મારા માટે આ જાતની એની મમતા બંધાઈ ગઈ હતી. મારે અને હીપા મોભને નવ વરસ સાથે રહેવાનું બન્યું, અને જ્યારે જોઈએ ત્યારે એ એક જ માણસ એવો હતો કે જે મારી બધી જરૂરિયાત પૂરી પાડતે. એટલે હું મોટો થયો ત્યાં સુધી બીજે ઠેકાણે મારે ભટકવું પડયું નહિ. એક મરણ મારા અયાચકવ્રતને ઘડનાર એ માણસ હતો. પિતાના વચનની એને કેટલી કિંમત હતી એની એક વાત લખી દઉં. . ગીરની સરહદના ખાંભા જેવું કંટાળા ગામ છે. ત્યાં હું મારી ગાયો લઈને ચોમાસે જતે ગાયો ચારવા સાથે મને ગીરમાં ફરવાના કેડ તે હતા જ. ત્યાં હું રામ નળને ત્યાં રહે. રામ નળને અને મારા પિતાને ઘણો જ સંબંધ હતો. ચોમાસાના ચાર મહિનામાં હીરે મેભ મને મળવા આઠ-દસ આંટા કંટાળે આવી જતા. એક વખત અષાઢ મહિનામાં આવેલ. એને મેં કહ્યું કે આ વખતે જન્માષ્ટમી આપણે સાથે કરવી છે, માટે તે પર જરૂર અહીં આવવું. એણે હા કહી. પ્રસંગ એ બન્યો કે બરાબર બળેવથી વરસાદ શરૂ થયે અને હેલી મંડાણી. ગીરના ગાંડા વરસાદ. એક દી, બે દી, એમ જન્માષ્ટમી સુધી વરસાદ બંધ ન થયો. નદી-નાળામાં પૂર ઊતરતાં જ નહિ. એ ડુંગરાની વસમી નદીઓ. જન્માષ્ટમીને આખો દિવસ ગયો. મને મનમાં તો એમ થતું કે હીપે મોભ જરૂર આવશે, પણ જ્યાં વરસાદ સામું જોતે, ત્યાં જીવ ના પાડતો હતો. અમે રાતે જમીને સૂવાની તૈયારી કરતા હતા, વરસાદ હજી ચાલુ હતો, જમીન પર ચારે કોર પાણી પાણી થઈ ગયું હતું, પૃથ્વીથી વરસાદ સહન ન થતાં ખેતરોમાંથી સરવાણીઓ ચાલી નીકળી હતી અને ગીરની રાત તો હબસીના મોઢા જેવી જામી હતી. ઘટાટોપ વાદળાં આભમાં અથડાતાં હતાં. સાથેસાથ કડાકા કરતી આખે આભે વીજળી અને વીજળીના અજવાળામાં રાક્ષસની સેના ઊભી હોય એવા લાગતા એ ગીરના પહાડે. એ રાતમાં કયે માનવી પોતાના ઘર બહાર હોય ? અમે તે રામ નળની ડેલીમાં હજુ લાંબાં ડિલ કરી સૂવાની તૈયારી કરતા હતા, ત્યાં બહારથી સાદ આવ્યો : “ભક્તા ! એ ભક્તા !' મને એ ક્યારેક કક્યારેક ‘ભગતને બદલે ‘ભક્તા’ કહી બેલાવતે. હોંકારો દઈ મેં ડેલીનાં બારણાં ઉઘાડવાં. “અરે ભલા માણસ ! અત્યારે અને આવા વરસાદમાં ! વચ્ચે મેથાળો, રાકડી, લાપરી, ઘાંત્રવડી, એ ભયંકર નદીઓમાં ઘોડો કેમ ઊતાર્યો ? અને આટલું સાહસ ખેડવા કાંઈ કારણ ખરું ?” એક જ વેણ બોલ્યા : “પ્રાણ જાઈ પર બચન ન જાઈ. ભાઈ, તું રામાયણ વાંચે છે ત્યારે આ પાઈ તે મેં ઘણી વાર સાંભળી છે. માણસને પોતાના વચનથી જીવ પણ વહાલે ન હોવો જોઈએ.’ મારી અને એની વચ્ચે આવા અનેક પ્રસંગે પડવા છે. પિતાના વચનની એને એટલી કિંમત હતી ! મારી સાથે એને આત્મા રંગાઈ ગયો હતે. મારા દરેક આચરણનો એ ઉપાસક હતો. દારૂના કે એવા અનેક હલકા પ્રસંગમાંથી એ માણસે મને તારી લીધેલ. આ રીતે અમારે નવ વરસ વીતી ગયાં. એની જગતની મુસાફરી પૂરી થઈ. સં. ૧૯૭૭ના ભાદરવા વદ ૫ ગુરુવારે મને અયાચક ઘડનાર મારી કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ મા. Page #29 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ એ મિત્ર આ જગતમાંથી અલોપ થયો. મને એના ગીગારામજી પાસે. ત્યાં એક મોટા સંત આવ્યા છે. મરસિયા ગાવાનું મન કેમ ન થાય? એને સોપું એટલે આ સીંદરાં તાણતો મટય !' આવા આવા મારા જીવનના ઘણા જ પ્રસંગે બાપ-દીકરો મુક્તાનંદજી પાસે પહોંચ્યાને આપા છે. ગામડાંના માણસોમાં ઊંચી જાતનાં અજબ ભાયાએ દુલાભાઈને એ સંતના હાથમાં સંપ્યા. ખમીર ભર્યા છે. દુલાભાઈનું અટકેલું ભણતર પુનઃ શરૂ થયું. એ માણસ તે મરી ગયો. અને મારે એના એમણે વિચારસાગર, પંચદશી ગીતા મોઢે કરવા મરસિયા જ ગાવા રહ્યા. આહીરોમાં વણાર શાખા માંડવ્યાં અને એક દિવસ કહે : “મારે કચ્છ ભૂજ આહીરો હોય છે. વણાર આહીરની વસ્તી ગીરથી જવું છે. ત્યાંની ગોરજીની પિંગળ પાઠશાળામાંડીને ઠેઠ ઘોઘાબારા સુધી છે. એની બીજી શાખા પોષાલમાં કવિ પાકે છે.” મેભ હતી અને અટક ચહુવાણ હતી.” મુક્તાનંદજીએ બે હાથ લાંબો કરી કહ્યું: ‘અહીં જ ભૂજ છે, અહીં જ પિવાલ છે. ભૂજ જવાની સંતને મેળાપ જરૂર નથી.' એમણે કિશોર દુલાભાઈની દસ આંગળીદુલાભાઈ કહેતા : “ભક્તિમાં મન તે સમજણ ઓમાં પોતાની દસ આંગળીઓ ભેરવી–આંખે આંખ થયો ત્યારથી લાગી ગયેલું. પોષ મહિનો અને વદ મિલાવી. ગોઠણે–ગોઠણ અડક્યા અને પછી કહ્યું : તેરસ હતી, ગમે એવો ઠંડો વાયુ વાત હતો, ‘જા, સવૈયા લખી લાવ.' ઝોલાપરીમાં નાહીને બહાર આવ્યો ત્યાં કાંઠે એક દુલાભાઈએ લખ્યું: તેજસ્વી સંત ઊભેલા દીઠા. ભવ્ય લલાટ, ભગવી “ડત હૈ મૃગ હૃહત જંગલ, કંથા: એમણે પૂછયું: “બેટા, તારે કવિતા શીખવી છે?' બંદ સુગંધ કહાં બન બસે ? મેં હા કહી, એમણે મારો પરિચય પૂછળો, નાત જાનત ના મમ નાભિમે હૈ અંદ, પૂછી. મેં એને બધું કહ્યું. તેઓ કહે “ચાલ, મારી હું હી બિચારી મન મૃગ ત્રાસે; યુ હેં નર શઠ રહે હરિ ખોજત, સાથે. તને એ વીંછીના મંતર શીખવું.' ભ્રમ થકી ચિત્ત ન ન ભાસે, મારાથી એમ ન અવાય. મારો બાપ ખીજે! કાગ કહૈ યે ગુરુ મુક્તાનંદ, મારી આ ગાવડિયું મારી વાંભ વિના કમાંથી આપ હી આતમ જ્ઞાન પ્રકાશે.” બહાર પગ ન મૂકે.’ મેં કહ્યું. સત્તર વર્ષની વયે ફૂટેલું આ ઝરણું-આ સરવાણી મરક મરક હસતાં એ કહે: ‘તારી ગાયને પછી તે વિશાળ મહાનદ બની રહી. તારાથી સવા શેવાળ મળે ને તને તારો બાપુ ચારણો વીરરસના ગાયકો છે. પછી એ વીરત્વ પડે મને સોંપી જાય તે ?” ” કોઈ માનવીનું હોય કે અન્ય પ્રાણીનું ! ચારણકવિ દુલાભાઈ ઘેર ગયા. એક ભાભો ગોવાળનું કામ તેને બિરદાવવાનો. એવા એક શૌર્યને બિરદાવતાં માગવા આવેલે, ભાયા એની સાથે માથાકૂટ કરતા તેઓ લખે છે : હતા. દુલાને જોઈને બોલ્યા : “આ ગાયું છોડવી છે ભેંશ અને સિંહની લડાઈ તારે?” “હા” સાંભળી બાપને પણ નવાઈ લાગી. “મારી ગાય લઈ હું ગીરમાં કંટાળા ગામે થોડી વારે કહે : “હાલ મારી હારે–પીપાવાવના વરસોવરસ જ. રામ નળની સાથે તે ઘણી જ ( કપિશ્રી કુણા કાકા સ્મૃતિ-ઝાંથ))))))) Page #30 -------------------------------------------------------------------------- ________________ એળખાણ થઈ ગયેલી. એટલે પછી તેા હું ગીરના નેસડાઓમાં ખૂબ ભટકયો. કંટાળા રહું, તુલસીશ્યામ રહું, સરાકડિયા, મીંઢા, ખજૂરી, મવડા, લેરિયા, અરલ, શિખલકાબા એ બધા નેસડામાં રહેતા. એક દિવસ હું ખજૂરીને નેસ હતા. રાતે વાળુ કરી અમે એક ઝૂંપડામાં બેઠા હતા. રામ નેળની ભેશા ત્યાં હતી. એકમાં એ’શીક જેટલી ભેશેા બેઠી હતી. ત્યાં સાવજે આવીને વાણુ નાખી (સાવજ પોતાનું મોઢુ ઉધાડી અંદરથી દુર્ગંધી શ્વાસ બહાર કાઢે છે તેને ‘ વાણ નાખી ’ કહેવાય છે. તેનાથી સર્વે ભેશે ઝોકમાંથી બહાર નીકળી જાય, એટલે એને જમવાની સગવડ પડે.) જીવન પણ આ તો રામ તેાળનુ ખાડું; એ કાંઈ સાવજને ગણકારે નહિ. ભેંશા એકદમ ઊભી થઈ ગઈ અને ઝીણે ઝીણે અવાજે કણકવા માંડી. અમે ઝૂપડામાંથી બહાર નીકળ્યા. હરિકેન હાથમાં લઈ ઝોકમાં આવ્યા. ત્યાં તે। અજબ બનાવ જોયા. માટી મેાટી ભેશો નાનાં પારુને માથાં મારી વચ્ચે રાખતી હતી. અને લાંઢકી ભેંશો ચારે તરફ ગાળાકારમાં ગાઢવાઈ ગઈ હતી. અને એમનાં રુંવાડાં સૂયાની જેમ ઊભાં થઈ ગયેલ જોયાં. એ રૂપાળી ભેશો તે વખતે વિકરાળ લાગતી હતી. કાંગલ રામ તેાળના ભાઈના દીકરા હાદો નાળ ત્યાં હતા તેણે ઝાંપા ઉધાડી ‘બાપ કાંગલ !' એટલું વેણ કહ્યું, ત્યાં કાંગલ એકદમ ખાડુમાંથી બહાર આવી. ઇશારતથી સમજાવી એટલે એ કાળી રાતમાં એકલી કાંગલ નામની ભેંશ સાવજને શોધવા ચાલી નીકળી. તેની પાછળ જવા બીજી ભેંસ પણ ઝાંપામાં ભીંસાભી'સ કરવા માંડી, પણ તેમને હાંકલી રાખી અને કાંગલ તે ગઈ સાવજને નસાડવા ! લગભગ રાતના ત્રણ વાગે ભળકડાને વખતે ૧૭ કણકતી કણકતી કાંગલ આવી. ગોવાળે ખેલાવા કરી કાંગલને આવકાર આપ્યા. હું તે। કાંગલને જોવા એકદમ ગયા. ત્યાં તે શરણાઈના માઢા જેવાં ફૂલેલ નસકેારાં, ચકળવકળ આંખા અને ગળામાંથી સાવજને નસાડવાની મગરૂરીના અવાજ આવતા હતા. આ બનાવ મેં પહેલવહેલા જ જોયા. મને હાદા નોળે કહ્યું કે, ‘સાવજને એવે! તગડથો હશે કે હમણાં મહિનેા માસ પાા લાલચ કરી આ નેસડે નહિ આવે.' કાંગલ ઝેકમાં આવી ત્યારે બધી ભેશો જાણે કુશળ સમાચાર પૃથ્વી હોય તેમ તેના ઉપર ગળાં નાખવા માંડી, તેને સુંધવા માંડી.'' બીજે દિવસે એમણે કાંગલ અને સાવજની લડાઈનું ગીત રચેલું. મેઘાણી સાથે મિલન આંસાદરના દાદાભાઈ ગઢવીએ મેધાણી સમક્ષ જેની ‘ફાટેલ પિયાલાના કવિ' તરીકે ઓળખાણ આપેલ તે દુલાભાઈ અને મેધાણીજીનુ મિલન ભાવનગરમાં શ્રી લક્ષ્મીનાથ વ્યાસને ત્યાં થયું. થાડા જ વખતમાં એ મિલન અતરે ગાંઠયુ જેવુ બની રહ્યું. શ્રી મેધાણી લખે છે કે · મારી નજરમાંથી દુલાભાઈ ચારણ, દુલાભાઈ કવિ, દુલાભાઈ ભગત, દુલાભાઈ પૂજનીય પણ મટી ગયા છે. દુલાભાઈ ભાઈ બન્યા છે, ' દુલાભાઈ તે દારૂ વડે વટલાવવા જે પ્રયાસા થતા તે મેધાણીભાઈએ પણ ટાંકથા છે : “તુલસીશ્યામની મુસાફરીનો એક બનાવ બરાબર યાદ રહ્યો છે. નવા મહંતને ગાદી સોંપાતી હતી. બાબરિયાવાડના ગરાસીઆભાઈ એના ડાયરા મળ્યા હતા. રાજ રાજ દુલાભાઈ ને સુખે લેવરાવવાની ધડ ચાલતી. મનામણાંની રીતે। પણ ન્યારી ન્યારી હતી. કોઈ દબાણ કરતા, કાઈ રાષ ઠાલવતા, તે કાઈ ભાઈ તેા વળી એટલી હદ સુધીની ગાળ ભાંડતા કે, અંતે તે। કાગડો ખરા ને? કાગડાના કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ અને શ - Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ - ગ્રંથ મેંઢામાં રામ હોય કે દી'? (દુલા કાગડે, કેમ કે એની સાખ, “કાગ' છે.) અડગપણું એ તમામ પ્રહારો ખમી ખાતા દુલાભાઈની સામે આખરે મેં એક જુદી જ મૂતિ ઊભેલી જોઈએક પવિત્ર, પ્રભુપરાયણ અને હાડેહાડ પરમાર્થમાં ગળી પડેલ ગરાસદાર ઃ એનાં મેંમાં અપશબ્દ નહોતે; પણએ ભાઈ! બાપા! પાઘડી ઉતારું તારે પગે, મારા બાપ ! ફક્ત મારું વેણ રાખ, એક જ છાંટ લે! જે ભાવથી મા બાળકને કરગરે તે જ આ ભાવ હતો. ને એ ભાવ દુલાને અફીણ લેવરાવવામાં વપરાતે હતો ! ગાળો દેનારને સામા શબ્દો સંભળાવવાનું સહેલ હતું; પણ આ પાણીનો કળશ ભરીને કસુંબાની અંજળિ ધરી ઊભા રહેનાર સન્મિત્રની કાકલુદી સહી લેતાં દુલાભાઈને ખૂબ આકરું પડયું. છતાં એમણે કંસુબાનો છાંટો ન લીધો તે ન જ લીધે. જ્યાં ગામગામ વચ્ચેના સીમાડા હજુ પણ તકરારોનાં લેહીછાંટણાં ભાગે છે; જ્યાં ગામગામ વચ્ચેનાં વેર ફેંક વર્ષોના અપૈયા પળાવે છે; જ્યાં અફીણ વગર ઈજજત ન કહેવાય; જ્યાં કસુંબાની અંજળિઓ હાથી જેવા નવજુવાન ગરાસીઆઓનાં હાડને ભાંગી ભુક્કો કરે છે, જ્યાં મોડી રાત સુધી ચૂલે ઝાલીને બેસી રહેતી પત્ની, પરિણાઓ સાથે ડેલીએ દારૂ ઉડાવતાં ધણીની વાટ જોતી જોતી લે જઈને પોતાની અસ્તવ્યસ્ત લટોને ચૂલાની આંચમાં સળગી જવા દિયે છે; જ્યાં સ્ત્રીઓના આ જાતના ભોગે ચાલી રહેલી રોજના પચીસ પચીસ મહેમાનની પરોણાચાકરી પતિને અમીર દિલને, દાનેશ્વરી તેમ જ રોટલે પહોળો લેખાવૈ છે; જ્યાં મોજમાં આવેલો જમીનદાર પિતાને બિરદાવનાર ચારણને “બાયડીછોકરાં સિવાય’નું પિતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થાય છે; જ્યાં ઉઘાડા પગે ગૌધનને ચારવાનું નીમ લેનાર દીકરા પિતાના બાપને “ભગતડે” ને બગડી ગયેલે” ભાસે છે; એવા વ્રતપરાયણ પુત્રને જ્યાં પિતા પોતે દારૂ પિવરાવવા, અનાજ ખવરાવવા અને તરવાર બંધાવી ત્રાસ રૂપ બનાવવા પિતાના મિત્રોની મદદ માગે છે; જ્યાં ગ્રામ્ય પ્રજાની નીતિરીતિ નાશ પામેલ છે; ગરાસદારોની કાયાઓનાં હાડકાં હરામનાં બનેલ છે; રંડીબાજીને અને બીજી કંઈક જાતની રંજાડોને જ્યાં કાયદાના હાથ પહોંચી શકતા નથી; જ્યાં દેવસ્થાને મહંતપદનાં કલહસ્થાને બનેલ છે; જ્યાં બહારની દુનિયાના વાયરા પહોંચતા નથી અને પિતાની દુનિયાના વાયરા ગંધાઈ ઊઠડ્યા છે; જ્યાં જૂના જીવનનાં ખમીર ખૂટ્યાં છે ને નવા જીવનનું લેહી નિપજેલું નથી; એવી એક અર્ધદગ્ધ, બંને રીતે ભ્રષ્ટ, ત્રિશંકુ દશા ભગવતી દુનિયામાં દુલાભાઈને નિવાસ છે. એમનું પોતાનું લખેલું આત્મચરિચ મારી સામે જ પડયું છે, ઉપર કહી તે સૃષ્ટિમાંથી દુલાભાઈ શી રીતે ઊગર્યા, જીવ્યા ને જીત્યા, તેને એમાં રસભર્યો ચિતાર છે. આધ્યામિકતા પિતાના નામે દુલાભાઈની મથરાવટી મેલી; ચારણ કોમને નામે એમનું નામ શાપ અને વંદનની વચ્ચે સંડોવાયેલું; ફોજદારી ગુનાઓમાં ખપે તેવા કજિયાની પણ ઘરમેળે પતાવટ કરાવી અનાડી ગ્રામ પ્રજાને કાયદાના વિનાશક શરણપંથથી પાછી વાળવાના એમના પ્રયાસે વહેમ જન્માવે; દેશી રાજ્યોની અમલદારશાહીના આડાઅવળા વહેતા ગુપ્ત પ્રવાહ વચ્ચે ઊભીને એમને ગ્રામહિત સાધવાની વિટંબણાઓ: આ કારણોથી દુલાભાઈ એટલે ઘણા ઘણાને મન એક અકળ કોયડો ! ગાંધીજીનું શું ? અસ્પૃશ્યતાનું કેમ ? ધર્મને અને વરણાવરણીને આ શા આંચકા લાગી રહેલ છે? તમારી સાહિત્ય-કવિતાનાં શાં રહસ્ય છે ? પ્રશ્નોને NI' SANDIR ECHI SIII 23 Page #32 -------------------------------------------------------------------------- ________________ જીવન પાર ન રહેતા. સહેજે દારવાઈ જનારી એમની વૃત્તિ નહેાતી. તર્કો ને દલીલાને તેડ એ તર્ક ને દલીલો વડે જ લાવતા. ઘણીવાર તેા એટલા બધા સનાતની લાગતા કે ખીજ ચડે. બાળપણના સંસ્કાર નાનપણથી જ અધ્યાત્મના વાયરા વાયેલા : ઉધાડે પગે રાજ સાઠ સાઠ ધેનુઓને ચારવાનું તેમ જ કૂવામાંથી સ્વહસ્તે પાણી ખેંચીને લાવવાનુ વ્રત–નીમ રાખેલું; સ્વામીએ તે સાધુઓના સમાગમ કરેલા : પીપાવાવ અને તુલસીશ્યામ જેવાં તીર્થા જોડે દિલ જડાયેલુ’; સંસ્કૃત શાસ્ત્રો અને પુરાણાના પરિચય કરેલા તથા ગ્રામ દુનિયાની રુઢિગ્રસ્ત જિ ંદગીમાં જ પુરાવું પડેલુ : એવા આ માણસને સનાતની સંસ્કારના થથરા ચઢયા હોય, એમાં શી નવાઈ હાય ! તે વેળા આ પ્રશ્ન પર પરાને ભીતરી ભેદ નહાતા પમાયા, પણ તે પછીનાં એ જ વર્ષામાં દેખાયું કે નવ–વિચારાની એ સામગ્રીએ દુલાભાઇના સંસ્કારામાં એક અજબ રસાયન નિપજાવ્યું છે. ભમરીના દરમાં સૂતેલ કીડા જેમ એક દિવસ ચિંતાના અંગ મરેાડી, પાંખા ફફડાવી, ભાણ ભેદીને બહાર નીકળી પડે છે, તેમ જ દુલાભાઈનું થયું છે. એચિતાનું જાણ્યું કે દુલાભાઈના ઝડઝમકી છંદાની જોડાજોડ સાદા સરલ લાકઢાળેા પણ જન્મ્યા છે અને એ ઢાળામાં એમણે નવભાવનાની કવિતા ઠાલવી છે; એટલું જ નહિ, ખરા વિસ્મયની વાત તા એ હતી કે એમની કવિતામાં ઢેઢલંગીનેા-સ્પર્ષ્યાસ્પના દર્દભર્યો પ્રશ્ન ભેદક વાણી ધારણ કરીને દાખલ થયા છે. આ બધી નવી કવિતા, ભાઈ ! અમારાં ગામડાંનાં લાકને ગમે છે. ડાચાં ફાડી ફાડીને એકીટસે સાંભળે છે. વચ્ચે વચ્ચે હું દાખલા દેતા જાઉં છું. આને લીધે દેઢ-ભંગીઆ સામેની લાગણી બહુ કમી થઈ ગઈ છે.' આ શબ્દોમાં દુલાભાઈ એ પેાતાની કવિતાનું નવતર ધર્મ કા` સમજાવ્યું. એ ગીતેા નથી પણ ગીતેામાં ગૂંથેલી નવી આખ્યાયિકા છે. ભારતવર્ષના રાષ્ટ્રભાવાને, માતૃભૂમિની મને વેદનાને, દુલાભાઈ એ નાનાં કાવ્યાખ્યામાં ઉતારેલ છે. રાષ્ટ્રજાગૃતિને જે ગંગાપ્રવાહ દેશમાં વહે છે, એની અંદરથી નાનીમોટી નહેરા વાળીને લોકનાયકો પોતપોતાના જનસમૂહોમાં લઈ જાય છે. દુલાભાઈ એ રાષ્ટ્રગ’ગાના એ પુનિત નીરને કાશ્યનહેરે પોતાના વતનમાં વાળી લીધાં છે. લાકજીવનનાં તરસ્યાં-તપ્યાં ખેતરોમાં એ નાની શી નહેર ઝટઝટ નવા પાક નિપજાવી નાખે તેવા સ‘ભવ ભલે ન હેાય, પરંતુ એક ચારણહૃદયની કવિતા રાજદરબારી પ્રશ ંસાની ખાડમાં જવાને બદલે રાષ્ટ્રભાવનાના કયારામાં રેલાય, એ હરકાઈ કાવ્યપ્રેમીને ગવના વિષય છે. લાલા દુલાભાઈના માર્ગમાં લાલચા કઈ ઓછી નહોતી. ધ્રાંગધ્રાના રાજાસાહેબની પાસે લઈ જવાનુ તેડુ તા મારી સમક્ષ જ આવેલુ. દુલાભાઈ એ જવાબ દીધેલા કે ‘મારું એ કામ નહિ.' અ` ખેડુશાહી અને અ સાધુડિયા એમને લેબાસ બદલાવવા તે ચારણના ઢગ ધારણ કરવા એમને અનેક દિશાઓમાંથી દબાણ થયેલુ, પણ દુલાને બીજો રંગ ચડયો નહિ ‘અમે જાચનારા, એમાં એક દુલા જ અજાનચી રહે ! અમે રાજયશ ગાનાર, એમાં એક દુલા જ પ્રભુયશને ગાનારા રહે ! અમે રાજદરબારની અબ વાસ્તે પૂરા પેાશાક ધારણ કરીએ, તે દુલા કઈ વાડીનેા મૂળે કે પાણકારાનાં પેરણ–ધાતીઆ પહેરીને રાજાઓને મળે !' —આવી આવી સાંકડી મનેાવૃત્તિએ પણ દુલાને સ્થાનભ્રષ્ટ કરવા ઇચ્છયુ` હશે. તેની સામે નહિ ગ^થી, નહિ અન્ય સર્વાં માં તરી આવવાની વૃત્તિથી કે નહિ કશી તોડાઈથી, કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ Page #33 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ ૨૦ પણ પોતાના જીવનમાં જે વાત સાચેસાચ વસી ગઈ છે, તેની વિરુદ્ધ દુન્યવી દેખાડો ન કરવાની એક માત્ર સરલ નિરભિમાની લાગણીથી દુલાભાઈ ટકી રહ્યા છે. એવું એમનું જીવનધડતર નિહાળી નિહાળી હું મારા અંતરમાં છૂપી છૂપી પ્રસન્નતા અનુભવી રહ્યો હતા. (એમની આ ‘અજાચી' ટેકે એમને જે જે વિટમ્બનાએામાં ઉતારેલા હતા, તેને પણ હું સાક્ષી છું.' ચારણ : એક સાંસ્કૃતિક કામ ‘ચારણા’ એક સાંસ્કૃતિક કામ છે. શ્રી દુલાભાઈ એ લખ્યું છે : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણા એના ગુણે અને કમે` બન્યા છે; તેમ દેવકાટીમાં બીજી ઉપદેવાની કાટીનાં વન વાલ્મિકી, મહાભારત, ભાગવત, સ્કંદપુરાણ, ગણેશપુરાણ વગેરે પથામાં છે. જેવા કે; સિદ્ધ, ચારણ, વિદ્યાધર, કિન્તર વગેરે. જ્યારે જ્યારે કાળ ભગવાન અદ્ભુત, વીર અને આશ્ચર્યજનક રસ રેલાવે છે ત્યારે એ અવતારી પુરુષનાં જયગાન ચારણા કરતા, એવા ઉલ્લેખા જોવા મળે છે. પુરાણામાં આઠ પ્રકારની દેવ કાટિ છે, સિદ્ધ, ચારણ, વિદ્યાધર વગેરે. તેમાં એક ચારણ છે. એ દષ્ટિએ ચારણામાં ઘણી શક્તિ તેા છે જ, એમાં એ મત નથી. પણ ચારણામાં જે માતાજીએ અવતર્યા છે, એમનાથી ચારણ જાતિનું ગૌરવ સર્વાં વર્ણમાં ખૂબ વધ્યુ છે. છેલ્લાં છેલ્લાં આ યુગમાં જુનાગઢ પાસે દાત્રાણા ગામે આઈ નાગબાઇ થઈ ગયાં. તે પછી રાજુલા તાબે અમૂલી ગામમાં આઈ સોનબાઈ થઈ ગયાં, જે માલધારી બની તુળશીશ્યામ પાસે સરાકડીઆને નેસ રહેતાં હતાં. તે ગીયડ શાખનાં હતાં અને મારાં માસીબા થાય. એમણે પણ આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રત રાખી ભગવાનનું સ્મરણ કરેલું અને શ્રદ્ધાળુ ભક્તોની મનવાંછના પૂરી કરી હતી. વિ. સં. ૧૯૬૭ ની સાલમાં પોતે સ્વધામ ગયાં. તુલસીશ્યામ પાસે સરાકડીઆના નેસમાં એમની દેરી છે, જ્યાં લેાકો માનતા કરવા આવે છે. આમ ચારણામાં સ્ત્રીશક્તિને ભારે જથ્થર ફાળા છે. લગભગ બધા જ ક્ષત્રિયાની કુળદેવીએ ચારણ માતાજીએ છે. ચારણાનું આગમન ભારતમાં કયારે થયું તેની વાત પુરાણામાં છે. મહારાજા પૃથુ ચારણકળાને હિમાલયમાંથી પૃથ્વી પર લાવ્યા અને ભૂદાનમાં (चारणाय ततः प्रादात् तैलंगम् देशमुत्तमम् ) આખા તૈલંગ દેશ ચારણાને આપ્યા. હનુમાનજી લંકા ખાળીને સમુદ્ર તીરે આવ્યા ત્યારે તેને બહુ પસ્તાવા થવા લાગ્યા કે લંકાદહનમાં સીતા પણ કદાચ બળી ગયાં હશે તે ! એ વખતે આકાશચારી ચારણા ખેલ્યા કે સીતા બન્યાં નથી’ મહાભારતમાં તે અનેક જગ્યાએ ચારણાનાં વા આવે છે, તેમાં એક સ્થળે વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે પાંડવાની સાથે વેર કરવું સારું નથી, કારણ કે ભીમનાં ભુાબળનાં સત્ય વર્ણન ચારણા કરે છે. (એટલે ચારણાનું કહેવું યથાં જ હાય, તે કદી ખાટુ' એટલે નહિ.) ચારણ મૂળા આ ચારણકા સ્વર્ગ'માં રહેતાં. સ્વર્ગ કાં હશે એ વિષે સાચું તેા ભગવાન જાણે, પણ ઋષિ લેાકેાએ, વમાનના પડિતાએ અને વિદ્વાનાએ હિમા લયના કાઈક ભાગને સ્વર્ગ ગણેલ છે. કોઈ તિબ્બતને સ્વર્ગ કહે છે, કોઈ કૈલાસને સ્વર્ગ કહે છે, તેા કાઈ વળી જ્યાં માનવીની ગતિ થાકી જાય એવા હિમાલયના કોઈ ગહન સ્થળને સ્વ માને છે. પણ મહારાજ પૃથુના વખતમાં ચારણા હિમાલયમાંથી આ તરફ આવ્યા અને પૃથુરાજાએ તેમના વસવાટ માટે ઉત્તમ એવા તૈલંગ દેશ તેમને આપ્યા : ચારાય તતઃ કવિશ્રી દુલા કા। સ્મૃત્તિ-અર્થ Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રાવાત્ તેઅંગમ વેશમુત્તમમ્ । આવાં પુરાણપ્રમાણ છે. એ જે હોય તે. પણ ત્યાંથી ચારા સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ, જેસલમેર, રાજસ્થાન, માળવા, નિમાડ અને ગુજરાતમાં વસ્યા. કેાઈ કાઈ રાજકવિએ બન્યા, રાજ્યાશ્રિત થયા; અને બાકીના બધા ખેતી, વેપાર અને પશુપાલન દ્વારા આજિવિકા પ્રાપ્ત કરતા થયા. જીવન આ ચારણકુળા હજુએ મારવાડ, મેવાડ, નિમાડ, માળવા, ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વસેલ છે. ગીર તથા નિમાડ તરફના ચારણે। માલધારી છે. ચારણેા દેવીપુત્ર કહેવાય છે. મહાશક્તિએ સર્જેલ આ અનંત સૃષ્ટિ બધી જ દેવીપુત્ર કહેવાય, એક ચારણ જ શા માટે ? એનાં કારણામાં એક કારણ એ છે કે ચારણકુળમાં ઘણી યાગમાયાએના અવતાર થયેલ છે. પ્રથમ સિંધમાં માતા આવડ થયાં. પછી અનેક દેવીએ ચારણામાં અવતરી છે. ચારણ જ્યાં સારો ધાસચારા હાય ત્યાં પોતાની ઘેાડી જરૂરી ચીજવસ્તુઓ સાથે લઈ ને ઝૂંપડાં બાંધે છે. પશુપાલનનો નિર્દોષ ધંધા ચારણાએ ઇચ્છાપૂર્વક સ્વીકારેલ છે. આવાં ઝૂંપડાંમાં આવડ, ખોડિયાર, વરુડી અને મા સેાનબાઈ જેવી દેવીએ પાકી છે. બીજી બાજુ ચારણ રાજકવિ પણ બન્યા છે. મારવાડ, મેવાડ, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં મહારાજ્યામાં ચારણ કવિ રહેતા. રાજાએ તેને અતિ માનથી, આદરથી તથા પૂજ્યભાવથી જોતા હતા. મહાન કવિ નરહરદાસજીએ ‘અવતાર ચરિત્ર' નામને ગ્રંથ લખ્યો છે. ચારણ કવિ સ્વરૂપદાસજીએ ‘પાંડવ યશેન્દુ ચંદ્રિકા' નામે ગાગરમાં સાગર સમાવે એવે કાવ્યયુક્તિપ્રધાન ગ્રંથ લખ્યા છે. ચારણ અને બ્રાહ્મણ વાચ્છવી ચારણા અને બ્રાહ્મણા વચ્ચેનું અંતર જાણી લેવું જરૂરી છે. એમ લાગે છે કે બ્રાહ્મણેા મુખ્યપણે સંસ્કૃત ભાષાની ભૂમિકા ઉપર વિદ્યોપાસના ૨૧ કરતા; તા ચારણેા મુખ્યપણે લાકભાષાની ભૂમિકા ઉપર વિદ્યાકાર્ય કરતા. પહેલા વર્ગનું કામ એક ખાસ વિશિષ્ટ વર્ગને આવરે અને તેનાથી જ સમજાય એવુ' રહ્યું છે; જ્યારે બીજા ચારણવનું કામ સાધારણ લાક વર્ગને આવરે અને સ્ત્રી, પુરુષ, નાનાં મેાટાં, ઊંચ, નીચ એવા બધા વર્ગને આકર્ષે અને તેનાથી સમાજને ઉપયાગી એવુ રહ્યું છે. આ ભેદને લીધે બુદ્ધિજીવી છતાં તે બંને વર્યાંના દરજ્જામાં, જીવનવ્યવહારમાં અને લૌકિક કર્મામાં પણ મોટો તફાવત પડી ગયા છે. મહામુનિ પાણીનિએ સંસ્કૃત વ્યાકરણ લખીને સંસ્કૃત ભાષાને લેાકભાષા પ્રાકૃતમાં સરી જતી અટકાવવાને પ્રયત્ન કર્યાં. અને મેાટા મેાટા સાહિત્યસ્વામીએએ પોતાની કૃતિએ શુદ્ધ સંસ્કૃતમાં લખવાના કાર્યંતે ઘણું મહત્ત્વ આપ્યું છે, પરંતુ સાધારણ જનસમૂહે એ સાહિત્યસ્વામીને અનુસરવાની મૂંગી ના ભણી. ભાષા સાહિત્ય અને ભાષા એ તેા લાકગંગા છે. એનાં વહેણ સ્વત ંત્ર હેાય છે. એ કોઈની દખલગીરી સ્વીકારતાં નથી. જનસમૂહે સંસ્કૃત ભાષાની સાથે સાથે જ પ્રાકૃત જનેમાં—સામાન્ય લેાકસમૂહમાં—વહેતી લાક ભાષાને–પ્રાકૃત ભાષાને-પ્રાકૃત વાણીને–સાહિત્યસર્જન માટે અપનાવી. લાકસમૂહના પ્યારા એવા તે જમાનાના ચારણ કવિ લોકભાષા-પ્રાકૃતના પક્ષમાં જોડાયા. એમણે પોતાની સ ંવેદનાઓ, પેાતાના વિચારા, લાકોની આકાંક્ષાએ અને પેાતાની કલ્પનાએ લોકાને જ પ્રિય અને પરિચિત એવી પ્રાકૃત-લેાકભાષામાં રજૂ કરવામાં પોતાની સરસ્વતી અને શક્તિ વાપરી અને પરિણામે જનસમૂહના એ અધિક પ્યારા થઈ પડયા. લોકોએ એમને અપનાવ્યા અને કાળક્રમે લેકાના પ્યારા એ ચારણ કવિએ રાજાએ અને રાજદરબારામાં કવિશ્રી દુલા કાગ સ્મૃત્તિ-ગ્રંથ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ આહીર એક મહાન વંશ છે, ઉદાર વર્ગ છે, અટંકી ખમીર છે. છળકપટ, ચોરી અને દારૂ, માંસથી આહીર બહેન દીકરીના ખાટલા જેટલે દૂર રહે છે, ડરે છે. કારણ કે જેને આંગણે કને લાલ વસેલે એ આહીર ચેર કે દારૂડિયા બને તે મા જશેરાનાં દૂધ લાજે, અને એની કૂખ કાળી બને. ભારતમાં આહીરોની મોટી સંખ્યા છે. લેકપુરાણ એમ બોલે છે કે આહીર અને ચારણને કુટુંબી નાત છે. આહીરની ઉત્પત્તિ વહીવંચાના ચેપડા અહિનામથી બતાવે છે. પહેલી આઈ આવડને પણ નાગપુત્રી કહી છે. ગીર ભૂમિ પણ સ્થાન અને માન પામ્યા; રાજા અને પ્રજા બંનેના માનીતા થયા. કાળ ભગવાને પડખું બદલ્યું, ત્યારે પણ ચારણોની આ કાવ્યસરિતા જનસમાજનું રંજન કરતી રહી, પણ એનું પાલનપોષણ તે મુખ્યત્વે રાજાઓ-રાજદરબારેએ જ કર્યું. મારી કવિતાનું પણ એમ જ બન્યું છે. અત્યાર સુધી ‘કાગવાણી'એ લોકોના મનરંજન કર્યા છે; એમની ભાવનાઓને, એમની આકાંક્ષાઓને મૂર્તિમંત બનાવવાનું યત્કિંચિત કાર્ય કર્યું છે. એમને લાડ લડાવવાને પણ પ્રયત્ન કર્યો છે.” દુલાભાઈને ચારણો પ્રત્યે ભાવ હતો તેમ આહીર પ્રત્યે પણ આદર અને વહાલ હતું. તેઓ લખે છે : ચારણ અને આહીર “ચારણ હોવાથી મને ચારણ પ્રત્યે ભાવ છે, તેમ આહીરો પણ એની નોક અને ટેકને કારણે નાનપણથી મને વહાલા છે. એક આહીરને ઘેર ભગવાન શ્રીકૃષ્ણને આશરો મળ્યો હતો. વાસુદેવજીનું મન ક્યાંયે ન માન્યું. મોટી મોટી મેડિયુંમાં એને વિશ્વાસ ન આવ્યો, યદુવંશની નાની નાની ઠકરાતોમાં એના જીવે કથાંય વિસામે ન લીધે. અંધારી રાતે દીકરાને રૂના પોલમાં સુવાડી નંદબાવાને નેસડે પહોંચ્યા. કાળઝાળ રાજા કંસના વેરીને નંદબાવા વિના કેણ સંઘરે? માતા જશેરાના ધાવણ ધાવ્યા વિના બળ કક્યાંથી આવે ! અને બળ આવ્યા વિના કંસ ક્યાંથી મરે ! કંસના વેરીને સંઘરવાનું કાળજુ આહીરનું જ હોય, અને બીજુ હોય આહીરકુળ ઉજાળણ મા જશોદાનું. ધન્ય છે નંદ-જશોદાને ! ધન્ય છે ગોકુળ ગામને ! અને ધન્ય છે આખા આહીરકુળને ! સાચે વૈષ્ણવ તે આહીર જ કહેવાય કે જેને આંગણે જગતને નાથ, અર્જુનનો સારથિ અને ગીતાને ગાનારો અગિયાર અગિયાર વર્ષ ખેલ્યો. આહીરોને યાદ કરું છું ત્યાં તે આખી ગીરભૂમિ મૂતિ ધરી મારી નજર સામે ખડી થાય છે. એ ખોખડધજ નાંદીવલે, ઘણા વખતથી તપ તપતી નાંદીવલી, આ કંટાળા ગામથી આથમણે એક પગે ઊભેલે ઠોઠ નામને ડુંગર અને ગામની સામે મોટા માથામાં નાની ધોળી ટોપી ઓઢી હોય એવી માંગડાવાળાની દેરીવાળો ભાંગડો ડુંગર, આ દશ્ય હજુ તે જોયું ન જોયું ત્યાં રાવલ નદીનાં કાળાં કાળાં પાણીનાં ગીત સંભળાવા લાગે છે. પાડાના વાંસા જેવા કાળા પથ્થર પરથી ઉધગેલેટિયાં મારતાં રાવલનાં પાણી આંખ સામે આવ્યાં ન આવ્યાં ત્યાં તો વેજાજી સરવૈયે જુનાગઢના રા' સામે બહારવટું ખેડવા પસંદ કરેલ માના ખોળા જેવો અભય વેજલકોઠો જાણે ધરતી ફાડી દૃષ્ટિ સામે ઊભો રહે છે. કાળા કાળા ખડકોને કાપતા ખેંચેલ ધનુષ્યના જેવો વળાંક લેતી, અને વેજલકોઠાને ભીંસતી ઝેરકચરી અને સુરનાળો નામની નદીઓનો ખળખળાટ સંભળાવા લાગે છે. @કઘિશ્રી દુલા કાકા સ્કૃદિ-gla ))))))) Page #36 -------------------------------------------------------------------------- ________________ જીવન ૨૩ હસતાં ખળખળ સરિતા જળ નિમળ, વન વન ચં૫ કળી હતી: હસતી વસંત વન વૃક્ષ ઘટા, હસી સુમન સુગધ પવને ધસતી. ચાળીસ ચાળીસ વર્ષોનાં વહાણાં વાયાં. ગીરભૂમિની માયા એ ચાળીસ વરસને જાણે કે પાછાં ધકેલી મને માંગડા ડુંગરના ઓતરાદા બાંધેલ ગાળામાં લઈ જાય છે. મારાં નાનપણનાં દસેક વર્ષ કંટાળા ગામે રામનળને ઘેર અને તળશીશ્યામને ખોળે ગયેલાં. રાવળને આથમણે કાંઠે જેહાધાર, જેહાજી સરવૈયાની વસાવેલ. વેલ કઠો વેજલજીને બાંધેલ. ત્યાંથી બે ગાઉ પર જઈએ તે ભીમઆસનો નેસ, કાળાપાણીને ફાડી આસી નદીનો ધોધ પાડે છે. માતા કુતાને તરસ લાગી ત્યારે ભીમે પાટુ મારી પાણી કાઢેલું, લેકનું ભારત એમ બોલે છે. બાજુમાં પડછંદ ભેખડ પર નાની એવી માતા કુંતાની દેરી છે. મા રુક્મિણી ત્યાંથી આથમણા એક ગાઉ ચાલે એટલે પહેલાં તે ડુંગર પર મા રુક્મિણીનાં દર્શન થાય. નાની એવી દેરી છે. સામે જ તુલશીશ્યામનું મંદિર છે. ઊના પાણીના સાત સાત કુંડ. યાત્રાળુને થાક ઉતારે છે. મૂર્તિ પણ મહાગંભીર છે. આ મૂર્તિ સંવત ૧૭૮૨માં દેવા સતિયા નામના ચારણે પ્રસિદ્ધ કરી. પછી મંદિર બન્યું. આ તો સંત દુધાધારીનાં બેસણાં. દુધાધારી મહારાજ ઉત્તર ભારતના પ્રદેશમાંથી અહીં આવીને વસેલા. અને આગલા મહેતાએ પાયમાલ કરેલ આ ધામને પાછું “શ્યામજીનું ધામ બનાવવા પ્રયાસો કરેલ. પોતે ગૌશાળા પણ ઊભી કરેલ. ભેજ કોટીલાનો અહંકાર જોઈ ખોડીદાસ નામના દૂધાધારી મહારાજના એક શિવે ડેડાણના મીઆ કોટીલાને ઘેર દંતા કોટીલા નામે અવતાર ધરેલો. તુલશીશ્યામ એ બાબરીઆઓને ઈષ્ટદેવ છે. ત્યાંથી બે ગાઉ દક્ષિણમાં આઈ સોનબાઈનાં બેસણાં. જીવતી જાગતી જોગમાયાની ત્યાં દેરી છે, ત્યાંથી ચાર ગાઉ આથમણા ચાલે તે બાણેજના ડુંગરામાં શિવનું કૈલાસ મંદિર જેવું શાંતિદાતા મંદિર છે. અને ત્યાંથી ત્રણેક ગાઉ ઉત્તર તરફ ચાલે તો મા કનકેશ્વરી બિરાજી રહી છે. હાલમાં ત્યાં મંદિર, ધર્મશાળા વગેરેની ભારે સગવડ થઈ રહી છે. ત્યાંથી નૈઋત્ય તરફ ચારેક ગાઉ પર કમળેશ્વર મહાદેવનું મંદિર છે, અને ઉત્તર તરફ સારું કે ગોઝારું સાસણ ગામ છે, જ્યાં ફક્ત સાવજને જોવા માટે બકરાં અને પાડાઓની ક્રૂર અને કરુણ હત્યા કરવામાં આવે છે. ધન્ય છે એ જોવાની મોજ માણનારને !” સતાધાર ત્યાંથી ઓતરાદુ પેલું દેખાય સતાધાર. સેરઠની લોકસંસ્કૃતિનું પ્રતીક. ગીગા ભગત એના સ્થાપક. જનતા બાળકને છોડીને પેટનો ખાડો ભરવા લલચાય એવા ભયંકર દુકાળ વખતે, બાપ છોડીને ચાલ્યો ગયેલે એવી મા સુરઈને પેટે તેરી-રામપરથી ચલાળા જતાં માર્ગમાં શાપર ગામે ગીગા ભગતનો જન્મ થયેલે. આપા દાનાએ મોટો કર્યા પછી એ જ આપા દાનાની સંત પરંપરામાં જોડાઈને ગીગા ભગતે સતાધારમાં રક્તપિત્તિયાં, કેઢિયાં ને રોગમાં સડતાં માનવીઓની સેવાનું પરબ માંડેલું. મૂળે આ પ્રેરણા પણ પરબની. ગીરના ઉત્તર સીમાડાથી આજે દૂર લાગતી પરબની જગ્યા એક કાળે ગીરને કાંઠે ગણાતી. સંત દેવીદાસ અને માતા અમરબાઈના નામ સાથે જોડાયેલ આ જગ્યાએ અઢારે આલમને, હિંદુ મુસલમાનને, સાંપ્રદાયિક રંગથી પર એવા માનવધર્મને આચાર બતાવેલ. જે કાળે કેઢિયા, રક્તપિત્તિયાને રત્નાકર મહારાજ સિવાય કેઈ સંધરતું નહિ તે વખતે તેવા રોગીઓની સેવા કૌભાં દાતા કા રકૃતિ-iણે જ - - Page #37 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ ૨૪ ચાકરી હાથ ધરી લેાકેામાં ‘સંત દેવીદાસ’નું નામ સદા વહેતું કરેલું. દુધાધારી મહારાજ સતાધારથી આથમણા બે ગાઉ ચાલીએ એટલે આવે સરસઈ. ઉત્તર ભારતના ચમાર સત રોહીદાસ દ્વારકા પ્રભાસની યાત્રાએથી પાછા ફરતાં અહીં રોકાઈ ગયેલા ને આ સરસઈ ને પાતાનુ બનાવેલ. ઉત્તર તરફથી પાછા ફરીએ એટલે ગીરના દરિયાદા છેડાના રખેવાળ અને મધુન્દ્રીતે આથમણે કાંઠે બિરાજતા દ્રોણીઆ મહાદેવ આવે. પેઠિયાના મેઢામાંથી અખડ જળવેાધ મહાદેવ પર દિવસ રાત પડે છે. સતિયાં માનવીના ધ્યાધમને કોઈ અંત હાતા નથી, તેમ આ જળધારી હજારા વર્ષથી પડૅ છે, છતાં પાણી ખૂટતાં નથી. ગીરના ચંદરવાને છેડે છેડે ભક્તિ, ધર્મ અને વીરતાના ખુટ્ટા ઊપડેલ છે. એ ભૂમિની ચારે બાજુ શૌર્ય, ભક્તિ તથા જ્ઞાનના સંદેશા આપતા અચળ મિનારા ખડા થયા છે. અને શૌય, બલિદાન ને ભક્તિધારાની ત્રિવેણીએ સૌરાષ્ટ્રની આ ગીરભૂમિને પવિત્ર બનાવેલ છે. અમરેલી જિલ્લાના મેાટી ધારી પાસે સરસિયા નામનું ગામ છે. આ ગામ ગીરના કાંઠા પર છે. તુલશીશ્યામના આદિમૂળ છેક યમુનાજીને કાંઠે પડચાં છે. ઉત્તર પ્રદેશના સત દુધાધારી મહારાજ ખસેાવ અગાઉ સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે તેમણે પહેલા વિસામે આ સરસિયા ગામને આથમણે પાદરે લીધેલા. ભાવિક ભક્તોએ તે સ્થાને મકાનો, ધશાળા વગેરે બનાવ્યાં, અને નાની એવી શ્યામજી મહારાજની મૂર્તિ પણ પધરાવી. પછી તે। દુધાધારી મહારાજને ભગવાન તુલશીશ્યામનાં તેડા આવ્યાં, અને તેએ ગીરના મીઢાને નેસડે માલધારી ચારણા વચ્ચે ઝૂંપડી કરીને વસ્યા. આ દુધાધારી મહારાજ પછી વૈષ્ણવ સાધુઓની ખારથી ચૌદ પેઢીએ સરસિયામાં થઈ ગઈ છે. સંવત ૨૦૦૮ની સાલમાં હાલના મહંતશ્રીએ ખાદકામ કરાવતાં એક આંબા નીચેથી શ્રી શ્યામજી મહારાજ અને મહારાણી રુક્ષિમણીજીની મૂર્તિ નીકળી. શ્યામજી મહારાજની મૂર્તિ સાડા પાંચ ફુટ ઊંચી છે, સત્તર મણ જેટલું વજન છે. તે રુક્ષ્મિણીમાતાની મૂતિ ત્રણ ફૂટ ઊંચી છે. ખાદતાં ખાદતાં પડખેથી એક સાધુની સમાધિ નીકળી ને તેમાંથી તેનાં હાડકાં નીકળ્યાં. શ્યામજી મહારાજ દરખંડના કાળમાં આ સાધુને એમ લાગ્યું હશે કે કોઈ વિધી આવીને મૂર્તિને ભાંગી નાખે એના કરતાં મારા આ ઇષ્ટદેવને જમીનમાં પધરાવી દઉં' ને હું પણ તેના ખોળામાં સમાધિ લઉં. એઉ મૂર્તિ એ ખાદી કાઢવામાં આવી ત્યારે તે ઉથમી દટાયેલી હતી. આમાં પણ એ સાધુની દીદષ્ટિ જ દેખાય છે કે કોઈ કાળે ખેાદકામ થાય ત્યારે મૂર્તિ ઊંધી દાટેલ હાય તેા તેના આગલા ભાગને ઈજા ન થાય. સંવત ૨૦૧૯ ના શિયાળામાં હું સરસિયા ગયેલા તે આ મૂર્તિનાં દર્શીન કરીને કૃતાર્થ થયેલા. સમસ્ત સૌરાષ્ટ્રમાં આ મૂતિ જેવી રૂપાળી, ઊંચી, ગંભીર અને મહાનતાની પ્રતિમા જેવી મૂર્તિ મેં હજુ જોઈ નથી. આ મૂર્તિ એ! જ્યારે નીકળી ત્યારે લાખા માણસે તેને જોવા અને દર્શન કરવા સરસિયા આવેલા. અને પેલા સમાધિ લીધેલ સાધુના હાડકાંની કણીના રાઈરાઈ જેવડા ટુકડાઓને પવિત્ર અવશેષો માનીને પોતાની સાથે લેતા ગયેલા. વાચકવર્ગીને મારી ભલામણ છે કે તુલસીશ્યામ, પ્રાચી, પ્રભાસપાટઙ્ગ, દેહાત્સ, સતાધાર, કોણીઆ, કનકેશ્વરી બધે સુખેથી જો, પણ હું ચોક્કસ કહુ. છું કે સરસિયાની આ શ્યામજી મહારાજની મૂર્તિનાં દર્શીન નથી કર્યા. ત્યાં સુધી ગીરયાત્રા નથી કરી, એવી આ અદ્ભુત મૂતિ છે. કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ Page #38 -------------------------------------------------------------------------- ________________ જીવન ૨૫ ગીરની વિશિષ્ટતા આ આગબોટમાં દુલાભાઈ એક દિ' મહુવાથી ગીરને દક્ષિણ ખૂણે ગુપ્તપ્રયાગ. મહાપ્રભુજીની બેસીને મુંબઈ ગયા. તે વખતે દરિયાના લોઢ લેતાં બેઠક. ત્યાંથી આથમણા ચાલે કે પ્રાચી આવે. પાણી અને નજરની ક્ષિતિજો જમણી બાજુ દેખાતે નૈઋત્ય તરફ સોમનાથ મહારાજ, ને ભગવાન શ્રીકૃષ્ણની કાંઠે જોઈ જોઈને એમના મનમાં એ કાંઠાને અડીને સ્વધામ યાત્રા. પૂર્વ બાજુ ઊના પાસે વાવરડા ગામે આવેલાં સ્થળોના પિતાના સંભારણાં મનમાં તાજાં થયાં. લાલ સ્વામીની જગ્યા અને આથમણો ગઢ ગિરનાર. એ લખે છે કે, આમ તરફ દેવ મંદિરોથી વીંટાએલ સૌરાષ્ટ્રની સંભારણાં ગીરને એક નાને ટુકડે– “સંવત ૧૯૯૦ના ફાગણ માસમાં હું મુંબઈ ગયે સતિ ને શૂરની માતા, સંત ને ભક્તની પ્રસુતા; ત્યારે મહુવાથી આગબોટમાં બેઠો હતો. તે સમયે કેસરી સિંહની જનેતા, નમન સૌરાષ્ટ્રની ધરણી. મહુવાના બંદરથી દીવ સુધીના દરિયાકાંઠાનાં, સારાયે ભારતવર્ષમાં કેસરી સિંહ જે કયાંયે આગબોટમાંથી જોયેલ જૂનાં સ્થળનું આ વર્ણન છે. થતા હોય છે તે આ ગીર ભૂમિમાં. બંદરેથી આગબોટ ચાલે છે. કતપુર (કુંદનપુર) એનાં ભેળાં ને ઉજળાં હૈયાવાળા માલધારી પાછળ રહે છે. પટવા અને ખેરાના દરિયામાં “ધમણું" માનના જે અતિથિસત્કાર ક્યાંય જોવા નહિ મળે. નામે એક ખડગ ઊભેલ છે ત્યાં ખોડીયારનું સ્થાનક છે. ગીરમાં ખાસ કરીને આહીર, ચારણ, ભરવાડ, - ત્યાર પછી ચાંચ આવે છે. તેને જોઈને ચાંચિયા રબારી, મુલતાની કાઠી, બાબરિયા અને કેળીઓની યાદ આવે છે. ચાંચ અને શીઆળ બેટ વચ્ચેના વસ્તી છે. ગીર બહુ નાનકડો પ્રદેશ : પૂર્વમાં ડેડાણ બારામાંથી ઉત્તરમાં પીપાવાવનું મંદિર દેખાય છે. અને આથમણા બિલખા, ઉત્તરમાં નાની ધારી અને તે જોઈ આઠસો વરસ અગાઉ થઈ ગયેલ ગાગરનગઢના દરિયાદુ હડમડિયા. બંને તરફ ૩૫-૩૫ ગાઉને પને રાજા પી ભગત સાંભરે છે. પીપા ભગતને ઘણી આ ગીર ધરતી સૌરાષ્ટ્રની શોભામાં વધારો કરી રાણીઓ હતી, પણ તે વૈરાગી બની જ્યારે રાજપાટ રહી છે. આખી ગીરમાં દોઢસે જેટલાં નેસડા છે. છોડે છે, ત્યારે ફક્ત એક અણમાનીતી સીતારાણી કલાપીએ બહુ જ ઉચિત ભાખ્યું છે : વેરાગણ બનીને પતિની પાછળ ચાલી નીકળે છે. “માયું તેનું સ્મરણ કરવું દ્વારકાની જાત્રા કરી તેઓ પીપાવાવ આવીને રહે છે. એય છે એક લહાણું.” એક દિવસ ઘણા સાધુ આવી ચડે છે. ઘરમાં અનાજ એ અરસામાં ભાવનગર-મુંબઈ વચ્ચે અઠ- નથી. એટલે સીતામાતા પડખેના ઝેલાપુર ગામે વાડિયાની એક સ્ટીમર સરવીસ ચાલતી. મંગળવારે વાણિયાને ત્યાં અનાજ લેવા જાય છે. રેઢા પછીના ભરતીના સમયે ઉપડતી ને ગુરુવારે રાતે પાછું આવવું એવી શરતે વાણિયો અનાજ સવારના ૭-૦૦ વાગે મુંબઈ પહોંચાડતી. આપે છે. ચોમાસાની રાત છે, વરસાદ વરસે છે, ભાવનગરથી મુંબઈના રૂપિયા ચાર, અને મુંબઈથી એટલે પીપે ભગત પિતાનાં પત્ની સીતામાતાને ભાવનગરના રૂપિયા પાંચ એનું ભાડું હતું. ભાવનગર પિતાની કાંધ પર બેસાડી ઝોલાપુર લઈ જાય છે. ઉપરાંત મહુવા, જાફરાબાદ, નવી બંદર અને દીવથી બીજા હૈયે ચડે છે ગીગારામ મહંત. તે હાલના એ પેસેન્જર ચઢાવતી–ઉતારતી. - મહંત રામદાસના ગુરુ. તે પુરુષાથી બાવાએ તે ઠેઠ :: દુલા ઘણા સમૃણિ :: દુલા કાગ-૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કાશીથી પગપાળા ગંગાજળની કાવડ લાવી પોતાના ગુરુને નવરાવ્યા હતા. રામદાસ પીપાવાવ જોઈ રામદાસ પણ કેમ ન સાંભરે ? એ તે રાત અને દિવસના રળનાર છે. ચોવીસે કલાક તનતુંડ મહેનત કરીને એ બાવો બટકું રોટલો ખાય છે. એની આજીવિકા માંગવા પર નથી. પણ બળદોની કાંધ પર છે. કાઠિયાવાડના દેશી બળદોના નમૂના એને ત્યાં છે. ખેતી કેમ થાય એ જોવું હોય એણે ત્યાં જવું. ચાંચ અને શિયાળબેટ વચ્ચે ભેંસલે નામે એક ખડક છે. ત્યાં ભાવનગર, જુનાગઢ, અને જંજીરાની દરિયાઈ હદનો સીમાડો છે. શિયાળબેટ જોતાં તે સગાળશા શેઠને ગોઝારે ખાંડણીઓ સાંભર્યો. માણસનું માંસ ખાનાર એ અઘોરીને ફૂડ પંથ અને પુત્રનું માથું સાંબેલે ખાંડતી હાલરડાં ગાતી ચંગાવતી સાંભરી. ઈશ્વર પિતાના જ માનવીની એવી પરીક્ષા લેતે હશે ? શીઆળ બેટથી એક માઈલ ઉત્તર દિશા તરફ દરિયાકાંઠે ચાંચૂડા મહાદેવનું એક જીર્ણ દેવળ જોયું. ત્યાં તો એક દુહો હૈયે ચડશે, “ચાંચડે ચડવા જાય, પંડડયું જ પત્યુ કરે; બેટના બારા માંય, મેતી ડૂબ્સ મેરણી.” શીળ બેટની કઈ મોરણી નામની કળણ બે તુંબડામાંથી દરિયે તરી દરરોજ રાત્રે ચાંચૂડે ભભૂતિયા બાવા પાસે જતી હતી. આ વાતની તેની સાસને ખબર પડી. તુંબડાંને ઠેકાણે કાચી માટીના બે ભાલિયા (ઘડા) ગોઠવી દીધા. શાંત અજવાળી રાતમાં મધદરિયે જતાં એ ભાલિયા ગળી ગયા અને મોરણી ડૂબવા લાગી; મરતાં મરતાં લાંબે સાથે એક દુહ બોલી: શાશ્વત પ્રેમ ભાંગી પ્રેળ, ભભૂતિયા ! પાટણ પલટાણ...; આતમને ઉઠાંતરી થઈ, થિર નઈ થાણું...” એ ભાંગ્યાતૂટથો સાદ સાંભળતાં જ બાવો દરિયામાં ત્રાટક્યો. મહાસાગરની શાંત લહેર પર ચડીને એ પ્રેમી પંખીડાં હાથના આકડા ભીડી સ્વર્ગને રસ્તે ચાલ્યાં ગયાં. આગબોટ તે પહોંચી વરાહ સ્વરૂપ પાસે. દરિયાકાંઠાનું એ ઘણું જૂનું મંદિર છે. જાફરાબાદ આવ્યું. ઉત્તરમાં બાબરીઆવાડ ઉપર થઈને નજર પોગી ઠેઠ નાંદીવેલે ડુંગરે. તુરત જ રાણો રબારી અને દુઃખની દાઝેલ કુંવર સાંભરી. બેય એકબીજાને મનથી વરી ચૂકેલ પણ રૂઢિબંધનથી આ અવતાર જુદાં જ રહ્યાં. એકબીજાને મળવાની તરસ સોતાં બેઉ આશાભર્યા જ મરી ગયાં. એનો સાક્ષી એક દુહો રહ્યો છે: સાણે વીજુ સાટકે, નાંદીવેલે નેસ કુંવર બચ્ચું કૂઝનું, બેઠી બાળ વેષ. બીજાં બધાં સ્થળાને તો એકાદ પ્રસંગ સાંભર્યો, પણ ગીર તે મારી બાળ સંગાતણ. મને તે એના ડુંગરે ડુંગર, નાળે નાળાં અને ઝાડવાં સાંભર્યા. જંગલનાં એ ભેળુડાં માનવીઓનો મે'માન પ્રત્યે ભાવ, સોરઠની પરોણાચાકરીને કંઈક અવશેષ એ તપસ્વીઓને ઝૂંપડે રહ્યો છે. એકનું બે ન જાણે એવા એ માલધારીઓની સાથે લેણદેણ કરવાવાળા અને જીવતાં માનવીનું લેહી પીનારા “ખાટકી” જેવા ગીરના વેપારીઓ સાંભર્યા. ગીર પ્રદેશમાં ચોમાસાની કાળી રાતે હાથીની સૂઢધારે વરસાદ વરસી રહ્યો હોય, ઝૂંપડાની પાછળ સાવજે ટૂંકી રહ્યા હોય, એમાં ભેંસને દોનારી, નજરોનજર જોયેલી એ પહાડી કન્યાઓ મને કેમ ન સાંભરે ? : હું કવિ દુલા કાગ સ્મૃતિ-ગુંથ ક. . Page #40 -------------------------------------------------------------------------- ________________ જીવને ચારણ કન્યા ગીરના એ માલધારીઓનાં દુઃખ લખું તો આખી ચેપડી થાય. એને તે ત્રણેય ઋતુ સરખી દુઃખદાયક. જેને જોતાં ગર્ભિણીના ગર્ભ સ્રવી જાય એવી ભયંકર રાવલ, ઘોડવડી, મછું દ્રી, શીંગવડો, હરણ, જમરી વગેરે નદીઓની બસો બસો હાથ ઊંચી ભીંત જેવી ભેખડોને આરે પાણી ભરી ભરી એમનાં ઢોરોને એ ઘેર પાણી પાય. ગીરનાં દૂધ એવાં ઘણાં જ મેંઘાં છે. એ માંધાં દૂધનાં પી જનારાં તથા માખણનાં ખાઈ જનારાં ગીર સિપાઈઓનાં ઘોડાં ! એ મારાથી કેમ ભૂલાય ? રાવલ, જમરી અને પ્રેરકેચરી નદીથી વીંટાયેલ, સરખા કાળા પાણાનો બનેલ, “સુરનળા” જેવી તળિયાં ફૂટેલ નદીને પડખે ઊભેલ, વસમી ધરામાં સતનાં બહારવટાં ખેડનાર વેજાજીને બાંધેલ વેજલકોઠો પણ સાંભર્યા વિના કેમ રહે? કાંડાં કરડાવીને ઉછેરેલ પિતાની વોડકીને પાંચ સાવજ મળી મારી નાખે. એ હીરબાઈ ચારણ્ય કેમ સાંખી શકે ? હાથમાં એક ગોખું લઈ પાંચે સાવજોને પિતાની વોડકી પરથી તગડી મૂકે, ત્યારે સાવજને કાંઈ ઓછું વસમું લાગતું હશે ? એ સતવાદી ચારણકન્યાની હિંમત સામે વનરાજે પોતાનું મારેલ ખાજ મેલી દઈ ચાલતા થઈ જાય, એ મને સાંભર્યા વિના કેમ રહે ? ગીરમાં જ્યારે શીતળા આવે ત્યારે તે ત્યાં ઊભું પણ ન રહેવાય. પાંચ હોય તેની પાંચ, અને સો હોય તેની સો ભેશે અને ગાયો ઝોકમાં મરેલા અને અધમૂઈ પડી હોય ! એટલાં બધાં ઢોરોને આઘે કેણ લઈ જાય ? માલધારી બિચારા તેજ વિહોણે મોઢે આશાભંગ થઈ ગાંડા જેવા થઈ ગયા હોય. હું પહાડી છવડે છું, શહેરી નથી. આખી ગીરને પાંદડે પાંદડે ફર્યો છું. હાથે હાથ ન સૂઝે બાળપણનાં મરણે એવી રાત મળી હોય, ડુંગરને ગાળેગાળેથી મેઘ મહારાજનાં નીર કિકિયારા કરતાં ખળકતાં હોય, ક્યારેક વીજળી ઊંધે માથે પહાડ પર પછડાતી હોય, નદીઓએ મરજાદા મેલી હોય, બેઉ કાંઠે કોગળા નાખતાં ડોળાં પાણી ઘૂઘવાતાં હોય, પડછંદ અવાજે આભ ગાજતો હોય–એવી ગીરમાં, પોતાના જીવથી પોતે બીએ એવી ભયંકર રાતે, મને બહાર ફરવાના કડ થતાં “લખી' નામની મારી ઘોડીને તૈયાર કરી એના પર સવાર થઈ એ નદીઓમાંથી સામે કાંઠે કાઢો. નાની અવસ્થાના મારા એ દિવસો મને સાંભર્યા વિના કેમ રહે ? આગટે જાફરાબાદ છોડયું. નવી બંદર આવ્યું ત્યાં તો માછીઓનાં બેસુમાર હોવાં જોયાં. ગીરનું બધું ધી આ બંદરેથી સામે કાંઠે ચડે છે. સોરઠમાં કઈ બાકી રહેતું હશે ? જાલંધરની નગરી દીવ આવ્યું એનું જોવા લાયક સ્થળ, ફિરંગીની દેવી ચાંપલનું આભથી વાત કરતું દેવળ દરિયામાં દેખાય છે. અહીં સૂરજ ઊગ્યો અને પાણી વહેરીને આગબોટ મુંબઈ પહોંચી. એ તે મહામાયા મુમ્બાદેવીના રાજ. જીવતી જાગતી નગરી. પાણીનાં એણે ચીર પહેર્યા છે અને કિનારીમાં શિવાજીના ડુંગરાઓની હારમાળા ગૂંથી છે. ઘણું કરીને સન ૧૯૩૯નું વર્ષ હતું. “કાગવાણી” ભાગ પહેલે રાણપુર પ્રેસમાં છપાતો હતો. તે વખતે હું બોટાદમાં શ્રી મેઘાણીભાઈને ઘેર રહે. એ અરસામાં રાજકોટની લડત ઊપડી. દરબારશ્રી વીરાવાળા સાથે મારે ઓળખાણ હતી, પણ ઢેબરભાઈને કોઈ દિવસ નહીં મળેલો. શ્રી મેઘાણીભાઈએ મને પૂછયું, “આપણે તે નાના એવટિયાઓ કહેવાઈએ, રાજકોટ જઈએ તે કેમ ?” ( સ કણિી દુલા કાગ ઋnિ-laછે. I Page #41 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ મું, " # ૧ - સૌ આ જૂ હા (ઠા) - શ્રી ઢેબરભાઈ સાથે મુલાકાત હા પાડી અને બંનેએ જવું એ નિર્ણય થયો. પરંતુ મેઘાણીભાઈને કાંઈક જરૂરનું કામ આવી ગયું, એટલે એમણે એક ઓળખપત્ર જેવો ભલામણપત્ર શ્રી ઢેબરભાઈ ઉપર લખી આપે. - હું રાજકોટ ગયે અને દરબાર વીરાવાળાને ત્યાં ઉતારે કરી સીધે જઈને શ્રી ઢેબરભાઈને મળે. આજે છે તેવા સાદા અને સોયલા ઢેબરભાઈ ત્યારે પણ હતા. બંને હાથ જોડેલા અને આંખોમાંથી મીઠ૫ વરસે. એ મિલન આજે પણ યાદ છે. મેઘાણીભાઈનો પત્ર આપ્યો. તે વાંચ્યા પછી મીઠાશથી પરંતુ દઢતા સાથે કહ્યું, “વાળાઓના હાથની કપા–ભેટ પારસમણિની હોય, તે પણ તે રાજકોટની પ્રજા નહિ સ્વીકારે. દરબાર વીરાવાળા ઠાકરશ્રીનું હિત ઈચ્છતા હોય, તે રાજકોટ છોડી દે અને બગસરા જાય, એટલે પછી સમાધાન જ છે.” મારી અને ઢેબરભાઈની પહેલી ઓળખાણ આવી રીતે થયેલી. પછી દિવસો, મહિનાઓ અને વર્ષો વીતી ગયાં. પણ ફરીને મળેલા નહિ. માનું છું કે મારી કવિતાના સૂર ક્યારેક એમના કાને પહોંચતા હશે. સમયનું ચકર્યું. સ્વરાજ આવ્યું. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મવડી તરીકે શ્રી ઢેબરભાઈએ રાજતંત્રની લગામ હાથમાં લીધી અને ગરાસદારી અને બારખલી નાબૂદીના કાયદાના પગરણ મંડાણ. સને ૧૯૫૧ની વાત છે. મને ખબર પહોંચાડવામાં આવ્યા કે, “ગરાસદાર, બારખલીદાર; સરકાર અને ખેડૂતો એ બધાના પ્રતિનિધિત્વવાળી પ્રવર સમિતિની બેઠકમાં મારે રાજકોટ ખાતે હાજરી આપવાની છે. સન ૧૯૫૧ થી ૧૯૫૫ સુધીનાં પાંચ વર્ષ દરમિયાન શ્રી ઢેબરભાઈ સાથે લાગલગાટ કાયમ પરિચય રહ્યો, કારણ કે ચારણો, બ્રાહ્મણો વગેરે બારખલીદારોની ઘરખેડના કામે મારે અઠવાડિયે, પખવાડિયે રાજકોટ જવાનું થતું. દિવસે ઓફિસનું કામ ચાલતું અને રાત્રે ઢેબરભાઈને ઘેર ભજન-કાર્ય ચાલતું. નાનો એવો ડાયરો જામે, ભજનની ધારા શરૂ થાય. ગાનાર અને સાંભળનાર બધાં રસથી ભીંજાતાં. સૌ આનંદમય બની જતાં. શ્રી મેઘાણી સાથેનું જૂનું સ્મરણ એક જૂનું સ્મરણ તાજુ થાય છે. દુહા (સેરઠા) મને વિશેષ પ્રિય છે, અને સૌરાષ્ટ્રને તો એ ખૂબ ખૂબ પ્રિય છે. ‘કાગવાણી ભાગ બીજો રાણપુરમાં છપાતો હતો ત્યારે હું બોટાદમાં શ્રી મેઘાણીભાઈને ત્યાં રહે. ચેપડીનું મને ન ફાવે તેવું ગડમથલિયું કામ એમને માથે હતું. એક દિવસ મને એમણે કહ્યું : “કાગને પિતાને સંબોધીને ડાક દુહા લખો.” અંતર્યામીને સંબોધીને મેં દુહા લખવા શરૂ કર્યા. એક રાત્રે અડધો દુહો એ બોલ્યા : કાગ ! કરશે કાણુ એની મેડ મેડાં માનવી આગળની લીટી મેં લખી ; મન મેલાં માનવીઓ તણાં, મડદાં ધખે મસાણ, (૫ણ એની)કાગા! કરશે કાણુ, મેડાં મેડાં માનવી. ભાવાર્થ એવો છે કે, મનની મેલા એવા કપટી માણસને ખરખરે માણસ કામકાજ પરવારી મેડા મોડા જાય છે. બીજી એક લીટી બોલ્યા કે કાગ ! એની કાણુ, ઘર ઘર મંડાશે. આગળની લીટી મેં લખી કે; મીઠપવાળાં માનવી, જગ છેડી જાશે; કાગ ! એની કાણુ. ઘર ઘર મંડાશે. હે કાગ ! મીઠાશવાળા માણસ જ્યારે મરણ પામશે, ત્યારે એની પાછળ તે ઘરોઘર કાણ મંડાશે. એ વખતે થોડાક દુહા લખાયેલા, પણ એમની છે કuિઝી દુલા કાઠા ઋતિ-Jથ Page #42 -------------------------------------------------------------------------- ________________ જીવન અંતરેછો તે પાંચસો દુહાનું એક પુસ્તક બહાર પાડવાની હતી. પરંતુ એ તો ગયા અને એમની ઈચ્છા મારા હૃદયમાં જાગતી અને ગુંજતી રહી. દિન ગણ તે માસ ગયા વર્ષે આંતરીઆ સૂરત ભૂલી સાયબા; નામે વિસરીઆ.” મેઘાણીની ચિતા પર દિવસના ઊના અને ઠંડા પડદા પડી ગયા. મહિનાઓ ગયા. કાળ મહારાજનો વેગ વધ્યો. નવા પ્રભાતનાં વાજિંત્રો વાગવા લાગ્યાં. એમાં કોમળ અને કઠોર બન્ને પ્રકારના વનિ હતા. સુંદરતા અને ભયંકરતા મૂર્તિમંત થતી હતી. આશાનિરાશાને ઝણકાર સંભળાતે હતે. શ્રદ્ધા - અશ્રદ્ધાની ઘંટડી વાગતી હતી. હર્ષ અને શેકની ઝાલર રણઝણતી હતી. કાળ મહારાજ આ બધા સૂરીલા અને બસૂરા તાલને મેળવીને કાળ મહારાજ આંસુ પાડતે હસતે હતો. વિરોધી સૂરોને મેળ અને વિરોધી મેળની નોબતને કુવારે અવાજે દેશને આવરી લીધે હતો. એ અવાજે સમસ્ત જગતને બાથમાં ભીડયું હતું. એ અનૂઠા અવાજે માનવીનાં માથાંઓમાં ભ્રમ ઉત્પન્ન કર્યો. માનવી માનવી ટળ્યો. વર્ષો ધર્મ ચૂક્યા. ભૂતને વળગાડ વળગે. ખોટી ભૂખ જાગી. એ ભૂખને ટાળવા સૌ કોઈ એ–બધા જ ધંધાદારીઓએ–પિતાના જ માંસનું ભક્ષણ કર્યું! એથી એમની ભૂખ ન ટળી, પણ વધતી જ ગઈ, કારણ કે વળગેલું ભૂત બધું ખાઈ જતું હતું. આવો કાળ જ્યાં દેશ પર વ્યાખ્યો હોય, સૌ કઈ ભાન ભૂલ્યાં થઈ જતાં હોય, તેની અસર કવિસાહિત્યકારને પણ લાગે છે, કારણ કે કવિઓને તે કાળબળની અસર સૌથી પહેલાં અને વધારે થાય. એમનાં માથાં અને હૃદય નવીનતાને સૌથી પહેલાં આવકારે છે, પછી એ સ્પૃશ્ય હોય કે અસ્પૃશ્ય. મારી દશા પણ એવી જ હતી. છતાં હૃદયમાં કઈક કહેતું હતું કે “પાંચ દુહા લખ.” ગીતની રચના આજે લખેલું કાલે જવું પડે. આજે નજરે જોયેલે પુરુષ વહેલી પ્રભાતે સ્ત્રી બની જાય. આજે દીસ છત્રધારી કાલે રંક બને. આજે કેદખાને પડેલા કેદીઓ બીજે દિવસે સત્તાધીશ બને. આજના ડાહ્યા સવારે ગાંડા બને. આજને કવિ કાલે મૂર્ખતા પ્રાપ્ત કરે. આજને પરાધીન કાલે સ્વતંત્રતાના શિખર ચડીને ગગનને સ્પશે. આવા ક્ષણે ક્ષણે થતા ફેરફારોમાં કાવ્ય શું ? ગીતે શું ? અને વાર્તા શું ? એ બધાં તો સ્થિરતાનાં છોરુ છે અને કાળથી અબાધિત છે. આ સંગેના મંથનમાં પણ “દુહા લખ અને અબાધિત લખ” એવા અંતરમાં બેઠેલ મિત્ર મેઘાણીના અવાજે મને દુહા લખવા માટે હાથમાં કલમ લેવરાવી. દુહા તે લખાયા, પણ એ વાંચનાર કક્યાં ? સાથે સાથે પૂ. મહાત્માજીના પ્રસંગનાં ગીતે પણ મારી સમજણ પ્રમાણે લખાયા. ભૂદાન પ્રવૃત્તિએ મને ચમક ચડાવી; અને એ તરંગમાં વિનેબાજી અને ભૂદાનનાં ગીતોનો ફાલ મારી ચિત્તભૂમિમાંથી ઊતર્યો. પણ પૂ. રવિશંકર મહારાજ તે મારી આરાધનાની મૂર્તિ બની ગયા. કવિ એવો છે કે એની હૃદયપાટી પર પડ્યા અક્ષરો એ કદી છુપાવી શકતા નથી. એ પ્રગટ થાય છે ને આમ જનતા એની માલિક બને છે. - સ્વ. શ્રી પટ્ટણીજીને દુલાભાઈ પિતાના કાવ્યના પિષક, સંરક્ષક અને પ્રેરણા માનતા. પટ્ટણીજીની ચિરવિદાય પછી પોતાની અને એમની વચ્ચેના સંબંધોનું આલેખન કરતાં લખે છે કે; “સ્વ. પટ્ટણીજનો ને મારો પહેલે મેળાપ એક વસમી વેળાએ અને વસમી રીતે થયેલ. ભાવનગર તાબાના ચારણો પૈકી કોઈ નિર્વશ ગુજરી જાય, (((((((કUિશ્રી દુલા કાકા ક્મદિા-ઝાંથ))) Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કવિશ્રી દુલા કાગ સ્મૃતિગ્રંથ તે તેને ગરાસ રાજમાં દાખલ થાય, એવા એક જરી પુરાણા, કોણ જાણે કઈ અડબંગ રીતે થયેલા ધારાનો અમલ સંવત ૧૯૮૪માં એકાએક અમારા ઉપર થયો. એ અન્યાય હતો. એની સામે દાદ મેળવવા અમે પાંચસે ચારણ-સ્ત્રીઓ ને પુરુષો-ભાવનગર પહોંચ્યા. એક દી, બે દી, એમ સત્તાવીશ દિવસ અમે પાંચસો ગરીબએ ખેંચ્યા, પણ પટ્ટણીજીને મેળાપ જ ન થાય ! અમને કયાંય પટ્ટણીજી ગોત્યા ન જડે. પટ્ટણીજીને ઘેર જઈએ તે કહે, “લીલે બંગલે પધાર્યા, ને બંગલે પિગીએ ત્યાં બીજે દરવાજેથી બહાર ચાલ્યા ગયા હોય ! પટ્ટણીજી સાથે પ્રસંગ આખરે એક દી અમે પાંચસો ચારણ-ચારએ લાગ ગાતી રવ. રમાબાની મોટરને રોકી પાડી. મને ઝાંખું ઝાંખું એમ સાંભરે છે કે, બળેવને દી એ મહારાજા સાહેબ (તે દિવસ ૧૫ વર્ષના) ને રાખડી બાંધવા જતાં હતાં. આ ચારણ અરજદારો સાથે ભટકાઈ ન જવાય એ માટે મહારાજા સાહેબને પણ એ બધા દિવસે નીલમ બાગમાં જ વીતાડવા પડેલા. અને ચારણ વરણ કાંઈક અવળા કામો કરી બેસશે, એવા વહેમથી બળેવની સવારી પણ બંધ રહેલી, એમ અમારું માનવું થયેલું. ૨માબા : શું છે તમારે ? અમે : બીજુ કાંઈ નહિ અમને પટ્ટણી સાહેબને મેળાપ કરાવો. ૨માબા : પટ્ટણી સાહેબ તમને મળતા નથી? અમે : સત્તાવીશ દીથી આંહી પાંચસો ચારણ પાટકીએ છીએ તેય પટ્ટણી સાહેબ નથી મળ્યા ! રમાબા : તે એ પટ્ટણી સાહેબ જ નહિ ! હું તમને વેણ દઉં તો મને છોડશો ? લાંબી સમજાવટ પછી હઠીલા ચારણેએ રમાબાને જવા દીધાં. પછી કે જાણે શુંયે થયું કે પટ્ટણીજી મોટરમાં તત્કાળ આવી પહોંચ્યા. આવીને અમને તે ખૂબ બિવરામણી બતાવી. ડાર દઈને પાછી સડડડ મોટર હંકારી મેલી. તે પછી અમે લાંઘણ આદરી. એક, બે ને ત્રીજી લાંઘણે અમને પટ્ટણી સાહેબની મુલાકાત નીલમ બાગમાં હજૂર બંગલે થઈ પિતે અમને ધમકાવવા માંડ્યા. એમનું છેવટનું વાક્ય આ હતું : “શું તમે ચારણો અહી મોખડાજી ગોહિલનીયે પહેલાં ગરાસ લઈને બેઠા'તા, એમ ?” વાદવિવાદ મારાથી પછી ન રહેવાયું, હું તે નાની ઉંમરને, પણ હિંમત કરીને આગળ આવ્યો. ત્રણ દીની લાંધણ ખેંચ્યા પછી ખામોશ રાખવાનું ન બની શકયું. મને મારાં બોલેલ વેણ યાદ છે મેં કહ્યું હતું કે : “સાહેબ, તમે મોખડો ગોહિલ, મોખડે ગોહિલ શું કરો છો ? અમારા ઘરમાં તે પેશ્વા, સીદી સરકાર, ખસીયાઓ અને વાળાઓ વગેરેના જૂના લેખ-પરવાના છે. ને ભાવનગર પૂર્વજ મોખડો તે હજી ગઈ કાલે રાણપુરથી ઉતરીને પરંભ આવેલો. જ્યાં મોખડો ! કયાં અમારાં દરિયાકાંઠાનાં ગામડાં ! શું મોખડાની આણ ત્યાં કંઠાળ ફરતી'તી સાહેબ ? સાહેબ ! ડાહ્યા તે અમે તમારા કરતાં વધારે છીએ. પણ અમારી પાસે તમારાં ભાગ્ય નથી, ના ! નીકર તમારી એકેએક દલીલને અમે બરાબર ઉત્તર દઈએ પણ ભાગ્ય પટ્ટણીનાં ક્યાં કાઢવાં ? અને સાહેબ, તમારી કવિતાની લીટીયું મને મોઢે છે કે – જન મન અંદર પેસી શકીને, દુઃખમાં ભાગીઓ થાઉં; દુખિયાનાં દુઃખમાં ભાગી થાઉ, બની શકે તે શાંતિ પમાડુ, (નહિ તો) એને આંસુએ હાઉં, બતાવો ઉપાય કે એ . બનું દુખે ભાગીઓ જે.” કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથારીયા Page #44 -------------------------------------------------------------------------- ________________ જીવન પડકાર તે, સાહેબ ! આજ અમારાં આંસુ શું ના'વા લાયક નથી ? શું ભોરીંગડાના કણબી પટેલનાં આંસુ નાવા જેવાં હતાં ? - તમારી કવિતા જો સાચી હોય તે, સાહેબ ! અટાણે અમારાં આંસુએ નાવ, ને ખોટી હોય તે તમે જાણે ! હું જ્યારે બોલવા માંડ્યો, ત્યારે પટ્ટણીજીએ કતરાઈને પૂછેલું કે “આ નવો ચારણ કોણ છે ? બેલકો લાગે છે !” પણ મેં જ્યારે એમની કવિતાના વેણ ઉપર કટાક્ષ કર્યો, ત્યારે બેય હાથની હથેળીઓમાં પિતાનું મેં દાબી દઈ ખુરશી માથે એક બાજુ ઢળી પડ્યા. મેં એ દશ્ય દેખ્યું, તે વખતે ધ્રાસકો પડયો કે, “આ મેં શું કર્યું ?' વાતને વધુ લંબાવતો નથી. તે દિવસ પટ્ટણીજીએ અમારી દાદને ન્યાય આપનારો ઠરાવ કર્યો. અને અમે સૌ પંદર વર્ષના બાલ મહારાજાને તેમ જ પટ્ટણીજીને આશિષ આપી ઘેર ગયાં. વર્ષો વીત્યાં. મોટા થયેલા મહારાજા પાસે હું મહુવે જઈ રામાયણ સંભળાવતા. પટ્ટણીજીને મળવાનું કોઈ પ્રજન જ ઊભું થયું નહોતું. એક દિવસ કુટુંબ સહિત એ વિકટર આવ્યા. મને યાદ કર્યો. હું ગયો. પોતે કહ્યું, ‘રામાયણ સંભળાવશે ?' મેં સંકોચાતે દિલે કહ્યું, “આપ તે વિદ્વાન છો, આપની સામે...” ત્યાં તે રમાબા બોલી ઊઠ્યાં : “ભલે અમે વિદ્વાન રહ્યાં, અમારે તમારે માંયેથી વાણી સાંભળવી છે.” રામાયણ સંભળાવીને હું નીચે ઉતર્યો, ત્યારે એક અધિકારી સ્નેહીએ મને રોકળ્યો, કહ્યું, “પટ્ટણી સાહેબ તમને કંઈક આપવા માગે છે.' અજાચક વ્રત હું લેતા નથી એ વાત હું એમને સમજાવવા માગતો હતો, ત્યાં પોતે જ નીચે ઊતર્યા, પૂછ્યું : “શી ચેવટ ચાલી રહી છે ? મેં એમને આભાર માની મારી મુશ્કેલી સમજાવી. એમણે પૂછયું : “કળ્યાંયથી લેતા નથી ?' મેં કહ્યું : “ના સાહેબ.' ઠીક ત્યારે એમ કહી મારી પીઠ થાબડતાં થાબડતાં એમણે મને કહ્યું: ‘તમારું નીમ મને ગમ્યું છે. હું તમને કહું છું કે ક્યાંય માંગશો નહિ, કયાંયથી લેશે મા !” એ પ્રસંગને મર્મ મારા મનમાં આ રીતે સંઘરાયો છે કે, પોતે દાન આપીને મોટાઈ મેળવવી, અથવા આવા કેઈ નીમધારીને નિહાળી તેના પ્રત્યે તુચ્છકાર અનુભવ, એ એક સ્વાભાવિક ક્ષદ્ર લાગણી છે એમ તેઓશ્રી માનતા હતા. સહૃદયતા તે પછી અમારું મળવું વિશેષ થવા લાગ્યું. ભાવનગર ગયો હોઉ તે બંગલે લઈ જાય, આખા ઘરને ભેળું કરે. અમે તમામ ડાયરો ધરતી માથે એક જ ગાલીચે બેસીએ. હું સંભળાવું ત્યાં સુધી સૌ એકકાન થઈ સાંભળે, ગાંધીજીનાં ગીત વિશેષ ગાવાનું પોતે મને સૂચવે અને હું ગાઈ રહું પછી સૌ એ ગીત પર જ ચર્ચા કરે. પિતાને ઘેર જલસો કરવા અથવા બે ઘડીનું મનોરંજન લૂંટવાની હળવી મનોવૃત્તિથી તે ઘણા તેડાવે, પણ અહીં મેં જોયું કે, ગંભીર જ્ઞાન-ભૂખ અને સત્સમાગમની વિવેકભરી તૃષા છે. ચારણને, વાર્તાકારને, સાહિત્યકારને કે ટીખળકારને, પિતાને થાક ઉતારનાર તરીકે, વિદૂષક તરીકે, કાંઈ નહિ તે શેભાની કલગી તરીકે, સાથે ફેરવવાની એક તાસીર હોય છે, તે જુદી. ને એ પુરુષનું મારા પ્રત્યેનું વર્તન 9કવિ દુલા કાગ સ્મૃતિ-ગંગ કરવામા Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩ર કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ સાવ જુદું જ; એ મેં એમની સાથેના પ્રવાસ દરમિયાન વધુ ને વધુ જોયું. મેં જોયું કે એઓશ્રી મને પોતાનો સાહિત્યરસને સાથી ગણતા. મારી સાથેની એકલ બેઠક વધુ પસંદ કરતા. એમના અંતરની અંદર ઘણે ઘણે આઘે સુધી મને લઈ જતા. હું ચારણ કવિ છું ને પોતે રાજપુરુષ છે, એવું નહોતું રહ્યું. કેટલાક પ્રસંગે આ સહવાસ દરમિયાન મેં અનુભવેલા કેટલાક પ્રસંગો ને વાર્તાલાપ ટપકાવું છું. પ્રશ્ન : માણસ કેવો છે અને છેલ્લે આંક શા પર બાંધવો ? જવાબ : અજવાળામાં હોય તેવો નહિ, પણ અંધારામાં હોય તે. એક માણસે આવી પટ્ટણીજીને કહ્યું કે “બાપજી, ફલાણો માણસ તમારી વિરુદ્ધ બહુ જ બોલે છે અને તમે તે તેને કેઈ ને કોઈ રીતથી લાભ આપી બચાવ્યે જ જાઓ છો. જવાબ : સાચી વાત, ભાઈ ! એક વાત છે. સાંભળો : એક સાધુ નદીમાં સ્નાન કરતા હતા. ત્યાં વીંછી તણાતે આવતે જોઈ તેને બહાર કાઢવા પાણીમાંથી હાથમાં લીધે. તુરત જ વીંછી ડંખ દીધે. દુઃખ થયું અને હાથ ઝોટાણો એટલે વીંછી પાણીમાં ગયો. પાછો લીધે. દસેક વાર લીધે ને દસેક વાર વીંછી કરડ્યો. ઘણું ઝેર ચડવાથી સાધુ પડી ગયે. એક માણસ આ બધું જેતે ઊભો હતે. તેણે પાસે આવીને પૂછયું કે “કરડવા છતાં આપે વારંવાર વીંછીને શા માટે હાથમાં લીધો ?' અગાધ વેદનામાં સાધુ હસીને બોલ્યો કે “ભાઈ ! વીંછી જેવું ઝેરી પ્રાણી પણ પોતાને સ્વભાવ જે ડંખવાને છે તે છોડતું નથી, ત્યારે મારે મારો સાધુને સ્વભાવજે બચાવવાનો છે તે-કેમ છો ?” અવિસ્મરણિય લીલે બંગલે બરાબર બાર વાગે પોતે જમવા ઊઠતા હતા, તે વખતે એક દાઢીવાળાને દીઠે. પટાવાળા ! પેલા દાઢીવાળા કેણ આંટા મારે છે ?' બાપુજી! ચારણ છે, મળવા માગે છે.” “હા, હા, એમને અહીં તેડી લાવો.” ચારણને જોઈને પટ્ટણીજીએ પૂછયું: “ગઢવી કક્યારે આવ્યા છો ?” સૂરજ ચોટીઆવા ચડ્યો ત્યારથી આવ્યો છું. પણ મોટરનું હાઠિયે ઠાઠિયું ઘાસે, એટલે મારે તે વારે જ આવ્યો નહિ !' તમારું નામ : હાજે ગઢવી.” કહે, કહેવું છે ?” બાપ ! પણ હું માંગુ તે આપ હા કહો તે કહું.' “અરે, ગઢવી ! આ હળાબોળ કળજુગમાં વચન અપાય ખરું ?' ‘કાંઈ નહિ એ એંશી વરસની ચારણ ડોસ પિતાની ધોળી દાઢી પર હાથ ફેરવત પાછો ફર્યો. પટ્ટણીજીએ ઊભા થઈ હાથ ઝાલ્યો “ગઢવી ! કંઈક જરૂર હોય તો જે કહો તે હું મદદ કરે.' ના બાપ ! મારે તે તારું વેણ લેવું છે.” ઘણી રકઝક પછી “કહો, માગો, ગઢવી ! મારી જોગ માંગજો. “બાપ, તું તે શંકરનો ગણ છે, જેથી પલંગ પરથી આ ખુરશી પર ઘડીક બેસ, મારે તારી સાત પ્રદક્ષિણા કરવી છે.” દિગમૂઢ બ્રાહ્મણ ડોસો આખો મીંચી બેસી રહ્યો. ચારણ ડોસે પ્રદક્ષિણા કરી પગે પડ્યો ! ઘડીક આડીઅવળી વાતો ચાલ્યા પછી પટ્ટણીજીએ કહ્યું, “ગઢવી ! તમે એકલું માગી જ જાણે કે પક કવિઝા દુલા કાગ સ્મૃતિ-ગુંથી Page #46 -------------------------------------------------------------------------- ________________ જીવન તમારા જેવું હોય તો બ્રાહ્મણ સાધુને આપી શકો ખરા ?” - “અરે બાપ, હું તે શું આપી શકું? પણ અમારા ઘરધણી જંગ તે બ્રાહ્મણ સાધુ આવતા તે હશે જ ના ! અમે પણ હાથ જોડી યથાશક્તિ આપીએ તે ખરા જ ના ! રાજા દાન ને પ્રજા અસનાને.” ' ‘ત્યારે મારું તે મને આપશે ? આપણે બ્રાહ્મણ ચારણ તે એક જ છીએ.' - “ઓહો બાપ હું શું આપું ? વિશંભરે તને શી વાતનો ત્રાટો રાખ્યો છે, બાપ ? તારા ભાગ્યમાં તે હજારના ભાગ્ય સંધાઈ ગયાં છે. પણ મારા જેવું કામ હોય તો ગઢ છું, તેય બે ગાઉ ધળ્યો જાઉં.' “વાહ ગઢવી ! માગે છે, તેમ પાછા કઈ જાણે છે ખરા.” પછી પટ્ટણી ઊભા થયા. હાજા ગઢવીના હાથ ઝાલી એમને ખુરશી પર બેસાર્યા. સાત પ્રદક્ષિણા કરી, પગે એક સો રૂપિયા મેલ્યા. ચારણે જવાબ દીધે : “બાપ ! મેં કહ્યું છે કે મારા જેવું કામ હશે તે કરીશ. આ રૂપિયા લેવા એ કામ મારું નથી.” એટલું કહી રૂપિયા વગર જ હાજે ગઢવી ચાલ્યા ગયા, અને ફરી કદી આવ્યા જ નહિ. કરછની એક વાત ગામ ઘણું સારું ને મોટું પણ ખરું. વાહ ગામ !” ગગા ઓઝાને આપેલ તુરખા ગામ જોઈને ભાવનગરના બાળ મહારાજાના મોઢામાંથી એ વેણ નીસર્યા, પટ્ટણીજી સાથે હતા. ધીમે ધીમે મોટર પંથ કાપવા માંડી. આડીઅવળી વાત ચાલતી હતી. થોડીક વાર પછી પટ્ટણીજીએ એક નાની વારતા માંડી : મહારાજ ! કચ્છની એક વાત છે. તે દી” રા” પ્રાગમલજીની થતી ઉંમર; તાજા ગાદીએ બેઠેલા. ફરવા નીકળ્યા. ગરઢા વજીર રૂપસંગજી સાથે. એમાં ચારણોનું એક ગામ રસ્તામાં આવ્યું. ગામ તે ગામ જેવું ગામ; લીલું નાઘેર; હરણકપાળી કાળી જમીન. માંજેલ સ્લેટ જેવાં ખેતરડાં, અને હાંડા જેવું ગામ જોઈ રા' પ્રાગમલજી બોલ્યા, “વજીરજી ! ગામ બહુ સારું. આ ગામ આપણું છે કે બીજાનું ?” ઘોડાગાડી આગળ વધી. ધીરે રહી વજીર બોલ્યા : બાપુ! આ ગામ તો દસેંદી ચારણનું છે. આપના વડવાઓએ આપેલ છે.” અનુકરણીય ચાલતાં ચાલતાં રાજના બીજા ગામને સીમાડો આવ્યો. આઠ-દસ હાથ સરહદ છેટી રહી, ત્યારે એ બુદ્દો રજપૂત ગાડીથી હેઠા ઊતરી પોતાના લૂગડાથી ઘોડાઓને તથા ગાડીને ખંખેરવા માંડયો. રાજાને કુતૂહલ થયું, ગાડી ચાલતી થઈ. ધીમે રહીને રા” પ્રાગમલજીએ પૂછ્યું, “વછરજી ! તમે આ શું કર્યું ?' ‘યે રા, બાપુ ! વાત એમ છે કે આ ગામ ચારણોને બક્ષીસ આપેલ છે. રાજાનો એવો ધર્મ છે કે બક્ષીસ આપેલી વસ્તુને કોઈ દિવસ ઉપભોગ કરે નહિ. પણ હકીકત બહુ ઝીણી છે. તે એ કે, આ ચારણના ગામની ધૂળ ઘોડાઓને તથા ગાડી અને પૈડાંને ચેટી હતી. એ ધૂળ જો આપણી જમીનમાં મળે, એની આવકને પૈસો આપણે ખજાનામાં આવે, તે તે સર્પ રૂપ છે. એ વાતને હું જાણું છું. એટલે ચારણોની ધૂળ એની હદમાં ખંખેરી નાખી છે.” પિતાના રાજાની આવક વધારવા પ્રિય થનારા અત્યારના મુત્સદ્દીઓમાં કઈ મોઢાં એવાં છે કે પિતાના રાજાને આવી વાત સંભળાવે ? 5. HINDI (((( કuિઝી દુલા કાકા સ્મૃતિ-સાંથDDDDDD) દુલા કાગ-૫ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪. કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ કવિ અને પટ્ટણીજી કવિરાજ ! ઓરા આવો, પાસે બેસી વાતો કરીએ' એમ કહી, પટ્ટણીજીએ એક ચારણને પિતાની પાસેની ખુરશી બતાવી. ચારણ કવિ એમના પગ પાસે આવીને હેઠા બેસી ગયા. તેને બેઉ હાથ પકડી પટ્ટણીજીએ કહ્યું. “ખુરશી પર બેસ' - ચારણ કહે, “ના છે, તમારા પગ પાસે બેઠો છું, તે ઠીક છે.” ના, ના, ના, એ બને જ નહિ. કવિરાજ. હું કોઈને હેઠો બેસાર નથી. અને જે દી મારા મનમાં બીજાને હેઠા બેસારવાની દાનત જાગશે તે દી પ્રભુ મને પિતાને જ હેઠો બેસારશે. દુનિયામાં જેઓ બીજાને હેઠા બેસારે છે, તેને હરિ હેઠા બેસારે છે.” હું તે ટાઢો હિમ થઈ ગયે. મારી બધી ગોઠવણી તેમણે પિતાની પ્રેમભરી ચાતુરીથી વાંચી લીધી. પણ મારા મનમાં એક બીક હતી કે “આજ સુધી મારું નીમ પળાવ્યા પછી ઘેર આવી વેર વાળશે કે શું ?” એટલે મેં કહ્યું : “મારે ત્યાં આપ જમવા પધારો, એ મારાં અહોભાગ્ય; પરંતુ આપનો સ્વભાવ પાછો ઝળકાવતા નહિ. નહિ તે મારે ત્યાં જમવું એ વિલાયતની વીશીમાં જમવા જેવું થાશે.' પતે પૂછયું કે, તમારા માતુશ્રી હયાત છે ના?” મેં કહ્યું, “હા” “તે એ ચારણ જોગમાયાના હાથના ઘડેલા બાજરાના રોટલા અને દૂધ જ આપણે જમવાં છે.” ચાંદલો કરવા જતાં થાળીમાં કાંઈક મુકાય, એ રિવાજને પોતે લાભ લેશે તે ! એ બીકે અમે કંકાવટીની થાળી જ સંતાડી દીધી. ઢોલિયા પર પોતે બેઠા, ત્યાં થાળી પગે ભટકાણી. એમણે પૂછ્યું; “શું છે ?” મેં પટની વાત કહી ત્યારે ઊલટાની એમણે મને હિંમત દીધી : “ના, ના. હું કંઈ જ નહિ મૂ કુ” પછી ચાંદલે થયો. વસૂલાતી થયા પછી પટ્ટણીજી ખેડૂતોની સ્થિતિની તપાસ અથે ફરવા નીકળેલા. તેમનો મુકામ વિકટર થયો. હું વિકટરના બંગલે તેમનાં દર્શને ગયો અને તેમને વસૂલાતી થવા બદલ મુબારકબાદી આપી. પિતે બોલ્યા કે, “મુબારકબાદી તે હું થાણદાર થાઉં ત્યારે અપાય !” એક પ્રસંગ એક દિવસ મેં કહ્યું, “મારે એક અરજ કરવી છે.' પોતે બોલ્યા : “જરૂર કરો.” “ઘણાં વર્ષોથી મારા મનમાં રમતી એક વાતને નિવેડે હજુ સુધી આવ્યો નથી. આ૫ દીવાન હતા ત્યારે હું નાનો હતે. આપ કાઉન્સીલના પ્રમુખ હતા, ત્યારે પણ અરજ થઈ શકી નથી. હવે આપ..' વચ્ચેથી જ પિતે મારી અરજી સમજી ગયા હોય તેમ બોલ્યા : “સાંભળો, તમારી વાત વચ્ચે મારે બલવું એ ઠીક નહિ, પણ પછી કદાચ ભૂલીયે જાઉં, * આજ રાત્રે મારે તમારે ત્યાં જમવું છે.” એક વાર જમતાં જમતાં તે બોલ્યા: “કંઈક ગાંધીજીનું ગાઓ જોઈએ, આપણે આ વખતે સાથે હરિપુરા જવું છે અને બધાં ગીતે મહાત્માજીને સંભળાવવાં છે.” મેં ઘણાં ગીત સંભળાવ્યાં, પોતે પ્રસન્ન થઈને બેલ્યા, “હરિપુરાનું ભાતું તે ઘણું રાખ્યું છે ને શું !” વિકટરના બંગલામાં પ્રસંગોપાત વાત નીકળતાં એમને વિનંતિ કરી કે, “આપની વાતે નાની, પણ હોય છે મંત્ર જેવી. કોઈ એકાદ ટુચકા સંભળાવશે ?” સી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કાપડ Page #48 -------------------------------------------------------------------------- ________________ જીવન પિતે બોલ્યા, “હા, કહું : “સોનાની કસોટી કાળો પથ્થર છે. એનું નામ જ કસોટીને પથ્થર છે.) એના પર ઘસવાથી તેનું કેટલા વલું છે, તે જણાઈ આવે છે, તેમ માણસની કસોટી સોનું છે.” [એટલે કે પૈસાથી માણસનું માપ જણાઈ રહે છે.] કેથળીઓ ને કેથળીઓ ઠાલવીને ભાવનગરના ખેડૂતને કરજમુક્ત કર્યો. એક દસકે તે એને ચોપડામાંથી બહાર રાખે. પણ ટકો વ્યાજ પણ હદપાર છે. તમને વિશ્વાસ કેમ નથી આવતું કે, જે ખેડૂત બાર મહિને મારી જબ્બર તિજોરી ભરી દે છે, તે તમારી નાનકડી પેટડીને હડફ નહિ ભરી આપે !' વેદના એક વખત વાત કરતાં કરતાં પિતાને હૃદયમાં દુઃખ થતું હોય તેમ લાગ્યું. છાતી પર હાથ ફેરવવા અને મોટા મેટા શ્વાસ લેવા માંડયા. કેટલું દુઃખ થતું હશે એ તે પોતે જ જાણે, પણ મેઢા ઉપર અસહ્ય વેદના થતી દેખાતી હતી. મારાથી સહેજે પૂછાઈ ગયું : “આપને હૃદયમાં શાથી દુઃખ થાય છે એની આપને ખબર છે કે નહિ? કઈ એવા ખોરાકથી, કે બહુ શ્રમ લેવાથી દુઃખ થાય છે ?” પોતે બોલ્યા : ઘણા ખેરાકો ખાધા અને બદલ્યા છે. શ્રમયે ઘણા લીધા છે. પણ એનાથી દુઃખ થતું હોય એમ લાગ્યું નથી. પણ વેદના તો માત્ર એક જ વાતથી થાય છે અને તે એ કે એક ડાંડ માણસ હોય અને તેના વિરુદ્ધ ફરિયાદ આવે અને હું એને કંઈ દંડ આપી શકું નહિ અને એ ઘણાં માણસને દુઃખ આપ્યા વિના રહે નહિ. આ વિચારના તેફાનથી જ મને હૃદયમાં દુ:ખ થાય છે; પણ મારી દયા કેને આવે ?” પાદપૂતિ વિકટરને બંગલે મુકામ હતું. બરાબર એકને સમય થયો હતો. તે ગામડાંઓમાં પધાર્યા; બાવડે હાથ રાખી મોટરમાંથી ઊતર્યા, પથારીમાં પડ્યા અને મને બોલાવ્યો. ગજલની એક લીટી બોલ્યા. દયાના માગનારાઓ ! દયા કરજો, દયા કરજે” એની પાદપૂતિ બનાવશે ?” વાત એમ બની હતી કે વિકટર તાબે મસૂદડા નામે ચારણોનું એક ગામ છે. આખાં ગામ ધરાવનાર ચારણેના પેટા-બારખલી તરીકે તેમના ભાણેજ ચારણે તથા પસાયતા ચારણ હોય છે. આવી પેટા બારખલી ચારણ ભાગદાર ગણાતા નથી. કારણ કે ગામેતી ચારણની આપેલી જમીન તેઓ ખેડતા હોય છે, અને સુધારા વરાહ પણ ગામેતીને ભરે છે ભાવનગર તાબે ચારણોનાં આખાં ગામ ત્રીશ છે. તેમનાં સેટલમેન્ટ નક્કી થયાં છે. બારખલાઓને ભાગદાર ઠરાવી શકાય નહિ. અને તે બારખલા ચારણે દરબારમાં સીધે સુધારા વરાડ ભરી શકે નહિ, પણ ગામેતીને ભરે. આ મસૂદડા ગામના ગામેતી અને બારખલાં (પસાયતાં) એક ચારણ ડેશીને તકરાર હતી. ડોશીની તકરાર એવી હતી કે તેઓ ભાગદાર છે. અને સુધારા વરાડ સીધે દરબારમાં ભરે. જો કે ખરી રીતે તેઓ પસાયતાં હતાં, ભાગદાર નહિ. (હું તે ગામની વહે. ચણીને પંચ હોઈ મને આ બાબતની માહિતી હોય ડુંગરના દરબારી ઉતારામાં ખેડૂતો અને વેપારીઓ વચ્ચે બેઠા બેઠા ધીમે સાદે પટ્ટણીજી બેલ્યા, “કાં શેઠિયાઓ ! વ્યાજના ભાવ શું ચાલે છે ?” એક વેપારી ભાઈ બેલ્યા, “સાહેબ, હવે તે સવાયા રૂપિયા થાય છે. વ્યાજ ઘણાં હલકાં થઈ ગયાં !” - લેહી તપતું હતું ને હૃદયમાં આગ ભભૂકતી હતી, તે પણ થોડું હસીને બોલ્યા : “શેઠિયાઓ ! હવે સમજે તો સારું કહેવાય. મહારાજાની તિજોરીની દિ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગુંથારી પર Page #49 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિગ્રંથ ફરિયાદીએ કહ્યું : ધબી.” પોતે આશ્ચર્ય—ઉદ્દગાર કાઢ્યા, “હે ! હે !' ફરિયાદી બોલ્યો, “હા સાહેબ ! ધોબી છું.” પોતે બોલ્યા, “એમ ! સાંભળો, બેબી ભગત ! પરમેશ્વર બે વાર હસે છે. એક તો મારા જેવડો બુદ્ધો જીવવા માટે દવા ઘૂંટાવતે હોય ત્યારે; અને બીજું એક માના બે દીકરા સામસામા લડે ત્યારે. અરે ભલા માણસ ! આખા મલકને ધોયે અને પિતાનો જ સાચવી રાખ્યો ! (મેલ.) ઘેબી' બિચારો શરમાઈ ગયો અને સીધે રસ્તે જ પડ્યો. એ સ્વાભાવિક છે.) એવી રીતની ચોખવટ ઘણા વખત પહેલાં સેટલમેન્ટથી નક્કી થઈ ગયેલી હતી. આમ હોવા છતાં ડોશી જૂના જમાનાના માણસ હાઈ પોતે ભાગદાર છે તેવી રીતની ફરિયાદ પટ્ટણી સાહેબ પાસે જ્યારે ડુંગરથી પાછા વળ્યા ત્યારે) કરી અને તડતડતા તડકામાં મોટર આડે ઊભી રહી ખૂબ કકળાટ કર્યો. પટ્ટણી સાહેબને ડોશીના કકળાટથી બહુ લાગી આવ્યું અને વિકટર આવતાં ઉપરની ગજલની પાદપૂર્તિની લીટી બોલ્યા. એ લીટીને આશય એ હતું કે “નામદાર મહારાજા સાહેબે દયા કરી ચારણોને સાત પેઢીને વારસો આપ્યો છે, માટે ગામેતી ચારણોએ પણ પિતાના તાબાના માણો (બારખલાં વગેરે) પર દયા રાખવી જોઈએ.” પણ સેટલમેન્ટથી નક્કી થઈ ગયેલ તે અત્યારે ફરે નહિ, એમ ઉપર જણાવ્યા મુજબ હકીકત હતી એટલે મેં પાદપૂતિની નીચે બીજી લીટી બનાવી અને બોલ્યો :– દયાના માગનારાઓ, દયા કરજો, દયા કરજે; દયા કરનાર એ દાતા ! દયા હદ જળવી કરજે. પોતે એ સાંભળીને હસી પડ્યા અને બોલ્યા : ચારણોની તકરાર ચારણથી પાર પડે.” વિલાયત જતી વેળા છેલ્લી વાર પિતે બંદરની લડાઈ માટે વિલાયત ચાલ્યા ત્યારે બનેલા પ્રસંગને હું નજરોનજર સાક્ષી છું. રાતના ૮-૯ સુમાર; રમાબા લગભગ મરણ પથારીએ; તાવ ભરાણો હતા. એમણે પતિને પોતાની પાસે બોલાવીને હાથ ઝાલીને કહ્યું : “તમે અત્યારે વિલાયત જવા માગો છો ?” ‘હા’ ટૂંકો જવાબ. ‘આપણે બેઉને સાથે જવાનું હતું તેને બદલે એકલા જાઓ છો ? હા” એ જ સૂકો ટૂંક જવાબ. મને આ સ્થિતિમાં મૂકીને ?” જુઓ, એક પલ્લામાં તમારા ને મારા સ્નેહસંબંધને મૂકું છું, બીજા પલ્લામાં જેનું અન્ન ખાઉં છું તેના પ્રત્યેની ફરજને મૂકું છું. બીજુ પલું નીચે નમે છે માટે જાઉં છું. એમાં જો ઈશ્વરને કઈ સંકેત હશે તે આવતે અવતાર મારાં કરજ ચૂકવીશ. અત્યારે તો જાઉં છું.” આડે દા'ડે વાતવાતમાં, ઘણીવાર તે ધૂળ જેવી લાગતી વાતમાં પણ ગળગળા બનનાર પટ્ટણીજી તે ૧. લડનાર બેબી સગા ભાઈ હતા. ધોબીની ફરિયાદ રાજુલાના દરબારી ઉતારામાં ખેડૂતોનો ડાયરો પૂરો થયો. પોતે થાકી ગયેલ હોવાથી) માંડ માંડ ઊભા થયા. લાકડીને ટેકે લઈને જયાં ચાલવા જતા હતા ત્યાં તે એક ફરિયાદ આવી. બે ભાઈઓ વચ્ચેની તકરાર માટે ફરિયાદ હતી; અને હતી પણ સાવ ખોટી. ફરિયાદ કરનારને દરબારમાં તમારો ચલાવવાનો શોખ હતો. બરોબર અર્ધો કલાક સુધી બધી હકીકત સાંભળીને પછી ધીરેથી આંખો ઉઘાડી જરાક હસીને ફરિયાદીને પૂછયું : “જાતે કેવા છો ?” : કવિ દુલા કા રમણિ ૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ જીવન રાત્રિએ ઘેનભરી પત્નીને સદાને માટે છોડીને જ્યારે કટ કટ કટ પગથિયાં ઊતર્યા, ત્યારે તેના ગળામાં ખરેટી પણ નહોતી. બીજો પ્રસંગ શ્રી અનંતરાયભાઈને રાજ-કામે વિલાયત મોકલવાને હતે. નક્કી થયેલ દિવસે અંતુભાઈને એક સે ને ચાર ડિગ્રી તાવ ચડે. ઘરનાં તમામ કુટુંબીજને કેચવાતાં હતાં. એમને બેલાવીને પટ્ટણીજીએ કહ્યું : “અનંતરાયને હું બાપ છું. પહેલે હું, ને તે પછી એ; ને હું કેને લઈને ? રોજને લઈને. નીકર ક્યાં હતા અંતુભાઈ ને ક્યાં હતાં તમે સૌ ? માટે એણે જવું જ જોશે. ને ઉતારે હશે તે ભગવાન એને તાવ કેડે જ ઉતારશે.” પટ્ટણીજીની માંદગી છેલ્લાં બે વર્ષથી એમને મહિનામાં વીસ દિવસ તાવ આવતો. એક વખત રાજકોટ દીવાનની મીટીંગ હતી. એમને તાવ આવ્યો હતો. બોલતાં બોલતાં પડી ગયા, બેશુદ્ધ થઈ ગયા. એવા એમના બે–ચાર પ્રસંગે જોઈ મને વિચાર આવ્યું કે, ભાવનગર હજુ આ ડોસા પાસે કેટલું માગણું માગે છે ! પટ્ટણીજીના અંતિમ દિવસે ગઢડાના ડાક બંગલામાં રાતે જમતાં જમતાં વળી છાતી પર હાથ ફેરવવા લાગ્યા અને મતની સાથે ખાનગી વાતો કરવા લાગ્યા. મેં હાથ જોડી વિનંતી કરી કે “હવે આપ થોડાક દિવસ આરામ લે. એમ ઘણા માણસ વતી મારી વિનંતી છે.” થોડુંક હસ્યા, કહ્યું, લ્યો આ પાદપૂતિ : - “મરી જાવું ગમે હરતાં ફરતાં મેં કહ્યું, હમણાં હમણાં આપને હરવખત આવું બોલવાની ટેવ કેમ પડી ગઈ છે ? એ લીટી પર હું કાંઈ લખતે નથી.' ' પલંગ પર બેઠા બેઠા બે હાથના ટેકા રાખીને બોલ્યા, “ભગત ! આપણે કેઈનાં ઘર અપવિત્ર નહિ * કરીએ. રસ્તામાં મરી ગયાના સમાચાર તમે સાંભળશે !” મેં પૂછ્યું, “આપના દિહી પધારવાના ખબર સાંભળ્યા છે. જ્યારે પધારશે?” “હા, સાચી વાત છે. પણ હમણાં તે ભાવનગર જ રહીશ, કારણ કે અનંતરાયભાઈની મા મેણાં મારે છે એ મેણાં સાંભળી સાંભળી એક વરસ તે કાઢયું. એમના અંતકાળ વખતે હું વિલાયત ચાલ્યા ગયા હતા, મારા હાથ એમને અડક્યા નહિ. હવે તે એમની વરસી આવી છે. એમાં પણ હું હાજર ન રહું એ કેમ બને ? માટે હવે ગામડાઓને પ્રવાસ પણ અધૂરો રાખી બધા દિવસો એમની ક્રિયામાં રહેવું છે.” ડાકલું લાગે ત્યારે ભુવાને આવેશ આવે અને જેમ પિતાની શક્તિ કરતાં હજારગણો નાચવાધૂણવા માંડે, એમ એ ડોસાને ગરીબોનાં દુઃખનું ડાકલું સાંભળી હાક આવતી. ખેડૂતને ડાયરો જામે હોય, એમાં હાકલે મારી મારી વાત કરે. મને તો આશ્ચર્ય થતું કે આ બધી વાત કરતી વખતે શક્તિ કયાંથી આવે છે ? પણ જ્યાં ખેડૂતોને ડાયર વિખેરાય કે તુરત એમને કાળની સાથે મોઢામોઢ વાત કરતા જોયા છે. અને એ વાત પણ રોતારોતાં નહિ; પણ હસતાં હસતાં. દિવસમાં ત્રણ વાર મરતાં અને ત્રણ વાર જીવતાં થતાં એ વૃદ્ધને મેં જોયા છે. જીવનના બધા વિચારોને રજા આપી સાત દિવસ એકચિત્તે ભાગવત સાંભળ્યું. શ્રેતામંડળ વચ્ચે ખાટ પર સૂતાં સૂતાં આખો વીંચી સાંભળતાં. મને પરીક્ષિત-મોક્ષની સ્મૃતિ આવતી. ખોરાકમાં ફક્ત દૂધ જ લેતા. છેલ્લા મેક્ષ અધ્યાયમાં પૂછયું કે “ભટ્ટજી ! મારે મેક્ષ થશે કે કેમ ?” સાચેસાચ એમને પોતાની બાજી સંકેલાવાની ખબર પડી ગઈ હતી ! હરિપુરા is વિકી કgિણી દુલા કાણા રમૃતિ- આ બો Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ- ગ્રંથ એમની આગમવાણી રૂપવંત બનીને મારી આંખો સામે તરવરવા લાગી ! તુરત જ રોવું ન આવ્યું. પણ એક જ વાત યાદ આવી અને તે ગતરૂપે બહાર નીકળી.” મહાસભામાં જવાનું મારે માટે પણ પિતાની સાથે નક્કી કર્યું હતું. પણ એમની તબિયત ઘણી જ નરમ થયેલી જોઈને મેં કહ્યું કે “હું હરિપુરા જવાનું બંધ રાખું. આપની તબિયત ઘણી જ ખરાબ થઈ ગઈ છે. એટલે હું આપની પાસે રહું. વાત કરીશ, જેથી આપને આનંદ આવશે.” ના, તમને આમંત્રણ છે. તમારાં ગીત ગાવાના કાર્યક્રમની તારીખ નક્કી થઈ ગયેલ છે. માટે તમારે જરૂર જવું જ જોઈએ. બનશે તે હું ઊડીને આવીશ, પણ નવાણું ટકા નહિ અવાય !” આવું કહી પટ્ટણીજીએ મને મહાસભામાં મોકલ્યો. હરિપુરામાં પૂજ્ય ગાંધીજીના તેઓ ભક્ત હતા. પણ એટલા અશક્ત હતા કે બોલવાની શક્તિ પણ ન હતી એટલે આવવા હિંમત ચાલી નહિ. બીજી તરફ ગઢડા મુકામે એમણે કહેલું કે “આપણે તો ભાઈ! કોઈનાં ખોરડાં અપવિત્ર નહિ કરીએ. ને મારા સમાચાર તો તમે એવા સાંભળશે કે હું રસ્તામાં જ મરી ગયો છું !” હરિપુરા જતાં શ્રી મહેશ પટ્ટણીએ મારે માટે ભાતું બાંધતાં કહ્યું કે “બાપુજીને કાર્યક્રમ કાલે શિહોર જવાનું છે. કોઈને કહેશે મા !” હું તે દિમૂઢ બની ગયો, “શિહોર ?” હા, શિહોર જ. મને હમણાં જ બોલાવીને સ્વ. મેઘાણીભાઈ સ્વ. મેધાણીને અંજલિની દુલાભાઈ એ જ દુહાથી શરૂઆત કરે છે, જે તેમણે બંનેએ સાથે મળીને રચેલ. કાગ એની કાણ, (હવે) ઘર ઘર મંડાણી કયો પ્રસંગ લખું અને કયો જતો કરું ? એમનાં (મેધાણીભાઈનાં) ગીતની કઈ લીટી લખું ને કઈ ન લખું ? એમના જીવનનાં કેટલાં પાસાં યાદ કરું અને કેટલાં વીસરું? શું લખું અને શા માટે લખું ? કોણ જાણે કાંઈ ખબર પડતી નથી. આજથી પાંત્રીસ-ચાળીશ વર્ષો અગાઉ “ચારણ એ શબ્દ કાને પડતાં કેટલાંક શહેરી જનો મેટું ચડાવતાં. પ્રજાવર્ગમાં કઈ ખુશામદખેરની વાત આવે, તો એમ બોલે કે, “હું કાંઈ ચારણ-ભાટ થોડો છું ?' ગુજરાતની એક વાત છે : એક ચારણ જુવાને એક બાઈ પાસે પાણી પીવા માંગ્યું. બાઈએ પૂછ્યું, કેવા છો ?' તે કહે “ચારણ છું.” એટલે વિસ્મય પામેલ બાઈ એ કહ્યું, “અરરર ! નાનો બાળક બિચારો ચારણ થઈ ગયો છે !' એટલે કે બાવો થઈ જાય, તેમ ગમે તે ચારણ થઈ જતું હશે ! છેલ્લે છેલ્લે ચારણોની પરખ આ જાતની રહી હતી. તેમાં ચારણ કેણ, કેવો હોય, એના જીવનની સાચી ટેક અને જીવતર કેવાં હોય એની સાચી છબી શ્રી મેઘાણીએ ખેંચી અને શહેરે અને ગામડે, બંગલે અને ઝુંપડે, દેશ અને દેશાવરમાં તા. ૧૫-૨-૧૯૩૮ના રોજ હું હરિપુરા જવા ઊપડવ્યો. પણ સાચેસાચ એ ત્રણ-ચાર દિવસ અંધાધૂંધી જેવું રહ્યું. દિશાઓ માત્ર ઝાંખી ઝાપટ થઈ ગઈ. પવન એટલે કુંકાતો હતો કે આકાશ ધૂળમય બની ગયેલું. તા. ૧૭-૨-૧૯૩૮ના રોજ હરિપુરામાં દશ લાખની મેદનીમાં વીજળીને વેગે વાત પ્રસરી ગઈ કે, “આજે દાઢીવાળો દેવ થઈ ગયો!' કવિ દુલા કાગ સ્મૃતિ-ગે છે Page #52 -------------------------------------------------------------------------- ________________ રસધાર, બહારવટિયા અને ચારણી સાહિત્યની ચેાપડીએ દ્વારા એ છબી રજૂ કરી. * * ચારણી સાહિત્ય ચારણી સાહિત્યમાં છેલ્લાં પાંચસો વર્ષના પ્રતિ હાસમાં કોઈ અન્ય કવિ, પંડિત કે લેખકના પગપેસારે। થયા જ નથી. એવું એ સાહિત્ય છે. વેદોના સંસ્કૃતનુ વ્યાકરણ જેમ બીજા સંસ્કૃતથી જુદું છે, તેમ ચારણી સાહિત્યના મમાં, માપ, છંદ, ગીતા, પિંગળ અને શબ્દજોડણી સાવ જુદાં જ જણાય. ચારણી સારઠા, દુહા, સપાખરાં અને સાવજડાં ગીતે બીજા કોઈ કવિએ હજી સુધી લખી શકયા નથી. એ જાતને સાચો કે ખાટા પણ ચારણ કવિઓને એક પ્રકારો ગ છે. એ સાહિત્યનું સંપાદન કરવું, એટલે બહુ જહેમતવાળું કઠણ કામ એવા દોયલા કામને શ્રી મેધાણીએ સાયલુ કેમ કરેલું ? દિવસાના દિવસો, રાતાની રાતા ચારણા સાથે એ વસેલા. સામાવાળાની જ રીતભાતથી એ રહેતા. ધીરે ધીરે નાતે ચાલે, વળી બંધ પડે, કથારેક તેા વાર્તાકાર શ ́કાશીલ અને કે આ ક્યાંક આપણું જૂનુ' બધુ લઈ જશે ! એમને મેલાવવાના રસ્તા શેાધવા, એ કઠણમાં કઠણ કામ એમના બધાનાં અંતરમાં વસી જઈ તે એમણે એવુ કામણ કરેલું કે પછી તા એમને જોઈ ને ચારણ, બારેટ કે વાર્તાકાર, મે'તે જોઈ તે મેરલા હરખે તેમ, હરખી ઊઠતા : બાવડાં ઝાલી ઝાલી જૂનીનવી બધી વાતા, ગીતા એમની આગળ માકળે માંએ ઠાલવતા. એકની એક વાત પચીસ રીતે રજૂ થતી. એકનાં એક ગીતા, દુહા વિધવિધ રીતે રજૂ થતાં: એ બધા ખાતરના–ધૂળના ઉકરડામાંથી સાનુ શોધી કાઢવાના સંચા કુદરતે એમના હૈયામાં ગેાઠવ્યા હતા. * * ન ૩૯ ચારણી સાહિત્યના કેટલાક પદાર્થા મેત્રાણીએ સાચેાસાચ કરેલા છે. દાખલા તરીકે એક મિત્રના વિયેાગે ગવાયેલ બારમાસાનું એક કાવ્ય છે. એમાં ભાદરવા મહિનાના વનની લીટીઓ છે, જેને અ રચનારે કલ્પ્યા હશે અને બીજો મેધાણીએ કરેલા. દધકૂલાં વાગે ડમર, ક"ગામગા કૈલાસ વીજ વળક્કે ધાવળાં, પ્રપન્ન ભાદ્રવ માસ.એમાં પહેલી લીટીમાં જે ‘ધફૂલાં’ શબ્દ છે એને અં અમે બેચાર મિત્રો વચ્ચે એમણે તુરત જ એવા કરી આપેલો કે, “એ તે દૂધફૂલિયાં ડૂ ંડાં.'' ચારણી ભાષાના પ્રયાગમાં દૂધફૂલાં મૂળ કવિએ કરેલુ' હશે. એની બીજી લીટી એવી છે કે કાગ રખી સખ પ્રજ્મ ક્રિયા. ભાદરવા મહિનાના વર્ણનમાં, કવિ કહે છે કે, શ્રાદ્ધપક્ષમાં લોકો કાગઋષિને જમાડીને ધર્મ કરે છે. એ અ પણ એમણે જ કરી આપેલા. * ‘કાગવાણી'ના પહેલા ભાગ પ્રસ ંગે “કાગવાણી” તા પહેલા ભાગ છપાતા હતા, તેમાં ગાંધીજીને મેં એક ભુજંગી છંદ લખેલા. એની ત્રીજી કડીમાં તુ હી સરાવર જેલ જાડા કિનારા, હૈયા નીર સરવાણુ કૂચાં હજારો એને ભાવાય એવા છે કે, ગાંધીજીરૂપી તળાવના પાણીને રાકવા જેલરૂપી પાળ બાંધી છે, છતાં સરવાણ તા વળ્યા જ કરે છે. પણ કાવ્યને માપે એ કડી બરાબર ન ગણાય. મેટાદમાં એમની મેડી પર એ લીટી બદલવા મથ્યા, પણ ક ંઈ મેળ ન થયા. રાતે એ રાણપુરથી આવ્યા. વાતચીત થઈ. હાકા પીતાં પીતાં એમણે લીટી પૂરી કરી : કદ્મિશ્રી દુલા કા। સ્મૃત્તિ-ાંથ કાચા Page #53 -------------------------------------------------------------------------- ________________ % કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ | મહા શક્તિને ધ તું, બંધ જાડા, તને રોકવા દાખીએ બાંધ્ય આડા; ચીરી ત્યાંય પાષાણ સરવાણું કહેતાં, નમે હિંદના પાટવી સંત નેતા. ચારણી કાવ્યધારાને દીપાવે એવા ભાવવાળી આ કડી એમની રચેલ છે. બીજાં એમનાં ગીતે “વીર બંદો', “રાત ઘંટા ચાર વાગે” અને “શિવાજીનું હાલરડું 'ચારણી ઢાળમાપનાં અને ચારણી શબ્દોના પ્રયોગથી રચાયેલાં છે. “શિવાજીના હાલરડા'માં– તે દી તારે શિર ઓશીકાં, મેલાશે તીર બંધૂકા. એ પૂરેપૂરો ચારણી પ્રયોગ છે. ચારણી ભાષાના પ્રયોગો ઘણાને અગમ્ય અને સુરતમાં લોકભોગ્ય ન બને. એટલે એમણે એ ભાષામાં વધારે ગીતે નહોતાં લખ્યાં. હે પિરસાવાળા ! સામે વાછરુ બાંધ્યું હોય અને ગાય દૂર ઊભી હોય, પણ એ વાછરુ અને ગાય, એ બંનેને મળ્યા વિના શાંતિ થતી નથી. ઊડી મન અંબર ચડે, ચકવાં જેમ સદાય; ત્યાં) પણ કફરી રાત કળાય, (હજુ) પીને ફાટે, રિહા! ૨ વિયોગરૂપી રાત પડી છે. ચકવી-ચકો સૂર્યોદય જેવા ઊડી ઊડીને ઊંચે ચડે છે, પણ ક્યાંયે સંયોગનો સૂર્ય દેખાતું નથી. એ રીતે સાત દુહા લખેલા. રસધારમાં એમણે બધી વિગત આપી આ દુહા લખ્યા છે. પછી તે આગળના અને મારા રચેલા નવા દુહા ઘણા કવિ મિત્રોને મોકલ્યા કે આમાંથી નવા દુહા શોધી કાઢે, પણ એક મેઘાણી સિવાય કોઈથી એ બની શકયું નથી. રસધાર વેળાએ રસધાર લખાતી હતી. પિરસાવાળાના દુહા ડાક વધારે મળે તે ઠીક, એમ એમણે મને કહેલું. હું મારા દીર્ઘસૂત્રી સ્વભાવ પ્રમાણે ભૂલી ગયેલ. ઉપરાઉપર ત્રણ પત્તાં આવ્યાં, એટલે સાત દુહા ઘરના જ બનાવી મોકલી દીધા અને લખ્યું કે આટલા મળ્યા છે. વળતાં એમને કાગળ આવ્યો : “દુલાભાઈ! આ દુહા જે તમારા લખેલા હોય, તે થોડાક વધારે લખી નાખે ને !' કાગળ વાંચી હું તે ઠરી ગયો કે, વાહ મેઘાણી ! કયા પુણ્યથી પ્રભુ માણસને આવી અકકલ આપતે હશે ! આ દુહાવાછ૨ડું વાળા ! ભાંભરતાં ભળાય; (પણ) થીર ને આતમ થાય, વરસ્યા વિણ જે, પિરહા ! ૧ જેગડાના દુહા જોગડાની વાતના દુહા અમે નાનપણથી શીખેલા અને બેલતા. પતિ મરી ગયા પછી સ્ત્રી કહે છેસેથે સ્થાને માટ; (અમે) પાટી ઢાળીને પૂરીએ; લખેલ છે લલાટ, (હવે) જટા વણવી, જોગડા ! કડલાં કેને કાજ, પગદા ધેઈને પહેરીએ; ભાંગુ દલ ભડથાર, તુ જોખમતે, જોગીડા ! મરકીન હસતે મુખ, કદી બરકીન લાવ્યા નહીં; (એન) દિલમાં રહ્યું દુઃખ, જનમેજનમનું જગડા ! એવા પચીસ દુહા છે. આ વારતા મેં તુળશીશ્યામ રૂખમણીના ડુંગરા પર માંડેલી. એક પછી એક બધા દુહા ફેંકયા. વાત પૂરી થઈ. એકબીજાના હાથ ઝાલી આથમતે સૂરજે હેઠા ઊતરતાં ઊતરતાં એમણે પૂછયું, “આ દુહા કે ના કહેલ છે ?” કહ્યું, આ તે એ વાત બની તે દિવસના છે. મારા બાપુ પાસે પણ મેં સાંભળેલા.” એ વાત એમને ગળે ન જો કવિબ્રા દુલા કાગ ઋતિ-ગુંથી 'પS Page #54 -------------------------------------------------------------------------- ________________ જીવન ઊતરી. એ કહે કે, આ તે રચાણ લાગે છે.” એની પાછળથી શોધખોળ ચાલી. છેવટે એમાં સાચું એમ નીકળ્યું કે એ દુહા વિકટર તાબે ડોળિયા ગામના કવિ અને ભક્તરાજ શ્રી ગીગા રાવળે પાછળથી રચેલા છે, હજુ સુધી એ સમજાતું નથી કે એ દુહા પાછળથી રચાણા, એમ એમણે શા પરથી ક૯યું હશે? રસધારની વાત એ છે ચારણોની વાર્તાના ફોટા છે, વેવલાં લખાણ નથી. સાથે સાથે ચારણે ઘેલા થઈ સાંભળે, એવી એ વાર્તા માંડી શકતા હતા. હજુ સુધી ચારણી ઢબની વાર્તા અન્ય કવિઓ માંડી શકતા નથી. અખિલ હિંદ ચારણ સંમેલન સંવત ૧૯૯૪માં રાજકોટ મુકામે અખિલ હિંદ ચારણ સંમેલન મળ્યું હતું. કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, સિંધ, થરાદ્રી, માળવા, મેવાડ, મારવાડ અને મધ્ય પ્રાંતના સુકવિઓ અને વાર્તાકાર મળેલા. એક ચારણ બેઠો હોય, તે પણ વાત કરવાનો અન્ય માણસોને સંકેચ થાય, એને બદલે એવા પાંચસો ચારણ ત્યાં મળ્યા હતા અને એમાં ઘણા તે કવિરાજે હતા; એમની વચ્ચે, બધાના આગ્રહથી, એ વામન પણ વિરાટ સમો માનવી માંચડા પર ઊભે થયે. એની કસુંબલ તૃપ્ત અને રિધીયલ કેરીની ફાડ જેવી આંખ સભાને ખૂણે ખૂણે, આડીઅવળી ફેરવી અને મારવાડી ગીતથી શરૂ કર્યું. મોરલા સામા હોંકારા દેવા મંડયા. રાજકોટ ગાંધનગર સમું બની ગયું. મેદનીનાં હૈયેહૈયાં દળાવા મંડ્યાં. બરાબર પણ બે કલાક કેઈએ હોકાની ઘૂંટ પણ ન ખેંચી; હોકા ઓલવાઈ ગયા ! લીંબડી કવિરાજ શ્રી શંકરદાનજી તે ઊભા થઈ એમને ભેટી પડયા. હસવા લાગ્યા કે, “મેઘાણી ! કળજુગ આવ્ય લાગે છે. એ સિવાય કાંઈ વાણિયો ગાય અને પાંચ સે ચારણે ચૂપચાપ સાંભળે, એ બને ખરું ?” મેઘાણીએ કહ્યું, “મુરબી ! આ તો આપનું જ છે. હું તે ચારણોને ટપાલી છું, બધે પહોંચાડું છું.” “રસધારની વાતો - એમનાં લોકગીતે વિષે લખવું એ નકામું, એમ હું માનું છું. એમણે કબરે બેદી કાઢી, મૈયતોને ઉઠાવ્યાં અને જિવાડવાં. એમણે મસાણેમસાણ જગાડ્યાં. કાળી રાતે મસાણમાં સાદ પાડડ્યા. મુરદાંઓએ હોંકારા દીધા. હજારો પ્રેતને એમણે કપડાં પહેરાવ્યાં. એ પ્રેત નથી, નીચા નથી, લુચ્ચા અને હરામખેર નથી, એમ સાબિત કરી જગતના ચેકમાં ઊભાં રાખ્યાં. માણસોએ કબૂલ કર્યું કે, હા, એ સાચાં માણસ છે. “રાણો અને કુંવર', “વીકઈ અને કમો', ‘સૂરજની સાખે’, ‘ઓળીપો” એવી ઘણી ઘણી વાતો રસધારમાં લખી. આ બધી સોરઠી જીવનની વાત. કહેવાતા શિષ્ટ અને સારા વર્ગના માણસો વચ્ચે એવી વાતો બેલાતી જ નહિ. દુહા કે ગીતો ગવાતાં નહિ. એ બધું હલકું સાહિત્ય લેખાતું. આપણા બધાના આવા જૂઠા અન્યાયથી બળીને ઓલાયેલા એ સાચેસાચા માનવીઓને એમણે પિતાની કલમનું અમૃત જળ છાંટી બેઠા કર્યા, સજીવન કર્યા. ધૂળમાં ખોવાઈ ગયેલ જૂના માણસોની એમણે ઓળખાણ આપી. એટલે હું એમને ધૂળધોયાની ઉપમા આપું છું. પોતે ધૂળ ફાકીને સાચું તેનું આપણને આપતા ગયા. ડાકુ, રાક્ષસ, નરાધમ, નાલાયક, ફાંસીને માંચડે લટકવા યોગ્ય, એવા એવા હલકામાં હલકા શબ્દો બહારવટિયાને લગાડવામાં ખૂટી ગયેલા. એમણે કલમના પ્રયોગથી એ બધા આત્માને જીભ આપી જી. કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કાચી દુલા કાગ-૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ ર કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ બોલાવ્યા અને જગતના ચોકમાં એમનો ઈતિહાસ આલેખ્યો. કોઈને કાંઈ કહેવું હોય, તે વેળા આપી. એમની સામે વિરોધમાં કઈ પણ સાક્ષર એકે હરફ ઉચ્ચારી શક્યો નથી. માણસ બહારવટિયે કયારે બનતો? કાં તો ખોટાં ખોટાં ખત પાડી વેપારીઓનાં ચોપડાએથી બબ્બે ચારચાર પેઢી સુધી એ ગળે પકડાતો ત્યારે; કાં તે રાજસત્તા એનું સર્વસ્વ છંટી લેતી ત્યારે; કાં તો અમલદાર એનાં ચામડાં, માંસ અને હાડકાં સુધી પહોંચતા ત્યારે; કાં તે નિર્બળને કેઈ બળવાન રહેંસી નાખતે ત્યારે, સાચો મર્દ, સાચે માણસ, સાચો ભક્ત, શૂરવીર બહારવટિયે બનતે. એ ડાકુના સ્વાંગ ધરત, ઝૂઝત, ખપી જાતે. એમની કવિતાની લીટીઓમાં જ લખ્યું છે : સત્યના સ્વાંગ પહેરી ઊભું જઠ જ્યાં; બંધુ શું ખડગ લઈ ન ધાયે? તેમ કહે, “ભાઈ ! “રવીન્દ્રનાથ' શબ્દમાં દીર્ઘ ઈને બદલે હસ્વ ઇ લખાઈ ગઈ હોય, એવો મને વહેમ આવે છે.” ' મેં પૂછ્યું, “એમાં કાંઈ સરકારી ગુને તે બનતે નથી નાં ? કે કોઈને અન્યાય તે થતું નથી નાં ?' એવો મેં વિનોદ કર્યો, એટલે કહે, “ના ના, એવું કાંઈ નથી.” એમ કહી હસ્યા. પિતાની નાનકડી ભૂલ એમને ઘણી મોટી લાગતી. એવું લાગણીનું યંત્ર એમના દિલમાં હતું. તુ રિપુહીણ, બળહીણ, કંગાળ તું; સ્વાદ ચાખ્યા નથી તે જખમના. લાગણીપ્રધાન મેઘાણી એ લાગણીપ્રધાન એવા હતા કે પોતાની રાઈ જેવડી ભૂલ એમને મેરુ પર્વત જેવડી મોટી લાગતી હતી. એને એક દાખલ છે. માણસને જેમ ભૂત વળગે એમ થોડાક દિવસ એમને છાપું વળગેલું. એક દિવસ હું રાણપુર ગયેલો. સાંજના અમે સ્ટેશન પર આવતા હતા. હું રમૂજી ટુચકા કહેતો હતો, પણ એ જાણે સાંભળતા જ ન હોય એમ ચાલ્યા આવતા હતા. ચાલતાં ચાલતાં એકદમ ઊભા રહ્યા. મેં પૂછયું, “કાંઈ ભૂલી ગયા તે નથી નાં ?” એમણે કહ્યું, “ના, ના કાંઈ ભૂલી ગયો નથી, પણ લખાણમાં થડીક ભૂલ રહી ગઈ છે, એમ મને યાદ આવે છે.” મેં પૂછયું, “શી બાબતમાં ?' જાણે કે મોટામાં મોટી ભૂલ થઈ ગઈ હોય - મહુવાના ડોશીમા ગોપનાથથી તુલશીશ્યામ સુધી અમે સાથે મુસાફરી કરેલી, એ વાતને ઘણાં વર્ષ વીતી ગયાં. મહાશિવરાત્રિની એ રાત હતી. ગોપનાથમાં શિવરાત્રિ કરી અને દરિયાકાંઠાના પીથલપર, કેટડા, નૈ૫, નીકોલ, કળસાર વગેરે ગામડાં ભટકતા ભટકતા, વચ્ચે રાતું રહેતા રહેતા, મહુવા આવ્યા. અમે કતપુર થઈ મહુવાના બંદરે ગયા. ત્યાં એક સિત્તેરેક વર્ષની ડોશી પાકલ ઈટ વહાણમાં ચડાવતી હતી, તેની સાથે વાત શરૂ કરી. ડોશીને એકને એક દીકરો બે'ક મહિના અગાઉ વહાણ બૂડી ગયાથી બૂડી મરેલો. મહુવાના કોઈ વેપારીનું એ વહાણ હતું અને આ એના જૂના વહાણવટી હતા. મેઘાણીએ પૂછયું, “તમે તમારી આજીવિકા માટે શેઠ પાસે કેમ ન ગયાં ?” ડોશીએ કહ્યું, “ભાઈ ! મારું તે કાળું મેટું થયું. શેઠનું વહાણ મારા દીકરાના હાથે બૂડયું. હવે શું મોટું લઈને જાઉં ?' ડોશીના આ શબ્દ સાંભળતાં તે એ છાતી પકડીને બેસી ગયા અને રોયા; બાલ્યા કે, - ‘દુલાભાઈ! આ મચ્છીમાર કેળી ને પેલા વૈષ્ણવ વાણિયા - બેમાં કોણ ખાનદાન ?” કપિશ્રી દુલા કાકા સ્મૃતિ-gીંથી , Page #56 -------------------------------------------------------------------------- ________________ જીવન એ કહેતા કે, “સાચા ચારણને અવાજ અને એની ખમીરભરી ધરાણે મીઠી આંખ્યુંને હું ઓળખી લઉં છું. આઈ હીરબાઈ તુલશીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા, ત્યાં રાડ થઈ સાવજ ડણક્યો, હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઈ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાં હીરબાઈ નામે એક ચારણ બાઈની વોડકીને સાવજે પાદરમાં જ પાડેલી. અમે બધા દેવ્યા. વીસેક જણ હતા, જ્યાં ધાર માથે ચડ્યા, ત્યાં તો આઈ હીરબાઈ કોણ જાણે કષારનાંયે પહોંચી ગયાં હતાં. મરેલી વોડકી પર બેઠેલાં ચારણ કન્યા સાવજ સામે સોટો વીંઝતાં હતાં. સાવઝ બે પગે સામે થઈ હોંકારા કરતો હત; બાઈ એ સાવજના ફીણથી નાહી રહેલાં, પણ એમણે સાવજને ગાય ખાવા ન દીધી. એ વખતે “ચારણ કન્યા’ એ નામનું ગીત એ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. શરીર જાગી ઊઠયું. આંખ લાલ ધગેલ ત્રાંબા જેવી થઈ ગઈ. અમે એમને એ ધીંગાણામાં ન જવા દેવા બાવડે પકડી રાખેલ. ભજનમ એ કહેતા કે કોઈ કવિ જ્યારે ભજન સુધી પહોંચે છે, ત્યારે એના આત્માને શાંતિ થાય છે. એમ જ એમણે પણ છેવટ સતેના ઘરમાં પ્રવેશ કરેલ. દાને ભગત, જલે ભગત, ગેબીનાથ ગોરખ, રવિસાહેબ, મોરારસાહેબ, આપ ગીગે, વેલે બાવો, જેસલ-તોરલ, દેવ-તણખી. દેવાત પંડિત, ભીમદાસ, દાસી જીવણ, સગાળશા શેઠ, જમિયલશા પીર, ચારણ દેવીઓ નાગબાઈ, કામબાઈ, કાગબાઈ, વરુડી, શેણબાઈ. એમનાં આંગણાં જોઈ એમણે આપણને એ તરફ આંગળી ચીંધી. ભજન એ જ એમના જીવનનો છેલ્લો વિષય બની ગયો હતે. એ ભજનના આજ દિવસ સુધી સાધુસંતોએ અર્થ નહોતા કર્યા, એવા સાચા અર્થો એમની કલમમાંથી અને રૂંવાડે રૂંવાડેથી નીતરવા લાગેલા. મને તે થોડા મહિનાઓમાં એ સાવ અવધૂત મસ્ત યોગી જેવા જ લાગવા માંડેલા. રાજકોટમાં, છેલ્લા સાહિત્ય સંમેલનમાં, એક રાતે અમે ધીરે ધીરે ભજન બોલતા હતા. એચિંતા એમણે એવડો મોટો અવાજ કાઢો કે, બરાબર માઈલ માઈલ એના પડછંદા વાગ્યા. આ ભજનપથ્થર પૂજયે હરિ મળે તે, પૂજે મેટા પાડછે. એ પથ્થરમાં સાચી હોય તે, ઘડનારાને ખાય, મનસા માલણું હે જી રે, ગેરખ ! જાગતા નર સેવ. . સવ.. . . ચારણની પરબ એ ઘણી વખત કહ્યા કરતા કે “હું હજારો માણસો વચ્ચેથી ચારણને ઓળખી કાઢ્યું. દરબારનાં ઉતાર કપડાંનો પહેરનારો નહિ, રાજ્યના રોટલામાં વિકૃત થયેલે નહિ, પણ માલધારી, ઘરકમાણીવાળો, નેસડાને અસલી ચારણ હેય, એને હું ઓળખી લઉં.” તુલશીશ્યામથી વળતાં શીખલકેબાના નેસમાં અમે રાત રોકાણા. સવારે પિસક માણસ વચ્ચે ત્રણ અજાણ્યા ચારણ જુવાનોને મકરાણીના લીલા સાફા બંધાવી અમે બેસારી દીધા, અને કહ્યું, ‘આમાંથી ચારણને ઓળખી કાઢો ! બધા સામું જોઈ એક પછી એક ત્રણેનાં કાંડાં ઝાલી એમણે ઊભા કર્યા. OWO જો કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગુંથ કરી L Page #57 -------------------------------------------------------------------------- ________________ જ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ બીજુ : અને ભેસનાં દાન સૌરાષ્ટ્રભરમાં પ્રસિદ્ધ છે. રામજીને બનાયે પવન-ચરખે, માણસુર ભવા ચરખે નઈ, સદા સરખે, આ કંટાળા ગામમાં માણસુર ભવા નામે આહીર એના ઘડનારને કેદ પરખે, રહે છે. એમની અવસ્થા અત્યારે પંચોતેરક વરસની રામજીને બનાયો પવન-ચરખે. હશે. ચાર દીકરા છે. નાને દીકરો જીવભાઈ આતા અજાચક વ્રતનું રખેવું (માણસુર આતાને સહુ “આતા’ કહીને બોલાવે છે)ની મારા અજાચક વ્રતનો એમને ગર્વ હતું. હું સાથે રહે છે. પણ જો તે જીવો જ. પિતાના ક્યાંય લથડી નથી જતો ને, એના એ ઉઘાડા અને મઢા સામું જોયા કરે, આતાની આજ્ઞા એ જ એનું છૂપા રખોપિયા હતા. મારા એ વ્રત પાછળ એ કર્તવ્ય. મૂળ તો અમારા વાળાક તરફના સોરઠિયા ઘેલા હતા. છેવટે ચારણ ડિગને ફાળો માગવા આહીર. તેમના પિતા ગીરમાં ભેંસે લઈને આવેલા. મારે રજવાડાં તથા મુંબઈ વગેરે શહેરોમાં લક્ષ્મી ભગવાનની કૃપાથી તેને દિનમાન દિનપ્રતિદિન વધત પુત્રો પાસે જવું પડેલું. ખૂબ સંસર્ગ વધેલ. ગયો. આતા પાસે અત્યારે બસો વીઘાં જેટલી ભાવનગરને સંબંધે બીજાં રજવાડાંમાં જવા-આવવાનું જમીન છે, એક જેટલી ભેંસો ને ગાય છે. કોઠારે ખૂબ થયું. આ બધે વખત એમણે મારા વ્રત કણ ભર્યા છે, ઘરમાં સો સે ડબા ધી ભયુ" છે, પાછળ રખોપું કરેલું. કેઈ સંયોગે મારી બનાવેલ કેથળિયે નાણાં ભર્યા છે, અને મનમાં દાતારી ભરી કોઈ વ્યક્તિની કવિતા એ સાંભળતા, ત્યારે એમને છે. પૂજ્ય રવિશંકર મહારાજ અહીં પધારેલા ત્યારે મોટામાં મોટું દુઃખ થતું. અને મને કહેતા ને આતાના ઘરમાં જમવા બેઠેલા. સો સો ઘીના ડબા લખતા પણ ખરા કે, “ભાઈ! ચારણી દેવીને ક્યાં જોઈ ચક્તિ થયેલા. આ વાત પૂજ્ય દાદા ગુજરાતમાં ફેકે છે ? પાછી વાળી લે. તારાં ગીતે વ્યક્તિની પ્રસંગોપાત કહે છે. મારા પર એની ભક્તિ શ્રીરામ પ્રશસ્તિ કરવા માટે નથી.” પર હનુમાનજી જેવી છે. થોડા સમય અગાઉ આતાને " મારે મન તે એ ભાઈ હતા, મિત્ર હતા, કોઈ અને નેસડાના જેઠસુર મોભને અમરેલી આવવા મેં દુઃખદ વખતનો વિસામો હતા. છેલ્લે છેલ્લે તે એ કહેલું. અમરેલીમાં એ બંનેને સાથે બેસાડી ફેટા મને ગુરુ સમ લાગતા.” પડાવ્યા અને પછી કહ્યું કે આતા ! આ છબી ખેંચી છે તેમાં તમારે પાંચ હજાર રૂપિયાનો ખર્ચ કંઠાળનાં ગામની દારૂની બદી જોઈને બાપુનું થશે. એમનો સ્વભાવ એવો છે કે હું બોલું એટલે હૈયું વલોવાઈ ગયેલું. એમણે લોકોને દારૂ છોડાવવા મરક મરક હસ્યા કરે. દારૂબંધીમાં એને અપાર ભારે જહેમત ઉઠાવેલી. માથે પાઘડી બાંધવાનું ભાગલે છે, અને કાયમ દારૂબંધીના આતા રખેપિયાનીમ પણ લીધેલ. આ કાર્યમાં એમને એમના સ્નેહી ખોલિયા રહ્યા છે. એમના પિતાનું નામ હરસુર મિત્રોને પણ સાથ મળેલ. ભવો અને માતાનું નામ આઈ માલસરી છે. દુલાભાઈએ લખ્યું છે કે, અને જેઠસુર મોભ ! મોભ સાથે અમારે દસ “ગીરના કંટાળા ગામે મેં નાનપણનાં આઠ દસ પેઢીને જીવ સાટેનો સંબંધ. પહેલા ભાગમાં હીપા વર્ષ ગાળ્યાં હતાં. રામ નળને રોટલ, ઉદારતા. મોભ માટે મેં લખ્યું છે. આ બધાં મોભકુળ એટલે :... or BELL BIHI, Page #58 -------------------------------------------------------------------------- ________________ જીવન ૪૫ મારું ઘર. તેઓ ઉડેચા મોભ કહેવાય છે, અને એનું ગામ છે. ખાંભા પાસે મોભના નેસડા. ત્રણ ભાઈઓને જ વિસ્તાર. ત્યાં વસે છે આ મોભ, ભીમો મોભ, અને રાજે મોભ. હું જ્યારે કંટાળા' રહેતો હતો ત્યારે અમે રાજા મોભ પાસે મહિને મહિને દિ’ રહેતા. કુંભણના જેઠસુર દેવ પણ મારી સાથે રહેતા. ધાતરવડી નદીમાં નહાવાનું, અને ખાવા માટે તે પૂછવું જ શું ! આ રાજા મોભના ભા આઈ નાંદુબાઈ મજાદર પાસે બાલાપર ગામનાં મેગળ શાખાનાં હતાં. સવારમાં ગોરસ રોટલા સગા દીકરાના ભાવથી અમને ખવડાવતાં. એમાં જે મીઠાશ આવતી એ મીઠાશ રાજમહેલના થાળમાં ચે હજુ સુધી આવી નથી. આપા મેભને જેઠસુર મોભ. જેઠસુર મોલની હાલ અવસ્થા પચાસ વરસ આસપાસની. કાયમ એકટાણું કરે છે, મહેમાનોને પ્રાગવડ અને ગરીબોને એ માળો . નદીએથી પાણી વિનાની કઈ ગાય પાછી જાય, તે જેઠસુર મોભને ત્યાંથી કઈ માગવાવાળે નિરાશ જાય. એને સ્વભાવ પણ પ્રસન્ન. આતા માફક હસ્યા જ કરે, રૂંવાડે રૂંવાડે જીવ. ખેડ, માલઢોર, મેમાન તથા પિતાના વહેવારની એટલી સુંદર વ્યવસ્થા કે વાત કરવાની નહિ. વરસ દિ'એ પચીસ-ત્રીસ હજારનું શીંગનું વેચાણ થાય. એનાં ખેતર કપટીના કાળજા જેવાં કાળાં કાળા ડિબાંગ. દાંત ખોતરવા ખડની સળી પણ ન મળે. અમારી દારૂબંધીની હાકલ ઝીલનારા મારા દીકરા જે જ સાંગણિયા ગામે હિપા મોભને બાઉભ. મજાદર પાસે ઉંટિયા ગામે રાશિંગ લાખણોતરા (આહીર)ને દીકરે મેળો ભાઈ અને આપા મોભને કરણ જે આ જેઠસુર એભ. સૌથી છેલ્લે રામનળને પૌત્ર બાઉ મોભ. બઉ મોભ છે તે છેડી માટીને ઘડેલે, પણ જોવા જેવો વીર અને દાતાર છે. આ ચા ઘર દારૂનાં સદાવ્રત. જેની ત્રણ ત્રણ પેઢીથી દારૂ પીવાય. ઉપરવાસ નીકળ્યા હોય તે જેના પરસેવામાં દારૂ ગંધાય, જેને ત્યાં હજારો માણસોની કંઠી તોડી દારૂ પવાય. એવા આ ચારે દિપાળાએ એક જ ક્ષણમાં દારૂને હરામ કર્યો. એટલું જ નહિ પણ પિતાના લાગતા-વળગતામાં દારૂ છોડાવવા મહેનત આદરી. અને હજારો આહીર કુટુંબોએ દારૂ છોડ્યો. મજાદર મુકામે જ્યારે સપ્તાહ પૂર્ણાહુતિમાં આ બધા ભાઈએ આવ્યા. અને આતા પણ મારી મદદ આવ્યા. મેં હાકલ કરી કે અમુક ગામના ભાઈઓ દારૂ નહિ છોડે ત્યાં સુધી પાઘડી નહિ બાંધું. આ વર્ષોથી ઝંખતે હતું કે કેમેય વાળાક, નાઘેર, ગીર અને બાબરિયાવાડમાંથી દારૂ જાય. અને આ બધા જુવાની ફરિયાદ વારંવાર મારી આગળ કરતા હતા. જે દારૂના જ દાતણ કરતા, અને જેને ભાગ્યે ભૂખ જાય એવા આ જુવાનોએ જ્યારે દારૂ છોડ્યો ત્યારે મારી આંખે હર્ષનાં આંસુ રેલ્યાં. તે દિવસ મજાદર હજારે માણસે આવ્યાં હતાં. શ્રી જયમલ્લા પરમાર, શ્રી રામનારાયણ પાઠક વગેરે ભાઈઓ મને મદદ કરવા આવેલા હતા. ત્યાં એક ખેલ બની ગયો. ઝાંપાની ડેલીએ આતા ખાટલા પર બેઠા હતા, ત્યાં આ બધા જુવાનેએ આતાને ઘેરી લીધા. અને " કહેવા લાગ્યા કે અમને દારૂ છોડાવીને હવે બેખે મોઢે બીડી કેમ પીઓ છો ? છોડે બીડી, નીમ . એ જ વખતે આતાએ બીડી ફગાવી હરામ કરી. આ વાતને આજે પાંચ પાંચ વર્ષ વીતી ગયાં છે. આવા ચાર પાંચ નહિ પણ કેટલાયે જુવાનોએ દારૂ છોડ્યો. એની હિંમત, દઢ શ્રદ્ધા, અને એકવચનની કિંમત કરું છું ત્યારે હૃદય ભરાઈ જાય છે. એક ચા છેડે હોય તે પણ ભલભલા માણસે એડ ખજવાળે છે, ત્યારે વ્યસનોના રાજા દારૂને પક્ષો રો વિઝા દુલા કાગ સ્મૃતિ ગ્રંથ Page #59 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ www" છે. અને છોડ્યા પછી એનું સ્વપ્ન પણ ન આવે. ધન્ય છે એનાં માતાપિતાને! ઈશ્વર એને કાયમ બળ આપે. પછી તે આ બધે ઠેકાણે પૂજ્ય આઈ સોનબાઈ મઢડાવાળાં તથા પૂજ્ય રવિશંકર મહારાજે મારી વિનતિથી અકેક ટંક પધારી સૌને આશીર્વાદ આપેલ છે.” પિતાનાં સર્જન અને પ્રભુનાં ગુણગાન પર પિતાના અંતિમ ગ્રંથ કાગવાણી ભાગ-૭માં લખે છે : - “સત્તર સત્તર મહાપુરાણો લખ્યા પછી પણ વ્યાસજીના મનને શાંતિનો અનુભવ થયો નહિ. દૂધપાકમાં ફરતી કડછી જેમ દૂધપાકને સ્વાદ માણી શકતી નથી, મોઢું ફાડીને પવન ભરખે જેમ પેટ ભરાતું નથી, તેવી તેમના મનની દશા રહી. સહુ દેવે આવીને વ્યાસજીનાં વખાણ કરે, પણ વ્યાસજીને ક્યાંય ચેન પડે નહિ. એમાં એક દિવસ નારદજી આવ્યા ને વ્યાસજીને પૂછયું, કે આટલી બધી મૂડી છતાં તેનું તેજ તમારા મોં પર કેમ દેખાતું નથી ?' ત્યારે વ્યાસજીએ જવાબ દીધો કે, મેં ઘણું લખ્યું એ વાત ખરી, પણ મેં જે લખ્યું એમાં મારું મન લય પામ્યું નથી.” સેનાને, ગાળવું હોય તો તેમાં અમુક ક્ષાર નાખવો જોઈએ, ત્રાંબાને ગાળવું હોય તે બીજો ક્ષાર જોઈએ. જે ધાતુને જે ક્ષાર ગાળી શકતા હોય તે ક્ષાર ન નાખીએ તે વીસ કલાક તપાવવા છતાં ધાતુ ગળે નહિ. તેમ વ્યાસજીનું મન જે વસ્તુથી ગળે તેવું હતું. તે તેમણે કર્યું ન હતું. નારદજીએ કહ્યું કે “તમે ભગવાનના ગુણગાન કરે. આજ સુધી તમે લખ્યું છે તે ઘણું, પણ એ દળેલા લેટની રોટલી બનાવી નથી, લેટ ફાક પેટ નિ ભરાય. મીઠાની પૂતળી બનીને દરિયામાં શું છે તે જાણવા પડો તે આપોઆપ સમુદ્રમય બની જશો.” પછી વ્યાસજીએ ભાગવત લખ્યું. ભગવાનનાં ચરિત્રોનો મહિમા ગાયો. અને તેમનું મન ઈશ્વરમય બની ગયું. શિકારી કઈ શિકારને નોંધીને ગોળી મારે છે તે ગોળી જે ધારેલા શિકારને વાગે તે શિકારીને હાથ કરતા હોય છે. ગોળી ખાલી ગઈ હોય તે ખભાને ધક્કો લાગે. કાગવાણીના છ ભાગ લખ્યા પછી મનની સ્થિતિ પણ કંઈક અંશે આવી રહી છે. જે ધરતીએ આપણને ઝીલ્યા, જે ધરતીએ આપણને પિગ્યા. તે ધરતીને યાદ ન કરીએ તે શા કામનું ? પ્રભુ, શક્તિ, મા આદિ જે બધું છે તેનાં ગુણગાન કરવાં. એ જ મુક્તિ છે, એમ હું માનું છું. અને તેથી આ સાતમા ભાગમાં મેં એ જગજનની મહામાયાના ગુણગાન કર્યા છે.” અભુત કાવ્યશક્તિના સ્વામી છતાં એમનું નિરાભિમાનીપણું તે જુઓ : “નાગર ન હૈ મૈ કાવ્યસાગર ન હોં મેં કાગ' -હું શહેરમાં રહેવાવાળો ચતુર પુરુષ નથી, હું કાવ્યસાગર પણ નથી. પરંતુ હું તે “ગૌવન ચરાતો લકટીકે કર ધારિયે” “કાનન ફિર્યો મેં નામકે આરાયે સદા”. -“ગાયો ચારનાર ચારણ છું. ઉઘાડે પગે અને ઉઘાડે માથે ચારતો એ સેવાનું ફળ મને કાવ્યપ્રસાદીરૂપે મળ્યું જણાય છે.” ૧૯૬૮ પછી એમનું શરીરસ્વાથ્ય કથળ્યું. જે કે એમની માનસિક સ્વસ્થતા તે છેક છેલ્લે સુધી અણીશુદ્ધ ટકી રહેલી. બેઠા હોય તો કોઈને લાગે નહિ કે બાપુ બિમાર હશે. વાત કરે ત્યારે પણ એ જ રણકો. આ જાજરમાન જીવનને સંવત ૨૦૩૩ના ફાગણ સુદ ૪ તા. ૨૨ ફેબ્રુઆરીના ૧૯૭૭ના રોજ અંત આ એમ તે શી રીતે કહેવાય ? કવિઓ એમનાં કાવ્યો દ્વારા સદાય જીવંત હોય છે. બાપુના કાવ્યનદ એટલે વિશાળ છે કે તેનાં નીર એમ ખૂટવાનાં નથી. SM કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ સદ ) Page #60 -------------------------------------------------------------------------- ________________ ક ] સમાવાયો Page #61 -------------------------------------------------------------------------- ________________ મહાન ગાયક બીજલના વારસદાર કવિશ્રી દુલાભાઈ કાગ • શ્રી દુલેરાય કારાણી કાગના કંઠની કવિતાની તે વાત જ શી કરવી, માત્ર એમની વાણી શ્રવણ કરવી, એ પણ જીવનનો એક લહાવો જ ગણાત. આ લહાવાને લાભ અમરગઢની એમની આરામશયાના સમયે એમના અનેક ચાહકોને મળેલે. મારી હાજરી એ વખતે સેનગઢમાં હોવાથી એમના દર્શનની તક અવાર નવાર મળતી. મારી સાથે સેનગઢ ગુરુકુલના આચાર્ય શ્રી ખસિયા સાહેબ અને મહાવીર ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમના ગૃહપતિ શ્રી ખીમજીભાઈ પણ જોડાતા. અમરગઢના આરોગ્યધામના એમના રાજશાહી ઉતારામાં એમની સાથેના વાર્તાલાપમાં કેટલે સમય વહી જતે તેની પણ ખબર રહેતી નહિ. આ વાર્તાલાપમાં કચ્છી-ગુજરાતી કાવ્ય ચર્ચા સિવાય બીજી કોઈ વાતને સ્થાન ન હતું. મને ખબર હતી, કવિ કાગના પૂર્વજ કવિ બીજલે પિતાના કંઠની હલક, માધુર્ય અને મીઠાશથી જૂનાગઢના રા' દયાસને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અને બીજલના એ કંઠની કિંમત કેટલી હતી ? એનું મૂલ્ય હતું, રા’ દયાસનું માથું. જૂનાગઢના રાજવીના માથાના મૂલ્ય બરાબર કવિ બીજલના કંઠનું મૂલ્ય હતું. સિંધના મહાન શાયર શાહ લતીફે સોરઠ-સૂરના સિંધી બહેતોમાં કવિ બીજલ અને રા” દયાસની વાતનું કરુણ રસપૂર્ણ વર્ણન કર્યું છે. બીજલ જ્યારે રા’ દયાસના માથાની માગણી કરે છે ત્યારે રા” તેને શું કહે છે ? મથે મથે મુંહ જે, જ કોડ હુ કપાસ, ત વારે વારે વહેડીયાં, સિસી કે સે વાર, તે પણ તપ તવાર, તજી તે મથે વિઝે. ભાવાર્થ-હે ગાયક, જે મારા માથા પર કરોડો કપાળ હોત અને સેંકડો વાર મેં મારાં માથાં વાઢીને તને આપ્યાં હોત તે પણ તારા વાજિંત્રના તારની કિંમત મારાં માથાં કરતાં વધી ગઈ હોત. બીજલ કવિના કંઠમાં કેટલી શક્તિ હતી, તે શાહ લતીફના રિસાલાના આ એક જ સિંધી ખેત પરથી સમજી શકાશે. એ વખતે કવિ કાગને મેં કહ્યું : કવિરાજ, આપના કંઠની હલકે ભારતની જનતાને મુગ્ધ કરી છે, તેનું કારણ છે-અનેક પેઢીઓ પછી આપના કંઠને મળેલ આપના વડીલ કવિ બીજલને વારસો !” એ વખતે કવિના ચહેરા તરફ નજર કરતાં હું સમજી શક્યો, કે મારી આ નવી વાતે કવિ પર ઘેરી અસર કરી હતી. બહુ બોલવાની ડોકટરોની મનાઈ છતાં એ મનાઈને કવિ ગણકારતા નહિ. એમની વાણીને પ્રવાહ ચાલુ થયા પછી ગંગાના પ્રવાહની પેઠે સતત ચાલુ જ રહે. કવિની વાણી પર તાળું કોણ મારી શકે ? કવિને બહુ બેલતા રોકવા માટે તક જોઈને હું એમને કચ્છી કવિતાઓ સંભળાવવા લાગતો. ભુજિયા કિલ્લાની “કચ્છી સંગર” સાંભળીને કવિ @કgિશ્રી દુલા કાકા સ્મૃતિ-થ ) Page #62 -------------------------------------------------------------------------- ________________ સંભારણા ખુશ થઈ ગયા હતા. આ સ`ગરની પહેલી કડી અહીં રજૂ કરું છું : ભુજિયા કિલ્લા ભુજ જા, કાછે જા શણગાર, ઉભા એચે આકાશ મૈં, શ્રે જા સરદાર, જોગીડા! તો તે ઉગા, જુગે' જુગે' જા ઝાડ, કચ્છ જો કીરતી થ‘ભ તું, તો તે મિડે સધાર, અય જોધા જુડધાર! અજ ઝાંખા ભાંઈયે કી'ભલા? ભાવા–એ ભુજના ભુજિયા કિલ્લા ! કચ્છના શણગાર ! શૂરવીરાના સરદાર જેવા તું આકાશમાં ઊભા છે. એ યોગીરાજ ! તારા પર જુગેાનાં ઝાડ ઊગી નીકળ્યાં છે. તું તેા કચ્છના કીતિ સ્તંભ છે. તારા પર જ બધો આધાર છે. એ અજીત યાદ્દા ! આજે તુ ઝાંખા ઝાંખા કેમ ભાસે છે? પછી ભુજિયા જવાબ આપે છે આ સ`ગર તા લાંબી છે. પણ કવિએ તે શાંતિપૂર્વક સાંભળી હતી. એક વાર કવિ કાગે અમને એક દિલ્લી (હાકા) બતાવી. આ દિલ્લી પર હીરા-માણેક જડેલાં હાય, એવી એ દેખાતી હતી. અદ્ભુત કળા-કસબવાળી દુલા કાગ-૭ ૪૯ આ દિલ્લી જોઈ તે અમે તે! અજબ થઈ ગયા. અમને આશ્ચર્યચકિત થયેલા જોઈને કવિએ ખુલાસા કર્યો કે આ દિલ્લી મેાગલ શહેનશાહની છે. મેાગલ બાદશાહના વંશના એક અમીરે ભેટ આપેલ છે.' કાગ કવિ આવી અનેરી વસ્તુએના ખૂબ શોખીન હતા. એમની પ્રત્યેક અવનવી વસ્તુ પાછળ નાનામાટા ઇતિહાસ તો હાય જ. એમના મુખે એ ઇતિહાસ સાંભળવા એ પણ એક સદ્ભાગ્ય ગણાય. આજે કવિ કાગ નથી, એમના દીલા કંઠ નથી, હૈયામાં ઊંડી ઊતરી જાય એવી એમની હલક નથી. જમરાજા એમના સ્થૂળ દેહને લૂંટી ગયા છે પણ એમના સૂક્ષ્મ દેહને કાઈ લૂટી શકે તેમ નથી. જુગાના જુગ વહી જાય લૂંટાય ના, કવિ! તારી અમેાલી કમાણી, કવિ કાગની કાવ્ય કળાનેા અને એમના કમનીય કઠના વારસા એમના વારસદાર રામભાઈ કાગમાં ઊતરી આવે એવી આપણે પરમાત્માને પ્રાથના કરીએ. —— કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ Page #63 -------------------------------------------------------------------------- ________________ લોકકવિતાની કલાના કસબી કવિ “કાગ'. અને મેરુભા ગઢવી • શ્રી જોરાવરસિંહ જાદવ ફેરમ ગઈ ફૂલડાં તણી, કરમાણે કવિતા બાગ; સુવાસ સઘળી જાતી રહી, જાતાં દુલા કાગ.” (૧) લેકસાહિત્યના તીર્થસમા “ભગતબાપુ” દુલા ભાયા કાગનું મજાદર મુકામે અવસાન થતાં લેકસાહિત્યરૂપી માળાને “મેર” તૂટી પડયો. લોકસંસ્કૃતિની આકાશગંગાનો તેજસ્વી સિતારો ખરી પડ્યો. લેકકવિતાને બાગ જાણે કે કરમાઈ ગયે. કાગવાણી' દ્વારા ગુજરાતનાં લેકહેયાને ગાંડાંતર કરી મૂકનાર ફાટેલ પિયાલાના પરજિયા ચારણ કવિ શ્રી દુલાભાઈ કાગના દુઃખદ અવસાનના આઘાતજનક સમાચાર સાંભળતાં વેંત જ એક જાણીતા લેકસાહિત્યકારે મણ એકનો નિસાસો નાખ્યો : ઓ...હો કવિ કાગના પેગડામાં પગ નાખીને અડીખમ રીતે ઊભો રહી, લેકકવિતાની અખંડસરવાણી વહાવી શકે અને લેકકાવ્યરૂપી ફૂલડાંને બાવન બાગ સરજી એમાં ભાતભાતની ફેરમ મૂકી શકે એવો સમર્થ લેકકવિ ચારણકુળમાં આવતાં પાંચ વર્ષમાંય પાકશે કે કેમ ? એ એક પ્રશ્ન છે. અમારો લોકસંસ્કૃતિને, જોકસાહિત્યનો તે મોભ તૂટી પડ્યો, ભઈલા !” અન્નપૂર્ણા સમી માતાની કૂખે જન્મ એક કાળે કવિ કાગના કવિ પિતા ભાયાભાઈ કાગની અમરેલી જિલ્લાના મજાદર અને પોર્ટ વિકટરના વિસ્તારમાં હાક વાગતી. એમની ડેલીએ મહેમાને કોઈ દિ' સૂકાતા જ નહીં. ત્યારે દરરોજના પિણ પિણે મણ અનાજનાં દળણાં પંડે દળી અભિયાગતને હસતે મોઢે ઊજળો આવકાર આપી ખંતપૂર્વક ખવરાવનાર અન્નપૂર્ણાના સાક્ષાત અવતાર સમાં માતા ધાનબાઈની કૂખે રત્નાકરમાં મોતી પાકે એમ કાગને જન્મ થયો. વિ. સં. ૧૯૫૮ના કારતક વદ ૧૧ને શનિવારે સેડવદરી ગામમાં જન્મ પામેલા બાળક દુલાના પંડયમાં ભક્તિના સંસ્કારો આવીને આંટો દઈ ગયેલા. ઉઘાડા પગે ગાયો ચરાવવાનું નીમ અંતરમાં આધ્યાત્મિક ભાવના ભણી અભિરુચિ જાગતાં પોર્ટ વિકટરની શાળામાં પાંચ ગુજરાતી ચોપર્ટી ભણીને અગિયાર વર્ષની કાચી ઉંમરે “ભગત' દુલાએ ઉઘાડા પગે ગાયો ચરાવવાના અને કૂવામાંથી સ્વહસ્તે “સડવા” વડે પાણી સીંચીને સાઠ સાઠ ગાય માવડીઓને પાવાનાં વ્રત લીધાં. બાપુ ભાયા કાગના દરરો, કાdબ્રાં દુલા સ્માd-ગુંથ Page #64 -------------------------------------------------------------------------- ________________ સંભારણું કયુ ઓં નર શઠ રહે હરિ જત, ભ્રમ થકી ચિત્તજ્ઞાન ને ભાસે કાગ' કહે છે ગુરુ મુક્તાનંદ, આપ હી આતમજ્ઞાન પ્રકાશે” [૨] લોકજીવનના વાલમીકિ પછી તે આધ્યાત્મિકતાના રંગે રંગાઈ ગયેલા દુલા કાગે રામાયણ-મહાભારતને અભ્યાસ કરવા માંડ્યો. વિચારસાગર, પંચદશીગીતા વગેરે ગ્રંથ મોઢે કરી લીધા. પુરાણોનો પરિચય મેળવી લીધે. ગુરુની આશીર્વાદપ્રસાદી પ્રાપ્ત થતાં દુલાની મુગ્ધ હૈયાકટરીમાં ભક્તિનું માધુર્ય ઘોળાયું. એ માધુર્યમાં કલમ ઝબકેળી ને એમણે ભજન રચવા માંડયાં. રામાયણ જેવા વિરલ ગ્રંથનો નીચોડ અભણ લેકે સમજી શકે એવી લેકભોગ્ય વાણીમાં આપીને લોકજીવનના વાલમીકિ બની રહ્યા. દરબારી અને બંધાણી ડાયરા કરતાં સંત મહાત્મા એને સંગ દુલાને વધુ ગમત. સાધુઓને સમાગમ થતાં એનું અંતર કેળી ઊઠતું. મજાદરના મલક ફરતા વીસ વીસ ગાઉ માથે હાક વગાડતા માથાના ફરેલ કરમી બાપને પિતાનો દીકરે ‘ભગત” થાય એ કયાંથી ગમે ? ગજાનન ગણેશની પૂજા કરતા દીકરાને બાપ ઘણીવાર સમજાવતા અને કહેતા : “દીકરા ! હવે આ સીંદરા ખેંહવા મૂકી દે. બાંધ કેડેયે તરવાર ને હાલ્ય મારી ભેળે. કો'ક દિ' આમ કરતા કરતા સાધુડો થઈ જઈશ તે મારું આ રજવાડું કેમ સચવાશે ? એને સાચવવા તે “છાંટોપાણી” કરીને આંખ રાતી કરવી જોઈ.' બાપ ઈચ્છતા કે, પિતાનો દીકરો તેમાં સેંસરો નીકળે એવો પરાક્રમી થાય; પણ ધર્મ, ઈશ્વર, સાત્વિકતા, સંસ્કાર અને ખાનદાનીના રંગે રંગાઈ ગયેલા દુલાએ જીવન જીવવાને બાપથી ન્યારો જ માર્ગ પસંદ કર્યો. એવામાં નિર્મળ હૃદયના નાનકડા દુલાને માથે સ્વામી મુક્તાનંદજીને પંજે પડ્યો. મહારાજે કિશોર દુલાની દસ આંગળિયામાં પોતાની દસ આંગળિયે પરવી. આંખે આખ મિલાવી. ગોઠણે ગોઠણ મિલાવ્યા, પછી આંખ ઉપર હાથ રાખી કહ્યું : “જા બચ્ચા, કવિતા લીખ કે લા.” મુક્તાનંદ મહારાજના આશીર્વાદ ઉતરતાં દુલાના હૈયાકપાટનાં બારણાં કટાક કરતાં ઊઘડી ગયાં. પહાડના ખોપરામાં જેમઝરણું ફૂટે એમ એના અંતરમાંથી કવિતાનું ઝરણું કલકલ કરતું વહેવા લાગ્યું. કાગ કવિની કાવ્ય રચનાના શ્રીગણેશ સૌ પ્રથમ આ સવૈયો રચીને મંડાયાઃ દોડત હૈ મૃગ હૃઢત જંગલ, બંદ, સુગંધ કહાં બન બાસે ? જાનત ના મમ નાભિમે હૈ બંદ, સુંહી બિચારી મન મૃગ ત્રાસે, મોગરાની મહેક જેવી કાગવાણી - ભક્તકવિ દુલા કાગને ગુજરાત આખું ‘ભગતબાપુ” કે “કાગબાપુ’ના નામથી ઓળખતું. એકલહાડીને દેહ, માથે એકરંગી પાઘડી, પેળી બાચકા જેવી દાઢી, એ દાઢિયાળા દેવીપુત્રની જીભે મા-સરસ્વતીનાં અખંડ બેસણાં થાતાં. એમની કલમે મા શારદાના નીત ખમકારા સંભળાતા. એમનાં રચેલાં કાવ્યો, ભજન, દુહા અને લેકઢાળનાં ગીતે કાગવાણીના આઠ ભાગ અને અસંખ્ય આવૃત્તિઓમાં આકાર પામ્યાં છે. “કાગવાણી'માં કવિની કુંવારી કલ્પનાઓ મોગરાના ફૂલની જેમ મહેકી ઊઠે છે. “કાગવાણી દ્વારા વહાવેલી કાવ્યસરિતા જનસમાજના અભણ માણસોના અંતરને સ્પર્શી ગઈ. કવિના લેકઢાળનાં ગીત ગુજરાતનાં ગામડે ગામડે ગુંજવા લાગ્યાં. એમનાં ભાવમઢયાં ભજનો ભાવિક ભક્તોના તંબૂરે ( કuિ pલાકારા સમૃnિ- Page #65 -------------------------------------------------------------------------- ________________ પર કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ આભાર. આ દુહા જે તમારા જ લખેલા હોય તે ભલા થઈને થોડાક વધુ લખી મોકલેને !” અને મેઘાણીભાઈની પ્રેરણાથી કવિ કાગે મર્મભર્યા પાંચસો જેટલા દુહા ગુજરાતી સાહિત્યને ભેટ આપ્યા. કાગવાણી'માં એક જગ્યાએ એમણે નોંધ્યું છે કે “કાગવાણીના દુહા સાંભળીને મેઘાણીભાઈ નાચ્યા, કૂદયા અને ફાટફાટ છાતીએ રોયા. કેટલાક દુહા માથે તો એમણે કળશિયો કળશિયો આંસુડાં ઠાલવ્યાં.” કંઠ, કહેણી અને કવિતાની બક્ષીસ ટપકવા લાગ્યાં. એમણે રચેલા દુહા લોકસાહિત્યના કિંમતી કણે બની રહ્યાં. મેઘાણીભાઈએ કળ આંસુડાં ઠાલવ્યાં કાગબાપુના હૃદયમાં લેકસાહિત્યનો રત્નાકર શત દિ' ઘૂધવાટા નાખતો હતો. એમના કંઠેથી અખલિત વહેતા વાણીપ્રવાહને તે તાગ જ ન આવતો. સ્વ. મેધાણીભાઈને લોકસાહિત્ય પૂરું પાડવામાં અને અન્ય ચારણ કવિઓ પાસેથી ઉદારતાપૂર્વક સંપડાવવામાં એમને ફાળો ઘણો મોટો હતો. લેકસાહિત્યના તીર્થસમા કવિ કાગના અંતરમાં ઘૂઘવતા સાગરમાંથી મેઘાણીભાઈને જે સાચાં મોતીડાં સાંપડયાં એનો ઋણસ્વીકાર એમણે અનેક પુસ્તકોમાં કર્યો છે. કવિ “કાગ’ અને મેઘાણીભાઈનું એ અરસામાં મિલન થયું ત્યારે સૌરાષ્ટ્રની રસધાર’ આકાર પામી રહી હતી. એટલે સ્વ. શ્રી મેઘાણીભાઈએ “કાગબાપુને કહ્યું કે, પોરસાવાળાની વાર્તા ખૂબ જામી છે. એના થોડાક દુહા મળી જાય તે રંગ રહી જાય. વાર્તાને માથે છોગું મુકાઈ જાય. તમે એ મેળવી આપે તો ભારે રૂડું કામ થઈ જાય.' ભગતબાપુ” તે અનેક પ્રવૃત્તિઓથી વીંટળાયેલા જંજાળી જીવ. વીસરી ગયા. પછી મેઘાણીભાઈનાં બેચાર પત્તાં આવ્યાં એટલે દુહા ગોતવાની માથાકૂટને મોભારે મૂકી ને પોતે સાત દુહા રચ્યા અને પરબીડિયામાં પેક કરીને મેઘાણીભાઈને રવાના કરી દીધા : “ઊડી મન અંબર ચડે, ચકવા જેમ સદાય; (ત્યાં) કફરી રાત કળાય, (હજુ) પિ' ન ફાટે રિહા'. (૩) દુહા વાંચતાં જ મેઘાણીભાઈના હૈયાને સ્પર્શી ગયા. એ તે મરમી હતા. માણીગર હતા. તરત લખી દીધું : “દુલાભાઈ! તમે મોકલાવેલ દુહા મળ્યા. આજથી અઢી-ત્રણ દાયકા મોર્યની આ વાત છે. તે દિ' કાઠિયાવાડથી માંડીને છેક દિલ્હીના દરબાર સુધી “કાગબાપુ’ના નામને ડંકા વાગત : “અહુરંગી ને ઊજળી અને () ટૂંકી પાઘ; દિલહી સુધી કાગ, ભરડો લેતી ભાયાઉત.... (૪) કવિ “કાગ', તેના જોડીદાર મેરુભા ગઢવી અને એમના શિષ્ય રતિકુમાર વ્યાસ. એ ત્રણની ત્રિપુટીને સાંભળવી એ જીવનને અનુપમ લહાવો ગણાતો. ચારણી સાહિત્ય અને લેકસાહિત્યની વિશુદ્ધ પરં: પરાઓને અખંડ રીતે વહેતી રાખનાર “કાગબાપુને કિરતારે કંઠ, કહેણી અને કવિતાની આગવી બક્ષિસ આપી હતી. કંઠ, કહેણી અને કવિતા, ત્રણ દીધાં કિરતાર, તારે ઉર ટહુકાર, કેયવ લજાણી કાગડા' (૫) મંદિરના ઘંટ જેવા રણકતા બુલંદ અવાજમાં અજબ પ્રકારની મીઠાશ અને માધુર્ય ભર્યા હતાં. એમના નરવા કંઠેથી અખલિત વહેતા દુહા, છંદ, ગીત, ભજનો અને લેકવાર્તાઓ શ્રેતાઓને મંત્રમુગ્ધ કરી મૂકતાં. હકડેઠઠ ડાયરાની માલીપા વાત માંડે તે બંધાણિયાઓના હોકા ય બે ઘડી ઠરી જાતા. વાર્તા પૂરી કરે ત્યારે જાણે કે વાતાવરણ આખું થંભી જતું. છે. કઘિશ્રી દુલા કાગ ઍદિા-થ છે O : Page #66 -------------------------------------------------------------------------- ________________ સંભારણા ^^^^^ ^^^ ^^^ એમની વાણીમાં ગજવેલ જેવી તાકાત હતી. એમની રજૂઆતમાં સમુંદર જેવું અતલ ઊંડાણ હતું. પુરસ્કાર સ્વ. રવીન્દ્રનાથ ટાગોરને “ગીતાંજલિ” માટે પારિતોષિક પ્રાપ્ત થયેલું. તેમાંથી દેશની વિવિધ ભાષાનાં ઉત્તમ કાવ્યોને ઈનામો આપવા માટેની એક વેજના આકાર પામેલી. ત્યારે ભાવનગરના માજી દીવાન અનંતરાય પટ્ટણીએ કવિ “કાગ’ રચિત પ્રકૃતિવર્ણનનું અદ્ભુત ઋતુગીત “આવો આવો એકલધાર, આવો આવો મૂશળધાર રે...સાગરના જાયા ક્યારે આવશે ?” એનો અંગ્રેજી ભાવાનુવાદ કરીને એકલી આપેલ. એ ગીત સર્વોત્તમ ઠરતાં ‘કાગ’ બાપુને બાવીસ રતલ ચાંદીની ગાય પારિતોષિકરૂપે પ્રાપ્ત થઈ. ગુજરાતની લોકસંસ્કૃતિ, લોકસાહિત્ય અને ચારણી સાહિત્યની વિશુદ્ધ પરંપરાને અખંડ રીતે વહેતી રાખનાર કવિ “કાગને ભારત સરકારે સને ૧૯૬૫માં પદ્મશ્રીનો ઈલકાબ એનાયત કરીને એમનું બહુમાન કર્યું હતું. ગુજરાતના સાક્ષરોને સન્માન્યા સૂરજની જેમ સ્વયં તેજે પ્રકાશનાર કવિનાં આતિથ્ય, ઉદારતા અને દિલાવરીને જે જડવો મુશ્કેલ છે. સને ૧૯૬૩માં જ્યારે એમની કીતિને દેશમાં ડંકો વાગતા હતા ત્યારે આ સરસ્વતીપુત્રે ગુજરાતભરના ૨૫૦ જેટલા લેખક, કવિઓ અને સાક્ષરોને મજાદરમાં પિતાને આંગણે નેતર્યા, સન્માન્યા અને સાહિત્યનો અનેરો ઉત્સવ ઊજવ્યો. ત્રણ ત્રણ દિવસ લાગલગાટ બાજરાના ઊનાના રોટલા, તાજી છાશનું માખણ, શેડકઢા દૂધ અને પકવાન જમાડ્યાં. સાવરકુંડલાના વણકરોને તે એમણે છ મહિના મોર્ય સંદેશ મોકલી આપેલ કે ‘તમારાથી વણાય એટલા ધાબળા વણીને મને સડસડાટ પોગારવા માંડે.’ વિદાય વેળાએ હાજર રહેનાર સૌને એકેક ધાબળાની ભેટ આપી, કાઠિયાવાડની મહેમાન ગતિને પરિચય કરાવ્યો. ગુણવંતરાય આચાર્ય, કરસનદાસ માણેક અને આપા હમીર જેઓ ત્યાં નહીં જઈ શકેલા તેમને પ્રેમપૂર્વક યાદ કરીને એમના ઘેર ધાબળા પહોંચતા કરેલા. છઠ્ઠની સાતમ નથી કરી દેવાના અમદાવાદમાં કાગ'બાપુને અવારનવાર આવવાનું બનતું. એ વખતે એમને ઉતારે એમના શિષ્ય શ્રી રતિકુમાર વ્યાસને ત્યાં રહેતો. ત્યાં ઉમાશંકરભાઈ ધૂમકેતુ, જયભિખુ, ગુણવંતરાય આચાર્ય જેવા નામી અને અસંખ્ય અનામી લેખકે, અધિકારીઓ, લેકસાહિત્યના રસિયા અને ચાહકો “કાગ” બાપુને આદરપૂર્વક મળવા જતા. શ્રી રતિકુમારનું ઘર એ પ્રસંગે માનવમહેરામણથી હાંફવા માંડતું. આ પ્રસંગને તો હું અનેકવાર સાક્ષી રહ્યો છું. સને ૧૯૭૩માં ભગતબાપુ છેલ્લી વાર અમદાવાદ આવેલા. એ ક્ષયરોગથી સંપૂર્ણપણે ઘેરાઈ ગયા હતા. સારવાર કરતા ડોકટરોએ એમને મીઠાઈ ને હોકાસિગરેટ પીવાની બંધી કરેલી. એ વખતે હું મારાં નવાં પ્રકાશન “આપણા કસબીઓ” વિશે એમની સાથે વાત કરતે હતું ત્યાં બાપુએ ગજવામાંથી સિગરેટ કાઢીને સળગાવી ત્યારે રતિકુમારભાઈ મીઠો ઠપકો આપતા બેલ્યા : બાપુ! ડોકટરે હોકા-સિગરેટ બંધ કરાવ્યાં છે. તમે કાં કઈ વાતે સમજે નઇ ભૈસાબ ? તમારા શરીર સામું તે જુવો. કેવા સૂકાઈને સલો વળી ગયા છો?” ત્યારે કાગ બાપુએ હસતાં હસતાં કહ્યું : જાદવભાઈ! તમે આ રતિલને કાંક હમજો ને! મારો વાલે મને ધરઈને સિગરેટેય નથી પીવા દેતે. ધણીએ જે ધાર્યું હશે ઈમાં સળી સરખોય કેર પડવાને નથી. છઠ્ઠની સાતમ કોઈ દાકતરે ય કરી |w:Inત કર કવિશ્રી દુલા કાગ ઋતિ-ગુંથ કાપી Page #67 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ દેવાના નથી. તે પછી જલસા કરી લેવા દો ને ભૈસાબ ! આપણે ચા હોકા-સિગરેટ હાથે બાંધી જવાના છી?” એમ પિતાની ફિલસૂફી સમજાવતા નિર્દોષ બાળકની જેમ મુક્ત મને ખડખડાટ હસી પડ્યા. એ દશ્ય તો આજે ય મારા સ્મૃતિપટ પર એવું ને એવું જ અંકાયેલું પડયું છે. મરીને ય લોકજીભે જીવી ગયા તા. ૨૨ ફેબ્રુઆરી '૭૭ના રોજ “કાગબાપુએ આપણી વચ્ચેથી વસમી વિદાય લીધી છે. એમને પાર્થિવ દેહ આપણી વચ્ચે નથી પણ કાગવાણી'ની અમર રચનાઓ તેઓ પાછળ મૂકી ગયા છે. આકાશવાણીએ એમના કંઠનું કરેલું ૬૫ કલાકનું રેકોર્ડિંગ આજે સાહિત્યની મહામૂલી મૂડીરૂપ બની રહ્યું છે એ આપણા માટે નાનું સૂનું આશ્વાસન નથી. કવિ મરીને પણ લેકજીભે અમર બની ગયા છે. એમના દુહા જ આજ જાણે અશ્રુભીની આંખે એમને અંજલિ આપી રહ્યા છે. મીઠપવાળા માનવી, જગ છેડી જાશે ‘કાગ’ એમની કાણુ, ઘર ઘર મંડાશે.” (૬) ભવલગ ભુલાશે નહી, સૂતા મર સમસાણ કાગ' કાયમ કણ, મીઠા માનવીઓ તણી.”(૭) કંઠ, કહેણીના માલમી શ્રી મેરુભા મેઘાણંદ ગઢવી સને ૧૯૨૭માં નડિયાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન યોજાયું હતું. એ અરસામાં શારદા' માસિકના ઉત્સાહી તંત્રી અને લોકસાહિત્યના ભેખધારી શ્રી ગોકુલદાસ રાયચુરા, સૌરાષ્ટ્રના નિરક્ષર સાક્ષર તરીકે જેમની ગણના થતી હતી તે સુપ્રસિદ્ધ લેકવાર્તાકાર મેઘાણંદ ખેંગાર ગઢવીને લઈ આવ્યા હતા. એ વખતે એમની સાથે એકવીસ વર્ષની યુવાનીના ઉંબરે અલપઝલપ કરતે એક લવરમૂછિયે જુવાનિયો આવેલ. કાર્યક્રમ પ્રસંગે કેડિયું, ચોરણો ને માથે પાઘડીનું મોટું ફીંડલ મૂકીને બેઠેલા જુવાનિયાના ભરાવદાર મેં પર તરવરતા ભાવોને નીરખીને શ્રી મોતીભાઈ અમીને રાયચુરાને પૂછયું : માળો આ જુવાનિયો કોણ?” “મેઘાણંદ ગઢવીના દીકરા મેરુભા.” ‘ત મેરુભા ડાયરામાં કંઈ બોલે છે કે નઈ?” ટૂકડા બેસીને આ વાત સાંભળતા મેરુભાના મેં પર ક્ષોભની છાયા ફરી વળી. રાયચુરાએ કરેલા પ્રશ્નના ઉત્તરમાં પિતા ભણી આંગણી ચીંધી ધરતી માથે નજર ઢાળીને એ બોલ્યા : ‘હું બાપુની હાજરીમાં ગાતો નથી.' મેઘાણંદ ગઢવીને કાને વાત આવી એટલે એમણે દાઢીના થોભિયા પર હાથ પસરાવતાં પસરાવતાં આજ્ઞા આપી : મેરુભા ! આજ ડુંક થાવા દે. બધાને બઉ આગ્રહ છે.’ પ...ણ... બા...!!' ઈમાં બાપુ શું ? મોરનાં ઈંડાંને ભલા આદમી ચીતરવાનાં થોડાં જ હોય ? પિતા-બાપુને હુકમ થતાં જુવાનિયે લેભના સઘળ બંધનો ફગાવી દઈ ને ભાવનગરના રાજકવિ પીંગળશી પાતાભાઈએ રચેલ રાધાકૃષ્ણની બારમાસીને ત્રિભંગી છંદ પહાડી અવાજે ઉપાડો : કહુ માસ કાતી, તિય મદમાતી, દીપ લગાતી, રંગરાતી મંદિર મહેલાતી, સબે સુહાતી મેં ડર ખાતી, ઝઝકાતી બિરહે જલ જાતી, નીંદ ન આતી લખી ન પાની મેરારી ! કહે રાધે પ્યારી, હું બલિહારી ગેકુળ આવે, ગિરધારી ! જી! ગોકુળ આવો ગિરધારી.” (૮) આ કAિI કપ રમૂર્તિ- 1 Page #68 -------------------------------------------------------------------------- ________________ સંભારણા પપ આમ કારતકથી માંડીને આસો માસ સુધીનું રાધાની મનઃ સ્થિતિનું અને પ્રકૃતિનું વ્રજભાષામાં વર્ણન પૂરું કર્યું ત્યારે જાણે કે સ્વર્ગલેકને ભૂતળ પર ભૂલે પડેલે ગાંધર્વ તેના સાથીદારોને પહાડી સાદે ધરતી પર તરતો હોય તે ભાસ થયો. મેરુભાના બુલંદ કંઠમાંથી નીકળતો ધીરગંભીર અવાજ અને એ અવાજની મીઠાશને દસ હજારની માનવમેદની સ્તબ્ધ બનીને ગળતી રાતે માણતી રહી. જાહેર કાર્યક્રમો આપવાની મેરુભાની આ સૌ પ્રથમ શરુઆત, પછી તે એમની કીતિને જાણે કે પાંખો ફૂટી : મેરુ ઊંચે મેરથી, છત્રાવ બડ ચિત્ત, ભજન બહુવિધ ભાવથી, ગાવે આછાં ગીત. (૯) આજથી આશરે ૯૫ વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લેકસાહિત્યના સંસ્કાર ચેતાવનારા સોરઠ (ઘેડ વિસ્તાર)ના છત્રાવા ગામના લોકસાહિત્યના આરાધક પિતા મેઘાણંદ ગઢવીના ખોરડે માતા શેણીબાઈની કૂખે સંવત ૧૯૬૨ના ફાગણ સુદ ૧૪ના રોજ મેરુભાનો જન્મ થયો. ગામડા ગામની અભણ માતાએ ગળથુથીમાં જ ખાનદાની, સમાજસેવા અને ભક્તિના સંસ્કારે બાળકમાં રેડડ્યા. ચાર ગુજરાતીનું અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરીને બાળક મેરુભાએ શાખાને સલામ કરી દીધી અને આછીપાતળી ખેતીમાં જોડાયા. પછી તો પિતાની વાર્તાકથનની કલાને મુગ્ધભાવે અને અતૃપ્ત હૈયે માણતા મેરુભા લેકસાહિત્યના સંસ્કારરંગે રંગાઈ ગયા. નડિયાદના કાર્યક્રમે એમને સાક્ષરોના સાનિધ્યમાં માનભર્યું સ્થાન અપાવી દીધું. હેતપ્રીતની હીરલાગાંઠ એ અરસામાં મેરુભા અને રાયચુરાની જોડી જામી. બંનેએ મળીને સમાજમાં લેકસાહિત્યને સંસ્કાર વહેત રાખવા કવિતા, વાર્તા, શિક્ષણ અને કહેણી દ્વારા અણથક ઉદ્યમ આદર્યો. સને ૧૯૩૮માં કવિ “કાગ’, મેઘાણી અને મેરુભાનું સૌ પ્રથમ મિલન થયું. પ્રથમ મુલાકાતે જ એકબીજાના અંતરમાં હેતપ્રીતની જાણે કે હીરલાગાંઠ બંધાઈ ગઈ પિતાના આદરણિય મિત્ર દુલા કાગનું સ્મરણ સતત રાખવા એમણે પિતાના નાના ભાઈ પીંગળશીભાઈ ગઢવીના પુત્રનું નામ પણ દુલે રાખી દીધું. દલે મોટે થઈને ઠેકટર બન્યો છતાં એને પ્રેમથી ડે. દુલે કહીને જ સંબોધતા. ..લોકજીવનના વન-ઉપવનની કુંજે પછી તે કવિ ‘કાગ’ના કાર્યક્રમોમાં મેરુભા અચૂક હાજર જોવા મળે જ. પોતાની મીઠી હલકથી 'કાગવાણી'નાં ગીતો અને ભજને રજૂ કરીને શ્રેતા ને ડોલાવી દે, આમ “કાગવાણી'નાં ગીતોને લેકહૈયાં સુધી ગુજતાં કરવાને યશ જે કોઈને આપવો હોય તો સ્વ. શ્રી મેરુભા ગઢવીને આપી શકાય. એટલે જ કવિ “કાગ’ આભારવશ બનીને ઘણીવાર કહેતા કે “મારાં ગીતને મેરુભાએ પાંખો આપીને ઉડતાં કર્યા છે. લોકહૈયે રમતાં અને લેકકંઠે ટહૂકતાં કર્યા છે.” શ્રી જયમલ્લ પરમારે સાચું કહ્યું છે કે “મેવાણી અને રાયચુરાના દેહાવસાન પછી લેકસંસ્કૃતિના ઝંડાધારીમાં કવિ “કગ અને મેરુભાનું મિલન સધાયું. એ એના મિલનમાં કંઠ અને કવિતા, ભાવ અને ભક્તિ, સૌજન્ય અને સેવાની જુગલબંધી સધાઈ, લેકજીવનના વનઉપવનની કુંજે એમણે મહેકાવીને ગુંજતી રાખી છે.” ભર્યું ભાણું મળે તો રાંધવાની તરખડયા કોણ કરે? કવિતા રચી શકે તેવું ઊર્મિશીલ હૃદય અને શબ્દસામર્થ્ય ધરાવતા હોવા છતાં મેરુભાએ એ દિશા ખેડવાને બદલે કાવ્યોને કંઠ આપીને સમાજમાં હુ છું કવો દુલા કાગ સ્મૃતિ-ગેશ શકે છે Page #69 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ - ~v vvvvv૧//૧૫૧/www^^^^^^^^^^/vvvvv હરતાં ફરતાં, રમતાં ને ગુંજતાં કર્યા છે. અમદાવાદમાં શ્રી મિસ્ત્રીકાકાને ઘેર થયેલી આકસ્મિક મુલાકાત પ્રસંગે મેં કરેલા પ્રશ્નને પ્રત્યુત્તર તેમણે હસતાં હસતાં આ શબ્દોમાં આપે: જાદવભાઈ! તૈયાર રઈનું ભર્યું ભાણું મળી જાતું હોય તે રાંધવાની કડાકૂટમાં કેણ પડે ? આવાં રૂડારૂપાળાં તૈયાર કાવ્યો, ગીતો ને ભજને મળતાં હોય તે નવાં રચવાની માથાકૂટમાં કેણ પડે ?” દર્દભરી ગાયકીમાં કાતું સંત હૃદય પ્રા. દ્વિજે મેરુભાની શક્તિ અને લેકસાહિત્યની રજૂઆતની કળાને અંજલિ આપતા ખરું જ કહ્યું છે કે “પોતે કવિ નહોતા છતાં કવિતાને કંઠ આપીને તેની તમામ છટાથી સાર્થક કરતા. તેમના કંઠમાં કંપનું હતું. વેધકતા હતી. દર્દ હતું. દર્દમાંથી પ્રગટતું સંતનું હૃદય હતું. એમના કંઠની ભવ્ય બુલંદી આસપાસ બેઠેલાઓને સ્વરકની યાત્રાએ ઉપાડી કઈ નવી જ ભૂમિકા પર લઈ જતી. એમની સુરાવટ કોઈ સિદ્ધહસ્ત ગવૈયાને અતિ સાધનાએ જવલ્લે જ સાંપડે એવી હૃદય ડોલાવી નાખે તેવી હતી.” ગાંધીયુગની સાહિત્ય સંસ્કારની ચેતનાને - દીવડો ઝગતો રાખે શ્રી રાયચુરાના સાંનિધ્યે મેરુભાના હૃદયમાં રાષ્ટ્રીયતાનાં સંસ્કારબીજ રોપાયાં. માતા સરસ્વતીની ઉપાસનાની સાથે સાથે એમણે ગુજરાતમાં ભમતા રહી ગાંધીયુગની સાહિત્ય સંસ્કારની ચેતનાનો દીવો ઝગતે રાખે ઠેરઠેર જાતા કાર્યક્રમમાં ગાંધીગીને અને “કબાઉતને દુહા ગુંજવા લાગ્યા : દેશડિયાની દાઝે' - ગાંધીડે હવે ગાંડે થયે રે.” (૧૦) વણ ભાલાં વણ બરછી, વણ બંદૂક વણ તો૫, તારું કટક કાળે કે૫, વણ હથિયારે વાણિયા.” (૧૧) આ ગીતો ઉપરાંત ત્રિભુવન વ્યાસ કૃત “ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરણી,” કવિ વિયોગી કૃત “મહેલના મહેલથી વહાલી અમને અમારી ઝૂંપડી’ અને મેઘાણીભાઈનાં રાષ્ટ્રિય ભાવના ભરેલાં ગીત મેરુભાના કંઠે સાંભળવા એ એક લહાવો જ ગણાતો. માદરેવતન છત્રાવાથી શરૂ થયેલી તેમની અધી સદી ઉપરાંતની સાહિત્યયાત્રા અમદાવાદ, વડોદરા, દિલ્હી અને મુંબઈથી માંડીને આફ્રિકા સુધી પહોંચી. ..અને “લક્ષપછાવનું દાન મેળવ્યું મેરુભાનું વ્યક્તિત્વ પણ નિર્મળ નીર જેવું પવિત્ર અને બહુરંગી રહ્યું હતું. તેઓ માત્ર લેકસાહિત્યના આરાધક અને ગાયક જ નહોતા પણ દીર્ધદષ્ટ્ર અને સમાજસુધારક પણ હતા. ચારણ કન્યાઓની કેળવણી અથે તેમણે રૂ. ૨ લાખની ટહેલ નાખી. ચારણ ક્ષત્રિયના નાતે જામનગરના રાજમાતા ગુલાબકુંવરબા પાસેથી એક લાખ, એકહજાર એકસોને એક રૂપિયાનો ‘લક્ષપસાવ’ (લાખ રૂપિયાનું દાન) પ્રાપ્ત કરીને પોરબંદરમાં ચારણકન્યા છાત્રાલય ઊભું કર્યું. છત્રવા ગામથી હરિજને માટે ૧૬ ઓરડાઓની વસાહત બંધાવી. ગામના ગરીબ ભંગીને પોતાના ખર્ચે ખોરડું કરાવી આપ્યું. કન્યાશાળા અને કુમારશાળાના ઓરડા બનાવી દીધા. લોકસાહિત્યના મસાલચીને કવિરત્નનું બિરુદ લોકસંસ્કૃતિ અને સાહિત્યના મશાલચી તથા સમાજ સુધારક મેરુભાનું ગાયકવાડ સરકાર, સૌરાષ્ટ્ર નૃત્ય નાટ અકાદમી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, આર્યકન્યા ગુરુકુલ, આઈ. એન. ટી. (મુંબઈ), ચારણ સાંસ્કૃતિક સેવા મંડળ જેવી અનેક સંસ્થાઓએ વખતે વખત સન્માન કરીને તેમની સેવાઓને બિરદાવી છે. દ્વારકા મઠના જગત ગુરુ શ્રીમદ્દ શંકરાચાર્યજીએ તેમને કવિરત્નને ઈલકાબ આપીને તેમની કદર કરી છે. (((((કuિી દુપ્તા કાયા સ્મૃધ્ધિ-સાંથ)) ))) Page #70 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં પ૭ ઉત્તરાવસ્થામાં ભક્તિને રંગ ઉત્તર અવસ્થામાં ભક્તિના રંગે રંગાઈ ગયેલા મેરુભાએ ભારતના મોટા ભાગનાં તીર્થોની યાત્રા કરીને પ્રભુસ્મરણમાં મનને પરેવ્યું. તમામ પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લીધી. ત્યાં તે ધર્મપત્નીને સ્વર્ગવાસ થયો. પત્નીના અવસાનના આઘાતની કળ વળી ન વળી ત્યાં કવિ ‘કાગ’ના નિધનના દુઃખદ સમાચાર સાંભળીને મેરુભા મનથી સાવ ભાંગી પડ્યા. એ પછી તા. ૧-૪-૭૭ના રોજ ફક્ત સવા મહિના પછી જ એમને જીવનદીપ બુઝાઈ ગયે. જીવનની માયા સંકેલી લઈને તેઓ જાણે કે “ભગત બાપુ’ને મળવા લાંબા ગામતરે ઉપડી ગયા. વિશ્વની મહાનતમાં લોકકવિતાની કલાના કસબી કવિ ‘કાગ’ અને કંઠ, કહેણીના માલમી એવા લાડીલા લોકગાયક મેરુભા ગઢવીની જીવનજીત વિલીન થઈ ગઈ. તેમણે કરેલી લોકસાહિત્ય, જોકસંસ્કૃતિ અને ચારણી સાહિત્યની સેવાઓને ગુજરાત કદી વીસરી શકશે નહિ. 4 નેંધ : (૧) આ લેખના દુહા કવિશ્રી ત્રાપજકર અને કવિ શ્રી આપા હમીરના રચેલા છે. “શબ્દનાં ફૂલડાં” (રાગ-ઉપરનો). ભાઈ! તારે બહેંકે ફૂલડાનો બાગજી..... બોં કે ફૂલડાંને બાગ એને પાણતી રૂડે રાગ-ભાઈટેક રૂદીઆકેરી વાડીમાં રેયાં, બાવન ફૂલનાં ઝાડજી (૨); જાળવવા ચેતરફ કરજે (૨), વેરાગકેરી વાહભાઈ-૧ રંગે રંગના ફૂલડાં, એમાં રામચરિતને ત્રાગ જી (૨); એનો ગૂંથે હાલો (૨), કોઈ કંઠે ધરે બડભાગ, ભાઈ-૨ તુલસીદાસે ગૂંથીઓ, જે જુગે જૂને ન થાય છે (૨); ભારતને કંઠરોપીઓ ભાઈ (૨),એની કળીએ નો કરમાય ભાઈ-૩ માળીડો એની ફોટું બાંધી, વેચવા આંટા ખાય છે (૨); શારદામાનાં ફૂલડાં ભાઈ (૨), છાબૂમાં કરમાય, ભાઈ-૪ “કાગવાણીની વેલડીયુને લાગે, પ્રભુજળની પ્યાસ જી (૨); ખીલે શબદનાં ફૂલડાં ભાઈ (૨) એમાં કરણીની સુવાસભાઈ-૫ (મજાદર તા. ૧૨-૩-૫૩) – દુલા કાગ કવિ દુલા કાગા રમૃતિ-in @ Page #71 -------------------------------------------------------------------------- ________________ પહેલી સરવાણી • શ્રી ભિખુ સૌરાષ્ટ્રના કામીર મહુવાની મધુકેસર ભરી ભૂમિ છે. સૂરજ અનોખાં તેજે તપે છે. એક કિશોર વયને બાળ લાકડીને ટેકે ઝૂલત ઊભે છે ! એને ખભે ડલ લટકે છે, એમાં રામાયણ છે. એની બગલમાં એક ચોપડી છે. સુભદ્રાહરણની છે. એ કિશોરને હૈયે બે વાતના કોડ છે. ધેનુ ચારવાના ! ધેનુના ધળા સેતર દૂધ જેવી કવિતા કરવાના ! સીમમાં ગાયો ચરે છે. ભેંસો ચરે છે, ઊંટ ચરે છે. બળદ ચરે છે. બાળા રાજાની આ દુનિયા છે. આ વસ્તી છે. વસ્તી ને રાજ વાત કરતા નથી. આંખના અણસારે એકબીજાનાં હૈયાં વાંચે છે ! કિશોર પાસે જ પોર્ટ વિકટરની ગુજરાતી નિશાળ છે. પાંચ ચોપડીનું ગુજરાતી ભણતર ભણીને કિશોર નિશાળનાં પગથિયાં ઊતરી ગયું છે. હવે ઘેણમાં સંચર્યો છે ! જૂના કાળમાં કૃષ્ણ કનૈયાને ગાય ચારવાનાં નીમ હતા. આ કિશોરને હૈયે પણ ગાય ચારવાનાં વ્રત છે! જૂના કાળની પ્રથા હતી. ગાય માતામાં તેત્રીસ કેટિ દેવતાને વાસ લેખાતે. અપુત્રિય રાજા દિલીપ પુત્ર કાજે નગર છોડી આશ્રમમાં જઈને રહેશે અને ત્યાંની ગાયો ચારવા જતા. રાજા ગાયો ચારવામાં પુણ્ય લેખતે હોય, પછી વસ્તીની શી વાત કરવી ? એ ધેનું ચારવાનું ધર્મવ્રત લઈને કિશોર ધેનુ ચારતો હતો. એમાંય તપસ્વીના જેવા નિયમો હતા. ઉઘાડા પગે ચાલવાનું. ઉધાડા માથે ફરવાનું. ગાય બેસે ત્યાં બેસવાનું ! ગાય ઊભી રહે ત્યાં ઊભા રહેવાનું ! બધી ગાયોને કૂવાને કાંઠે લઈ જઈ હાથે પાણી સીંચીને પાવાનું ! ગાય ચાલતી ચાલતી ગૌચરી કરે, એમ ઘેરથી બાંધી આપેલે રોટલે પણ વગર દાળ-શાકે ચાલતાં ચાલતાં બટુકાવી જવાને ! ગાયો ચરીને ઝાડને છાંયડે વાગોળતી બેઠી હોય, પવન વીણા વગાડતો હોય, પંખી ગીત ગાતાં હોય, આ વખતે કિશોર નવરે પડે છે. નજીકના નવાણે જઈને નાહ્ય. દિલ પર કપડાં એ છે. એક પહેરીને પૂજા કરવા બેસે ! કઈ વરખડી છાંયે કરી રહી છે. તે બાળક પાસેની પોટલીમાંથી મૂર્તિ કાઢે છે. એ ગજાનન ગણપતિની મૂર્તિ છે. મૂર્તિ કાઢીને સામે પધરાવે છે. પૂજા કરે છે. માળા ફેરવે છે ! હે દેવા, મને ડહાપણ દે છે ! પછી રામાયણ વાંચે છે. સાદ તે સતારીના તાર જેવો છે. પણ દબાતે રાગે ગાય છે. મનમાં બીક છે, રખેને મારા બાપુ જોઈન જાય ! રે છોકરા ! આમાં વળી બીક કેવી ? આ કંઈ અનીતિ-અધરમનું કામ થોડું છે ? પણ ના, ના, એના બાપુની આ બધી ભગતાઈ તરફ રૂઠી નજર છે. એને બાપ ભારે પરાક્રમી પુરુષ આમ કવિશ્રી દુલા કાડા કૃદિશ-ઈથી Page #72 -------------------------------------------------------------------------- ________________ સંભારણા પટે છે. એને પરાક્રમનાં સપનાં આવે છે. લંકાનો ગઢ ઠેકવા જેવાં કામો કરવાની ધગશ રહે છે ! ઘેર પાંખાળા ઘોડા છે ! દીકરો રોજ સો સો માઈલની ખેપ કરે કે આ ભગત થઈને બેઠે બેઠે ગણપતિને પૂજે !' પિતાનું બાપીકુ પૂજવાનું થાનક શક્તિમા ! મા ભવાનીનું એને ત્યાં બેસણું ! અસુરોને સંહારનારી, દાનવો પર કેપ કરનારી માતાના રક્ત ટપકતા ત્રિશલને બદલે આ ઉંદરને આ લાડવાની પૂજા શી ! ઉંદર બિલાડીને સુપરત કરાય ! લાડો પેટને ! એટલે દેવને સાક્ષાત્કાર પૂરો થાય ! આવી વિચારસરણીવાળો મલક પર વગર હાકેમાએ હાકેમ કરે બાપુ. નામ ભાયા કાગ. ભાયા કાગનું નામ સંભળાય કે ભલભલા વ્યાજખાઉનાં ગાત્ર ઢીલાં થાય. એનું નામ ગાજે ત્યાં ગુડા ભાગે નહિ તે એ અધરમીઓને માથે ભાયા કાગ કાળ બનીને આવ્યું જ છે ! સમાધાનમાં, મસલતમાં, દબામણીમાં ભારે કાગ ભારે ! એનાથી સહુ ડરે ! એની વાત બધા રાખે. એની વાત જે ન રાખે એને ઠેર ન રાખે. ભાયા કાગ લહેરમાં હોય ત્યારે દીકરાને વંશવેલાની વાત કરે. ઠેઠ તેરમી સદીની વાત ! બીજલ કવિ એ પિતાને પૂર્વજ ! જ એની કવિતા એવી કે માથું માગે તે માથું મળે, પ્રાણવાન કવિતાનો એ કવિ. કવિતા કરીને તે રાજા રાડિયાસનું માથું માગી આવ્યો ! આ કવિ ! બધે વાહ વાહ થઈ રહી ! પણ કવિ તે એ માથું આપનારના ગુણ ગાવા એના મસ્તક સાથે પોતે બળી મુ. એ બિજલ કાગનો આપણો કુળવેલે ! એ વેલા પર ભાતભાતનાં તાકાતદાર ને નકશીદાર ફૂલ ખીલ્યાં છે ! કવિ બીજલના ત્રણ દીકરા. કાગસુર એમાં નાને. સુર એટલે દેવ. ચારણ બધા દેવ. કાગસુરને ૩૬ મી પેઢીએ ઝાલા કાગ થયા. ગીરમાં રહે. ઢોર ચારે, દુકાળમાં ઢોર સાફ ! ખાવા ટંકનાં ઠેકાણાં ન મળે. આવા ગરીબ ઝાલા કાગને કોણ દીકરી દે ? બત્રીસ-તેત્રીસ વર્ષની ઉંમરે પંડ રળે ને પેટ ભરે એ સ્થિતિમાં ઝાલા કાગ મજાદર ગામે આવ્યા. સાથે બે ભેંસ અને એક પાડો. પાડા પર ઘરવખરી, ભેંસ પર આજીવિકા ! અહીં ચારણની એક શાખનાં ૨૫ ગામ. પણ શાખમાં દીકરી દેવાય નહિ, દીકરી લેવાય નહિ. જહારડું જાણીતે ભડ માણસ. એ ગઢવીની નજરમાં ઝાલે કાગ વસી ગયે. ૪૦ વીધાનું ખેતર ને દીકરી એને દીધાં. એના ભાયા કાગ ! ભાયા કાગના ઘરવાળાનું નામ ધાનબાઈ ! ભાયા કાગને રોટલો ને એટલો એટલાં વિશાળ કે ધાનબાઈ રોજ પોણો મણ દળણું દળે ! આતિથ્યમાં અસ્થિ ગાળી નાખેલાં. વૃદ્ધાવસ્થામાં પૂ. ધાનબાઈ પીડા કરતાં પડખાં પર હાથ મૂકીને કહેતા : “ભાઈ! આ તે દળણાંના ઘા છે !' પરણાગતમાં પ્રાણ પીરસનારી આ અન્નપૂર્ણાને પેટ રત્નાકરમાં મોતી પાકે એમ સં. ૧૯૫૮ ના કારતક વદ ૧૧ ને શનિવારે મધરાતે દીકરે જખ્યો. - એનું નામ દુલે ! દુલા પર મરદ પિતાની આખી દુનિયા ! એમાં દીકરો નાનપણથી વિચારવાળો. ગણીને બેલનારો. એલફેલમાં ન રાચનારો ! (((કuિઝી કુણા કાકા સ્મૃતિ-સાંથ))))))))) Page #73 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કિશોર દુલે સ્નાન કરીને ઉભે છે. સામે સૂરજદાદ છે. એ વખતે સૂરજની બીજી આવૃત્તિ હોય તેમ એક પુરુષે ત્યાં આવ્યો. માનવમાત્ર મૂર્તિપૂજક છે. એ માનવમૂર્તિ પૂજવા લાયક હતી. ભવ્ય લલાટ છે, ભગવી કંથા છે, પવન પર વિહરતી હોય એવી પાવડી પર ઊભા છે ! મસ્તક નમાવવાનું મન થાય તેવી સૂરત છે ! બેલે છે. ગળામાં જાણે ઝાલરી બને છે ! બાળક ! તારે કવિતા શીખવી છે ?” આવો દીકરો ભગત નીકળે, ભડ ન નીકળે ! રે દુલા ! જરા છાંટો પાણી કરતો જા ! મરદુના આંખના ડોળા લાલ જોઈએ ! અને દુલે આમાં કંઈ ન શીખ્યો. શીખવવા આવનારને સમજાવી દીધા એ દહાડે ! આજ તો અનેક દારૂડિયાને ડૂબતા તાર્યા છે એણે ! એ કિશોર દુલ ! ગાયું ચારવાનાં વ્રત લે. એક ટાણું જમવાનાં વ્રત લે. રોજ દેહરા ચોપાઈ યાદ કરવાની આખડી લે ! બાપ મારતે ઘોડે સો ગાઉની સીમ માથે બાજની ઝપટે આંટે દઈ આવે ને દીકરો સે દોહા એપાઈ એક દહાડામાં યાદ કરીને મલકાતે બેઠો હોય ! જાણે કઈ મિલકત મળી ગઈ! આ બાપ દીકરાને ગજાનનની મૂર્તિની પૂજા કેમ કરવા દે ! એ તે કહે : “દીકરા ! કઈ દહાડે સાધુડીઓ થઈ જઈશ. મારું રજવાડું કેમ કરીને જાળવીશ ?” આવો બાપ દીકરાને માળા ફેરવત જોઈ કહે, “રે આ સીંદરી ન ફેરવ ! કેડે તલવાર બાંધ ને હેડ મારી સાથે !' બાપ ભાયા કાગ વાર્તા માંડે, નદીનાં જળ થંભાવે તેવી ! દુહા હજાર ગાય : એકને આંબે એવા ! - કિશોર દુલા કાગને ધેનુ ચરાવતાં, ચોપાઈ ગોખતાં એક વરસ ને નવ મહિના વીતી ગયા ! - ભક્તિના માળામાં કવિત્વનું પંખી ક્યારે આવીને ઇંડા સેવવા બેઠું હતું એની ખબર નથી : પણ એ મહિને પિષ હતા. વદ તેરસ હતી. ઠંડો ઠંડો વાયુ વાતે હતો. સૂરજ મહારાજ સગડી કરતા હતા. પાસેથી પીપાવાવને કેડે જ હતું, ને ઝલાપુરીના જળમાં પંખી સ્નાન કરતાં હતાં. “કેણ છે તું ?” “ચારણ” “ચાલ મારી સાથે, એર વીંછીના મંતર શીખવું.” “એમ ન ચલાય.” કિશોર બોલ્યો, “મારે બાપ જાણે તો કટકા કરી નાંખે.” છોકરા ! ગાયોને તારા કરતાં સવા ગોવાળ મળે ને તારો બાપુ તને લઈને પંડે મને સંપી જાય તે ?” બાપુ ! પછે તે વિવાહથી રૂડું શું ?” કિશોર ઘેર ગયો. અને આંગણામાં જ બાપને બેઠેલ જોયો. મલે ભાભો કરીને એક શેવાળ કામ માંગવા આવ્યો હતો. બાપે દીકરાને કહ્યું : “કાં હવે ગાયું ચારવી છેડવી છે ને? રજવાડાને કારભાર છેડી દીકર છાણમાટીમાં મહાયો છે!” દીકરાએ હા પાડી દીધી. બધાને અચરજ થયું ! ગાયો મા ભાભાને અને બીજલને સોંપાઈ દીકરે પૂજા-સેવામાં બેઠો. પૂજા-સેવાના ઓરડામાં જ બાપની તલવાર રહે. ભાયે કાગ તલવાર લેવા આવ્યા ને દીકરાને ગણપતિની પૂજા કરતો ભાળ્યો. કાકા એ કવિ દુલા કણ સ્મૃતિ-ગ્રંથ . Page #74 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં બાપે કહ્યું : “હાલ મારી સાથે. પીપાવાવના ગીગારામજી મહારાજ મારા મિત્ર છે, એમના ત્યાં એક સંત મુક્તજીવનદાસજી આવ્યા છે. તને એમને સોંપી આવું એટલે તું સીંદરાં તાણ જંપે !” આગમનના એંધાણ એવાં જ હોય છે. બાપે દીકરાને લઈ જઈને મહારાજ મુક્તજીવનદાસજીને સે. પણ એ તે બકરું કાઢતાં ઊંટ પેઠું. દુલે ભણવા લાગ્યો, વિચારસાગર, પંચદશી, ગીતા મોઢે કરી લીધાં. પછી કહ્યું : “ભુજ જાઉં, ત્યાંની ઘેપાલમાં કવિ પાકે છે.” મહારાજે બે હાથ લંબાવીને કહ્યું : “અહીં ભુજ છે, ભુજ જવું નથી !” ને દુલાની દશ આંગળીઓમાં પોતાની દશ આંગળીઓ પરોવી આંખે આંખ મીલાવી ! ગોઠણે ગોઠણ મિલાવ્યા. પછી આંખ પર હાથ રાખી કહ્યું: જા, સવૈયો લખી લાવ.” પહેલે અનુભવ ! પહેલી આજ્ઞા ! કાગળ લીધે, પેન્સીલ લીધી. રમત શરૂ કરી ને લખાયું ! ભક્ત કવિ શ્રી દુલા કાગની કાવ્ય નિઝરીનું એ પહેલું પુષ્પ. | સર્વે-નાભિમાં બંધ-કસ્તુરી છે ને મૃગ કસ્તુરી બીજે રોધે છે. એ તત્વજ્ઞાનભર્યો સવૈયો દેખાયો. સં. ૧૯૭૩માં સત્તર વરસની ઉંમરે ફૂટેલી આ સરવાણી પછી અકથા વગર, કદી વેગથી, કદી મંથર ગતિએ વહેતી જ રહી છે. એણે અનેક એકતારાઓને સદા રણઝણતા રાખ્યા છે; અનેક સભાઓને કાવ્યગીતથી ગુજતી બનાવી છે ને અનેક રાત્રિઓને ભજનભાવથી પવિત્ર બનાવી છે. એ કવિતાએ પાષાણને પ્રફુલ્લાવ્યા છે ! ભજનની દુનિયામાં ડોકિયું કરીએ અને આ ભક્તકવિનાં ભજનો ન ગવાતાં હોય એવું કદી બન્યું નથી ! એ ભજનોની ચેટ, એ દુહાઓની વધતા વર્ષોથી અખંડ છે. દુલા કાગના કવિત્વને કાશીની કોઈ મહાર છાપ મળી નથી, પણ માનવીના અંતરનાં ગંધાતા અમને આવળનાં ફૂલની જેમ કામ કરનારી ને સુગંધરને - તારનારી એ કવિતા છે. આપણા આ છુપાયેલા રતનને ઈ. સ. ૧૯૬૨ની ૨૬મી જાન્યુઆરીના સ્વાતંત્ર્યદિને આપણી લોકશાહી સરકારે મોડું છું અને થોડું થોડું પણ પિછાણ્યું છે ! કવિશ્રી દુલા કાગને કવિતામાં “પાશ્રીને ખિતાબ આપ્યો છે ! આપણે ટંકશાળી જીવ છીએ ! આપણે મન સરકારી ટંકશાળ જેને સિક્કો મારે એ મહાર સાચી, બીજી નહિ ! આપણે મેડા મેડા પણ ઘરઆંગણાના આ કવિતાસુવર્ણને પિછાણીશું કે હજી પણ કઈ પરદેશી એનાં મૂલ મૂલવે ત્યાં સુધી રાહ જોઈશું ? છે. હે કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ છે, જે Page #75 -------------------------------------------------------------------------- ________________ લોકસાહિત્યની માળાનો મેર • શ્રી રતિકમાર વ્યાસ ના, “દાઢીવાળા દેખિયા, એક નર રવીન્દ્રનાથ, બીજે નર પટ્ટણી સમરથ, દેવ ત્રીજે તું દુલિયા” પ્રસન્ન-ગંભીર મુખમુદ્રા, ચાંદીના પતરા જેવી સફેદ દાઢી, માથે દેદીપ્યમાન જટા, કંઠેથી વહેતા મંદ સપ્તકના વિશુદ્ધ ગંભીર સ્વર, મશાણનાં મડદાંને પણ બેઠાં કરી દે, કાયરને પણ વીર કરી દે તેવી વાણી. એ વાણીને ભારતભરમાં ગજાવનાર ભક્ત કવિ દુલા કાગને દેહ મંગળવારે સાંજે ૪ વાગે તેમના વતન મજાદર ખાતે ૭૩ વર્ષની વયે ચિરનિદ્રામાં પોઢી ગયે. લોકસાહિત્યને અજનો વેદવ્યાસ ચાલ્યો ગયો ને ગુજરાતનું લેક સંસ્કાર-સાહિત્ય જીવન એટલા પૂરતું રાંક બન્યું. સરવાણી ફૂટી સં. ૧૯૭૩માં ૧૭ વર્ષની વયે પાંચ ગુજરાતી ભણેલા આ ગામઠી કિશોરના હૈયામાંથી ફૂટી અને એ ફૂટેલી સરવાણી પછી અટકળ્યા વગર, કદી વેગથી કદી મંથર ગતિએ વહેતી જ રહી છે. આવા આ કાશી જેવા કાગ માટે લખાયું કે : “ બા જેવું ખેરડું, અને મજાદરને ભાગ. કાશી જે કાગ ભલું તિરથ ભાયાઉથ.” કવિ દુલા કાગે ગુજરાતી સાહિત્યમાં એક પણ વિષય છેઠવ્યા વિના બાકી રાખ્યું નથી. દુહા, છંદ, સવૈયા, ભજન, રામાયણના પ્રસંગે, મહાભારતના પ્રસંગે, ગાંધીયુગનાં ગીતે, ભૂદાનનાં ગીત, રાસડા, ગરબા અને લેક વાર્તાઓ બધાને એ પારસમણિ બની સ્પર્યા છે. રાષ્ટ્રશાયર સ્વ. મેઘાણીમાં જેમ કંઠ, કહેણી અને કવિતા હતાં એ જ કંઠ, કહેણી અને કવિતા દુલા કાગમાં હતાં, ત્રીજા કેઈમાં આ ત્રણે ચીજો આવી નથી અને આવશે નહિ. પ્રજ્ઞાચક્ષુની વિમાસણ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી દુલા કાગની કવિતા સાંભળીને આંખમાંથી હર્ષનાં આંસુ વહાવતા. તેઓ કહેતા હતા કે “મેં ઉપનિષદ અને વેદે વાંચ્યા છે. પણ આ ડોસાના મગજમાંથી આ ક૯૫ના ક્યાંથી આવે છે તે મને જોવા મળી નથી.” ગુજરાતના લોકજીવનને અને સમાજને ઘડવા માટે આ લોકકવિએ આજીવન સેવા કરી છે. ભૂદાન પ્રવૃત્તિમાં પણ તેમણે તેમની મોટી સેવા આપી છે. ગુજરાતના મૂક સેવક પૂ. રવિશંકર મહારાજ માટે કવિશ્રીને અનહદ ભાવ અને પ્રેમ. એક વખતે વડોદરામાં ગુજરાત ક્ષત્રિય સંમેલન ભરાયું. તેના પ્રમુખ દુલા કાગ. પ્રમુખ બન્યા એટલે મોભા પ્રમાણે મંચ પરથી ગવાય નહિ છતાં તેમણે તે ગાયું જ. બીજા દિવસે તેમને ખબર પડી કે પૂ. રવિશંકર મહારાજ પંચમહાલ જિલ્લામાં પાવાગઢ પાસે તરીયાલી નામના ભીલ આદિવાસીઓનાં ગામમાં છે અને કવિ તે ઊપડડ્યા મહારાજશ્રીને મળવા. તરીયાલી ગામ ભીનાં દસ બાર ઝૂંપડાં એક ઝાડની નીચે મહારાજ તેમનું કામ કરે. કવિ ત્રણ ચાર સાથીઓ સાથે મહારાજ પાસે પહોંચ્યા, મહારાજનું કામ જોયું, ચર્ચા કરી, અને ભૂદાન પ્રવૃત્તિની માહિતી મેળવી. અ કવિઠ્ઠી કુલ્લા ઉગ સ્મૃતિ-ગૂંથારી મા કાર Page #76 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં મહારાજને મળ્યા અને આ બધી વાતચીતમાં જમવાનો સમય થયા એટલે મહારાજે અગાઉથી જમવાનું તૈયાર કરાવવા કહેલું એટલે બધા જમવા બેઠા. પતરાળી પડી, મહારાજ બેઠા. સામે દુલા કાગ. બાજુમાં હું બેઠા. પડિયામાં દાળ આવી, કવિએ એને સબડકા માર્યા. પણ આ તો આદિવાસી ભીલની રસોઈ ! દાળ તો ખૂબ જ તીખી, માંમાં પણ ન જાય. એટલે દુલા કાગે મને હળવેથી કહ્યું કે “એક ચમચી થી મગાવ, દાળમાં નાંખુ તે તિખાશ ઘટે.'' સામે બેઠેલા મહારાજ આ વાત કળી ગયા. આદિવાસી ભીલના ઘરમાં ધી કેવું? અને તુરત જ મહારાજે તેમની દાળમાં પાણી રેડયુ. એટલે તીખાશ ઘટી. કવિએ આ જોયું અને તેમનું હૈયું દ્રવી ઉઠયું. મહારાજને માટે અનહદ ભાવ જાગ્યા. ભૂદાન માટે ભેખ ધર્યાં. મહારાજને પોતાને ગામ આવવા તરુ દીધુ તે કહ્યું. “તમે ભ્રામકા માગવાવાળા, આવા મારે આંગણીયે, તમે ગરવી ગુજરાતવાળા, આવે મારે આંગણીયે. તમે રાત દી ફરા પગપાળા, આવો સારે આંગણીયે.” ૧૯૫૯માં મહારાજ તેમના માદરે વતન મજાદરમાં પધાર્યા. ત્યારે પોતાની ૧૨૫૦ વીધા જમીનમાંથી ૬૫૦ વીઘા જમીન, ૧૨ બળદ, ૧૨ હળ, ૧૨ કૂવા અને પાંચ હજાર રૂપિયાનું ઘાસ તેમના ચરણે ધરી દીધું ! ભૂદાન અંગે ગીતો લખ્યાં અને પૂ. વિનેાખાને અણ કર્યાં. સાહિત્યકારોને સરપાવ આવા દરિયાવ દિલના દુલા કાગે ગુજરાતી સાહિત્યના સાક્ષરાને પણ નવાયા. ગુજરાતી સાહિત્ય ૬૩ જગતની વાડાબંધીમાં કાઈ નેય આ લોક સાહિત્યકારને સુવર્ણચંદ્રક આપવાનું ન સૂઝયું. પણ એમણે તે ગુજરાતના સાહિત્યકારો, કવિ અનેલેખકેાનુ બહુમાન કર્યું... જ. ૧૯૬૨માં માદર ગામના તેમના ખારડે ત્રણ ત્રણ દિવસ સુધી ૨૫૦ જેટલા સાક્ષરા, કવિઓને સાત સાત પકવાન જમાડયા. એટલું જ નહિ વિદાળ વેળાએ દરેકને એક કામળા પણ એઢાડવો. તે આવા દરિયાવ દિલના કવિએ કાગવાણીના આઠ આઠ ખંડ રચ્યા તે જેની આઠે આઠ વાર આવૃત્તિએ બહાર પડી. આકાશવાણીએ તેના ઋતિહાસમાં કોઈના પણ સાહિત્યનું રેકડીંગ ન કયુ` હોય તેટલું ૬ પ કલાકના સાહિત્યનું કર્યુ છે. રાય અને રંક એક કવિ દુલા કાગ માટે રાય અને રંક સહુ સરખા હતા. દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં સ્વ. ડૉ. રાજેન્દ્રપ્રસાદથી માંડીને દેશના ટોચના નેતાઓના હૃદય સુધી તેમની વાણી પ્રસરી ચૂકી હતી. ગાંધીજીની અહિંસા અને વિનેખાતા અપરિષ્ઠહ તેમની કૃતિઓમાં વાચા પામ્યા છે. માટે જ તેા કહેવાયુ છે. ચારણ ચેાથે વેદ, વણ ક્રિયા વાતુ કરે લાખે અગમના ભેદ ઈ ભાણેજ ભારી’ગ તણા ગારૂડીની મહુવરને નાદ સાંભળીને જેમ ફણીધર ડોલી ઊઠે તેમ કવિ કાગની કાવ્યધારા અને લેાકગીતો સાંભળીને લેાકહૈયાં ડોલી ઊઠતાં. સાચે જ લાકસાહિત્યના એક વેવ્યાસ હતા. પદ્મશ્રીના ખિતાબથી યાગ્ય રીતે જ વિભૂષિત કરાયા હતા. એમના અવસાનથી લોકસાહિત્યની માળાના મેર તૂટી ગયા છે એમ કહેવાણાં જરાય અતિશયાક્તિ નથી. (‘જનસત્તા’માંથી ટુકાવીને) કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ક Page #77 -------------------------------------------------------------------------- ________________ સ્વમાની ચારણદેવ • શ્રી જમિયત પંડયા પાંચ દસકા ઉપર છ છ વર્ષનાં વ્હાણાં વાઈ ગયાં, જ્યારે ભાવનગરમાં મારા માસાશ્રી લક્ષ્મીનાથ વ્યાસને ત્યાં રહીને દક્ષિણામૂતિ માં ભણતા હતા. ત્યારે શ્રી ભગતબાપાનાં પહેલાં દર્શીન થયેલાં. શ્રી મેઘાણી ત્યારે તેમના જ મકાનમાં–ડૉ. શિવનાથ વ્યાસના ડહેલામાંના એક મકાનમાં રહેતા હતા અને શિક્ષણક્ષેત્રમાં અધ્યાપક તરીકે કામ કરતા હતા. તેમની સાથેની પહેલી એળખાણ પણ ભગતબાપાને શ્રી લક્ષ્મીનાથ વ્યાસે કરાવેલી. ત્યારને પ્રસંગે આજે પણ સ્મૃતિ પર અ’કાયેલ છે. ઉપરને મજલે શંકરાચાય શાલ્યાનદ સરસ્વતી રહેતા હતા તે રૂમમાં ભગતા) સાથે ધણી રાતો ગાળેલી પરંતુ ત્યારે તેા રાતના કુટુબમેળામાં ભગતબાપાની વાણી સાંભળવા મળે અને સાથે તેઓશ્રીની સેવાના લાભ મળતા હતા. ગીતા સાંભળવાં ગમે પણ માટી ઉંમરે ખેંચાણ વધ્યુ એટલું ખેંચાણ તે વખતે હતું નહીં. પછી તે મેટી ઉંમરે સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રમાં પડયો. વતન ખંભાત અને ત્યારે દર વર્ષે ભગત॰ાપા માટે હુક્કાની ગડાક માટે તંબાકુ ધુવારણના મારા ખેતરની મંગાવી ભાવનગર મેકલતા. અચાનક એક દિવસ મારા મસિઆઈ ભાઈ સ્વ. હરુભાઈ ને માદરથી પત્ર આવ્યા કે; “ભગતબાપા લખાવે છે કે અત્રે મહેમાનગત માણવા આવે.’’ એ મહિના પછી ભાવનગર જવાનો પ્રસંગ આવ્યા ત્યારે ખાસ મજાદર ગયા. એ દિવસ ભગતબાપાના સત્સ`ગમાં રહ્યો . જે અવર્ણનીય હતા. મારી કૃતિએ સંભળાવી આશીર્વાદ મેળવ્યા. ત્યારે કૃષ્ણપ્રેરિત કાગવાણી’નુ સર્જન થતું હતું. ચાર પંક્તિએ તે ગ્રંથ પૂર્ણ થયાની હજી યાદ છે. સવત શ્રેષ્ઠ ઉગનીસ સાલ નેવુ સુખદાઈ, શુકલ બીજ, બુધવાર માસ વૈશાખ સુહાઈ, સ્નેહપુરી કરી વાસ અતિ હિય મેં તુલસાયો; લક્ષ્મીનાથ કે ભવન સુન રહી કે ગુન ગાયા. મતલબ કે એ પુસ્તક પૂર્ણ શ્રી લક્ષ્મીનાથને ત્યાં થયેલું. મજાદરમાં ભગતબાપાના ઘેઘૂર મેારના હોકાર ભર્યા કંઠે જે ગીતે સાંભળેલાં તે આજેય યાદ કરતાં આઠલાદ આપે છે. હૃદય ગદગદીત બનાવે છે. શ્રી લક્ષ્મીનાથ વ્યાસ પણ ઝિંદાદિલ મહામના માનવ હતા. 於 પ્રશસ્ય બાંધે, સામાને માપી લેતી છતાં મમતાભરી દષ્ટિ, નિરાડંબરી સ્વચ્છ રહેણીકરણી, સંસારી છતાં ઋષી સમાન અલગારી અને શ્રી મેધાણીના શબ્દોમાં ‘ફાટેલ પિયાલાના', શેહશરમ રાખ્યા સિવાય એક મગની એ ફાડ સમાન મેઢામાંઢ સાચું કહી દેનાર-મહારાજા સાહેબ કે પટણી સાહેબને પણ સાચી વાત કહેતાં ડરે નહીં તેવા–આ ચારણદેવની જિહવા પર સાક્ષાત્ સરસ્વતીને વાસ હતેા. જ અને ખડી ઉપરાંત સંસ્કૃત અને કચ્છી ભાષા પરા કાબૂ, કાવ્યકૃતિએમાં યાગ્ય સ્થળે યોગ્ય શબ્દ વાપરવાની સૂઝ, શ્રી રામના ગુણાનુવાદક અને લક્ષ્મણ જતિ જેવું વિવેકી જીવન જીવી જનાર, અજાયક ભગતબાપા ચારણપેઢીના છેલ્લા અવશેષ સમાન આપણી વચમાંથી વિદાય થયા, પરંતુ સંસ્મરણા તે જીવત રહ્યાં છે અને રહેશે. * ** મારી સિઆઈ બહેન સૌ. પ્રમેાખાનાં લગ્ન પ્રસંગે ભાવનગરમાં ફરી ભગતબાપાને એ દિવસ કવિ દુલા કાગ સ્મૃતિ-પ્રથ Page #78 -------------------------------------------------------------------------- ________________ સંભારણ સંસર્ગ રહ્યો. ત્યારે તેમને કમળો થયેલે, શરીર અશક્ત. લથડેલી તબીયત એટલે શ્રી લક્ષ્મીનાથે લોકગીત કે ભજને ગાવાની મનાઈ કરેલી. છતાં રાતના જયારે ઉપરની રૂમમાં સૂવા જઈએ ત્યારે મન મૂકીને બાપા નવી નવી કૃતિઓ સંભળાવે. એ દિવસે ગયા ! રાણબાએ પ્રત્યેક મહેમાનને ચાંદલા કરી લીધેલ ઓવારણાં, ભાતભાતનાં ભાતીગળ ચાકડા-તરણોએ શણગારેલ ઉતારાઓ અને સભાખંડ, ત્રણ ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રની ભાતભાતની વાનગીઓથી કરેલ મહેમાનગત, ભગવતબાપાએ પ્રેમથી ભરાવેલ કેળિયા, રાતના જાતા ડાયરા અને છેલ્લે દિવસે પ્રત્યેક મહેમાનને કિંમતી ધાબળાઓની કરેલ નવાજીશ તેમજ એકસે બે ડિગ્રી તાવ છતાં ડુંગર સ્ટેશને આવી અશ્રુભીની અને મમતાસભર આંખે આપેલ વિદાય એ પ્રેમ અને મમતા જીવનમાં ક્યારેય ભૂલાય તેમ નથી-ક્યારેય નહીં ! ૧૯૪૫-૪૬માં મુંબઈમાં નોકરી કરતું હતું, તે સમયમાં ચારણ છાત્રાલય માટે ભગતબાપા અને શ્રી મેરુભા ગઢવી વગેરે મુંબઈ આવેલા. શરૂમાં બ્લેકી લેજમાં પ્રોગ્રામ યોજાયેલ. હું ત્યાં જઈ પહોંચ્યો, ચરણસ્પર્શ કર્યા અને ભગતબાપા મને ભેટી પડ્યા. મારી આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. મુંબઈના ઘણા પ્રોગ્રામમાં મેં જોયું કે જનતા ભગતબાપાની ઝોળી છલકાવી દેતી હતી. આ રીતે ચારણ છાત્રાલયના પાયામાં ભગતબાપાને પસીને પડો છે. . છેલ્લે ભારત સરકારે પદ્મશ્રી’નું બહુમાન એનાયત કર્યું ત્યારે અમદાવાદમાં ભાઈશ્રી રતિકુમાર વ્યાસને ત્યાં મળવા ગયો, હૈયાનો રાજીપો ઠાલવ્યા, આશીર્વાદ મેળવ્યા. તે સમયે પિતાની સાથે આવેલ હુકકો ભરી આપનાર તરફ આંગળી ચિંધીને ભગતબાપા બોલેલા : જમિયત, આ મારો વા'લે શું કહે છે જાણ છે ?” મેં કહ્યું : “ના બાપા.” જીવનમાં ક્યારેય ન ભૂલાય તે પ્રસંગ મળે. મુંબઈ, અમદાવાદ, સુરત વગેરે સ્થળોએથી શ્રી જયભિખ્ખું દ્વારા લગભગ પોણોસો જેટલા કવિ, પત્રકારો, સાક્ષર, વાર્તાનશે વગેરેને મજાદર નેતરેલા. મુખ્યત્વે શ્રી ધૂમકેતુ, શ્રી જ્યોતીન્દ્ર દવે, મેહનલાલ સોપાન, નીનુ મજમુદાર, રમણિકભાઈ લાલ, હસિત બૂચ વગેરે અને યુવાન પેઢીના કવિઓ હતા. હું તો હોઉં જ, અમે ડુંગર સ્ટેશને ઉતર્યા અને અમારા સ્વાગત માટેના ઉમળકા તેમજ રથ- માફાઓ જોઈ અમે સ્તબ્ધ જ થઈ ગયા. એ વાહનો અને બળદોને જે રીતે શણગાર્યા હતાં તે દૃશ્ય જીવનમાં ભાગ્યે જ જોવા મળશે. વચમાં આવતાં ગામના આગેવાને અને જનતાએ પોતાના જ મહેમાન હોય તે રીતે કરેલાં સ્વાગત, ધજાપતાકાઓથી શણગારેલ માર્ગો અને મજાદરની ભાગોળે બહેન “મને પદમશી કહે છે.” અને મુક્ત હાસ્ય હસી હસાવેલ. આ અમારું છેલ્લું મિલન હતું. મારા કમનસીબે તે પછી કયારેય મળાયું નથી. આજે તે આ બધા અલભ્ય પ્રસંગોનાં સેનેરી સોણલાં અને તેઓશ્રીની સુધાવાણી વાગોળવી રહી ગઈ. તેઓશ્રી હવે નથી એમ માનવા જીવ તૈયાર નથી, એ પ્રશંય સ્નેહ-મમતાભરી મૂર્તિ નજરું સામે તરવરે છે. આ હકીકત હકીકત બની રહેલ છે. લોક હૈયામાં સ્થાન મેળવીને એમણે મૃત્યુના મોઢા પર થપ્પડ મારી છે. • Eા કITી દુલા કાગ અતિ ન Page #79 -------------------------------------------------------------------------- ________________ ખલકને મોટી ખોટ • શ્રી દોલત ભટ્ટ કવિકાગને કુદરતની બેવડી કૃપા મળી હતી : એક એની સર્જનશક્તિ જે સરળ હતી, બીજી કૃપા કંઠની હતી જે વડે પિતાની સર્જનશક્તિને મધુરા કંઠમાં ઝબોળીને જનતાના કર્ણ સુધી પહોંચાડી શક્યા. આમ બેવડી કૃપાએ કવિની પ્રતિભાને અવિ. સ્મરણીય પુષ્ટી આપી. ચારણી સાહિત્યની મર્મવેધક વાત માંડી જાણનાર કાગ પાસે પિતાની મૌલિક અલૌકિક શક્તિ હતી. જે અબોટ હતી. હેજ પણ એમાં અન્યની છાંટને અણસાર સુદ્ધાં જોવા મળતું નહિ. રાણા-કુંવરની વિરહભરી વાત હોય કે સાગર ખેડ ખારવાની વાત હોય, ઘોર ધીંગાણાની વાત કે પછી કોઈ ખાનદાન ખોરડાની વાત હોય. તમામમાં એક પ્રકારની તાજગી તરવરતી હતી. છતાંય મેં તેમને કૃષ્ણશંકર શાસ્ત્રીને કહેતા સાંભળેલા કે “શાસ્ત્રીજી, આ બધી વાતો પુરાણની છે. આપણે કંઈ નવું કહેતાં નથી. માત્ર નવા ઘાટ ઘડવાનું કામ કરી જાણીએ છીએ. કવિ કાગના કંઠના કામણ પણ વિવિધ પ્રકારનાં હતાં. શૌર્ય કથામાં એને કંઠ બુલંદ બનતે અને એ જ કંઠ કોઈ પ્રેમકથાની માંડણી વખતે વહેતે ત્યારે શીળે બનતે અને એ જ કંઠ લગ્નને માંડવે મહાલતે ત્યારે સરવો બનતે. એ જ કંઠ ભજનમાં આળોટતો ત્યારે ભાંગતી રાતે ગવાતી ભૈરવીની ભભક આપણને જાણવા મળતી અને એ જ કંઠ મરશીયા માંડતા ત્યારે અંતરના સાતેય પડદાને ફાડી નાખી કારુણ્યની પરાકાષ્ટાને આંબી જતે. આજે આપણી વચ્ચેથી કંઇને કામણગારો કવિ હાથતાળી દઈ હાલી નીકળ્યો છે. લાખેલી વાત માંડતા, ઉરમા દીઠી નઈ એટ; ખલકમાં મેટી ખેટ, પૂરી પુરાશે નઈ ભાયાઉતઃ III કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ની Page #80 -------------------------------------------------------------------------- ________________ શબ્દ-બ્રહ્મના ઉપાસક મેં ભૂલાય? • શ્રી અરવિંદ મ. જોળકિયા અમારે ઘેર ઓસરીમાં હિંડોળા પર મારા પિતાશ્રી–સ્વ. રાજવૈદ્ય મલભાઈ બેઠા છે ને તેમની બાજુમાં કાળી લાંબી દાઢી...માથે સફેદ પાઘડી.. વિશાળ આંખ, એજસ્વી ચહેરો અને મુખમાંથી શબ્દ વહે...જાણે જળને પ્રવાહ..સ્વ. પ્રભાશંકર પટ્ટણીજી મારા પિતાશ્રીના મિત્ર...પેલા પ્રભાવશાળી વ્યક્તિના મુખેથી હસતાં હસતાં શબ્દો વહ્યાઃ “છવડલા નિજ દેશ ચલ...થલ થલ નહિ પટણી...”પટ્ટણીજનાં ઔદાર્યને બિરદાવતા શબ્દો. પછી તો કવિત-છંદ -દુહાની રમઝટ બેલી...એ વિદ્વાન કવિ તે કવિશ્રી દુલા કાગ..મેં તેમનાં પ્રથમવાર દર્શન...ત્યારે કર્યા...પછી તે અવારનવાર સદ્ભાગ્ય મળ્યું... ભાવનગર રાજ્ય સાહિત્ય સંગીત અને કળાનું ત્રિવેણી સંગમ બની રહ્યું હતું...કવિઓના કાવ્યની સરિતા બેય કાંઠે વહેતી હોય તે રહીમખાં કે દલસુખરામ ઠાકોર જેવા સંગીત કલાકારની સ્વરપાસના અવિરત ચાલ્યા જ કરતી...સ્વ. શ્રી પટ્ટણી સાહેબ પણ સ્વયં સાહિત્યપ્રેમી એટલે મુરબ્બીશ્રી દુલાભાઈ જેવા વિદ્વાનને તે ભાવનગરને અવારનવાર લાભ મળે. બનાવે...વડજના સ્વરની જાણે સાધના કરી હોય તેમ ઘેરા-ગંભીર કઈ ઊંડી ગુફામાંથી વહેતા હોય એવા પણ સુસ્પષ્ટ શબ્દો અને સચોટ વર્ણન. ભાવનાત્મક ચિત્રણ...અને તળપદી સોરઠી શૈલી.. હજારો શ્રેતાઓ હોય તો પણ તદ્દન પ્રશાંત વાતાવરણ. “બહુ ઓછાં માણસે લાગે છે ! અવાજ આવતે નથી..” આટલું બોલી જ્યાં અંદર જઈને જોવે છે ત્યાં ડાયરો અકડે ઠટ...બિલકુલ તલ્લીનતાથી સૌ-“પગ મને ધોવા દ્યો રઘુરાય”—એ ગુહરાજાને પ્રસંગ સાંભળી રહ્યા છે. શબ્દ-બ્રહ્મની ઉપાસનાને એ પ્રભાવ !!! પિતાનું સર્જન તે કૌશલ્યથી રજૂ કરે જ... પરંતુ રામાયણ-મહાભારત જેવા વિશાળ મહાગ્રંથ જાણે જીભને ટેરવે વિરાજતા હોય તેમ એકાદ પ્રસંગની યાદ આપે અને કવિશ્રીને કંઠેથી સૌમ્ય શબ્દચિની હારમાળા સર્જાવા લાગે... રાષ્ટ્રીય શાયર કવિશ્રી દિનકરજીએ પણ આ અદ્ભુત સ્મરણ શક્તિને... અને આ વિદ્વાન કવિને બિરદાવ્યા હતા... આકાશવાણી પરથી હું સંસ્કૃત તેત્ર તેમ જ શ્રીમદ્ ભગવદ્ગીતાના પાઠ રજૂ કરતે... પૂ. ભગતબાપુ મારા સંસ્કૃત ઉચ્ચાર અને ગાયનનાં વખાણ કરે. એવા પ્રતિષ્ઠાવંત વિદ્વાનની પ્રશંસાથી કેમ આનંદ ન આવે? પણ જ્યારે “મેં તો કંઈ અભ્યાસ કર્યો નથી” એમ નમ્રતાથી કહેતા કવિશ્રી કાગના મુખેથી જ્યારે ગોપીકા ગીત-ભ્રમરગીત કે પુરાણના શ્લોક સાંભળ્યા ત્યારે ઈશ્વર દત્ત વિકતાના દર્શન થયાં. પછી રાજકોટમાં આકાશવાણી કેન્દ્ર થયું.. સૌરાષ્ટ્રની મહામૂલી સંપત્તિ સમી કવિશ્રી કાગની વાણીને ધ્વનિમુદ્રિત કરી...કલાકોના કલાક કવિના કંઠેથી વાણીને અખલિત પ્રવાહ વહેતો જ રહે... આ તે કમાલ કહેવાય !”...ન પુસ્તક, ન લખાણ, સંખ્યાબંધ પ્રસંગે–એ તેજસ્વી પાત્રો -કવિશ્રીના શબ્દ જીવંત બનીને વાતાવરણ પવિત્ર 06) છે આ કવિશ્રી દુલા કાકા ઋાિ-થ ' Page #81 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ માત્ર યુનિવર્સિટીના અભ્યાસક્રમની ભાષાઓનો અભ્યાસ હતો પરંતુ મારા પિતાશ્રીના મિત્રો કવિશ્રી કાગ, લિંબડીના કવિશ્રી શંકરદાનજી, માવદાનજી, કનરાજજી વગેરે વિદ્વાન ચારણ કવિઓની વાણી શ્રવણ કરી ત્યારે જ આ અગાધ જોકસાહિત્યસાગરનો પરિચય થયો એટલું જ નહિ પણ એ પ્રત્યે વિનમ્રતાથી ભક્તિ પણ જાગૃત થઈ અને વિદ્વાન શારદાપુત્રની પાંડિત્યપૂર્ણ પ્રતિભા અને જ્ઞાનને હંમેશાં વંદના જ કરી. જન્મ અને મરણને ભય સામાન્ય માનવીને રહે છે. કવીશ્વરો તો શાશ્વત કાળ સુધી અમર જ છે. કવિ શ્રી કાગને સ્વર્ગવાસ થયો... હા, લૌકિક દૃષ્ટિએ એમને એ ક્ષર દેહ નથી... પણ અક્ષર દેહે તે અનેક હૃદયમાં તેઓ વિરાજે છે એટલું જ નહિ, સૌ કોઈ ભક્તિભાવપૂર્ણ રીતે તેમને તેમની સાહિત્યોપાસનાને અને આ ધરતીને સંસ્કારવામાં આપેલ યશસ્વી સંસ્કાર શિક્ષણને સૌ સ્મરશે જ... વંદન કરશે જ... “काग के भाग को कहा कहिए __ बीन्हे शबद ब्रह्म उपासना कीन्ही' નંદને નેસડે (ગોઝારાં એનાં આંગણાં રે -એ રાગ) આજ વાગ્યા છે વધાયું કેરા પાવા રે નંદ બાવાજીના નેશમાં – આજ વાહુલીઆ મધૂર લાગ્યા વાવા રે...નંદ બાવાજીના આજ ગાંઘવા લાગ્યા ગુણ ગાવા રે...નંદ બાવાજીના ટેક જ હરખાતો જાતો, ફણી ફડકાતો (૨); ઊડ્યા અણદીઠા ઉતપાતો રે-દાનવકેરા દેશમાં છે. આજ-૧ ફૂલડે વેરી છે રૂડી, ગોકુળની શેરી (૨); કંપી ઉઠી કંસની કચેરી રે, વેરી છે બાળા વેશમાં છે. આજ-૨ અડસઠ તીર્થ, બેઠાં પાણી રે (૨) ગંગાજીનાં ધોળાં ઝબકયાં વારિ રે, જમનાના કાળા કેશમાંજી.. આજ-૩ કાગ ” જેગમાંથી જાગી, છોડીને સમાધી (૨); માદેવે આવીને ભિક્ષા માગી રે, વેરાગીકરા વેશમાંજી...આજ-૪ ( ભાવનગર તા. ૪-૧૨-૫૩ ) –દુલા કાગ જ કવિ દુલા કાગ સમૃદિi-iણ Page #82 -------------------------------------------------------------------------- ________________ મજાદર સાહિત્ય સમારોહનાં મીઠાં સ્મરણો • શ્રી દક્ષિણકુમાર જોશી વર્ષોથી માંદગીની પથારીએ ક્ષય જેવી જીવલેણ માંદગીમાં પટકાયા પછી, દુલાભાઈનું નિધન થતાં ત્રીશ વર્ષ પહેલાં મેઘાણી અનતને પંથે હાલી નીકળ્યાં પછી ગુજરાતના લાકસાહિત્યના ધ્વજ લહેરાઈ રહ્યો હતો તે અા કાઠીએ નમી પડયો! લેકસાહિત્ય' એ શબ્દને ઉચ્ચાર થતાં જેનાં નામ જીભને ટેરવે ચડી જાય તેવા મેધાણી અને દુલા કાગ હવે આપણી વચ્ચે નથી, ત્યારે મનમાં એ વાતને વસવસો રહ્યા કરે છે કે મેધાણીનું સ્થાન લેનાર આજે કોઈ ત્રીશ વ પછી ન મળ્યે, ત્યારે એવા આ બીન્ને મહાન લોકસાહિત્યના સ્તંભ ઢળી પડયો ત્યારે ગુજરાતનુ લાકસાહિત્યનું અણુમાલ ધન કોઈ કે લૂંટી લીધુ હાય, રંક થયું હોય તેવુ લાગી રહ્યું છે ! ગાંધીજીએ સાચા અર્થમાં જેને લેક' કહેવાય તે સમાજના દબાયેલા વનું ઉત્થાન એમની અનેાખી, દેશવ્યાપી ચળવળ દ્વારા કરીને સર્વોદયને સમત્વ પંથ, રાગદ્વેષ વિયુક્ત બતાવીને પોતે ભારતના ‘લોકનેતા' નું બિરુદ મેળવી ગયા. છેલ્લાં પચાસ વર્ષમાં સાહિત્યક્ષેત્રે, બીન સાહિત્યપ્રકારાની વચ્ચે નવલકથા, વાર્તા, કવિતા, જેવા પ્રકારોમાં, ‘ લેાકસાહિત્ય ’ના પ્રકારને પણ પ્રજાના છેલ્લામાં છેલ્લા વર્ષાં સુધી સ્પર્શી જાય તેવા બનાવીને એનુ અન્વેષણ–સંશાધન કરવાનું માન જેમ મેઘાણીને જાય છે તેમ એ લાકસાહિત્ય ' ના સર્વાં ચારણી પ્રકારો દુહા, છંદ, સવૈયા, ભજતા, રામાયણ, મહાભારતના પ્રસંગેા, ગાંધી યુગનાં ગીતેા, રાસ, ગરબા અને લોકવાર્તાઓ દ્વારા પ્રજાનુ છે તે પ્રશ્નને પાછું આપતાં હોય તેમ, લોકકંઠે, લાકજીભે, લેાકહૃદયમાં રમતાં કરી મૂકયાં હોય તેા તેનું માન દુલાભાઈ કાગને આપવું પડે. કાગ બાપુ અને મેઘાણી બંનેનુ અણુ સમકાલીન અને એવુ શ્રેષ્ઠ કે એકને યાદ કરતાં બીજાની યાદ આવી જાય ! પાછલી રાતના ત્રણ, ચાર વાગ્યા સુધી, કુકડા પ્રભાત ઉગ્યાના સમાચાર આપતાં “કુકડે કુક” કરતા હૈાય ત્યારે હારા જનમેદનીનાં લાકહૈયાં જાણે ગારુડીની મહુવરના નાદ સાંભળતાં ફણીધરની ફેણ કાગ બાપુની અસ્ખલિત કાવ્યધારાથી ડોલી ઊઠી હોય ત્યારે કહેવુ પડે કે : ચારણ ચેાથે વેદ, વણુપી વાતુ કરે; ભાષે અગમના ભેદ, ભાણેજ ભેરીંગ તણા કાગ બાપુની નિખાલસતા તા જુએ! પોતે જ પોતાના પરીક્ષક બનીને કહે કે, ‘નથી મારાં ગીતેામાં પિંગળના માપ અને અલંકાર, નથી તેમાં કોઈ પદલાલિત્ય, કે નથી તેમાં કોઈ અવાહકતા. નથી મારામાં કોઈ કવિતાના નિર્માંળ ધોધ, પણ નાનુ અને ડાળું ઝરણું કડી મેળવવા પૂરતું હાય તો તે સ્વામી મુક્તાનંદજીની પ્રસાદી. ચારણી ભાષા, ચારણી સાહિત્ય કેાને કહેવાય તેના પૂરા માપનીય ય. મને ખબર નથી !' વાત પણ સાચી છે. જેમનુ' જીવનઘડતર જ એ રીતે “તું એકલો જાને રે' એ પથે, બીજા ચારણાથી જુદા પડવા જ નિર્ધાયું હોય, અરે પેાતાના પિતા ય ભડ જેવા ભડ કહેવાતા, જેને ‘ભારાડી' પણ કહી શકાય તે પંથે જ ન પડવાને કવિશ્રી દુલા કાના સ્મૃતિ-ગ્રંથ Page #83 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ ७० દૃઢ નિશ્ચય કરી ચૂકેલા. પિતા પણ સંતાનના ‘ માંહ્યલા ' તે ઓળખીને એમને સામે ચાલીને મુક્તાનંદજી સ્વામીને પથે, જાણે ભૂલા પડેલા બાળકને, હવે તે એ જ એને પથ છે એ રીતે સાંપણી કરે છે ! એ ધન્ય ઘડી જ એના ત્યાર પછીના જીવનઘડતરનું પ્રેરક બળ બની રહે છે. નાની ૧૭ વર્ષની ઉંમરે ફુટેલી પાર્ટી વિકટરની ગામઠી શાળાની પાંચ ચોપડી ભણેલા ફુલાભાઈની કવિતાની સરવાણી વણથાભ વહ્યા કરી છે. એમના એ ભજતાની, દુહાની વેધકતા, એની ચાટ, અતળ ઊંડાણમાંથી ધૂંટાઈને આવે એવી સાચા લોકકવિની વાત કહેતી લાકહૃદયમાં વણાઈ ગઈ છે. કવિ સાચા અમાં શબ્દના સ્વામી બન્યા છે. દુલાભાઈની ચિર વિદાય પછી એમના જીવનનાં મધુર આત્મીય સંસ્મરણા આજે યાદ આવે છે. એક સમયે કાઠિયાવાડમાં, જૂના ભાવનગર રાજ્યમાં પો આલ્બર્ટ વિકટર પાસે ૩૦૦-૩૫૦ ચારણાની વસ્તી ધરાવતા મજાદરમાં, ભક્ત કવિ દુલાભાઈ તે જીવનની નવી મઝા’ માણવાનું મન થઈ આવે છે. દિલની દિલાવરી ધરાવતા દુલાભાઈ ને બસો પચાસેક જેટલા સરસ્વતીપુત્રોને પેાતાને આંગણે ખેલાવીને એમનું સન્માન કરવાની ઉત્કંઠા જાગે છે. ૧૯૬૩ના ઓકટોબરમાં અમદાવાદથી ધૂમકેતુ, જયભિખ્ખુ, પિનાકીન ઠાકોર, બકુલ ત્રિપાઠી, મુંબઈથી મુરલી ઠાકુર, જ્યોતીન્દ્ર દવે, સોપાન, જિતુભાઈ મહેતા, સૌરાષ્ટ્રમાંથી મનુબેન ગાંધી, મેરુભા ગઢવી, જયમલ પરમાર, બીજા ચારણ કવિઓને પોતાના આંગણે નાતરે છે. લાકકવિ સાહિત્યકારના મનની વાત નહીં જાણે તે કોણ જાશે ? બાપુ (ધૂમકેતુ) જેવા ભાગ્યે જ બહારગામ મુસાફરીનુ` માથે લે તેમને શ્રી રતિકુમાર અને જયભિખ્ખુ સાથે રૂબરૂ કહેવરાવીને ધૂણી ધખાવી બેઠેલા લેખકને માદરને પંથે પ્રયાણ કરવાનું આગ્રહભરેલું કહેણ મેાકલે છે. દુલાભાઇ એ યાજેલ એ સાહિત્ય સમારેાહમાં, ચાર દિવસ સુધી જવાનુ' બાપુ જેવા સ્વીકારે ત્યારે સમજવું પડે કે એને આંગણે જવા માટે દુલાભાઈ એ કેવા પ્રેમભર્યા આગ્રહ કર્યો હશે ! આમંત્રિત સાહિત્યકારને આવવાનુ પહેલેથી પાકું કરીને, માદરને આંગણે, પોતાની દીકરીનાં બણે લગ્ન લેવાના હોય તે રીતે, સરસ્વતીપુત્રોના સ્વાગત માટે બધી તૈયારી દુલાભાઈ એ આદરી દીધી. લી પણુ-ગૂંપણથી માંડીને મડાના શણગાર સુધીની સારસ્વતાને પૂરો સત્કાર થાય તે માટે બધી તૈયારીઓ, જાણે પોતે વ્યક્તિ મટીને સમષ્ટિ બન્યા ન હેાય, તેવી માન મૂકાવે તેવી, સાહિત્ય સમારેાહ માટેની બધી વ્યવસ્થા આરભી દીધી. એ સમારંભમાં ઉપસ્થિત થયેલાં સહુએ કબૂલ કરવુ પડેલુ કે એક આખી સાહિત્ય પરિષદ એક વ્યક્તિના અંતરમાં જ્યારે સમાઈ જાય, ત્યારે આવા દૂર દૂરના ગામડામાં પણ સાહિત્યની, લેક શિક્ષણની, લેાક સંસ્કારની, નવી ‘હવા' કેવી હોય તે જાણવું હાય ! ત્યાં હાજર રહેવાનુ` ભાગ્યમાં હોય તે જ જાણી શકે ! ‘હાલ્ય ને ભાઈ ! મેઘાણીભાઈ જેવા પ્રેમાળ મળ્યો છે, એટલે તને ય ઠીક પડશે ! પછી કાને ખબર છે. હવે કારે નીકળાય ?’’ બાપુના મેલની રાહ જોતા બેઠા હાય તેમ બ'દા તા તૈયાર થઈ ગયા——અને સાથે લીધે ભાઈ ધનશ્યામનેય ! બન્યું ય એવુ, બાપુએ ભાખ્યુ હતું તેમ એમના જીવનકાળમાં આ મહાબ્બતને માંડવે, દુલાભાઈ ને આંગણે, સાહિત્યની છેલ્લી ‘હવા' માણેલી ૬ [ ૧૯૬૫ માં બાપુનું નિધન ] સાહિત્યકારા અમદાવાદથી રાતના સામનાથ મેલમાં નીકળી, સવારે બીજી ટ્રેન બદલી, જ્યારે સહુ ડુંગર સ્ટેશને ઉતર્યા ત્યારે દુલાભાઈ એ અને કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ Page #84 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં એમની મંડળીએ સહુનું સ્વાગત હારતારા, અક્ષત, કંકુના ચાંદલાથી કર્યું. ગામડાના સ્ટેશનની બહાર પચાસેક ગાડાં, થનગનતા, હુષ્ટપુષ્ટ, બળદોથી જોડેલાં તૈયાર ઊભાં હતાં. બળદની એક જોડી જુએ અને બીજી ભૂલે, એવા અલમસ્ત હતા ! બળદોને શણગાર અનેરેા હતેા. ગળે ધૂઘરમાળ લટકતી હોય ત્યારે એને થનગનાટ અછત નહાતે રહેતા. શીંગડિયાં, ખિઆરડા, ઝૂલ, ખૂધ, એવા મેાતી ભરેલાં શણગારાથી એમની શોભામાં અનેરી વૃદ્ધિ થઈ રહી હતી. સાહિત્યકારા ગાડા રસ્તે ગામ ડુંગરમાંથી પસાર થયા ત્યારે ગામલોકોને સહુના સ્વાગત માટેના અનેરા ઉત્સાહ વર્તાઈ રહ્યો હતા. ગામમાં વિશ’કર મહારાજ તે સમયે હતા. કાગબાપુના મજાદર ગામે સહુ પહોંચ્યા ત્યાં સહુના રહેઠાણ માટે ડેલીએ લી'પીગૂ પીને સુંદર રીતે શણગારેલી હતી. નવું લીંપણ કરેલી ભીંતા ઉપરતા હીરભરતના, ટાંકાભરતના, ખાપાભરતના, આભલા ભરતના ચાકળા લટકી રહ્યા હતા તે લાકકળાનું અનેરું દૃશ્ય પૂરું પાડી રહેલું. ડેલીએના દરવાજા, તેના બારસાખ ઉપર ગૂથેલાં તારા, ડોલિયા, પાનકોથળિયા લટકી રહ્યાં હતાં. ચંદરવા તેને એર શેશભા આપી રહ્યા હતા. બાપુને રહેવા માટે ભક્તકવિ દુલાભાઈ એમની મેડી ઉપર લઈ ગયા ત્યારે બાપુએ કહેલું, “સૌરાષ્ટ્રના આવા દૂરના ગામડામાં આવેા દિલના ઉદાર બાદશાહ વસે છે એની આજે બહુ મેડી ખબર પડી. મને એ વહેલી ખબર પડી હાત તે। દર ઉનાળે હું અહીં ધામા નાંખીને આ મેડીએ બેઠા ખેડો લખ્યા કરત. ઉપરથી દુલાભાઈની ધરની ભેંસાનુ દૂધ-ઘી ઝાપટવા મળત એ વધુ ફાયદો થાત” મજા ૭૧ દરને આંગણે માડી રાત સુધી લોકસાહિત્યની રમઝટ ચાલતી. આસપાસનાં ગામડાનાં પાંચ-સાત હજાર ગ્રામજને ભક્તકવિની મહાભારતના પ્રસંગોની કથા, ચારણ કવિઓની એક એકથી ચડિયાતી લેાકકથાઓ, લોકગીતો, સપાખરાં અને સાવજડા ગીતેા, દોહા. ચારણી સારઠા એક કાન થઈને સવારના ચાર ચાર વાગ્યા સુધી સાંભળતાં. ત્યાં જ પાથરેલાં ખૂંગણા ઉપર પાછલી પોરની નીંદર ખેંચી લેતાં ઘણાં ગ્રામજતાને જોવાં એ દૃશ્ય અનુપમ હતું ! બાપુને તે સમયે કલકત્તામાં વર્ષો પહેલાં જોયેલુ શિશુર ભાદુરીની ‘સીતા’ નાટક યાદ આવેલું. તે વાતને ઉલ્લેખ કરીને બાપુએ ત્યાં કહ્યું પણ ખરું. દુલાભાઈ પાસે લોકસાહિત્યને ખજાના એવા સમૃદ્ધ છે કે જ્યારે એ પોતાના ખજાનામાંથી એક પછી એક ‘ચીજ' પીરસતા હૈાય ત્યારે શિશિર ભાદુરીનું નાટક મે કલકત્તામાં અને દાઈ - લિંગમાં જોયેલું યાદ આવે છે. જે વખતે સીતા વન પ્રતિ ચાલી નીકળે છે અને પાછળ રહેલ રામપાતાની મનેાવ્યથા એકલા વ્યક્ત કરતાં સીતા......સીતા...સીતા...એ ત્રણ શબ્દો મેલીને એને યાદ આપે છે, તે સમયે અજોડ નટ ભાદુરીનેા રામની ભૂમિકાના સર્વોચ્ચ અભિનય એના શબ્દોચ્ચારમાં, અભિનયમાં, મુખરેખામાં અને છેવટે નયામાં મૂર્તિમંત બનીને બેસી જાય છે. નાટયઘરમાં લેપચા, ભૂતિયા, નેપાળી, બંગાળી સુધરેલી, ભણેલી, વણભણેલી–સૌ એક મહાન વર્ષોંલાપની ભૂમિકામાં ઊભા હોય તેમ એ શબ્દ સાંભળી રડી પડતાં, આખી મેદનીમાં આંસુથી ખરડાયેલાં મે ષ્ટિગોચર થઈ રહેલાં. એવું છે એ આ લોકસાહિત્યનું, લેાકગીતાનું, એના દુહાનું, જો એને રજૂ કરનારા, આવા એકાદો કાગબાપુ કે મેધાણી હાય તો ! એનાં ફાટુ ફાટુ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ થતાં સ્પંદનો, એની રજૂઆતના કારણે પછી કઈથી દુલાભાઈના સાત્વિક ભોજનનો લાભ લઈ શક્યો રોકાતાં નથી. મજાકમાં બાપુએ ત્યાં કહેલું, “મુંબઈ નહીં એને મને વસવસો રહી ગયે.” બાપુ વચ્ચે અમદાવાદથી આવેલાં અમારા સહુની વાત તે અહીં બેલી ઊઠડ્યા : “ભાઈ ! તમે મને ય ન લેવા દીધો ! ભક્તકવિને આંગણે જના કાઠિયાવાડમાં થોડીક કાલે કાંસાની તાંસળીમાં દૂધ ઉપર ઘી નાંખીને પીવા જમીન ધરાવતાં ગામનાં અર્ધા કાઠી જેવા “ધરાર, આપેલું ત્યારે તમે એને દીવેલ ગણાવીને મને ય ધની”, “સૂદને ગાંગડે” ગાંધી થયેલાં જેવી જ પીતે બંધ કરી દીધો, એ ભૂલી ગયા?” ગણાય. તમારી ધરતીના આ લેક કવિને સાંભળવા મા ધરતીની ફોરમ ભરેલી કવિતાને ઉદ્દગાતા જ રાતોના ઉજાગરા કરતે આટલે માનવસમુદાય આજે અનંતતાને પથે સીધાવી જતાં લેકસાહિત્યની રહ્યો છે. અમને તો અહીં કોઈ નામથી ય ઓળખતું માળાના મણકા તૂટી ગયો કે પછી એમના અને નહીં હોય, પણ ધરતીના ભક્તકવિની જે ધજા મેઘાણીના જતાં એ લોકસાહિત્યની માળા જ તૂટી ફરકી રહી છે એને રૂડે પ્રતાપે જ અહીં સહુ પડી એ હૃદયને થડકારો થઈ આવે છે ! હવે તે ઉભરાઈ રહેલાં તમને સહુને જોઈને અમારા જેવા વીતી રહેલા સમયની પ્રતીક્ષા જ કરવાની રહી ને? બે દિવસ ભલે મજા માણીને ભ્રમણામાં પડ્યા શું એ સ્થાન ખાલી જ રહેશે? પાથર્યા રહે !” એમના પરમ મિત્ર મેઘાણી જ્યારે આ પૃથ્વી સહુ સારસ્વતોને ચાર ચાર દિવસ સુધી, ભાત- ઉપરથી ગામતરૂં કરી ગયા ત્યારે એમને માટે જે ભાતનાં ભેજને ખવરાવીને દુલાભાઈ એ ત્યાં ઉપ- મરશિયું લખેલું તે દુલાભાઈને માટે કયાં સર્વથા સ્થિત સાહિત્યકારોને સાવરકુંડલાને દેશી ઉનને સીત્તર યોગ્ય નથી ? રૂપિયાની કિંમતને ધાબળો ભેટ આપીને સન્માન ત્યાગી ગયે, તપસી ગયે, એ સંત સોરઠને ગયો! કરેલું ત્યારે તીન્દ્ર દવેએ એમની રમૂજી શૈલીમાં હસતો ગયે, તો ગયે, સંસારી ગયે, કહેલું “મજાદરમાં મજા ન પડે તે એ નામ જ સંન્યાસી ગયે! ખોટું ગણાય. મારા એકવડિયા શરીરના કારણે જિક કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ . . Page #86 -------------------------------------------------------------------------- ________________ હવે સાંજ પડવા આવી છે • શ્રી જયંતીલાલ જોબનપુત્રા સન ૧૯૫૩માં હું ભાવનગરમાં કલેકટર હતા ત્યારે કાગબાપુ મારે ઘેર અવારનવાર આવતા. મિત્રભાવે બગીચામાં એસી સત્સંગની વાતા થતી. એક વખત તેા મજાદર આવા, તેવા આગ્રહથી ફરતા ફરતા એક સાંજે ત્યાં જઈ પહોંચ્યા. તે વખતે દુકાળનાં રાહત કામે ચાલતાં હતાં. તેઓની બેઠક હતી ત્યાંથી તેમને ઘેર મને લઈ ગયા. અભ્રકની ગારવાળુ` સ્વચ્છ રહેઠાણ બતાવ્યું. વચ્ચે શેરીના મેાટા ખાડાઓની વાત કરી કે આ ખાડા કાઈ રાહતકાર્યમાં કરાવી શકાય? તેમ તેમની રીતે રમૂજ કરી. મારી સ થે જિલ્લા એન્જિ નિયર શ્રી શાંતિલાલભાઈ મહેતા હતા. તેમના સામુ મેં જોયું. તેઓએ કહ્યું કે લોકોને રાજી આપવી તે રાહતકાર્યના મુખ્ય ઉદ્દેશ છે તેથી આ કા તેમાં શમાવી શકાશે. ત્યારે દુલાભાઈ એ કહ્યું કે ચામાસામાં આવે ત્યારે એક ધરથી બીજા ઘરે ભેંસ ઉપર એસીને જવું પડે તેવા ખાડા છે. એક દિવસમાં એક જ ઘરનું અન્નજળ લેવા મારા નિયમ, પરંતુ દુલાભાઈ કહે કે ભલે નિયમના ભંગ માટે આપને એક ઉપવાસ કરવા પડે પણ આજે તે મારા આંબાની કેરીએ અને મારી ભેંસનાં દૂધ લેવાં જ પડશે. હું સંમત થયા તેનાથી તેમણે ખૂબ સંતોષ અનુભવ્યા. તે પ્રસંગની સુખદ સ્મૃતિ રહી ગઈ. જમીનમર્યાદાના ધારા અંગે કોઈ નાના જમીનદારની ખાસ વાત કરવાની હાય તો તે તરફ મારું ધ્યાન નિઃસ્વાર્થ રીતે દારતા રહેતા. ન્યાય અવશ્ય પાળવા પણ માનવ ષ્ટિને અમર ઝરા વહેતા રાખવા દુલા કાગ-૧૦ તેમ મને મિત્રભાવે ટકોર કરતા. સન ૧૯૫૪ માં હું જુનાગઢમાં કલેકટર હતા ત્યારે દુલાભાઈ તથા મેરૂભાભાઈએ મારી પાસે આવીને કહ્યું કે આજ કાંઈક માગવા આવ્યા છીએ, અને અમને નિરાશ નહિ કરો તેવા તમારામાં વિશ્વાસ છે તેમ કહી લેરીયા-મેાણિયાની ચારભાઈ એની જમીન લેવા જાય છે. ખેડૂતા કબજા છેોડતા નથી. રા'માંડલિકના વખતના નાગુઆઈના વંશની વિધવાઓને કકળાટ સાંભળી તેના વતી કાંઈક રસ્તો કાઢી આપવા કહેવા આવ્યા છીએ. તેઓનુ કાઈ નથી. વકીલ રાખી શકે તેમ નથી. એટલે આઈ એને આશીર્વાદ મળે તેવું કાંઈક કરી. કાયદાની મર્યાદામાં રહી રસ્તા કાઢી આપવાનું વચન લઈ તે તે ગયા. પરિણામથી અને દેવી પુત્રા બહુ ખુશી થયા. હું રાજકોટમાં ન હતા ત્યારે રાજકોટમાં રાષ્ટ્રપ્રમુખશ્રીનું પધારવુ થતાં શ્રી દુલાભાઈ તથા શ્રી મેરૂભાઈ તથા લીંબડીના કવિઓને ચારણી સાહિત્યનેા રસાસ્વાદ કરાવવા સૌરાષ્ટ્ર રાજ્ય તરફથી આમ ત્રણ અપાયું હતું, પરંતુ બહુ મહેમાને હાવાના કારણે, તેમના ઉતારા માટેની વ્યવસ્થા થઈ નહેાતી, તેથી તેઓ છ જણા એ ઘેાડાગાડી લઈ મારે ઘેર રાજકોટ પ્રહલાદ પ્લાટ શેરી નં. ૩૮ રામનિવાસમાં આવ્યા અને મારા નાના ભાઈ ડૉ. સુલોચનભાઈને કહ્યું કે આજે તે। અમે તમારા ત્રણ દિવસના મહેમાન થવા આવ્યા છીએ. મારા નાના ભાઈ તથા માતુશ્રીએ પ્રસન્નતાપૂર્વક આવકાર આપી ત્રણ એરડા ખાલી કરી આપ્યા અને તેઓની ઇચ્છા પ્રમાણે બાજરાના રોટલા, અડદની દાળ, ગાળ, ગાયની છાશ, ખીચડી કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ Page #87 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ ૭૪ અને શીરા, પૂરી ફરતું ફરતું જમાડયા. દેવી પુત્રો આનંદથી હાકા ગગડાવતા અને ઘરના સૌને રામાયણના દાહા સંભળાવી આનંદ કરાવતા. ત્યારે મારે ઘેર એ ગાયા તથા વાછરડાં જોઈ તેઓને બહુ આનંદ થયા. રાજકોટમાં મારી ગેરહાજરીમાં સ્વજન તરીકેના આતિથ્યથી તે બહુ પ્રસન્ન થયા. પછી જ્યારે મળીએ ત્યારે તે પ્રસંગને બહુ પ્રેમપૂર્વક યાદ કરતા. સન ૧૯૬૭માં પૂજ્યચરણ શ્રી રણછેાડદાસજી મહારાજનેા જન્મજયંતિ મહાત્સવ ગોંડલમાં ઉજવાયેા ત્યારે, શ્રી દુલાભાઈની ઈચ્છા પૂ. ગુરુદેવનાં દન કરવાની હતી. પરંતુ તેમના શબ્દોમાં લખું તે। ‘એટલી મેદની મળી હતી કે બે કલાક આંટા મારી પાછે। * કે ઉપર તલની મુઠીનેા ધા કરો તે પણ એક તલ નીચેા ના પડે એટલા માણસ. એમાં અંદર કેમ જવું! પાછા ફર્યાં ત્યાં શ્રી જયંતિભાઈ જોબનપુત્રા મળ્યા. હાથ ઝાલીને અંદર લઈ ગયા. હું પગે લાગી દશેક મિનિટ બેઠે, ત્યાં એક પાટ ઉપર બિરાજેલા પૂ. ગુરુદેવને નીરખી નીરખી જોયા, એક છંદ પણ મેલ્યા. એમને એટલા પ્રભાવ હતા કે ખેલવાની ઈચ્છા પણ ન થાય. નાનકડું શરીર, ત્રાંબા જેવા વાન, કપાળ, કામણના એ બળતા દીવા જેવી આંખાની કૃપા દૃષ્ટિના લાભ ત્યાં મળેલા. પૂજ્ય ગુરુદેવનાં દર્શીનથી તે બહુ પ્રભાવિત થતાં મેં તેમને બહાર આવીને પૂ. ગુરુદેવ સબંધી કાંઈક લખવા સૂચવ્યું. અને તેઓએ ગુરુમહિમા નામનુ પુસ્તક સને ૧૯૭૦માં પૂરું કર્યું' અને મને વાંચવા માકળ્યું. તે પુસ્તક લખવા માટે મેં આભાર પત્ર લખ્યો. તેના જવાબમાં ટૂંકામાં તેમણે જીથરી (અમરગઢ હોસ્પીટલ)માંથી તા. ૧૬-૬-’૭૧ના પત્રમાં લખ્યું કે “જે શારદાને ધન્ય બનવુ હતું તે તેણે ગુરુમુખમાં ડોકીયું કરી દીધુ' છે. જેમ એમની પ્રેરણા થઈ એમ મેં લખ્યુ છે અને તેની કિ ંમતને કયાસ આપ જેવા ભક્તજા જ કાઢી શકે.” ગુરુમહિમાનું પુસ્તક શ્રીસદ્ગુરુ સેવાસધ ટ્રૅસ્ટ તરફથી બહાર પડયુ તેની ૩૦૦૦ પ્રતો છપાઈ તેમાં તેમણે ‘‘ગુરુ ચાલીસા રચ્યા, ગુરુ રાત સઈ તથા છપય અષ્ટક પછી ગુરુનાનિધકયન ના ૨૦ છંદ અને કવિત-મનહર છંદ થી ૧૦૨ પાનાનુ` પુસ્તક પૂરૂં કર્યું. આ પુસ્તક છપાઈ રહ્યું ત્યારે ગુરુદેવની બીમારી-શ્વાસ, ખાંસી વધતાં રહ્યાં તેથી તેઓશ્રીને મુંબઈ-પુના–એંગલાર તરફ શિષ્ય સમુદાય લઈ જવાનું કરતાં અને અહીં સૌરાષ્ટ્રમાં, શ્રી દુલાભાઈ પણ અમરગઢ જી’થરી હેસ્પીટલમાં જીવલેણ બીમારી ભોગવી રહ્યા હતા એટલે આ પુસ્તકમાંથી થેાડા છંદો પૂ ગુરુદેવને સંભળાવવાની શ્રી દુલાભાઈની ભક્ત તરીકેની ઈચ્છા પૂરી થઈ શકી, તેમણે મને લખ્યુ કે ગુરુમહિમા તે આપ પૂરી શ્રદ્ધાથી વાંચી ગયા. “મારી સેવા આપને ગમી એટલે મારા મન તે આખા જગતને ગમી” કયાં અને કયારે મળશું એ કાંઈ નક્કી નથી. એ દિવસ સાથે રહેવાની ઇચ્છા છે.'' તે હેસ્પીટલમાં હતા ત્યારે એ વખત મારા સ્નેહી શ્રી હરજીવનભાઈ બારદાનવાલા સાથે અને એક વખત શ્રી શાંતિકુમારભાઈ રાજા જેએ તે વખતે ગુજરાત ઈલેકટ્રી સીટી Öના ચેરમેન હતા, તેમની સાથે મેટરમાં ગયા હતા. તબીયતમાં સુધારા થતાં, શ્રી દુલાભાઈ મજાદર ગયા ત્યારે તેઓને આંહી આનાશ્રમ બીલખામાં એક વખત આવવા વિનંતિ કરી પરંતુ પોતે તે આવી શકયા નહિ. પેાતાની વતી શ્રી મેરૂભાભાઈ ને મેાકલ્યા. તેઓએ સૌ ગુરુ બહેનોને શ્રવણ મદિરમાં ભક્તિ કાવ્યાના રસાસ્વાદથી તરએળ કર્યાં. સદ્ગત્ શ્રી દુલાભાઈ નો મારા ઉપરના છેલ્લા પત્ર માદરથી તા. ૨૦-૧૨-’૭૬નો છે તે અક્ષરશઃ આંહી આપું છું. SOW EW SIN QUE REKS snaked Page #88 -------------------------------------------------------------------------- ________________ સંભારણા ૭૫ . શ્રી જોબનપુત્રા સાહેબ, આપ કુશળ હશે. જીથરીથી હું ગુરુવાર તા. ૧૬-૧૨-'૭૬ના રોજ મજાદર આવી ગયો છું. તબીયત સાધારણ છે. આપના પત્રો જ્યારે જ્યારે મળે છે ત્યારે નવું નવું મળે છે. કુશળ કૃપા પત્ર હરવખત સંભારીને લખતા રહેશે! હવે તો સાંજ પડવા આવી છે, પંખી માળા ઉપર ઉડવા તૈયાર છે, કુશળતા ઈચ્છું છું. –શુ, કવિ કાગના વંદન આ રીતે અમારા ચાલીશેક વર્ષના સંબંધની સાંકળ નિઃસ્વાર્થ પ્રેમ-જાણે પૂર્વજન્મનાં સંબંધ હોય તેમ સાચવ્યા. માંદગી ઘણી ભેગવી અને શરીરનું પ્રારબ્ધ પૂરું થતાં રામ નામ રટણના સહારાથી પ્રસન્નતાપૂર્વક શરીર છોડયું. કાગવાણી નામના પાંચ પુસ્તકો તેમનો અક્ષરદેહ છે. જાણે વિયોગ સહન ન થઈ શક્યો તેમ કવિ શ્રી મેરૂભાભાઈ પણ થોડા દિવસોમાં જ પ્રભુધામમાં સાથે નિજાનંદ માણવા વિદાય થયા. તેઓનું જીવન ધન્ય બન્યું. જન્મ નહિ પણ કર્મ (નંદરાણી ! તારાં આંગણાં-એ રાગ ) સાચા કરમકે દાવો રે, કુળને નાતે કયાં રહ્યો રે છે? જનમે શૂદ્ર હત...ભીલ ઘેર જો રે... રામાયણ લખી ઋષિ વાલમકે રે. કુળનો-૧ જેનાં માતા ખારવણ...વ્યાસ મુનિ મોટા... અઢાર પુરાણે એણે આળેખ્યાં રે. કુળન-૨ એક જ માતા જાયાદેવ અને દાનવો... કાયમ જુદા છે બેઉના કેડા રે. કુળનો-૩ કાગ' કુંભકરણ ને રાવણ, વિભીષણ રે.. એક રે જનેતાના ત્રણ જાયા રે, કુળને-૪ (કુંડલાથી ડુંગર આવતા ટ્રેનમાં તા. ૧૭-૧૨-૫૪) –દુલા કાગ શ - વિદ્યા દુલા કાગ સ્મૃતિ-કચ્છ Page #89 -------------------------------------------------------------------------- ________________ બાપુને વંદના • કલ્યાણજીભાઈ નરોત્તમદાસ મહેતા કયાક વાંચ્યું છે, કે :–“સારા માણસેના મનમાં સ્થાન પામવું તે પણ જીવનનું એક સદ્ભાગ્ય છે.” છેલ્લાં ૩૦-૩૫ વર્ષથી પૂજ્ય ભગત બાપુના નિકટતમ સહવાસ અને સહચારમાં રહેવાનું બન્યું છે. તેને હું મારા જીવનનું પરમ સૌભાગ્ય લેખું છું. આટલાં બધાં વર્ષોના ગાળામાં બાપુ બહારગામ હોય, તે સિવાયના દિવસોમાં મજાદર કે ડુંગર ખાતે અમારે અચૂક મળવા-હળવાનું હોય. આટલા લાંબા સહજીવનમાં બાપુ ડે અનેક રીતે તાણાવાણાની માફક ગૂંથાઈ જવાનું બન્યું છે. વેપાર-ધંધાની લેણ-દેણ હોય, કઈ મહેમાનની પરણાગત કરવાની હોય, કોઈ સાર્વજનિક પ્રસંગ ઉકેલવાન હોય, કોઈ ફંડફાળ ભેગો કરવાનો હોય, કઈ જાહેર હિતને પ્રસંગ પતાવવાનો હોય, મારા સુખદુ:ખના પ્રસંગે સધિયારો લેવાનો હોય, સંસાર વહેવારની જંજાળોથી પર થઈ પરમતત્વને પિછાનવા માટે સસંગ-ચિંતન કરવાનાં હોય, દીન-દુ:ખીનું દર્દ મટાડવા કોઈ નાની-મોટી મદદ કરવાની હોય જીવનના આવા તેવા પ્રસંગે બાપુની સાથે જ રહેવાનું હંમેશાં બન્યું છે. કોઈ પણ વખતે નથી બાપુએ કદી વેરો-આંતર રાખ્યો કે નથી મને બાપુ પાસે જતાં ક્યારેય શરમ સંકેચ નડ્યો. પૂર્વજન્મની કોઈ અણજાણ પ્રીતના પ્રેમતંતુઓ અતૂટપણે બાપુ જોડે બંધાવાનું થયું છે. આ દીર્ધકાળના સંબંધમાંથી શું લખવું અને શું છોડવું, તે મારા માટે એક કોયડો છે. વળી હું સાહિત્યકાર નથી કે જેથી થેડા અગત્યના પ્રસંગેને ચૂંટીને સાહિત્યિક ભાષામાં રજૂ કરું. છતાં બાપુ તરફને મારો ઊંડે આદરભાવ મને જે કાંઈ સુઝાડે છે, તે અહીં ભાંગીતૂટી ભાષામાં લખાવું છું. | સર્વ પ્રથમ મારે એ સ્પષ્ટ કરવું ઘટે કે બાપુ જોડેને મારો પ્રેમસંબંધ સખાભાવને નહિ પણ ભક્તિભાવને હતે. બાપુએ તે બીજા બધાની જેમ મારા પ્રત્યે પણ સખ્યની સમાન ભૂમિકાથી વર્તાવ કરેલ. પણ મેં તે સદાયે ભક્તિભાવથી વંઘા છે. સખાભાવમાં આવ્યા પછી કંઈક મેળવવાની થેડી ઘણી પણ અપેક્ષા હોય છે, જ્યારે ભક્તિમાં બને તેટલું સમર્પણ કરવાનું હોય છે. વળતાં કશું પામવાની સ્પૃહા હોય નહિ. બાપુને મેં આવા કંઈક ભક્તિભાવથી અર્ચવા પ્રયત્ન કર્યો છે. વર્ષો પહેલાં એક પ્રસંગ છે. બાપુને આત્મદર્શનની નજીક પહોંચેલ સિદ્ધપુરુષ રૂપે હું માનતો આવ્યો છું. એક વખતે મેં તેમને વિનંતી કરી કે, આપને લાધેલા આત્મજ્ઞાનમાંથી એકાદ કણ મને પણ આપે તે જન્મમરણના આ ચકરાવામાંથી છૂટવાનું ભાતું મને પણ મળે. બાપુએ વિનમ્રભાવે કહેલું, “ભાઈ, હું પોતે જ માયાનાં બંધનથી જકડાયેલ છું. ત્યાં તમને કેમ છોડાવું ? પણ આપણે એ બંધનમાંથી છૂટવાનાં આવલાં સાથે જરૂર મારશું.” અને પૂજ્ય બાપુનો કપાપ્રસાદ મને તેમના જીવનના અંત લગી કાયમ મળી રહ્યો છે. ૧૯૫૪ની સાલમાં મારે ત્યાં ભાગવત સપ્તાહ બેસાડેલી. સ્વાભાવિક રીતે જ દરરોજ રાત્રે બાપુનો કપિશ્રી દુલા કાગ ઋદિ-૩થDDDDDDDD) Page #90 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં ૭૭ લોકસાહિત્યને કાર્યક્રમ રહેતો. હજારો રૂપિયા દેતાં ગયાં. બપોરની એક-બે કલાકની વિશ્રાંતિ બાદ કરતાં પણ જે ભાગ્યે જ અર્ધો કલાકથી વધુ ન બોલે, તેવા છ- સાત કલાક સુધી પ્રસંગ એવી સજીવતાથી તેમણે બાપુ ડુંગર જેવા નાનકડા ગામમાં મારા જેવા નાના વર્ણવ્યો કે જાણે કૃષ્ણવિષ્ટિ તાદશ્ય થઈ રહી હોય, માણસને ઘેર સાત-સાત દિવસ જ બોલેલા. શબરીને તેવો મને અનુભવ થયો. ત્યાં રામ આવ્યા તે ધન્યપ્રસંગ મારે માટે હતે. કોઈ સાથી-સંગાથી હોય કે મહેમાન હોય, એવામાં ત્રીજી-ચોથે દિવસે લીંબડીનરેશને બાપુ ઘણીવાર તો હું એકલે પણ જાઉં. જઈને એકાદ પર તાર આવ્યો. “વિલાયત જાઉં છું, તુરત મારે સાધારણ પ્રશ્ન છેવું. અને બાપુના અંતરની સરવાણી ત્યાં બે-ત્રણ દિવસ રહી જાઓ.” તાર વાંચતાં જ વહેવા માંડે. મને ક્ષણભર થયું કે મારાં આદર્યા અધૂરાં રહી 1 કલાક બે કલાક સહેજે નીકળી જાય. હકડેઠઠ જશે. ક્યાં લીંબડીનરેશનું તેડું અને ક્યાં હું નાનો મેદની જોઈને જ બાપુ ખીલતા'તા તેવું ન હતું. માણસ ! ધ્રુજતે હૈયે મેં તાર બાપુના હાથમાં મૂક્યો. સાચી જિજ્ઞાસા કે રસજ્ઞતા બાપુને બોલતા કરવા વાંચીને કશી ગડમથલ વગર મને કહી દીધું કે, માટે પૂરતી હતી. બેપાંચ માણસના ઘર-ડાયરામાં “તારથી જવાબ આપી દ્યો કે, ડુંગરની પારાયણ પણ બાપુ એટલી જ તન્મયતાથી કહેતા. પૂરી કર્યા બાદ મારાથી આવી શકાશે.” આવી હતી રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ, પંડિત જવાહરલાલ બાપુને મન સંબંધની કિંમત. જેવાથી માંડીને અનેક પ્રધાને, રાજા-મહારાજાઓ જાહેર કાર્યક્રમોમાં ભાગ્યે જ બાપુ અર્ધા–પણા અને નેતા-શાસનકર્તા જોડે બાપુના વિશાળ અને કલાકથી વધુ બોલતા. એને કારણે યજકોમાં ક્યાંક ગાઢ સંબંધે. બિરલા કે ઠાકરશીથી માંડીને અનેક ક્યાંક છાને કચવાટ પણ થતું હશે. પણ મારો શ્રીમંતે બાપુનાં વેણ પર હજાર રૂપિયા ઓળઘોળ અનુભવ જુદો જ છે. જિજ્ઞાસુ કે અધિકારી શ્રેતા કરવા તૈયાર. આટઆટલા માનમોભા વચ્ચે પણ પાસે બાપુ કલાકો સુધી ખીલતા. અદના આદમી જોડેનું બાપુનું અનુસંધાન કદી તૂટયું - ૧૯૫૧માં સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી સ્વ. શ્રી ઢેબર- નથી. ગવર્નરથી માંડીને ગાડીવાન, રાજાથી માંડીને ભાઈ, પૂજ્ય ભક્તિબા, શ્રી. ગિધુભાઈ કોટક વગેરે રખોપિયા અને પ્રધાનથી માંડીને પટાવાળા સુધીના મહાનુભાવો જન્માષ્ટમીને દિવસે મજાદર આવેલાં. તમામ સ્તરના માણસોનાં સુખદુઃખમાં બાપુને જીવંત બાપુએ રામાયણની એક ચોપાઈ ઉપાડી. અને તેમની રસ. જેટલા રસથી બાપુ કોઈ શેઠિયાને તેની તબિયત અખલિત વાણીના વશીકરણમાં સૌ મંત્રમુગ્ધ બની કે કુટુંબના ખબરઅંતર પૂછે, તેટલી જ મમતાથી ગયાં. બેત્રણ કલાક ગયા પણ સમયેભાન વક્તા કે વિસળિયાના કેળીને પણ તેનાં સુખદુઃખ પૂછે. શ્રેતા કેઈને ન રહ્યું. છેવટે મહેમાનોને જમાડવા માટે એક વખત એક પટાવાળાની બદલી કંઈક મારે બાપુને યાદી આપવી પડેલી. કિન્નાખોરીથી ડુંગરથી દૂરના ગામે થયેલી. ગરીબ ચૈત્ર માસમાં બાપુ નવરાત્ર રહે. પૂજાવિધિ નોકરીયાતની બદલી બંધ રાખવા, જિલ્લા કલેકટર અને રામાયણને પાઠ કરાવે. એકવાર હું ત્યાં ગયેલ. વગેરેને મેં ઘણી વિનંતી કરેલી. બાપુએ પણ ભલામણ વાતમાંથી વાત થતાં કૃણ વિષ્ટિનો મહાભારતનો કરી હતી. છતાં ગરીબનું નશીબ ગરીબ ન મટયું. પ્રસંગ છેડા. અને બાપુના હૈયાનાં કમાડ ઉઘડી પટાવાળે રોજ ધક્કા ખાય. છેવટે બાપુએ પેલા L થી ઘણી દુલા કાગ રમૃતિ-iટી IKI/ કઅપ Page #91 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ અધિકારીને કાગળ લખ્યો : “એક નાનકડું કામ પણ આપણાથી ન બન્યું. જરૂર તેમાં મુશ્કેલી હશે. આપને આપવી પડેલી તકલીફ માટે માફ કરશે.” અને એક બીજો કાગળ લખ્યો એક પ્રધાનને કે, “આ ગરીબ પટાવાળાને કંઈક દાદ મળે તે સારૂં.” અને થોડા જ દિવસમાં સ્ટે–ઍર્ડર આવી ગયો. નાના માણસનું કામ પણ બાપુને નજીવું નહોતું લાગતું. લેકેનાં સુખદુઃખ સાથેની આવી સમરસતાએ જ તેમને સાચા લેકકવિ બનાવેલા. - ભક્તો અને કવિઓ વિષે એવું કહેવાય છે, કે તેઓ હંમેશાં તેમની મનની દુનિયામાં જ મસ્ત હોય છે. સંસાર વહેવારમાં ભાગ્યે જ તેઓ સફળ હોય છે. બાપુ આમાં અપવાદ ગણાય. હીરા-માણેક, ઝવેરાત હય, ભરત, ગૂંથણ કે સીવણ-ઘડામણ હોય, ખેતી, પશુપાલન કે દરિયાઈ સફર હોય. રઈ-રાંધણ કે યજ્ઞયાગ હોય, લગ્ન-મરણ કે કથા-પારાયણ હોય, આ બધી બાબતો અને વસ્તુઓની ગુણવત્તા અને વિધિ-નિષેધાની બાપુને ઊંડી પરખઅને સૂઝ-સમજ. આવી વ્યવહાર કુશળતાના જોરે જ બાપુ પિતાનું વારસામાં મળેલ દેવું ફેડી, પુત્રને બે પાંદડે કરતા ગયા. અને સરસ્વતીને શ્રીની સાથે હંમેશાં રૂસણાં જ હતાં નથી, તેવું સાબિત કરતા ગયા. ૧૯૬૨માં રાજ્ય સરકારે મને ઍનરરી મેજીસ્ટ્રેટ નીમી મારી યોગ્યતા કરતાં વધુ માન આપ્યું. મિત્રોએ પણ આ પ્રસંગે મારો સન્માન સમારંભ યે . આવા પ્રસંગોથી દૂર ભાગું. પણ બાપુની આજ્ઞાને તાબે થયા વગર છૂટકે ન હતો. તે વખતે ભારતચીન વિગ્રહ ચાલતું હતું. એટલે આ પ્રસંગે ડુંગર વિસ્તારમાંથી ફંડ એકઠું કરી, રાષ્ટ્રીય સંરક્ષણ નિધિમાં આપવાનું વિચારાયું. બાપુએ સગા દીકરાને પરણાવવાનો હોય તેટલી ઉલટ અને ઉમંગથી પંદર-વીશ દિવસ સુધી ગામડે ગામડે રખડી સન્માન -થેલી ભેગી કરી. બાપુની વિનંતીથી પૂ. રવિશંકર મહારાજ જેવી પવિત્ર વિભૂતિએ પ્રમુખસ્થાને બિરાજી મને આશીર્વાદ આપ્યા. તે વખતના પ્રધાન સમારંભમાં હાજર રહ્યા. ઉપરાંત અનેક કાર્યકરો, આગેવાનો અને અમલદારોએ આવી, મને ઓશિંગણ કર્યો. મારા જેવા સામાન્ય માણસને પાત્રતા કરતાં પણ અધિક માન બાપુની મારા પર કૃપા અને શ્રી કનુભાઈ લહેરી જેવાં મિત્રોની મહેનતને લીધે સાંપડયું, જે મારા જીવનનું ધન્ય સંભારણું છે. ૧૯૬૭ની ચૂંટણીમાં શ્રી જસવંત મહેતા ધારાસભા અને લેકસભા બંનેમાં ચૂંટાયા. અમારી ઈચ્છા શ્રી જસુભાઈ રાજ્ય સરકારમાં જોડાઈ રાજુલા વિભાગમાં સેવા આપે તેવી હતી. બાપુ ત્યારે સાલેલી ખાતે બિમાર હતા. હું બાપુ પાસે ગ. બાપુ ગરમ પાણીની કથળીથી છાતી શેકતા હતા. મેં વાત કરી કે, “બાપુ! તમે દરમિયાનગીરી કરી, મોરારજીભાઈને કહો તે જ આ બને.” મુસાફરીને હડદે ન ખમે તેવી નરમ તબિયત છતાં પાંચ-દસ મિનિટમાં જ બાપુ સાબદા થઈ. મારી જોડે નીકળી ગયા. અમદાવાદ પહોંચ્યા. શ્રી હિતેન્દ્રભાઈના બંગલે શ્રી મોરારજીભાઈ ઉતરેલા. મંત્રીમંડળ રચાવાનું હતું. વિજેતા અને પરાજિત ધારાસભ્ય, આગેવાને, મિલમાલિકો વગેયેની કતાર શ્રી મોરારજીભાઈને મળવા માટે લાગી હતી. સંદેશે એક, “કવિ કાગ મળવા માગે છે.” થેડી જ મિનિટમાં અંદરથી તેડું આવ્યું. બાપુ ગયા. શ્રી જસુભાઈને ધારાસભામાં રાખી, મંત્રીમંડળમાં લેવા રજૂઆત કરી. મને પણ અંદર બોલાવ્યા. બહાર મુલાકાતીઓની લાંબી લાઈન વાટ જોતી હતી. છતાં અમે અર્થે કલાક અંદર બેઠા અને શ્રી જસુભાઈ નાણાંમંત્રી તરીકે લેવાયા પણ ખરા. આવો હતો બાપુને પ્રભાવ. દરેક મુમુક્ષને સંભળાય છે, તે અંતરનાદ છે !!" > જ કવિબ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ . Page #92 -------------------------------------------------------------------------- ________________ સંભારણા આજથી બારેક વર્ષ પર બાપુને પણ સંભળાયો અને તેમણે ઘરવહેવાર ને જાહેર જીવન છોડી, ચિત્રકૂટ જઈ રામાયણ લેકકવિતામાં ઉતારવાનો સંકલ્પ જાહેર કર્યો. બાપુની નાજુક તબિયત સંન્યસ્ત જીવનની હાડમારી વેઠી શકે તેવી ન હતી. અને બાપુ ઘર આંગણે જ રહીને જનસમાજને સેવા આપતા ચાલુ રહે તેવો લોભ પણ ખરો. તેમને ચિત્રકૂટ જતાં રોકવા હું, મારાં પત્ની, પુત્રી, ભાઈ, રામભાઈ વગેરે સાલેલી ગયાં. ગળગળા થઈને અમે તેમને ન જવા વિનવ્યા. આંસુભીની આંખે તેમણે અમારી વિનંતી સ્વીકારી. બાપુ અમારી વચ્ચે તે પછી દસ-બાર વર્ષ રહ્યાને અમને આનંદ હતો. પણ ખબર નથી કે અમે તેમને અહીં ક્યા તેનાથી જનસમાજનું વધુ હિત થયું, કે ચિત્રકૂટ જવા દઈ કાગ રામાયણ લખવા દીધી હતી તે સમાજનું વધુ શ્રેય થાત ? ૧૯૪૭માં ઝવેરચંદ મેઘાણીનું અવસાન થયું. હું બાપુને મળ્યો. મેઘાણીભાઈના અવસાન અંગે ખેદ વ્યક્ત કર્યો. બાપુએ જવાબ આપ્યો, “મેઘાણી જેવો માનવી બે-ચાર દાયકે તો શું પણ એકાદ સંકે એક પાકે છે.” મેઘાણીભાઈ વિષેનું બાપુનું વિધાન બાપુને પિતાના માટે પણ એટલું જ સાચું છે, કે આવો ભક્ત કવિ એક-બે સૈકે એકાદ જ પાકે. આવા લોકોત્તર પુરુષને આપણી અંતરની વંદના હો....... સમયના દાસ (ગઝલ- ભેરવી) સૂર્યના એ ગુલામોને, સિદ્ધાંતે કઈ ના ખપતા; સમય પામી, વધી, ઘટતા, સમયના દાસ પડછાયાટેક બહુ લાંબા બને તેની, પછી હસ્તિ નથી રહેતી; પ્રભાતે સાદ ના સુણતા, બપોરે પાવમાં પડતા. ૧ મળે જ્યાં છાંયડી કોની, સૂર્યને સંગ ત્યાગે છે; પછી જ્યારે મળે તડકે, હુકમને દાસ લાગે છે. ૨ પડે સાગરતણા જળમાં, પડે જ્વાળાતણ ઘરમાં; સૂર્યના હુકમને ત્યાગે, કૂવામાં ના કદી પડતા. ૩ મળે પટ્ટો અંધારાને, છડી ત્યાં સૂર્યની ત્યાગે; મળે જ્યાં લૂણ પાણીમાં, જો ત્યાં એ તિમિર લાગે. ૪ નહિ સ્થિરતા કદી મનની, ન મમતા “કાગપષકની; સૂર્યને જોઈ આથમતાં, દીપકના દાસ પડછાયા, ૫ -દુલા કાગ ઈમ કહિશ્રી દુલા કાકા સ્કૃદિા-થ કો. Page #93 -------------------------------------------------------------------------- ________________ સબ કે પ્રિય સબ કે હિતકારી • શ્રી નાનુરામ દુધરેજિયા કવિ શ્રી દુલાભાઈ કાગને સાંભળવાનું' પહેલ વહેલું સદ્ભાગ્ય કયારે મળ્યું, તે બહુ ચોક્કસપણે યાદ આવતું નથી. પરંતુ માટેભાગે ‘નમઁદ શતાબ્દી' વખતે રાજકોટ કે ભાવનગર એમાંના એક સ્થળે તે પ્રાપ્ત થયેલું. મેરૂભાભાઈ પણ સાથે હતા. “વિત્ત વાવરવાનું રણ ચઢવાનું નામરદાનું કામ નથી,” એ છંદ મેરૂભાભાઈ ખેલેલા. દુલાભાઈ એ શુ ગાયેલુ તે સ્મરણમાં નથી. સ્મરણ એટલું છે કે, અગાઉ કદીયે નહિ સાંભળેલું તેવું–સાગર શું ગભીર, બુલંદ અને છતાં સુમધુર એવુ ગળુ માણવા મળેલુ’. એ પછી સાંભલ્યા સુરત જિલ્લામાં મઢી પાસે મળેલી હરિપુરા કૉંગ્રેસના અધિવેશનમાં. અને ઘેાડા દિવસ પછી સ્વ॰ પટ્ટણીજીની ભાવનગરની શાકસભામાં “રાશા મા માવડી તે રાશે! મા એનડી, શેશ મા બડા તે રાશા મા એટડા; દાઢીવાળાને મેં જીવતા દીઠા.', એ કાવ્યની શબ્દગૂથણી અને તેની રજૂઆતે આંખ સામે જાણે કે એ સફેદ દાઢી ફરફરતી હોય તેવુ અનુભવેલું. બનતાં સુધી એ પછી સાંભળ્યા બ. ક. ઠા.ની ભાવનગરે ઉજવેલ એક જન્મજયંતી પ્રસંગે. જે વખતે બ. ક. ઠા. એ ભાવનગર અને તેની આસપાસ ખેલાતી ભાષાને ગુજરાતી ભાષાનું શુદ્ધ સ્વરૂપ કહેલ. એ વખતે કંઠ અને કહેણીના જાદુ ઉપરાંત દુલાભાઈની નમ્રતાના–નિરાભિમાનતાનાં દન પણ થયેલાં. અને મનનાં એક ખેંચાણ, એક આકાંક્ષા જન્મેલી કે એમના અંગત પરિચયમાં અવાય તે કેવું સારું? સૌરાષ્ટ્રના એકમની રચના પછી રાજકોટ રહેવાનુ થયું. એ વખતે પ્રિન્સિપાલ ડૉ. રમણલાલ યાજ્ઞિકને ઘેર અચાનક સાંભળવાની તક મળી. દુલાભાઈની તબિયત નાદુરસ્ત હતી, છતાં નાનકડા--મર્યાદિત ડાયરા સમક્ષ એમણે જે ગાયું તેણે સાંભળનારની તબિયતને તે ખુશખુશાલ કરી દીધેલી. દુલાભાઈનુ અને મારું પ્રથમ મિલન રાજકોટના સીટી ગેસ્ટ હાઉસમાં થયેલું. મારુ કુટુંબ વડિયા રહેતું હતું. મારે રાજકોટ રહેવાનું હતું. વિડયાની એક વર્ષની નોકરી દરમ્યાન બગસરાના ડો. મગન લાલભાઈ ગોંડલિયા સાથેના સબંધમાં ઘણો વધારો અને આત્મીયતા જન્મેલાં. એમને પત્ર આવ્યો કે, પૂજ્ય ભગતબાપુ રાજકાટ આવે છે, હું પણ સાથે હ્યુ. સીટી ગેસ્ટ હાઉસમાં ઊતરીશું, તમે મળજો. હું મળ્યા, વાતેાચિતા થઈ, સાથે રેાટલા ખાધા. ભગતબાપુ સાથે અંગત સંબંધમાં આવવાનુ સદ્ભાગ્ય ત્યારથી સાંપડયું. તે સબંધ પછી તે એકધારા ૨૩ વર્ષ સુધી વણથંભ્યા વૃદ્ધિ પામતા જ રહ્યો. પછી તે! ઘણીય વખત મારે મજાદર જવાનું થતુ રહ્યું. રાજકોટના મારા એકલ નિવાસની ભાળ પણ બાપુ કાઢી ગયા. '૫૬માં હું ભાવનગર આવ્યા. પોતે ભાવનગર પધારે ત્યારે તંદુરસ્તી સારી હતી ત્યાં સુધી એકાદ વખત મારે ઘેર આવવાનું ચૂકતા નહિ. એમના એવા આગમન વખતે મને ‘માનસ'ની એ ચોપાઈનું બરાબર સ્મરણ થતું': કવિશ્રી દુલાકાગ મૃત્તિ-ગ્રંથ Page #94 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં ૮૧ બડે સનેહ લધુહ પર કરહી, ગિરિ નિજ સિરનિ સદા તૂન ધરહીં; જલધિ અગાધ મૌલિ બહ ફેનૂ , સંતત ધરનિ ધરત સિર રેનૂ . -એમને ઉતારે તો તેઓ રોકાય એટલા દિવસ મારે અચૂક જવાનું. મારે ત્યાંના સામાજિક પ્રસંગોએ બાપુ પધારતા રહ્યા. મુંબઈ સુધીની સફર સાથે કરી, ડાયરાઓ માણ્યા. આકાશવાણીના રેકોડીંગ પ્રસંગે પણ ક્યારેક ક્યારેક સાથે રહેવાનું બન્યું. એમનો નિર્ભુજ પ્રેમ વધતે જ ગયો અને એમના ગ્રંથ કાગવાણી ભાગ-૪ અને ૭ની પ્રસ્તાવના લખવાનું સદ્ભાગ્ય પણ એમણે મને પ્રાપ્ત કરાવ્યું. તબિયત લથડી ત્યારે અમરગઢ ટી. બી. હોસ્પીટલમાં રૂમ વગેરેની વ્યવસ્થા કરવા અને પસંદગી કરવા પણ હું ગયેલ. બાપુને પ્રથમવાર ત્યાં દાખલ કરવા પણ હું જ ગયેલ. અમારો સંબંધ સમયના વહેવા સાથે ઘરોબા જેવો બની રહેલ. તબિયત લથડ્યા પછી પણ બાપુ કથારેક કક્યારેક ભાવનગર પધારતા. એ વખતે પણ એકાદ વખત મોટરમાં બેસીને ઘેર આવે. મોટરમાંથી ઊતરે નહિ, પણ ઘરનાં સૌને મોટર પાસે બોલાવીને મળે, વાતે કરે, ખબર અંતર પૂછે. હું કહું : “બાપુ, મનુબહેન અને હું અવારનવાર આપને મળી જઈએ છીએ, પછી આવી તકલીફ શા માટે ઉઠાવો છો ?” ત્યારે કંઈક રૂઆબથી કહે: “કેમ તમારી જ આવવાની ફરજ, ને મારી નહિ ?” આ સમયગાળામાં અનેક સ્મરણો થોડાં અહીં ટાંકું છું. અંધશ્રદ્ધા નહિ “જન્મભૂમિ ” પત્રોની રજતજયંતી ઉજવવાની હતી. મારો અને બાપુને સંબંધ લક્ષમાં લઈ ઉપરના પ્રસંગે બાપુ મુંબઈ પધારે તેવું ગોઠવી આપવાનું મને સૂચવાયું. બાપાલાલભાઈએ બાપુને પત્ર તે લખેલ. પંડિત જવાહરલાલજીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ હતો, આથી બાપુ આવે તે સારું એવો આગ્રહ હતો. આ એ દિવસો હતા જ્યારે ઝિંઝાવાળી માતાજીની બોલબાલા હતી. ટ્રેઈનના ફર્સ્ટ કલાસના ડબ્બામાં પણ ઊભા રહેવાની જગ્યા ન મળે એવી ગીરદી ! આસપાસના થકેથેક લે કે એ નાનકડા ગામે ઠલવાતા હતા. એ હાલાકી વચ્ચે હું મજાદર પહોંચ્યો. બાપુ , સાંજ ઢળે ખેતરેથી આવ્યા. મને જોઈ રાજી થયા. ઓચિંતા આગમને નવાઈ પણ પામ્યા. પૂછી નાખ્યું : “ઝિંઝકા આવ્યા'તા ?” મેં ના કહી. “આપની પાસે જ ખાસ આવ્યો છું.” મારા આગમનનું પ્રયોજન મેં જણાવ્યું. થોડી જાણકારી પૂછીને એમણે હા કહી. રાતે વાળુપાણી કર્યા પછી ડાયરો એકઠો થયે. બાપુએ પૂછયું : “અલ્યા આજે ઝિંઝકા કણ કણ જઈ આવ્યું ?” એ વખતે મને ખબર પડી કે ઝિંઝકા મજાદરથી સાવ નજીક બે-ત્રણ ગાઉને પલ્લે જ હતું. બે ચાર જણાએ કહ્યું, “બાપુ અમે ગયા હતા.” “શું જોયું ?” બાપુએ પૂછ્યું. તે એક મોટી ઉમ્મરના આપાએ કહ્યું, “મેડી ઉપર બારીમાં આવીને ઊભાં રહેલાં. હલકું વરણ થોડું છે કે હાકલા પડકારા કરે ને ધૂણે ? ગરાસિયાનું ખોળિયું છે. આમ (એમ કહીને એ ઊભા થયા ) થોડો ડે હાથ અને પંડ ધરજે ને સૌને આશીર્વાદ આપે.” “માણસ કેટલું હતું ?” બાપુએ પ્રશ્ન કર્યો. “લાખ માણસ તો! હાલવાની કપાણ પડે એટલું.” જે જે લેકે એ ત્યાં ગયાનું કહેલ તે સૌને બાપુએ ઝિંઝા અંગે વાત કરાવી. w ! HિUL GIRL મા In દુલા કાગ-૧૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ - ગ્રંથ આઠ-દસ દિવસ પછી આ ઝિંઝકા ગામે મોટી હોનારત સર્જાઈ સાંકડી જગ્યામાં વધુ લેકે એકત્ર થઈ જતાં કેટલાક ચગદાઈ મુઆ. આ પ્રસંગ એ માટે ટાંકું છું કે, ઝિકા મજાદરથી નજીક હોવા છતાં, રોજ ગામના અને આસપાસનાં ગામોના લોકો મોટી સંખ્યામાં ત્યાં જતા હતા છતાં, બાપુ વાહનની છતી સગવડે પણ ઝિંઝકા ગયા ન હતા. કેઈપણ પ્રકારની અંધશ્રદ્ધા કે વહેમ તરફ એમનું મન ક્યારેય વળતું જોવા મળ્યું નથી. બીજી બાજુ, એક વખત પૂજ્ય રવિશંકર દાદાને એમણે ભાવનગર બોલાવેલા. લક્ષ્મીનાથભાઈના ડેલા પાસે મોટર આવી કે બાપુ ઉતાવળે પગે ડેલાની બહાર આવીને દાદા જેવા મોટરમાંથી ઊતર્યા કે સામે બેસી એમનાં ચરણ ઝાલી લીધાં. ઘણાને–ભલભલા ભૂપને અહીં મળવા આવતા જોયાને સાક્ષી છું. કેઈને લેવા કે મૂકવા બાપુ ડેલા સુધી ગયાનું જોયું નથી. મહારાજને લેવા અણવાણે પગે ડેલા સુધી ગયેલા. સૌજન્ય ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી બદ્રી-કેદારની યાત્રાએ જવાના હતા. ઘણા સ્વજનસ્નેહીઓને સાથે લીધેલા. બાપુને પણ આગ્રહ કરેલ; પરંતુ બાપુ ગયેલા નહિ. એક વખત વાત નીકળતાં મેં પૂછયું : “બાપુ ! મહારાજા સાહેબના આટલા આગ્રહ છતાં આપ કેમ ન ગયા ?” તેઓ કહે: “મને જવાનું મન તો થયેલ. અમસ્તાં બદ્રી–કેદાર ક્યારે નીકળાય ? પણ મનમાં થયું: હું સાથે હેઉં'. ટ્રેઈનના ડબામાં હોઈએ કે પગે ચાલતા જતા હોઈએ, લેકે મને ભાળીને કહેશે કે પેલે દુલા કાગ રહ્યો ! મહારાજા સાહેબ તો ઉદાર અને સાગરમના છે. પણ એમના મહત્ત્વ કરતાં મારું મહત્ત્વ વધતું દેખાય એવા પ્રસંગોથી મારે દૂર રહેવું જોઈએ આથી ઈચછા છતાં ન ગયે.” બુદ્ધિચાતુર્ય મહારાજા સાહેબ એક કિંમતી ગધેડું લાવેલા. સૌને એની સવારી કરાવે. મારે કાને આ વાત આવી. બાપુએ વાતમાંથી વાત નીકળતાં કહ્યું : “એમાં મહારાજા સાહેબનો મુકામ ગોપનાથ બંગલે થયે, મને મળવા બોલાવ્યો. હું ગયો પણ મારા મનમાં પેલી ગધેડાસવારીની વાત ખરી ! બંગલે પહોંચ્યો. રામરામ શ્યામ શ્યામ કર્યા પછી ચાપાણી પી લટાર મારવા બહાર નીકળ્યા કે મહારાજા સાહેબે પેલું ગધેડું મંગાવ્યું. એનાં વખાણ કર્યા અને મને બેસી જવા કહ્યું. મેં નમ્રતાથી ના કહી. તે કહે, “અરે બધા બેઠા છે, તમને શું વાંધો છે ?' મને બહુ આગ્રહ કર્યો ત્યારે મેં કહ્યું : “હું એટલા માટે નથી બેસતો કે લોકોને ખબર પડે કે મહારાજા બાપુએ દુલા કાગને ગધેડા પર બેસાડવો, તો તે આપને માટે કેવું લાગે ?” એ પછી દુલાભાઈએ ઉમેર્યું કે, “ત્યાર પછી મહારાજા સાહેબે કોઈને એ ગધેડા પર સવારી કરવાનું કહેલું નહિ. ગધેડું પણ કઈકને આપી દીધેલ.” સ્વતંત્ર માનવ એક વખત વાળું પાણી કરીને મજાદરના એમના અતિથિગૃહના વિશાળ ફળિયામાં ખાટલે બેઠા બેઠા વાતો કરતા હતા. ચૂંટણીઓના દિવસો હતા. જીવરાજભાઈ કે બળવંતભાઈની વાત હવામાં હતી. બાપુ કહે, “શું લાગે છે ? કોણ આવશે ?” મેં મારો અભિપ્રાય આપ્યો. ((((((((કuિઝી દુલા કાકા ઋદિલ-ડીથી) D ) Page #96 -------------------------------------------------------------------------- ________________ સંભારણા આ આવે તો શું થાય, અને પેલા આવે તો શું ફેર પડે ?” આવા પ્રશ્નો એ પૂછતા રહ્યા. મેં રાજકારણની વાત હાંકયે રાખી. એકાએક એમના મોંમાંથી રામાયણની એક અંર્ધાતિ ટપકી પડી : “કેઉ નૃપ હોઉ હમહિ કે કાં ?” આ સાંભળતા મારા મનઃચક્ષુ સમીપ લેકશાહી નાગરિક કે હોય ? સ્વતંત્ર નાગરિક કેવો હોય ? સ્વાધીન માનવી કેવો હોય ? તેનું એક પાણીદાર, તેજદાર અને ભવ્ય ચિત્ર ખડું થયેલું. તાર્કિકતા હોકાની એમને ભારે ટેવ. એક વખત મવાથી અમે બસમાં બેઠા. બાપુએ ભરેલે હોક બસમાં ગોઠવ્યો. મૂળે આ બાજુના પણ કેટલાક વખતથી બહાર વસતા એક ગૃહસ્થ નજીકની સીટ પર બેઠેલા. એમણે આ હોકે વગેરે જોઈને બાજુમાં બેઠેલ ભાઈને પૂછ્યું : “કોણ છે ?” બાપુના કાન ઘણુ સરવા. પેલા ભાઈ કંઈ જવાબ આપે તે પહેલાં જ પેલા ગૃહસ્થ તરફ વળીને બોલ્યા : “ઍલ્ડ મેન દુલા કાગ !'' પેલા સગ્રુહસ્થ ઊભા થઈને પગે લાગ્યા. “મેં આપને ઓળખેલા નહિ.” આ તો હોકાની સાથેની થેડી આડ વાત થઈ. પણ બાપુને હોકા પર ભારે પ્રીત. જીંથરી હોસ્પીટલમાં દાખલ થવા નીકળ્યા ત્યારે હોકો ભરીને મોટરની સીટમાં ગોઠવેલ. ધીમી ધીમી ઘૂટ લીધા કરે. નકકી કરેલા રૂમ પાસે ઉતર્યા. હાજર ઑકટરોમાંથી કોઈ તુરત તો કશું બોલ્યું નહિ, પણ બીજે દિવસે એક ડોકટરે બાપુને કહ્યું : “તમાકુનો આ ધુમાડો ટી. બી.નું કારણ બનતું હોય છે. આપ એ પીવાનું છોડી દે તે સારું !” બાપુ હસીને અને સાથે કંઈક ગંભીરપણે કહે : “સાહેબ, તમારી સલાહ હશે તે મૂકી દઈશ. ટેવ લાંબી છે છતાં છોડી દઈશ. પણ હું એક પ્રશ્ન પૂ છું?” “પૂછો.” ડોકટરે કહ્યું. “આ દવાખાનામાં કેટલા દરદી હશે ?” “સાત ઉપરાંત.” “એમાં બૈરાઓ ખરાં ?” “હા, બસે જેટલાં છે.” તે એ બૈરાંમાંના કોઈએ બીડી મોંમાં નાખેલી ખરી ?” બાપુની વાતો છેડો હવે ડોકટરના ધ્યાન પર આવ્યું. એમણે કહ્યું: “ઠીક છે આપની વાત ખોટી નથી. પરંતુ ન પીવાય કે ઓછું પીવાય તે સારું.” જમ્યા પછી બે ઘૂંટ હોકાની લેવી એવી છૂટ તે દિવસે બાપુએ લીધેલી. પછી હોકે બંધ પણ કરેલે, અને એક નાનકડી ઉકિા આકારના હાકલી ભરતા. જેમાંથી માં ચાર ઘૂંટ જ લઈ શકાતી. ઈન્સ્પેકશન | બાપુને એક જૂના સૌરાષ્ટ્ર રાજ્યના વખતથી લેકસાહિત્ય માટે ૧,૨૦૦ રૂપિયાની એક ટોકન ગ્રાંટ અપાતી. | મુંબઈ રાજ્ય રચાયા પછી આ કે આવી કોઈ , પણ ગ્રાંટ ચૂકવતાં પહેલાં તેનું ઈન્સ્પેકશન થવું જોઈએ, ઈન્સ્પેકશન ફોર્મ ભરવાં જોઈએ એવા નિયમને આગ્રહ. ભાવનગરમાં નીમાયેલા જિલ્લા શિક્ષણાધિકારી પણ જૂના મુંબઈના ગુજરાત વિસ્તારમાંથી આવેલા. કેઈએ એમને વાત કરી કે નાનુરામને બોલાવે, એ આમાં ઉપયોગી થશે. હું તે વખતે જિલ્લા શાળામંડળમાં. હું છું કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ શું છે Page #97 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ મને બોલાવીને કહ્યું : “આપણે મજાદર જવું છે.” એમને સંગીતને સારે શોખ હોવાનું હું જાણતો હતો એટલે મેં કહ્યું : “જરૂર જઈએ. દુલાભાઈને સાંભળવાથી આપને પ્રસન્નતા થશે.” ધીમેથી તેઓ કહે, “મારે એમને અપાતી ગ્રાંટ અંગે ઈન્સ્પેકશન કરવું છે.” ' મેં કહ્યું : “સાહેબ! વર્ષોથી એ ગ્રાંટ અપાય છે. કેઈએ ઈન્સ્પેકશનની આવશ્યકતા જોઈ નથી.” છેવટે નકકી કર્યું : મજાદર જવું, મારે સાથે આવવું. ઈસ્પેકશન પણ થયું ગણાય ને બાપુને કશું અજુકતું ન લાગે તેવું ગોઠવવું. બાપુને પત્ર લખીને મેં અનુકૂળતા પૂછાવી. એમણે તારીખો મોકલાવી. મેં એમને જણાવ્યું કે, નાનુરામ એકલે નથી આવવાને, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પણ સાથે છે તે કૃપા કરીને તારીખ આપ્યાનું વીસરી જઈને બહારગામ જવાનો કઈ કાર્યક્રમ ગોઠવતા નહિ. નક્કી તારીખને આગલે દિવસે અમે મહુવા રોકાયા. મેં માણસ મોકલી ખબર કઢાવી લીધા. બાપુ ઘેર હોવાની ચિઠ્ઠી આવી ગઈ. સાથે લખેલું કે અહીં શાક મળતું નથી એટલે જે શાક ખાવું હોય તે મહુવાથી લેતા આવશે. સાથે મેમાન હોવાથી બાપુના મનમાંની આ પ્રતીતિ હતી. કારણ કે હું તે ઘણીવાર ગયેલે પણ કક્યારેય શાક લેતા આવવાનું કહેવડાવેલ નહિ. મહુવાથી ડુંગર અને ત્યાંથી વિકટરની ટ્રેનમાં બેસી અમે વિકટર સ્ટેશને ઉતર્યા. મહુવાથી એક અન્ય મિત્રને પણ મેં સાથે લીધેલા. સ્ટેશન પર અમને લેવા એક માણસને બાપુએ મોકલેલ. મજાદર પહોંચી, ચા-પાણી પીધા પછી મેં બાપુને એકાંતમાં અમારા આગમનનો હેતુ કહ્યો. એકાદ ઘડી એ અસમંજસમાં લાગ્યા. પછી કહે, “તું સાથે છો તો તને ઠીક પડે તેમ કર.” બે વિદ્યાર્થીઓને લેકસાહિત્યની તાલીમ આપવી તેવું મૂળ સરકારી ઠરાવમાં હતું. બાપુ ઘણું લેકસાહિત્યના જિજ્ઞાસુને પિતાને ત્યાં રાખતા. આજે પણ રતિલાલ-કાનાભાઈ વગેરે હતા જ, એ બંનેએ જમ્યા પછી ર૮ ભજન, છંદ, દુહા, લેકગીત આદિ ગાયાં. બાપુએ કહ્યું : “નાનુભાઈ પાસેથી જાણવા મળ્યું કે આપ સરસ ગાઓ છો, તે કંઈક સંભળાવો.” ડી આનાકાની અને થોડા આગ્રહ પછી શિક્ષણાધિકારીશ્રીએ હારમોનિયમ સાથે ત્રણેક ગીતો ગાયાં. જેમાં એક ભગતબાપુનું “પગ મને ધોવા દ્યો રઘુરાય જી’ પણ હતું. મહુવાથી સાથે લીધેલા કુંવરજીભાઈએ પણ “તારી શીતળ છાંયલડીમાં...લાગ્યો કસુંબીને રંગ...” વગેરે કાવ્યો ગાયાં. રાતે વાળુ પછી પણ ફરી ડાયરે જામે. રતિલાલ, કાનાભાઈએ અને બાપુએ પણ એકાદ સંભળાવ્યું. સૂવા માટે ખાટલામાં પડ્યા ત્યારે સાહેબે મને હળવેથી કહ્યું : “હાજરીપત્રકો, દફતર વગેરે સવારે જોઈ લેશુને ?” મારે એમને કેમ સમજાવવું કે અહીં આટલું ઈન્સપેકશન થઈ શકયું તેય ઓછું નથી ! માંડ માંડ ઘડ વાળી અને અમે વહેલી સવારના બાપુની વિદાય લીધી. સૌ ચાલ્યા એટલે મને પાછો બોલાવીને કહે : “ઈસ્પેકશન બરાબર ?” મેં કહ્યું, “બરાબર !' અને અમે છૂટા પડવ્યા. 9 આ કાણા દુલા કal મૃ1-1ણ જ Page #98 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્રનું અણમોલ રત્ન • શ્રી છોટુભાઈ મહેતા ભગતબાપુને પ્રથમ પરિચય મને ૧૯૩૮માં થયે. મારાં બહેનનાં લગ્ન શ્રી કનુભાઈ લહેરી સાથે થયાં એ શુભ પ્રસંગ ઉપર તેઓશ્રી જાફરાબાદ આવ્યા હતા. હું એ વખતે જાફરાબાદની હાઈસ્કૂલમાં શિક્ષક હતા. “શ્રી દુલા ભાયા કાગ ”નું નામ સાંભળેલું પણ તેમને જોવાને, જાણવાન અને માણવાનો પ્રથમ પ્રસંગ મળ્યો. આ દિવસોમાં ત્યારે થોડો સમય ફાળવીને અમારી હાઈસ્કૂલમાં તેમણે કાર્યક્રમ આપ્યો હતો. તેમની ચારણી સાહિત્ય ઉપરની પકડ, બુલંદ અવાજ, સાવ સાદી છતાં હદય સોંસરવી ઉતરી જાય તેવી મધુર વાણી પ્રથમ સાંભળી અમે સૌ રસ તરબોળ બની ગયેલા. મને યાદ છે ત્યાં સુધી તેમણે ત્યારે થોડા રામાયણના પ્રસંગો અને “ફેંસલે કાવ્ય રજૂ કર્યું હતું. “કઈક વિદ્યાર્થી ને કંઈક પંડા બન્યા જગત, આ એક નિશાળ મેટી કુશળ થઈ કૈ ભણતર ભયે માનવી કાઢતા જળ-પવનની કસોટી બેમ ઉડે અને જાય ભૂર્ગભમાં કાઢતા હરિની કંઈક ખામી કુદરતી કે જ્યાં ચચો માનવી ભણેલી સવ વિઘા નકામી.” ઉપરોક્ત પંક્તિ સાથે પૂજ્ય ભગતબાપુએ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી ત્યારે અમે કોઈ નવી દુનિયાની સફર કરી પાછા ફર્યા હોઈએ તેવી અનુભૂતિ થઈ. એવું હતું એમનું કંઠ માધુર્ય અને ચોટદાર શૈલી. ૧૯૫૮માં મારે ત્યાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાસપીઠ ઉપર પૂજ્ય નરેન્દ્ર શર્મા બીરાજ્યા હતા. પૂજ્ય ભગતબાપુને શાસ્ત્રીજીને સાંભળવાની ખૂબ ઈચ્છા. મારે ત્યાં જાફરાબાદમાં ભાગવત સપ્તાહ છે અને શાસ્ત્રીજી નરેન્દ્ર શર્મા વ્યાસપીઠ પર બીરાજવાના છે તે સમાચાર સાંભળીને સામે ચાલીને “પોતાના ઘેર જવું તેમાં વળી આમંત્રણની શી જરૂર ?” કહીને પ્રેમપૂર્વક આવ્યા. સાત દિવસ રોકાયા ત્યારે અમારા કુટુંબીજનોના એક અંગત આત્મીય સજજન, ઘરના જ કોઈ વડીલ આવ્યા હોય તેવું લાગ્યું. કારણ કે તેમના માટે કોઈ મહેમાનગતિ કરવા જેવું હતું જ નહિ, સાદુ ભોજન “રોટલ, છાસ અને લસણની ચટણી તેમને ખૂબ પ્રિય—એ જ ભાગે, સૌની સાથે હળે, મળે. પ્રસંગોપાત કાવ્ય વિનોદ પણ ચાલે અને તેમના વિશાળ જ્ઞાનમાંથી અમને થોડું પીરસે ત્યારે પૂજ્ય ભગતબાપુ મને ખ્યાતનામ કવિ નહિ પણ મારા વડીલ બંધુ જેવા લાગ્યા હતા. અને એમના દુ:ખદ અવસાનના સમાચાર જાણ્યા ત્યારે આવો જ આઘાત મેં અનુભવ્યો હતે. આપણામાં એક માન્યતા છે કે જ્યાં રામાયણ વંચાતુ હોય ત્યાં રામભક્ત હનુમાનજી બીરાજતા હોય છે. આવું જ એક બીજો પ્રસંગ ભગતબાપુને યાદ આવે છે. ૧૯૬૫માં જાફરાબાદમાં અમારા કુટુંબ તરફથી મહાજનવાડીમાં રામાયણના પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પણ શ્રી નરેન્દ્ર શર્મા વ્યાસપીઠ પર બીરાજ્યા હતા. શ્રી નરેન્દ્ર શર્મા પ્રત્યે ભગતબાપુને અનન્ય ભાવ અને તેમાંય રામાયણનો પ્રસંગ–આવા પ્રસંગે ભગતબાપુ ન આવે તે કેમ ચાલે ? ભગતબાપુ જાફરાબાદ આવ્યા-ભક્તિભાવથી 16૭. છે કuિઝી દુલા કાઠા ઋતિ-ફથી Page #99 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ- ગ્રંથ રામાયણ સાતેય દિવસ સાંભળી-અને રાત્રિના સમયે શ્રેતાજનેને પોતાના જ્ઞાનને લાભેય આપતા. એ પ્રસંગ અમારા સૌના દિલમાં હજુ પણ યાદ છે. ભગતબાપુની દેશદાઝ પણ ભૂલાય તેવી નથી. ૧૯૬૨માં ભારત-ચીન વચ્ચે યુદ્ધ ચાલતું હતું -દેશને સેનાની ખાસ જરૂર હતી. એ દિવસેમાં ડુંગરમાં એક સમારંભ યોજવામાં આવ્યો હતે. શ્રી રતુભાઈ અદાણી અને બીજા આગેવાને આ પ્રસંગે હાજર હતા. શ્રી ભગતબાપુએ તેમની સુપુત્રીના હાથે ૧૫ તેલાનો સેનાને હાર રાષ્ટ્રને ચરણે ધર્યો હતો. આવી હતી તેમની દેશદાઝ. પૂજ્ય દુલાભાઈ કાગને યાદ કરીએ ત્યારે સ્વ. મેઘાણીભાઈ તે સાંભળે જ. તેઓ બંને લેકસાહિત્યના ઘડવૈયા હતા. બન્ને સાથે મળીને-હાથમાં હાથ પકડીને સૌરાષ્ટ્રની ધરતીને ખૂણેખૂણે ખૂદી વળ્યા. અને ગુજરાતી સાહિત્યને એવું અમોલ ધન આપી ગયા કે જેને જોટો જડવો મુશ્કેલ છે. સ્વ. મેઘાણીભાઈ ગયા ત્યારે તેમની અંશતઃ બેટ પૂજ્ય ભગતબાપુએ પૂરી–પણ હવે ભગતબાપુ જતાં તેની ખોટ કેણ પૂરશે એ જ વિમાસણ છે. • નઠારે સમજણ દઈને સુધારો રે, ગોઝારો એનો આતમા રે; વિવેકે સમજાવીને વારો રે, નઠારે ના નાતમાં ટેક શળીએ ચડેલો એને જીવતો ઉતારે...(૨), બગડેલી બાજીને સુધારે છે.....નઠારે-૧ વેરીથી ઉગારો એની કીરિતિ વધારો......(૨), બૂડતાને કાઢો સમદર બારે રે.....નઠાર-૨ વેણુનો છે ખરો કેઈ આપે નઈ ઉધાર...(૨), લખમીને મંદિરીએ બેસારો રે......નઠા -૩ કાગ' એની આશા કેરા છોડી દયો વિચારે...(૨), હારીને બેઠો છે સરજણહાર રે...નઠાર-૪ -દુલા કાગ જ કવિબ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ અને t " Page #100 -------------------------------------------------------------------------- ________________ સાચા લોકરિક્ષક • શ્રી કુંવરજી જી. ભટ્ટ विप्र हस्तेन तांबुलम् : ક વખત ઘેડા નેહીઓ સાથે મારે મજાદર જવાનું થયેલું. પાછા ફરતાં ઉતાવળમાં મારી પાનની પેટી ત્યાં ભૂલી ગયે, પાંચેક દિવસે શ્રી મેરુભાભાઈ સાથે ભગતબાપુ હરિલાલ શેઠને ત્યાં પધાર્યા. મને બોલાવ્યો. મળ્યા. ચા પીધા પછી શેઠની સામે જોઈને મને કહ્યું કે : વિજ્ઞ હૃર્તન તાંગુરુમ્ અમે બંને હસ્યા. પેટી મને આપી, પેટી ખોલી. પાન તાજાં હતાં. મેં તેમને બનાવીને આપ્યું. ત્યાર પછી મહુવાની તેમની બેઠકમાં હું જાઉં ત્યારે તે સમજી જાય, અને પાન ખાવાની મરજી થાય ત્યારે માત્ર એટલું જ બેલે કે વિ દુલ્તન તપુત્રમ્ એટલે હું પાન એમને આપું. એનો ભેદ અમે બે જ જાણીએ. તેમને એક વખત કહ્યું કે : “તમને ગાવાને આગ્રહ કરાય ત્યારે તમે કોઈ દિ સીધા ચાલતા નથી, તેનું શું કારણ ?” મને કહે કે “માણસોને લેકસાહિત્યની કિંમત નથી. શાકબકાલાં કરતાં એ એની કદર આછી કરે છે. ગાયકની સ્થિતિને વિચાર કર્યા વગર ગમે ત્યારે કહે કે થાવા દો. શું થાવા દે પાણા? કેટલાક હરખપદુડા ઊંચા નીચા થઈને ગાંગરવા માંડે. આથી ઊંચા સાહિત્યની કદર ઘટે છે.” છેવટે શન્ય તણો સરવાળો મહુવાથી ચૌદ માઈલના અંતરે ગુંદરણા ગામમાં ઈ. સ. ૧૯૩૮થી હું લગભગ બાર (૧૨) વર્ષ આચાર્ય તરીકે હતો. એ વખતે જ્યારે એ પંથકોમાં બાપુ નીકળે ત્યારે તેમને ઉતારે મારે ત્યાં જ હોય. શાળાના શિક્ષકો અને વિદ્યાથીઓ અવારનવાર મને કહેતા કે એક વખત કાગ બાપુને નિશાળમાં લા. એક વખત સવારે ૮-૦૦ વાગે આવ્યા, મારે ત્યાં રોટલા ખાવાની હા પાડી. મેં એમને સીતથી કહ્યું કે આ નિશાળના છોકરાઓ અને માસ્તરે મને બહુ જ આગ્રહથી આપને નિશાળમાં લાવવાનું કહે છે. તમારે જે દિવસે વખત હોય તે દિવસે એક વખત કલાક આવી જાઓ તે સારું. તરત જ મને કહ્યું કે આજે જ આપણે જઈએ. પણ ગામમાં કોઈને ખબર પડવા દેશે નહીં. નહીંતર છોકરાઓ સાથેની મઝા બગડી જશે. કલાક પછી અમે નિશાળમાં યા. છોકરાઓ અને માસ્તરે ખૂબ ખુશી થયા. તેમણે શૈક્ષણિક ઢબે કવિત પાઠથી શરૂઆત કરી. બે છોકરાઓને ઊભા કર્યા, અને પૂછયું કે પાંચ + પાંચ બરાબર કેટલા થાય ? છોકરાઓએ કહ્યું કે ૧૦. પછી પૂછયું : ૧૦માંથી ઓછા ૧૦ થાય તે કેટલા રહે ? છોકરાઓએ શૂન્ય કર્યું. ત્યાર બાદ શૂન્યમાં ઘણી શૂન્ય ઉમેરીએ તે તેને સરવાળો કેટલે આવે ? આ રીતને સવાલ તેમણે ફરી પૂછ્યું. તે છેકરાઓએ ફરી શૂન્ય જવાબ આપે. ત્યારે “શૂન્યના સરવાળા ઉપર એક ગીત છે તે સાંભળો'; એમ કહીને એમણે એમનું પિતાનું રચેલું ગીત બાળક પાસે રજૂ કર્યું. શરૂઆતમાં તેમણે બાળકોને કહ્યું કે કેટલાક સવાલ એવા અગમ છે કે એને જવાબ શૂન્યમાં જ આવે. અર્થાત, જવાબ આપી શકાય નહીં, જેમ કે કઈ ચોટલાવાળી સ્ત્રીને આપણે પૂછીએ કે આ તારો ચોટલે (વાળ) કયાંથી આવ્યા ? તો શું જવાબ આપે ? કેમ કે STી દો. કવિવ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ તે પોતાના Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૮ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ વાળ એની મેળે કુદરતી રીતે ઊગે છે અને મોટા થાય છે. એ રીતે આખા કાવ્યની દરેક પંક્તિની સમજણ આપીને એમના મધુર કંઠથી ગીતની જમાવટ કરી. તમામ બાળકો અને શિક્ષકો સ્તબ્ધ થઈ ગયા અને સાથે ખૂબ ખુશ થયા. પણ એવામાં ગામમાં ખબર પડી એટલે લોકો નિશાળ તરફ દેડી આવ્યા. ત્યાં સુધીમાં આખું કાવ્ય તેમના સુંદર રાગથી અને અભુત કહેણીથી પૂરું કરી નાખ્યું હતું. લોકોએ આવીને ગાવાનું કહ્યું ત્યારે કહ્યું કે આ તે છોકરા સમજાવાની વાત છે. પછી આપણે કોઈક વાર બેસીશું એમ કહીને મારે ઘેર ચાલી આવ્યા. એ મારી તિજોરીઓ છે મુંબઈ દ્વિભાષી રાજ્યના સમયમાં કળસારમાં એક નશાબંધી સંમેલન યોજાયું. એ સંમેલનમાં મુંબઈ રાજ્યના નશાબંધી પ્રધાન શ્રી રતુભાઈ અદાણી આવેલા. હું એ વખતે મહુવામાં નિરીક્ષક હતે; પણ અગાઉ કળસારમાં શિક્ષક હતા એટલે કળસારના લોકોએ અને સરપંચશ્રી જામસીંહભાઈએ મને ખાસ બોલાવ્યો હતો. સાંજના ૬ વાગે સંમેલનનું કામ શરૂ થયું. ભગતબાપુએ આ સભામાં દારૂ નિષેધ માટે ભાવવિભોર બનીને લોકોમાં સારી ચેતના જગાડેલી. પણ પિતાનું ભાષણ પૂરું થયા પછી હમણાં આવું છું, એમ કહીને ગામની નિશાળ પાસેના એટલા પાસે એક રાવણહથ્થાવાળા પાસે ભજનો સાંભળવા બેસી ગયા. અહીં જગ્યામાં સંમેલનનું કામ પૂરું થયું એટલે બધા આડું અવળું જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ભગતબાપુ કયાં ગયા ? મને ખબર હતી કે તે જગ્યાની બહાર રાવણહથ્થાવાળા સાથે ગયા છે, એટલે હું તરત બહાર આવ્યો. નિશાળ પાસેના એટલા પાસે જાઉં ત્યાં દસ-બાર કેળીઓની વચ્ચે ભગત બાપુ રાત્રે રાવણહથ્થા ઉપર એક ગાયકના ભજન સાંભળે છે. મેં જઈને કહ્યું કે તમારી તે ત્યાં ગતાગત થાય છે. વાળુ કરવાનો વખત થયો છે. મને કહે કે આ માણસ બપોરને આવ્યો છે. સભામાં પણ મારી સામું જોયા કરતું હતું એટલે મારુ મન તેના પર ચોંટેલું હતું, એટલે એને મેં સાંભળ્યો. તે ખૂબ રાજી થયો છે. મેં કહ્યું : “પણ આવા મોટા સમારંભમાં તમે આમ ખવાઈ જાવ તે સારું લાગે મહેમાને અને ગામ લોકો તમારી ગોતાગોત કરે છે. તમારે આવું જ ડીંડવાણું હોય.” મને કહે સાંભળો. આ રાવણહથ્થાવાળા મારી તિજોરીઓ છે. મારે સાહિત્યનો ખજાનો તેની પાસે હોય અને ગામેગામ ફરીને એને પ્રેમથી પ્રચાર કરે છે છે. તેવી કિંમતી તિજોરીને મારે સાચવવી જોઈએ, એમ હું માનું છું. ચાલો, હવે આવું છું એમ કહી ઉતારે આવ્યા. શ્રી રતુભાઈએ પૂછયું કે ભગત બાપુ ક્યાં હતા ? ત્યારે જે મને કહેલું તે જ તેમણે તેમને કહ્યું, વધુમાં કહ્યું કે ગામેગામ ફરતા માણભટ્ટો અને આવા રાવણહથ્થાવાળા ગાયકે આપણી સંસ્કૃતિને જાગૃત રાખે છે. માસ્તરોના મન બદલો તો સમાજ બદલાશે ઈ. સ. ૧૯૩૩ ની આ વાત છે. એ વખતે હું કળસાર ગામમાં શિક્ષક હતા. તે અરસામાં મહુવાના શેઠ કુટુંબના એક અગ્રણી શ્રી શાંતિલાલ શેઠે કળસારની નજીકમાં એક વાડીમાં બગીચો બનાવી ત્યાં રહેણાક કરેલ. વાડીમાં રહેવાનું મકાન સગવડવાળું અને સુઘડ હતું. તેમની વાડીએ કવિઓ અને ભાટચારણે અવાર-નવાર આવતા. શાંતિભાઈને લેકસાહિત્યને ગજબને શેખ હતો. Tી કવિશ્રી દુલા કણ સ્મૃતિ-ગ્રંથ મા. t Page #102 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં ચારણી સાહિત્ય ઉપર એમને અદ્ભુત ભાવ હતા. એક દિવસ સવારના તેની વાડીએ નહાવા-ધાવા ગયા, ત્યારે મને કહ્યું કે આજે એક મેાટા માણસ મહેમાન થવાના છે. તમને હું ખેલાવીશ. સવારનો ૧૧-૦૦ વાગે શાંતિભાઈ એ એક માણસને મારે ત્યાં ખેલાવવા માકલ્યા. હું જ્યાં વાડીના ડેલામાં ગયા, ત્યાં સામે એક ઊંટ દેખાયા અને એસરીમાં નજર કરી તે। શ્રી મેઘાણીભાઈ અને કવિ કાગ બેઠા હતા. તેમની સાથે દેગવડાના દરબાર કેશુભાઈ ખસીયા પણ આવેલા હતા. મેધાણીભાઈએ કેાટડા અને યાળ ગામના દરિયાકાંઠાના દૃશ્યના ફોટા લેવા જવાની વાત કરી, અને જમ્યા પછી સાંજના જવાનું નક્કી કર્યું... આ દરમ્યાન મેઘાણીભાઇ એ અવનવી કેટલીએ સુંદર વાતો કરી. ત્યારે સ્વ. ભગતબાપુએ કહ્યું કે, “સમાજ બદલવા હોય તેા પહેલાં આ ભારતરાનાં મન બદલે તે સમાજ અદ્લારો.” પછી જમવા બેઠા. એટલે મેધાણીભાઈ એ ઇરાદાપૂર્વક તેમની થાળીમાંથી થોડાં ખમણ-ઢોકળાં મારી થાળીમાં નાખ્યાં. હુ` સ્તબધ થઈ ગયા. મને દુલા કાગ–૧૨ ૮૯ કહે કે કેમ ભાઈ શુ વિચારો છે ? મેં કીધું હું બ્રાહ્મણ ક્રુ અને તમે વાણિયા છે. ત્યારે તેમણે કહ્યું કે છૂતાછૂતના અને આભડછેટના વહેમ કાઢી નાખેા તે તમે સાચું શિક્ષણ આપી શકશેા. નવા યુગનાં મડાણ શરૂ થઈ ગયાં છે. અને મારી આ વાત યાદ રાખજો કે, “એક દિવસ તમને હરિજન પીરસતા હશે અને તમે જમતા હશે. તમારા મનમાં કોઈ વહેમ નહિ હાય. આભડછેટને અળગી કરવાની અને સ્વચ્છતા, સુઘડતાને અપનાવવાની વાત લક્ષમાં રાખો.' સ્વ. મેધાણીભાઈની આ વાત મને એક નવી અજબ પ્રેરણા આપી ગઈ. હું તેની સાથે સંમત થયા. પછી કાગ બાપુએ કહ્યું કે, મેઘાણીભાઈ, તમે કિકંમતી પુસ્તકા લખા છે। પણ તે વાંચનાર કેટલા ? અને સમજનાર કેટલા ? એટલા માટે હું કહું છું કે ભારત ગામડાને દેશ છે અને ગામડે ગામડે નિશાળે છે. એટલે તમે વખત મળે ત્યારે નિશાળેામાં જાવ અને માસ્તરાને મળેા. તેના મારફત લોકઘડતરનુ કામ સફળ થશે. કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ Page #103 -------------------------------------------------------------------------- ________________ એક બહુમુખી પ્રતિભા • બચુભાઈ મહેતા કાગ ગુજરાતની એક બહુમુખી પ્રતિભા હતા. કવિ, લોકનેતા, માનવસંબંધોના મર્મ, આત્મસંયમના ઉપાસક, સાર્વજનિક કાર્યોના સફળ સંચયકાર વગેરે એમના વિશાળ વ્યક્તિત્વનાં પાસાંઓ હતાં. * ઘડતર ડુંગરથી ચાર માઈલ દૂર આવેલા મજાદર ગામે જન્મેલા દુલાભાઈ કાગે પાંચ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ વિકટર શાળામાં લીધેલું. અને તે પછી ખેતી-પશુપાલનના બાપીકા ધંધામાં જોડાયેલા. પ્રતિભાબીજના વિકાસમાં શાળાનું શિક્ષણ ઉપયોગી હોય તે પણ અનિવાર્ય નથી, એ સત્ય કવિશ્રી કાગના કિસ્સામાં પણ ચરિતાર્થ થયેલું જોવા મળે છે. કહે છે કે નાનપણમાં પિપાવાવની જગ્યામાં દુલાભાઈએ એક ભેરુબંધ જોડે સંત મુક્તાનંદજીને સેવેલા. પુરાણો, પિંગળ આદિનું જ્ઞાન લીધેલું. એક દિવસ ગુરુએ પ્રસન્ન થઈ પિતાના કમંડળમાંથી બંને શિષ્યોને એક એક પ્યાલો પાણી પીવા આપ્યું. ભેરુબંધે તરસ લાગી નથી કહી, પાણી પાછું દીધું. દુલાભાઈએ ગુરુની પ્રસાદી સમજી પાણી સ્વીકારી લીધું. બસ ત્યારથી તેમની પ્રચ્છન્ન પ્રતિભા પાંગરવા માંડી. જાતે ખેતીકામ કરતા અને ભેંશો ચારતા. લેકજીવનના પ્રગાઢ સંપર્કમાં આવ્યા. ગીર પ્રદેશોમાં મહિનાઓના લાંબા વસવાટે સૌરાષ્ટ્રની વિશિષ્ટ પ્રકૃતિ અને સંસ્કૃતિને ઘનિષ્ટ પરિચય કરાવ્યો. યૌવનના ઉષ:કાળે સર પ્રભાશંકર પટ્ટણી જેવા વિદ્યાવ્યાસંગી રાજપુરુષ અને ઝવેરચંદ મેઘાણી જેવા મમી સાહિત્ય પુરુષને નિકટનો સહવાસ સાંપડ્યો. અને એ બધામાંથી પાંગરી કાગની કવિપ્રતિભા. સનાતન અને સમકાલીન ભાવના કવિ લેકસાહિત્ય અને લેકહૃદય સાથે ઘેરું તાદામ્ય સાધનાર મેઘાણી પણ મૂળે ઉજળિયાત વર્ગમાં જન્મેલા અને યુનિવર્સિટી શિક્ષણ પામેલા સાહિત્યકાર હતા, જ્યારે કવિ કાગ એટલે તે તળપદા લેકજીવનની અને આધુનિક શિક્ષણના પાસથી ખરડાયા વગરની શુદ્ધ નીપજ, એટલે સાહજિક રીતે આત્મસાત થયેલ લેકહૃદયના ભાવ અને પંદનોને કાગ કવિની બળવતી બાનીમાં સબળ અભિવ્યક્તિ મળી છે. કવિ કાગે કૃષ્ણભક્તિ, રામસ્તુતિ, વૈરાગ્ય, નિસ્વાર્થ મૈત્રી, સ્વધર્મ, તિતિક્ષા, માતૃપ્રેમ આદિ વિષયને પૌરાણિક કથાવસ્તુ અને લોકજીવનનાં પ્રતીકો દ્વારા ગાયા છે. તેવી જ રીતે રાષ્ટ્રભક્તિ, પીડીતદર્શન, ભૂદાન, નશામુક્તિ વગેરે સમકાલીન સમયબળોને કવિતામાં કંડારી વર્તમાન યુગને પણ વંદના આપી છે. લોકનેતા લેકકવિતાનાં વિપુલ સર્જન અને ચારણી શૈલીમાં સૂરીલા કંઠે ને જેમવતી લેકવાણીમાં તેના સંતર્પક રસાસ્વાદને કારણે સૌરાષ્ટ્ર સિવાયનું બહદ્ ગુજરાત કવિ કાગને મહદ્ અંશે લેકકવિ તરીકે વધુ ઓળખે છે. પણ કવિ કાગ લેકકવિ ઉપરાંત એક લેકનેતા પણ હતા. પિતાની પછાત ચારણ કોમ શિક્ષણ લે એ માટે ૪૦ વર્ષ પૂર્વે તેઓએ જાતે લાખ રૂ.નું કુંડ ભેગું કરી, ચારણ બોર્ડિંગ શરૂ કરાવેલી. દારૂ, (કઘિશ્રી દુલા કાગ સૃદિ-થી ) Page #104 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં ૯ અફીણ વગેરે વ્યસનોમાં ફસાયેલ કાઠી રજપુત, કેળી, આહેર, અર્ધા આદિ પછાત કોમોને તેમાંથી છેડાવવા નશામુક્તિની ઝુંબેશ પણ વર્ષો સુધી ચલાવી પાઘડી નહિ બાંધવાની પ્રતિજ્ઞા લીધેલી. સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના પછી જમીનદારી નાબૂદીના ભગીરથ કાર્યમાં મધ્યસ્થી બનીને ઢેબરભાઈની પ્રજાકીય સરકારને મદદ કરેલી. પિપાવાવ, તળશી- શ્યામ જેવા મંદિરનો જીર્ણોદ્ધાર કે વિકાસમાં સક્રિય રસ લીધેલ. આસપાસ ક્યાંય તુળસીવિવાહ કે ભાગવત પારાયણ હોય છે તેમાં ભગતબાપુ (કવિ કાગ)નો સાથ સહકાર હોય જ. ચેરી–ખૂનના ગુનેગાર પાસે રવિશંકર મહારાજને ચરણે લાવી, ગુને કબૂલ કરાવી ગુનેગારને સુધારવામાં પણ કવિ કાગને રસ. દુકાળ વખતે ગરીબને અનાજ-કાપડ પણ શ્રીમંત પાસેથી માગી ભીખારીને વહેંચાવે. કરી–બદાત મેળવવામાં આશાભર્યા આદમીઓને હંમેશાં ભગતબાપુની ચિટ્ટી-ચપાટી સરળતાથી સાંપડે તે ચૂંટણી જીતવાના કેડ સેવતા બંને પક્ષના ઉમેદવાર કાગ બાપુના આશીર્વાદ મેળવવા માટે પડાપડી કરે. આમ, કેવળ એકાંતે બેસી કાવ્યસર્જન કે ઈટોપાસના કરવામાં જ તેમનું રસક્ષેત્ર સમાપ્ત થતું ન હતું. પણ લેકજીવનના ધબકાર ઝીલવાપડઘાવામાં પણ તેમને જીવંત રસ માનવ સંબંધોના ઈલમી કવિ કાગના આવા લોકાભિમુખ વ્યક્તિત્વનું ચાલક બળ તે તેમનું માનવ સંબંધોની કળાનું સુસિદ્ધ જ્ઞાન હતું. સૌરાષ્ટ્ર અને દેશના રાજામહારાજાઓ અને ભાયાત જોડે તેમને નાતે ઘરોબે તે જવાહરલાલથી માંડીને નાના-મોટા તમામ સ્તરના લોકનાયકે જેઓ તેમના સ્નેહસંબંધે; બિરલા, ઠાકરશી, નાનજી કાળીદાસ વગેરે દેશપરદેશના લોકે પર કાગ બાપુને પ્રીતમહોબત. વિનોબાજી, રવિશંકર મહારાજ જેવા લોકસેવકે જેડે સ્નેહસંબંધ તે ગીજી મહારાજ, પ્રમુખ સ્વામી કે ગુરુ દયાળજી મલીક જેવા સંત મહંત સાથે પણ પ્રેમસગાઈ અધિકારીઓ, કર્મચારીઓને બાપુ સાથેના પિછાન–પરિચયનું ગૌરવ છે. પછી કવિ-લેખક કે ગાયક જેવા સમાન ધર્મએને કવિ કાગ સાથે હેતપ્રીત હોય તેમાં શી નવાઈ? છતાં કવિ પોતે જે ધરતીની પેદાશ હતા. તેના ખેડૂતો, ખેતમજૂરો, વેપારીઓ, વાણોતરો, વ્યાસ વિપ્રો અને અદના આદમીઓ સાથેનું અનુસંધાન અતૂટ રહેલું. તેમના વિશાળ માનવ સંબંધોનું રહસ્ય પોતાના “અહં”ને અળગો કરી, નાનાં મોટાં તમામ જોડે સમાન ભાવે ભળી; સામામાં જીવંત રસ લેવાની તેમની સહાનુભૂતિમાં જોવા મળતું. લોકમાન્ય અને રાજમાન્ય સમાજના તમામ વર્ગો પ્રત્યેના પ્રેમાદરને કારણે ભગતબાપુના પૂજ્યભાવ સૂચક ઉપનામ તે તેમને વહેલી વયે જ મળી ચૂકેલું. તે રાષ્ટ્રપતિ એ તેમને “પદ્મશ્રી”ને ખિતાબ દોઢ દાયકા પૂર્વે એનાયત કરી . લેકસન્માન પર રાજસન્માનની મહોર મારેલી. અઠંગ ફંડસંચયક અનેક સાર્વજનિક પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલ હોવાને કારણે તે સધળીની નાણાંકીય જરૂરીયાતને પહોંચી વળવા કવિ કાગે લાખો રૂપિયાના ફંડફાળા એકત્ર કર્યા હતા. આથી પંડિત મદન મોહન માલવિયા, નાનાભાઈ ભટ્ટ, ખુશાલદાસ કુરજી પારેખ વગેરે સાર્વજનિક ફંડ સંચયોકેની હરોળમાં તેમનું નામ સહેજે મૂકી શકાય. આત્મસંયમી મુમુક્ષુ કવિની બાહ્ય જગતની અપરંપાર પ્રવૃત્તિઓની જંજાળો વચ્ચે પણ પરમ તત્વને પામવા પિછાનવા ON EG SIJI HI-Jit Page #105 -------------------------------------------------------------------------- ________________ ર કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ અધ્યાત્મ પ્રવૃત્તિ સદાય ચાલુ રહેતી. નવરાત્રવૃત, સર્વ વિદીત છે. જ્ઞાતિના રિવાજ મુજબ બે પત્નીએ નામ, જપ, ભાગવત શ્રવણ, રામાયણ વાચન વગેરે હોવા છતાં કવિશ્રીએ ગૃહસ્થાશ્રમને છેલ્લાં ૩૦-૩૫ ઇટે પાસનાનાં કાર્યો તે નિયમિત ચાલુ રહેતા. વર્ષથી ત્યાગ કરેલો તે હકીકત તેમની નજીકમાં રહેતા જિંદગીના છેલ્લાં ૪૫ વર્ષ ગાંધીજીએ ગૃહસ્થાશ્રમ લોકેને માટે આદરનો વિષય રહી છે. ત્યજી આત્મસંયમની ઉપાસના કરેલી એ હકીકત વંદન હો આવી બહુમુખી પ્રતિભાને. • કેક હનુમાન (કર મન ભજનને વેપાર-એ રાગ) આવે જ્યારે વિપત્તિનો વરસાદજી; વિપત્તિનો વરસાદપછી એને કેઈ ન સાંભળે સાદ...આવે—કેક, રામ વિયોગે દશરથ રાજે, સ્ટયું રામનું નામજી (૨) આતમ પંખી ઊડી ગયો તોય (૨), છેવટે ન મળ્યો રામ-આવે-૧ રાઘવ માથે દુઃખ પડયાં તે દી”, માનવી નાવ્યાં કામજી (૨); પ્રભુ માનીને પૂજે હવે પછી (૨), રટે દુનિયા રામ-આવે-૨ વશિષ્ઠ જેવા કુળગુરુ જેને, જનક જેવો તાતજી (૨); જાનકીને વનમાં જાતા (૨), કેઈએ ન ઝાલો હાથ...આવે-૩ કૈકેઈ માતાને સંકટ સમયે, ભેટયા જેમ ભગવાનજી (૨); ‘કાગ’ કહે કે દુઃખને ટાણે (૨), કઈ મળે હનુમાન–આવે-૪ (લીંબડીથી વળતાં ટ્રેનમાં ૨૩-૧૨-૫૪) –દુલા કાગ કરાર કવિશ્રી દુલા કણ રસ્મૃતિ-ગ્રંથપાલ, I ! Page #106 -------------------------------------------------------------------------- ________________ કવિ કાગ અને હું • શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ આજ લગભગ પાંચ દાયકાથી જેની કાવ્ય- ગંગાના પ્રવાહમાં સ્નાન કરી સૌરાષ્ટ્રની જનતા પાવન થતી રહી છે તેની કવિતાઓની સમાલોચના અને પ્રશંસા વિદ્વાનો કરશે. તેના કાવ્યના વિષયે, તેની મૌલિક કલ્પના, તેનું શબ્દ જેમ અને ભાષા લાલિત્ય અનેક નવોદિત લેખક અને કવિઓને પ્રેરણા આપશે અને તેની કૃતિઓમાં નીતરત બોધ અને ઉપદેશ અનેક વાચકોને માર્ગદર્શક બનશે એ પ્રશ્ન પરત્વે સાહિત્યકારો અને વિવેચકે લખશે એટલે હું આ લેખમાં મારા એ પરમ મિત્ર અને સુહદ તથા મારા વચ્ચેના કેટલાક પ્રસંગોની રજૂઆત કરીશ. - ઈ. સ. ૧૯૩૫નું વર્ષ હતું. હું જૂનાગઢના એક ચિત્રગૃહમાં ફિલ્મ જેતે બેઠો હતો. ત્યાં ચાલું શમાં અંધકારને અંચળો ઓઢી બે વ્યક્તિઓ પ્રવેશ કરી મારી પડખે બેસી ગઈ. થોડીવારે પ્રકાશ પથરાતાં જોયું તો મારી બાજુમાં કાળી ભમ્મર દાઢી, ચળકતી વિશાળ આંખો અને આગળ નીકળતું નોકદાર નાક, માથે ધૂળ સાફ અને ગળામાં માળા એવા કવિરાજ બેઠા હતા. તેમની પછી બેઠેલા સ્વ. હિમ્મતલાલ સોમનાથે પરિચય કરાવતાં કહ્યું : “આ દુલા ભક્ત-પીપાવાવ પાસેના મજાદરના છે.” મેં ત્યાં સુધી તેમનું નામ પણ સાંભળેલું નહિ અને વેશ જોતાં અને ભક્ત નામ સાંભળતાં થયું કે, તે તરફની જગ્યાના મહંત હશે. પરસ્પર હાથ જોડ્યા ત્યાં ફિલ્મ પાછી શરૂ થઈ અને પૂરી થઈ ત્યારે માત્ર વંદન કરી જુદા પડડ્યા. તે પછી ચાર પાંચ દિવસે હું જૂનાગઢના તત્કાલીન પિોલીસ ઉપરી સ્વ. શ્રી છેલભાઈ દવેને ત્યાં ગયો. તેણે મને કહ્યું : “શંભુભાઈ, તમને ગમે એવી એક ચીજ આપું” એમ કહી તેણે “કાગવાણી” આપી. મેં હસતાં હસતાં કહ્યું કે ભલા કાગવાણી કને ગમે !” શ્રી છેલભાઈ કંઈ કામે અંદર ગયા અને મેં પુસ્તક ઉઘાડયું તે ચિત્રગ્રહવાળા ભક્ત-અને પછી વાંચ્યું કે “નાગર ન હો કાવ્ય સાગર ન હો મેં ‘કાગ’ ગૌઅને ચરાવત લકુટીકેહર ધારી હૈ”સ્વ. શ્રી મેઘાણીએ તેનું એક જ શબ્દમાં “ફાટેલ પીઆલાની” કહી કરેલું વર્ણન અને તેની અર્પણ પત્રિકા અર્પણ કરતન હું નૃપ કૃષ્ણ કે કરનનમેં” અને કાગવાણીને કહેનારો કાગ ક્યારે પાછો મળે અને જ્યારે તેની વાણી સાંભળે એ વેદનાની શરૂઆત થઈ. યોગાનગ મારી બદલી ભેરાઈ થઈ. હું બસમાંથી ઉતરી હજી બેઠો ત્યાં એક મોટર આવી અને તેમાંથી કવિરાજ ઉતર્યા. તેમની સાથે ભાવનગરના તત્કાલીન પિોલીસ ઉપરી સ્વ. શ્રી પટભાઈ હતા. અમે તો જાણે ભવોભવના મિત્રો હોઈએ, જાણે વરસોની જાણ પિછાણ હોય એમ વાતે વળગ્યા. સમયનું ભાન રહ્યું નહીં. શ્રી પોપટભાઈએ અમને હસતાં હસતાં રોકયા અને કવિરાજને ઉઠવા કહ્યું પણ અમને સંતોષ થયે નહોતું. તે દિવસ તા. ૩–૧૨–૧૯૩૫નો હત અને કવિરાજે કહ્યું કે ૧૪-૧૨-૧૯૭૫ના રોજ હું પીપાવાવ છું. તમે પણ આવજો. પછી આપણે છીએ અને રાત છે. નિયત દિવસે અને સમયે પીપાવાવ ગયો. સ્વ. મહંતશ્રી રામદાસજી સાથે વાત કરી. રાત પડી. પણ કોણ કાગ અને કણ કવિ. રાત્રે નવ વાગે ર HE HIRD Page #107 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ પણ–આ કવિ કેવો છે ? સાંઢીયાના ઘુઘરા ઘમક્યા અને કવિરાજે સાંઢીયો ઝુકાવ્યો. ઉતરતાં ઉતરતાં તેમણે કહ્યું કે “ડેડાણમાં વીયાળું કરતાં વાયદો યાદ આવ્યા એટલે સાંઢીયે ચડી બેઠો.” તે સમયની તેમની કાયાની નવાઈ અને શરીરનું જોમ એવાં હતાં કે શ્રમ કે થાક તેમની પડખે ઓછાયે ઉતરતાં નહિ. પછી વાત જામી અને રાત જામી. રાત તો વીતિ ગઈ કૂકડાં બોલ્યાં પણ વાત પૂરી થઈ નહીં. અમે દાતણપાણી કરી સહુ સહુને પંથે પડ્યા પણ તે જ દિવસે એક કાવ્ય લખ્યું. આ કાવ્ય સં. ૧૯૯૫ના દશેરાના “ચારણમાં” તથા “શારદા'ના ઓગસ્ટ સને ૧૯૩૮ના અંકમાં છપાયું છે. રગેરગમાં નીચતા નીતરે, જેવી આંખમાં મધની લાલી ઝરે, વિષયી ચિત્ત નિત વિકાર ફરે, એવા ક્ષત્રિયના કુલકલંકની કહેવાતી કીર્તિ તણું કવિ ગાન ગવે. પાપી પેટને પૂરવા એ પતિની પૂજા કરી શી ઉપમાથી સ્ત-૧ જેનું દુષિત જીવન પાપ ભર્યું, જેનું નામ જગે અતિ દુષ્ટ કર્યું, જેના કામમાં કાળું કલંક ભર્યું, બીરદાવી એવા બદમાશને બાદશાહ શાહ કહી કવિ ચણ ચૂમે ખમકાવી એવા મહાપાપી પતિતને પૂનિત ને પુણ્યશ્લોક કહે. જેના દ્વારથી પાછા ભિખારી ફરે, કેડી કેડી ગણી જેનાં દિલ કરે, સુણી રંકની રીડ ન પાઈ ધરે, એવા સુમતણા સરદારને કર્ણ તણુ અવતાર કહી વરણે, અન્નપૂરણહાર કહી અળગે વળગે એવા શ્રીમંતના શરણે. જેની બાનીમાં શૌય અને સત્ય કરે, જેના કાવ્યમાં દુખીની દાઝ કરે, જેની વાણુએ શારદ વાસ કરે. જેણે રાયથી રંક અધિક ગણ, ગાયાં ગીત ગરીબી તણું કવને, જેના હૈયામાં ઉની વરાળ ભરી, ત તાપ ગરીબ તણું તને, ગાય રંકની રીડ ને રાજ કરીએ, પરપીડ વિદારવા વાણી વીએ, માગી ન્યાયની ભીખ જેના દિલ સી. જ્યારે રાજ છે ત્યારે જાત ભૂલી માગે ચારણ ઉદ્ધારને ભાગ મીઠે, ભૂલી સ્વાર્થ રમે પરમારથમાં પરદુઃખ નિવારણ ચારણ કાગ દીઠે. આમ મારી અને કવિરાજની પ્રેમની ગાંઠ બંધાણી અને દિનપ્રતિદિન બળવત્તર થતી ગઈ. અમારો નિયમિત પત્રવ્યવહાર મુખ્યત્વે કાવ્યોમાં થતો હતો. શ્રી મેરૂભાઈ ગઢવીને કવિરાજ પરોક્ષ જાણતા હતા પણ પ્રત્યક્ષ પરિચય મેં કરાવ્યું અને એ બંનેની જોડી જામી. અને તેમના દેહાંત સુધી મારા મિત્રો રહ્યા અને આ પત્રવ્યવહાર પછી ત્રણ જણ વચ્ચે વર્ષો સુધી ચાલતો રહ્યો. હું ઉના હતા ત્યારે ઈ. સ. ૧૯૩૬માં કવિરાજ મારા મહેમાન થયા. મેં ઓફિસર્સ કલબમાં કાર્યક્રમ ગોઠવ્યો. ઉના પંથકમાં તે એક ભક્ત કવિ તરીકે જાણીતા હતા તેથી સભ્યો ઉપરાંત બીજા પણ સારી સંખ્યામાં આવ્યા. ઉનાના વયોવૃદ્ધ અને વિદ્વાન વકીલ શ્રી પીરભાઈએ કહ્યું : “ભક્તરાજ અમને ભક્તિરસમાં : ટ્રો કવિન્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ કોણ Page #108 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં વળતી ટપાલે જવાબ આવ્યો. એવો જ નિર્દોષ અને નિખાલસ. નિર્મળ હૈયાના અરીસાના પ્રતિબિંબ જેવો. તેમને જવાનું કારણ વાજબી હતું અને જેને સમાચાર આપવા કહેલું તે ભૂલી ગયા હશે પણ તેમણે લખ્યું કે હું શ્રાવણ માસમાં જરૂર આવીશ અને જે શિક્ષા કરશે તે સહન કરીશ. શ્રાવણ ગયો. તે પછી અધિક માસ હતો તે પણ ગયો પણ કવિરાજ આવ્યા નહિ. પછી મેં લખ્યું કે “વિત્યા શ્રાવણના વાયદા અધિકે ખેંચી આંખ, પણ પેખી નફરકી પાંખ ક્યાંય કાળી તારી કાગડા.” ભીંજવો.” હું એ સમયે યુવાન હતું એટલે મેં કહ્યું : “ના, ના, પીરભાઈ સાહેબ, રસાસ્વાદનો અધિકાર અમારો પણ છે.” દાઢી ઉપર હાથ દઈને કવિરાજે કહ્યું : “હું ભક્ત નથી. મને લેકે નકામો ભક્ત કહે છે. અને જુવાન પણ છું. હજી વૃદ્ધિ થશે. નથી પણ તમારું બંનેનું કહ્યું કરીશ. હાંઉં ?” એમ કહી તેમણે “ચુડીની ચીપેરે” કાવ્યથી સાંજે સાતેક વાગે શરૂઆત કરી અને રાત્રે બાર વાગ્યે રામાયણના રસમાં તરબોળ બની દાયરો વીખાણો. - તે દિવસની તેમની જુવાનીનું જેમ, હુંકાર કરતી છાતી, તેમને બુલંદ કંઠ, તેમની વૃદ્ધાવસ્થામાં ઝંખવાણા-કંઠ તો હજી એવો ને એવો રહ્યો પણ કાયા કુમળી થઈ” ત્યારે તા. ૨૧-૩-૧૯૫૯ના રે જ તેને ઉદ્દેશી લખેલા કાવ્યમાં લખ્યું કે “જીભે તારી શારદા બેઠી ને કમળ કલમે હોય, કેયલ થઈને કવિતા કઠે ટહુકા કરતી હોય, એવું હું જેમ વિચારું આવે યાદ બન તારું.” ઈ. સ. ૧૯૩૭માં હું કુતિયાણા હતા ત્યાં શ્રી મેરુભાએ એકવાર આવીને કહ્યું કે “ભગતબાપુ પિરબંદર આવ્યા છે અને કાલ સવારમાં અહીં આવશે. આખો દિવસ રહેશે અને સાંજે છત્રાવા જશે' અમે રાત તે વાત કરીને માંડ માંડ કાઢી પણ સવાર થયું, બપોર થયો પણ કવિરાજ ન દેખાણા. પછી ખબર આવી કે કવિરાજ પોરબંદરથી પરબારા ગયા. શ્રી દોલતસિંહ રાયજાદા, શ્રી અહમદમીયાં શેખ વગેરે તેમના પ્રશંસકો આખો દિવસ કામ છોડી બેઠા રહ્યા અને પછી નિરાશ થઈ ઘેર ગયા ત્યારે મેં તેમને બાર દુહા લખ્યા– તે ગિરમાં ચારેલ ગાય તને વનની રમતું આવડે, ઈતાળી દઈને જાય એમાં કાંઈ નવાઈ નહિ કાગડા, કાગાના શું રાગ એને ઝાડે ઝાડે ઝુંપડા, કંઠ ઉજળે તન દાગ તે કરી બતાવ્યું કાગડા-વગેરે એવામાં એકવાર આંગણકાના ગીગુભાઈ કવિને કવિરાજે મારા ઉપર ચીઠ્ઠી લખીને મોકલ્યા. આ કવિરાજે દશ-બાર દિવસ દાયરા કર્યા. ખૂબ સુવાણ કરાવી. જતી વખતે તેમણે કહ્યું કે કવિરાજને કાંઈ સંદેશો આપવાને છે ? મેં ત્યારે જ લખી આપ્યું. “વિપિનથી સાથી તછ હાથી અળગે પડયો રાજકારે એણે મીટ માંડી, છત્રને ચમર ઢળાય શિર રાજના ચાલતા મદભરી ચાલ ગાંડી. સુસવતે શિયાળે વન તણું હાથીડાં યાદ કરતાં એને ચીસ પાડી, રાંજ ગજરાજ શું સાવ ભૂલી ગયે એક દિ' આવ અહિંયા અગાડી. પુષ્પધન્વાએ વન પુષ્પથી વેરીયું કુસુમાકર તણું બાણ છાયાં, હસ હિમાલયેથી હજી ના વન્ય વસુ પર વસંતના વાયુ વાય. માનસર મોતીચર વન તને કાં ગમે કુમળી થઈ હવે તારી કાયા, અમરના નગરના સુખમાં શું ભૂલે રંક મિત્રો તણું પ્રેમ માયા. છતા કuિઝા દુલા કામ ઋIિ-B VS S %4 Page #109 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ વરસી વર્ષા અને વીજળી ચમકી ગઇ. મૌન રહે ? તેમણે શામળ બાવની લખી અને મને વૃષ્ટિના વારમાં ખલક બુડી જૂનાગઢમાં સ્વ. શામળદાસ ગાંધીને બંગલે આપી. અંબરે રંગના સાથીયા પૂરતી મેં ત્યાં જ વાંચી. છેલ્લે પાને એક દુહો લખી તેમને મૂકી સંધ્યા ગઈ રાત રૂડી. વંચાવ્યો. ગંભીર વાત કરતા હતા ત્યાં વાંચી તે કલાપી છંદ કેકારવે કકળતાં વિરહની વેદના કાંઈ ઊંડી ખડખડાટ હસ્યા. તેમના હાસ્યના પડઘા પડયા. રાજ અટારીએ ટહુકતા મેરેલા સુણું ગહેગાટને આવ ઉડી.” સૌરાષ્ટ્ર સરકારના મુખ્ય મંત્રીશ્રી સ્વ. ઢેબરભાઈ કવિરાજે પ્રેમભર્યો ઉત્તર પાઠવ્યો કે તથા પ્રધાનમંડળના અન્ય સભ્યોમાં તેમનું માન અતિ ઘણું હતું અને પિતાના આ સંબંધનો ઉપયોગ અવસર આવે આવશું, તને મળવા તારે ઘેરઃ તે જેમને અન્યાય થયે હોય કે થતો હોય તેને દૂર કરશું લીલા લહેર, પેટ ભરી પાટણના ઘણી. કરાવવામાં કરતા. ઊંચી ડાળે કાગ બેસે પછી નીચે ઈશ્વરની કૃપાથી મારા નાના ભાઈ સેમેશપ્રસાદનાં વાળાને તેને મેળાપ થાય નહિ. અત્રે અમે જૂના લગ્ન આવ્યાં. તા. ૩-૫-'૩૮ના રોજ મેં કંકોત્રી મિત્રોને મળવાનો પણ વારો આવે નહિ. એમાં સાથે એક કાવ્ય લખ્યું. કવિરાજને આ કાવ્ય બહુ એકવાર હું રાજકોટ ગવર્નમેન્ટ ગેસ્ટ હાઉસમાં પ્રિય હતું. તે વારંવાર બોલ્યા કરતા. ઉતરેલ અને કવિરાજની સવારી આવી, પણ ભેગા પંદર વીસ માણસ. એક ને એક કામ. બીજાને મારે ઘેર આવજે દુલા-દુલે મારે ઘેર આવે તે બીજુ. કવિરાજ ત્રણ દિવસ રહ્યા પણ અમારે ભેગા ઝુલાવું ખાટને ઝુલા. બેસીને વાત કરવાને વારો જ આવ્યો નહિ. દિવસ આમ અમારો સંબંધ ગાઢ થતો ગયો. તેમનાં આખો ઓફિસોમાં. રાત્રે પ્રધાનશ્રીએજ ત્યાં દાયરામાં. કાવ્યો મારી જીભે રમતાં થયાં. લગભગ આખી જતી વખતે તેમણે મને કહ્યું : કાગવાણી કંઠસ્થ થઈ ગઈ પણ મને જે આકર્ષણ “રેકાણા રાજકેટમાં ત્રણ દિવસ ને ત્રણ રાત, હતું આ સોરઠી ધરાના અડીખમ શાયરનું એ એને પણ વેળુ ન કરવા વાત આવી નહિ એક અધઘડી.” વિશિષ્ટ સગુણનું. જે વિચારે તે બેલે, જે બેલે તે હું પણ કચવાણ હતા. મેં થોડા દુહા લખી આપ્યા. પાળે અને ચમરબંધીને પણ જેવું હોય તેવું સ્પષ્ટ સતયુગમાં સીતા સતિ એના રામ પતિ પરમેશ સુણાવે. કેઈની ખુશામત નહિ, કોઈને હાજી હા એમ એય પહેલાં એક તું કાગ હતો કવેશ નહિ. હૃદય પણ અરીસા જેવું સ્વ. વાણી ગંગા પણ કાપરમાં થઈ દ્રપદી એને પાંચ પતિના પ્રેમ જેવી નિર્મળ અને મન દરિયા જેવું વિશાળ. એવી તારી ગત થઈ કાગા કહેને કેમ.” આઝાદી આવી અને જૂનાગઢની આરઝી હકુમતનાં મજાદર જઈ તેમણે જવાબ લખ્યો એ અહીં સૈન્ય જૂનાગઢ ઉપર ચડયાં. સૌરાષ્ટ્રના શાયરોને આપતો નથી પણ તેમણે મારો કટાક્ષ સ્વીકારી લીધો. સો વર્ષ પછી યુદ્ધ જેવાનો અને યુદ્ધે ચડતા મહા - કવિરાજે “બાવન ફુલને બાગ” લખ્યો. મને રથીઓને ખમકારવાને વારે આવ્યો. કવિરાજ કેમ નકલ મોકલી. પૂઠું ઉઘાડતાં જ વાંચ્યું કે “સર્વ * * * નહિ કવિન્રી દુલા ઉગ ઋd-jથી Page #110 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં હક સ્વાધીન ” મેં તરત ચાર-પાંચ દુહા લખ્યા છે બાવન કુલના બાગમાં ફક્ત કેરમ લેવાની છૂટ પણ મેટી માથાકૂટ છે તેડયું કે જોડયું કાગડા. એલા, એ સોરઠી શાયર, તુલસીદાસે રામાયણના હક્કો સ્વાધીન રાખ્યા છે ? સુરદાસે કે મીરાએ, નરસિંહે કે કબીરે રાખ્યા છે તે તમે રાખે ! તરત જ જવાબ આવ્યો કે “મારું ધ્યાન ન હતું. ભૂલ થઈ છે તે સુધારી લીધી છે. જેટલી પ્રતો પડી છે તેમાં આ શબ્દ ઉપર ટીકડી ચડાવી દઉં છું.” માટે જ કહું. બીજા માટે નહિ. કેઈને ગમે. કોઈને ન ગમે-“પણ કવિરાજ પોતે જ આગ્રહ કરવા માંડવ્યા અને મેં કહી શકાય એવા બે ચાર દુહા કહ્યા અને બાકી થોડી વાત કરી. મોઢામોઢ પ્રશંસા સાંભળવા સહુ કોઈ તૈયાર છે પણ સામા ચાલી ટીકા સાંભળી આનંદે એવા કવિરાજ દુલા કાગ જેવા તે લાખે એક પણ નહિ હોય ! A A A ઈ. સ. ૧૯૫૯ના માર્ચમાં કવિરાજ બિમાર પડ્યા. હું તેમની ખબર કાઢવા જવાનું હતું ત્યાં સમાચાર મળ્યા કે હવે ઠીક છે તેથી મેં લખ્યું કે નાંગર નાવ તારું નાવિક નાંગર નાવ તારું રે કિનારે કળાણે સામે નાંગર નાવ તારું રે. તેને ઉત્તર પણ તેવો જ મળ્યો. પોતાની ઈચ્છા ખરેખર નિવૃત્તિ લેવાની હતી પણ સમાજ તેમને નિવૃતિ લેવા દે તેમ નહતો. મન તે મુક્ત હતું પણ શરીરને સંસારનાં બંધનોમાં જકડી રાખવું પડતું. આવો જવાબ કવિ દુલા કાગ જ આપી શકે. તેમના વિશાળ હૃદયમાં હેતુ મિત્રની સૂચના સારા અર્થ માં જ લેશે. તે ધારે તે મને ખુલાસે લખી શકે કે વિરોધ કરે, પણ નહિ આ તો સાગરપેટ, અસલ સોરઠી શાયર હતો. પોતાની ભૂલ થાય એ સ્વીકારવી તેમાં તેને કોઈ નાનપ ન હતી. પોતાનાં કાને કોઈ વડે તે ક્રોધ ન કરતાં વિચારે અને એમાંય મિત્રોના કડવાં વેણ એને મધથી મીઠાં લાગતાં. એક પ્રસંગ યાદ આવે છે. ઈસ. ૧૯૫૨માં લીમડીમાં સ્વ. કાકાસાહેબ ફતેહસિંહજીએ નવરાત્રી ઉત્સવ ઉજવેલે. કવિરાજ પણ હતા. અમે ઉતારે બેઠા બેઠા લાખ લાખની હાંકતાં હતા ત્યાં કાકાસાહેબ આવ્યા અને પ્રાસ્તાવિક વાત કરતાં કરતાં કવિરાજે મારો પરિચય આપતાં કહ્યું : “કાકાસાહેબ, આપ શંભુભાઈને એક અધિકારી તરીકે ઓળખે છે પણ અમે તેને અમારા એક તરીકે ઓળખીએ છીએ. માર્ગ ભૂલતા ચારણ કવિને નિર્ભિક થઈ મોઢા મોઢ કહી દે એણે મારાં તો અનેક ગીત, કવિત, દુહાઓ લખ્યા છે.” કાકાસાહેબે મને કહ્યું કે “આ તે. ખબર નહિ, હવે કાંઈક સંભળાવો.” મેં કહ્યું એ જે લખાયું છે તે મિત્રો વચ્ચેની પ્રેમભરી વાત છે. એ બીજાને સંભળાવાય નહિ અને હું કાગ કવિ - ઈ. સ. ૧૯૬૫માં પોતે ધોળકે ગયેલા ત્યાંથી માંદા પડી અમદાવાદ આવ્યા. શ્રી રતિકુમાર વ્યાસને ત્યાં ઉતર્યા. મને સમાચાર મળતાં હું તેમને મળવા ગયો. શરીર નખાઈ ગયેલું પણ એ જ હસતી આંખો અને એ જ રણકત કંઠ. મને તેમણે ઉમળકાભેર આવકાર આપ્યો ત્યારે મે કહ્યું : મૂકને માથાકૂટ / દુલા બેસી રહે ઘરમાંય, કાયા તારી કામ કરે નહિ જ્યાં ત્યાં દોડ્યો જાય, ભલે થઈ માન તું મારું કવિ નાવ નાંગર તારું, અગર સળી આપબળે ને અન્યને આપે સુવાસ, મીણબત્તી જે જાત જળવી પાથરી રહે પ્રકાશ એવું તારું જીવન સારું શરીર શું કરે બીચારું. છે ' કuિછી દુH! કાd ઋIિ-ઘ છે દુલા કાગ-૧૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ શીઘ કવિએ તરત જ જવાબ આપે. “કમવાદી બધાં કામ કરતાં રહે તેહને ઉઘવું કેમ ફાવે !” એક વાર થાન પિટરીમાં હું ગયો હતે. ત્યાંના મેનેજર શ્રી દેવ સાહેબ ચિંતામાં બેઠેલા. કવિ માનદાનજી પણ બેઠા હતા. જાણવા મળ્યું કે દાયરો ગોઠવાયો છે પણ કવિ કાગ આવતા નથી. પત્ર લખ્યા, તાર કર્યા અને માણસ મોકલ્યો છતાં નાની ના જ કહે છે. મેં પેન્સીલ હાથમાં લઈ લખ્યું : કાગના અધ્યક્ષસ્થાને સંમેલન મળે છે તેમાં આવવા આગ્રહ કર્યો. હું જઈ શકું એમ ન હતો પણ એક પત્ર લખે. પત્ર તે બહુ લાંબો છે પણ ભાંડભવાયા-ભુવા-ભરાડી-જંતરીયા અને ભગરીયાના સંમેલનના પ્રમુખ થવા માટે મેં મારો રોષ વ્યક્ત કરી લખેલું કે કહ્યું હતું કવિ કાગે સોના જેવું ગીત એક હૈયે મારે રહી ગયું સાથે કંઈક સાલથી ત્યાગી માનસર જ્યારે હંસ બેઠે બગલામાં કહ્યું કે, બગ મારે આ કઈ તાલથી વિવેકથી થતાં ભ્રષ્ટ વિનિપાત શતમુખી શાસ્ત્રકારે સમજાવ્યું બંધુઓને વહાલથી ચારણ અજાચી દેશ દીપક તું દુલા કાગ ચણોઠીની સાથે કેમ બેસાય પ્રવાલથી.” નિયમ મુજબ તરત પ્રત્યુત્તર આવ્યું કે વાત સાચી. હવે સંમેલને થશે પણ પ્રમુખ કઈ બીજુ હશે.” “માન દઇ તને થાન બોલાવે તું ધ્યાન ન દે અભિમાન ધરાવે તું રસપાન ન કાગ કરાવે તે કેણ બીજો રસપાન કરાવે તું ભવતારણ ચારણ દેવ જે આ૫ તરે અને અન્ય તરાવે પરવશ સાદ કરી કરે યાદ તે કેમ કહે કવિ કાગ ન આવે! તું બડભાગ થયે કવિ કાગ તું દીપક ચારણ કુળ ગણાયો કાવ્યની જ્યોત તે રાખી જવલંત ભૂતળમાં વળી ભક્ત ભણાવે. સોરઠી ગૌરવ ગુણ ખમીર પ્રચારક પાલક તું જ જણાયે પરવશ તેમ છતાં કવિ નાયક લોભમાં લાયક કેમ તણાયે?” મારી અમરેલી બદલી થઈ. મજાદર અમરેલી જિલ્લામાં અને કાગ મજાદરમાં એટલે હું ત્યાં જવા તૈયાર થયો ત્યાં પિતે આવી પહોંચ્યા. અમે વાતે વળગ્યા. શું વાત કરી, કેટલા સમય કરી તેનું કાંઈ ભાન રહ્યું નહિ. ગંગોત્રી ઉપરથી ગંગાનો પ્રવાહ પડતો હોય એમ કાગને વાણીપ્રવાહ વહેતે હતે. હું ઝીલતો હતો. ઘણી વારે મારું ધ્યાન પડયું તે બગલાની ઓસરીમાં મેદની નમી ગઈ હતી. અને બે પાગલ માણસે જ સાંભળી રહ્યા હતા. કોઈ અધિકારીએ કહ્યું કે એક કલેકટર અને એક કવિ ! આવા ભાઈબંધ કેમ થયા હશે ? આ પત્ર તા. ૨૭-૭-૧૯૬૦ ના રોજ લખ્યો અને કવિરાજ મારી વિનંતીને માન આપી સમયસર આવી ગયા. સુરેન્દ્રનગરમાં લોકસાહિત્ય સંમેલન થયું મને આમંત્રણ ન હતું પણ શ્રી જયમલ્લભાઈ આગલે દિવસે મોરબી આવેલા. આગલે વર્ષ જૂનાગઢમાં આવું સંમેલન થયું હતું અને આવતી કાલે કવિ દુલા તા. ૯-૬-૧૯૬૫ના રોજ ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્ય મંત્રી શ્રી બળવંતભાઈ મજાદર આવ્યા. બંને એક બીજાના પ્રશંસકો હતા. મારે હું મારું કવિ દુલા કાગ સ્મૃતિ- Page #112 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં તે મુખ્ય મંત્રીશ્રી મારા જિલ્લામાં આવે એટલે જવું પડે. વળી સ્વ. બળવંતભાઈ મારી ઉપર કૃપા રાખતા હતા. પણ કવિરાજે સંદેશ મોકલ્યો કે થડા વહેલા આવી જજે. હું ગયો. રાતે વાળુપાણી કરી ફળિયામાં ગોઠવાયા. મેં કહ્યું : “ભારે અને કવિરાજને ત્રીસ વર્ષને નાતો અને મને અનેકવાર મજાદર આવવાને તે આગ્રહ કરતા પણ આપ પધાર્યા એ પ્રસંગે જ આવવાનું થયું– બસ રવ. બળવંતભાઈ કાંઈ કહે તે પહેલાં કવિરાજ રામાયણને પ્રસંગ આ વાત ઉપરથી ઉપાડવ્યો કે રામનું બાણ છૂટયું એમાં કેટલાં કામ થયાં. એક કારણનાં કેટલાં પરિણામ આવે એ લેખકના સિદ્ધાંતને તેમણે સુંદર રીતે રજૂ કર્યો અને પછી ઘડિયાળના કાંટા ફરતા ગયા પણ દાયરામાંથી કોઈ હલ્યું ચહ્યું નહિ. અડધી રાત્રે સહુ સૂવા ગયા. હું નિવૃત્ત થયો અને કવિરાજ વચ્ચે અંતરનું છેટું પડયું પણ અંતર છૂટાં પડ્યાં નહિ. એક વાર જૂનાગઢ કોઈના કામે ચેરીટી કમિશ્નર પાસે “મનરંજન”માં આવ્યા. બહુ મોડું થઈ ગયેલ એથી મને મળ્યા સિવાય ગયા પણ મને ખબર પડી ગઈ કે તરત જ લખ્યું કે “મનરંજન અને ઓજસ વચ્ચે ફક્ત બસો ગજને બાગ ક્યાંથી આવે કાગ શું એનું દિલ ચોરાણું દુલીયા. તરત જ નિખાલસ ખુલાસા સાથે ઉત્તર આવ્યો અને થોડા દિવસ પછી પાછા આવ્યા ત્યારે મારા ઘર “ઓજસ’માં ઉતર્યા અને આખા ઘરમાં ફરી સર્વેને ખૂબ આશીર્વાદ આપ્યા. પણ અમારા દીર્ધકાળનો સંબંધ તેમના દુ:ખદ નિધનથી પૂરો થવાનો હશે અને અમારે છેલ્લા છેલ્લા રામ રામ કરવા હશે કે કોણ જાણે કેમ ! આઈ સોનલમાએ તા. ૩૦-૩૧ મે ૧૯૭૪ના રોજ જૂનાગઢમાં ચારણ સંમેલન ભર્યું અને તેમાં આ ચારણકુમાર કવિનું સન્માન કરવાનો કાર્યક્રમ થયો. મારે પ્રમુખસ્થાન સંભાળવું એવી આઈની આજ્ઞા થઈ કવિઓ, વિદ્વાનો અને સાહિત્યના પારખુ ચારણોની ત્રીસ હજારની સભા પાસે કવિરાજે વાણીપ્રવાહ વહેતો મૂક્યો. શ્રેતાઓની આંખ અને કાને જાણે તેના ઉપર જડાઈ ગયાં. જીવતી જગદંબા જેવાં આઈ સોનલમાના સાંનિધ્યે જાણે શારદા સ્વયં આવી કવિરાજની જીભે બેઠી બેઠી બેલતી હતી એમ સહુને લાગ્યું. આ પ્રસંગે કવિરાજ સહકુટુંબ જૂનાગઢ પધાર્યા. પિતે મારા ઘરની પડખે મોઢ બેડિંગમાં ઉતર્યા અને પૂ. આઈ વગેરે મારે ઘરે ઉતર્યા. સભા પહેલાં અને પછી કવિરાજના પગે ચલાય નહિ છતાં કષ્ટ વેઠી મારે ઘેર ‘ઓજસ’માં આવે અને રસની ઘૂંટા ઘૂંટ કરે. મેં આ પ્રસંગે વાતેવાત કહ્યું કે સ્વ. શ્રી મેઘાણીભાઈના અપવાદ સિવાય તમે આજના અન્ય કવિઓની કૃતિઓ કદી ગાઈ નહિ કે કદી ગવરાવી નહિ.” કવિરાજ હસ્યા. તેમણે કહ્યું : “આ અન્યાય થાય છે. કવિતા ચારણોની મોને પેલી નથી. ચારણો પિતાની કૃતિઓ ગાય છે અને બીજાની લેગ્ય જણાય તે જરૂર ગાય છે અને ગવરાવે છે. તેમણે કહ્યું : . શંભુભાઈનાં ભજન “દીવારે ઠર્યા” (“શારદા' ફેબ્રુઆરી ૧૯૪૦માં પ્રકાશિત)થી આકર્ષાઈ મેં એને ઢાળ કાગવાણીના એક ભજનમાં લીધા છે. (કાગવાણી ભાગ ત્રીજો પા. ૨૨૪” મેં મારો પ્રસ્તાવ પાછો ખેંચી લીધે. ૩ ૨ ઉપડતી વખતે મોટરમાં બેસી મારો હાથ હાથમાં લઈ કહ્યું: “ઓજસ'માંથી ઉપડીએ પણ અધૂરી રહી ગઈ વાત. મેં તરત જ જવાબ આપ્યો : અક્કીનો કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કયા Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧ed કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ પણ તમે રોકાઓ રાત (એવું) કરમ કયાંથી નહિ. તેમણે આ સમાચાર સાંભળતાં બહુ રંજ અમારું કાગડા.” પ્રદર્શિત કર્યો. મારા હૃદયમાં ભાવોની અથડામણ અને અમારી વાત સદાને માટે અધૂરી થતી હતી. હજારો કરવત ચાલતાં હતાં. મારી વ્યથા રહી ગઈ. તા. ૨૨-૨-૧૯૭૭ના એ ગોઝારો દિવસે કોની પાસે વ્યક્ત કરવી ! જીવ જરા શાંત થશે અને મારી પ્રકૃતિ કાંઈક અસ્વસ્થ હતી છતાં પ્રભાસ મેં શ્રી રામભાઈને તાર કર્યો અને પછી પત્ર લખ્યો પાટણમાં પૂ. શંકરાચાર્યજીએ બેલાવતાં શારદામઠમાં તેના અંતમાં લખ્યું ગયો ત્યાં કવિરાજના નિધનનાં દુઃખદાયક સમાચાર મજાદરની મજા ગઈ ગયે સોરઠને શણગાર વર્તમાન પત્રો દ્વારા વાંચી આંખો સજળ થઈ. અરે ! શારદ ધારી થઈ તું જાતાં કવિ કાગ ! કંઠ રહેલી અને કવિતાની ત્રિવેણી જ્યાં કેન્દ્રિત હતી હવે કેને જે કીર્તિ વરે ને ક્યાં કરે કવિતા ઠામ તે કવિ હવે ક્યાં મળશે ! જેની વાતોમાં રામનું પલા ઝાટકી પરવર્યા કવિ દુલે ધણુને ધામ નામ અને વીરતાના પડકારા હતા, જેનાં કાવ્યોમાં ઉનત્ત કલ્પના, મૌલિક ઉપમા, હૃદય સસરા ઉતરી હૈયું રહે નહિ હાથમાં ને અંતર સળગે આગ જાય એવા ભાવ અને ભવિષ્યવાણી જેવાં વિધાન નેણે નીર થંભે નહિ તે જાતાં કવિ કાગ. હતાં, જેના કંઠમાં ગંભીર ઘેરે છતાં મીઠે રણકાર તેં તો માયા મૂકી દીધી વેધુ થયે વિતરાગ હતો એવો કવિ ગયો. પણ મારે મન તે તેનું અંતર અજપે રહ્યો હવે ક્યાં મળશું કવિ કાગ. વ્યક્તિત્વ, તેનું વિશાળ હૃદય મારે મન સવિશેષ હું કેની ગાઉ કવિતા ને કેનાં રાખું રાગ આકર્ષક હતું. મારો પરમ હિતૈષી, મોટા ગજાનો મન ભાંગી ભુક્કા કર્યું તે કેવું કવિ કાગ. કવિતા જે કકળી રહી ને રે ધ્રુસકે રાગ અને દરિયાવ દિલનો પરમ મિત્ર હવે મારા જીવનની હવે કેને કંઠે બેસણું તું જાતાં કવિ કાગ. સંધ્યાકાળે ક્યાં મળશે ! પણ, ના-ના-તેનું મૃત્યુ શારદ રેતી સાંભળી મોભી જતાં મહાભાગ થયું નથી. તેના જ શબ્દોમાં બળ એના કણ ખુદશે તું જતાં કવિ કાગ. રેશ માં અંધુએ અને રેશે માં બેનડી સર સુકાણું સાહિત્યનું વીરમી વાણુ અતાગ દાઢીવાળાને મેં જીવતે દીઠે.” હવે શુરવીરને કેણ સંભારશેતુ જાતાં કવિ કાગ તુલસીદાસ, સુરદાસ, મીરાં અને નરસિંહ પાંચ મારા ગાજે / મરસીયા એમ હું કહેતા કવિ કાગ, પાંચ સદીઓ છતાં આપણાં ઘરેઘરમાં જીવંત છે તેમ પણ મારાં ભુડા ભાગ કે મારે કહેવા તારા કાગડા. કવિ દુલા કાગ પણ અમર રહેશે. તા. ૪-૩-૭૭ના રોજ મજાદર જઈ તેનાં - પુ. શંકરાચાર્યજી મહારાજને કાંઈ અગત્યની અંતિમ શિયાસ્થાનને વંદી આખોમાં આંસુ ભરી વાતની ચર્ચા કરવાની હતી પણ હું બેસી શક્યો પાછો વળ્યો-અનંતને મળે બેસવા કાગ ઊડી ગયે. --- * - * એક કવિ દુલા કાગ સ્મૃતિ-ગુંથ કહી Page #114 -------------------------------------------------------------------------- ________________ સુમધુર સંસ્મરણોની યાદમાં • શ્રી ઈછુભાઈ નત્તમદાસ શેઠ કહેવાય છે કે, “જ્યાં ખોવાયું હોય ત્યાં શોધવાથી ગુમાવેલું પાછું મળે છે.” પૂજ્ય ભગત બાપુના સુમધુર સંસ્મરણોને શોધવા માટે જે સાહિત્યમાં, જે કાવ્યોમાં તેમને આત્મા ઓતપ્રોત થએલે છે, ધબકી રહ્યો છે, ત્યાં શેધવાથી ભગતબાપુનાં સ્મરણો જડી શકે છે. એક એક કાવ્યને યાદ કરીએ અને તેની સાથે જોડાએલા બાપુનાં સ્મરણો ઝળહળી ઊઠે છે. લેકસાહિત્યના પ્રણેતા પૂ. ભગતબાપુનાં સ્મરણે વાગોળવા માટે લેકેના હૃદયમાં, લોકોના જીવનમાં ડાકીઉં કરવું જરૂરી છે. લોકો સાથેનો તેમનો વ્યવહાર અને ઘરોબો સ્મરણકક્યારાઓની સુવાસને મહેંકતી કરી મૂકે છે. રસોઈ કરતે રસે, વેપાર કરતો વાણિયો, મજૂરી કરતો મજૂર, ખેતી કરતા ખેડૂત, ઉદ્યોગ ચલાવતા ઉદ્યોગપતિ, રાજકારણના આટાપાટા ખેલતે રાજપુરુષ, સેવાના વ્રત ધારણ કરતે લેકસેવક કે આધ્યાત્મિક કક્ષાએ પહોંચેલે આત્મજ્ઞાની–આવી અનેક કક્ષાએ પહોંચેલી વ્યક્તિઓ સાથે ઓતપ્રોત થઈ એના જીવનના મર્મને પિછાણનાર ભગતબાપુ એ માત્ર કવિ ન હતા પણ આર્ષદ્રષ્ટા હતા. મારો અને તેમનો સંબંધ ત્રણ પેઢીને અને ખૂબ આત્મીય હતો. મારા તે તે પિતાતુલ્ય હતા. શ્રી. રામભાઈ કાગ ઉપર જેવી મમતા અને પ્રેમ. તેવી જ રીતે મારા ઉપર તેમની મમતા અને પ્રેમ. મારે ત્યાં તેઓશ્રી મારા દાદા નાથાભાઈ શેઠના વખતથી આવતા હતા. નાનપણમાં મને ઘણી વખત વાર્તાઓ કહેતા ત્યારથી જ તેમનામાં મને પિતાતુલ્ય પ્રેમનાં દર્શન થએલાં. ઉપર જણાવ્યા પ્રમાણે સમાજના જુદા જુદા વર્ગના માણસો સાથે તેઓશ્રી એટલા બધા ઓતપ્રોત રહેતા કે આપણને ઘણી વખત એમ લાગે કે બાપુ નાની વાતોમાં પણ કેટલે રસ ધરાવે છે. મારે ત્યાં આવે તો અમારા ઘરના પાંચ વરસની વયથી માંડીને પંચોતેર વરસની વય ધરાવતા કુટુંબના તમામ સભ્યોના હૃદયમાં “બાપુ આવ્યા,” “બાપુ આવ્યા” એમ મધુર ભાવ રેલાવા માંડે. અથાણાંની વાતથી માંડીને રામાયણ-મહાભારતની વાત કહે અને આ વાત કરે ત્યારે એમ લાગે કે તેઓશ્રી ફક્ત કવિ નહીં, પણ માની મમતા-પિતાનું વાત્સલ્યમિત્રતા સખ્યભાવના તેઓ પ્રતીક હતા, ઘરે આવે અને પગથિયાં ચડતાં હોય ત્યારે કઈ બાળક મળે તે લાક્ષણિક ઢબે મમતાથી પૂછે : બાબાભાઈને પેંડા ભાવે કે કુલફી ? કિશોર મળે તે ગિલ્લીદંડાની કે ઓળાંબ-કોળાંબની વાત કરે–યુવાન મળે તે ક્રિકેટની અને પ્રઢ મળે તે પોતે જ વેપારી હોય તે રીતે ધંધાની ઝીણવટભરી વાતો કરે, બહેનો-ભાઈઓને મળે તે ગરમર અથાણાની કે પાપડવડીની વાતે કરે અને માજીને મળે તે રામના વનવાસની કે શબરીનાં એઠાં બોરની વાતો કરી રાજી કરે. આવા કવિ અને આત્મજન મેં આજ દિન સુધી મારી જિંદગીમાં જોયા નથી અને બીજા કોઈએ જોયા હોય તેવી વાત સાંભળી નથી. તેઓશ્રીની અનેક કવિતાઓમાં લેકજીવનની આ વાતો પડેલી છે. ગવર્નરશ્રીના બંગલાની સાહ્યબી માણ્યા પછી પણ તેટલા જ ભાવથી બલકે તેના કરતાં વધારે મોજથી કાનાની ઝુંપડીએ ખાટી છાશ અને ટાઢા રોટલાનો સ્વાદ એટલી જ મીઠાશથી માણે છે. મસીડીઝ કારમાં બેઠા પછી “ધીહરાની મુસાફરી (((((((((કથિશ્રી દક્ષા કાકા ઋદિા-ઝાંથી))) Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ પ્રેમથી કરે છે. (“ઘીહરા” એટલે ગામડામાં સાતીલાકડાને છેડે નાની ગાદલી નાંખીને કરાતી મુસાફરી) મને એક વાર બાપુએ કહ્યું હતું કે, આ બધી વાતો કવિતા રૂપે મારા હાથે જન્મ ધારણ કરે ત્યારે પ્રસૂતિની વેદના જેવી વેદના વેઠવી પડે છે. સર્જન હૃદયમાં આપોઆપ ક્રૂર અને વાણી રૂપે તેનો જન્મ થાય ત્યારે કવિતા આકાર ધારણ કરે છે. બાપુ કવિ હતા-વિદ્વાન હતા. સાધારણ રીતે “શ્રી” અને સરસ્વતીને મેળ બેસતો નથી પણ બાપુ ઉપર બંનેની મહેરબાની હતી. મેં બાપુને પૂછયું કે “શ્રી અને સરસ્વતી બંનેની આપના ઉપર મહેરબાની થઈ તેનું કારણ શું ? તેના જવાબમાં બાપુએ આકાશ તરફ આંગળી ચીંધી અને હસતાં હસતાં કહ્યું કે, “કુદરત મહેરબાન તે ગધા પહેલવાન.” આવા નિર્મોહી -નિરહંકારી આત્મા એ હતા. અમારા ધંધાના કામ પ્રસંગે હું તથા બર્માશેલના સાહેબ વિકટર ગએલા. મને થયું કે પૂજ્ય બાપુ મજાદર હોય તો સાહેબને મુલાકાત કરાવું. મેં તેમને મોટર સડકની નીચે મજાદરને રસ્તે લેવા કહ્યું. સાહેબ મને કહે કે તમે આવા ખરબડા-અડાબીડ રસ્તે કયાં લઈ જાઓ છો ? મેં કહ્યું કે આ તે ખરા. તમોને ભગતબાપુની મુલાકાત કરાવું. મને તેમણે કહ્યું કે મારી આવવાની ઈચ્છા નથી. પણ મારા અતિ આગ્રહને લઈને તેઓ સંમત થયા. અમો મજાદર પહોંચ્યા. પૂજ્ય બાપુ ડેલામાં જ છેતી અને ઝભ્યો પહેરીને ઊભા હતા. વેત દાઢી ફરફરતી હતી. માથાના વાળ શંકરની જટા જેમ બાંધેલા હતા. સાહેબે મને કહ્યું કે તમે મને આ મહારાજ પાસે કયાં લાવ્યા ! મેં કહ્યું કે જરા શાંતિ રાખો. અમો ગાડીમાંથી નીચે ઉતર્યા. પૂ. બાપુએ અમીભરેલી આંખોએ અને નિર્મળ હાસ્યથી પ્રેમપૂર્વક આવકાર આપ્યો. તપભૂમિની યાદ આવે એવા ફળીઆમાં લીમડાના ઝાડ નીચે અમે બેઠા. ઔપચારિક ઓળખવિધિ થઈ. મેં હિન્દીમાં ઓળખાણ કરાવી અને સાહેબની અટક જણાવી. ત્યાં તે એમની અટક ઉપરથી બાપુએ શુદ્ધ હિન્દીમાં સાહેબની જન્મભૂમિ વિષે-તેમની પેઢી અને પરંપરાના ઈતિહાસ વિષે-અને તેમના કૂળમાં જન્મેલા અનેક નામી અનામી મહાનુભાવો વિષે એતિહાસિક વાતો કરી. સાહેબ તે ખુરશીમાં સડક થઈ ગયાસ્તબ્ધ થઈ ગયા. ત્યાર બાદ જુદા જુદા વિષયોને લગતી અનેક વાતે થઈ. અમે પણ એક કલાક રોકાઈ ઉભા થયા. સાહેબે જ્યારે અમે આવ્યા ત્યારે શિષ્ટાચાર ખાતર “સાહેબ” કહેલા પણ જતી વખતે-વિદાય વખતે પૂ. બાપુના પગમાં પડી ગયા. રસ્તામાં મને કહ્યું કે; Ichhubhai, you have done the best thing that you have brought me here. I will never forget this grand old man in my life. Really it is awe-inspiring. (ઈચ્છુભાઈ, તમે મને અત્રે લાવ્યા તે તમે સારામાં સારું કામ કર્યું છે. હું આ મહાન બુઝર્ગ આદમીને મારી જિંદગીમાં કોઈ દિવસ ભૂલી શકીશ નહીં ખરેખર અદ્ભુત છે.) - સંસ્મરણો વાગોળવા બેસું તો એક આખું પુસ્તક ભરાય પણ અનેક સંબંધીઓ-મિત્રો-સ્નેહીઓનાં સ્મરણો વાગોળવાનો-માણવાને લહાવો સૌને મળે તે માટે અત્રે વિરમું છું. અંતમાં આશા રાખું કે તેમના જેવા આપણે ન બનીએ તો પણ તેઓશ્રીએ કંડારેલી કેડીઓ આપણે નિષ્ઠાપૂર્વક સ્વચ્છ રાખી તેમના જીવનના ઉત્તમ ગુણેના અજવાળાં પાથરીને આવતી પેઢીને તેમનો સંદેશો પહોંચાડીએ તે આપણે તેઓશ્રીને ગ્ય અંજલી આપી ગણાશે. તેઓશ્રીના ભૌતિક દેહને આપણે જોઈ શકવાના નથી પરંતુ પોતાના વિપુલ સાહિત્યથી તેઓશ્રી આપણી વચ્ચે અજરઅમર રહેવાના. તેઓશ્રીને આત્મા હંમેશાં આપણને રસ્તા ચીંધાડશે જે આપણને ઉન્નતિ અને પ્રગતિના પંથ ઉપર આગળ વધારશે તેવી શ્રદ્ધા સાથે આપણા સૌના લાડીલા ભગતબાપુને કોટી કોટી વંદન. • Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણાદાયી વાણી શ્રી વજુભાઈ દુર્લભજી ગાંધી - વાણી, વર્તન, વાત અને અનુભવ ધન્ય બનાવનારાં હતાં. એક વાર પૂજ્ય બાપુ કુંડલા પધાર્યા. હોકો સાથે હોય જ ! હક તૈયાર કરવાનું શ્રી વશરામભાઈને કહ્યું ત્યારે મેં બાપુને કહ્યું કે “બાપુ, મોટા માણસે બીડી, સીગરેટ કે હોકો પીવાની ના પાડે છે, પરંતુ આપને હેકા વગર કેમ ચાલતું નથી ?” ત્યારે બાપુએ કહ્યું કે “દીકરા સાંભળ, પહેલાં ટેવ આપણે પાડીએ, પછી ટેવ આપણને પાડે. એટલે ટેવને પાડો તો ટેવ આપણને પાડી દયે છે. ભાવનગરના મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીએ નકકી કર્યું કે ધારાસભામાં ધુમ્રપાન કરવું નહીં. પણ તારા બાપુજીને બીડીની ટેવ, અને મારે હોકાની ટેવ એટલે જ્યારે બીડી અને હોકાની તલપ લાગે ત્યારે અમો ચાલુ ધારાસભાએ બહાર જતા રહેતા અને તારા બાપુજી બીડી અને હું હાકે પી લીધા પછી ધારાસભા હોલમાં આવીએ મહારાજા સાહેબને ખબર પડી કે, શ્રી દુર્લભજીભાઈ અને શ્રી કાગબાપુને બીડીની તલપ માટે બહાર જવું પડે છે, અને ધારાસભામાં જામતું નથી. એટલે અમને બંનેને મહારાજા સાહેબે કહ્યું કે, ધુમ્રપાન સભા સમય પૂરતું છોડો તો જીવનમાં પણ એક દિવસ આ છૂટી જશે. મહારાજાએ આ પછી અમને બીડી-હાકે પીવાની છૂટ આપેલી, પણ અમે ધારાસભામાં બીડી અને હોકો ન પીવાને નિર્ણય કર્યો. અને તારા બાપુજીની તે તે ટેવ સાવ ચાલી ગઈ મારે પણ હવે આ ટેવને કાઢવી છે.” આ વાતની મારા ઉપર એક નેંધનીય અસર પડી કે, “કઈ પણ ટેવ પાડો નહીં; નહીં તે ટેવ તમને પાડી દેશે.” આ વાકયે પૂજ્ય બાપુ પાસેથી મને મળ્યું જે જીવનમાં ગૂંથવા જેવું છે. બાપુ કંડલા આવે ત્યારે બાપુ પાસે બેસીને પૂછું: “હમણાં શું લખે છે ?” ત્યારે જે જે કાવ્યો. પુસ્તકો કે જે કાંઈ લખતા હોય તેનું સુંદર વિવેચન કરતા. તે સંભાળવાથી ખૂબ આનંદ થત. એક વખત કહેઃ હમણાં તો વિનોબાના વિચારો અને વિનોબાની વાત ઉપર લખું છું.” બીજી એક વખત આવેલા ત્યારે પૂજ્ય યોગીજી મહારાજ માટે લખતા હતા. પૂજ્ય બાપુની યાદશક્તિ સારી અને જેમના સાથે સંબંધ રાખતા હોય તેમના સાથે કાયમી સંબંધો માટે શું કરવું, તે તેમનામાંથી પ્રેરણા લેવા જેવું છે. જ્યારે જ્યારે કુંડલાના કોઈ પણ જણ મળે ત્યારે પૂજ્ય બાપુ અચૂક શ્રી દુર્લભજીભાઈ અને તેમના પરિવારના બધા કેમ છે ?” આ પ્રશ્ન પૂછતા. અમારા પૂજ્ય પિતાશ્રી દુર્લભજી માણેકચંદ ગાંધી વકીલ જીવતા હતા ત્યાં સુધી તે બરાબર છે, પણ અમારા કુટુંબ પ્રત્યેની ભલી લાગણી અને અનેરો પ્રેમ, અમારા પિતાશ્રી ગુજરી ગયા પછી પણ યથાવત રહ્યાં છે. પૂજ્ય બાપુ એક વખત જીથરી : અમરગઢ: હવાફેર માટે ગયેલા ત્યારે હું અને કુંડલાના શ્રી મહારાજગીરી બાપુ બન્ને ખબર કાઢવા જીથરી ગયેલા. પૂજ્ય બાપુ માટે હું પૈડાનું પેકેટ સાથે લઈ ગયેલે. બાપુએ કહ્યું કે “પેડાનું પેકેટ તમો લાવ્યા તેથી મને આનંદ થયે પરંતુ અનેરો આનંદ તે એ ટELI AHIR માં Page #117 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-‘થ ૧૦૪ વાતને થયા કે તારા પૂજ્ય પિતાશ્રી, કુંડલાના દરબાર શ્રી ભાણુભાઈ માકાભાઈ ખુમાણ, શ્રી મહારાજગીરી, અને જે પૈડા લાવ્યા તે પેડાના પેકેટ ઉપર જેનું નામ છે તે મારા પ્રિય મિત્ર ‘દાસ' જે વનમાળીદાસ દેવચંદ પેડાવાળા; તારા બાપુજીની આ કંપની ! કુંડલાના બધા મહાન માણસો યાદ આવે છે, જ્યારે જ્યારે કુંડલા આવું ત્યારે ત્યારે શ્રી વનમાળીદાસ પ્રેમથી પેંડાનુ` `કેટ આપે જ. આ મિત્રની યાદી આ પેકેટથી તાજી થઈ. એટલે પેંડા તે પ્રતીક છે પણ જે પેંડામાં ભાવના, લાગણી અને પ્રેમ સમાયેલાં છે. એવા પેકેટને જોઈ ને આજે ' ખૂબ જ ખુશ થયા હ્યું.” પૂજ્ય બાપુના મિત્ર પ્રત્યેન પ્રેમ અને કોઈ ભેટ વસ્તુને મહાન અને મેાટી કરી બતાવવી, તે પૂજ્ય બાપુ પાસેથી જાણવા મળ્યુ. પૂજ્ય બાપુના અતિથિસત્કાર અતિથિસત્કારો એક પ્રસ`ગ મને યાદ આવે છે. વડીયાથી શ્રી દુ'ભજીભાઈ ખેતાણી કુંડલા આવેલા ત્યારે મને કહે : “વજુ, આપણે શ્રી કાગ બાપુને મળવા માદર જવું છે. મુબઈ આવે ત્યારે ઘણી વખત કહે છે કે, કયારેક તે મજાદર પધારો.’’ એટલે હું અને શ્રી દુ^ભજીભાઈ ખેતાણી મજાદર આવ્યા. પણ પૂજ્ય બાપુ બહારગામ ગયેલા જેથી મળી શકયા નહીં. વળતાં મેં કહ્યું કે બાપુના ખાસ સ્નેહી શ્રી કલ્યાણજીભાઈ ડુંગર રહે છે, એટલે ડુંગર ગામમાં શ્રી કલ્યાણજીભાઈ ને મલ્યા. શ્રી કલ્યાણજીભાઈ એ ખૂબ જ આગતા સ્વાગતા કરી. ત્યારે દુલ ભજીભાઈ ખેતાણીએ કહ્યું કે, જેવી સોબત તેવી અસર. સારા માણસાના મિત્રો પણ સારા હોય, કલ્યાણજીભાઈની લાગણી અને અતિથિસત્કારથી શ્રી દુર્લભજીભાઈ ખેતાણી ખૂબ જ ખુશ થયા. શ્રી દુČભજીભાઈ મજાદર આવ્યાને મળાયુ નહિ તેનેા બાપુને ખૂબ વસવસ। થયો. ‘અરે ! ઘણા સમયથી હું દુર્લભજીભાઈ ખેતાણીને મજાદર આવવા કહેતા. જ્યારે આવ્યા ત્યારે આગતાસ્વાગતા અને અતિથિસત્કાર કરવાનો મને મેાકેા મળ્યા. પણ હું ઘરે નહી' ! ' એટલે ખૂબ જ દિલગીરીવાળો અને મમતાથી ભરેલા પત્ર મારા ઉપર લખેલ. હું સમજી શકયો કે આવી સુંદર લાગણી હાવી જોઈ એ, જે ન મળી શકવાથી પત્ર લખ્યો, આ બાપુની અતિથિ ભાવના બતાવે છે. પૂ. બાપુ અમરેલીથી લીલીયા આવેલા. ટ્રેઈનમાં ભેગા થઈ ગયા. મેં કહ્યું કે આજે કુંડલા તરી જાવ. ત્યારે બાપુએ કહ્યું કે “આજે મારે ત્યાં મજાદરમાં મહેમાનેા આવવાના છે, એટલે આ વખતે નહીં આવી શકું. પણ કુંડલા જરૂર આવવું છે. કુંડલા તમારે ત્યાં કોણ જાણે શું લેણાદેણી હશે તે ભગવાન જાણે પણ ખૂબ ગમે ! તારા બાપુ ગુજરી ગયા પછી, મિત્રોમાંથી શ્રી ભાણબાપુ, શ્રી વનમાળીદાસ, શ્રી મથુરપ્રસાદ આદીત્યરામ, જૂના મિત્રો બધા ચાલ્યા ગયા. એક મહારાજગીરી છે. એમની હવે અવસ્થા એટલે ત્યાં આવું અને આ સર્કલ યાદ આવે, અને મન ભરાઈ જાય. પણ તમે કરાવ અને બધાને હું આવું અને બાપુ આવ્યાના આનંદ થાય, અને ગરમાગરમ રોટલા અને તેમાં ધી અને રીંગણાનુ શાક અને એ દૂધની ભરેલ તાંસળી ! જે તાંસળી મારા માટે તારા બાપુજીએ ખાસ બનાવેલી, તે ભાવનાં ભાજનીયાં લેવા કુંડલા જરૂરથી એક આંટો આવીશ.' વચન આપ્યા પ્રમાણે એક વાર રાજકાટથી આવતાં કુંડલા સવારથી સાંજ રહ્યા અને મારી સાથે તેમ જ શ્રી મહારાજગીરી બાપુને ખેલાવી તેમની સાથે વાતો કરેલી. આ હતી તેમનામાં મિત્રો-સ્નેહીઓ પ્રત્યે સબંધ રાખવાની રીતેા, જે ખરેખર અભિનંદનને પાત્ર છે, બાપુના જીવનને એક પ્રસંગ યાદ આવે છે; મહુવાની કોલેજે, હાસ્પિટલ તથા સાર્જનિક સંસ્થા કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ Page #118 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં એમાં જે જે દાતાએએ પૈસા આપ્યા હાય તેમનુ મુંબઈમાં બહુમાન હતું. જે સભામાં શ્રી જસવંતભાઈ મહેતા તથા મેટા માટા નેતાએ, ઉદ્યોગપતિએ, ઉદાર દાતા તેમ જ સમાજસેવકે અને મહાન માણસા હતા. મુંબઈના ‘ફંકશન’ ટાઈમસર હોય અને નેતા, દાતાએ બધાને ખેલવાને મેકે આપવાને હોય. તેમાં પૂજ્ય બાપુને ખેલવાનું કહેવામાં આવ્યું', અને હળવેકથી પ્રમુખશ્રીએ કહ્યું કે ખેલવાવાળા ઘણા છે માટે બે મિનિટ ! ત્યારે બાપુએ કહ્યું કે “ભલે’’ અને શરૂ કર્યું : “મહેરબાન પ્રમુખ સાહેબ ભાઈ એ તથા બહેને ! મારે તેા એક કહેવાનુ છે કે તેજીલી ઘેાડી હાય, અને સવાર પણ એવા તેજીલા હાય, અને જો તેને કહેવામાં આવે કે આ તેજીલી ઘેાડીને ઓસરીમાં દોડાવી દો. તેા એ મિનિટમાં શુ કહ્યું અને શું ન કહ્યુ', છતાં એટલું તેા કહીશ જ કે જનની જણ તેા ભક્ત જણ કાં દાતા કાં સુર નહીંતર રહેજે વાંઝણી મત ગુમાવીશ તૂર,, આમ કહી બાપુએ એટલું જ કહ્યુ કે, “પારેખને એમની માતાએ એવા પેદા કર્યાં છે કે, જેણે માતાપિતાનું નામ રેશન કર્યું છે'' આટલું કહ્યું અને બીજા ઘટતા રૂપિયા પણ બધાએ વધારી આપ્યા. અનેક દાતાઓએ ધનનો ધોધ વરસાવ્યો. આવી હતી કવિની શક્તિ ! મિત્રો પ્રત્યેના ગુણ અંગે બાપુના એક પ્રસંગ છે. અમારા બહેનના વેવિશાળ પ્રસંગ અંગે બન્યું એવું કે હું ભાવનગર અમારા પૂજ્ય પિતાશ્રીના મિત્ર પરશેોત્તમભાઈ છત્રભુજ વકીલને સાથે લઈ તે તેમ જ અમારા કુંડલાના શ્રી પ્રભુદાસ હેમાણીભાઈ સાથે ભાવનગર શ્રી જમનાદાસ નાનચંદભાઈ કોન્ટ્રાકટરને ત્યાં શ્રી ચંદ્રકાંતને જોવા ગયા. અમને પસંદ પડયું એટલે કુંડલા આવવા આમંત્રણ આપ્યુ. શ્રી જમનાદાસભાઇ એ કહ્યું : “હું કયાંય જોવા જતા નથી અને દુલા કાગ–૧૪ ૧૦૫ જ્યાં જાવ છું ત્યાં ચાંદલા કરવા હાય તે જાઉ છું.’’ એટલે તેઓશ્રીએ ડુંગર શ્રી કલ્યાણજીભાઈ ઉપર ફાન કરેલ અને ત્યાં દુલા બાપુ કાગ તે સમયે એઠેલા. તેમણે કહ્યું કે બન્નેના અહેાભાગ્ય હોય તે બન્ને માટે સારું છે. શ્રી કલ્યાણજીભાઈએ કહ્યું કે શેઠને કહેા કે કુંડલા ચાંદલા કરવા જાય. એટલે શ્રી કલ્યાણજીભાઈ એ બાપુને કહ્યું કે, તમેા શેઠને કહા એટલે શ્રી જમનાદાસભાઈ શેઠને કહ્યું કે, શ્રી દુર્લભજીભાઈની દીકરીને જોઈ છે, દીકરી સંસ્કારી, સારી અને સરસ છે તેમ જ તમારા અને શ્રી દુ^ભજીભાઈના અહેાભાગ્ય હાય તે। શ્રી ચંદ્રકાંતભાઈ માટે ખૂબ જ સારું છે. એટલે તુરત જ મેટર લઈ તે કુડલા જાઓ અને ચાંદલા કરેા. શ્રી શેઠે ચંદ્રકાન્તભાઈ અને ચંપકભાઈ ને માકલ્યા, અને પાતે આવ્યા. અને ચાંદલા કર્યાં. આ છે કવિની ભાષા પૂજ્ય બાપુએ આ લગ્નમાં પણ હાજરી આપી. આ છે મિત્રભાવનાનું પ્રતીક. એક પ્રસગ સત્સંગને પ્રભાવ અગેને હમણાંને યાદ આવે છે. સારાને સારા સોંગ હાય તે તેમને પણ સારા મળે છે. હમણાં લેાકસભાની ચૂંટણી પહેલાં મારા મિત્ર કુતીયાણા અને પારખંદર ગયેલા ત્યારે મારા મિત્રને શ્રી મેરુભા ગઢવી મળેલા. અને તે વાતેા કરતા હતા ત્યારે શ્રી મેરુભા ગઢવીએ મારા મિત્રને કહ્યું કે આપ કુંડલાથી આવે છે. તે સાવરકુંડલામાં હું શ્રી દુર્લભજીભાઈ વકીલને એળખુ છું. શ્રી દુ‘ભજીભાઈ તે ત્યાં ભગતબાપુ દુલાકાગ સાથે જઈ આવ્યેા હ્યું. શ્રી દુર્લભજીભાઈના કેટલા દીકરા વગેરે ખર અંતર પૂવ્યા. અને રામ રામ કહેવરાવ્યા. આ છે સારા મિત્રોનો લાભ ! શ્રી મેરુભા ગઢવી તેમ જ મહાકવિ શ્રી શંકરદાનજી તથા કવિ ત્રાપજકર બાપુને લીધે અમારે આંગણે આવી ગયા છે. જે જાણી ખૂબ આનંદ થયા. પૂ. બાપુ કહેતા કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કે સારાથી સારાને લાભ મળે. શ્રી મોહનલાલ વાત્ર વિના પોતાના હાથની આંગળી અને ચપટીથી મોતીચંદ ગઢડાવાળાએ તારા બાપુજી સાથે મિત્રતા જે તાલ મિલાવતા તે ખૂબ જ મીઠું ગીત લાગતું કરાવેલી એટલે સારાથી સારા જ મળે છે. તેઓ અને આનંદવિભોર બની જતાં તેઓશ્રી જ્યારે કહેતા : “આપણે સારા તે આખું જગ સારું, ગાતા ત્યારે માણસોને સ્તબ્ધ કરી દેતા. રામાયણ જીવનમાં ચારિત્ર્ય એ જ મુખ્ય વસ્તુ છે. ચારિત્ર ઉપરની વાતો જેમાં રાજા દશરથજીનું વચનપાલન, છે તે બધું જ છે, અને જીવનમાં ચારિત્ર નથી તે શ્રી રામની પિતા પ્રત્યેની ફરજ, સિતાજીને રામ કાંઈ નથી !” એમની વાત ખૂબ જ સમજવા જેવી પ્રત્યે પ્રેમ અને શ્રી રામનું પ્રજા પ્રત્યેનું કર્તવ્ય હોય છે. અને આ બધામાં પૂજ્ય બાપુ કહેતા કે, વાલ્મી- પૂજ્ય કાગબાપુની વાણી કઈ અલૌકિક અને કીજીએ લક્ષ્મણજીની ધર્મપત્ની માટે થોડું ઓછું શા અજર અમર છે. તેઓશ્રી અનેક વાતે જે માટે લખ્યું હશે ? શા માટે પક્ષપાત કર્યો હશે? તે રામાયણ, મહાભારત તથા અનેક અનુભવની કરતા બાઈને ત્યાગ અજોડ ગણાય. ઉર્મિલાનો : ને સમજવા જેવી હતી અને એમાંથી થોડું જે લક્ષ્મણજીના ધર્મપત્નીનો ત્યાગ. ગાય અને વાત લઈએ તો પણ આપણું જીવન પાવન થઈ જાય. કરે ત્યારે છોક કરી દે. આ પાત્ર બાપુને બહુ પ્રિય ખરેખર માતા સરસ્વતીજીની પૂરી કૃપાથી વાણીમાંથી હતું. માણસને સમજવા માટે, ફરજ અદા શુભ વાત જ નીકળતી જે ઈશ્વરની કૃપા હતી. કરવા શીખવું હોય તે રામાયણ વાંચે, શીખો અને - પૂજ્ય બાપુને સૌથી વધારે પ્રેમ રામાયણ અને મનન કરે તેમ પૂજ્ય બાપુ કહેતા. અને છેલ્લે રામાયણનાં પાત્રો ઉપર હતે. રામાયણની વાર્તાના એટલું લખીશ કે પૂજય બાપુને રામાયણ ખૂબ જ અનેક અર્થો અનેક રૂપાંતરો કરતા. અનેક રીતે પ્રિય અને તેમાં રામ અતિ પ્રિય એટલે બાપુએ સમજાવી શકતા. દાખલા દલીલે અને સમજાવવાની એમના સુપુત્રનું નામ રામ પાડયું છે. પૂજ્ય બાપુ શક્તિ તથા ગાવાની શક્તિ કઈ અજોડ હતી. કુદરતી ધાર્મિક જીવન જીવનાર અને સાચા માણસનું પ્રતિકંઠ અને તેમની સાથે તાલ જે ગાતા હોય ત્યારે બિંબ છે. તેઓનું જીવન સુવાસમય અને તેમના આંગળીથી બીજા હાથ ઉપર આંગળીને મારે અને જીવનમાંથી કંઈક લઈએ તે આપણું જીવન પણ તે તાલ એવી રીતે સુર પુરાવતા હોય કે કોઈ પણ સાર્થક થાય. તેઓશ્રીનું ધાર્મિક જીવન અને તેમનાં વાજીંત્ર કરતાં તે વિશેષ સુંદર લાગત. કયારેક કાવ્ય તથા લખાણો જે આજે પણ મધમધે છે. ક્યારેક ચપટી વગાડતા અને ચપટી એવી રીતે મનુષ્યનું શરીર એક દિવસ જવાનું છે પણ ગયા વગાડતા કે સાથે વાત્ર ન હોય એટલે સુર અને પછી સુવાસ એ જ જીવન છે. ધાર્મિક મનન અને તાલ મિલાપ જે ગાતા હોય ત્યારે જોઈએ તે ચિંતન કરનાર બાપુ અજર અમર છે. • " હે કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ સદ્ધ છે Page #120 -------------------------------------------------------------------------- ________________ સનાતન સત્યના ઉપાસક • શ્રી કનુ મારેટ પરમ વંદનીય પૂજ્ય ભગતબાપુનાં ૧૯૪૭માં અમદાવાદ મુકામે પ્રથમ દર્શન થયાં. પ્રાચીન ઋષીમુનિઓની કથા શાસ્ત્રોમાં વાંચેલી. એવા સાક્ષાત ૠષીનાં દર્શન તે દિ થયાં. અમારા એક આહીર યજમાન અર્જુનભાઈ ડાંગરને ત્યાં હું રહેતા. તે બહુ જ નાના માણસ, ડ્રાઈવરની તાકરી કરે. ખારડું બહુ જ ખાનદાન. મને રંગભૂમિનાં ગીતો ગાવાના શેખ. લોકસાહિત્ય શું છે તેની કાંઈ જ ખબર નહિ. અર્જુનભાઈએ કહ્યું, “પૂજ્ય ભગત બાપુ દુલા કાગ અમારા શેઠને ત્યાં પધાર્યા છે. ચાલ, તને દર્શન કરાવું.” અમે ગયા. બાપુને હું પગે લાગ્યા. બાપુએ અમીભરી નજર નાખી. ખબરઅંતર પૂછ્યા. અર્જુનભાઈ એ કહ્યું : “આ છેકરા આપનાં ભજને બહુ જ ભાવથી ગાય છે.' મને ગાવાનું કહ્યું, બાપુનું રચેલું ભજન “કળા અપરમપાર વાલા ત્યાં પહેાંચે નહિ વિચાર' ગાયુ. બાપુએ મારા કંઠની પ્રશંશા કરી કહ્યું : પૂર્વાં જન્મમાં સાચાં મેાતીનાં દાન કર્યા હાય તેને સારા કંઠ મળે. હવે તું મારી પાસે મજાદર આવ. ત્યાં બે માસ રોકાજે. તને આનંદઆવશે.' પણ હું સંજોગ કહા કે ભાગ્ય કહેા બાપુ પાસે જઈ શકયો નહિ. પણ તેમનાં ઉજળા અંતરની આશિષ તે મને ત્યાં જ મળી ગઈ. બીજો પ્રસંગ રાજકોટ મુકામે લેાકસાહિત્ય સંમેલન વખતના છે. ધણા કલાકારો ભેગા થયેલા. મારે ભાગ ખારવા જ્ઞાતિનાં લેાકનૃત્યા રજૂ કરવાનું આવેલું. થાડાં ગીતો મળ્યાં. પણ મને સ ંતાપ ન થયા. મનમાં થયું લાવને થાડાંક લખી નાખું ! ત્યાં કોને ખબર પડવાની છે! આવે! હું અબૂધ હતા. આવ્યા આવ્યા વલ્યા તુના વાણજો નાવ્યા નાહેાલીયા તારાં નાવડાં, રજૂ કર્યું. પૂજ્ય બાપુ તરત જ પારખી ગયા. મને કહે, “તું સારું લખે છે. ભાવ મજાના છે. પણ આને લાકગીત ન કહેવાય. લાકઢાળનું ગીત કહી શકાય. અને ત્યાં સુધી લોકેામાંથી ગીત લેવાં. લખવુ જ હૉય તો મારી પાસે આવ, તને ખામી તે ખૂબીની ખબર પડશે. ત્યારે મજા આવશે.’’ બાપુની દિવ્ય અંતરની ઉદારતાથી હું એક શબ્દ ન ખેલી શકયો. ક્ષમા માગી ત્યારે હસી પડયા. મને કહે ગાંડા ! આપણે તે બધા સનાતન સત્યના ઉપાસક છીએ. કેડો ચાતરી જઈ એ તે કેમ ચાલે ? કવિશ્રી દુલા કાના સ્મૃત્તિ-ગ્રંથ Page #121 -------------------------------------------------------------------------- ________________ ગેબી આત્મા • મુળુભાઈ પાલિયા લીંબડીમાં સને ૧૯૫૩માં નવરાત્રિ પ્રસંગે રાજ્યની કલબમાં કવિઓને ઉતારો. ત્યાં સાહિત્ય અને પિંગળડીંગળની ચર્ચા કિરણબાપુ, પૂ. શંકરબાપુ, પૂ. ભગતબાપુ, પૂ.મેરુભાભાઈ, પૂ. રામદાનજી વગેરે વચ્ચે થતી જોઈ. ભગતબાપુએ પિંગળ અને ડીંગળનાં શાસ્ત્રો રામાયણ-ભાગવત વગેરેના ભેદ બતાવ્યા. કાકાસા. કુમારશ્રી હાજર હતા. હું પણ ત્યાં હતે. વાતેની ચર્ચાના અંતે શંકરદાન બાપુ બોલ્યા : “વાહ પ્રભુ તારી ગતિ ! આ તે ભવ ભવને કેક ગેબી આત્મા આ ગરીબ જ્ઞાતિમાં ઉતર્યો છે. વાહે પ્રભુ તારી કૃપા” આ શબ્દો સૌના હૃદયમાં ચોંટી ગયેલા. મેં જણાવેલા મોટા કવિઓના મનમાં હતું કે, દુલાભગત પિંગળ ભણેલ નથી અને પિતે પિંગળના પારંગત અભ્યાસીઓ છે એવો દાવો હતો તે ભગત બાપુએ ભેદી ભ્રમ ભાંગી નાખ્યો. આ કવિએને થયું કે ભગત તે પિંગળના પ્રણેતા કે પિતા છે. પણ આજ સુધી અમારા જીવનના સંધ્યાકાળ સુધી અમને સૌને અંધારામાં અને ભ્રમમાં કાં રાખ્યા ? આ ચર્ચાની જે મજા એ કવિઓને આવી તેના અંતે શંકરદાન બાપુ ઉપરના શબ્દો હૃદયપૂર્વક ઉચ્ચારી અચંબો પામી ગયેલ. • ERY [ કવિઠ્ઠી લા કાગ સ્મૃતિ-ગ્રંથ રક્ષા Page #122 -------------------------------------------------------------------------- ________________ તુલસીશ્યામના માર્ગે • મહંત હરિકૃષ્ણાચાર્ય ૧૯૬૦ની સાલમાં હું જૂનાગઢ જિલ્લા કલ બોર્ડને પ્રમુખ હતા. આ અરસામાં શ્રી ભગતબાપુ જૂનાગઢ ખાતે ચાલતી લોકસાહિત્ય વિદ્યાલયની મુલાકાત વખતેવખત લેતા. આવતાંની સાથે જ ગામમાં રહેતા પોતાના નિકટવતી વ્યક્તિઓને ખબર આપી મળવા બેલાવતા. આવનારાઓના ખબર-અંતર પૂછતા. આ વિધિ પૂરે ન થાય ત્યાં સુધી પિતાને પ્રવાસ તેમને અધૂરી લાગતા. આ લિસ્ટમાં મારું નામ પણ હતું. મહંત, મહારાજ અને સાધુ-સંતને ભગતબાપુ હંમેશાં આદરપૂર્વક જતા. આ લોકો સાથેનો વર્તાવ પોતાના નિકટના સંબંધીઓ જેવો હંમેશાં રાખતા. આ સાલના માર્ચ મહિનાની શરૂઆતમાં પૂ. રવિશંકર મહારાજ જૂનાગઢ પધારેલા હતા, તેમને મળવા શ્રી ભગતબાપુ એચિંતા નીકળી આવ્યા. તેમના આગમનના ખબર મળતાંની સાથે જ રાબેતા મુજબ મળવા ગયા. ભગતબાપુએ લાગણીપૂર્વક બાલ-બચ્ચાંના ખબર-અંતર પૂછીને મને કહ્યું કે, “આચાર્ય ! આવતી કાલે વહેલી સવારે તુલસીશ્યામ જવા માટે મારી ઈચ્છા છે.” તુલસીશ્યામ ખાતે ગૌ શાળાનું અને અન્ય બાંધકામ શ્રી રતુભાઈ અદાણીએ એકઠા કરેલા સાર્વજનિક ફંડમાંથી ચાલતું હતું. તે જોવાની તેમની ઈચ્છા હતી. વધારાના કામ માટે આયોજન કરી ભવિષ્યની વ્યવસ્થા ગોઠવવા માટે પિતાને અંગત માહિતી મેળવવી હતી. તુલસીશ્યામના વિકાસ માટે ભગતબાપુની આગેવાની નીચે એક અવિધિસરની કમિટિ હતી, જેની સાથે હું પણ - g * - - - - - - - સંકળાયેલ હતા. વિશેષમાં અહીં ખાતે જિલ્લા લેલ બોર્ડ તરફથી પથિકાશ્રમ અને કેઝ-વેનું બાંધકામ ચાલુ હતું તે પણ વખતોવખત તપાસવા જવાની મારી ફરજ હોઈ આ સંસ્થા અને તેની પ્રવૃત્તિ સાથે મારો સંબંધ નજદિકને હતે. મને અનુકૂળતા હોય તે તુલસીશ્યામના પ્રવાસમાં ભગતબાપુ સાથે જોડાવું તેવી તેમની ઈચ્છા હતી. જે મેં સ્વીકારી અને પ્રવાસમાં સાથે જોડાવા સંમતિ આપી. વળતા દિવસે અમે સવારે જૂનાગઢથી તુલસીશ્યામ જવા માટે નીકળ્યા. ભગતબાપુની શારીરિક સ્થિતિ પહેલેથી જ નબળી હતી. તે મારા જાણવામાં હતું. પોતે આડા રસ્તાનો પ્રવાસ સહન ન કરી શકે તે ઈરાદાથી વેરાવળ ઉના મારફત તુલસીશ્યામ પહોંચવાની મેં ભગતબાપુને કરેલી વાત તેમણે ન સ્વીકારી, અને કહ્યું : “આચાર્ય, થાક લાગે કે માંદા પડીએ તેની ચિંતા શ્યામ ભગવાનને સોંપીએ. મેં લાંબા સમયથી ગીર નથી જોઈ માટે આપણે ગીરમાંથી પસાર થતા મારગે જવાનું છે.” તેમની ઈચ્છા મુજબ વિસાવદર, સતાધાર, થઈને તુલસીશ્યામ જવા માટે પ્રવાસ અમે શરૂ કર્યો. સતાધારની ધોળી ધજા દેખતાંની સાથે જ ભગતબાપુના આ સ્થાન સાથેનાં સ્મરણે તાજા થવા લાગ્યાં. મારે ખભે હાથ મૂકી ગદ્ગદિત કંઠે કહેવા લાગ્યા, “આચાર્ય, લેકજીવનના ઉત્કર્ષ માટે બાંધવામાં આવેલાં આ સ્થાનકના પુરુષોની પગરજ જ્યાં પડી હોય તેની હવાથી પણ માનવીના વિચારો પવિત્ર થાય. આનું નામ જ યાત્રાધામ. યાત્રાધામ જન્મતાં થતા કવિ દુલા કાગ ઋtત- Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ નથી પણ મહાત્માઓ મારફત તેનું સર્જન થાય છે. હિન્દવાપીર આપા ગીગાના નામથી પણ હૃદયમાં રહેલા પ્રેમ અને ભક્તિ ઉપર તરી આવે છે. ધન્ય છે સતાધાર” મીંચેલી આંખો પ્રફુલ્લીત વદન સાથે ભગતબાપુ સાધુ સંતના ઉચ વિશાળ પ્રદેશની ભૂમિકામાં વિચરવા લાગ્યા. તેમની વિચારસમાધિ તોડવા મેં વાત શરૂ કરી : “બાપુ, મને પણ સતાધારને એક વિચિત્ર અનુભવ થયો હતો !” પોતે મીંચેલી આંખે ચાલુ રાખી ટુંકાણમાં જ કહ્યું, “કહી નાખે.” “મુંબઈ ખાતેના એક મિત્રના સંબંધી સોરઠ જેવા માગતા હતા. તેમને બધાં સ્થળ બતાવવા માટે મુંબઈ ખાતેના મારા મિત્ર તરફથી ખાસ ભલામણ થઈ આવેલ, એટલે તે ભાઈની સાથે મારે સૌ પ્રથમ સતાધાર આવવાનું થયું. આ ભાઈ મૂળ સૌરાષ્ટ્રના. બચપણ હૈદરાબાદમાં વિતાવ્યું. પુખ્ત ઉંમરે પહોંચ્યા પછી મુંબઈમાં ફેરી કરવા લાગ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુમાસ્તામાંથી લખપતી બનનારા કેટલાક પિકીના આ ભાઈ એક હતા. અમે બપોરને સમયે સતાધાર પહોંચ્યા ત્યાં હરિહરનો સાદ પડ્યો હતો. શ્રી શામજી ભગતે ઉમળકાભેર અમારું સ્વાગત કર્યું, પ્રસાદ લેવા માટે અંતઃકરણપૂર્વક આગ્રહ કર્યો. અમે જમીને નીકળેલ હોઈ પ્રસાદ ન લેવા બદલ તેમની માફી માગી. મંદિરમાં દર્શને ગયા. આવેલ ભાઈને સતાધાર મંદિરનો ઈતિહાસ હું જે જાણતો હતો તે કહી સંભળાવ્યું. પણ તેમનું ધ્યાન બીજા બધા કરતાં ભજન શાળામાં જમવા બેઠેલા ૨૦૦-૨૫૦ માણસે તરફ હતું. વિચારોમાંથી એકાએક જાગૃત થઈ વેપારીને સુલભ એવો સવાલ કર્યો કે “આ માણસ જામે છે તેમની પાસેથી થાળી દીઠ કેટલા પૈસા લેવાતા હશે ?” મેં જવાબ આપ્યો: “કાંઈ નહિ.” આ જવાબ સાંભળતાંની સાથે જ શેઠને અચંબા સાથે આઘાત લાગ્યો હોય તેમ મોટેથી બોલી ઉઠયા : મફત !” આથી વિશેષ કાંઈ પણ બોલ્યા વગર તે ઓટલા ઉપર બેસી ગયા. થોડી વાર શાંત રહ્યા પછી પાણીને ગ્લાસ મંગાવી ખિસ્સામાંથી ગોળી કાઢીને ગળી ગયા. પંદર મિનિટ આરામ લીધા પછી કાંઈ પણ બોલ્યા વગર મને કહ્યું કે “ચાલે હવે રવાના થઈએ.” થેડે આરામ લીધા બાદ પ્રવાસમાં આગળ જવાન શામજી ભગતે કરેલા આગ્રહનો અસ્વીકાર કરી અમે ચાલતા થયા. રસ્તામાં શેઠ મૂંગાં જ હતા. થોડી વાર પછી માત્ર એટલું જ બોલ્યા કે “રેશનીંગના સમયમાં અનાજનો કેટલે દુર્વ્યય !” આ પ્રસંગ સાંભળી ભગત બાપુ મુક્ત રીતે હસી પડયા. વળતે દિવસે જ્યારે અમે તુલસીશ્યામમાં જમવા બેઠા ત્યારે ઉપલા પ્રસંગને યાદ કરી મને પૂછ્યું કે “આચાર્ય, શેઠને અહીં લાવ્યા હતા ?” મેં જવાબ આપ્યો : “સતાધાર પછી અમે પરબ, કે તુલસીશ્યામ શેઠને બતાવ્યું હોત તે પાછળથી તેમને હોસ્પીટલમાં દાખલ કરવા પડત!” કાળા બજારમાંથી નાણાં કમાનાર શેઠને અનાજના ખોટા બગાડથી આઘાત પહોંચે તેવું એમને ન બતાવ્યું. - જેમ જેમ અમે ગીરમાં ઉતરતા ગયા તેમ ભગત બાપુ જાણે પોતાનાં સ્વજનોની દુનિયામાં જતા હોય તેવા ભાવાવેશમાં આવતા હતા. આંબાજળ નદી ઉતર્યા એટલે કાંઠા ઉપરની વનસ્પતિ નદીમાં ગારાનું ખુતાણ ચોમાસામાં કોઈના બાપની શરમ રાખે નહિ તેવી વંકી અબાજળના ગુણદોષ અને તેછડાઈની ગાથા પૂરી થાય ત્યાં ગાંડી ગીરની ગોદમાં ઊંચે માથે ઊભેલા શેમળાના ઝાડ તરફ નજર જતાંની સાથે જ વાતે વળાંક લીધો, “આચાર્ય ! આ જગન્ધર વરસમાં ત્રણ વખત કાયાપલટ કરે હો ! અને આ સાગ, સીસમ ન હતા તે માનવીઓની મલીઓ તકલાદી બનત.” સાજડના ઝાડની સાથે જોતા જ ફટકારી : “આચાર્ય ! આ કલંધર કામને કDિI Eલાલા ઋIિD : Page #124 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં ખરા પણ નગણા કહેવાય” જેના સમર્થનમાં એક દુહો કહી સંભળાવ્યા. દેખી તા ડોલરીએ સુધે પણ સેાડમ નહિ ઇ ગાંડી ગીરની માહી સાજળ ફુલ્યે સુરના આ મહેક વગરના છે. રસ્તાના કિનારે ચરતી ભેસા જોઈ તે ગાડી શકાવી તપાસ કરી. ગાવાળને પૂછ્યું : “આ માલ કેના ?'' સામે જવાબ આવ્યા, ઈ. બાજરીયાના નેસવાળા આ જાન ખાઈ તો માલ છે.’' નામ સાંભળતા જ આઈના કુશળ સમાચાર ગોવાળ મારફત જાણી પેાતાના નારણ પાઠવ્યા. આચાર્ય ! સાવજને ચાર-ચાર વખત ભાં ભેગા કરનાર ભેસ માંકુના વેલે ન પાંગર્યાં. બાણ નાખવામાં ઈ એટલી તે। પાવરધી બની ગઈ કે છેવટે વરાળ થઈ ગઈ. એ વેલા હોય તેા માલધારીના ઘરનું ઘરેણું ગણાય.’’ આમ ગીર, ગીરની, વનસ્પતિ, ગીરનું લોકવન, રહેણીકરણી અને સ્થિતિ, નદી, નાળાં તળાવડાં, ડુંગળા, ધારુ' ટીંબા અને જરની અવનવી માહિતિ અને તેની ખૂબીએ ઉપરનુ પેાતાનુ કડીબંધ સ્વત ંત્ર મતવાળી વાર્તા પૂરી થાય તે પહેલાં અમે ઘેાડાવળીના તેસે, આઈ વાલબાઈના વસવાટે આવી પહોંચ્યા. આઈ વાલબાઈ એટલે ગીરના જંગલમાં મીઠ્ઠી વીરડી કહેવાય. જ્યાં ભૂખ્યાંને અન્ન, થાકવાને પાણી અને પાથરો આઈના આંગણે વગર માગ્યાં મળે. તેના દર્શનમાત્રથી થાક ઉતરી જાય. એવી મીઠી વાણીવાળા આઈ વાલબાઈના અમે અતિથિ બન્યા. ભગતબાપુ અને અમને શ્વેતાની સાથે જ માથે ભેરીએ નાખી આંખમાંથી અમી વરસાવતા આઈ ઝાંપા સુધી સામે લેવા આવી અમારા એવારણાં લીધાં મધુરી વાણીમાં ગદ્ગદ્ કંઠે મેલ્યાં કે “આજ મારું આંગણું પવિત્ર કર્યું. બાપ.” આવી જ ૧૧૧ લાગણી અને ઉમળકા સાથે ભગતબાપુએ ઉત્તર વાળ્યા : “જનેતાને વળાવ્યે ઝાઝો વખત થઈ ગયા. તેની યાદી તાજી કરવા આજ નીકળી આવ્યો.’ આઈ અને ભગતબાપુ સાથેનુ આ સાંનિધ્ય જિંદગીમાં સધરાઈ રહેશે. તેની યાદી માત્રથી જીવન વિશેષ સમૃદ્ધ બને તેવા આ પ્રસંગ હતા. ઢળતે બપોરે આઈની રજા લીધી. આ મહેમાનગીરીના મીઠાં સ્મરણા બાંધીને અમે તુલસીશ્યામ જવા માટે રવાના થયા. જસાધાર આવ્યું. જંગલ ખાતાના થાણા આગળથી ફંટાતા મારગે અમે મીઢાના નેસે આવી પહોંચ્યા. રસ્તાને કેડે કાઈ બંધાણી રાહદારીએ ખાવળના ગળતીયાં લાકડાં સળગાવી પાડેલા દેવતામાંથી ચલમ ભરવાની તૈયારી કરતા હતા, તે જોઈ ભગતઆપુની તલ તીવ્ર બની. ગાડી રોકાવી હાથમાં ખાલી હાકા લઈ તાપણાં પાસે જઈ પહોંચ્યા અને માંગણી કરી કહ્યું: “ભાઈ, દેવતામાં મારા ભાગ ખરો ?’’ સામી વ્યક્તિએ ભગતબાપુને એળખ્યા ડ્રાય કે નહિ તે મને યાદ નથી પણ એક સમાન ધી વટેમાર્ગુની તલબ મુઝાવવાનું પરગજુપણું બતાવી સહાનુભૂતિ વ્યક્ત કરતા ચલમ ભરવા માટે ચીપીય સામે ધર્યો, જે લઈ ભગતબાપુએ ખાલી ચલમમાં ગળત્યા લાકડાના તીખારા ભરી ધૂંટું લેવા માંડી. તલબ મુઝાય કે ન બુઝાય ત્યાં તુલસીશ્યામના માર્ગેથી આવતા યાત્રાળુએ સામે ભગતબાપુની નજર પડી. આંખ ઉપર હાથનું તેજવું કરી પાસે આવતા યાત્રાળુઓના સમૂહને જોતાની સાથે જ પાતે શરૂ કર્યું': “આચાય! આ સામે આવે છે તેમાં આગલા ભાગમાં આવતા પાંચાળી ડાયરો છે, ત્યાર પછી કુંભારૂ જે હાથતાળી લેતા આવે છે તે અને પાછલા જુવાનુમાં આગળ આવે છે તે કાળીના જણ. બાજુમાં ચાર જણ ગાહિલુનાં વયા આવે છે.' કવિશ્રી દુલા કાગ સ્મૃત્તિ-ગ્રંથ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ આ સાંભળીને મેં સામો પ્રશ્ન કર્યો : “જે લેકે આવે છે તે પૈકીના કોઈને આપ ઓળખો છો ?” હસતે મુખે જવાબ આપ્યો : “હું કોઈને નથી ઓળખત, પણ એક વાસણમાં મગ, અડદ અને ઘઉંના દાણા ભલે સેળભેળ થઈ ગયા હોય પણ નજરે જોનાર બધાને અલગ અલગ ન પાડી લે ? તેમ આમાં પણ છે. પેદા કરનારે બધાની ઉપર જુદા જુદા લેબલ મારેલાં તો છે પણ તે ઉકેલતાં આવડવું જોઈએ. અને આ છે કઠાવિદ્યાનું કામ. જેની ચેપડીઓ લખાણી નથી, કે તાલીમ વર્ગ કેઈએ શરૂ કર્યા નથી. આ વાત વારસાગત છે બાપ !” અમારે સંવાદ ચાલતો હતો ત્યાં એક પછી એક ટુણું આવવા લાગ્યું. પહેલા પંચોળી ડાયરો હતો જેમાં મહોબતપરાવાળા મગનભાઈ આગળ હતા. પાછલા કુંભારના ડાયરામાં ઉગલાવાળા જીવાભાઈ હતા જેને હું ઓળખતો હતે. બાકીના લેકોની પૂછપરછ કરી તે ભગતબાપુનું વિધાન સાચું હતું. મોટું જોઈને માનવીઓના મૂલ્યાંકન કરનાર સ્વ. શ્રી ભગત બાપુએ વંકી ભોમમાં વસનારા ધીંગી કોમના રીતભાત અને ખમીરને નોખા તારવીને તળપદી ભાષામાં જે ગુણ ગાન કરી ભાવી પેઢીઓને લેકજીવનના સાહિત્યની ભેટ આપી છે, તે હવે પછીની આવનારી પેઢીઓ ઉપર મોટો અનુગ્રહ કર્યો છે. તુલસીશ્યામથી અમે અલગ પડ્યા ત્યારે મેં માંગણી કરી કે બાપુ સાજડને દુહે મને લખાવો. આજે પણ એ મારી નોંધપોથીમાં લખાયેલ છે, જે ભગતબાપુની અમર યાદનું પ્રતીક છે. • વેલના નિસાસા (અહીંથી જાવ તો ભેળાં લઈ જાવ-એ રાગ ) બાગમાં નિસાસા ઊના નાખે. વનરાની વેલ્યુ રે...બાગમાં નિસાસા ઊના નાખે. ટેક કાતરે કાપીને અમને... પૂતળાં બનાવે વાલા !...(૨); કાપી કરીને સરખાં રાખે...વનરાની-૧ દોરડે બાંધીને અમને ફાવે તેમ ફેરવે છે, વાલા....(૨); ખીલે જ્યાં ફૂલ ત્યાં ખૂટી નાખે...વનરાની રે માળીડાને નિરખી અમે...થરથર ધ્રુજીએ, વાલા !..(૨); કાયમ હાથમાં કાતર રાખે...વનરાની-૩ કાગ જીવન મારાં...માળીડની મરજી...વાલા !... ખબરું વિનાનાં ખોદી નાખે.વનરાની-૪ ( મજાદર, તા. ૧૬-૧૧-૫૪) દુલા કાગ ((((કઘિશ્રી દુલા કાગ. સૃદિ-alથDDDDDDD) Page #126 -------------------------------------------------------------------------- ________________ ભગત બાપુ શ્રી હરિસિંહજી અ. ગાહિલ રાજકોટમાં રાષ્ટ્રીય શાળામાં હિન્દી સાહિત્યના કવિવર દિનકરજીની હાજરીમાં તે દિવસે ભગતબાપુએ ગાયું તે માત્ર સ્વરચીત એક જ ગીત વાદળી.” પરંતુ તેની પૂર્વભૂમિકાએ જ પાણા મે કલાક લીધા. મંત્રમુગ્ધ એવી માનવમેદનીએ ત્યારે તેમના કંઠમાં ઘુઘવતા સાગરના ગંભીર નાદ સાંભળ્યા, આષાઢીલા મેરલાના વિયેાગી ગહેકાટ સૂણ્યે, વિત્તે ગણ નારીના ઊર્મી ભાવના રચાતા ચિત્રના દર્શનને અનુભવ કર્યાં. ઝાંખા ઝાંખા પણુ સ્મરણપટમાં ચીતરાયેલ એ દિનકરજીના શબ્દોના ભાવ હતો. ‘માત્ર ગુજરાત જેવા નાનકડા પ્રદેશ અને પ્રાદેશિક ભાષાના એ લોકકવિ માટે ‘મહાકવિ' શબ્દ નાનકડો પડે છે. તેમની એળખાણ કે સરખામણી તો થઈ શકે શેલી વ ઝવ, બાણ કે ભવભૂતિ સાથે ! હીરાને તેા ઝવેરી જ પારખી શકે એ ઉક્તિ ઉપરથી સમજી શકાશે કે પદ્મશ્રી ભક્તકવિ દુલાભાઈ કાગ એ કઈ કોટીના કવિમાનવી હતા ? સને ૧૯૪૭ની સાલ. વરસા બાદ ગુલામીની જ જીરામાંથી મુક્ત થયેલ ભારત. દિલ્હીના મંત્રાલયમાં તે દિવસ ભારતભરમાંથી રાજપુરુષો, દેશભક્તો અને અનેક માનવીનેા મેળે ભરાયેલ હતા. ભગતજી પણ તે દિવસે દિલ્હીમાં. તે દિવસે એ મહાન મંત્રા લયમાં આ છેડેથી પેલા છેડા સુધી નાના અને મેટા એવા સૌના મોઢેથી ખેલાતા - એક જ સાંભળ્યેો: લીંબડીવાળા કાકા ફતેહસિંહજી આવ્યા છે.” ભય, કુતુદ્દલ, મૂંઝવણ અને સ ંદિગ્ધતા કોંગ્રેસના શબ્દ દુલા કાગ−૧૫ મોટા મોટા મહારથીઓના મુખ ઉપર છવાયેલ જોતાં કિવ મરક મરક મલકી રહ્યા હતા. હસતા હતા. કાઈ નજીકના સ્નેહીએ સહજ ભાવે પૂછી નાંખ્યું : “ભગતજી ! કેમ મેાઢા પર મલકાટ છે? એ મલકાટની એથે કાંઈ કહેવાના મનોભાવ ભાસે છે ?’’ ખરી વાત” ટૂંકો જ જવાબ. સમજાવીને કહો તો ખરા જેથી સમજણ તેા પડે.’’ “મલકાટ છે. આ જ ભારતના મોટામાં મોટા માનવીનુ નામ સૌના મુખેથી સાંભળું છું. શુ એ માનવી સાવજ કે દીપડા છે? કોઈ દસ માથાને માનવી છે? એ માનવી અહીં શું કોઈ મોટુ લાવલશ્કર લઇ આવેલ છે ? સૌને ફફડાટ શું છે ? તેને આ મલકાટ છે.'' પ્રશ્ન પૂછનાર જવાબમાં રહેલ ગાંભીય` તે ટકારને પારખી ગયા. એવું હતું એ સરસ્વતીના મહાન પુત્રનું વાણીચાતુર્યાં. નવરાત્રીના નવે દિવસ લીબડીના કાકાસાહેબ ફતેહસિંહજીના બગલે ભગતજીની વાણી સાંભળવાના તે એ અનેરા લ્હાવા હતા. ચારણને ખાળીએ જન્મ. સંપૂર્ણ રાષ્ટ્રભક્તિ અને પ્રભુભક્તિમાં રંગાયેલા એ ભક્તકવિના દિલમાં, હૃદયના ઊંડા ઊંડાણમાં પડેલ ક્ષતિઓ પ્રત્યેની મમતાનાં દર્શન તે તેમની દુ:ખભરી છતાં એ ક્ષતિએને ચાબખા ફટકારતી તેમ જ ખમીરની ખેવના અને રાંકપણાની નારાજગી દર્શાવતી વ્યથા તે તેમના કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ Page #127 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ ૧૧૪ રચેલ “નવા નવરાજ'' ગીતમાં શબ્દે શબ્દે બિબીત થાય છે. તેની માત્ર એક જ લીટી અત્રે આપું : “ચાર ડાકુ બદમાશ અનીયા નહિ; હાય રે ! આજ રાજપુત બન્યા બિચારા.” હૃદયમા ક્ષત્રિ – રાજપુતાને માટે સધરાયેલ ભાવના બંધ એ રીતે એકાએક ઉપરની તૂટી વાકધારાના રૂપમાં વહેતા આપણે જોઈ શકીએ છીએ. આવા હતા પદ્મશ્રી દુલાભાઈ કાગ જેએ ‘‘ભગત બાપુ’”ના નામે જાણીતા હતા. ગમે તેટલી બુદ્ધિ ને કલમ ચલાવતાં પણ તેમનુ સંપૂર્ણ ચિત્ર આપવુ મુરકેલ હોઈ તે સ્વસ્થની પાસે મારા નતમસ્તકે વંદન સહિત જ વિરમું', આ નિજાન માટે કાન્યા રચનાર “ રાતે એમણે ફેંટો ઉતારી, ચોટલાના કેશ સમા કરી, પછી પોતાની રચેલી દેવીની, પ્રભુની તેમ જ ચારણ આઈએ’ની સ્તુતિના ઝડઝમકિયા છંદો ગાયા, ત્યારે એમના ઘેરા, ગંભીરા, મંદિર ઘૂમટના ઘટરણકાર શા કંઠના પરિચય થયો. છંદોની જડખાતેાડ શબ્દગૂથણીને આસાનીથી રમાડતી એમની જીભની પણ શક્તિ દેખી. વધુમાં વધુ રસની વાત તે! એ જાણી કે દુલાભાઈ કોઈ રાજદરબારી કવિ નથી, પણ ઘરધણી ખેડૂત છે, અજાચી ચારણ છે તે નિજાનંદ કાજે કાવ્યો રચે છે. લેાકવનના પાકા રંગે એ રંગાયેલા છે. લાકસાહિત્યમાં રહેલી ખૂબીએની પિછાન થયા પછી પોતે એ ગીતા કથાઓને પોતાના લોહીમાં ઉતારી લીધાં છે. તે વધુમાં એમને નવા યુગની પ્રગતિશીલ દૃષ્ટિ છે. લેાકેાનાં દુ:ખ કોને કહેવાય, એ દુઃખની લાગણીમાં શી શી ઊંડી વેધકતા પડી છે, કવિતામાં એ વેધકતાને ઉતારવા માટે કેવા સંયમભર્યા શબ્દાલેખનની જરૂર છે, વગેરે સાન આ પહાડના બાળને, આ પ્રકૃતિને ખાળે ધાવી રહેલા માનવને ઘણી વહેલી વરી ગઈ છે. એમણે રચેલાં નવભાવનાનાં ગીતે એ ગીતેા નથી પણ ગીતેામાં ગૂંથેલી આખ્યાયિકા છે. ભારતવર્ષના રાષ્ટ્રભાવોને, માતૃભૂમિની મનોવેદનાને દુલાભાઈ એ નાનાં કાવ્યાખ્યામાં ઉતારેલ છે. રાષ્ટ્રજાગૃતિના જે ગગાપ્રવાહ દેશમાં વહે છે તેની અંદરથી નાની મોટી નહેરો વાળીને લેાકનાયકે પતાપોતાના જનસમૂહોમાં લઈ જાય છે. દુલાભાઈ એ રાષ્ટ્રગ`ગાના એ પુનિત નીરને કાવ્ય-નહેરે પેાતાના વતનમાં–લાકજીવનમાં વાળી લીધાં છે. (કાગવાણી ભાગ ૧ ની પ્રસ્તાવનામાંથી) કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ —ઝવેરચંદ મેઘાણી Page #128 -------------------------------------------------------------------------- ________________ લોકસાહિત્યના સ્વામી ભગતબાપુ • શ્રી ભાગીલાલ તુલસીદાસ લાલાણી ‘ભગતબાપુન ના પુનિત નામે પ્રસિદ્ધ લોકકવિ અને લોકસાહિત્યના સ્વામી, રામાયણના અંગ ઉપાસક અને લોકભોગ્ય રામાયણના રચિયતા, લેાકજીવન તે માનવતાના અમૂલ્ય ખજાનાને ખુલ્લાં મૂકનાર, કવિના કેાહીનૂર અને મા ગુર્જરીના ગૌરવ સમા, મજાદરના મહામાનવ અન્યને મન અદકેરા આદમી હતા, પરંતુ મારે મન તે તે બધું હાવા છતાં એક સ્નેહાળ, કરૂણામૂર્તિ, વાત્સલ્યભાવથી ભર્યા ભર્યાં. માનવંતા મુરબ્બી અને કૌટુ ંબિક વડીલ અને આદરણીય આત્મજન હતા. ભક્ત કવિ દુલાભાઈ “કાગ” મારાં માદક અને ઉત્સાહના ઉગમસ્થાન હતા. મારી કોલેજકાળની વિદ્યાર્થી અવસ્થાથી માંડી તેઓશ્રીએ જીવનલીલા સ ંકેલી ત્યાં સુધીના લાંબા સમયના વિશાળ પટમાં અનેક મીઠાં સંસ્મરણાના મધુર પ્રસ ંગેા પથરાયેલા હાઈ, પ્રત્યેક પ્રસંગને રજૂ કરવા મારી શક્તિ સીમિત છે. છતાં મારાં સ્મૃતિપટમાં ઉછાળાં મારતાં હું અનુભવી રહ્યો Û અને તે સ્મરણાદ્વારા દિવંગત મુરબ્બી શ્રી સાથેનું સાન્નિધ્ય ભાગવી શકું છું. તે પ્રસંગાને સૌ પ્રથમ પ્રસ`ગ અને કવિશ્રીનુ પ્રથમ દર્શીન મને સને ૧૯૩૮માં શામળદાસ કોલેજમાં થયું. કાલેજના વિદ્યાથી'મ'ડળ અને ‘ડીબેટીંગ યુનીયન'ના મંત્રી તરીકે તેઓશ્રીને જે. બી. પડવાના અગલે આમંત્રણ આપવા ગયા અને કોલેજમાં લેાકસાહિત્યના ડાયરા ગાઠવાયા. તેઓશ્રીની ભરયુવાની, કાજળકાળી અણીદાર દાઢી, લાહી તરવરતા ચહેરા, લાંબા કાળા ભમ્મર જેવા વાળ, મીઠી મધુરી વાણી દ્વારા ચારણી સાહિત્યની રસલ્હાણ કરાવવાની તેમની અમાપ શક્તિ અને મંત્રમુગ્ધ શ્રેતાઓની વધતી જતી ભક્તિ અને એકધારા વાણીપ્રવાહ દ્વારા વક્તા અને શ્રેાતા વચ્ચેની અભિન્નતા મેં પ્રથમવાર અનુભવી અને માણી. ત્યાર પછી તો હું તેમને ભક્ત બની ગયા. ઘણા પ્રસંગો મળ્યા જેમાં તેઓશ્રીના સમૃદ્ધ હૃદયપ્રદેશમાં પ્રવેશ કરવાને મને દુ^ભ હક્ક પ્રાપ્ત થયા. મહુવા તાલુકાના અનેક સામાજિક પ્રસંગોએ તેઓશ્રીની સાથે રહેવાના પ્રસંગ પ્રાપ્ત થયા. હું. શિહેારના કંસારા કુટુબના દીકરા હાઈ, તેઓશ્રીને વાસણની ‘માંડય' સજવાને શેખ પારખી શકયો અને મજાદરના તેમના કાઠિયાવાડી શણગારવાળાં ઘરમાં, મારી અને તેઓશ્રીની સંયુક્ત પસંદગીના ત્રાંબા, પિત્તળ અને કાંસાના હાથઘડતરનાં વાસણાની દેગરડીએ આજે પણ મારી વાતની સાક્ષી પૂરે છે. ૧૯૬૨માં ગુજરાત રાજ્ય વિધાનસભામાં શિહોરવલભીપુર-ઉમરાળા વિસ્તારમાંથી ચૂંટણી લડવાનેા મને આદેશ થયા. મારા સ્વભાવગત કેટલાંક કારણેાથી હું આનાકાની કરતા હતા ત્યારે તેમણે રામાયણમહાભારતની અનેક પ્રસ`ગમાળાએ યાદ કરાવી મને તૈયાર કરી દીધા અને રાજકારણમાં પરાણે પ્રવેશ કરાવ્યા. ૧૯૬૫માં સપ્ટેમ્બરની ૧૯ તારીખે ગુજરાતના મુખ્યમંત્રી સ્વ. બળવંતરાય મહેતા ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે શહીદ થયા તે પહેલાના દોઢ મહિના અગાઉ મહુવા શહેરમાં એક સ ́મેલન હતું તે પૂરું થયા પછી સ્વ. મુરબ્બી શ્રી બળવવંતભાઈ, કુ. મણી કવિશ્રી દુલા કાના સ્મૃત્તિ-ૌથ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ બહેન પટેલ, સ્વ. સરોજબેન મહેતા તથા શ્રી ત્રિભોવનદાસ પટેલ (ગુજરાત પ્રદેશ સમિતિના તે સમયના પ્રમુખશ્રી) સાથે સ્વ. દુલાભાઈ કાગના આમંત્રણથી મજાદર જવાનું થયું. તે રાત્રે જે ડાયરો જામ્યો અને જોકસાહિત્યનો રસથાળ પીરસાય તેના ઓડકાર હજી આવે છે. તે પ્રસંગે શિહોર તાલુકાના થાળા ગામના ચારણના અણઉકેલ પ્રશ્નોની સંપણી કરી મને ઉપર વર્ણવેલા મહાપુરુષોની હાજરીમાં મોટાઈ આપી એટલું જ નહિ પણ આગ્રહપૂર્વક મારી પાસે જીવનના અંત સુધી નાના મોટા પ્રશ્નોના ઉકેલ માટે ઉઘરાણી કરી મને મારી જવાબદારીઓ પ્રત્યે સદા જાગૃત રાખે છે તે ઉપકાર હું ભૂલી શકતા નથી. અને પછી તે અમારું મળવાનું ઈશ્વરે એવું ગોઠવ્યું કે અમારે મળ્યા વિના છૂટકે જ નહિ. કવિશ્રીની નાદુરસ્ત તબિયત-ટી. બી. ની બિમારીએઅમરગઢની કે. જે. મહેતા ટી. બી. હોસ્પીટલની સ્પેશ્યલ રૂમ નં ૧ તેઓશ્રીનું બીજુ મજાદર બની ગયું. મજાદરમાં તબિયત લથડે ને જંથરી આવે, રહે ને સાજા થઈ જાય. જૅથરીના દેવલક્ષણા સેવામૂર્તિ ઠેકટર અને સ્ટાફને સામાન્ય સભ્યો પણ ભગતબાપુની સેવા શુશ્રષા કરવામાં પિતાની જાતને ધન્ય ગણે અને ગૌરવ અનુભવે. વળી જ્યાં રામ ત્યાં અયોધ્યા. દેશના આગલી હરોળના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાને ભગતબાપુની ખબરઅંતર પૂછવા આવે ને અમને બધાને તેમના સંપર્કને લાભ મળે. અમરગઢની પોસ્ટ ઓફિસમાં પણ દેશવિદેશની ટપાલથી થેલે ઉભરાઈ જાય અને અમરગઢથી ભગતબાપુના રોજના ૨૫ કાગળોસરેરાશ-પોસ્ટ ઓફિસ દ્વારા દેશ વિદેશમાં રવાના થાય. અમને ભગતબાપુનો ખૂબ લાભ મળે. અમે તેમના લાડકાં થઈ જઈએ અને અમને તે લાડ લડાવે, પાનો ચડાવે અને સામાજિક સેવાઓ કરવા માટે ઉત્સાહનો સાગર રેલાવે. કાવ્ય સરવાણી સત્તર વર્ષની ઉમ્મરે ટેલી કાવ્ય સરવાણી પછી અટકળ્યા વગર કદી વેગથી, કદી મંથર ગતિએ વહેતી જ રહી છે. એણે અનેક એકતારાઓને સદા રણઝણતા રાખ્યા છે; અનેક સભાઓને કાવ્યગીતથી ગુંજતી બનાવી છે તે અનેક રાત્રિઓને ભજનભાવથી પવિત્ર બનાવી છે. એ કવિતાએ પાષાણને પ્રફલાવ્યા છે. આપણે મોડા મોડા પણ ઘરઆંગણાના આ કવિતાસુવર્ણને પિછાણી શું કે હજી પણ કેઈ પરદેશી એનાં મૂલ મૂલવે ત્યાં સુધી રાહ જોઈશું ? –જયભિખુ કવિઠ્ઠી લ્લા કણસ્મૃતિ ગ્રંથની પર Page #130 -------------------------------------------------------------------------- ________________ પવિત્ર સંભારણાં • મહંતશ્રી રામસ્વરૂપદાસજી ગુરુશ્રી શાંતિદાસજી મહારાજ સાહેબ પરમ કવિવર્ય શ્રીમાન દુલાભાઈ કાગશ્રીનાં પવિત્ર સંભારણાંઓ અનેક લોકોને માટે પરમ શ્રેયપ્રદ તેમજ માર્ગદર્શક બની રહેશે, તેમાં લેશ માત્ર પણ શંકા નથી. તેમને પ્રથમ પરિચય અને મેળાપ મને શ્રી મેરુભાઈ મેઘાણંદભાઈ ગઢવી દ્વારા થયો હતો. પછી તે અવારનવાર મળવાનું થતું. તેમને મારા પ્રત્યેને સભાવ, પ્રેમ અપૂર્વ હતા. તેઓ એક પ્રખર લોક સાહિત્યકાર, કવિવર્ય તે હતા જ; પણ તેમની સદ્ધમ, ઈશ્વર, તથા સંત-મહાત્માઓ પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ તેમજ નિષ્ઠા તે ઍર જ હતાં. તેમનું પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા રવમાન, દેશજાતિ-સમાજ પ્રત્યેનું ગૌરવ ખૂબ જ ઉત્કૃષ્ટ હતાં. સૌથી વિશેષ તો તેઓ પરમ વિશુદ્ધ ભક્તાભા હતા અને ઈશ્વરપ્રેમમાં હંમેશાં તરબોળ રહેતા. લગભગ પંદરેક વર્ષ પહેલાં તેઓ શ્રી અહીં જામનગર શ્રી કબીર આશ્રમમાં દર્શનાર્થે આવેલા, સાથે શ્રી મેરુભાઈ ગઢવી પણ હતા. જ્ઞાનચર્ચા ચાલી રહી હતી. તે પ્રસંગને અનુલક્ષીને સદગુરુ કબીર પરમાત્માની કેટલીક સાખીઓ બોલતા તેઓ ગળગળા થઈ રડી પડવ્યા હતા. અને થોડીક મિનિટો સુધી તે અવાફ બનીને શરીરભાન પણ ભૂલી ગયા હતા. એવી હતી તેમની આંતરસ્થિતિ અને એવા હતા એ પરમ સંત હદયી લેકકવિ સમ્રાટ શ્રી દુલાભાઈ કાગ. આજે ભલે તેમનું પાર્થિવ શરીર નથી. પરંતુ તેમના આવા તો અનેક સંભારણાંઓ અજરઅમર રહેશે કે જેના દ્વારા જનસમાજને પરમ શ્રેયસ્કર પ્રેરણા મળતી રહેશે. એ પરમ દિવ્ય આત્માને મારા આત્મભાવે અભિવાદન હો. છે કપિશ્રી દુલા કાકા ઋદિ-ડથ કોરી Page #131 -------------------------------------------------------------------------- ________________ સારસ્વત પુત્રો સૂઈ ન રહે • શ્રી જયંતિલાલ ત્રિપાઠી શ્રી ભક્તવર કાગ કવિશ્રી માટે કાંઈ પણ લખવું એ તે સુવર્ણને પુનઃ પીળો રંગ ચઢાવવા જેવું છે. સરસ્વતીની સુલભ કૃપાનું આપણા દેશ ઉપર દર્શન કરવાનું મન થાય તે અનેક વિદ્વાનમાં કવિ કાગશ્રીનો સમાવેશ થાય જ. વસ્તુના સ્વરૂપને સ્પશી, અતિશય સરલતાપૂર્વક ભાવની અભિવ્યક્તિ કરી પ્રાસાદ અને ઓજસ ગુણભરેલી મધુર સરવાણીનાં સર્વતોમુખી અભિવહન કવિવરની સિદ્ધ વાણીમાં નિરખવા મળતાં. ચારણી વાડમયને જે સુન્ત કરવાનો યશ કેઈન પણ ફાળે જતો હોય તે તે કવિવરને ફાળે. એમને લેખિની લઈ આકાશના તારાઓ ગણવા ન પડતા અને છાપરાનાં નળીયાં ગણવાં ન પડતાં પરંતુ સ્વયં પ્રસૂતા કવિતા નિયંદિની પ્રત્યેકના હૃદયને સ્પંદન દેતી. રઘુનંદન, યદુનંદન નંદયશોદા નંદનની ઝાંખી કરતી વાણી સાંભળતાં મનુરાગ સ્વાભાવિક રીતે જ ભગવાનમાં જાગૃત થતો. કોઈ પણ રસને સ્પર્શીને બેલે. કોઈ પણ વિષયને સ્પશીને વર્ણવે ત્યારે તેના તલસ્પર્શથી તે શિખર સુધીના નિરૂપણમાં અખંડ રસધારા સચવાતી અને શ્રેતાના હૃદયને કેન્દ્રિત કરી લેતી. “કવિત્વ અને વકતૃત્વ” બન્નેનો સુમેળ ભાગ્યે જ કયાંક સચવાય તે ઉભયને સંગમ કવિશ્રીમાં જોવા મળત. આમ છતાં વિદાદર અને સૌમનસ્ય ગુણો તે તેઓના નિત્ય પડછાયા સમા સાથે જ રહેતા. ડાકોરમાં પૂ. શ્રી મેહનદાસજી મહારાજશ્રીના જ્ઞાનસત્રમાં કવિવર અને સંતવર પૂ. શ્રી રવિશંકર દાદાની સાથે અમુક દિવસો સત્સંગમાં ગાળવાનું સૌભાગ્ય મળ્યું. યથા સમય તેઓ બને તત્ત્વશીલ પુરુષો કથામાં બિરાજે અને ભગવદ્દ ભાવમાં તન્મય બને. આંખના પલકમાં પાંચેક દિ પસાર થયા. પૂ. દાદાને અનેક લેકસેવાનાં કાર્યોની વરણીમાં જવાનું એટલે એક 'દિના મધ્યાહને પાટડી દરબારના અન્નક્ષેત્રમાંના મારા ઉતારે તેઓ પધાર્યા. મધ્યાનનો ૨ વાગ્યાનો સમય હતો. મારા ખંડનાં દ્વાર બંધ હતાં. અંદર બેસીને ભાગવત ઉપર ગુજરાતીમાં ટીકા લખી વાણી વિરોધનમાં ડૂબેલ હતો. કોઈ બે વ્યક્તિઓ બહારથી વાત કરતી સંભળાઈ. કવિવર બોલ્યા “દાદા, મહારાજ પઢયા લાગે છે હાં !” કવિવરનો લયભર્યા કંઠની હલક મને સ્પર્શી ગઈ. દાદાએ ઉત્તર આપ્યો, “કાગ કવિ ! મહારાજ મધ્યાહને ના પઢે એ તે કાંઈ કામ કરતા હશે.” કાગકવિ બોલ્યા: “પણ બાપુ દ્વાર બંધ છે આપણાથી કંઈ ખખડાવાય !” અને દાદા બોલ્યા. “પોઢયા હોય તે જાગશે.” કાગ બોલ્યા, “બાપલા, જગાડીએ તો પાપ ના લાગે ?' દાદાએ મર્મ વાકય કહ્યું. જાગવા જમેલા વિદ્વાન પઢતા હોય એને જગાડીએ એ તે પુણ્ય કહેવાય.” આ વાર્તાલાપ મેં આછો પાછો સાંભળ્યો. હું સમજે નહીં. વળી આ બે જ્યોતિર્ધર સંત હતા. મારી પાસે એવી કલ્પના પણ નહીં. પરંતુ લાગ્યું કે કઈ મળવા આવેલ પાછા જતા રહેશે એટલે લેખિની અને ફલક લઈ ઉતાવળો દ્વારે દોડશે. દ્વાર ખાલી જ બંધ હતું. બહારથી દ્વારને ધકેલવું અને s€ શ્રા દુલા SIDI Page #132 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં અંદરથી ખોલવું એમ બન્ને સાથે બન્યું અને ત્રણ દૂ છે આંખ ભીની થઈ ગઈ. ક્ષણ મૌને ઘેરી લીધા. - દાદા બોલ્યા : “જુઓ, હું કહેતે હતો ને કે સારસ્વત પુત્રો સૂઈ ના રહે.” અને કવિશ્રી બોલ્યા : “દાદા ! સાચું છે, અમારે જાગતા રહેવું જોઈએ સરસ્વતીની સાધનામાં.” આ પ્રસંગ પછી તે વારંવાર કવિવર કાગને સહવાસ થયા જ કર્યો. છેલ્લા કવિશ્રી કાગની શ્રીમદ્ ભાગવત સપ્તાહથવણની નિષ્ઠા હતી. પિતાના માદરે વતનમાં એ અવસર આવ્યો. આ અવસરે અસ્થિસંચિત કવિવરની કાયા નિહાળી. પરંતુ શરીરની પ્રત્યેક નસેનસમાં કવિશ્રીની ભક્તિને રસ છલકાતે હતો. કયાંય નિરાશા નહીં. દેહ-કલેશની વ્યથા નહીં. ત્યારે લાગ્યું કે સરસ્વતી ઉપાસના સફળ થઈ છે. ટૂંકમાં એક ભક્તહૃદય કવિવર કાગે ચારણી સાહિત્યને મૂર્તિમંત બનાવ્યું છે. એમની કાવ્યવાટિકા કાયમની સુવાસ છે. એ વાટિકા વિકસિત રહે એ કવિવરની નિત્યસ્તુતિ છે. નવપ્રયાણુની પગલીઓ સો સો વાતુંને જાણનારો' એ ભગતજીનું ગીત સાંભળ્યા પછી મારી આત્મપ્રતીતિ થઈ કે અમે કોઈ હજુ આ કવિની માફક ગાંધીજીવનની બારીક રેખાઓ લેકવાણીમાં પકડી શકી નથી. એની ખૂબી તે અનેરી જ છે. ગ્રામવાણી, જેના પર અર્થઘનતા આણી ન શકવાને સાક્ષરી આરોપ છે એ ગ્રામવાણી જેને નૂતન ભાવનાં ઊંડાણે ભેદતાં નથી આવડતું એમ કહો છો એ ગ્રામવાણી અહીં પોતાનું અદ્ભુત સામર્થ અજમાવી શકી છે. ભગતજીની કવિતા નવા યુગના રંગમાં ઝબોળાતી થકીય પિતાનું ઘટ્ટ, કઢાયેલું કાવ્યતત્ત્વ પાતળું પડવા દેતી નથી. એનાં ગીતોને શબ્દમરોડ વધુ ને વધુ ચેટદાર, વધુ ને વધુ સંગીતમય, વધુ ને વધુ દ્રવત બને છે. સોરઠા-દુહાઓ હરકોઈ પ્રભાતે, પહોર બપોરે અથવા ભાંગતી રાતે મરશિયારંગી ઢાળે નાખીને ભગતજી જ્યારે ગાતા હોય છે ત્યારે એમના કંઠમાં એકતા મંડાઈ જાય છે. એ દુહાના ગાન ઊર્મિઓના કપાટ ખેલાવે છે. આત્માને જો કોઈ વાચા હોય તો તે આવી દુહા-ગીતની જ ટપકતી વાચા હશે ! દુલા ભગતની નવીન રચનાઓમાં નવ-પ્રયાણની પગલીઓ છે માટે હું એને સન્માનું છું. છતાં જનવટના સામર્થ્યને સુમેળ આ નવીન સર્જનમાંથી એ ચૂકવ્યા નથી. માટે એ મારા વિશેષ અભિનંદને ની વસ્તુ છે. (કાગવાણી ભાગ ૨ની પ્રસ્તાવનામાંથી) –ઝવેરચંદ મેઘાણી કન કણિી દુલા કાણા મૃnિ-iણ છે ન Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રિયદર્શીને કોણ પરાયું? • શ્રી નિરંજન વ્યાસ સ્નેહીભરી નજરથી જોનાર સૌને ગમી જાય છે, મીઠી વાણી ખેલનારને કોઈ પરાયું લાગતુ નથી. અહીં એક આવા પ્રિયાલા મહાનુભાવને સ્મરણાંજલિ અપાય છે, જેણે પોતાની વડાઈથી પોતાના કુળને, જ્ઞાતિ-સમાજને, પ્રદેશને અને સમસ્ત ભારત દેશને ગૌરવ અર્પી છે. કોઈના તરફે કશા પક્ષપાત વગર સૌને એકધારી રીતે, પોતાના પ્રેમભક્તિના નિર્મળ ગાનમાં ગુલતાન કરી નિર્ધારિત વિદાય મેળવી લીધી છે. જેણે કાઈ વાડા કે સંપ્રદાય, વાદ કે પક્ષ, દેરીડેલી કે દેવડીના જ અનુયાયી નહીં બની રહેતાં, બહુજના હિત માટે, બહુજના સુખ માટે તટસ્થ ભાવે લેાકસાહિત્યની–લાકગીતેાની મશાલ ધરી છે. જેણે ગામડાના ઘરધણીની ડેલીથી લઈ ને દિલ્હી દરબારના દીવાનખાના સુધી, એકસરખા ઉલ્લાસથી લેાકગીતાની જમાવટ કરી સૌને રસ-તમેળ કરેલ છે. નાનાં કે મેટાં, ગરીબ કે તવ'ગર; સાક્ષર કે નિરક્ષર, સૌ સાથે મિત્રતા કેળવી છે. સ્નેહ બાંધ્યા અને નિભાવ્યા છે. આદરમાન મેળવ્યાં અને આપ્યાં છે. કોઈ પણ ચારણના દીકરાને દોહા અને છંદ જોડતાં કે ખેલતાં આવડે એવી ઘણાંની સમજણ છે, માન્યતા છે. અહી એક એવી વિરલ પ્રતિભાને યાદ કરીએ છીએ, જેની પાસે સરળ-સચોટ શૈલી છે, માર્મિક અને પ્રાસાદિક ભાષા છે. પ્રેમ-ભક્તિ, જ્ઞાન અને વ્યવહારકુશળતાથી રચેલાં લોકગીતેા છે, જેણે ગુજરાતી લોક-સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવ્યું છે. લોક-સાહિત્યના આધુનિક દૃષ્ટા સ્વ. શ્રી મેધાણીભાઈ અને શ્રી પીગળશીભાઈ પાતાભાઈની હરાળમાં જેણે ગૌરવભર્યાં પ્રવેશ મેળવી લીધેલ છે. ઊંચા, સ્થૂળ કે પાતળા નહીં તેવા સપ્રમાણ પ્રભાવશાળી દેહ, તેજસ્વી છતાં ભાવવિનમ્ર સાનમાં સમજાવે તેવી આંખા, ક'ઠમાં કાંસાની ઝાલર સમેા મધુર-ગંભીર રણકાર, સ્વચ્છ સુગંધી તાજાં ફૂલઝરતી છટાદાર વાણીની મીઠાશ, કાયમી એકસરખાં સાદાં સ્વ-સફેદ કપડાં અને મહર્ષિ જેવી લાંબી દાઢીથી સાત્ત્વિક ભાવે એપતા છતાં સંસાર-વ્યવહારના આટાપાટાના અચ્છા જાણભેદુ; જરૂર પડે તે ભલભલા ખેલાડીને રમાડી શકે તેવા હતા–સૌના સન્માનિત અને અને મારા આદરણીય ભક્ત કવિ શ્રી દુલાભાઈ “કાગ.’’ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-પ્રાથ Page #134 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક મીઠાં સ્મરણો | શ્રી ચિતરંજન રાજા દુલાભાઈ કાગ-ભગતબાપુ-એટલે હરતું ફરતું ચારણી સાહિત્ય. ડગલે પગલે સાહિત્યનું એક એક સંભારણું થાય. એમના નજીકના સંપર્કમાં આવનાર આવા સંભારણાથી એટલા સભર થાય કે લખવા બેસે તો સંભારણાની વિપુલતા જ એને હંફાવે. કયું સંભારણું લખવું અને કહ્યું છોડવું ? દરેક પ્રસંગને એનું આગવું પિત. કયે પ્રસંગ ઓછો મહત્ત્વને અને કયે વધુ મહત્ત્વને એ નકકી ન થઈ શકે. ભગતબાપુનાં સંભારણાં લખવા બેઠો છું ત્યારે હું પણ આવી જ મુસીબત અનુભવી રહ્યો છું. સાલ તે યાદ નથી પણ એક વખત આકાશવાણી તરફથી અખિલ ભારતીય લોકસંગીત ઉપર એક સેમીનાર રાજકોટ મુકામે યોજાયેલ. દરેક પ્રાંતમાંથી આ વિષયના સંશોધકો અને વિદ્વાને પોતાના નિંબંધ વાંચવા આવેલા. પ્રસંગનું પ્રમુખ૫૬ ભગતબાપુને સંપાયેલું. સેમીનારમાં ભાગ લેનાર તામિલનાડુનાં એક બહેન જેઓ આ વિષયમાં પીએચ. ડી. હતાં, એમણે નિબંધ અંગ્રેજીમાં વાંચ્યો અને વસ્તુના સમર્થનમાં જ તામિલ ભાષાનું એક કવિત ગાયું. બાપુ ભાષા તે નહોતા સમજતા પણ આ કવિત ચારણી સાહિત્યને એક છંદ જ લાગે. તામિલ ભાષાને અને ડીંગપને કંઈ સંબંધ ખરો? એ પ્રશ્ન પણ થયો. બાપુને તે આ કવિતામાં એક લઘુને પણ ફરક લાગે. બહેને જ્યારે પૂરું કર્યું ત્યારે ભગતબાપુએ મારા મારફત એ બહેન પાસે ઉપલી વાત મૂકી. એ બહેનને આ વાત ગળે કેમ ઉતરે ? પણ ભગતબાપુએ કંઈ પણ દલીલ કર્યા વિના ચારણી છંદ ગાઈ બતાવ્યો અને પેલાં બહેનની ક્યાં ક્ષતિ થાય છે એ પણ સમજાવ્યું. ખૂબી તે એ છે કે એ બહેને એ ક્ષતિ કાઢી નાખી ગાયું ત્યારે એમને પિતાને પણ આશ્ચર્ય થયું. તામિલ ભાષાને ડીંગપ સાથે શું સંબંધ એ તે એક સંશોધનને વિષય છે. એક બીજો પ્રસંગ યાદ આવ્યું : આકાશવાણી તરફથી જૂનાગઢથી લોકસાહિત્ય શાળામાં રેકેડીગ થતું. તેમાં હાજર રહેવું એ એક અનેરો લ્હાવો હતો. એક વાર ચારણી ભવાઈ ઉપર, વાત નીકળી. બાપુએ રેકેડીગ ન કરવાની શરતે ઊભા થઈ જે હળવાશથી અને ભાવપૂર્ણ ગીતે ગાયાં એ આનંદ તે અવર્ણનીય છે. એક વધારે પ્રસંગ યાદ આવે છે. બાપુ તો ગુજરાતી ભાષાના અને તેમાં પણ લોકકવિ એટલે રાષ્ટ્રીય ફલક ઉપર તેઓ અજાણ્યા રહી ગયેલા. ભાઈ શ્રી ઢેબરભાઈનું આ વાત ઉપર મેં ધ્યાન ખેંચ્યું કે રાષ્ટ્રીય કક્ષાએ કવિશ્રીનું સન્માન થવું જોઈએ. આ વાત ભાઈ શ્રી ઢેબરભાઈને ગળે ઉતરી. તેઓ એ વખતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કચેરીના પ્રમુખ હતા. એમણે એ વખતના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદને ત્યાં બાપુ પાસે રામાયણનો એક પ્રસંગ રજૂ કરાવે. બાપુએ એ પ્રસંગ તુલસીદાસજીની ચંપાઈ તેમજ ચારણ શૈલીમાં રજૂ કર્યો. પ્રસંગ હો રામવનવાસનો જેમાં સીતાજીએ તે સાથે જવા સંમતી મેળવી લીધી પણ ઊર્મિલાને લક્ષ્મણે સંમતિ ન આપી. એટલે તેને પતિથી વિખૂટી પડી ઘેર બેસી રહેવું પડે છે. કવિશ્રીએ આ પ્રસંગને ઉઠાવ એ રીતે કર્યો કે ત્યાગ કોન વધે સીતાને કે ઊર્મિલાને ? પછી ઊમિલા છે કnશ્રી દુલા કાકા સ્મૃIિ-ડાંથી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ સાથે આત્મસાત થઈ પિતાની મેઘાવી બાનીમાં ઊમિલાની મનોવેદના જે રીતે રજૂ કરી તેથી તે શ્રી રાજેન્દ્રબાબુની આંખોમાં ઝમઝમીમાં આવી ગયાં. આવા અનેક પ્રસંગોના મીઠાં સ્મરણો આપણને આપી જનાર આપણી વચ્ચે નથી એ પણ એક સંભારણું જ છે ને ! અલબત દુ:ખદ ! • સાચે દેવીપુત્ર એમની શક્તિ, શુદ્ધ બુદ્ધિ તથા ઉદાત્ત ચરિત્રની મારા મન ઉપર ન ભૂંસાય તેવી આહલાદક છાપ પડી છે. મારી એ છાપને જે સૂર મારા મનમાં ગૂંજે છે તે એ છે કે જિંદગીમાં મેં એક ખરા દેવીપુત્રનું દર્શન કર્યું. અનેક આધુનિક કવિઓ એવા પણ છે કે જેની કવિતા વાંચી–સાંભળી હૃદય ગદગદ થઈ જાય અને રસાનુભવમાં તરતું લાગે. પરંતુ કાગની શક્તિ ઓર છે. એમની કવિતાને પ્રાણ એમની સચ્ચાઈ અને યથાભાષી–તથાકારી, એ સૂત્રમાં રહેલું છે. યથાભાષી-તથાકારીના આ ગુણે “ભૂદાનમાળા'માં કાંઈક એવું તેજ મૂકયું છે કે કવિશ્રીની બીજી સંખ્યાબંધ આકર્ષક કતિઓ કરતાં પણ એ ચઢી જતી હોય એમ મને તે લાગ્યું છે. એક તો માત્ર ભૂતકાળ ઉપર નજર ન રાખતાં વર્તમાનકાળને પારખવો, એ જ અઘરું; અને વર્તમાનકાળને નજર સમક્ષ રાખ્યા છતાં એના ઘડવૈયા ૩ પુરુષ તરફ શ્રદ્ધા વાળવી, એ તેથી ય અધરું; અને શ્રદ્ધા વાળ્યા છતાં શ્રદ્ધા પ્રમાણે વર્તવું અને બોલવું, એ તે તેથી ય અઘરું. આ બધાં અઘરાં અને દુર્ગમ શિખરે કવિ કાગે સર કર્યા, તેથી જ આ ભૂદાનમાળા એમની કૃતિઓમાં મૂર્ધન્યપદ પામી હોય એમ લાગે છે. આ ચારણકવિએ પ્રકૃતિ અને જીવનના એકે એક ક્ષેત્રમાંથી કેટકેટલી વસ્તુઓ પકડી છે; અને એ વૃક્ષો, ગાડાં, વાડી, નદી, પર્વત, પક્ષી, આકાશ આદિ સૃષ્ટિનાં વિવિધ પાસાને ઉપમા, ઉપ્રેક્ષા, રૂપક આદિરૂપે લઈને અને એનાં પ્રતીકો જીને પિતાનું અમૂર્ત હાર્દ કેવી રીતે મૂર્ત કર્યું છે. પ્રતીકને આ એક અખૂટ ખજાનો છે. તેથી એ સાહિત્યિક જગતને સહાયક થવા ઉપરાંત લોકજીવનને નવી જ પ્રેરણા આપે તે પણ છે. એમ લાગે છે કે આ કવિએ તે પ્રાચીન વારસાને બધી રીતે સાચવ્યો છે અને વધારામાં નવયુગનાં આવશ્યક બળો અને સંસ્કારો પણ ઝીલ્યા છે. તેથી એમનાં કવિતા-ગીત સાંભળી રખે કઈ માની લે કે એ ચારણકવિ માત્ર જનવાણી ચીલે ચાલનાર છે. (કાગવાણી ભાગ ૬ ની પ્રસ્તાવનામાંથી) –પંડિત સુખલાલજી (કgિશ્રી કુણા કાકા સ્મૃતિ-થDDDDDD) Page #136 -------------------------------------------------------------------------- ________________ ભારતના લાકકાવ શતાવધાની જૈન તિશ્રી જયંતમુનિ કાગના જન્મ અને છતાં તેએ સ્વ. ભક્ત કવિ દુલા સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં થયા વિરાટ ભારતના લાકકવિ બન્યા એટલુ જ નહિ તેશ્રીએ પદ્મશ્રીની પદવી પ્રાપ્ત કરી. ભક્તકવિ દુલા કાગ લોકગીતો રચીને પોતાના સ્વકંઠે ગાઈ ને લોકહૈયામાં પોતે અપૂર્વ સ્થાન મેળવી અમર બન્યા છે. સ્વ. ભક્ત કવિ દુલા કાગના પરિચય લોકગીત ગાયક રતિકુમાર વ્યાસ મારફત થયા હતા તે પરિચય અંગત સ્વરૂપે બની ગયા હતા. તેઓશ્રીની તબિયત સારી હતી ત્યાં સુધી અમારુ મિલન-અવાર નવાર થતું તેમજ પત્રવ્યવહાર પણ થતા. મારા ઉપર ખૂબ જ પ્રેમ હતા. જ્યારે મળીએ ત્યારે તેમની રસભરી વાતો સાંભળ્યા જ કરીએ તેમ થયા કરતુ. એક વખત એમણે પોતાના ગામ (મજાદર) આવવાનુ મારી પાસેથી વચન લીધેલું, તે વાતને હું ભૂલી ગયા. થાડાંક વર્ષ નીકળી ગયાં. એ વ પહેલાં તેઓશ્રીએ વિસરાઈ ગયેલ વાતને યાદ કરી તે તે વચન પૂરૂં કરવા મજાદર ગયા. પરવશ શરીર થઈ ગયેલ છતાં મને ખાટલા ઉપર બેસાડી તેએ એ પોતાની ખુરસીને મારી બિલકુલ નજીક લાવી મને ભેટી પડયા. આ જ પ્રેમની સરવાણી આ લખતાં લખતાં મારી નજર સમક્ષ તરી આવે છે. તેઓશ્રીની મહેમાનગતી જોઈ તેમણે “આવકારા મીઠો આપજે’તુ લોકગીત રચેલ છે તેટલું જ નહિ જીવનમાં ઉતારેલ છે તેવી ઝાંખી થયા વગર રહેતી નથી. જૈન સાધુ જીવનમાંથી જૈન પતિ જીવનનુ પરિવર્તન અનેક ઝંઝાવાતા ને બદનામ થઈ જવા સુધીના અનેક પ્રસ ંગા થયા છતાં તેઓશ્રીએ મારી ઉપર ઉદાર દૃષ્ટિ રાખી એ જ અખંડ પ્રેમ–સ્નેહ ને લાગણી રાખી કહેતા કે “તમે નિર્દોષ ને નીડર છે.” તેએશ્રીનાં લોકગીતા મારા કંઠ ન હોવા છતાં મતે ગાવાના ખૂબ જ શાખ. જ્યાં જ્યાં હું પ્રવચન કરવા જાઉં છું ત્યાં પ્રથમ પ્રવચનમાં ‘છાના કરીશ માં કામ”તુ ગીત ભાવ સહિત વિસ્તારથી સમજાવું છું. મારે સાબુ રે થવુ` છે. જીવતર ખાવા માનવીના ધોવા મેલ રે...જી.” આવાં અનેક લોકગીતોની રસલ્હાણ ચાતુર્માસ (પ`પણ)માં આપતો રહું છું. ભક્ત કવિ દુલા કાગ આ દેહને છેાડી ગયા છતાં અક્ષરદેહે હરહંમેશ આપણી સાથે જ રહેશે ને લાકહૈયામાં તે લાકાના કંઠે તે કણમાં ગુંજતા રહેશે. કમ ભૂમિમાં જન્મ લઈને જીવનમાં જીવી જાણ્યું વિચારના અક્ષરદેહને કાવ્યરૂપે પ્રગટાવી જાણ્યું;— દુલ ભ જીવન સાર્થક કી'; લાકહૈયામાં વાસ કરી લાગણીઓના ધાધ વહાવી,કીતિ ફેલાવી સાવધરહીકાળને સ્વાધીન બનીને અમર નામના પ્રાપ્ત કરી ગયા મૂકી તમે અમેને યાદી રહેશે હરઘડી. કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ Page #137 -------------------------------------------------------------------------- ________________ આજ મને મોજ આવી છે • કાન્તિભાઈ કારિયા મેઘાણીભાઈ અંગેના એક ગ્રંથનું ઉદ્ઘાટન હતું. આ વખતે બાપુના નામથી હું પરિચિત પણ અંગત રીતે મારે સંબંધ ન હતે. મને એ પ્રસંગમાં જવાનું આમંત્રણ હતું તેથી ગયો હતા. શ્રી ગગનવિહારી મહેતા પ્રમુખ હતા. એક પછી એક વક્તાઓ બોલતા હતા પણ કોઈને તેમાં રસ ન હતું, સૌ બાપુ સામે તાકી રહ્યા હતા. અને બાપુને વારો આવ્યો : મેઘાણીભાઈએ ચારણી સાહિત્યની કરેલી સેવા અને ચારણી સાહિત્ય એ વિષે બાપુ એકધારું અખલિત બોલ્યા. આ વખતે દેશના મહાન કવિશ્રી મૈથિલીશરણ ગુપ્ત હાજર હતા. બાપુના વ્યક્તિત્વ ઉપર આખી સભા મંત્રમુગ્ધ થઈને ડોલી રહી હતી. અને જ્યાં બાપુએ પિતાનું બોલવું પૂરું કર્યું ત્યાં મૈથિલીશરણ ગુપ્ત ઊભા થયા અને બોલ્યા કે “આજ હું તૃપ્ત થયે. ઘણાં વર્ષની મારી ઇચ્છા ચારણી સાહિત્ય સાંભળવાની હતી, તે આજે દુલાભાઈ કાને પૂરી કરી. અગર આવતે જન્મ અવતાર લેવાની પસંદગી મળશે તો હું ચારણને ઘેર અવતાર લેવાનું પસંદ કરીશ. ધન્ય છે દુલાભાઈ કાગની વાણીને, એના જ્ઞાનને, એના કંઠને, અને શૈલીને હું મારું મસ્તક નમાવું છું.” આ પછી બાપુના પરિચયમાં હું આવ્યું. તે છેલ્લા દશ વર્ષથી પરિચય છે. એટલું જ નહીં પણ ઘરેબે છે. રાજકોટમાં આવે ત્યારે મારે ત્યાં ઉતરતા, સાથે ડાયરો તે હોય જ અને બહારથી મળવા આવનાર પણ ઉભરાય. આખો દિવસ વાતે, વિનોદ અને હોકાના ગુડગુડાટ ચાલતા હોય. બહાર પણ જવાનું હોય, ઉજાગરો તે રોજે થાય જ. આથી મનમાં થાય કે બાપુ આટ આટલો શ્રમ લે છે છતાં આટલી તંદુરસ્તી અને તાજગી કઈ રીતે ભોગવી શકતા હશે ? તેનું રહસ્ય મારે ત્યાં રહ્યા ત્યારે આપોઆપ જાણી શકાયું કે અમારે ત્યાંના વસવાટમાં મારાં પત્ની હરખમાં આવીને જાતજાતની અને ભાતભાતની ખાવાની વાનગીઓ બનાવે. બાપુને પણ પરસ થાય અને એને અન્નપૂર્ણા કહીને બોલાવે, ક્યારેક બિરદાવે પણ ખરા ! અને મારાં પત્ની પણ પાછું વાળીને જએ નહીં અને ભાતભાતનાં ભોજન બનાવે. બાપુ જમવા બેસે. બધી જ વાનીઓ પીરસાય પણ બાપુને કઈ પણ વાની ઉપર આસક્તિ નહિ. જોઈ જોઈને હરખાય પણ તેમાંથી એક કટકી જ ચાલે, પેટ ભરીને કદી પણ ખાતા મેં જોયાં નથી. બહુ આગ્રહ કરીએ ત્યારે કહેશે કે અમૃતનાં બે ટીપાં જ બસ છે. એનાં કુંડા ભરીને ચેડાં જ પીવાય બાપલા ? અને બીજા એને આગ્રહ કરી કરીને જમાડે. બાપુ નખજમણા હતા અને આ જ હતું એમની તંદુરસ્તીનું રહસ્ય ! ' બાપુ રાજકોટ આવે ત્યારે અનેક માણસો મળવા આવે, તેમાં જાતજાતની અને ભાતભાતની રુચિ અને ઈચછાવાળાં આવે. બાપુ સૌને સંતોષે. આમ એમને આખો દિવસ ચાલ્યો જાય, પણ અમારી સાથે વાત કરવાની એક મિનિટ પણ મળે નહિ. એક રાત્રે પથારી કરી સૌ સૂતાં અને અમે બીજા દિવસની તૈયારીમાં રોકાયેલાં હતા ત્યાં આવીને કહે કે બધું કામ પડતું મેલે અને મારી પાસે આવીને બેસે. અમે તો ગયાં અને બાપુની સામે જ બેઠાં. બાપુએ વાતો શરૂ કરી. એકાદ . કવિશ્રી દુલા ઉગ સ્મૃતિ-ગુંથી Page #138 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં કલાક થયા હશે અને અમે બાપુને વિન ંતિ કરી કે બાપુ આપ થાકી ગયા હશે. હવે આરામ કરો તે કહે કે જુએ, હવે તમે મને વચમાં વચમાં આરામ બારામ કરવાનું કહેશેા નહિ. આજ મને મેાજ આવી છે. હુ' એટલુ' અને તમે સાંભળે. અને એમણે ચારણી સાહિત્ય શું છે, તેમાં કેટલું બળ છે, તેનું ઊંડાણ કેટલું છે તે બધું બતાવવાનુ શરૂ કર્યું અને ગીતાભાગવત-મહાભારત-વેદ – પુરાણા અને તે માંહેની કથા-વાર્તાનાં રહસ્યો-કાવ્યોને આવરી લીધાં અને ખગ વાળી દીધા. અમે પણ તૃપ્ત થઈ ગયાં. આમ વાત કરતાં કરતાં સવારનાં પાંચ વાગ્યા ત્યારે બાપુ કહે કે લાવા, દાતણપાણી, અમે કહ્યું કે બાપુઆજ આપ ખૂબ જ થાકથા હશેા. એએક કલાક આરામ કરે। તો કહે કે કાંતિભાઈ, આજ હું ખુશ છું. તમારી સાથે વાતો કરીને આજ હું ‘ફ્રેશ’ થઈ ગયા છેં. બાપુ કયારેક કયારેક અંગ્રેજી શબ્દ પ્રયાગ કરીને ખૂબ જ રમૂજ કરતા. આ બાબતને કોઈ ને અણસાર આવી ગયા હશે ત્યારે બાપુને કહે “બાપુ ! તમે આખી રાત કાંતિભાઈ સાથે વાત કરી અને અમને કોઈ ને ઉઠાડવા પણ નહિ ?' તો બાપુ કહે : “એએ મારા માટે રાત ને દિવસ ઊભાં સુકાય છે અને મારાં દીકરી મને એવું ભાજન જમાડે છે અને ચા પાય છે કે મેં ભાગ્યે જ કયાંય એવા સ્વાદ લીધા છે. તે મારી પાસે જે કાંઈ હાય તે આપવાની માજ તેા આવે ને? મને મેાજ આવીને મે' પૂરી કરી. આજ હુ` ખૂબ જ આનંદમાં અને ફ્રેશ છું.” બાપુના મેનને આંખની તકલીફ. મેં કહ્યું, “બાપુ ચાલોને આપણે એમને વીરનગર લઈ જઈ એ ?’’ બાપુ પણ સહમત થયા અને બેનને અમે વીરનગર લઈ આવ્યા. ત્યાં અધ્વર્યુ સાહેબે બાપુનુ સ્વાગત કર્યું` અને મેન માટે બધી જ વ્યવસ્થા ગેાઠવી આપી અને સાથેા સાથ બાપુને રહેવા માટે પણ વ્યવસ્થા ૧૨૫ ગોઠવી. બાપુની ઈચ્છા રાજકોટ રહેવાની. અધ્વર્યુ સાહેબને એમ કે બાપુ અહીંયા રહે તે રાજ ને રાજ કંઈ ને કંઈ લાભ મળે. આમ એમણે પોતાની ઈચ્છા મારી પાસે વ્યક્ત કરી. મે બાપુને કહ્યું તે બાપુ કહે “આજ તે રાજકોટ ચાલે પછી વિચાર કરશું.” મારી પાસે વાહનની સગવડ હતી અને અમે રાજકોટ ગયા. રાજ રાજકોટથી આવજા કરીએ. એક વખત અધ્વર્યુ સાહેલ્મે બાપુને સાંજની પ્રાર્થનામાં ભાગ લેવાનું અને ત્યાર બાદ રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું જે બાપુએ સ્વીકાર્યું. પણ વિનંતિ કરી કે તમે આ બાબતની જાહેરાત કરશે નહિ. અધ્વર્યુ સાહેબ કબૂલ થયા પણ એમ કઈ સૂરજ છાબડે ઢાંકયો રહે ? બાપુ ધીરનગરમાં આવ્યા છે એવુ જાણીને જ રાજ રાજ લેાકેા તપાસ કરતાં કે બાપુ કયારે લાભ આપવાના છે? આમ લાકડીયા તાર પહાંચ્યા અને સાંજથી જ લોકો આવવા લાગ્યાં. રાત્રે પ્રાથના વખતે હાલ તેા અકડેઠઠ ભરાઈ ગયા અને બહાર ચેાગાનમાં માણસા ઉભરાવા લાગ્યાં. પ્રાર્થના થઈ અને અધ્વર્યું સાહેબે બાપુને એ ખેલ કહેવા અને અનુકૂળ હોય તેા ભાગવત વિષે એ એટલ કહેવા માટે વિન ંત કરી. બાપુએ ખેલવાનુ શરૂ કર્યું.... બરાબર એક કલાક સુધી એમની અસ્ખલિત વાણીમાં પ્રવચન કર્યું. સાંભળનાર મંત્રમુગ્ધ થઈને સાંભળતા હતા અને રસમાં તરયેળ થતા હતાં અને ખેલવાનું પૂરુ થયું અને અધ્યયુ` સાહેબ ઊભા થયા અને કહે કે “આજ દિવસ સુધીમાં ભાગવત અંગેનાં ઘણાં પ્રવચને સાંભળ્યા છે, વાંચ્યુ' છે પણ બાપુ પાસેથી સાંભળીને ભાગવત શું છે તેનું રહસ્ય જાણ્યુ' તેવું કોઈની પાસેથી પણ જાણ્યું નથી. આજ હું કૃતાર્થ થયા. તૃપ્ત પણ.’’ આમ અનેક દિવસનુ સાટુ' બાપુએ એક જ દિવસમાં વાળી આપ્યું. આ પ્રેરણાથી પ્રેરાઈ તે અષ્યવું સાહેબે એક વખત ઇચ્છા વ્યક્ત કરી કે કવિ] દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ Page #139 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ - ગ્રંથ ૧૨૬ રાજકોટમાં દ્દિવ્ય જીવન સધનુ' સ ંમેલન થવાનુ છે તે પ્રસંગે બાપુ જો પધારે તે મને ગમશે. બાપુને આમંત્રણ આપવા હું ખાસ મજાદર ગયા અને બાપુએ એ આમ ત્રણ સ્વીકાર્યું. અને બાપુને મજાદર જઈ તેડી લાવ્યેા. બાપુ સંમેલનમાં પધાર્યા. આ સંમેલનમાં પૂ. સ્વામીશ્રી ચીદાનંદજી મહારાજ પણ હાજર હતા અને બીજા અનેક સાધુ સંતો પણ હતા. જ્યાં માત્ર ધાર્મિક પ્રવચના થતાં હતા ત્યારે મારા મનમાં વિચાર આવ્યા કે બાપુ આ બધા સાધુસ ંતાની વચ્ચે અને જ્યાં આ શ્રી સ્વામી ચિદાનજી મહારાજની હાજરીમાં શુ ખેલશે ? ત્યાં તે બાપુને ખેલવાની વિનંતી થઈ અને બાપુએ પેાતાનું પ્રવચન શરૂ કર્યું અને ધર્માં એટલે શું? એ વિષે એક કલાક ખેલ્યા. શ્રેાતાએ મંત્રયુગ્ધ થઈને સાંભળતા હતા અને કેટલાક તે આવું પ્રવચન સાંભળવા માટે ધન્યતા અનુભવતા હતા. બાપુએ પ્રવચન પૂરું કર્યું અને તરત જ પૂ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ ઊભા થયા અને ખેલ્યા કે “ઘણા વખતથી ચારણની વાણી સાંભળવાની ઇચ્છા હતી પણ માર્કા મલતા ન હતા આજે ભગવાને એ ઇચ્છા પૂરી કરી. ધ વિષે ગહન વિષય આવી સાવ સાદી અને સરળ ભાષામાં સમજાવવાનુ` વિરલ છે. જે આજ મેં કાગ બાપુ પાસેથી સાંભળ્યું. ધન્ય થયો. હું તેા સાધુ મારી પાસે ધન દોલત તેા નથી પણ મારા આ બે હાથ છે તેનાથી હુ આ દેવી પુત્રને પ્રણામ કરું છું. આજ હું કૃતાર્થ થયા.'' આમ બાપુ કે જેને લોકોએ ‘ભગતબાપુ’નું બિરુદ આપ્યું છે એની એક એક પળ સ્મરણિય છે. બાપુ સારઠી સાહિત્ય અને તેમાંય ભક્તિ સાહિત્યના સાગર હતા, જેને નિળ પ્રવાહ રાતદિવસ અસ્ખલિત વહેતા રહેા હતા અને આબાલવૃદ્ધ-ભણેલાં-અભણ સૌ તૃપ્ત થતાં. એવાં ભગતબાપુનું લખેલું અને પુસ્તકામાં સંઘરાયેલું તથા રેડિયામાં ખેલેલું સાહિત્ય પણ ચિરંજીવ છે, અમર છે એથી મહેકા કરશે. આજ એમનાં સ્મૃતિ ગ્રંથા છે. જુઓને હમણાં જ બાપુના અવસાન બાદ અચાનક જ રેડિયા ખેાલ્યેા તે બાપુના કંઠે સાંભળવા મળ્યા. જાણે ઘેર અંધા રામાં વીજળીના ચમકારાથી એક મહામૂ લું રત્ન હાથમાં આવી જાય એવા આનદ થયા અને એમ જ લાગ્યું કે બાપુ હજુ જીવંત છે. એમના કંઠ અને કહેણીમાં અજબ માહિની ભરેલી છે. માર તેા વર્ષા ઋતુમાં જ ટહુકે ત્યારે જ સાંભળનનાર મસ્ત બને ત્યારે ભગત બાપુ તે કોઇ પણ ઋતુમાં હજી ખેલવાની શરૂઆત કરે ત્યાં જ શ્રેાતાએ આન વિભાર બની જતા. ઈશ્વરની એમને અનેાખી અને મહામૂલી દેણ હતી એમની કલમ અને વાણીમાં ભક્તિ અને ભાવ હુંમેશાં નિતરતાં જ હોય એવા સમર્થાં બાપુનાં કયાં સંભારણાં સંભારવાં અને કયાં વિસારવાં એની મૂંઝવણના તે જેને અનુભવ થાય તેને જ ખબર પડે ! મજાદરમાં એક વખત સૌ ડાયરો બેઠા હતા. અને હું પણ ત્યારે હાજર હતા. ત્યાં હુ.થમાં રાવણહથ્થો લઈ ને મારવાડી જેવી એ વ્યક્તિ ડેલીમાં દાખલ થઈ અને રામ રામ કરતાં ડાયરામાં બેઠી, બાપુએ પણ રામ રામ ઝીલ્યા. પાણી આપ્યુ અને ખબર અંતર પૂછ્યા તે જાણવા મળ્યું કે, મારવાડથી આવે છે અને દેશાટન કરીને રાવણહથ્થા ઉપર ભજના ગાતાં ગાતાં જીવન નિર્વાહ કરે છે. ભગતબાપુનું નામ સાંભળી અહીંયાં સુધી આવ્યા છીએ. બાપુએ રામભાઈ તે આ એ ભાઈ એને બે ધાતિયાં આપવા માટે કહ્યું અને અપાયાં પણ તે લેવાનું મન માને નહિ અને કહે કે બાપુ, આખુ કુટુબ છીએ, બૈરાં છેાકરાવ સાથે છે આ એ ધેાતી કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ Page #140 -------------------------------------------------------------------------- ________________ સંભારણાં ૧૨૭ કોણ પહેરે અને ન પહેરે ? સરોવરમાંથી પાણીનાં બે ખોબા લઈ જઈએ તો કોની તરસ છીપે બાપલા ! બાપુએ રામભાઈને કહ્યું : “આને છ દેતી અને છ સાડીઓ આપો.” આવનાર ખુશ થયા. પણ કહે કે બાપુ, ટાઢે કરીએ છીએ કંઈક ઓઢવાનું મળે તો કૃપા કરો. ત્યાં ડાયરામાંથી એકાદ જણ બોલી ઉઠયું કે બાપુ આ લોકો આ બધે માલ જેમ આવશે એમ વેચી નાંખશે. આ કપડાંને કેઈ સઉપયોગ થશે નહિ. ત્યાં વળી બાપુનો હુકમ છટક્યો કે રામભાઈ, એમને એક રજાઈ આપે. ત્યાં વળી કઈ બોલ્યું કે બાપુ, બીજુ તો કંઈ નહિ આ રખડું ટેળી છે. અને આટલું કાપડ નવું અને રજાઈ નવી જોઈને તેના ઉપર વહેમ લાવશે અને હેરાન કરશે. ત્યાં તો બાપુને પાછો હુકમ છુટો કે રામ ! જાઓ પાદર જોઈ આવે. જેટલા જણ તેટલી રજાઈ અને બાળકોને ચાદર અને ખમીસનું કાપડ આપ. સૌ ચૂપ થયા અને છ રજાઈ છે ચાદર, છ ધોતી, છે સાડી અને ખમીસનું કપડું આપવામાં આવ્યાં. કાપડનો ઢગલો થયો અને બાપુએ લખી આપ્યું કે આ ભાઈઓ મારવાડના છે અને તેઓને મેં આ બધું નવું કાપડ તથા રજાઈએ આપેલાં છે તો તેને કોઈ હેરાન ન કરે. આવનાર તૃત થઈ ગયાં અને એક કવિતા બોલ્યા અને રાજી થતાં વિદાય થયા. બાપુની ઉદારતાને અમે સૌ વંદી રહ્યાં. સાધુતાની છાંટથી છંટાયેલું ગૃહસ્થનું કલેવર દુલા ભાયા કાગ” આ છ અક્ષરમાં સૌરાષ્ટ્રના એક ખમીરવંતા માનવીનું આખું નામ છપાયેલું માત્ર વંચાતું નથી; પણ એમાંથી સંભળાય છે, કાળજના સૌરાષ્ટ્રની સબળ અને સુકોમળ, મીઠી અને બુલંદ તથા ભવ્ય અને ભાતીગળ કવિતાને હૈયાને હલાવતે એક અજબ રણકાર. દુલાભાઈ એટલે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ચારણી સાહિત્યની એક સારીય સંસ્થા. દુલાભાઈ એટલે નકરી સજજનતાને વરેલી એક અણીશુદ્ધ કવિતા. દુલા કાગ એટલે સાધુતાની છાંટથી કંટાયેલું એક ગૃહસ્થનું કલેવર. ભક્તકવિ દુલાભાઈ એટલે લાલિત્યને ગજરે, કલાને કટકા, સુગંધનો ટુકડો ને માનવતામાં મળેલી સરસતાનો એક રમણીય ફુવારો. દુલાભાઈની કવિતાનું મૂલ્ય આંકવાનો પ્રયાસ કરવાનો અવસર જ્યારે સામે જ આવીને ઊભો છે, ત્યારે તેને વધાવવાને ખપતું “વખતનું કંકુ” મને મળતું નથી. કાગવાણી ! ઓ કાગવાણી ! તને વધાવનારા બે શબ્દ જ્યારે ઊભા ઊભા જ આલેખી રહું છું, ત્યારે માત્ર એટલું જ લખીને પૂરું કરું કે ગુજરાતી સાહિત્ય તારા વિશ્વકર્માનું સદાય ઋણી હશે. (કાગવાણી ભાગ ૩ની પ્રસ્તાવનામાંથી) -શામદાસ ગાંધી કવિવ્રી દુલા કાગ ઋતિ-ગ્રંથ પણ કીડ Page #141 -------------------------------------------------------------------------- ________________ સર્વ હિતકારી • શ્રી અમરદાસ ખારાવાળા કીરતિ નિતી ભૂતિ ભૂલિ સાઈ સુર સરિ સમ સબકર હિત હાઈ કીતિ, કાવ્ય અને ઐરવર્ય એ ત્રણેયની શ્રેષ્ઠતાની પરીક્ષા એકસરખી જ લેવાય છે, જે ગંગાજીના સમાન સર્વાંનું હિત કરે તેા જ એ પાસ થયા ગણાય. સબ કર હિત એમાં સંમાં વિદ્વાન અને સાધારણજનના સમાવેશ થવા જોઇ એ. ઘણા વિદ્વાન માણસાની કૃતિ એવી હાય છે જે સાધારણ જનસમૂહને સમજવા માટે મુશ્કેલ થઈ પડે છે. ત્યારે શ્રી ભગતબાપુની કવિતા વિદ્વાન અને ગામડાના એક અદના માણસને આનંદ આપે એવી ગંગાના વહેણ જેવી વાણી છે. એમના પ્રથમ પરિચય લીંબડીમાં શ્રી ફતેહસિ હજી કાકા સાહેબના દરબારગઢમાં નવરાત્રી ઉત્સવ વખતે થયો. એએશ્રીની લાકસાહિત્ય માટેની પ્રચારલક્ષી દષ્ટિ અને અન્ય કવિઓની કૃતિ માટે ઉદાર વલણ જીવનભર યાદ આવશે. કાર્યક્રમના બીજે દિવસે પોતાને ગમે તેવા થાક હાય તે પણ પોતે રાત્રે રજૂઆત કરેલા પોતાનાં કાવ્યા કે બીજા કવિના દુહા છંદ વગેરે ગમે ત્યારે ગમે એ કાઈ લખવા માગે ત્યારે એ વખતે તું જ લખી લેવાની અનુમતી આપી દે. આવી હતી એમની ઉદાર વૃતિ. આજથી પચીશ વર્ષ પહેલાંને સમય જરા જુદા હતા. મારી કવિતા, મારી વાર્તા, મારા ખેલેલા દુહા બીજાને ન આવડવા જોઇ એ.' આવા સંકુચિત કાળમાં એઓશ્રીએ જે લોકસાહિત્ય પ્રત્યે ઉદાર વલણ અપનાવ્યું હતું જે બીજે જોવા મળ્યું ન હતું. ભાવનગર, લાઠી, લીંબડી વગેરે દરબારેાના આતિ થમાં એ બિરાજતા હેાય ત્યારે, અને અન્ય સન્માન સમારંભો, ડાયરાઓ કે પછી ઘરધણીનો કાર્યક્રમ હાય એ દરેક સ્થળે એમના વનમાં એકજ રંગ દેખાતા. એ જ માલામણી, એ જ ભાવ, એ જ આદર ! લીંબડીના ઉત્સવમાં એક વખત કડીથી યાગીસંત સન્યાસી મહારાજ પધારેલા. એમણે ભગતબાપુના કાવ્યથી પ્રભાવિત થઈ કહ્યું કે, ભગતબાપુ હજી એક ભજન સાંભળાવે. સંતની માગણીને આદર કરીને તુરત સ્ટેજ પર આવ્યા અને પ્રેમથી ભજન ગાયું. પછી સ્વામીજીની પાસે જઈ વંદન કરીને કહ્યું : “આપના જેવા સંતાએ મને ‘દુલા કાગ' કહેવા, ભગત કહેવા, પણ ભગતબાપુ સોધન કરી એ મને યેાગ્ય લાગતું નથી.'' આવા નિરાભિમાની તે હતા. છેલ્લે જીથરી મળ્યા ત્યારે તે કોઈ સંત જેમ સમસ્ત વાસનાને સંકેલીને ઈશ્વરના ચરણમાં ચિત્ત લગાવી બેસી જાય એવા ભાસ થયેલો. બિલખા આનંદ આશ્રમમાં મારું રામાયણ પ્રવચન ચાલે, સવારમાં છાપામાં વાચ્યું કે ભગતબાપુ ભગવાનના ધામમાં પધાર્યાં. શ્રી જોબનપુત્રા સાહેબે અઠવાડિયા પહેલાં આવેલ બાપુનો પત્ર બતાવ્યા. તેમાં આગમ ભાખેલ કે ‘સાંજ પડી ગઈ છે, પુંખી ઊડવાની તૈયારીમાં છે. જ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ Page #142 -------------------------------------------------------------------------- ________________ டிரா MG Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ત્રિવિધ આશીર્વાદ અમારે આંતરે ગાંઠયુ હતી. ભગતબાપુ મને મિત્ર કવિવર દુલાભાઈ ભાયાભાઈ અને માર્ગદર્શકથી વિશેષ માનતા. પણ એના જતાં કાગ આટલા વહેલા ચાલ્યા જશે તમે પરિવારને જ નહિ, અમારો પણ બાપ ગયો છે. મારી જીવન ઝંખનાને એ વિસામો હતા. એવું સ્વપ્નમાં પણ ધાર્યું નહોતું. તેમને ચારણજ્ઞાતિમાં જન્મ મળે તે સાથે ૧૯૫૧માં ઘરખેડના પ્રશ્નથી અમે દરેક પ્રવૃત્તિમાં જે પરંપરાગત પ્રસાદી પરમાત્મા તરફથી મળી હતી ભેગા હતા. પછી લોકસાહિત્યમાં, પછી વિદ્યાલયમાં, તેને પિતાના જીવનમાં ઘણી ઉત્તમ રીતે વિકસાવી પછી ચારણ બોર્ડિગના પ્રશ્ન, પછી નશાબંધીમાં, બતાવી હતી. પછી ગુ થઈ ગયે એવાઓને ગુના છેડાવીને - તે સાથે તેમણે પૂજ્ય રવિશંકર મહારાજ જેવા મહારાજને પગે લગાડવામાં, પછી અમારી સામે જે ગુરુવર્યની સત્સંગતિ દ્વારા જ્ઞાન અને દેશભક્તિનો કાંઈ નાના-મોટા પ્રશ્નો આવે તેના ઉકેલના પ્રવાસમાં લાભ મેળવ્યો હતો. સ્વ. મેધાણીભાઈ જેવા મિત્ર- ખુનામરકી અને હદપારીના પ્રશ્ન પણ : વરની મૈત્રીમાંથી પણ પોતાના જીવનમાં ઘણું કીમતી ૩૦ વરસથી આ બધી વાતું મેં કદી પ્રગટ ભાતું મેળવ્યું હતું. થવા નથી દીધી. હવે ન કહું તે ભગતભાપુનો આ રીતે તેમણે ત્રિવિધ આશીર્વાદને જીવનમાં આત્મા મને માફ ન કરે. એકબીજાના અંતરને પચાવી તેના સારરૂઘ મહામધું કાવ્યામૃત ગુજરાતને ઠાલવવાની વસ્તુ તો જેમ એ ભેગા લઈ ગયા તેમ આપ્યું છે. હું પણ ભેગી લઈ જઈશ. સમુદ્રમાં તરતા મહાકાય સ્વ. દુલાભાઈ અવારનવાર અમારા આશ્રમમાં બરફના પહાડે સપાટી ઉપર તે માત્ર ટપકા જેવડા પધાર્યા હતા અને તેમના કંઠની પવિત્ર વાણી જ દેખાતા હોય છે. એમ જીવન-સાગરમાં તરતા અમારી મંડળીને સંભળાવી ગયા છે, તે હજુ બરફના પહાડોને જગત જોઈ શકતું નથી. એને અમારા કાનમાં શું જ્યા કરે છે. જગતની પરવા નથી હોતી, પણ પ્રવૃત્તિ સંબંધી સ્વરાજ આશ્રમ -જુગતરામ દવે અમારી લાગણીઓ જરૂર વ્યક્ત થવા દઈશ. વેડછી મોટા ભાયા કાગથી કાગનું ખોરડું જાજરમાન તા. ૮-૪-૭૭ ગણાતું આવ્યું છે. પણ અમારે તે ૧૯૩૫માં ભાવનગર નહિ જેવો પરિચય થયો. ૧૯૩૯માં રાણપુરથી એ સંબંધ વધતો ગયો. અમે ભૂગર્ભ પ્રવૃત્તિમાં ૧૯૪રમાં મારી જીવન ઝંખનાનો વિસામો પડ્યા તે ઠેઠ ૧૯૫૭માં થડે પત્રવહેવાર થયેલ. પ્રિય ભાઈ રામભાઈ ૧૯૫૦માં “ફૂલછાબ' સાપ્તાહિકનું સુકાન મેં તું મને ધન્યવાદ દે તે તો હદ જ કહેવાયને ? સંભાળ્યું ત્યારથી છેલ્લી ઘડી સુધી એ વણાતો રહ્યો. ચારણને નાતે પણ ન ચાલે. કારણ કે આપણો . કાળના ઓળાએ અમને આઘા ફેંકી દીધાથી એ સંબંધ એ છે. જગતે જોયેલ વિચારેલ એવી આંતરગાંઠ ખેંચાઈને વધુ દઢ થઈ. જગત જોતું એ ((((((((કઘિશ્રી દુલા કાકા સ્મૃતિ-sીથDDDDDDD) Page #144 -------------------------------------------------------------------------- ________________ સ્મરણાંજલિઓ સિવાયના અદીઠ આંતર પ્રવાહમાં અમે ધુબકિયું જોગ ભેગમે ગઈ કે રાખે જનક સમાન, દેતા રહેતા. ભાઈની પાછળ બેન પઋાટું ખાવામાં ઐસે કવિવર કાગકે કરત સ્વગ સુર ગાન. બાકી મેલે ? મારાથી થાય તે ન કરું તે મારે લચ્છન સબ સ્થિતપ્રજ્ઞ કે મેં દીખે કવિ માંય, નિજ સ્વરૂપમેં મગ્ન હૈ અવિનાશી પદ પાય, જીવ મને જંપવા ન દે. કલેલ –મહંત ત્રિકમદાસજી ભગવતદાસજી ડાબે પગે ને જમણે હાથે આર્થાઈટીસને કારણે હું બહાર હરી ફરી શકતા નથી, એટલે નથી આવી શક્યો. કાગનું બેરડું સુમેરૂ જેટલું ઊંચું રાખવું સંસ્કૃતિના તિર્ધર એ હવે તારા ઉપર આધાર રાખે છે. “અહીંયાં મળવા આવેલ એક ગુજરાતી ભાઈ પાસેથી વાતચીત દરમિયાન શ્રી દુલાભાઈ કાગના રાજકોટ તા. ૧૩-૩-'૭૭ – જયમલ્લ પરમાર અવસાનના દુઃખદ ખબર મળેલા. ખરેખર આ સમાચારથી મને મર્માહત દુઃખ થયું છે. તમારા પરિવારમાં તે શક છવાઈ જાય એ તે સાવ સ્વાભાવિક. પણ મારે મન તો પરિવાર જીવનમુકત પુરુષ કે એવી બીજી કોઈ સીમા શ્રી દુલા કાગનું વ્યક્તિત્વ સદગત શ્રી ભગતબાપુ સાથે મારે ઘણા લાંબા કદીયે સીમિત કરી શકે નહિ. સમગ્ર ભારતવર્ષનેસમયથી પરિચય હતા. જૂનાગઢ લોકસાહિત્ય વિદ્યા- અદ્દભુત પ્રતિભાશાળી, તેજસ્વી, ઋષિતુલ્ય લોકકવિ લયના પોતે પ્રમુખ હતા, જેથી વરસમાં ત્રણ ચાર શ્રી દુલા કાગની વસમી ખોટ કાયમને માટે સહન વખત જૂનાગઢ પધારતા. એ વખતે બે ચાર દિવસ કરવાની રહેશે. મેં તેમને પરમ ભક્ત તરીકે જોયા સાથે રહેતા. એકાદ દિવસ ભગવદ ગુરુ આશ્રમમાં છે એટલે તેમને પરલોકગત આત્મા અભીષ્ટ લેકને ડાયરા સહિત ભજન ૨ખાતું. સૌ સાથે બેસીને પામશે-ઈશ્વરી રૂપ સાથે તદરૂપ થઈ જશે–એવો જમતા, વાત અને વિનોદનો આનંદ લેતા. મારો દૃઢ વિશ્વાસ છે. તેઓ આપણા દેશની અભિજાતિક સંસ્કૃતિના ઘણા લાંબા પરિચયે ભગતબાપુના જીવનમાંથી તિર્ધર-પ્રતિનિધિ હતા. મારા જીવનમાં એવી મને આટલું જાણવા મળ્યું છે કે પોતે જનકરાજાની ખૂબ અલ્પ સંખ્યક વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો માફક જીવનમુક્ત પુરુષ હતા. સુખ-દુ:ખ, હાનિ- છું. પણ સૌથી વિશેષ તે તેમનું વિરાટ વ્યક્તિત્વ લાભ, નિંદા-સ્તુતિ આદિ દ્વથી પોતે મુક્ત હતા, મારા હૃદયને સ્પર્શ કરે છે. ગંભીર અંતદષ્ટિ, જેમ જનક વિદેહી એ “જોગ ભોગ મંહ રાખેઉ એકાગ્ર ભગવદૂભક્તિ, નિજસ્ય સંસ્કૃતિ ઉપર અખૂટ ગોઈ*_રાજવૈભવમાં રહ્યા છતાં ભાગમાં જેમને શ્રદ્ધા-પ્રીતિ-એવું વિરલ સદ્ગુણસંપન્ન વ્યક્તિત્વ ગુપ્ત રાખતા હતા. તેવું જ સદ્ગત ભગતબાપુનું કયાં ફૂરેલું જોવા મળશે ? તેઓ પિતે એક પ્રેમિક જીવન હતું. હતા. તેમના પ્રેમથી જ હું મુગ્ધ થયો છું. 0 1 કવિ દુલા કાગ સ્મૃતિ-ગંણ ઈં ... . કac.. . Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ પરમહંસ શ્રી રામકૃષ્ણ દેવ પ્રતિ તેમની કેવી ગંભીર ભક્તિ હતી, એ હકીકત તે ઘણાં એાછા માણસોની જાણમાં છે. જ્યાં સુધી મને યાદ છે – એપ્રિલ-૧૯૬૭માં શ્રી રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના વાર્ષિકેત્સવ-ઉપલક્ષ્ય આશ્રમના પ્રાંગણમાં શ્રી રામાયણ કથાનું તેમની અમૃતવથી વાણીમાં ગાન કર્યું હતું–તેના ફલસ્વરૂપે સમસ્ત રાજકોટ શહેરના નાગરિકે ઉપર એ કથાની અસર થઈ હતી. ફરીથી તેમને આશ્રમમાં નિમંત્રણ આપીને એમની અમૃત કથાની લહાણ પીરસવા વારંવાર આગ્રહ થયો હતો. જ્યારે તેઓએ મારી પાસેથી સાંભળ્યું કે આશ્રમમાં જે સ્થળે તેમણે કથા કરી, તે જ જગ્યાએ શ્રી રામકૃષ્ણદેવનું મંદિર ઊભું થવાનું છે ત્યારે ભાવભીની વાણીમાં કહ્યું હતું, “એ મંદિરના જરૂરી પૈસાની ચિંતા કરશો નહિ. સ્વામીજી, મુંબઈ અને બીજાં સ્થળોએ ફરીને હું જાતે પૈસા એકઠા કરી આપીશ.” પરંતુ પછી નાદુરસ્ત તબિયતને કારણે એ કાર્ય શક્ય ન બન્યું. ફરી એક વાર આશ્રમમાં આવ્યા ત્યારે વિનંતી કરેલી : “તમે મારે ગામ આવે; મારું ઘર એકવાર પાવન કરે.” ૧૯૭૫ના પ્રારંભે પત્ર દ્વારા અવારનવાર લખવા લાગ્યા : “હજી સુધી તમારું વચન પૂરું નથી કર્યું ? તમારા પગલાં મારે ઘેર થયાં નથી–મારું શરીર અસ્વસ્થ છે...બહાર નીકળ. વાનું તે કયાંથી બને? હવે તમે તમારું દીધેલું વચન જલદી પૂરું કરો..” તેમના આવા આગ્રહથી મારું મન ચંચળ થઈ ઊઠયું. એક દિવસ હું આશ્રમના કેટલાક સાધુબ્રહ્મચારીઓને લઈને પોર્ટ વિકટર પહોંચ્યો. અમે અચાનક પહોંચ્યાં–શ્રી રામભાઈ ઘરે નહેતા. અમને જોતાંત જે આલાદ અને આનંદ તેમના ચહેરા પર જોઈ શક્યો-એ હું શબ્દોમાં વ્યક્ત કરી શકુ નહીં. એટેલી ગભીરતા, એટલી આંતરિકતા, એટલી શ્રદ્ધા હતી-તેમના હૃદયમાં. તેમની એક વાત સારા જીવનભર હું યાદ કરીશ : એક વાર ઓચિંતાં મને કહેવા લાગ્યા : “સ્વામીજી! તમે કેટલા મોટા !” તમે આ શું બોલો છે ? હું કેવી રીતે મોટો !?! હું તે શ્રી રામકૃષ્ણ-સંધને એક સામાન્ય સેવક-સંન્યાસી ?” “ના, સ્વામીજી ! તમારું ઓઢણું મોટું !” “તમે વાતને ફેડ પાડો, તે કંઈ સમજાય... વચ્ચેથી અટકાવીને મને કહેવા લાગ્યા : “તમારું ઓઢણું-એટલે તમારી છત્રછાયા. એ છત્રછાયા શ્રી રામકૃષ્ણની. શ્રી રામકૃષ્ણનું ઓઢણું એાઢયું એટલે તમેય એટલા મોટા-શ્રીરામકૃષ્ણની છત્રછાયા તે દુનિયાને સમાવી લે એટલી મોટી એટલે તમે નાના કેવી રીતે, સ્વામીજી? –તમે ખૂબ ખૂબ મોટા.” એ સમયે શબ્દ શબ્દ નીતરતા ભાવ કરતાંયે તેમની ચમકી ઊઠેલી મુખાકૃતિના તેજ ને તરવરાટ, ઝળહળીયાં ભરેલા ચક્ષના દર્શન થયાં–તે દિવસથી |શ્રીરામકૃષ્ણદેવ પરના મારાં શ્રદ્ધા-ભક્તિ અનેક ગણું વધી ગયાં છે. સપ્રેમ નમસ્કાર સાથે, દામકૃષ્ણ મઠ – સ્વામી આત્મસ્થાન ૧૯-૪-૭૭ એલુર કૌટુંબિક નાતો કવિવર શ્રી દુલા ભાયા કાગને અમારા કુટુંબ સાથે સંબંધ લગભગ ૪૦ વર્ષ રહ્યો. જ્યારે જ્યારે તેઓ મુંબઈ પધારતા ત્યારે અમારા મહાલક્ષ્મીના દામોદર ભુવન નિવાસ સ્થાને રહેતા અને ત્યાં તેમનાં ગીત, કાવ્ય, ભજન અને લેકગીતને પ્રસાદ મળતો અને મારા કુટુંબ માટે એ અમૂલ્ય S: ર વર્ઝા દુલા 5|ગ ઋતિ-ગ્રંથ ની Page #146 -------------------------------------------------------------------------- ________________ સ્મરણાંજલિઓ લ્હાવો હતા. તેમના રચેલાં ગીત, ભજનો અને ઉચ્ચ કક્ષાના કથાકાર લેકગીત એટલે સરસ્વતીદેવીને સાક્ષાત્કાર. એમનાં આમ તે સ્વ. શ્રી દુલાભાઈ કાગ સાથે મારો ગીતો અને ભજનો આજે પણ અમારા કાનમાં ગુંજી ઘણો નિકટને સંબંધ ઘણા લાંબા સમયથી બંધાણ રહ્યાં છે. એમનાં કાવ્યો એટલે માનવજીવનના તત્વ હતો અને એક વખત એમને સાંભળ્યા પછી, જ્યારે જ્ઞાનનો નીચેડ અને ભજન એટલે ભક્ત હૃદયના જ્યારે તેઓશ્રીની રસલહાણભરેલી અમૃતવાણી મંથનમાંથી નીકળેલું અમૃત. ચારણ સાહિત્યના મને સાંભળવાનો મેકે મળ ત્યારે એ માટે હું મુગટસમાં શ્રી દુલા ભાયા કાગનું સાહિત્ય ગુજરાતી એમની સામે એકીટસે કલાકના કલાક સુધી બેસીને સાહિત્યમાં સૌથી મોખરે રહેશે. એક ચિત્તે એમના મુખેથી વહેતી શુદ્ધ ચારણીમુંબઈ -કૃષ્ણરાજ ઠાકરશી ભાષામાં, અને વળી લોકસંગીતથી ભરપૂર, એવી સૌરાષ્ટ્રની જૂની પેઢીને એક સિતારો ગયો. અનેક જુદી જુદી કથાઓ પછી ભલેને તે રામાયણ લેકસાહિત્ય અને સાહિત્યક્ષેત્રે ન પુરાય એવી ખોટ માંથી હોય કે મહાભારતમાંથી અગર કોઈ અતિપડી. અનેક લોકેએ પિતાનો રાહબર ગુમાવ્યો. હાસિક પ્રસંગ હોય, એમની પાસેથી એ બધી આપણે સૌએ છત્ર ગુમાવ્યું. કથાઓ સાંભળીને હું મારા મનને તૃપ્ત કરતે. હું એમનું જીવન તે તેઓ ધન્ય કરી ગયા. નવી માનું છું કે આવી ઉચ્ચ કક્ષાના કથા-કીર્તનકાર પેઢી માટે એમની સાધના-એમનું જીવન સદાય ભાગ્યે જ બીજે સાંભળવા મળે. કથા સંભળાવવામાં પ્રેરણા આપતા રહેશે. એમની શૈલી અને ઢબ બહુ જ અનોખી હતી અને જૂનાગઢ –રતુભાઈ અદાણી વર્ણન સચોટ રીતે કરવાની એમની શક્તિ તરી આવતી હતી. ગમે તે પ્રસંગે આપણે સાંભળતા હોઈએ, ત્યારે જાણે ખરેખર એ પ્રસંગ આપણી શ્રધેય કવિશ્રી દુલાભાઈનું વ્યક્તિત્વ બહુ જ સામે દેખાતો હોય એવી એમની વર્ણન કરવાની અસાધારણ અને અનેક રીતે અનેરૂં હતું. આ૫ બહુ જ અદ્ભુત શક્તિ હતી. તેઓશ્રી ખૂબ જ ઊંચે સાદે, ભાગ્યશાળી છે કે એમને અનેરો સંસ્કાર-વારસો એક જ શ્વાસે, થાક્યા વિના, એમની સાદી અને આપને વંશપરમ્પરાગત રીતે હેજે મળે છે. એ સરળ કાઠીયાવાડી તળપદી ભાષામાં, ચારણી છંદ, ગુણવંતી ગુજરાત'નું પણ મોટું પરમ્પરાગત દુહાઓ, શાયરી તેમજ સચોટ અને વ્યવહાર ભાગ્ય જ ગણાય. એ માટે હાર્દિક અભિનંદન ! દૃષ્ટાંતથી ભરપૂર, અને લેકસંગીતને અંદર ગુંથી –મદાલસા નારાયણ લઈને, જ્યારે કથા કહેવા બેસતા ત્યારે એમનો તા, ક, આપને ૨૫-૩-૭૭ ને વિસ્તૃત પત્ર જુસ્સો અને ઉત્સાહ ખૂબ જ તરી આવતું હતું, પૂ. વિનોબાજીએ ધ્યાનથી વાંચે છે, એમને મેં એવે વખતે શ્રેતાઓને ત્યાંથી બિલકુલ ઉઠવાનું લખીને પૂછ્યું હતું કે “ઈ-હે આપકે શુભાશીર્વાદ રૂ૫ મન થતું જ નહિ. પિતૃસ્મૃતિમં ક્યા લિખા જાય?” તે માનસિક રૂપે તેઓશ્રી ઘણી વાર વડોદરામાં લક્ષ્મી વિલાસ એમણે ધ્યાનથી જ પોતાના મનભાવ પહોંચાડેલ છે. પેલેસમાં આવતા ત્યારે હું એમની વાણી કલાકના કલાકો સુધી એમની સામે બેસીને સાંભળ્યા જ કરત વર્ધા કામ ના કાગ અતિ ના Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કવિશ્રી બિલકુલ ધરાતા જ નહિ. મનમાં તે એમ થતું જ કે એમને સાંભળ્યાજ કરીએ-ત્યાંથી ખસીએ જ નહિ–એવી એમની વાણીમાં મીઠાશ ભરેલી હતી. તેઓશ્રી અમારે ત્યાં વડોદરામાં ઘણી વાર આવતા અને એમને સાંભળવાનું મને ખૂબ જ ગમતું અને એ માટે હું હુંમેશા તત્પર હતા અને એમાં મને અત્યંત આનં આવતા. અવારનવાર તેઓશ્રી અમને પત્રો લખતા અને તેમાંયે પણ એમના અસંખ્ય પાસ્ટકાડોની મતે હજુ પણ યાદ આવે છે. દુલા કાગ સ્મૃતિ-મધ જાફરાબાદ પાસે આવેલા મજાદર ગામમાં તેમના નિવાસસ્થાને તેએ એક સુંદર પણ કુટી ઢબની મઢુલી જેવા પોતાના મકાનમાં સાદાઈથી રહેતા અને હંમેશા પ્રસન્નચિત્ત અને ભક્તિભાવ ભરેલા શુદ્ધ વાતાવરણમાં આનંદથી રહેતા. ભલે એમનું ગામ સૌરાષ્ટ્રના છેવાડે હતુ. પણ એમને એકલવાયું લાગતું ન હતુ. કારણ કે એમના અંતિમકાળ સુધી ત્યાં લેાકેાની અવરજવર ચાલુ જ રહેતી. એમની અંતિમ ઈચ્છા ચારણી સાહિત્યના જૂના વારસા ચાલુ રહે અને દેવીપુત્રો આ વિદ્યાને પૂરેપૂરા લાભ લે અને ભારત દેશની એક જૂની કળા છે તે ચાલુ રહે. એમણે ચાલુ કરેલ કાર્યાં એમના વારસદારો ચાલુ રાખશે એવી મને આશા છે. વડોદરા —ફતેસિંહરાવ ગાયકવાડ * ભગતબાપુની વિવિધ ક્ષેત્રે સેવા, તેમનુ લેાકસાહિત્ય અને તેમને પ્રેમાળ રવભાવ સદાય રણીય રહેશે. અવિસ્મ તેઓના જવાથી સમસ્ત ગુજરાતે એક તજજ્ઞ લોકસાહિત્યકાર અને દેવીપુત્ર ગુમાવ્યા છે. આપણે તેઓશ્રીના ગુણાને જીવનમાં ઉતારી તેમનું ઋણ ચૂકવવું રહ્યું. —લલ્લુભાઇ મા. શેઠ મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય * કાગબાપુના અવસાનથી ચારણ જ્ઞાતિને તથા ચારણી સાહિત્યને માટી ખાટ પડી છે. તથા કાઠી, રજપુતાએ પાતાના હિતચિંતક ગુમાવ્યા છે. જસદણું. સાવરકુંડલા. * —શિવરાજકુમાર ખાચર ધારાસભ્યશ્રી. સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું રાષ્ટ્રીય કવિ શ્રી મેઘાણીએ સ ંશોધન કર્યું અને તેમની પ્રણાલીએ રાષ્ટ્રીય રંગે રંગાયેલા કવિશ્રી દુલાભાઈ એ તે કામ માત્ર આગળ ધપાવ્યું એટલુ જ નહિ પણ તેમાં નવા રંગ પૂર્યા અને શેાભાવ્યું. બંને કવિએ સૌરાષ્ટ્રના લેાકસાહિત્યને વાચા આપી અને એવા સ્વર, નાદ અને લયથી ગાયું કે સાંભળનારના કાનમાં હ ંમેશ ગુંજતુ રહેશે. કવિશ્રી દુલાભાઈ એ લાકસાહિત્યમાં રાષ્ટ્રીય રંગ પૂર્યાં અને લોકાની રાષ્ટ્રીય ભાવનાને ઉન્નત બનાવી. કે, પી. શાહ જામનગર * * કવિ બાપુ જીવનમાં પ્રતિષ્ઠા અને સુવાસ મૂકતા ગયા છે. સૌરાષ્ટ્રના લોકસાહિત્યના ઇતિહાસમાં કવિ દુલા કાગનું' નામ સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. મુ. શ્રી. મેઘાણીભાઇ ને લેાકસાહિત્ય'ના સશોધનમાં તેમણે જે સાથ આપ્યા હતા તે ભૂલી શકાય તેવા નથી, કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ Page #148 -------------------------------------------------------------------------- ________________ સ્મરણાંજલિઓ ૧૩૫ તેમની “રાષ્ટ્ર ભક્તિ અને લેકસાહિત્યની સેવા” ચારણી સાહિત્ય અને લોકસાહિત્યના તેઓ અમર છે–અમર રહેશે. મૂર્ધન્ય વિદ્વાન હતા. એમના બુલંદ કંઠ વડે એમણે મુંબઈ – રતિલાલ શેઠ (જન્મભૂમિ) લેકસાહિત્યને લોકજીવન સાથે અનુસંધિત કર્યું. આજના યુગમાં એમના જેવા પરમ સારસ્વત વિરલ રાજવી કાળ, ગાંધીયુગ, રવિશંકર મહારાજ વિભૂતિ ગણાય. અને વિનોબાની અસરો, આજના સમયના ફેરફારો- રાજકોટ –ડ, ઈશ્વરલાલ ૨, દવે બધું નિહાળ્યું. કવિ હૃદય પર તે સર્વની છાપ પડી અને કાવ્યો દ્વારા તે પ્રગટ થઈ. અમારા સર્વ પર અહીં ગુણીજને છે તેઓશ્રી-સંસ્કાર, માનવતા, શુદ્ધ ભારતીયપણાના આકાશવાણીના ટેપ રેડિગ માટે જૂનાગઢના વિચારો મૂકતા ગયા છે. ગુજરાતી સાહિત્ય તેમનાં ચારણી સાહિત્ય વિદ્યાલયમાં એક નાનકડો ડાયરો કાવ્યોથી સમૃદ્ધ બન્યું અને સુંદર સુવાસ ભક્તકવિ મળેલ. આજની શરૂઆત શ્રી મેરુભાભાઈ કસુંબીને મૂકતા ગયા, રંગ'થી કરે, એવો સૌનો આગ્રહ થતાં મેરુભાભાઈએ - જૂની પેઢીનો તેજસ્વી તારે ખરી પડો. તે શરૂ કર્યું, જ્યાં “ બિસ્મીલ બેટા' વાળી કડી પ્રેમાળ, ભક્તિપૂર્ણ હૃદય શેકું પણ આજે મળે આવી ત્યાં ભગતબાપુએ વચમાંથી વેણ ઝડપી લીધુ એવું નથી. ઊંડું દર્દ સહેવું રહ્યું. અને કહ્યું કે “બિસ્મીલ બેટા” એટલે કેવા ? અને “માતા માંડવા-ચાંદોદ -નરેન્દ્રસિંહ મહીડા તારે બેટડો આવે' એ ગીત શરૂ કર્યું. બપોરનું જિ. વડોદરા જમવાટાણું કયાં વહ્યું ગયું તેની ખબર રહી નહિ. ડાયરામાંથી એક ભાઈએ પૂછ્યું: બાપુ, આવા * મેઘાણીભાઈ જતાં કાગબાપુ એક જ એવી તે તમે કયારેય નથી ખીલ્યા, આજ આમ કેમ ? વિરલ વ્યક્તિ રહી હતી કે જેના થકી સૌરાષ્ટ્રની ત્યારે ભગતબાપુએ પિતાની મામિક વાણીમાં જવાબ લોકસંસ્કૃતિની જાળવણી થઈ. આપણા લોકસંસ્કાર, આપેલ કે, ભાઈ, કઈક જલસા કે સભામાં જઈએ લેકકલા અને લોકસાહિત્ય તેમના ભગીરથ ય અને ગાતા હોઈએ ત્યારે શ્રેતાઓની સામું જોઈને દ્વારા પ્રતિષ્ઠા પામ્યાં. તેમના જવાથી આજના યંત્ર ગાવું પડે. કયારે તળિયું પડે તેને ભરોસે નહિ. યુગમાં એક વણપુરાયેલી ખોટ રહેશે. સભા-જલસા માટે ઊભા કરેલ માંચડા અને ફાંસીના ભવન્સ કલા કેન્દ્ર માંચડામાં કાંઈ ફરક નહિ. ક્યારે ગાળીયા પડે, મુંબઈ –નિરૂપમા-અજિતભાઈ શેઠ પાટિયું ખસે ને ચઢી જવાય તે કહી શકાય નહિ ! જાહેર કાર્યક્રમમાં આવું થાય. જ્યારે અહીં તે તેમના નશ્વર દેહ ભલે નાશ પામે પણ તેમની ગુણીજને જ ભેગા થયા છે. સૌને ઊંડો રસ છે કૃતિઓ અને લોકસાહિત્યમાં તેમણે આપેલા અમૂલ્ય ત્યારે ન ખીલીએ તે કયારે ખીલીએ ? ફાળા દ્વારા તેઓ સૌના દિલમાં અમર રહેશે. અમરેલી –શશીકાન્ત ભટ્ટ અમદાવાદ કૃષ્ણ અગ્રવાલ તા. ૬-૪–૭૭ ( કણિી દુલારા રકૃત્તિ-કણ શો UN DO Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કવિશ્રી દુલા કાગ સ્મૃતિગ્રંથ સમર્થ વ્યક્તિ સાહિત્યની દુનિયાએ એક સમર્થ વ્યક્તિત્વ પૂ. કાગબાપુના અવસાનના સમાચાર જણી મને ગુમાવ્યું છે. ઘણું દુ:ખ થયું. એમની સાથે મારે અનેક સ્મરણોથી સાણથળી -પુંજાભાઈ ભરપૂર ગાઢ સંબંધ હતા. મારા સ્વ. પિતાશ્રીના પણ એ નિકટના પરિચિત હતા. હું દુલાભાઈને સૌરાષ્ટ્ર નામાંકિત જૂની પેઢીના એક સજજન રેડિયોમાં ખેંચી લાવ્યા ને ઘણા કલાકનું અમૂલ્ય ગુમાવ્યા. રેકર્ડિગ થયું તેને મને ઘણો આનંદ છે. મારા બગસરા -ભાણાભાઈ દાદાભાઈ ગીડા આગ્રહને વશ થઈ દુલાભાઈ તૈયાર થયા, પ્રોગામ કમિટીના મેમ્બર પણ થયા. આમ અનેક સુંદર પૂજ્ય ભગતબાપુને સહવાસ તે મને ૩૦ સ્મરણો મારા હૃદયમાં છે. કરતાંય વધુ વર્ષથી હતે. મને ૮૮મું ચાલે છે. તેઓ એક સમર્થ વ્યક્તિ હતા ને એમની કલા મારી આંખની દૃષ્ટિ નથી, તેથી લખવું-વાંચવું માટે મને ઘણું માન હતું. હવે એમની જગ્યા કઈ બંધ છે. લઈ શકે એવું નથી, એટલે એમની પ્રણાલિકા મેઘાણી મારા વેવાઈ અને સ્નેહી, ઉપરાંત શ્રી અત્યારે તે બંધ થઈ. તમારા માટે એ મહાન રતુભાઈ અદાણીની સાથે રહીને સૌરાષ્ટ્રની ગ્રામ વારસે મૂકી ગયા છે. ને આશા છે કે તમે એ પંચાયતનું કામ કરતે તે વખતે ભગતબાપુ તથા સાચવશે ને સમૃદ્ધ કરશો. મેરૂભા સાથે અવારનવાર મળવાનું થતું. અમરેલી મારા હેમકુંજ બંગલે, તેમ જ રાજકેટના વીરાણી ઉના તા. ૩-૩-૭૭ –બળવંતભાઈ ભટ્ટ બ્લોકમાં ઢેબરભાઈના સાંનિધ્યમાં ભગતબાપુના જે ડાયરાઓ ગોઠવાતા તેનાં ઘણાં સ્મરણો મનમાં છે, પણ તે કાગળ પર મૂકવા અશક્ત છું. વૈદિક ધર્મ પરંપરા અનુસાર ભગવાનના અંશથી –ન્યાલચંદ મૂળચંદ શેઠ જે જે વિભૂતિઓ ઉત્પન્ન થાય છે તે ખરેખર એશ્વર્યયુક્ત, કાન્તિયુક્ત, અને શક્તિયુક્ત વિભૂતિ આપણા વિશાળ પરિવારના મહાન વડલાની હોય છે. ઈદની પ્રાપ્તિ વિના જ્ઞાનદાતાઓ પાસેથી શીતળ છાયા ગઈ. જ્ઞાનપિપાસુઓને પણ જ્ઞાન મળતું નથી, અને મળે તે પૂ. ભગતબાપુ ગુજરાતને લોકસાહિત્યનો અમર ટકતું નથી. એ પરંપરા અનુસાર કાકભુષંડિના વારસો આપીને અમર બન્યા છે. તેમને અવાજ વિભુતિયુક્ત તત્વની અભિવ્યક્તિરૂપે કાગબાપુ પ્રગટ ચિરંજીવ રહેશે. તેઓ દેહ રૂપે આપણી વચ્ચે નથી થયા અને ચારણી શૈલીમાં શ્રીરામચરિતમાનસ કથાનું તે પણ મધુર સ્મૃતિ રૂપે એ ભક્ત કવિનો અવાજ સમાજને અપ્રતિમ દર્શન કરાવી તિરોધાન થયા. હજારો હૈયાને શાંતિ, સુખ અને રસ આપ્યા કરશે. વઢવાણ બચુભાઈ ગઢવી શબરીવાડી -રામનારાયણ ના પાઠક વાળુકડ મુંબઈ જ છેકવિ દુલા કાગ ઋતિ-ગ્રંથ કરી, Page #150 -------------------------------------------------------------------------- ________________ સ્મરણાંજલિ ૧૩૭ તેમણે સૌને જે આપ્યું છે તે અપ્રતિમ છે. સમાજ અને દેશ એમનો સદેવ ઋણી રહેશે. પૂ. બાપુ એમના સાહિત્યદેહથી સદાય અમર છે. મહુવા –મોરારીદાસ હરીયાણી સમસ્ત રાષ્ટ્રના એક પુણ્યવાન કવિ, સારસ્વત અને ગાયકના અવસાનથી માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને જ નહીં પણ સમગ્ર દેશને ખોટ પડી છે. જે કાવ્યથી ઉલાસ, જુસ્સો, પ્રેમ, લાગણી અને કરુણાના ભાવો નીતરે તેવી કવિતા પૂજ્ય શ્રી. ભગતબાપુના અવસાનથી રાંક બની છે. સગતને સાચી અંજલિ તે તેઓશ્રીએ જે સૌરાષ્ટ્રની સંસ્કૃતિને નવો પ્રાણ અને નવો ધબકાર આપે છે તેને ચીર:કાળ સુધી સાચવી રાખવાને પ્રયાસ કરે તે જ છે. જુનાગઢ –દિવ્યકાંત નાણાવટી અમે તેમનાં દર્શન ન કર્યા હોવા છતાં અમારાં માટે તેઓશ્રી કુટુંબીજન જેવા જ હતા. આજથી ૨૦ વર્ષ પૂર્વે અમે બધાં–મા, બાપ, છોકરાં, દાદી સાથે બેસી પૂનામાં તેમનાં ભજનો ગાતાં. સૌરાષ્ટ્રના લોકસાહિત્ય પર તેઓ તેમની અમિટ છાપ મૂક્તા ગયા છે. ભાવનગર –નિખિલ બક્ષી ભારતની જવાહરતમાંથી એક કિંમતી રત્ન ચાલ્યું ગયું. તેઓની ખોટ આખા દેશને જણાશે. કાગપરિવારને સવિશેષ. પોરબંદર -નટવરસિંહ પૂ. ભગતબાપુ સમય પારખવાની પિતાની અભૂતપૂર્વ વિચક્ષણ શક્તિને કારણે સમગ્ર સમાજને પ્રગતિના નૂતન રાજમાર્ગ પર ચાલવા પ્રેરણા આપી શક્યા હતા. અમે સ્વરાજ્યનાં ગીત લલકારીને ગાંધી-વિનોબાના વિચારને લેકર્ભોગ્ય કવિતાના માધ્યમ દ્વારા જન સામાન્ય સુધી પહોંચાડ્યા હતા. તેમના જીવનની અનેક સિદ્ધિઓથી તથા તેમના ચિંરજીવ સાહિત્યથી તેઓ લેકમાનસ પર અમર રહેશે. ગાંધીનગર –ોડીદાન ઝુલા માતા ભારતીએ એક લાડીલે અણમૂલ સપુત ગુમાવ્યું છે. સમગ્ર ચારણ જ્ઞાતિનું એ એક મધું જવાહર હતું. – માધુભાઈ દેવચંદ “હાની-લાભ, જીવન-મરણ, જશ-અપજશ વિધિ હાથ'-એ ન્યાયે ઈશ્વરને નિર્ણય સ્વીકાર્યો જ છૂટકે. રામાયણના આધારે લખું તે અમુક વ્યક્તિત્વની વિદાય રૂદન કરવા જેવી હોય છે, પરંતુ અફસેસ કરવા જેવી નહીં. અને એવું વ્યક્તિત્વ પૂ. બાપુ હતા. જેની વિદાયથી સમાજને અને સાહિત્ય-સંસ્કૃતિને અને આખા દેશને એક જબરદસ્ત ખોટ પડી છે. કવિશ્રી દુલા કાગૂ સેકસાહિત્યના અમૂલ્ય રત્ન હતા. તેમનો વાણી અને રજૂઆતથી તેમણે અનેક શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. લોકસાહિત્યના ઉત્તમ ગાયકને ગુમાવતાં માત્ર ગુજરાત જ નહિ, પરંતુ સમગ્ર દેશ શોકની લાગણી અનુભવે છે. આકાશવાણી’ સાથે તેમને સંબંધ અને સહકાર હમેશાં સૌજન્યપૂર્ણ રહ્યો છે. નવી દિલ્હી –પી. સી. ચેટરજી ડાયરેકટર જનરલ ઓલ ઈન્ડિયા રેડિયો (((((કuિઝી કુણા કાઠા ઋાિ-કોથ))))))) દયા કાગ-૧ ? Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તેમની વાતા સાંભળી કોઈ અન્ય લેાકમાં સ્વૈરવિહાર કરી આવ્યાના આનંદ, મસ્તી અને સંતોષ મળતા. નાની-મોટી વાતામાં પણ સાહિત્યના ગંજ ભરેલા હોય તેમ લાગતુ. આજે તો દુકાળ પડી ગયા. બીજા દુકાળ તો થોડા વખત ચાલે પણ આ દુકાળ તો યુગ યુગ સુધી ચાલશે. કોઈ દૈવી અમી. વર્ષાં યુગાના અ ંતે થાય ત્યારે કદાચ દુકાળ એ ગળે. તેમના મનની મેટાઈ અને છતાં નાના સાથે નાના થઈ કાલાંધેલાં એલી સૌનાં મન જીતવાની કળા અનેાખી હતી. સિહાર —ભાગીલાલ લાલાણી * કવિશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ અવસાન પામ્યા એ ‘મુંબઈ સમાચાર'માં વાંચી મનને અતિ દુઃખ થયું. કારણ કે હજી ‘કાગવાણી’ના ભાગ ૧-૨ મારી પાસે છે. બીજા મંગાવવાની ત્રેવડમાં હતા તે મારા વહાલા ભક્તરાજ ચાલ્યા ગયા. જીવનમાં એક આશાનું કિરણ હતું કે ભક્તરાજનાં દર્શીન કરવા મળે તો સારું જીવન ધન્ય ધન્ય થાય. પરંતુ મા અન્નપૂર્ણાને કબૂલ નહિ હાય. —પટેલ કાંતિલાલ ખેતાભાઈ ભેાજાણી નાગપુર-૮ * કવિશ્રી દુલા કાગ સ્મૃતિગ્રંથ મહેસાણા }-૩–'૭૭ * * * ભગતબાપુ વાત્સલ્યમૂતિ હતા. ભગતબાપુ કાવ્યનું વહેતુ નિર હતા. ભગતબાપુ સરસ્વતી માતાના પનેાતા પુત્ર હતા. ભગતબાપુ અંતરદૃષ્ટા હતા, અંતર્મુખી હતા. ભગતબાપુ મહાન વિદ્વાન અને નમ્રતામૂતિ હતા. ભગતબાપુ મહાકવિ, મહાભક્ત, મહામાનવ હતા. —જી. ડી. વ્યાસ * * બાપુ ગયા તેથી તમને જ નહિ, સારી આલમને ખોટ પડી છે. મારા ઉપર બાપુને અત્યંત પ્રેમ હતા. છેલ્લાં મળી ન શકયો એને વસવસા જિંદગીભર રહેશે. હજી પરમ દિવસે જ બહારગામમાં વસતા મિત્રામાં બાપુનું ગીત ‘રાવણે રામનુ રૂપ લીધું’ એનેા ભાવ હુ સમજાવતા હતા અને માણતા હતા. બાપુના જવાથી મારા જીવનને એક સુંદર પ્રકાશ-કણ અદૃશ્ય થઈ ગયા. પણ હુંય હવે એશીને આરે બેઠા હું એટલે એમને મળવા જવામાં બહુ વાર નહિ લાગે ! ગિલ્લુભાઈ કોટક મુંબઈ ૫-૩-૭૭ * કાગ બાપુના નિધનથી ગુજરાતે એને પ્રથમ કોટિના ભક્તકવિ, લેાકકવિ ખાયા છે. એ એમની ખોટ ન પૂરાય તેવી છે. અમદાવાદ. * —દક્ષિણકુમાર જોષી અને ધૂમકેતુ પરિવારના સહુ * તેમના જવાથી તમારા કુટુંબને જ નહિ, આપણા આખા સમાજને ભારે માટી ખેાટ પડી છે. તેમણે આપણા સાહિત્યની અને બીજી અનેક રીતે આપણા સમાજની સેવા કરી છે. અમારા જેવા લાખો લોકોના હૃદયમાં તેમને અવાજ 'મેશને માટે ગુજતા રહેશે. તેમણે આપેલા સાહિત્યવારસા તે અમર જ રહેશે. કલકત્તા કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ -મંગળદાસ સઘવી Page #152 -------------------------------------------------------------------------- ________________ સ્મરણાંજલિ ૧૩૯ વરસોથી હું બાપુજીના દર્શન માટે ઝંખના કરતા હતા, તે ધૂળમાં મળી ગઈ. ગયા અઠવાડિયામાં લેસ્ટરથી ટપાલ હતી. તેમાં લખ્યું હતું કે તમો બાપુજીને જઈને મળી આવ્યા કે નહિ ? પણ હું કિસ્મતને જ ભાંગેલે એટલે કાંઈ થયું નહિ, અને મારી આશા મારા મનમાં રહી ગઈ. હું મરીશ ત્યાં સુધી મારાથી આ ભુલાશે નહિ. વ્યારા -છોટાલાલ અને, એકલા ચારણે જ શું કામ ? બીજા હજારો લાખોનાં હૃદયોને ડોલાવનાર, કરોડોના જીવનને સ્પશી જનાર એમની કવિતા દ્વારા અને એમની અનેકવિધ શક્તિઓ દ્વારા એમણે ભારતવર્ષની પ્રજાને જે આપ્યું છે, તે કોણ આપી શકે ? એમને જતું રહેવું લાખાને દુઃખદાયક બન્યું છે. કણેરી -પિંગળશી પાયક હવે, અમુક વખત તો જાણે સૂનકાર વ્યાપી ગયા જેવું લાગશે. માત્ર તમને જ નહિ, પણ સમસ્ત લોકજીવનમાં જ્યાં જ્યાં તેમની અસર છે ત્યાં સર્વત્ર એવું લાગશે. પરંતુ ધીમે ધીમે એમની અપરંપાર સ્મૃતિઓ અને કૃતિઓ દ્વારા એમના જીવંત સંપર્કને અનુભવ સૌ કેઈને થવા માંડશે. અને તેનો ઘણા લાંબા વખત સુધી પણ અંત નહિ આવે. અમદાવાદ –વજુભાઈ શાહ સાહિત્યસૃષ્ટિનો ભાસ્કર અસ્ત થયે. જીવનભર મા સરસ્વતી ભગવતીની સંનિષ્ઠ સેવા કરી સાહિત્યના સર્વતોમુખી દષ્ટા બન્યા. રામાયણ, મહાભારત અને ભાગવતની કઠિન કથાઓ શબ્દ ને સ્વરમાં સરળ બનાવી લેકકંઠે વહેતી કરી. મુંબઈ –દેવેન્દ્રવિજય સાચા અર્થ માં તેઓશ્રીએ કહૃદયમાં અમરતા પ્રાપ્ત કરી છે. તેમની વાણી એ જ સારાયે ગુજ. રાતની જનતા માટે હમેશનું મીઠું સંભારણું છે. અમદાવાદ –ઠાકરભાઈ પી, અમીન ચારણ જ્ઞાતિએ એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. તેમની જ્ઞાતિ પ્રત્યેની લાગણી અજોડ હતી. તેઓએ ચારણી સાહિત્ય અને લોકસાહિત્યમાં નવા પ્રાણ પૂર્યા છે. બોટાદ –વિજયકરણ કવિ બાપુ જતાં આપણી જ્ઞાતિને મહાન સીતાર આથમી ગયો. એમના ઉગવા સાથે ચારણજાતિના ભાગ્યનો ઉદય થયેલું અને એમણે આથમવાની તૈયારી કરી ત્યાં ચારણુજાતિની ઉન્નતિ પણ આથમી જવા લાગી. પૂ. આઈમા તથા ભગતબાપુ રૂપી સૂર્યચંદ્રથી ચારણ જાતિનું આકાશ સદા પ્રકાશિત રહેતું. અત્યારે તે ઘોર અંધારું થયું છે. વિ = વીર દુ = દુહાને રચનાર-ગાનાર લાં = લાડીલે ભા = ભાતીગળ જીવનવાળે યા = યાદગાર ચારણ કવિ કા = કામણગારો કંઠ ધરાવનાર ગ = ગયે (સુવાસ પાથરીને) મુંબઈ –વજુભાઈ ઉપાધ્યાય કuિી દુખા કાગ સ્મૃતિ-ડાંથAD Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ધૂળના ઢેફામાંથી અમૃત નીચવી લેકહૈયે માના ખરેખર મર્દાનગીના પ્રતીક સમા નીડર અને ધાવણની સરવાણી વહાવી. અને જ્ઞાનીઓનાં જ્ઞાન નિઃસ્વાર્થપણે જીવન જીવેલા સ્વ. દુલા કાગના લાજે–વામણાં દેખાય તેવી પ્રચંડ કલમ દ્વારા લેકના અવસાનથી ધરા ગુજરીએ પોતાને એક પોતે હૃદયમાં શારડીઓ ફેરવતી જીવતી કવિતાઓ અમર પુત્ર ગુમાવ્યો છે. કરી છે. કાગ બાપુને ગ્ય અંજલિ તે જ ગણાય, સ્મૃતિ સાહિત્ય મંદિર –પુરુષોત્તમ પી. પારેખ જ્યારે આ લોકસાહિત્ય મનોરંજનમાંથી માના ધાવણ વીરાર એન. મેજીસ્ટ્રેટ તરફ વળે ! મુંબઈ –વિનોદ મહેતા તેઓ પરમ મનનશીલ, તત્વચિંતક તેમ જ પરમ વિચારક અને સર્વ પ્રિય લેકકવિ હતા. તેમની મૃત્યુ જેણે સ્વીકાર્યું નથી' એવી લેકવાણીના કવિતાઓ ભક્તિ, શૌય, સત્ય, નીતિ, કરુણા, ન્યાય તેઓ ધૂરંધર પુરસ્કર્તા હતા. ચારણે વાણીને સાચવી તેમ જ રાષ્ટ્રપ્રેમસભર છે. તેમના અવસાનથી છે. વાણીને સાચવનાર ચારણોની યાદી જ્યારે ઈતિ- ભારત તેમ જ સૌરાષ્ટ્ર-ગુજરાતને જે ખોટ આવી હાસ કરશે ત્યારે ભગત શ્રી દુલા કાગનું નામ આગલી પડી છે તે કદીયે પૂરાય તેમ નથી. તેઓ ભલે આજે હરોળમાં મૂકશે. આપણી વચ્ચે નથી પણ તેમની પરમ પ્રેરણામયી. મુંબઈ – જયંતીલાલ દેવીદાસ પારેખ કવિતાઓ તે આજે પણ આપણને સત્યમ્, શિવમ સુંદરમ તરફ જવા પ્રેરી રહી છે. તેમની લોકપ્રિય કવિશ્રી તે જીવનમાં ખાટી ગયા છે. તેમનાં કવિતાઓ, ભજન તેમ જ ભક્તિ અને રાષ્ટ્રગીત અનંત કાલ સુધી માનવજાતિને પ્રેરણા આપતાં રહેશે. કાવ્ય જ તેમને અમર રાખશે. તેમનું ગાયેલું અને આ રીતે તેઓ સદાને માટે અમર રહેશે. કવિતા ગાવાવાળા તે ઘણા હશે-પણ સ્વયં સ્ફરણાથી કવિતા કરવી અને તત્ત્વને રજૂ કરવાની શ્રી. કબીર આશ્રમ –મહંત રામસ્વરૂપદાસજી જામનગર ગુરુ શ્રી શાંતિદાસજી મહારાજ સાહેબ. તથા ગંભીર-લયબદ્ધ અવાજ સાંભળ્યા જ કરીએ, કદી થાકીએ નહીં, કંટાળો આવે જ નહીં–એવા વિભૂતિ જેવા કવિ આ જમાનામાં દુર્લભ થશે. નાનકડા ગામમાં રહી રાજ્યદ્વાર સુધી જેણે તેમણે તે જીવી જાણ્યું છે. આપણે આપણા કીતિ મેળવી એવા સૌરાષ્ટ્ર કેસરીના અવસાનથી સ્વાર્થને રડીએ છીએ. આપણે બધા ગરીબ બન્યા છીએ. મુંબઈ –વૃજલાલ પ્રભુદાસ મુંબઈ –ણીશંકર એમ, એઝા ગુજરાતના લોકલાડીલા અને ભારતભરમાં ખ્યાતિ પામેલા મહાકવિ અને લેકસાહિત્યના પ્રણેતા શ્રી. દુલાભાઈ કાગના અવસાનથી ગુજરાતે ખરેખર એક નરરત્ન ગુમાવ્યું છે. ભગત બાપુ તે કરુણા, દયા, સ્નેહ, સૌજન્ય અને સદ્ભાવસભર જીવન જીવી ગયા. તેઓ આપણા સમરત દેશ અને વિદેશમાં પણ-જ્યાં ભારતીઓ વસે છે ત્યાં બધે, તેમના શુભ નામ અને કામની ઝરી - કવિઝા દુલા કાગઐતિ-ગૂંથી Page #154 -------------------------------------------------------------------------- ________________ સ્મરણાંજલિ ૧૪ કાયમી સુવાસ ફેલાવી ગયા છે. તેમના લેકભોગ્ય તેમના ભક્તિસાહિત્યના લાખો પ્રશંસકોમાંને અને ગેય ગીતે જીવનના તલસ્પર્શી અનુભવની હું એક છું. તેમના જવાથી ગુજરાતી જોકસાહિત્ય ચાળણીમાંથી ગળાઈ–ગળાઈને ટકયાં છે, અને ખાસ કરીને ભકિતસાહિત્ય ખૂબ ગરીબ એક જ વ્યકિતમાં કવિતા રચના, તેનું ગાન બન્યું છે. જેમના સાહિત્ય રસપાનથી રોમેરોમ અને કથનને વિરલ ત્રિવેણી સંગમ ગુજરાતને પુલકાવલી વળે એવો ભડવીર ભક્તકવિ રાષ્ટ્રને આંગણે વહેલ છે. મળવો મુશ્કેલ છે. કેઈ એક જ વાદ, એક જ પક્ષ, અમુક ડેલી કે મુંબઈ –એચ. વી. સોમૈયા અમુક ડાયરાના જ મહેમાન બની રહેવાને બદલે, પિતે એકધારા સ્નેહ–આદરભાવને સતત સિંચન લોકસાહિત્યના અડાબીડ ટેકણહાર કરવામાં અડગ રહ્યા છે તેમના યશસ્વી જીવનની લોકસાહિત્યને મોભ તૂટ. આમેય આપણું અણમોલ સિદ્ધિ છે. લેકસાહિત્ય તૂટું તૂટું થઈ રહ્યું છે. ભગતબાપુ ભાવનગર –કાળીદાસ ત્રિવનદાસ વ્યાસ જેવા અડાબીડ એના ટેકણહાર બનીને ઊભા હતા. નિરંજન કાલીદાસ વ્યાસ એ ટેકો હવે ગયે. લોકસાહિત્યને ઈમેલ કયાં સુધી ટકશે તે જોવાનું રહ્યું. બાપુ જોડે તેમને સંબંધ ગાઢ હતે. એમને આમેય જોકસાહિત્ય નિરાધાર હતું. હવે નધણિપ્રભાવશાળી ચહેરો, વાત અને વાર્તા કરવાની રીત, યાતું બન્યું. લેકવાણી–લેકબોલીને હવે સભાઓમાં ભાષામાંની લકસંસ્કારિતા, એ બધાં અદ્ભુત હતાં. ને ડાયરામાં કોણ લાડ લડાવશે ? લેકસંસ્કૃતિનું એમને ગાતાં સાંભળતાં નાદબ્રહ્મને રણકો કાને પડતો ઊંડું અને મર્માળું દર્શન હવે કોણ કરાવશે ? લેકહોય તેવું અનુભવાતું. “કુંભારનો ચાકડો, હજુય સંસ્કૃતિ વિકૃત થવા બેઠી છે. એને મોઢે, ચાડિયાના કાનમાં ગુંજે છે. મોઢે ચડે એવા લપેડા બાઝવા લાગ્યા. ભગતબાપુ રિબંદર –સંતોકબહેન નાનજીભાઈ મહેતા જેવા લોકસંસ્કૃતિના ધૂરંધરની એક પીંછી ફરતી ત્યાં એ લપેડા ઉખડી જતા અને લોકસંસ્કૃતિનું આર્થિક રીતે કાયમ નબળી ચારણ જ્ઞાતિએ મોટું જોવા જેવું લાગતું. હવે આ વિકૃતિને કોણ પૂ. સનબાઈમાના અવસાનથી આધ્યાત્મિક આધાર રોકશે ? અને કવિ કાગના અવસાનથી સાહિત્યને મહાકૂંભ બાપુ ડાયરે બેસતા ત્યારે ડાયરાની વાણી સડે. ખે. ઈતર સમાજને આપણું ગૌરવ સમજાવવા ડાટ વહેતી, ગ્રામજનો હારે ગોઠડી માંડતા ત્યારે દેખાડી શકીએ એવું કાંઈ આ ચારણ જ્ઞાતિ પાસે ગામઠી વાણી સોળે શણગાર સજીને રમણે ચડતી; હવે નથી, એટલી હદે અનાથ આ બે મૃત્યુથી વિદ્વાનની સભામાં બાપુની વાણી આભને ટોડલે બન્યા છીએ. રમતી ને સાત પાતાળના તાગ મેળવતી; રજવાડી મુંબઈ ૨૩–૨–૧૭૭ – મનુભાઈ ગઢવી ચોતરે એમની વાણી અનેક આંટીઘૂંટી ઉકેલતી. મોટા મોટા મા’જન અને મોભીઓ વચ્ચે બાપુ જ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથની Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧રે કવિશ્રી દુલા કાગ સ્મૃતિ બેસતા ત્યારે એમની હૈયાસૂઝ-હૈયાઉકલત ભલભલાને આંજતી; બાપુ વાતડાહ્યા હતા, એમને બોલે બોલે વહાલપ વેરાતી. સૌને એ પિતાના કરી માનતા ને રાખતા. આવા ભગતબાપુ હવે ક્યાંય ગત્યા નહિ જડે. લેકસાહિત્ય નોધારું બન્યું ને આપણે બધા નિમાણાં બન્યાં. બાપુ ગયા. ગોહિલવાડને પ્રાણ ગયો. ડુંગર પરની દેરડી એ ટમટમતે દી રામ થયો, પિોર્ટ વિકટરનો કાંઠો રંડાયો ને મજાદરની મજા રાંક બનીને વિકટરના દરિયે જઈને ડૂબી. –ચંદ્રકાન્ત ભટ્ટ * * સૌરાષ્ટ્રધરાની ફેરમ સદાય મહેકતી રાખનાર એક ફૂલ કરમાઈ ગયું છે. તેમણે કરેલી અમૂલ્ય સેવા સમગ્ર સમાજ કદી પણ ભૂલશે નહિ. ટીંબી -યુવક સેવા મંડળ ભયંકર વજઘાત જેમના થકી આખા ભારતને સમાજ ઊજળો બને તેવા શ્રી દુલાભાઈ કાગના અવસાનથી ચારણ સમાજ પર અંધકાર અને દુઃખનાં વાદળો છવાઈ ગયાં છે, સમાજ વધુ દરિદ્ર બન્યો છે. પૂજ્ય આઈ સોનલ માના અવસાન પછી આ ભયંકર વાઘાત છે, જેની કળ વળતા ઘણાં વર્ષો લાગશે. ચારણ સમાજમાંથી દૂષણ, કુરિવાજો અને અજ્ઞાનને દૂર કરવા તેઓ જિંદગીભર ઝઝૂમ્યા હતા. અને આજના યુગને અનુરૂપ સુધારા-વધારા કરી વાડાકીય ભેદભાવ મિટાવવા જે કાર્ય કર્યું છે, તેનું મૂલ્ય ચારણ સમાજના ઈતિહાસમાં કાયમના માટે સુવર્ણ અક્ષરે અંક્તિ રહેશે. મુંબઈ –ચારણ મિત્ર મંડળ ભુજ કલમ, કંઠ ને કહેણીનું કામણ સદગતે કલમ, કંઠ અને કહેણીના કામણથી ગુજરાતના લોકહૃદય જીતી લીધાં હતાં. એમણે લેકસાહિત્યની મૂલ્યવાન સેવા કરવા સાથે લેકકેળવણીનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. બોટાદ _બોટાદકર કોલેજ શ્રી દુલા બાપુ કાવ્યશક્તિ, ભકિત અને લેકસાહિત્યના પુરસ્કર્તા હતા. માંગરોળ -શાદાગ્રામ ઝળહળતું કવિન કેવળ ગુજરાતને જ નહિ, પરંતુ સંપૂર્ણ ભારત દેશે એક ઝળહળતું કવિરત્ન, શ્રીશારદામાતાનો કૃપાઆ પાત્ર પ્રિય પુત્ર ગુમાવેલ છે. તેની ખોટ કદી પણ કઈ પણ રીતે પુરાવાની નથી. જામનગર -આણદાબાવા સેવા સંસ્થા નીડર સલાહકાર જીવનભર અયાચીપણું જેમણે પિતાનું જીવનવ્રત બનાવ્યું હતું, દારૂના દૈત્યને દેશવટો દેવા જેણે કમર કસી, કંઠ અને કવિતાથી જેણે ભારતના માનવી માનવીને ડોલાવ્યાં, એમના નિધનથી સરસ્વતીએ પિતાને મહાન સપૂત, સૌરાષ્ટ્ર-ગુજરાતે પિતાને લેકલાડીલે લોકસાહિત્યકાર અને ક્ષત્રિય-ગિરાસદાર કળિકા દુલા કાગ રમૃતિ- ક Page #156 -------------------------------------------------------------------------- ________________ મરણાંજલિ ૧૪૩ વગે તેમના ભવ્ય ભૂતકાળ તરફ અંગુલિનિર્દેશ કરનાર સાચે ને નીડર સલાહકાર ગુમાવેલ છે. રાજકોટ -કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત ગરાસિયા એસોસીએશન એમને બુલંદ ઘેરો અવાજ હજુ આપણા કાનમાં રણકી રહ્યો છે. કંઠ, કહેણી ને કાવ્યને સમન્વય એમનામાં હતો. સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિને વિદ્વજને સમક્ષ એમણે રજૂ કરી લેકના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ચારણી સાહિત્યને જીવંત રાખનાર એક યુગ જતો રહ્યો. વલ્લભ વિદ્યાનગર – સોરાષ્ટ્ર સાંસ્કૃતિક મંડળ અજાચક ભક્તકવિ ભગતબાપુ દેવી સરસ્વતીના અણુએ અણુને વારસો લઈને જમ્યા, જ્ઞાતિની અમીરાત પામ્યા, કુદરતના ખોળે સંસ્કારનું પાન કર્યું અને તેની સુવાસનું ચરણામૃત લઈને “અાચક ભક્તકવિ' ની અપૂર્વ લોચાહના પ્રાપ્ત કરી ગયા. મેરબી –શાધતી: નાટય, સંગીત, કલા સાધના મંડળ કવિશ્રી કાગે લગભગ અધી સદીથીયે વધારે સમય સુધી ગુજરાતી લોકસાહિત્યની અનન્ય સેવા કરી, લુપ્તપ્રાયઃ સાંસ્કૃતિક વિરાસતના પુનર્જાગરણનું પુણ્યકાર્ય કરી ગુજરાતની સંસ્કૃતિ ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. લેકસંગીત, લેકકથા ને લોકકવિતાના વિસરાતા જતા વારસાની સાચવણી એમના જેવા અધિકારી સાહિત્યસંસ્કારસેવીને હાથે થવા પામી છે તે સૌરાષ્ટ્રની પરંપરામાં ચિરસ્મરણીય રહેશે. જામનગર –ડી. કે. વી. કેલેજના શેકદર્શક ઠરાવમાંથી કપર આંચકો ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતના ભાતીગળ પિતને આગવી જબાનમાં મૂકી લેકયામાં જીવંત બનાવનાર ચિંતક, લેકસાહિત્યકાર, સંત અને કવિ-પશ્રી દુલા ભાયા કાગના અવસાનથી ગુજરાતને કદીયે ન પૂરાય એવડી મોટી ખોટ પડી છે. આ આંચકે ગુજરાતના સંસ્કારજીવનને માટે જીરવ કપરો છે. અમદાવાદ –વિવેકાનંદ કોલેજ 'સદ્દગતે આ પ્રદેશના પ્રજાજીવનની આબાદી અને પ્રગતિ માટે આપેલે અમૂલ્ય ફાળે હંમેશા યાદગાર રહેશે. આ શાળાઓ સાથે તેઓશ્રી સ્વજનના નાતે સંકળાયેલા હતા. ડુંગર -કુમાર શાળા/કન્યા શાળા ' છેલ્લાં બસો વર્ષમાં આવો પ્રતિભાશાળી ચારણ ઇતિહાસમાં જોવામાં આવતો નથી. મૂળી –મૂળીના ચારણ ભાઈઓ લેકસાહિત્યકાર દુલા કાગના નિધનથી લેકસાહિત્યને ઘણી મોટી ખોટ પડી છે. સદ્દગતે ચારણી સાહિત્ય દ્વારા લોકમાનસને જીવંત રાખવામાં બેનમૂન ફાળો આપે છે. એ અર્થમાં તેઓ માત્ર સૌરાષ્ટ્રનું જ નહીં, પરંતુ ભારતભરનું મોંધુ રતન હતા. કવિશ્રી દુલા ભાયા કાગ લોકસાહિત્યના તેમ જ ચારણી સાહિત્યના મહાલયના આધારસ્થંભ હતા. મિસ વી કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ . Kir | TIEાષા!' . Eligit Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આવા વિલસતા જીવન વિશે શા શાક કરવા ! એમને આત્મા દિવ્ય ચેતનામાં ભળ્યા છે. અક્ષર દેહે તેઓ આપણી વચ્ચે ચિરંજીવ રહેશે. અલિયાબાડા જિ. જામનગર * કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ —દરબાર ગાપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય * સદ્ગતે ચારણી સાહિત્ય દ્વારા લોકમાનસને જીવંત રાખવામાં બેનમૂન ફાળા આપ્યા છે. એ અર્થાંમાં તેઓ માત્ર સૌરાષ્ટ્રનું જ નહિ પરંતુ સમગ્ર ભારતનું મેાંધું રતન હતા. અલિયાબાડા ગ་ગાજળા વિદ્યાપીઠ પરિવાર * * ઝવેરચંદ મેઘાણી પછી લાકસાહિત્યના ઊં’ડા અભ્યાસી, મરમી અને સર્જક શ્રી કાગ બાપુ સાચા અમાં ગાંધીવાદી હતા. તેમનુ જીવન સરળ અને ધાર્મિક હતુ`. ગુજરાતને આવા લેાકસાહિત્યકાર મળવા દુ`ભ છે. તેમનું સાહિત્ય વર્ષો સુધી લેાકસાહિત્યના સાધકો માટે ઉપયાગી નીવડશે. મહુવા —આર્ટ્સ–સાયન્સ કોલેજ પૂ. મહાત્મા ગાંધીજી, વિનેબાજી, રવિશંકર મહારાજ જેવા સંત પુરુષો અને આપણા દેશના ઉચ્ચ કોટિના નેતાઓ પર પૂર્ણતઃ પ્રભાવ પાડનાર આપણા પૂ ભગતબાપુ આપણા સમાજના એક મહાન પ્રતિભાશાળી, દૈવી કલ્પનાના કવિ અને દૃષ્ટા હતા. કચ્છ-માંડવી —શ્રી લક્ષ્મણ રાગ ચારણ એડિંગ * ** સ્વસ્થ દુલાભાઈ કાગ એક લાક–ગાયક, કવિ અને કલાકાર તરીકેની ચિરસ્મરણીય યાદનુ ભાથુ મૂકતા ગયા છે. જ્યાં સુધી ધરતી પર કવિતા અને કવિત્વનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી તેઓશ્રીની યાદની મહેક પ્રસરતી રહેશે. મહુવા લાયન્સ કલબ મહુવા * પૂજ્ય આઈમા તથા પૂજ્ય ભગતબાપુએ આપણી જ્ઞાતિ માટે કરેલ કાર્યાંનું ઋણ આ જ્ઞાતિ કયારેય પણ ચૂકવી શકવાની નથી. પૂજ્ય આઈમા દેવ થયા પછી તેઓ આપણા સાચા માર્ગદર્શીક હતા. —શ્રી સાનલ શક્તિ ગઢવી સમાજ આદિપુર (કચ્છ) — * * આકાશવાણી સાથે પૂજ્ય કાગબાપુને ધ્વનિ'ઠ ઘરાખે રહ્યો છે. આકાશવાણીએ રેકા દ્વારા સાચવેલી એમની વાણી જનસમાજની મહામૂલી સંસ્કાર મૂડી બની રહેશે. એમની વિદાયે લાકસાહિત્ય રંક બન્યું છે અને અમે મુરબ્બી, મિત્ર અને માદ્દેશક ગુમાવ્યા છે. ગુજરાત અને રાષ્ટ્રના લોકસાહિત્યને એમના જવાથી ન પૂરાય તેવી ખાટ પડી. છે. ગુજરાતનુ લેાકસાહિત્ય જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેમની યાદ ચિર જીવ બનશે. રાજકોટ કોળી દુલા કાગ સ્મૃત્તિ-થ —કેન્દ્ર નિયામક આકાશવાણી Page #158 -------------------------------------------------------------------------- ________________ sickijoe@ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ - ગ્રંથ કાગ ટહુકી ગયા કાગવાણી ( ઝૂલણા ) ભારતી ભામના, ગુરી વ્યામમાં, ચમકતા એક, ઊગ્યા ધરા સૌરાષ્ટ્રની, ચમકતી રહી તે, ચમકતા કચ્છ કે કળાયલ કડથી, કાગ ફૂલા કવિ, લેાકવાણી કરી શારદા માતા મધુરેશ મારલે, સિતારા, કિનારો; રાજરાણી, કાગ ટહુકી ગયે કાગવાણી કાગના વેશમાં, આજ આ દેશમાં, માનસરવર તણ્ણા હંસ આવ્યા, મધુર ટહુકારથી, રાગ રણકારથી, ભલે! તે સર્વને મન ભાવ્યેા; લોકના થેકમાં, લાક સાહિત્યની, મુક્ત મનથી કરી મુક્ત લહાણી, શારદા માતા, મધુરા મારલા, કાગ ટહુકી ગયાનુ કાગવાણી કદરદાની, કવિની અનેરી, કાવ્ય સેવા તણી, કેન્દ્ર રાજ્યે કરી પદ્મશ્રી'ની નવાજેશથી, કવિની પરાભક્તિ પ્રતિભા પિછાણી; દૂધ દીપાવિયું, કચ્છ-સૌરાષ્ટ્રનું, * તે જ પરખાવિયું તેજ પાણી, શારદા માતને મધુરા મેરલા, કાગ ટહુકી ગયા, કાગવાણી શ્વેત તે સાફ વસ્ત્રો મહીં વિચરતા, શુભ્ર ફરતા ફિરસ્તે ગયેા કયાં ? કમળની પાંખ શી, આંખ ભીની લઈ, આપ હસતા જ હસતા ગયા કયાં ? શબ્દ સગે ખેલતા ગેલતા, રેલતા પ્રેમનાં પૂર પાણી, મધુરા મારલે, કાગ ટહુકી ગયા, કાગવાણી સદા, શારદા માતા, # સોરઠી સાદથી, મેઘના નાથી, પુરાતન ચારણી વાણીનાં અમેાલાં, અમરતાને વરી, કાગ વાણી અને, શારદા માતા, મધુરે મેરલા, ગગનને ગજવનારા ગયા કયાં ? મૂલ મૂલવનારો ગયે। કયાં ? કાગના રાગની રસ-કહાણી, ટહુકી ગયે, કાગ કાગવાણી * કવિ કાગના વડીલો કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવેલા. કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ...૧ .... ...3 ...૪ ...4 Page #160 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાંજલિ ભક્ત અવિભક્ત તું, રામના નામને, રામાયણ તાહરે કંઠે રમતી, મહા ભારત તણી, ભવ્યતા વીરતા, ધીરતા કંઠ કલ્લેાલ કરતી, રસરાજ બીજલ – તણે વારસે, ગીત સંગીતની રીત જાણી, માતના મધુરા મેરલા, કાગ ટહુકી ગયા, કાગવાણી રાગ શારદા સતની સાધના, ભક્તની ભાવના, નામની નામના, તે જમાવી, કાગ કવિરાજ તે, કીતિના કોટ પર, કનકા કળશ દીધા ચડાવી; જુગાના જુગા વહી જાય, લૂંટાય ના, કવિ ! તારી અમેાલી કમાણી, શારદા માતા, મધુરે। મેરલે, કાગ ટહુકી ગયા, કાગવાણી ગગનગામી ગિરિરાજ ગિરનાર શે।, બ્યામ સંગે વિહરતા હતા તું, ધનુષ-ટંકાર શા, શબ્દ—ટકારથી, કાવ્ય લલકાર કરતા હતા તું, મૃત્યુને મારીને, જંગ જીતી ગયો, વીર્ ઉપડી ગયા, તંગ તાણી, શારદા માતને, મધુરા મારા, કાગ ટહુકી ગયા, કાગવાણી —દુલેરાય કારાણી અમદાવાદ બાપુ, મુઝાવે સ્વ'ભૂમિના સરી ચિર જીવી અને ડુંગર તમ વિના કાણુ ગયા સરી ગયા સંસારમાંથી ઉજ્જડ અમારે હૃદયે લાગેલી રહ્યા અમ આપ હવે સંસારમાંથી જોઈને થયા સ્મરાજ રહ્યાં હવે ‘કાગવાણી’ના સાતે બાગ, આગ ? સેવક; લાગ. આપનાં, ભાગ. દિલીપ ભટ્ટ + કાગ કવિના વડીલ બીજલ ચારણે પેાતાની સગીત કળાથી જૂનાગઢના રા'દયાસનું માથું માગી લીધું હતુ.. ૧૪૭ ...૭ ...< કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ પ Page #161 -------------------------------------------------------------------------- ________________ r કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-પ્રથ મહાસાગર આજ સુકાઈ ગયો ( છંદ : દુર્મિલા) જિન કંઠ અમીત ભર્યું હતું કામણ ગીત ખુબી ભર્યા' ગાઈ ગયો, કંઈ યુક્તિ ભરી રચનાઓ કરી ખુદ પાન ખુમારીનાં પાઈ ગયો. સૂર ચારણ જ્ઞાતિ મહીં પ્રગટ પ્રસરાવી પ્રભા અથમાઈ ગયે કવિ કાગ જતાં લેક સાહિત્યને મહાસાગર આજ સુકાઈ ગયો. ૧••• હરતાં ફરતાં મધુરાગ સુણી ઢળતાં જન હેરી ગે વળતાં, ઘંટનાદ સમા ઘુઘવાટ સુણી ચિતરાઈ જતાં ઢીંગલાં ધુણતાં. નિરખી મન મદ ભરી મૂરતી ગણ દેવ ગણી પગમાં પડતાં, ગુજરાતનું ગીત અનાથ બન્યું, રવીનાથ સમ કવિ કાગ જતાં. કંઈ શાસ્ત્ર પુરાણોની વાત કથી કથી વાતરૂ દાંપત્ય જીવનકી, કથી દેશની દાઝરૂ વીર કથા કથી બ્રહ્મ કથા રઘુનંદનકી, કથી ત્યાગરૂ ભક્તિ ભવેશ્વરકી કથી વીર કૃષિકાર નંદનકી. કથી સેરઠના સત્કાર ભણી અનુરાગ ભરી સંત સજજનકી, લખિયાં ગીત શારદ માત તણાં લખિયાં ગીત આદિયા શક્તિ તણાં. લખિયાં ભવસાગરને તરવા મળવા પ્રભુમાં પ્રભુભક્તિ તણાં. લખિયાં દિલ્હી દરબાર જઈ અપના ધ્વજના અરમાન તણા, ભૂમિદાન તણા સન્માન તણા અભિયાગતને અન્નદાન તણાં. ...૪ કહિયે કુલભૂષણ જન્મ ભયો યશભાગી મહા શુભ રાત મહીં, વરસાવતે અમૃતની વરસા ઈક નાની શી વાતની વાત મહીં. પ્રણવું મતિવાન પ્રરાક્રમી પૂરન સુકવિ ચાર જાત મહીં, મળવો મુશ્કેલ છે કાગ સમ ગરવી નવી ગુજરાત મહીં. પ્રિય રાગ તણા રણકાર ગયા ગીત ત્રિકુટના જાણકાર ગયા, દિલ દાયરાના શણગાર ગયા જાણે પ્રાણ તણું ધબકાર ગયા. અવકાશ ધ્વની પર છલતા'તા નિત્ય હ મેરૂભા પડકાર ગયા, કવિ કાગ જતાં સૌરાષ્ટ્ર તણા લોકસાહિત્યના લલકાર ગયા. - ૧ - - - - == = = ની કપ દુલા કાગ સ્મૃતિ-ગ્રામ, Page #162 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાંજલિ દિલકી દઢતા ગિરિ મેરૂ સમી હતી શીતળતા સુ હિમાલય સી, ગહરાઈ સમંદર સાત સમી સમતા ગુરુદેવ દતાત્રય સી. ખમકાર ગિરા કરતી વહતી રસધાર મંદાકિની કે પય સી, કુલ ચારણમાં પ્રગટાવી પ્રભા કવિ કાગ સદા સૂર્યોદય સી. નથી સૂર કબીર કવિ તુલસી નથી ઈસર કે રવિ ભાણગુરુ, નરસિંહ મીરાં કે મેઘાણી નથી નથી જીવણ કાન્ત કલાપી અરુ. નથી આમ એ કોઈ સદેહે ભલે છતાં છે નિત્ય અક્ષર દેહ ધરી, વિશ્વાસ છે “પિંગલા” કાગ બધે મળશે જુઓ ગામઠી ગામહી ફરી. જામનગર –પિંગળશી મેઘાણંદ ગઢવી રૂઠી જ્યાં વિધાતા “કંઠ ગયે કહેણી ગઈ ગયા છત્રીસ રાગ અધવચ મૂકી એકલા, જ્યાં સંતાયા કાગ.” સત સંગ અને રંગ ભક્તિ તણા, જ્યાં તંબુર તારે તળાતા, છંદ સવઈ ને છપ્પયનાં રોજ, કાવ્ય કસુંબાં ઘોળાતા. આંગણીએ આવકાર તણા, સુર હજીય છે સંભળાતાં, કયાં જઈને નાખી એ ધાવ કે કરીએ રાવ-રૂઠી જ્યાં વિધાતા. અજબ રચના રામ તણી–એમ ગાતી રસના આજ રડે, સીતા હરણ કે હરણકશીપુનાં આજે થડડડ થંભી ગડે. શક પડે છે મનમાંય હજી મને-વેણ હજુ નથી વિસરાતા, ક્યાં જઈને નાખીએ ધાવ કે કરીએ રાવ-રૂઠી જ્યાં વિધાતા. મોતીદામ, ચર્ચરી, સારસી–રેણાંકિ–ત્રોટક સૌ રડતાં, ડીંગળ, પીંગળ-દુહા સોરઠા-હાલ્યા કેમ મૂકી પડતાં. કોણે ઘડયા ભગવાન-ભલા આ જીવનમરણ કેરા નાતા ? કયાં જઈને નાખીએ ધાવ કે કરીએ રાવ-રૂઠી જ્યાં વિધાતાઅમ અંતર કેરી અંજળીયું, આજ આંખડીયું માં ઉભરાતી, મૂકી કોયલ મેરનાં કંઠ, રહેશે “કાગવાણી' દુનિયા ગાતી, કળા છે અપરંપાર આ “કેશવ’ ભેદ નથી કંઈ સમજાતા, કયાં જઈને નાખીએ ધાવ કે કરીએ રાવ રૂઠી જ્યાં વિધાતા. -કેશવ રાઠોડ : : આ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫o કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ કાગ વીશી [કેટલાક પિતૃ કે માતૃભકતે પિતાના માવતરની હયાતિમાં “જીવતું જગતિયું કરે એવી ભાવનાથી પ્રેરાઈને ભાઈ મીઠાભાઈ પરસાણાએ બાપુને સંબોધીને '૭૫ના સપ્ટેમ્બર માં મરશિયા લખીને બાપુને મોકલેલ. જે અહીં રજૂ કર્યા છે] ભજન દુહા ને છંદને, મધમધતો તુજ બાગ; કેક ભ્રમર ગુંજન કરે, તુજ કે જે ઓ કાગ. પટણીથી પાટે ચડશે, કૃણે બંધવી પાગ; મેઘાણીએ મોં કર્યો, તને હા દુલા કાગ. જગમાં કોઈ ન માનતું, ભગત હવે બગ કાગ; (પણ) કળિયુગમાં તું અવતર્યો, હે ભુપડી કાગ. આંખો જ્યારે માંડતે, પ્રશાંત પાણીદાર, વશીકરણથી બાંધતે લેકે લાખ હજાર. વિદ્વાનો ને લેખકે નમે કલમ તુજ આજ, આફ્રીન તુજ ઉપર સહુ જે સંભાળે તાજ. દુનિયા ડેલાવી રચી કાગવાણીના ભાગ, બુઢાં નાનાં બાળ સહુ ગાય રસીલા રાગ. વંકી તારી પાઘડી ને વંકા તારાં વેણ, ફટલને તેં ધગધગાવી માર્યા પાકાં રેણ. હણવા દારૂ દૈત્યને તે લલકાર્યા ફાગ, જળ મેલ્યા બંધાણીએ તુજ સમીપે કાગ. ચારણ ધારણ કેમ ધરે હાલ્યા ઘરનો મોભ, તું વિણ આડે કોણ દીએ, દખને આભે થેભ ? તું ચારણને દેવતા ચારણ માટે ભાગ, તે તેને ઉંચા લીધા ભલે હો દુલા કાગ. મક્કમ ડગલાં માંડત, નિર્ણય લઈ તત્કાળ, તારૂં ઉથાપે નહિ ચારણને કઈ બાળ. ગાયો ચારી બે જણે કાનુડા ને કાગ, એકે લીધી બંસરી, બીજે છેડો - રાગ. ( કuિી દુલા કાકા ઋદિ-સાથ))))))) Page #164 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાંજલિ કાગ. દીન દયાળુ વાસમાં દીવા કરી તું જાગ, ગડથાલાં લેનારને દેર્યાં અધારે ખળખળ વહેતાં વહેણ સમ મેં ગંભીરા નાદ, ચપટીએ ચેટક કરી, (કયાં) ગયા લગાડી સ્વાદ ? આકાશવાણીએ ઉચ્ચર્યાં લાકકવનના રાગ, રામાયણ રમતી કરી તે ભુષ’ડી કાગ. તારા એ રસથાળમાં નવ રસ સ્વાદ અથાગ, જમનારા નરવા કર્યાં, હું તે દુલ્લા કાગ. તારાં ગીત કવિતથી રહી લેાકભાષાની લાજ, લોકગીતેાના ડાયરા, સુના પડી ગ્યા આજ. સૌને લઈ સત્કારતા (લઈ) ભૂજપાશના લાગ, પાણ પાયાં ખમીરના અહે। તે દુલા કાગ. જગને દેતાં શીખવ્યા ભાવ ધરીને ભાગ, ટેલીયે। વિનેાખા તણા કહુ' તને હું કાગ. રાય રક રાજી કર્યાં ગાઈ સુરીલા રાગ, હાડ નીચેવી હાલીયે। હવે તું દુલ્લા કાગ રાજકોટ —મીઠાભાઇ પરસાણા કવિ કાગને શ્રદ્ધાંજલિ કાળા રંગે કાગડા, કામણ કર્યાં કમાલ શબ્દે આવ્યા શામળા, વેણે ફુટયા વ્હાલ • કાગા શખરી રામની નિતનિત જોતી વાટ પગ ધાવાને ન્હાવરા, કેવટ ગંગા ઘાટ • કવિતા કાયલને તજી ઉડી ગયેા કયાં કાગ વડલા પણ વાણી તણા, લઈ બેઠો વૈરાગ કાગા ધર ધર એલજે, ધર ધર આવે મીત પાંખડીએ પણ પાંગરે તે કાંટે કાળે પ્રીત —હરકિશન જોશી જામનગર કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ - ૧૫૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ વંદું તુંને ભાગ્યવિધાતા (મરશિયા) જનની ધન ધાનાબા જાયે. ‘દુલા” જેડ દીકરો ડાયો ભાગ્યવંત તાત જે ભા... છોટી વયે સુગંભીયું સેવી, ગીતાનું મેળવ્યું જ્ઞાન, વ્રત અજાચક પાળીયું વંકા, ભૂલ્યો નહીં કુળ ભાણ. રાખી રૂડી સંત જ્ય રીત્યું, આવી નહીં ઉર અનીત્યું...... જવામર્દો મનને જીત્યું...... વા, કવાયુ કળીને વાતાં દુલા ના લાગ્યો ડાઘ, સંત મોટા મુની કે સપડાયા, તું કરમી છો કાગ, ત્રિવિધ તાપને તોડી, હાંકી ભવ સાગરે હોડી.. સાચી મીટ સાંઈયું જેડી... ભોમ અરપી ભુદાનમાં તે તે, દધિચી સમવડદાન, પદ્મશ્રી પદ મેળવ્યું પતે, મેવું ઈલા પર માન; ભાવે ઈચ્છે વિનોબા ભાવી; અવનીમે ભલે એ આવી... પુરાણ એ કિરતી પાવી.. ઈચ્છતા પ્રેમે ઓફિસરો રે કાંઈ, ભરત ખંડરા ભુપ, મનથી માને મીનીસ્ટરો મોટા, રાષ્ટ્ર તણું મું રૂપ, મર્માળુ કવિશ્વર મોટે, તેને પડો દેશને તેટ... જેને નથી જગમાં જેટ... એ કuિwી દુલા કાઝા ઋાંf :Jધ ન જ દર . . * દર Page #166 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાંજલિ છંદ સપાખરાં સોરઠા સુંદર, ગુણનાં ભરીયલ ગીત, બતાવી રાષ્ટ્ર તે તે।, રામાયણની રીત. રૂડી એવા કલાકાર કે આવે ગળાં મેલી મેાકળાં ગાવે... પરૂ દુલા કાગ ના થાવે... આપ અમાપ રઈ માપથી માપી, તેય લીધેા જગ તાગ; વેદુ જો તા વારણાં લેવે, કોટી વંદનથી કાગ; તપેસર ` માહને ત્યાગી; લગણી મહેશથી લાગી રે... ભાયા સુત ગયા બડભાગી... ગયુ. નાણું ગુજરાતનું સાચુ', ખરી રત્નની ખાણુ; કોહીનુર હીરા ‘કાગ’ વીયા ગ્યા, પારસમણી પરમાણુ, સાવજ ગયા દેશરી શાલા, મ ગયા કુળરામેાભારે... થડકલ આભને દેત થાભા... સત વ્રત આઈ સાનખા તે વળી, હેમુ હલકાર; દેવા શકરાન મસ્ત મેધાણી, રચનારા રસધાર; આણે જગ ફરીથી આવે, લારે દુલા કાગજ લાવે... જરૂર પાછાં વૈકુઠ જાવે... જાયા તે નર જાય જગતમાં, આખર છે અવસાન, વાસ સુવાળ ઉઘરાજને વતની, દેજળ દેવી દાન, ઉધરેાજ (ચુવાળ) દિલાવર સાંભરે દાતા; જગતથી રહ્યા જે જાતા હૈ... વન્દુ તુ ંને ભાગ્યવિધાતા —ઝુલા દૈવીસંગ કેશરદાન શ્રી દુલા કાના સ્મૃત્તિ વધ ૧૫૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ ફાટેલા પિયાલાના કવિ (ચાર મુક્તા) ૧. દાઢી ... વિશ્વામિત્ર ''ની યાદ દેતી ઢાગેારની દાઢી હતી; વસિષ્ઠ'ની યાદ દેતી પટણીની દાઢી હતી. પ્યાસા' લાકસાહિત્યના વેદ વ્યાસની યાદ આપતી ભગત બાપુની આ દાઢી હતી. ર. ભક્તિ ‘પ્યાસા' પૂછે સ્ત્ર મનને દુલા કાગ ધ્રુવા હતા ? કાકીલ ક’ડી સાયર 'કાગ' તખલ્લુસ રાખી ગયા. વ્યાસ વાલ્મિકીની યાદ આપી— ફર્ટિલા પિયાલાને કવિ કૃષ્ણમિલને ચાલ્યેા ગયેા. ૩. જામ કાંગ ભુશ’ડીની છટાથી રામાયણ ગાતા રહ્યો; વાલ્મિક વ્યાસ મૈં તુલસ્તની રાહે જાતે રહ્યો. પ્યાસા' મંદિરાની પ્યાલીની ઠેકરે દઈ. ફ્રાટેલા પિયાલાના ભગત ભક્તિને જામ પાતેા રહ્યો. ૪. કાગવાણી હતાશામાં આશા સિંચતી લેાકગીતની લાણી હતી; મડદાને બેઠા કરતી ભગત બાપુની વાણી હતી. “પ્યાસા” શરાબી જુગારી દુનના દિલમાં પ્રકાશ, ‘“દુલા કાગ’”ની “કાગવાણી’’ હતી. —જયદેવ એલ. દવે પ્યાસા' કરતી અમદાવાદ * * * ત્રણ જુગની ભગતિ ચેાથા જુગમાં પ્રગટી કાગ તારી કરણી કલમ થઈ હરણી સતના સેવકા રાંકના રજપૂતા ચારણના અવધૂતા કવિએ મેં કાગડા નવા અંજાર —ગઢવી ભુરાભા ખીમરાજે કાઢા Estaut gan stan zylÁSi! દુગ સ્મૃતિ S Page #168 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાંજલિ લાક કામણ પૂજક માહનના પરમ કરી કવિ કુળ ક્રિત સ્વગે કાગ સિધાવ્યા ગાવા ગાંધી ગીત. સતિ કવિ તે સાધુજન દેશ ભક્ત દાતાર, યશદેહ એને અમર શાભાવે સ`સાર. તપ અમાપ પિયલ મુની તુ જન્મથી તાત પાવન ચારણ પુન્યની કે ફ્રાટી પરભાત. જનતાને જાગૃત કરી વાંચી આગમ વાત યુગ દ્રષ્ટા કવિ પુત્રથી મગદુર શારદ માત. કાવ્ય કેણી ને ક ંઠનેા તારા રચી ઈકતાર સુરેખા સૌંસારનેા શાભ્યા સરજણુહાર. ચારણ કુળ ગૌરવ ગગન ભાવણ એ થંભ દેવી સોનલ ને દુલા દરશનીય વીણ દંભ, કાવ્ય વાંસળી કાગની સપ્ત સ્વરીલી શુદ્ધ માદ્યો મેાહન સાંભળી વિશ્વ માન્ય વિભુત. અજબ વ્યાસનું ભાગવત તુલસી રામાયણ કાગે વાણી કાગમાં કર્યું લેાક કામણ. દુઃખથી દિલ લાખા દ્રવ્યા નીરખી કાગ નિધન આપે છે શક્રાંજલી જનતા જનાર્દન. —નારાયણદાસ ભાલિયા ામનગર * * વહેતા ધોધ વાણી તણા, કંઠમાં આપે છે કાવ્ય; ગગનગારાંથી ગીત, કયાં જઈ સાંભળવા કાગડા. ** * ગિર સુની વિષ્ણુમાર, કાયલ સૂની વિષ્ણુ ફ્રાંગ; શાયર તૂને વિષ્ણુ લહેર, ભાગ સૂના વિષ્ણુ કાગ. વલ્લભ વિદ્યાનગરના સૌરાષ્ટ્ર સાંસ્કૃતિક મડળે યાજેલ શોકસભામાં ગવાયેલ slagit gan sprzakt ૧૫૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ ઉપર્ટ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ બધિર ભયી સરસ્વતી (છંદ-મનહર) ગજબ અપાર પારાવાર હાય હાય હો; કવિ કાગ આજ દેવલોકમેં સિધાયો હૈ, કાગવાણી સુનને કો દેવહી અધિર ભયે; ઈન્દ્રાસન મહીં બાપ, સ્થાન હી જમાયા હૈ. તુમ બીના રાષ્ટ્ર મેં, બધિર ભયી સરસ્વતી; જ્ઞાન, ધ્યાન, દાન, પાન સભી બિસરા હૈ, જન્મ લે કે ફીરસે, પધારો બાપ દેશ મહી; દયાશંકર દિલમેં નિરાશ રંગ છાય . (૧) (ઈદ સવૈયા) કે..કાવ્ય કળા શણધારન કોવિદ, નિરખે આજ મેં નિશ્ચય જ્ઞાની; ગામ મજાદર દેવહી ચારન, બેશક રીઝમેં આપકે બાની; દેવ સભી તવ તારીફ કરતે, મૌન રહે નહિ આપ અમાની. ગુર્જર ભેમ વધારન ગૌરવ, દીપી રહ્યા દુલા કાગ સુદાની (૧) દેશ કી દાઝ સાજ સ નીત, દેશમેં ભક્તિ કે કાવ્ય કર્યો હૈ. યુદ્ધ સમે તવ શુદ્ધ પ્રચારક, બુદ્ધ તણે ઉપયોગ કર્યો છે. અંજલી દે દયાશંકર નાયક, પુત્ર સમો તવ શિષ્ય સમાની ગુર્જર ભેમ વધારન ગૌરવ, દીપી રહ્યા દુલા કાગ સુદાની (૨) પાંચોટ –કવિ દયાશંકર હ, નાયક પાંચોટ -કવિ દયા કર - નાયક રીતે કર્થ દક્ષા 51 સ્મૃતિ-ગુંથી .. Page #170 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાંજલિ ચારણું તુલશ સધીર કૂટનીતિજ્ઞ ચારણ કવિ વેદાં ભદ્રે વિદૂર, ગાંગેય ‘ગીત ગ’ગા’ તણા ચારણ તુલશ સધીરલાક સાહિત્ય લલાટમાં કલમ સાંચરી કાગ, લોક ગીતા રામાયણ ભારત કેરે ભાગ. કાગ રહ્યો. કવિતા રહી કાગા ગઈ કડવાસ, આપ કવિની અંજલી સાયર થઈ ગઈ સાત. રાશે। ન બંધુએનડીપુત્ર માત પરિવાર, જનમન અક્ષર જીવતા કાયમ જોને કાગ. કવિતાથી કવિ તણી સૌ મેળવે છાયું, અજવું જગ બાપુ દુ`ભ પદ છે દુલિયા. રાજકોટ —આપાભાઈ કાળાભાઈ ગઢવી * પલ્લા ઝાટકી પરવાર્યા હૈયું રહે નહિ હાથમાં ને અંતર જલની આગ તેણુ નીર થંભે નહિ તું જાતાં વિ કાગ. તે તેા માયા મૂકી દીધી. વધુ એલા વિતરાગ અંતર અજ ંપો રહ્યો. હવે કયારે મળશું' કવિ કાગ ! હવે કેાની ગાઉ' કવિતા ને હવે કાના રાખુ રાગ મારું મન ભાંગી ભુક્કા કર્યું. કેવુ તે કવિ કાગ. કવિતા જો કકળી રહીને રાવે ધ્રુસકે રાગ હવે કાના કંઠે કરશું અમે તુ' જાતાં કવિ કાગ. શારદ રેતી સાંભળી મેાભી જાતાં મહા ભાગ એના ખેાળા કાણુ હવે ખુંદો તું જાતાં કવિ કાગ. સરિતા સુક્રાણી સાહિત્યની વીરમી વાણી અતાગ હવે શુરાને કાણ સ'ભારશે તું જાતાં કવિ કાગ. કેને વરશે કીતિ હવે તે કયાં ઠરશે કવિતા ઠામ પલ્લા ઝાટકી પરવર્યા લ્યા દુલા રિને ધામ. . * ** મારા ગાજે તું મરશીયા એમ હું કહેતે ‘પરવશ’ કાગ પણ મારા ભુંડા ભાગ કે મેં તારા લખીયા કાગડા. જૂનાગઢ —શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇ % કોળી દુલા કાગ સ્મૃતિ-થ ૧૫૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ w , કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-સંધ જતાં દુલા કાગ ફેરમ ગઈ ફૂલડાં તણી, કરમાયો કવિતા બાગ, સુવાસ સઘળી જતી રહી, જાતાં દુલા કાગ. ગૌરવ હતું ગુજરાતનું, પાશ્રી દુલા કાગ, ચારણકુળ શિરોમણિ, હતા કવિજન કાગ. પીંપળ પાન ખરી ગયાં, કુંપળ ફૂટી નૈ, રડતાં ઊભાં રૂખડાં, આજ કવિતા સ્વર્ગે નૈ. સરવાણી સૂકાઈ ગઈ, મુંઝાણા ભજન, કવિત, રડતાં માતા સરસ્વતી, ઢળાણાં ગીત નવનીત. કાળ નગારાં વાગતા, સ્વર્ગે સીધાવ્યા કાગ, ગીત ભજન મૂકી ગયા, મૂકી હળવા રાગ. દુખિયાને દિલાસે ગયે, સુખિયાને ગયો સત્સંગ, ભક્ત કવિ દુલા ગયા, છોડી સૃષ્ટિના રંગ, આવાસમાંથી ઊડી ગયા, કવિતા મૂકીને કાગ; ગયા પ્રભુના ધામમાં, છોડી સર્વે અનુરા. ગયા પણ ગયા નથી, રહ્યો વાણીમાં વાસ, જયાં લગ માનવ જીવતાં, ત્યાં લગ દુલા પાસ. કાયામાં હતા કૃણજી, રૂદામાં હતા રાય; જીભે માતા સરસ્વતી, દુલા તમને પ્રણામ. દુલા તુંહી દિલ ભલા, ભલા તુંહારા કામ; થાવતચંદ્ર દિવાકરી, રહેગા દુલા નામ. –આપ હમીર , સાહિત્ય કે શૃંગાર ગયે, સુત ગયે શારદ કે; સાજ કે આવાજ ગયો, પ્રાણ ગયે પરજ છે. મહેમાને કે માન ગયો, મહંત ગયા મજાદર કે; સ્વર્ગ પંથે યે કાગ ગયે, સાથી હમ સબ કે. ચલાળા –પ્રજાપતિ વેહલભભાઈ - ૨ .. કાપી લાકI BIGLય , Page #172 -------------------------------------------------------------------------- ________________ ફૂલ કાવ્યાંજલિ સભાગી કવિ (છંદ સારસી) તે માહામાં મોહન તણા સિદ્ધાંતને ઉત્તમ ગણ્યા વળી દેશભક્તો વિરલાને કાવ્યમાં ખત વણ્યા રજગુણ મન રૂચે નહિ તમો ગુણને ત્યાગી હતો સત્વગુણ સાગર ઘુઘવતે કવિ કાગ સંતભાગી હતે. નિજ દેશને વિદેશભરમાં પદ્મશ્રી મશહુર હતો માત કાગલ કુળમાં કવિ કાગ કેહીનૂર હતું અણડગ હતો અડીખમ હતો નીડર બનીને ભાંખતે કવિ ભક્ત દુલા કાગ તું શ્રીરામ રૂદે રાખો. સ્વર્ગે જતા કવિ કાગનું નિજ દેશને તુટો પડ્યો સુવાસ મૂકી સામટી તું સવથી છુટો પડયો કહે મનુ કવિ કાગને પ્રભુ શાંતિ સ્વર્ગે આપજે કવિ ભક્ત દુલા કાગને તારો કરીને સ્થાપજે. ગોંડલ –અંધકવિ મનુભાઈ કે. ચુડાસમા ભુશંડી તને કાગ કહું કૃષ્ણ તણી બંસીનો રાગ કહું કે, બાવન ફૂલડાળો બાગ કહું ? કાવ્ય કંઠને કહેણીની ત્રિવેણી ભણું કે, ગરૂડ ગુરુ ભુશંડી તને કાગ કહું ? શુદ્ધ શુકદેવ કહું, બુદ્ધ કે ગાંગેય કહું ? દુહ પંચમ વેદ કહું, કે ભક્તિ અભેદ કહું? યોગી અવધૂત કહું, ભારતી સપુત કહું ? સર્વગુણ સંપન્ન કહું, કે ગાંધીયુગનું સુમન કહું ? ધાનબાઈનું ધન કહું, કે મેઘાણીનું મન કહું ? ભાયાઉત ભગત કહું, કે જગઢાંકણ “જયજગત’ કહું ? આસરાણા –દલુભાઈ જોશી DD DD. ((((((((( *fabt Eટા ક » Ben : Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬o કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ ગૌરવ ગયું ગુજરાતનું “દુલે જતાં દેશથી, ચાલી ચર્ચા કવિયાં ચિત; મળે નહી ભવ મીત, ગૌરવ ગયું ગુજરાતનું..... પીંગળ-ઝવેર તણી, નીભવી શંકરે નેમ; ‘કાગ’ જવાથી કેમ ! ગૌરવ ગયું ગુજરાવનું...... આલમે આથમે, સાહિત્યનો સભરી સુર; નિમળ રેલાવી નુર, ગૌરવ ગયું ગુજરાતનું..... શાયર -શાયર હતા, માયાળુ મહેબુબ; ખોટ પડી જગ ખૂબ, ગૌરવ ગયું ગુજરાતનું...... કાગવાણી કાવ્ય થકી; બધા જ પિરસી બધ; ધરા વહાવી ધોધ; ગૌરવ ગયું ગુજરાતનું...... ઉકરડી : -કાન્ત નેક ટેકીલે ગયે (૧) દેહા સોનલ માતા સંભરી, લાડકવાયા લાલ, ઘેરી વિ કાલ, કમઠ ધુ કાગડા. કેલ કંધ બહુ કમકમી અહિપત બહુ અકળાય, સદાયની ગઈ રહાય, કણ કણ રોયે કાગડા. (૨) છંદ વરણ ચારણો વિભૂષિત, જતિ ગંધર ગયો, તરણ તારણ તસર, ગીતને ગાયક ગયો. કારણ કરણું કર્તવ્યને સર્વથી હાયક ગયો, ધારણ ધરણ ધુરંધરો નીતિમૂલક નાયક ગયો. પ્રારબ્ધ લઈ આયો પૃથ્વી, નેક ટેકીલે ગયે, અજાચક અણમૂલ સે, ગીરા ગહકીલે ગયે. વાણી વિમળ, નીતિ ત્રિમળ મયુર ટહુકી ગયો, કાગ એક અદાગ ભાયલ, ચારણ ચમકીલે ગયે. -કવિ મહેશદાન નારણદાન મિસણ છે . દૂર જ રવો દુલા કામ મૃત-jet , Page #174 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાંજલિ (૨) દુહા દાગ તવ કવિતા તણાં, સુધા વારિ સિંચેલ, કોડ સરવર કીધેલ. જયાં ભાંભર ભાયાણી. ચારણ સાડાત્રણ પાડા, એની આંખુ ભિંજાણી, . જડશે ન જોડ જગતમાં, ભૂમિ જાતાં ભાયાણી. શિરમોર ને સર્વોચ્ચ એવો કાગ હા ! ચારણ ગયો, પરદુઃખભંજક શો બની, એ સૌનો દુઃખતારણ ગયે. દિન-રાત મસ્તીમાં હતા એ કાવ્યના સર્જન મહીં, હરદમ મધુરપ છેડતે, ,બંસરી ધારણ ગયે. કર્યો અભ્યાસ ધર્મોને, નિરંતર જિંદગાનીમાં, કરીને ગાન રામાયણ તણું, એ સત્ય-ઉચ્ચારણ ગયે. હતી ઈચ્છા પિતાની પુત્રને, ભડવીર કરવાની, ચાહી ધેનુને પારાવાર, દિલથી આજ ગે–પાલણ ગયો. કરી છે ઉજળી જ્ઞાતિ, જગે ચારણની ચહુ દિશે, ઉપાસી “શારદા” નિત્ય, માતનું દૂધ ઉજાળણ ગયે. –ભરત કવિ “ઊર્મિલ” (રેહડીયા) (૩) દેહા દેવે દેવી પુત્રને, દીધેલાં જે દાન, એને મમતે દીધાં માન, તે ભાવે કરીને ભાયાઉત. ચી ચારણકુળને, અનોખો મારગ આજ, તૃપ્તિનો ઈ તાજ, તે ભલે પેર્યો ભાયાઉત. થયા ઘણા, થાશે ઘણાં, વળી ચારણ વિદ્વાન, સહુથી નોખી શાન, ભાળી તારી ભાયાઉત. હો ગાંધીના રેટિયા કે વિનોબાનું ભૂમિદાન, સહુનાં તે સન્માન, ભાવે કીધાં ભાયાઉત. આવ્ય અવનિ ઉપરે રહ્યો સદા અનુરાગ, તારા ઈ ડાપણને ત્યાગ ભાળયો ન કોઈએ ભાયાઉત. – મનહરદાન બારહઠ [ચારણ સેવા મંડળ–મોરબીએ યોજેલ શોકસભામાં રજૂ થયેલ અંજલિમાંથી - - - @ કgિશ્રી દુલા કાકા સ્મૃIિ-Sીય )))))) Page #175 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ- ગ્રંથ ઉર તણી બારી (ગઝલ). ઉછેરી ફૂલ બાવનને; રચેલે બાગ કવિતાને, તરપિયો ભક્તિના જળથી, સુગંધે ખૂબ મેં કાવ્યો. ઉચારી કાગવાણી તેં, કરીને મોટ સમ કેડા, નવલ કીધું સનાતનને, દઈને પ્રાણના ઠેકા. કવિત ગાંધી તણા ગાયાં, રચી ભૂદાનની માળા, દુહા બાવને મહીં ગંઠી, ધરા સોરઠ તણી ગાયાં. કર્યો હીરા તણે ધંધો, કર્યા તે શબ્દના સદા, બને સાચે ઝવેરી તું, કમાય મૂલ મેરા. મહેલ ને મદ્રલીમાં, પ્રવેશ્યો કાવ્યના દેહે, રમાડથી ભાવ જનઉરના, ભરીને ડાયરા ડેલે. વહાવી ગીતગંગોત્રી, જઈ આકાશવાણી પે, બન્યા રસલ્હાણના ભાગી, અમીર ને ગરીબો યે. રહે છે પદ્મ સરવેરમાં, છતાં નિલેપ જળથી જે, રહ્યો સંસારથી સરસો, ધર્યો છે જોગ એવધૂતે. દુઃખી કે દદીને માટે, ઉઘાડી ઉર તણી બારી, જનેના મનમહીં પેસી, કરી સુખદુઃખ મહીયારી. ડુંગર –બચુભાઈ મહેતા કાગા તારાંય કહેણ, શુકનેય શરમાવે છે; (પણ) ધન ધન માતા ધાનબા, જેણે જનમ દીધેય કાગડા. કા કા કરતે કાગડો, જેના મુખમાંય ન હોય રામ; (પણ) હરિ હરિ સમરતાં, મેં સૂણો મજાદર મોઝાર. રતલામ –હરવિંદ રામી E ; 1L TI[ BJN || 32 Page #176 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાંજલિ ગૌરવ મા ગુર્જરીનુ ‘કાગ’” બનીને કોયલ કૂકી, અંધારે વિજલડી ઝબૂકી દીવ્ય કવનની અગાધ શક્તિ, માનવ દેહે પ્રગટી. અંતર ઊભરાયું. જ્ઞાનભક્તિએ, પ્રગટી અમૃતવાણી લોકહૃદયમાં પ્રભુ પારખ્યાં, પ્રગટી ‘કાગવાણી.” રામાયણને મહાભારતની રેલાવી રસલ્હાણુ લેાકજીવનને માનવતાનાં ગાયાં અમેાલ ગાન. આ મુઝાદરના મહામાનવ, સારઠના ર ગૌરવ મા ગુર્જરીનું અને વિએમાં કોહીનૂર એ ભારતનાં પદ્મશ્રી, આ સૌંસારી સન્યાસી જીવનલીલા સ ંકેલી, અમને મૂકાં પ્યાસી. ભસ્મ છે તારી પડી મઝાદરને સ્મશાન કિન્તુ ગગનમાં ગૂંજતુ તુજ કવન, અમરગાન. લાક ‘કાગ' ભલે કહે એ તો છેતરામણું નામ ક કાગડાં કોયલ બની “કા, કા' કરતાં ફરે કિન્તુ “કાગ” તારું કુંજન ગગનમાં ગૂંજ્યા કરે. —ડૉ. ધીરજલાલ મુનિ અમરગઢ * વડોદરા * * ભાણ ગયા ભામ તજીને ભાણ ગયા. ગળાં ગહેકાવણ હાર ગયા, રેડિયાના સાહિત્યના શણગાર ગયા. રકાર ગયેા, ઈ ડાયરાના ભરનાર ગયો. લોક ગાયકના મેરૂ ગયા, સારઢના ઈ સત ગયા. કહે જેઠવા ચારણકુળમાં તે, ઈ ભામ તજીને ભાણ ગયા. —શામજી અરજણ જેઠવા કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રં 13 Page #177 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ - કરમી ચારણ કાગ ^^^^ ws બુદ્ધિ બલ બિકસાવ્યો, બરણાં ચારણ બાગ, મહેકે સૌરભ મુલકમેં, કુશલ માલી બે કાગ, કુશાગ્ર બુદ્ધિ કાવ્યમેં, આતમ જ્ઞાન અથાગ, ધન ધન ચારણ યશ ધરા, કરમી ચારણ કાગ. કંઠ કહેણી કાવ્યમેં, પરખ્યો તીર્થ પ્રયાગ, ધન ધન ચારણ યશ ધરા, કરમી ચારણ કાગ. કવિતા વાણી કાગરી, ભોયણ સાત ભાગ, વનવેલી જો વિકસી, કસબી ઉણરો કાગ. પાયો ચંદ્રક ૫દમ શ્રી, ચારણ વરણ ચિરાગ, ધન ધન ચારણ યશ ધરા, કવિવર દુલા કાગ. બરનું થારા કિં બિપુલ, ભાયારા બડ ભાગ, જશનામી જગમેં જરૂ, કવિવર દુલે કાગ. ગયે હાય દે જ્ઞાતિકે, દિલમેં ચિંતા દાગ, થંભ બરન થડકી ગયો, કરમી ચારણ કાગ. 2 વિસ પનર તુંહી, વર્ષ રહ્યો અળ વાગ, ડણક ચિરંજીવ હે દણી, કવિવર દુલા કાગ. જામનગર -કવિ જબરદાન રોહડિયા પિંજર પૂર્યા હંસલા ! હાલ્યો મૂકી હેત, કાજળ કોય કાગડા ! કીધે ના સંકેત. કેરા (કચ્છ) –શિવાજી કે. બારેટ કાગ બાપુ વિના કેઈ, મને શણગારી ચચે નહિ; દુલા વિના દુઃખ હેય, હવે કવિતાને કાયમી. માલપરા -ગિધુ મહારાજ શબ્દવેધુ તમે ચતુર શાણા, ઓળખ શક્તિ અપાર; રામાયણને રંગ રૂદામાં, રામ રૂપમાં તાર. ધારી ' -સંત કવિ અમરદાસજી સા' કuિઝી દુલા કાકા સ્મૃતિ-gla Page #178 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાંજલિ ચારણ ચતુર સુજાણ (સોરઠા). ચારણ ચતુર સુજાણ, ખેલે શારદ ખોળલેઃ પમરે તારે પ્રાણ, “કાગ વાણીમાં કાગડા. ભજન ઉપર ભાવ, આરાધક તું આઈને; શારદ નો સપાવ, “કાગવાણી’ છે કાગડા. આંસુ અપરંપાર, સારે ગીત ને સોરઠા; પ્રિતાળુ પિકાર, કાને ધરજે કાગડા. ગુંજે ગામે ગામ છંદે ભજન ને સોરઠા; અંતરનો આરામ, કસબી ખવાય કાગડો. ગીતા કેરું જ્ઞાન, રામાયણ હૃદયે રમે; પ્રેમે કરાવ્યું પાન, કાગવાણી'માં કાગડા. વ્યવહારુ તુજ વાત, અસત્ સામે આથડે; નારી લેખણ દે લાત, કુડા કરમને કાગડા. આકંદે છે ઉર, વિયોગ વસમો દઈ ગયે; નહી હણાયું નૂર, કયાં ઊડી ગયો કાગડે. બહેકે તારો બાગ, ફેરમ વંતા ફૂલડે; રોવું તાણી રાગ, કરમાયે કાં કાગડે. કૃપાળુ હે કાગ ! દર્શન તારાં દોહેલાં; રેમી તારો રાગ, ક્યાં માણીશું કાગડા. પાથરું મારા પ્રાણ, આવ્યા હોત અમ આંગણે; મગનના મહેમાન, (હ) કથારે થાશે કાગડે. રૂપાલ -શ્રીમાળી મગનલાલ કહે રાધા કાનને, સૂણવા સુંદર ગાન એથી કાયમ થયો મેમાન દુનિયા છોડી દુલિયા ધારી -બાબુલાલ પરમાર પધારી કવિ પદમતા, ભય કળારો ભાણ ભાથી તું જશ વયે, ચારણ કાગ સજાણ. પચ્છેગામ – મીર કવિ નાનું ફન્દા પણ તે વિન્નt @ા કણ અતિ ગ્રંથ તરીકે Page #179 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-પ્રથ શ્રી કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગ ભગતબાપુ શ્રીહરિ હરખે ભજો, છે એક દિવસ જાવું; કરો કમાણું પૂણ્યની, માયા પામી ન અંજાવું. વિવેકથી વિચારીને, પ્રભુ પ્રેમમાં ભીંજાવું; દુનિયા નાશવાન ત્યાં, શું આડંબરે પૂજાવું. લાગી અગ્નિ મૃત્યુ તણી, બચવા પ્રભુ રીજાવું; ભાળી આરમ્ભ દ્વાર ત્યાં, ગગન ઘર ગજાવું. ઈશ્વર આસરે રહી; દેહ અધ્યાસત જાવું; ભાવે ભજ ભગવાન, હું મનને સમજાવું. યાદ કરી ભુતકાળ, ભવિષ્ય હું ઉપજાવું; ભાળી વર્તમાન મહારે, ધર્મની સેવા બજાવું. ઈચ્છું શ્રીહરિની સેવા સત પૂણ્ય નિપજાવું; કાર્ય ધર્મનાં કરતાં, જગતમાં ન લજાવું. ગરીબ તવંગરને, કહે કાળ હું ધ્રુજાવું; ભક્ત સત્યનામ સ્મરે, તેને સુમાર્ગ સજવું. ગર્વ ન કરો કદીયે, દુઃખી પર ન ખીજાવું; તત્વ સમાન આત્મામાં, દૈતમાં ન ઉરજાવું. બાળક યુવાન વૃદ્ધ, દેહ દેખી ન જાવું; પુરાણ પુર્ણપુરુષ, “શાંતિ” “અજ' શું મજાવું. જામનગર મહંત શાંતિદાસજી ગુરુશ્રી પુરુષોતમદાસજી સતયુગમાં વાલમિક હતું, બીજા યુગે ઈસરદાસ; કળજુગમાં કવિ કાગ થયો, ઈ છેવટે ગયા કૈલાસ. નાના ખુંટવડા પ્રજાપતિ માધા વીર ૬ કth Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન કવિશ્રી દુલા ભાયા કાગને અંજલિ (રાગ : કૃષ્ણ યારે શામળે ) શ્રી રામને સંભારીને, આયુષ્યને સુધારીશું: દુર્લભ દેહ સફળ થયો, ધન્ય તમારી કમાણીયું. લાભ આ વિશ્વને, કાવ્યપ્રસાદી પીરસી; ભાન કરાવ્યું ભક્ત થઈ માનવને સમજાવીયું. યાતના પણ ભોગવી, સમાજને સુધારવા; કાગ નહિ હંસ બની, પય પાણી જુદું કર્યું. ગર્વ ન રાખ્યો અંગમાં, કાવ્યશક્તિને કદી. ચિત્તળ –શાંતિલાલ ટપાલી શ્રી દુલા ભગત (દુહા). શ્રી. થી છેટા રહો આલેખ્યો ઇતિહાસ, સેરઠ ક૭ ને કાઠિયાવાડ કેણીયુ રચ્યું કાગડાઃ દુ-૨ કયું દુ:ખ રાજાનું નાવીકે પગ ધોઈ - ખારવા ખારવાની ઉતરાઈ” કદી ન લીયે કાગડાઃ લા-ખુને લેવરાવતા; કંઠ છૂટામણ લાવ. હવે ભભકવા છંદ ગીત કેણ ગાશે કાગડા ? ભજન રચ્યાં ઘણા ભાવથી ખુદ ગાયાં ઘણાં, “આંગણે પૂછીને આવકારો” કોણ આપશે કાગડા ? ગળું ગયું ગાનાર ગયો સાહિત્યમાં થયે શોક દિલાવર સરખો દેહ કાયમ ગયે કાગડા: તનતમારું આ જગતમાં હવે જોવા મળેનક્યાંય ઈતિહાસમાં અમર લેખ કાયમ રહેશે કાગડા. જાલણસર –વજુ ગઢવી * , * Mી અઘિકી દુકા કn અri in સાથ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ કાયમ લીલા કાગ વ્યાસ ગમે તુલસી ગયે રહા ન ઈસર માધ, કાગ ખાની જગ રહ ગઈ કૈવલ ૫૬ ગયે કાગ. સત્ય ઉપાસક શારદા રામાયણ અનુરાગ, કરમીચારણકુળમાં કૃષ્ણભક્ત સત કાગ. ભક્તીરદ ભવસી તરસમ દરશી સદ્દભાગ્ય, તરનતાર ઉધાર કર અમરઅહર નીશ કાગ. વાણી અમૃત સિંચીયું બહેકે પુષ્પબાગ, કરમાણેા નહી કોઈદી કાયમ લીલા કાગ. સતરાથી સાથા લગી દિલે ન લગ્યા ડાગ, હરીગુણ ગાયા હેતથી કરી ને ખુશામત કાગ. દાયરામાં તું દીપા સત્યના પેરીને સ્વાંગ, જોટા મળે નહી જગતમે લાડુ નરમેં કાગ. સદાસČદા શોભતા રમણીય મધુરા રાગ અવની ઉપર અમર છે. કાયમ દુલા કાગ. ગુણીયલ ભાષા ગામઠી તારો સાદો નિત્ય સુવાંગ કામધેનુ પાલક સદા કરમે ખેડુત કાગ. સેડવદરી —કવિ અંબુ નાથાલાલ દવે * દુલા ભાયા કાગ દુર ગયા. એ દુર ગયા, જગની દુગ્ધાથી દુર થયા; લાખ ચેારાશીફેરા ટાળી, ભવબંધનથી મુક્ત થયા. ભાણ હતા જગ જાણુ હતા, નિજ જ્ઞાતિ તણા એ પ્રાણ હતા; યાવત્ તેની ક પ્રભાવના, સત્કર્મી તા કરનાર હતા. ફાળ ગતિને પારખનારા, પરમ પ્રવીણ કરનાર હતા; ગતિ ના જાણી તારી કોઇએ, તું કયા લાક તણા રહેનાર હતા ? —મગનલાલ ડી. મેાતીવાળા બગસરા શાંતિ આપે। સ્વર્ગમાં ચારણ કુળના કોટ, હતા સનેહી સરવના, પડી જગતને ખાટ, ત્રિકમ જાતાં કાગડા એક અંજલી આજ, ત્રિકમ અરપુ` તુજને, અવધપુરી રાજ, શાંતિ આપે। સ્વર્કીંમાં. —મહારાજ ત્રિકમદાસજી ભગવાનદાસજી કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કલેાલ Page #182 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાંજલિ ફરી ગયું છે ફરી ગયું છે, મનડું મારુ એવુ ફરી ગયું છે, કાઈ તમે ખેલાવેા મા ભાઈ ! ભીતરમાં કેાઈ મરી ગયું છે, મનડુ મારું ફરી ગયું છે. ડુંગર ઉપર છ લાગ્યા તે આભે લાગી ઝાળ રે, હેડી મારી હાલી ગઈ, મને લાંખા લાગે કાળ રે, મનમાં કોઈ તરવરી રહ્યું છે, ભીતરમાં કોઈ મરી ગયું છે. નવાં સાંતે નીરખતાં, મને હ્રદયે લાગે ભાર રે, ભાંગ્યુ. હૈયુ સાંધી દેજો, લઈને ટ ંકણખાર રે; કોઈ મને કરગરી રહ્યું છે; ભીતરમાં કોઈ મરી ગયુ છે. માઢ મેડિયુ મેલી મન ુ વાયું. વળે અમદાવાદ દઈને, ઉજડ આંટા ખાય રે, નહિ, ઈ જુનવાણી ઘર જાય રે; ધરમાં તે। કોઈ ધરી રહ્યું છે, ભીતરમાં કાઈ મરી ગયું છે; મનડુ મારુ ફરી ગયું છે. —બળદેવભાઈ મહેતા કાવો દુના કારણે સ્મૃત્તિ- નોંધ ૧૬૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ રત્ન ગયું રળાઈ | (છાય) નાચે આજ નગરાજ: હિમાલય પીગળી હા, ધ્રુએ છાંડી ધીર: સમંદર હલકી ચાલ્યો; થિર પવનચત થાયઃ રવિ રથ ખેંચી રાખ્યો, થથયું નભ થથરાટઃ નિસાસો વિઘા નાખે; ભયભીત બની માતૃભૂમિઃ વારિ નયન વરસાવીઓ. કવિ કાગ દુલે સ્વર્ગે જતાં “કાન” ગજબ મોટે થયો...૧ શારદ થઈ સુમશામ: એક નવ બોલ ઉચ્ચારે, પુત્ર જતાં પરલેક: આંખથી આંસુ સારે; રન ગયું રોળાઈ ન પામું કેઈ ઉપાયે, હૈયું રહે ન હાથઃ પતી અધરે પાયે; બરબાદ જીવન મારું બધું કવિ કાગ દુલ્લે કર્યું. “કવિ કાન” મયુર વાહિનીએ ઉગ્ર સુદનને આદર્યું...૨ રડવા લાગ્યા રાગ: ઢાળ પણ પડિયા ઢીલા, કવિ સિધાવ્યા કાગ: સમેટી જીવન લીલા; આપી રૂડે એપ: લોક સન્મુખ લડાવ્યા, ગળા મીઠાશે ગાઈ રસિકને ખૂબ રડાવ્યા, થઈ એકમેક અમથી અને કલાક્ષેત્ર હાંસલ કર્યું. - “કવિ કાન” માન શરણે બધું: કાગ કલાધરને ધયું”...૩ ગયું મહાગુજરાતઃ તણું અણમોલ ઘરાણું, ગયો કવિતા પ્રાણઃ ગયું પૂછથી ઠેકાણું ગયો જ્ઞાતિ શિરમોડઃ ગયું જુનવાણી નાણું, ગયો ગુણ ભંડારઃ પ્રતીક એ ગયું પુરાણું; તત્ત્વજ્ઞ જ્ઞાન ચિંતક ગયો. જે થયો મજાદર થાનકે. ફુલ ખર્યું ફોરમ રહી ગદગદીત કંઠ “કવિ કાન” કે...૪ -કવિ “કાન Page #184 -------------------------------------------------------------------------- ________________ 9o. કાવ્યાંજલિ કવિવર દુલા કાગ ગયા છે કાગ ગયા છે, કાગ ગયા છે, સ્વર્ગ નિવાસે કાગ ગયા છે; વૈકુંઠવાસે કાગ ગયા છે, વેણ અમૂલા કાગ ગયા છે, કવિવર દુલા કાગ ગયા છે. કેણુ ગયા છે? કવિવરના સમ્રાટ ગયા છે, જન હૈયાના હાટ ગયા છે; ગીત પ્રાસના લાટ ગયા છે, મહાકાવ્યનાં માટે ગયા છે. સરિતા સાગર પહાડ રૂવે છે, ગીર જંગલનાં ઝાડ રૂવે છે, કાઠી કાઠીયાવાડ રૂવે છે, ગીત સાવઝની ત્રાડ રૂવે છે. કનડા કેરી કેર રૂવે છે, નથી નાચતે મોર રૂવે છે, સજ્જન શારદ ઔર રૂવે છે, ચારણ ચારે કેર રૂવે છે. ગીતનાં શણગાર રૂવે છે, સહ કુટુંબ પરિવાર રૂવે છે, પુરી દ્વારિકા શ્યામ રૂવે છે, રામાયણમાં રામ રૂવે છે. કાગ તમારો રામ રૂવે છે ! સાધુ વિદ્યારામ રૂવે છે ! રાજકેટ –વિદ્યારામ હરિયાણી STN EN EL EPIC: Jeroes * * Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ માનો સ્વભાવ (કર મન ભજનને વેપાર, ધણી ! તારા નામને આધાર–એ રાગ) , એ કાં સ્વભાવ, માડી ! તને પાછળથી પસતાવ, માડી ! તારો એવો કાં સ્વભાવ છે?—ટેક ૧ રાઘવ જેવા રાજવીને તે, અવળા કરીયા ઘાવ છે (૨); સતી સીતાને રામના કંઈ (૨), મરતાં ન થયા મેળાવ. માડી ! • કાળયવનને નેતરિયે તે, દાયેલા માંડ્યા દાવ જી (૨) શામળિયાને ચાર ગણિયે (૨), અને ગીતાજી હવે ગાવ. માડી ! ૦ ૨ મર્યા પછી એનાં મંદિર માંડીને, પૂજ્યા એના પાવ છે (૨); જીવતાં એને જાણ્યાં નહીં (૨), તારે કેક ભણવો ભાવ ? માડી! ૦ ૩ સત્ય-ઉપાસક મોહન સામો તારો, એ જ છે વરતાવ જી (૨); તેને જ પાપે જે, જનતા ! તારું (૨), તોફાને ચડિયું નાવ. માડી ! ૦ ૪ (કાગવાણી ભાગ ૧) –દુલા કાગ ૧. કંસનું વેર લેવા બે કરોડની સેના સહિત જરાસંધે કાળયવનને કૃષ્ણ સામે લડવા બોલાવ્યો હતો. r, ? 'દિર વેબ્રી દુલા કાગ ઋતિ-ગુંથલી ના * . E Page #186 -------------------------------------------------------------------------- ________________ દલનો Page #187 -------------------------------------------------------------------------- ________________ લોકસાહિત્ય અને સર્જાતું સાહિત્ય • શ્રી પ્રમોદકુમાર પટેલ સતું સાહિત્ય' એ શબ્દોથી “અભિજાત સાહિત્યની પ્રવૃત્તિને ખ્યાલ મારા મનમાં ઊપસે છે. લેકસાહિત્ય અને “અભિજાત સાહિત્ય વચ્ચે પ્રગટ કે પ્રચ્છન્નપણે કયાંય કઈ સંબંધ રહ્યો છે કે કેમ, અને જે એવો કેઈ સંબંધ હોય એ બે વચ્ચે કશુંક આદાનપ્રદાન સંભવે છે કે કેમ, એ જાતના રસપ્રદ પ્રશ્નો અહીં ઊભા થાય છે. એક ઊંડા અભ્યાસનું આ ક્ષેત્ર બની શકે એવી મારી તે પ્રતીતિ છે. અહીં પ્રસ્તુત વિષયને સ્પર્શતા એક બે મુદ્દાઓ જ ટપકાવી લેવા વિચાર્યું છે. એટલું તો હવે સ્પષ્ટ થઈ ગયું છે કે મૂળ પ્રયોજન આકાર-પ્રકાર અને ભાષાશૈલીની બાબતમાં આ બે પરંપરાઓ વચ્ચે પાયાના ભેદો રહ્યા છે અને આજે જેને “અદ્યતનવાદી” સાહિત્ય કહેવામાં આવે છે તેની ગતિવિધિ તે લોકસાહિત્યથી લગભગ સાચી દિશાની હોય એમ દેખાશે. ઘડી બે ઘડી એમ લાગશે કે આજનું “અદ્યતનવાદી' સાહિત્ય લેકસાહિત્યથી હંમેશ માટે અલગ બની ચૂક્યું છે, પણ હકીકતમાં એમ નથી. “અધતની કવિતામાં એક ધારા લેકસાહિત્ય અને લેકગીતની પ્રેરણા લઈ વિકસતી રહી છે. ગીતરચનાના લય, ઢાળ, બાની, ભાવચિત્ર, અભિવ્યક્તિની લઢણ, રૂપજના કે પ્રતીકવિન્યાસ અને લેકકથાનાં રૂઢ ઘટકતો (motifs) ને નવા સંદર્ભે વિનિયોગ-એ બધાં પાસાંઓને લક્ષમાં રાખીને આ બે પરંપરાની કવિતાને વિચાર થઈ શકે. લોકસાહિત્ય અને અભિજાત” સાહિત્ય મૂળભૂત રીતે કઈ કઈ બાબતમાં જુદું પડે છે તેનો વિચાર કરીએ; તે સાથે જ, બંને પરંપરામાં ભાષા શી રીતે કામ કરે છે તેને પણ તુલનાત્મક દૃષ્ટિએ વિચાર કરીએ. મતલબ કે, બંને પરંપરામાં અભિવ્યક્તિનાં આગવાં આગવાં રૂપો શી રીતે રચાતાં આવે છે તેને લગતે અભ્યાસ ઘણો રસપ્રદ બની શકે. પણ લેકસાહિત્ય અને “અભિજાત” સાહિત્ય લોકજીવનની સામગ્રીને શી રીતે પ્રયોજે છે અને ખાસ તો બરડ વાસ્તવિક્તાને શી રીતે myth કે દંતકથામાં ફેરવે છે તેને વિચાર, માત્ર લેકવિદ્યા (folklore)ની દૃષ્ટિએ પણ ફળપ્રદ બને એમ છે. કહીકતમાં, લોકસાહિત્યમાં પણ પ્રજાજીવનના સામૂહિક અવચેતન (collective unconscious)ના અંશે જળવાયેલા જોવા મળશે. પ્રજાની આદિમ ઈચ્છાઓ, સ્વ કે ઝંખનાઓ એમાં અમુક અંશે મૂર્તતા પામ્યા હોય છે, એટલે આ ભૂમિકાએથી પણ આજના “અભિજાત' સાહિત્ય જોડેના એના આંતરસંબંધોની તપાસ થઈ શકે. લોકસાહિત્ય' સંજ્ઞા એક રીતે શિથિલ સંજ્ઞા કહેવાય. લેકકંઠે ઉતરી આવતી અનેક રૂપની અને અનેકવિધ શૈલીની રચનાઓ એમાં સમાઈ જાય છે. એમાં એક બાજુ રાસડા, ગરબા, પવાડા કે સતીજતીની લાંબી ચરિત્રકથાઓને સ્થાન છે, બીજી બાજુ હળવાં ફટાણુઓ કે ઉખાણાંઓ પણ સમાઈ જાય છે. એક બાજુ યોગ અને રહસ્યવાદની ગહન ગંભીર છાયા ઝીલતાં ભજનો આવે છે તે બીજી બાજુ રોજિંદા લેકજીવનની અતિસામાન્ય ઘટનાઓને લક્ષતાં વિનેદગાન પણ એમાં આવે છે. એક બાજુ શૌર્યવીર્ય, સાહસપરાક્રમ અને બહારવટાની ધીંગી કથાઓ છે, બીજી બાજુ મૃદુ કે મળ ભાવનાં હાલરડાં એમાં છે, પણ આ પ્રકારના અપારવિધ ઉમે છતાંય લોક લઈ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કયારા, Page #188 -------------------------------------------------------------------------- ________________ લેખે ૧૭૫ vvvvvvvvvvvvvv સાહિત્ય મૂળભૂત રીતે તે લેકસમૂહનું સંઘજીવનનું સાહિત્ય રહે છે. લેકમંડળ નાનું હોય કે મોટું, આખાય મંડળની સર્વસાધારણ ઊર્મિઓ (com. munion of emotions) એમાં પ્રગટ થાય છે. લેકજીવનમાં જોવા મળતાં રોજરોજનાં સુખદુઃખ, વેરઝેર, સ્વ-સંઘર્ષો, એ બધું એમાં અતિ સરળ અને ર્નિવિવાદ રૂપે રેલાઈ આવતું હોય છે. પિતાની આસપાસના જીવનમાં જે કંઈ અનુભવવા મળે છે તેનું તે સીધું ઉજ્ઞાન કરે છે. જોકગીતનો સર્જક, હશે તો કઈ વ્યક્તિ જ, પણ સમસ્ત લેકહૃદયના તાલે તાલે તેણે ગાયું હશે, હાસ્તો, લોકગીતનો. ગાયક લેકજીવનના બધા ભાવો ગાય છે, દુઃખના ભાવનું પણ તે ગીત રચી દેવા ચાહે છે. લાગણીએને ઘૂંટીઘૂંટીને અસાધારણ બળ તેમાં પૂરે છે. પિતાની સામે ઊભેલા શ્રોતા સમુદાયને તેની spinal chord કંપી જાય એ રીતે તે લાગણીઓને ખેંચી રહે છે. લોકગીતની રસનિષ્પત્તિની આ પ્રવૃત્તિ જરા જુદા aesthetics પર મંડાયેલી છે. લોકકવિને ગીત રચવું છે તે લોકહૈયાને હેલે ચડાવે એવો ઢાળ કે રાગ તે ઉપાડી લે છે. લેકપરંપરામાં રૂઢ થયેલા ઢાળ કે રાગ પાછળ સંગીતશાસ્ત્ર કે છંદશાસ્ત્રની પ્રેરણા હોય તે તે વળી એક સ્વત્રંત અભ્યાસને વિષય છે.) આવી રીતે ગવાતી રચનામાં બેલાતા શબ્દનું સહેજે ઘણું મહત્વ હોય છે. આપણે એ વાત સતત લક્ષમાં રાખવાની છે કે લોકગીતે અને લોકકથાઓ પણ કંઠ્ય પરંપરા (oral tradition) રચનાઓ છે. ગીતરચના લાંબી હોય કે ટૂંકી, સીધી અને સસરી રજૂઆત તેની મુખ્ય લાક્ષણિક્તા છે. આગળપાછળ કશાયને ઉલ્લેખ કર્યા વિના સીધેસીધો જ તેને કવિ લાગણીતંતુને પકડી લે છે. ગીતની ધ્રુવપંકિત તેની કૃતિની નાભિનાળ સમી છે. સંઘગાનની અપેક્ષા હોય ત્યાં એ સમૂહનું ગુંજન બની રહેતી હશે. એમાં જેમ રાગ કે ઢાળને વિસ્તાર ધ્યાનપાત્ર ઠરે છે તેમ ચર્ચાળું ભાવચિત્ર પણ ધ્યાન ખેંચી રહે. લોકહૃદયમાં સુષુપ્ત રહેલાં ભાવચિત્રોમાંથી જ એકાદું લઈને તે તેનું નવસંસ્કરણ કરે (અથવા ન પણ કરે) લેકસાહિત્ય સાચે જ લોકોની સંપત્તિ છે. એને કોઈ પણ સર્જક રૂઢ ભાવચિત્રોનો ફરી ફરીને વિનિયોગ કરી શકે છે. લોકમાનસને સ્પર્શી જતી લાગણીઓ, વિચારો, અલંકાર, વયવસ્તુઓ (themes) આથી એમાં ફરી ફરીને સ્થાન પામ્યાં દેખાશે. અનેક કૃતિઓનાં ઓછાવત્તા પ્રમાણમાં પાઠાંતરોવાળી રચનાઓ કે અમુક કથાઘટકો (motir)ને નવા નવા સંદર્ભે રજૂ કરતી રચનાઓ આવી લેકટુચિની ઘાતક છે. લેકકથાના સર્જકની ગતિ પણ આ રીતે નજીકથી જેવા જેવી છે. એમાં લેકજીવનના પ્રસંગોનું છે વત્તે અંશે romanticization થતું હોય છે. પ્રસંગ સતીજતીના જીવનને હો, બહારવટિયાના જીવનને હો, રાજવીના જીવનને હા, એમાં જાણેઅજાયેય પ્રસંગનું ઉત્કટીકરણ (intensification) થઈ જાય છે. એમાં પ્રસંગે ચમત્કારનું તત્વ પણ ભળી જાય. આવી લોકકથાઓમાં સીધી સોંસરી ત્વરિત ગતિની કથનશૈલી જાય છે. કશુંય વિગતે વિસ્તારથી કહેવાનું કે વર્ણવવાને જાણે કે સમય નથી. અને તાસમૂહ આગળ એને પ્રત્યક્ષ કથનરૂપે રજૂ કરવાની અપેક્ષા એમાં છે. એટલે દેખીતી રીતે જ વિસ્તારીને રજુ કરવાને એમાં અનુકૂળતા નથી. એટલે ત્વરિત કથામાં–મહત્ત્વપૂર્ણ પ્રસંગેનું સીધું કથન, અત્યંત લાઘવયુક્ત પ્રસંગનું છટાદાર આલેખન, વચ્ચે પાત્ર કે પરિસ્થિતિને લગતાં અતિ સંક્ષિપ્ત સુરેખ અને મર્માળાં વર્ણને, બલિષ્ઠ ને ઘૂંટાતી અભિવ્યક્તિની રીતિ-આ બધું તરત ધ્યાન ખેંચે એમ બનવાનું. અલબત, જુદી જુદી લાક આ ન કવિ દુલા કણ સ્મૃતિ-ગ્રંથ e Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કથાઓનું પિત જુદું જુદું જોવા મળશે. પણ વિવેચનમાં જેને કઠોર વાસ્તવવાદ કહે છે તેમાં લેક સમગ્રતયા એમ કહ શકાશે કે લેકકથાની ભાષામાં સાહિત્ય બહુ ઓછી વાર બંધાયેલું રહે છે. અલબત્ત, બેલાતી ભાષાનું જ પણ અતિ ઘનિષ્ઠ અને બલિષ્ઠ લેકજીવનના કપરામાં કપરા, વિષમમાં વિષમ પ્રસંગે રૂપ જોવા મળે. રૂક્તિ બની ચૂકેલા ભાષાપ્રયાગનું સ્વીકાર તે કરે છે, પણ ઘણી વાર તેમાં રોમેન્ટિક અસાધારણ સામર્થ એમાં પ્રગટ થાય. એમ પણ તો જાણે અજાણ્યેય ઘુંટાતાં રહે છે. જે કંઈ જોઈ શકાશે કે લોકકથાના કથનાત્મક ગદ્યમાં વાગ્મિતા અતિ પરિચિત અને સામાન્ય છે, તેમાં ચમત્કૃતિને (rhetoric)નાં તો બળવાન રૂપમાં સક્રિય બન્યાં પુટ બેસે તે રીતે કશુંક દંતસ્થાનું તત્ત્વ તેમાં ભળે હોય છે. છે કે પછી તેમાં mythનું આરોપણ થાય છે. લેકસાહિત્યના નિર્માણમાં પ્રચ્છન્નપણે બે લોકસાહિત્યની આ પ્રકારની પ્રવૃત્તિ સામે સર્જાતા ભિન્ન વલણો એકીસાથે કામ કરી રહ્યાં હોય છે. “અભિજાત” સાહિત્યની ગતિવિધિ વિરોધમાં મૂકીને એક બાજુ પુરાણ, ઇતિહાસ કે પ્રાચીન સાહિત્યનાં જોઈશું. એ તે સુવિદિત છે કે “અભિજાત' સાહિત્યની ગૌરવવંતાં લોકોત્તર પાત્રો કે અસાધારણ પ્રસંગોને રચનામાં કળા સૌંદર્ય અને સર્જકતાનો ખ્યાલ લેકકવિ પિતાને પરિચિત સામાન્ય લેકજીવનના એનાં કેન્દ્રીય પરિબળો રહ્યાં છે. આધુનિક સાહિત્યનો સંદર્ભે એવી રીતે યોજે છે કે એનું સામાન્ય રૂ૫ સર્જક હવે સર્વથા અંગત અને વૈયક્તિક સંવેદનને પ્રગટ થાય. મૂળની પ્રતિમાની લકત્તર ઝાંય ઓછી મૂર્ત રૂપ આપવા પ્રવૃત્ત થયો હોય છે. તેમાં કે આ થાય. બીજી બાજુ, લોકજીવનનાં અતિ સામાન્ય સદીમાં “નિરપેક્ષ કળા” (Absolute Art)નો પાત્રો અને પ્રસંગોને વારંવાર તે રોમેન્ટિક સ્પર્શ આદર્શ કળાના ક્ષેત્રમાં નવી શક્યતાઓ બતાવતા આપી તેમાં નવી લકત્તર ઝાંય આપે છે. એક બહાર આવ્યો છે. એમાં સામાજિક પ્રશ્નોનું સીધું લેકગીતમાં સીતાને એની સાસુ ઠપકાનાં વેણ કહે અનુસંધાન લગભગ તૂટી જવા આવ્યું દેખાય છે. છે ત્યારે એ પ્રસંગની આખી રજૂઆત સામાન્ય આધુનિક લેખક લકસંઘનું “મુખ બનતું નથી. સંસારજીવનમાં જોવા મળતા સાસુ-વહુના સંબંધની બલ્ક, એથી અળગો થઈ તે સ્વકીય દર્શનનું “વિશ્વ નિર્દેશક બની રહે એવી લૌકિક સ્તરની જોવા મળશે. ‘રચવામાં તલ્લીન બન્યો છે. આસપાસના લોકજીવનનાં બીજી બાજુ, મોટાં ખોરડાંની વહુ સાસરિયાંની પ્રતિ- સંદર્ભે જે તેની કૃતિમાં પ્રવેશે છે તે એમાંય એક ઠાને ધોકો લગાડે એવી વાત કરે છે એ પ્રસંગ પ્રકારનું તેનું critical attitude કામ કરતું રજૂ કરતાં એનો લોકકવિ એને ગોરાંદેર તરીકે વર્ણવે જોવા મળશે. ખરેખર તો પિતાની બહારના અને છે, અને એની સેનલવણ કાયાનું લેકોત્તર રૂપ અંતરના વિશ્વમાં તેને અરાજકતા, વિસમતા અને પ્રગટ કરી આપે છે. પતિના હાથે વખડાં પી જતી વિસંગતિને પરિચય થાય છે. એટલે પતીકા સત્યની ગેરાંદેના આત્મવિલોપનની કથામાં એ રીતે એક શધમાં તે પોતાના એકાકી અવાજ (lonely voice) અનોખી રોમેન્ટિક આભા વરતાય છે. સમસ્ત લેક. ની શોધ કરે છે. ટોળાંઓનાં સૂત્રોચ્ચારણે, સમૂહ સાહિત્યમાં વાસ્તવિક લેકજીવનના ભાવો અને પરિ. માધ્યમ દ્વારા પ્રસારિત થતાં ખંડિત સત્ય, અને સ્થિતિઓ કેવું રૂપાંતર સાધે છે તેનું અવલોકન વિતંડાવાદી આભાસી સત્યથી તે પોતાના અંતરના એ રીતે ઘણું જ રસપ્રદ બની રહે એમ છે. આધુનિક સ્વરને સુરક્ષિત રાખવા ચાહે છે. આ સાથે, કળા ((((((((કuિી દુલા કાગ સ્મૃતિ-ઝાંથ)))) Page #190 -------------------------------------------------------------------------- ________________ લેખો ૧૭૭ પરક નવીન સભાનતા તેને રચનારીતિના અવનવા પ્રયોગો કરવા પ્રેરે છે. એમાં ભાષાવિષયક નવીન તત્વજ્ઞાનની સભાનતા પણ તેના અભિગમને વળાંક અપે છે. પોતાના સર્વથા વૈયક્તિક અને વિરલ સંવેદનને વ્યક્ત કરવા વ્યવહારમાં રૂઢ બની ગયેલી ભાષાને તે dislocate કરી દેવા ચાહે છે. એ રીતે સર્જકના સંવિતને ઉઘાડ અને ભાષાનું નવવિધાન એ એક જ ચૈતસિક ઘટના બની રહે છે. અદ્યતન સાહિત્યની ચેતના જ આ રીતે અવનવા આકાર રચવા ગતિશીલ બને છે. લેકસિદ્ધ વૃત્તાંતના યથાતથ વર્ણનમાં કશો રસ રહ્યો નથી. પરિચિત લાગતી વાસ્તવિકતાનાં સ્તરોને જુદા જુદા કોણથી ભેદીને અ-પૂર્વ રૂપે પામવામાં તેને કૃતાર્થતા જણાય છે. એટલે કથામૂલક સાહિત્યમાં હવે રચનારીતિનું અનન્ય મહત્ત્વ થવા પામ્યું છેરચનારીતિના વિનિયોગથી સર્જક રૂઢ સામગ્રીનું નવું મૂલ્ય શી રીતે સિદ્ધ કરે છે તે પણ હવે પાયાને પ્રશ્ન બન્યો છે. “અભિજાત સાહિત્યની આ કેન્દ્રીય પ્રવૃત્તિ લેકસાહિત્યથી સામી દિશાની છે એ તે સ્પષ્ટ છે. અને એ બે પરંપરાઓ વચ્ચે આ પૂર્વે કયારેય જોવા નહોતે મળે તેવો અવકાશ ઊભે થયેલ દેખાય છે. એ માટે ઝડપથી બદલાઈ રહેલા માનવસંગો કારણભૂત છે એ પણ સમજાય એવું છે. આપણે આપણા પ્રજાજીવનને સંદર્ભ લઈ એ તે, આ સદીમાં વિશેષ કરીને સ્વાતંત્તર ગાળામાં, આપણા લોકજીવનની ગતિવિધિ બદલાઈ રહી છે. ઔદ્યોગીકરણ, શહેરીકરણ, ટેકનોલેજી, અતિવિશાળ પાયા પર માલનું ઉત્પાદન, હેરફેરી અને વહેંચણી, ઉચ્ચ શિક્ષણના પ્રસાર, વર્તમાનપત્રો અને અન્ય સમૂહ માધ્યમને વિશાળ વિસ્તાર અને રાજકીય પ્રવૃત્તિઓને છેક નીચલા થરના લેકો સુધીને પ્રભાવઆ બધાં પરિબળેએ આપણા પ્રજાજીવનમાં મોટી ઉથલપાથલે આણી દીધી છે. વ્યવસાય અને વેપારધંધા અંગે વસતીનું સ્થળાંતર પણ વધતું રહ્યું છે. લોકજીવનના જૂના આચારવિચાર, જૂના ખ્યાલ અને જૂના કર્મકાંડો છે કે સાવ નષ્ટ થઈ ગયાં નથી પણ મૂળમાંથી તે હચમચી ઊઠયાં દેખાય છે. વ્યક્તિ અને લેકમંડળ જે સંઘેમિ (communion of emotions)થી ગાઢ રીતે જોડાયું હતું, તેના નાજુક તંતુઓ હવે તૂટતા દેખાય છે. શિક્ષિત વર્ગમાં નવી અસ્મિતા જાગી પડી છે. નવા યુગની આ આકાંક્ષાએ, સંશો અને સંઘર્ષો તેમનામાં જામી પડયાં છે. આધુનિક માનવપરિસ્થિતિમાં રહેલી વિષમતા અને વિસંગતિઓને તેને સાક્ષાત્કાર થવા લાગે છે. તળપદા લેકજીવનની મુગ્ધતા (innocence) વિચ્છિન્ન થઈ રહી છે. જો કે નવા યુગનાં સાધનો અને નવી પરિસ્થિતિ વિશે ડાં ગીત કથાનકે વગેરે રચાય છે એ ખરું, પણ ખરી ચેતના જેમાં કોળી ઊઠે એવું પેલું વાતાવરણ લુપ્ત થઈ રહ્યું છે. આજના સંજોગોમાં નવા સાહિત્યની રચના માટે એને પ્રેરક અને પોષક “સામગ્રી’ રહી નથી. આજે “અભિજાત' સાહિત્યમાં માનવીની ઉત્કટ આત્મસભાનતાનું જે રીતે નિરુપણ થવા માંડયું છે તે સૂચક છે. અસ્તિત્વની વિષમતા સામે નિશ્ચંત બની જતા માનવીની પ્રતિમા આજના નવલિકાનવલકથાના સાહિત્યમાં કેન્દ્રસ્થાને જોવા મળે છે. નવલિકા આદિ કથાપ્રકારને ઉદભવવિકાસ મૂળથી જ “આધુનિક સમાજના નિર્માણ સાથે સંકળાયેલા છે. લોકસાહિત્યની કથાઓ કરતાં પ્રજન અને આયોજનની બાબતમાં એ મૂળભૂત ભેદ દાખવે છે. નવલિકાના તેમ નવલથાના વિશ્વમાં સમકાલીન સમાજજીવનના સંદર્ભે જરૂર પ્રવેશે છે. પણ લેકસાહિત્યના સંદર્ભે કરતાં એનું સ્વરૂપ અને સત્ય નિરાળું હોય છે. “આધુનિક' કથાવિશ્વમાં પણ હકક કરી દુલા કામ મૃ[િi-a દવા *11-૨ .કે Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ વિધાન, વસ્તુસંકલન અને રચનારીતિ જાણે કે એના સકની મળભૂત સંવેદનશીલતા (prime sensi. bility)માંથી વિસ્તરે છે. પ્રધાન ગૌણ પાત્રોનું એનું ભાવવિશ્વ સ્વતંત્ર છતાં એના સર્જકના સંવિન્ને અંશ એ દરેકમાં પ્રગટ કરે છે. પાત્રપાત્ર વચ્ચેના કેવળ સામાજિક સ્તરના સંબંધો નહિ, તેથી ગહન સૂક્ષ્મ સ્તરના સંબંધોની તે વ્યાખ્યા કરવા ચાહે છે. એ માટે ટેકનિકના જ એક ભાગ રૂપે ભાષાનાં વિશિષ્ટ રૂપની યોજના તે કરે છે. પાત્રનું સંવિદ, કે પાત્ર જેને જીવંત ભાગ હોય તેવી પરિસ્થિતિને તાગ મેળવવા પ્રતીકેનું સંવિધાન તે કરે કે સ્વતંત્ર myth તરીકે ઊભી રહી શકે તેવું રહસ્યાન્વિત વિશ્વ તે રચે. આ આખી પ્રક્રિયામાં લોકસાહિત્યની કથનરીતિ ભાગ્યે જ ઉપકારક નીવડે છે. મેઘાણીની સમરાંગણ” અને “રા'ગંગાજળિયો' જેવી નવલકથા ઓમાં અને મડિયાની “ચંપી અને કેળ” જેવી નવલિકામાં રૂઢ લેકકથાનું કેટલુંક નવસંસ્કરણ છે. લેકકથાના જ ચમત્કારપૂર્ણ પ્રસંગે, તેની રોમેન્ટિક કથનશૈલી, અને તેનું ઘેરું રંગદશી વાતાવરણ એમાં સ્થાન પામ્યું છે. પણ આ જાતને અભિગમ આધુનિક કથાને ઉપકારક નીવડત નથી એ એમાંથી દેખાઈ આવે છે. જોકકથાનો સર્જક રોમાંચક વૃત્તાંત પર પિતાને મદાર બાંધી બેઠો હોય છે. પ્રસિદ્ધ વૃત્તાંતનું સચોટ નિરૂપણ કરવામાં તેને ઈતિશ્રી વરતાય છે. આથી ભિન્ન “અભિજાત' કથાને સર્જક પિતાના વિશિષ્ટ સંવિક્તા ઉઘાડમાં ભાવ, ભાષા કે રચનાપ્રયુક્તિના સર્વ રૂઢ અંશેને તોડી નાખી નવું રૂપ અને નવી રચનારીતિ જવા ચાહે છે. એટલે કથાસાહિત્યના સંદર્ભે લેકસાહિત્ય અને અભિજાત” સાહિત્ય વચ્ચે ઝાઝા આદાનપ્રદાનને અવકાશ દેખાતો નથી. પણ કવિતાસાહિત્યમાં. વિશેષ કરીને ગીત પ્રકારમાં. લોકસાહિત્ય કે લેકગીતના સંબંધો તરત ધ્યાનમાં આવશે. કવિ ન્હાનાલાલ, મેઘાણી, રાજેન્દ્ર શાહ, પ્રિયકાંત, પ્રહલાદ, બાલમુકુન્દ, વેણીભાઈ, મકરન્દ્ર, સુરેશ, હરીન્દ્ર, રમેશ પારેખ, અનિલ જોષી, રાજેન્દ્ર શુકલ, મનોજ ખંડેરિયા અને માધવ રામાનુજ જેવા અનેક કવિઓની ગીતરચનાઓમાં લેકગીતની પરંપરાનું ઓછુંવત્તે અનુસંધાન જોવા મળશે. આ પૈકી ન્હાનાલાલ કે રમેશ પારેખ જેવા કવિઓની ગીતરચનાઓમાં લોકગીતના બળવાન સંસ્કારે ? બેઠા દેખાય છે. લોકગીતના લાક્ષણિક ભાવસંદર્ભો અને વસ્તુસંદર્ભો, અભિવ્યક્તિની વિવિધ રીતિઓ, રચના બંધની વિધવિધ પ્રયુક્તિઓ, અમુક ચોક્કસ ભાષાબંધની પદાવલિ, આકાર, ઢાળ અને લય આદિ તોને તેમણે કુશળ વિનિયોગ કર્યો છે. આ કવિઓ અલબત્ત, લેકગીતનાં રૂઢ રૂપમાં બંધાઈ ગયા નથી. લેકગીતનાં તત્તને સક્રીય લાગણી અને કલ્પનાના સ્પશે નવી ચમત્કૃતિ તેમણે અપી છે. સામાન્ય લોકગીત કરતાં તેમાં ઘણી વધારે સૂક્ષ્મતા અને સંકુલતા સિદ્ધ કર્યા છે. એમ કહી શકાય કે પરં. પરામાંથી પિષણ મેળવીને એ કવિઓએ ગીતરચનામાં આગવી ભાવમુદ્રા ઉપસાવી છે. “ગીતની સંજ્ઞા અલબત્ત આપણે સાવચેતીથી જવાની છે. રોજરોજની પ્રવૃત્તિમાં એવી અનેક ક્ષણો આવે છે, જ્યારે આસપાસના વાતાવરણમાં કયાંક ને કયાંક ગીત લલકારાતું હોય. રેંટિયો કાંતતા વિદ્યાર્થીઓ પણ “ધીરે ધીરે ચાલે રે, મીઠો મીઠો ગાજે રે, રૂડો મારો રેંટિયો છ' એવી જે રચના ગાય છે તેને “ગીત' તરીકે જ ઓળખતા હોય છે, પણ આવી અસંખ્ય ગીતરચનાઓમાં કવિતાનો ગુણ હોતું નથી અને તેની આપણે અહીં વાત કરતા નથી. તે સાહિત્યની કેટિનું જે ગીત છે તેને અનુલક્ષીને તેનાં લેકગીત જોડે સૂક્ષ્મ સંબંધ છે એમ પ ર કવિવ્રત દુલા કાગ સ્મૃતિ ગ્રંથ તરપરા Page #192 -------------------------------------------------------------------------- ________________ લેઓ ૧૭ કહેવાનું પ્રાપ્ત થાય છે. હકીકતમાં “અભિજાત' કેટિના “ગીત'ને લેકગીતમાંથી સતત પ્રેરણા અને • પેષણ મળ્યાં દેખાય છે. આપણી છંદબદ્ધ ઉમિકવિતા કે અછાંદસ રચનાઓ લેકચીતથી વિમુખ રહી છે પણ ગીતને તે નવી પ્રાણશક્તિ મેળવવા જાણે કે ગીત તરફ વળવું પડયું છે. એનું કારણ એ હોઈ શકે કે બંને પ્રકારની રચનાઓ, સી. ડી. લૂઈ જેને કવિતા પરંપરામાં Singing Line કહે છે તેની મૂળભૂત આવશ્યક્તા સંતોષે છે. એટલે, ગુંજન (musing)ની વૃત્તિ, ગેયતાને પોષક લયનો વિન્યાસ, આંતરિક સંવાદ અને માધુર્ય એ તો તેમાં પ્રેરક નીવડે છે. જો કે “અભિજાત' ગીતને સજક પિતાની રચનાઓમાં કળાકીય પ્રયજન પર ઉત્કટપણે સભાન રહ્યો છે. એટલે ગીતના ભાવ, ભાષા અને રચના રીતિમાં સૂક્ષ્મતા આણવાને, તેની ભાવવ્યંજનાને અનન્ય વિસ્તાર થાય તેવું સમૃદ્ધ પિત સિદ્ધ કરવાના અને તેનું સુરેખ દૃઢ શિલ્પ રચવાના તે સભાન પ્રયત્ન આદરે છે. એ રીતે “અભિજાત ગીતની રસસમૃદ્ધિ ઘણી સંતર્પક નીવડે એમ બને, પણ તેથી એમ સમજવાનું નથી કે લેકગીતને રસસમૃદ્ધિ નથી. લેક પરંપરાની અસંખ્ય કૃતિઓ પૈકી કેટલીક એમાંના સરળ મૃદુ ભાવના સુરેખ આલેખનને કારણે, કેટલીક મનોહર ભાવચિત્રોને કારણે, કેટલીક બલિઠ કલ્પનાના અભિનિવેશને કારણે તો વળી કેટલીક માત્ર લયહિëળને કારણે મનને ભીંજવી જાય છે. “અભિજાત” વર્ગનાં ગીતની રસસમૃદ્ધિ લોકગીતથી શી રીતે સંવર્ધન પામી એ ખરેખર એક રસપ્રદ વિષય છે. અહીં માત્ર થોડાંક દૃષ્ટાંતે લઈ આ અંગે નિર્દેશ કરીશ. - લોકસાહિત્યમાં અને વિશેષ કરીને લોકગીતમાં કેટલાંક રૂપકો, કલ્પના અને ચિત્રો' રૂઢ ભાવચિત્રો' બની ગયાં હોય છે. સૈકાઓ સુધી લોકકવિતામાં ઘૂંટાઈ ઘૂંટાઈને એ “ભાવચિત્રો' લગભગ પ્રતીકની કોટિમાં પહોંચી ગયાં હોય એમ પણ દેખાશે. માનવ આત્મા માટે એરલા નું રૂયક એ રીતે જાણીતું છે. મોર તું તો આવડાં તે રૂપ કયાંથી લાવ્યો રે મોરલો મરતલોકમાં આવ્યો. –આ રીતે રૂપક બની ગયેલ “મોર” બીજાં અસંખ્ય લેકગીતમાં જુદા જુદા સંદર્ભે સ્થાન પામતે જ રહ્યો છે. એનું “કળાયેલ રૂ૫” સ્વયં એક અદ્ભુત ભાવચિત્ર બની રહ્યું છે. મોર ! મોર ! ક્યાં થઈને જઈશ ! કળાયેલ મોરલે રે! (લે. સા. મણકો-૭, પૃ. ૧૨૯) અને એ જ “કળાયેલ મોર કવિશ્રી ન્હાનાલાલમાં વળી જુદા સંદર્ભે સ્થાન લે છે. જમનાને કાંઠડે કળાયેલ મેરલે, મોરલા રે! હારા મનગમતાં મૂલ ! રાજમહેલને કાંઠડે કળાયેલ મોરલે, મેરલા રે ! આપુ દિલમાંનાં ફૂલ. (રસગન્ધા', પૃ. ૨૪) લેકગીતમાં આવાં અસંખ્ય રૂપકે રૂઢ થઈ ચૂક્યાં દેખાય છે. લેકમાનસને આવા રૂઢપ્રયોગોને કદાચ વાંધો નહિ હોય. વિશ્વપ્રકતિ માટે “આંબા'નું રૂપક પણ તરત જ ધ્યાન ખેંચે છે. આંબો અખંડ ભુવનથી ઉતર્યો, વ્રજભૂમિમાં આંબાનો છે વાસઃ સખિરી, આંબો રોપીઓ, (લે. સા. મણકો-૭, પૃ. ૧૨૧) એ “આંબો' ન્હાનાલાલનાં ગીતોમાં વ્યાપક રીતે પ્રયોજાયો છે. આ સિવાય લોકગીતને અતિ પરિચિત છે કપિશ્રી દક્ષા કાકા સ્મૃતિ-ડાંથી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ચંદ્ર, વીંઝણે, વલેણું, ડુંગર, મંડપ, જટાળો જોગી, કેયલ, વર્ષા જેવાં પરિચિત તો પણ તેમની રચનાઓમાં વારંવાર પ્રવેશી જતાં દેખાશે. કંઈક અચરજ થાય એવી વાત તો એ છે કે કેટલાક ચાલુ ભાવચિત્રો કે કલ્પને લોકગીતમાંથી જાણે અજાણે અર્વાચીન ગીતમાં ઊતરી આવતાં દેખાય છે. જુદા જુદા રૂપે જુદા જુદા સંદર્ભે મળે જ છે. પણ અહીં પોતાની વિશિષ્ટ ભાવસંપત્તિને રજૂ કરવા અનન્ય કળાદષ્ટિથી તેને વિનિયોગ કર્યો છે. “લા અવતારે સેનલ...' રચનામાં, લેકકથામાં પ્રસિદ્ધ ભવભવની સ્મૃતિકથાના રૂઢ ઘટકોશોને જ પણ સમર્થ રીતે તેમણે વિન્યાસ સાધ્યો છે. ઓતર દખણ રે ચઢી પ્રેણી વાદળી ઝરમર વરસે મેહ મારા વહાલા. (લે. સા. મણક-૨, પૃ. ૩૧) ઝરમર ઝરમર વર્ષા વરસતી રે; ભાભીનાં ભીંજાય ચીરરે...વણઝાર પાળે ઊભી. (લે. સા. મણકે-૬, પૃ. ૫૦૧) એલા અવતારે સેનલ, તમે હતાં પંખણી; ને અમે રે ભેંકારે હાર્યો રૂખડો હોજી. તમે ડાળે આવીને લીલું બોલતાં હજીઃ થાવું હશે તે ઊડ્યા એવા વંટોળિયા કે, તરણાની તોલે અમે ઊખડા હોજી. તડકા લાકડપંખી-શું અમને ઠોલતા હોજી. (‘કથા” પૃ. ૩૫) હવે સરખાવો ન્હાનાલાલની પ્રસિદ્ધ પંક્તિઓ : ઝીણા ઝરમર વરસે મેહ ભીંજે મારી ચુંદડલી; એવો નીતરે કૌમારને નેહ ભીંજે મારી ચુંદડલી. (“રસગંધા', પૃ. ૧૧૨) રમેશની ગીતરચનામાં પરંપરાપ્રાપ્ત લોકસામગ્રી અદ્યતન કળાતોના રસાયનમાં ભળી નવું જ રૂપ, નવું જ સૌદર્ય ધારણ કરે છે, તે અહીં બરોબર સ્પષ્ટ થઈ જશે. લેકગીતનું જ આવું એક ભાવસમૃદ્ધ ચિત્ર તેમની બીજી એક કતિના હાર્દમાં ઊતરી આંગણે આશપાલવનાં ઝાડ, કે બગલાં બેસી ગયાં રે લોલ. તળપદા લેકગીતમાં ઝાંખું રહી જતું “ભાવચિત્ર' અહીં કવિશ્રીની પ્રતિભાના બળે નવું તેજસ્વી રૂપ ધરી રહે છે. બહાનાલાલમાં ભાવ, ચિત્ર, લય, આકાર આદિ સર્વ બાબતે લોકગીતનાં તત્વોનું કેવું નવસંસ્કરણ થયું છે તે ખરેખર તે વિગતે અભ્યાસ માગી લે તેવું છે. બગલાં ઊડી ગ્યાં પરદેહ, કે પગલાં પડી રી માં રે લોલ. (લે. સા. મણકો-૧૦, પૃ. ૨૦૧) ' રમેશ પારેખની ગીતરચનાઓમાં સોરઠી લેકગીતના અંશનો એટલો જ સુભગ વિનિયોગ થયો છે. તેમની “સેનલ' શ્રેણિની રચનાઓમાં જોવા મળતી દંતકથાના પાત્ર શી સોનલ લેકગીતમાં તે લોકગીતનું આ ચિત્ર તેમની “પગલાં પડી રહ્યાં કતિના વચ્ચેના એક ખંડકમાં અનોખી ભાવવ્યંજના સાથે વિસ્તરી રહે છે. જ કામિ દુલા કal મૂર્તાિ-2 પોતે Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ લોકગીતમાં રાગ, ઢાળ અને લયનું વૈવિધ્ય પણ અત્યંત ધ્યાનપાત્ર છે. અર્વાચીન ગીતોમાં એ પૈકી થડાક જ રાગ, ઢાળ કે લયનો પ્રયોગ થયે દેખાય છે. આજનો કવિ ગીતરચનાનું તંત્ર જાળવીને તેમાંથી ગેયતાનો લેપ કરવા ચાહે છે. કૃતિના ભાવ અને અર્થના વિકાસમાં ગેયતા અવરોધક ન બની જાય તે માટે તે પ્રયત્નશીલ રહ્યો છે. કેટલીક વાર તે રાગ કે ઢાળને ત્યજી માત્રામેળી બીજનું પુનરાવર્તન કરે છે. એ રીતે આજની ગીતરચનાઓ એના ગેયતત્તવોને, કહો કે સંગીતમય અંશને ગાળી કાઢવા ચાહે છે. છતાં લેકગીતના સંદર્ભોને તે સર્વથા ત્યજી દે છે. એવું પણ નથી: લેકગીતના રૂઢ ભાવ સંદર્ભો કે ભાવચિત્રોને નવા જ પરિવેશમાં તે યોજી આપે છે. કે બગલાં ઊડી ગયાં ને પગલાં એનાં પડી રહ્યાં રે લોલ આંગણ આસોપાલવ ઝાડ ને બગલાં ઊડી ગયાં રે લોલ બગલાં ઊડી ગયાં અંકાશ ને પગલાં પડી રહ્યાં રે લોલ ન જોયા દાદાએ કે દેશ ન જોયો દાદાએ પરદેશ ને દીકરી દઈ દીધી રે લોલ... (“કયાં', પૃ. ૮૪) . લેકગીતનાં બીજાંકુર ધરાવતાં રૂપકો કે પ્રતીક આજના કવિના ભાવવિશ્વમાં કેવી રીતે રોપાઈ જાય છે તેનાં બીજાં એક બે દૃષ્ટાંતે જોઈએ : એક લોકગીતમાં અલૌકિક તરુવરની સુંદર કલ્પના કરવામાં આવી છે: હા મૂળ વના રે એક તરોવર રચિયા, ફૂલ ફળ લાગ્યાં રે છે. (લે. સા. મણકે-૨, પૃ. ૫૯) એ સાથે આજના બે કવિઓની નીચેની પંકિતઓ સરખાવો. (૧) મારા વાલમની ડાળીએ રે એક કૂલ ખીલ્યું છે ! એની ક્યાંયે કળાયે ના ડાળ રે એનું ક્યાં રે હશે મૂળ ? એક ફૂલ ખીલ્યું છે ! (પ્રલાદઃ બારી બહાર', પૃ. ૧૦૭) (૨) વણવા ને વણીઓ મારા વાડામાં ઘર પછવાડ રે મોગરો મહોર્યો મહા રે. (બાલમુકુન્દઃ પરિક્રપા', પૃ. ૭૧) “અભિજાત” સાહિત્ય અને લેકસાહિત્ય વચ્ચે આમ ગીતની ભૂમિકાએ માર્મિક સંબંધ જોવા મળે છે. આપણા સાહિત્યમાં ગીત સિવાય લેકસાહિત્યના બીજા પ્રકારોને ખાસ નોંધપાત્ર ઉપયોગ જોવા મળતો નથી. પણ લેકકવિતાના “મરશિયા જેવા પ્રકારોનો, નવી કવિતાના સંદર્ભમાં મર્માળા વ્યંગ સહ ઉપયોગ નોંધી શકાય. સ્વ. રાવજીની કૃતિ હું શીલાલની યાદમાં તેમ જ રમેશની “રાણી સોનાંદેનું મરશિયું” એ રીતે ધ્યાનપાત્ર છે. રાવજીનું ‘મિસ જુલીયટીનું પ્રણયગીત” પણ એ વિષયના એક પ્રસિદ્ધ લોકગીતની parody છે, એ પણ એક રસપ્રદ મુદ્દો છે. આરંભમાં સૂચવ્યું છે તેમ, અધ્યયન માટે આ ઘણું વિશાળ ક્ષેત્ર છે. કોઈ અભ્યાસીએ એમાં મંડી જવું જોઈએ. Iક કવિન્રી દુલા કાગ ઋતિ-ગુંથાઈ Page #195 -------------------------------------------------------------------------- ________________ આર્ષદટા ભકતકવિ • શ્રી રામનારાયણ ના, પાઠક શેત્રુજી કિનારે તરવડામાં અમારી રામવાડી ભક્તકવિ દુલાભાઈ કાગના આગમનથી પાવન થઈ હતી. એમની એ ઢાલ ચઢેલી તેથી તેઓ તેમને ગામ મજાદર આવવા મને લખ્યા કરતા હતા. એક વાર તેમના કવિહૃદયની પ્રસાદીરૂપ પત્ર મળ્યો. તેમાં અંતે લખ્યું હતું : દશરથ સુત હી મિલે શુચિ શબરી કે ધામ; મજ-આદરમેં કબ મિલે કાગ કવિ કો રામ ! થેલે ખંભે મૂકીને હું મજાદરને માર્ગે ચાલી નીકળ્યો. ડુંગરથી પરમાર્થ પરાયણુનેહી શ્રી કલ્યાણજીભાઈની સાથે મજાદર પહોંચ્યા. ખૂબ ભાવથી ભેટયા. આંગણામાં લીમડાની છાયા નીચે જ બેઠક જમાવી બપોરના ભોજનને અને જમ્યા બાદ “અન્ન દેવતાને પિઢાડવાન” થોડા સમય બાદ કરતાં સવારથી સાંજ સુધી સાહિત્ય રસાસ્વાદ માણ્યો. ભક્તકવિ પોતાની એક કાવ્યકૃતિ સંભળાવે અને પછી કહે “આવું જ કંઈક સંસ્કૃત સુભાષિત કાઢ”. શાળાને અભ્યાસ નહીં જેવો છતાં કવિશ્રી દુલાભાઈ સંસ્કૃત સાહિત્યના શોખીન અને જ્ઞાતા હતા. અમારો સ્નેહસંબંધ એકદમ આટલે નિકટને કેમ બન્ય તેનું કારણ એક વાર તેમણે શોધી કાઢયું. જુનાગઢના લોકસાહિત્ય વિદ્યાલયમાં એકવાર મિલન થયેલું ત્યારે તેઓ શ્રી જયમલ્લભાઈ જેવા મિત્રને પૂછ્યા કરે. આખરે એક વહેલી સવારે ઉતાવળા આવ્યા અને બોલી ઊઠ્યા. શોધી કાઢયું.” હું આશ્ચર્યથી સામે જોઈ રહ્યો. તમારા પિતાશ્રી સાવરકુંડલા હતા ?” “જી હા”. “બસ, હું તેમની પાસે “ચંપુ ભારત” શીખવા જતો.” - મહાકવિ અનન્ત ભટ્ટ વિરચિત “ચંપુ ભારત” ચમત્કૃતિ પૂર્ણ સંસ્કૃત સાહિત્યને અભુત ગ્રંથ છે. કવિશ્રીએ તેને ઊંડો અભ્યાસ કરે તેવી જ રીતે પીંગલ, પંચદશી, પુરાણ વગેરેનો અભ્યાસ પણ ખરો. એટલે તેમનાં ઉત્તમ કાવ્યો સાંભળીને હું સંસ્કૃત સાહિત્યમાંથી તેવા જ ભાવાર્થનું કઈક સુભાષિત કહું ત્યારે બહુ રાજી થાય. કવિશ્રી દ્વારકા રણછોડરાયજીનાં દર્શને ગયા હતા. એની વાત કરી. ભગવાનની મૂર્તિ સામે બેસીને એકતાર બનેલા એ વખતે ભક્ત હૃદયમાંથી ગંગાના પ્રવાહની પેઠે આપોઆપ વહી નીકળેલું કાવ્ય સજળ નયને ગાઈ સંભળાવ્યું. “વહાલા તમે સુખડાં દીઠાં કે સંતાપ જનમીને જદુકુળમાં હજી.” ભક્તિભાવપૂર્વક આખું કાવ્ય ગાયા બાદ ઘણીવારે સ્વસ્થ બન્યા. આજે પણ મને એમનું અશુપૂર્ણ મુખારવિંદ નજરે તરે છે. થોડીવાર રહીને મેં કહ્યું : “આવું સમકાવ્ય તે મહાકવિ ભવભૂતિના ઉત્તર રામ ચરિતમાં જોવા મળશે. ભવભૂતિ કહે છે; “દુઃવ સંવેદના વૈવ, રામચેતન માહિતમ !” કવિવર રવીન્દ્રનાથે એક વાર કહેલું. * * . . . . . . પણ કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કરી, જ; ; Page #196 -------------------------------------------------------------------------- ________________ “માનવીને માથે કલ્પી શકાય એટલાં બધાં જ દુઃખ (ગાંધીજીએ) સામે ચાલીને અન્યને માટે સહ્યાં છે. મહાપુરુષોનાં જીવન લોકહિતાર્થે સમર્પિત થયેલાં હાય છે અથવા એમના મનુષ્ય જન્મને એ જ હેતુ હાય છે. એમાંથી દ્રૌપદી ચીરાકણુની વાત નીકળી. ભક્તકવિએ સ્વરચિત કાવ્ય સંભળાવ્યું. ધની માનેલી બહેનની વહારે શ્રીકૃષ્ણ દોડી આવ્યા. ગીત પૂરું થયું એટલે કહે “ચંપુ ભારતમાં આને શ્લોક છે તે સંભળાવા’’ ચંપુકારે પણ એવું જ સુંદર વર્ણન કરેલુ છે : તસ્યા સભામાં હિયમાણ વસ્ત્રા તન્મ્યા નિતëાત્ સહસાવિરાસીત ! કસારિ કારૂણ્ય પય : પયા ધે : કલ્લાલ માલેવ દુકુલપ`ક્તિ : ૫ કૌરવાની એ સભામાં, દ્રૌપદીનાં વસ્ત્રો ખેચવાની તૈયારી થઈ તે જ વખતે એમના કટિ ભાગમાંથી, શ્રીકૃષ્ણ પરમાત્માની કરૂણાના ક્ષીર સાગરનાં મેાજા' ઉછળતાં હોય તેમ મૂલ્યવાન વસ્ત્રોને મહાસાગર હિલેાળા લેવા લાગ્યા. કવિ કાગે પાતાનાં કાવ્યમાં દ્રૌપદીનાં વસ્ત્રો પૂરવા ભગવાનને આવવાનું કારણ દર્શાવતાં શેરડી કાપતાં હાથે લાગેલી પાળીની કથા લખેલી છે એને માટે એક હિંદી કવિનું કાવ્ય યાદ આવ્યું, જેમાં દ્રૌપદીએ મેાટાભાઈ ને હાથે પાટા બાંધવા હીરકારી ચીર ફાડયું હતું. એમાં ત્યાગ નહીં પણ ભ્રાતૃપ્રેમ હતા. ખડે ભાઈ ધનશ્યામ ! આપ હુ જો આવે કામ, નિકાલ દઉં નસે તમામ, યે તે રેશમ કે ધાગે હૈ. ધાગે ભી પુરાને, યામે દુભ હમ માટે કહા ? દુલ્હન કે જેડે થા દુલ્હા કે વાધે હૈ ? લેખા ૧૯૩ મૈને નહીં ફાડા ચીર, ધાગે દેખતે હૈ પીર; હા કે અધીર મેરા ચીર છેડ ભાગે હૈ. યે હૈ અભાગે જે મઢે નહીં આગે. કવિ અંગુલી પર લાગે, ભાગ્ય ઊન્ડીકે જાગે હૈ. ત્યાર બાદ કવિશ્રીએ મેધ અને મેઘના મિત્ર મયૂર ઉપરના હૃદયંગમ કાવ્યા સભળાવ્યાં અને એવાં સંસ્કૃત કાવ્યની માગણી કરી, કવિશ્રીને સાંભળવામાં એક રસ બનેલું ચિત્ત તૃપ્ત થતું ન હતું. જાણે યુગો સુધી સાંભળ્યા જ કરીએ પણ કવિશ્રીની આજ્ઞાનુસાર તેમનાં કાવ્યોમાં રહેલો ઊંડો ભાવ વ્યક્ત કરતું મયૂર અન્યાક્તિનું કાવ્ય સંભળાવ્યું : કેકા કર્ણામૃત તે કુસુમિત કબરી કાન્તિહારા : કલાયા : ૫ કણ્ઠચ્છાયા પુરારે લરુચિ રુચિરા સૌહદ મેધસ થૈ ॥ વિશ્વદ્વેષી દ્રિજિત્થ કુદુરુપિશિતે નિત્યમાહાર નૃત્તિ ! કે: પુણ્યઃ પ્રાપ્યખેતત્ સકલમપિ સખે ચિત્ત વૃત્ત' મયૂર ।। અમૃત જેવા મીઠા તારા ટહૂકાર, રૂપાળી કલગી, મનેાહર કળા દાખવતા કેશકલાપ, વિશ્વકલ્યાણ અર્થે વિષપાન કરનાર મહાદેવના જેવી કાંડની, રૂચિકર, નીલવણી` છાયા, અને જગહિતાર્થે સ્વાર્પણુ કરનારા મેઘની મૈત્રી; માનવદ્વેષી સ`ના આહાર, આ બધી આંતર ખાદ્ય સ`પત્તિ હૈ વહાલા મિગ મયૂર ! તને એવા તે કયા પુણ્યના પ્રતાપે પ્રાપ્ત થઈ છે ? આ શ્લોકમાં કવિએ કશું જ કહેવાનું બાકી રાખ્યું નથી. માણસ પોતાના મિત્રોથી એાળખાય છે. “સમાનશીલ વ્યસનેષુ સખ્યમ” મેઘના મિત્ર મયૂર એટલી એક જ ઉપમા તેનુ સર્વાંગ સ ંપૂર્ણ આભિજાત્ય વ્યક્ત કરે છે. અને દ્વેષ તથા ઇર્ષ્યાનાં ઝેરથી વિશ્વને વિનાશના પંથે દોરી જતા એ જીભે મેલનારાને જ આહાર ! સદાય ઉચ્ચ ભૂમિકા ઉપર સ્થિર રહેનારા, વેર-ઝેરનાં પાન કરનારા, પેાતાના ટહુકારથી જગતને આનંદવિભાર બનાવતા, નિજાનંદમાં કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ' Page #197 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ- ગ્રંથ મસ્ત બની નાચતો મયૂર આપણને ચૈતન્ય અને રામકૃષ્ણનું સ્મરણ કરાવે છે. મહાપુરુષોની મનોવૃત્તિનું માનવીને પ્રત્યક્ષ દર્શન કરાવવા સારું જ વિધાતાએ સજેલી આ મહાન કલાકૃતિ કેટલી આહલાદક, મને રમ અને નયનાભિરામ લાગે છે. આપણાં મનઃ ચક્ષુ સમીપ જાણે આવીને ઊભા રહેતાં જ સંસારને સર્વ સંતાપ શમી જાય છે. જોકકવિઓને પાગલ કરનારી આ બ્રહ્મની કૃતિ સાચે જ અનુપમ છે. સાંજ કયારે પડી તેની કશી ખબર ન પડી. વિદાય વસમી લાગી. કવિનું અંતઃકરણ નિજાનંદી હતું. ભક્તકવિ તુલસીદાસજીએ “રામચરિત માનસ”ની રચનાને હેતુ દર્શાવતાં કહ્યું છે તેમ કાવ્યરચનાને ઉત્તમ હેતુ “સ્વાન્ત : સુખાય” પોતાના અંતરની શાંતિ અર્થે હતે. એમનાં કાવ્યોથી તેઓ અમર છે. જ્યન્તિ તે સુકતિનો, રસસિદ્ધા : કવિશ્વરા : નાસ્તિ તેષાં યશઃ કાયે જરા મરણજ ભયમ પ્રમાણસર આભુષણેની શોભા “રામાયણના પ્રસંગે પર અનેક કવિઓએ ભજનો લખ્યાં છે. ગંગા પાર કરતી વખતને ગુનો પ્રસંગ રામાયણમાં છે. “પગ ધોઈ નામે પધારો રે નરના પતિ' એવું એક જૂનું ભજન પણ એ પ્રસંગ પર પ્રચધિત છે. તેમ છતાં પગ મને ધોવા દ્યો રઘુરાય” દુલાભાઈને એ ભજને લેકહેયાને એ પ્રસંગમાં રહેલ ભક્તિરસમાં જેટલાં તરબોળ કર્યા છે એટલાં બીજા કોઈએ કર્યા નથી. જીવનને કાર્યક્ષેત્રથી માંડીને અધ્યાત્મના વિશાળ પટ વચ્ચે દુલાભાઈને કાવ્યનાદ વહે છે. પ્રાસાનુપ્રાસ, સ્વરબૈજનાને ઝમેલા અને ઝડઝમકને અતિરેક તો ચારણી સાહિત્યકાર ને આગવાં વરેલાં હોય છે. તેમ છતાં દુલાભાઈની આ કવિતાઓમાં ક્યાંય એને ઉભરો દેખાતું નથી. સ્વમાન, મર્યાદા અને લજજાના ભાર સાથે પ્રમાણસર આભુષણોથી શોભતી કે’ શીલવતીની માફક એમની કવિતા પ્રાસની મીઠાશ, સ્વરવ્યંજનને સુમેળ, યમક અને ઝડઝમક જેવી ભાષામાધુર્ય પ્રગટાવવાની બાહ્ય રીતિઓથી - લદાયેલી નહિ પણ શણગારાએલી જોવા મળે છે.” (કાગવાણી ભાગ-૪) –નાનુ રામ દુધરેજીયા સાત્વિકતાના વાતાવરણથી ભરપુર અહીં ગ્રંથકાર વિદ્વતાનો ઝભો પહેરીને પિતાના જ્ઞાન કે ભાષાવૈભવથી આપણને આંજી નાખતા નથી, તેમ તેઓ અહીં ઉપદેશકના રૂપમાં ઊંચે આસને બેસીને આપણને આજ્ઞા કરતા પણ દેખાતા નથી. આ ગ્રંથ વાંચતાં આપણને એમ લાગે છે કે આપણા પિતાના હૈયામાં સંદર વિચારોનાં પુષ્પો મહેંકી રહ્યાં છે અને ગ્રંથકાર એક માળીની અદાથી એ પુના છોડવાઓને પાણી પાઈ રહ્યા છે. આ આખાય ગ્રંથ સાત્વિકતાના વાતાવરણથી ભરપુર છે. એમાં સનાતન સત્ય કહેતાં મહાવાક્યો, રાજનીતિના બોધપાઠો, દર્શન-તત્ત્વજ્ઞાનનું સરળ નિરુપણ તથા સદાચાર, શીલ અને ચારિત્ર્યની પ્રતિષ્ઠા છે. આ ગ્રંથમાં આપણા ભૂતકાળનું ગૌરવ, વર્તમાનનું કર્તવ્ય અને ભવિષ્યની આશા મૂતિમાન ખડાં દેખાય છે. આમાંનું એક એક વચન એક જીવતું પુસ્તક છે. કહેવાની શૈલી સીધી ને સરળ છે તેથી વાચકને થાક લાગવાને બદલે પ્રસન્નતા મળે છે.” (કાગવાણી ભાગ-) –પીંગળ પાયક ((((((((કuિછી દુખા કાકા સ્મૃતિ-સાથODD Page #198 -------------------------------------------------------------------------- ________________ s પિક કાગવાણી Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ૨ ૩ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ગણપતિ-સ્તુતિ દોહા જય ગણેશ જોગી શi, મહાકૃતિ સૌથી મોર; એક દંત સોહત અતિ, કરું વંદન કર જેર. સગુણ કર નિર્મળ સતા, મુખ બંધુ ધાર પરથમ જય જય નિધિપતિ, નમું ચરણ લખ વાર. સિદ્ધિપતિ પરથમ સમરીએ, દૂર કરી મન ફ્રેષ; રિદ્ધિનાથ ભાવે રહું, જયજય દેવ ગણેશ : સરસ્વતી સ્તુતિ દોહા જય શારદા માતા જવું, કાપે બુદ્ધિ કરૂર; ગુણખાની મા જય ગિરા, ધરું મસ્તક પદ ધૂર. વાણી અમળ આપે વ૬, કૃણ સુગુણ કર જોરી; તુમ બેલા ઈ તવાં, મતિ ન પચત મોરી. બ્રહ્મતનયા ! જયજય ભણું, કરવી માત કૃપાય; કષ્ટ હરને દૃષ્ટિ કરો, ધૂળ પૂરણ મન થાય. જીભ માત ! મું છે જરા, વણ જીભે વાચાળ; આપણી એવી સતા, બ્રહ્મતનયા ! કર ભાળ. સહુ ગ્રંથારંભ શારદા, શારદ હીં સમરાત; શારદા પદરજ “કાગ હું, જયજય શારદ માત ! ગુરુ-સ્તુતિ દોહા વંદન કરું ગુરુદેવનું, દરશાવી હરિ દીશ; જ્ઞાન કહ્યું ગીતાતણું, ચરણ ધરું મમ શીશ. જેની કૃપાથી જાણિયું, નિર્ભય પદ નિરવાણ; તન મન ધન અરપણ કરું, પદ ગુરુ અરપણ પ્રાણ. ૧ ૫ ૨ જ ક િદુલા કામે રમૂર્તાિ: , . Page #200 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૭ ૩. કાગવાણી કોટિ કોસ વે'તા કરો, ધરણી જળ ન ધરાય; નીર મેઘ વરસ્યું નહિ, ભૂમિ તૃપ્ત નવ થાય. જેમ શ્રેષ્ઠ નખતર શશિ, રુદ્ર શ્રેષ્ઠ શિવરાય. તેમ મંત્ર અરુ તત્ત્વમાં, ગુરુવર શ્રેષ્ઠ ગણાય. જેમ શ્રેષ્ઠ સુર સુરપતિ, સરિતા સુરસરી શ્રેષ્ઠ તેમ મંત્ર અરુ તત્ત્વમાં, ગુરુ-આખર દુહિ જે. પરમાનંદ ગુરુ રૂપ હૈ, નિત આનંદ નિરવાણ; મુક્તાનંદ ગુરુ તત્ત્વ મહ, ક્ષમા દયા ધન ખાણ. ૫ ભેળીઆળી (દાદાજીને માંડવો...એ રાગ) ભેળીઆળી તારાં ભામણાં ! માડી, તારાં વારણાં લઉં વીશ ભુજવાળી રે...ભેળીઆળી ટેક. માડી, કૈક કઠાનાં પડેલાં ખાલી કેડિયાં, માડી, એમાં દીવડાની જગવી તે જોત રે...ભેળીઆળી ૦ ૧ માડી, તેં તે ઉજજડ ઉઘાડયા જૂના એરડા, માડી, એને રૂદિયે વસાવ્યા સીતારામ રે...ભેળીઆળી ૦ ૨ માડી, એવા ભવના ભૂલેલા એદી આતમા, માડી, એને ખોળલે ખેલાવી પંથડાં ચીંધ્યા રે...ભેળીઆળી ૦ ૩ માડી, તે તે ખારાં ખેતરડાંને ખેડિયાં, માડી, એમાં લીલીયું મોલાતું લે જાય રે...ભેળીઆળી - ૪ માડી, તારે ધીંગા ઘમળા રે ધેરી ધસરે, માડી, તારાં ખેતરડાં કુડિયાના કાળજાં જેવાં રે...ભેળીઆળી - ૫ માડી, તારાં ગોરસડાં ઉજળાં કરણી સંતની, માડી, તારાં વલણ ઘૂઘવે રે પેલે પાર રે...ભેળીઆળી ૦ ૬ માડી, તારાં સબદ મોતીડાં મોંઘાં મૂલનાં, એને કોઈ બાંધશો નહિ કામળની કરે રે...ભેળીઆળી છે ૭ માડી, તારી દયાને દીવડો રે છવડો ‘કાગ’ને, કોઈના કેડાને અજવાળી ઓલવાઈ જાય રે...ભેળીઆળી ૦ ૮ (((((( કuિશ્રી દુલા કાગ. સ્મૃતિ-alથી))))) Page #201 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ અર્થ ચારણના અપાર હેતના આ જુનવાણી શબ્દો છે “તારાં ઘાંઘળાં લઉ” ઘાંઘળાં એટલે મીઠડાં, દુખણાં. એવી જ રીતે “ભામણાં શબ્દ પણ છે, અને “વારણને પણ એ જ અર્થ છે. જીવ જ્યારે જીવ મટે છે ત્યારે શિવ બને છે. કોઈ પણ માનવી જ્યારે પિતાના ઈષ્ટદેવ રૂપ બની જાય છે ત્યારે તે સ્વરૂપને પામે છે. એમ માનો ઉપાસક પુરુષ શક્તિની પર પહોંચી માતૃશક્તિરૂપ બની જાય છે અને માને વિનવે છે કે હે જનેતા ! તારાં ઓવારણાં લઉં છું. હે મા ! તારા ઉપર અનેકવાર વારી જાઉં છું. ઓળઘોળ થઈ જાઉં છું. કારણ કે હે જનેતા ! ઘણાંનાં હૃદયરૂપી કોડિયાં સાવ ખાલી પડેલાં એમાં મેં માણસાઈના દીવા પ્રગટાવ્યા છે. ૧ જેનાં હૈયાં ઉજજડ બની ગયેલાં, જેનામાં માનવતાને એક પણ છાંટો ન હતો એવા કાળજુના અસુરી એરડા ઉઘાડી એના હૈયામાં શ્રીરામ અને મા સીતાની સ્થાપના કરી તેની અક્કલની આંખ તે ઉઘાડી દીધી. ૨ આ સંગદેષ અને પોતાના કર્મદોષે કરીને જે સંસારમાં તદન ભલા પડેલા એવા પાપી અને પતિતો સામે કેઈ મીટ પણ ન માંડે તેવા અધમ જીવોને તેં તારે ખોળે બેસારી માનવતાને માર્ગ બતાવ્યો. ૩ હે મા પાપકર્મથી જેનાં હદયરૂપી ખેતર ખારાધૂધવા બની ગયેલાં એનાં બળિયાંને તે મીઠાં બનાવી દીધાં અને એના હૃદયખેતરમાં ભક્તિ, દયા, અહિંસા, શ્રમ અને સત્યનો બગીચો બનાવી દીધો. ૪ હે જોગમાયા ! તે મહેનતની પ્રતિષ્ઠા કરી. આજિવિકા માટે ખેતીને ઉત્તમ ગણી. ધીંગા બળદે રાખ્યા અને પોતે મહેનત કરી અને ઉત્પન્ન કર્યા. હે મા ! તારા ખેતરમાં દાંત ખોતરવા જેટલું પણ ઘાસ નથી. તારા કાળા ખેતરને શી ઉપમા આપું ? માંજેલ પાટી કે કુડા માનવીનું કાળજુ ! ૫ હે મા ! તે ગાય અને ભેંસનું સુંદર રીતે પાલન કર્યું છે. જાતે ઘાસ નીરવું, જાતે ખાણ દેવું, પશની બધી બરદાસ્ત પોતે જાતે જ કરવાની. પ્રભાતે એનું ગોરસ એટલું ઊજળું લાગે છે કે જાણે કે સંતની કરણી. (આચરણ) હે મા ! વહેલી સવારે તે તારે આંગણે છોશ તૈયાર થઈ જાય છે. ૬ હે મા ! તું બહુ બેલતી નથી. બે ચાર મોતીના દાણા સહુને ભેટ આપે છે. આળસ તો મહેનત કરે. સત્ય શીખે. કેઈને દુ:ખી ન કરે. વિદ્યા ભણે. હે માનવીઓ ! હે માના છોરુ હેવાને દાવો કરનાર ચારણો ! આ ઉપદેશમોતીને કઈ ધાબળામાં બાંધીને ગાંઠ ને વાળશે; નહિતર ગાંઠ છૂટી જશે અને મોતી પડી જશે. ૭. હે મા ! હું ‘કાગ’ તે તારી દયાને દીવો છું. ફક્ત એટલું માગું છું કે કોઈ અજાણના મારગમાં અજવાળે કરતે કરતે ઓલવાઈ જાઉં, ભલે બંધ થઈ જાઉં. ૮ S : કuિથી દુલા કાગ રમૃnિ-ai ) NIIMa Page #202 -------------------------------------------------------------------------- ________________ કાગવાણી આઈ સેનબાઈ આઈ સોનબાઈમાં એક ખાસ નવીનતા એ છે કે પિતે ચુસ્ત અહિંસામાં માને છે. જૂની રૂઢિ પ્રમાણે માતાજીને ઘેટાં, બકરાં, પાડા ચડાવાતા તેનાથી પોતે તદ્દન વિરુદ્ધ છે. ખોટાં ધૂણવાં, દાણા જેવા વગેરે પોતે તદન ધિક્કારે છે. સાથોસાથ પોતે ઘણાં વિદ્વાન છે. રામાયણ તો જીવનદેરી જેટલી જ પોતાને પ્રિય છે. છંદો બોલવાની રીત, હલક અને સત્વગુણી આવેશ મારા જેવા શુક માનવીને પણ સાંભળતાં રોવરાવે છે. પોતાની પ્રતિભા અને દૈવત બધા માણસોથી જુદાં તરી આવે છે. કાર્યશક્તિ એટલી કુશળ છે કે દસ હજાર જેટલા માણસોને મઢડા જેવા નાના ગામમાં કંઈ પણ અવ્યસ્થા સિવાય પોતે સાચવી શકળ્યાં હતાં. તેમનામાં સહુથી મોટી વાત તો એ છે કે, વ્રત લીધું વરૂડી તણું, દન દન દેવા દાત; લેવાના હેવા નહિ, ધન ધન સેનલ માત, પોતાને ચરણે કંઈ પણ ભેટ પોતે સ્વીકારતા નથી. એ જગદંબાની ઝુંપડીએ હજારો મહેમાને ભોજન પામે છે. આ કલિયુગમાં મા સોનબાઈ એ વૈષ્ણવી શક્તિનો અવતાર છે, એમ હું માનું છું. સાથોસાથ પોતે સમાજના અપૂર્વ સુધારક છે. કન્યાવિક્રય ન કરવો, બીડી, તમાકુ વગેરે વ્યસન છોડી દેવાં, એવો એમને ઉપદેશ છે. ચારણ બાળકો કેમ ભણે, કેમ સારા કવિ અને વિદ્વાન બને, એ માટે પોતે કાયમ મહેનત અને ચિંતા કરે છે. ભાવનગર ચારણ બેકિંગમાં પોતે પધારે છે, ત્યારે આનંદ ઉત્સવ પ્રગટે છે. વિદ્યાર્થીઓને એમ જ લાગે કે સગાં મા તેમની સંભાળ લેવા આવ્યાં છે. તેમની હાજરીમાં આનંદની છોળો ઊડે છે. મઢડા ગામે સંવત ૨૦૧૦ ના વૈશાખ શુકલ અક્ષય ત્રીજને દિવસે આખા હિન્દુસ્તાનના ચારણોનું સંમેલન માતાજીએ ભર્યું. સમસ્ત ભારતવર્ષના હજારો ચારણો, હજારે ચારણ માતાઓ અને બહેનોએ તેમાં હાજરી આપી. કોઈએ માગવું નહિ.' એ ઠરાવ પ્રથમ હતો, પછી કેટલાક જ્ઞાતિ સુધારાના ઠરાવ થયા, પણ એ વખતનો મઢડાને દેખાવ, ચારણોની ઠઠ અને આઈમાને ઉંમગ, તે મારા જેવો પામર માનવી કેમ કહી શકે ? છતાં– तदपि कहे बिन रहा न कोई –એમ માતાજીએ જેમ કલમ ચલાવી તેમ આકડા લીમડાનાં ફૂલ ચડાવ્યાં છે. યોગ્ય હશે તે પોને માન્ય કરશે. ' હા કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ શું છે Page #203 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ દોહા શક્તિરી શક્તિ ગતિ, કવિ મતિ કથી ન જાય; પદરજ મેં મતિ પાથરી, તદપિ કહાં બણાય..૧ બે હજાર દશ સંવત્સર, વિમળ માસ વૈશાખ; અક્ષય ત્રીજ મઢડે અયા, ચારણ લાખમલાખ...૨ કચ્છ, પારકર, માળવા, વાગડ, ઘર વઢીયાર; મારવાડ, મેવાડ લગ, લાગી લાર કતાર...૩ સેરઠ ઘર નીમાડ લે, ગઢ પાવો ગુજરાત; ટિડ દળાં સમ આવગી, સઘળી ચારણ જાત...૪ જે હમીર ઘર હત ના, સેનલો અવતાર તે દરિયે ચારણ તણા, બૂડત બેડા બાર...૫ પત ચારણ પંચાળીરા, જુગ જુદંતા ચીર કૃષન રૂ૫ લજા રખણ, સોનલ જાઈ હમીર...૬ ઉગ્રસેન ચારણ સકળ, કંસ કળી બળવીર; ગોકુળ મઢડા ગામમેં, સોનલ જાઈ હમીર...૭ ઝાડ કાપડી પિલીઆ, નવઘણ દળ નવ લાખ; એ જ વરૂડી અવતરી, સેનલ પૂરી સાખ..૮ છંદ સારસી નવ લાખ પિષણ અકળ નર હી, એ જ સોનલ અવતરી, મા એ જ સેનલ અવતરી. અંધકારની ફોજુ હટી, ભેંકાર રજની ભાગતી, પિફાટ હામા સધૂ પ્રગટી, જ્યોત ઝગમગ જાગતી; ત્રણ તિમિર એટણ સૂર સમવડ, કિરણ ઘટઘટ પરવરી, નવ લાખ. ૧ જે દિને મઢડે માંડે મેળો, નાત સઘળી નોતરી પિછવા લાખાય લાર પંગત, હસત વદને હૃકળી; તે વખત વાધી માતા મંડ આભ લેતી આવરી.. નવ લાખ. છે કf1શ્રી દુલા કાસા ઋt-આવી જ Page #204 -------------------------------------------------------------------------- ________________ કાગવાણી ૩ ડરપીઆ સમદર નીર હટી, રંધાડે આંધ્રણ ધરે, દરીઆવી સળતાંતણા ભરીઆ, ભગતરા બેડા તરે; તાગ લીયણ તારૂતણી ટોળી , માજળે બૂડી મરી... નવ લાખ. પ્રહલાદ ચારણ કળી હરણષ, મોતનોબત ગડગડી, નિઃશંક આસુર થંભ થડકીયા, બાળ હણશે આ ઘડી; અણવખત ગરજી ખંભસે, નરસિંહણી બણી નીસરી... નવ લાખ. બ્રહ્મલેક મઢડા હમીર ભગીરથ, શિવ સેરઠ શિર ધરી, વહ ધાર ખળખળ નીર નરમળ, આઈ ગંગા અવતરી; ઓધારવા તન સગર–ચારણ, નેસડામાં નીસરી.. નવ લાખ. ધાબળી ધરણી, ઉજળ+વરણી, સંકટ હરણી, ચારણી ! ભંડાર ભરણી, મંગળ કરણી, દધિ-તરણી, તારણી; ધરી શીશ ધરણી, ‘કાગ’ બરણી, આઈ અન્નપૂણેશ્વરી... નવ લાખ. દોહા સોનલ વાણી સાંભળી, ચિત્ત નાવે સંતોષ; કાં તે પાપી આતમા, કાં દેવ તણો સર દોષ..૧ સોનલને પરણ્યા પછી, પંડના હટે ન 'પાપ; કાં બેરે કાં આંધળો, કાં અક્કલડાયો આપ...૨ સોનલને પચ્યા પછી, ઉર રહે અહંકાર; કાં દિન ઊઠડ્યો એહને, કાં રૂક્યો કિરતાર...૩ સેનલને પરણ્યા પછી, મન ખીલે ન બંધાય; (એને) સો સે સાંકળ બાંધશે, તે એ છટકી જાય...૪ ૧. ભજનના આંધણનું એટલું બધું પાણી જતાં સમુદ્રને પણ ડર લાગ્યો. ૨. “સળુ કરવું” -જમ્યા પછી હાથ ઘવા. એ હાથ માં છેવાયાનું પાણી એટલું હતું કે જાણે મોટો સમુદ્ર. ૩. માતાજીની શક્તિ કેટલી છે એનો તાગ કાઢવા જનાર તરવૈયાને સમૂહ સાગરમાં ડૂબી ગયો. ત કવિøા દુલા કાગ સ્મૃતિ ગ્રંથ તો ન Page #205 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ- ગ્રંથ ~ ~~~ મઢડા વાળી માતને, મુખથી ભણે મનુષ; - તે નર પામર પાપીઓ, પશુ વિહેણે પૂછ...૫ સોનલને શરણે ગયે, રમે ન ઉરમાં રામ; તે છવડ ભૂલે પડ્યો, ગયો ન મઢડા ગામ...૬ સેનલ સોનલ સમરતાં, સઘળા ટળે કલેશ; આ ભવને ભવ આવતે, વાધે લાભ વિશેષ...૭ વ્રત લીધું વરૂડી તણું, દન દન દેવા દાત; લેવાના હેવા નહિ, ધન ધન સેનલ માત...૮ કર ખાલી ભરીઓ ઘણા દરીઆ સમવડ દાત; કર નીચા કરીઆ નહિ, ધન ધન સેનલ માત...૯ પુરૂષ રૂપી રૂપિયે, રહે ન તે ઘર રાત; પગ પડતાં પાછો ફરે, ધન ધન સેનલ માત...૧૦ . મુખ ગંગા, ચંખ સરસતી, ધાબળીએ જમના; - વાધ્યો મઢડા પ્રાગવડ, ધન ધન સોનલ માત...૧૧ અવળા નવગ્રહ આવતાં, ઝઝકી ચારણ જાત; તેં કરીઆ હામ બણી, સવળા સોનલ માત...૧૨ મઢડા ટીંબે માત તું, હેક ન જનમી હોત; તે સોનલ ! ચારણ તણું, નામ હેત કે ન'ત...૧૩ રંઘાડા ભરી રહે, રજકે દિવસ રાત; પૈયાં હેઠઠ પિષણી, ધન ધન સેનલ માત...૧૪ લટ પકડી લખમી તણી, આંગણ આંટા ખાત; ફટે ધનને ફોળતલ, ધન ધન સોનલ માત...૧૫ છબી ૯દામાં ચિંતવું, તનમાં ટાઢક થાત; જગદંબા નમું જાગતી, મઢડાવાળી માત...૧૬ સમદરમાં ચારણ તણું, વાણ વોયું જાત; સઢ ખેંચ્યા સફરી તણાં, ધન ધન સોનલ માત...૧૭ પડી ત્રણ ચારણ પરે, ઘોર અંધારી રાત; છે વાસી મઢડે પ્રગટ, ધન ધન સોનલ માત ..૧૮ [ છે કે કવિઝા દુલા કાગ સ્મૃતિં-થાનિક મ Page #206 -------------------------------------------------------------------------- ________________ કાગવાણી ૧૯૩ પપપપ તે સધને પિવી સકળ, વર્ણ વીશેત્રે નાત; અવતારી અન્નપૂર્ણા, ધન ધન સેનલ માત...૧૯ જુગ જુગની જગદીશ્વરી, આઈ દહાણ ઉતપાત; નમો નમો નારાયણી, મઢડાવાળી માત...૨૦ માનવ કો” પડશો નહિ, કપટ તકને ફૂપ; તર્ક રહિત નિર્મળ સદા, સેનલ બ્રહ્મ સ્વરૂપ...૨૧ આઈ માં સોનલને ભાવ આ કાવ્યને ભાવાર્થ નીચે મુજબ છે. આઈ સેનબાઈમા બધા ચારણને કહે છે કે – “ચારણો આવા હોવા જોઈએ. મને એવા પુત્રો બહુ ગમે છે, જે ધીરજવાન હય, જેમના મન ઠેકાણે હોય, જે કદી પાપના ભાગીઆ ન બનતા હોય, અને જેમના હૃદય કાચ જેવા ઊજળાં અને નિર્મળ હોય. એમની વાણી એવી હોય કે જેને સાંભળી પ્રાણી માત્ર રાજી થાય. જે મનના ઉદાર હોય, સુંદર કવિતા રૂપી ફૂલ જેમના મોઢામાંથી ઝરતાં હોય. જેમણે ક્રોધને જીત્યો હોય, જે આળસુ ન હોય, પોતાના કામમાં ચીવટવાળા અને પુરુષાર્થ હોય, કેઈનું સારું દેખીને જેમને કંઈ પણ દુઃખ ન થતું હોય, અને કેઈના દોષ પોતે કદી પણ જોતા ન હોય. પિતાની સંપત્તિ તે ગરીબોને આપે, સાથે સાથે પિતાની બુદ્ધિ પણ બીજાને સુખી કરવામાં વાપરતા હોય. ઈશ્વર તથા પિતાના બે હાથ સિવાય કોઈની જેમને આશા ન હોય. વળી, બુદ્ધિનો પાશલે બાંધી દેડી બુદ્ધિવાળા નિર્બળ માનવીઓનો જે કદી શિકાર ન કરતા હોય. જેમને આંગણે દરરોજ મહેમાનો આવતા હોય, ખોટાપણાને જે ધિક્કારતા હોય અને રામાયણ તથા ગીતાના ગાનારા હોય, તથા જે બીજાનાં દુઃખ ટાળવા માટે પિતાના પ્રાણ આપવા પણ તૈયાર હોય. જે કેરા અહિંસક સાધુ જેવા ન હોય, પણ લડાઈના મેદાનમાં જ્યારે શૂરવીર હુરમનેથી પાછા, ભાગતા હોય, તે વખતે આગળ ચાલી વીર રસના ગીત ગાઈને એ શૂરવીરોને પાછા ફરતા અટકાવે અને ધર્મ તથા દેશને કારણે મરી ફીટવા લલકારે એવા હોય. દુઃખી તથા ભયભીતને જે આશરો આપતા હોય તેવા વીર અને ભક્ત ચારણોને ઘેર અવતાર લેવાની માતાજીને પણ ઈચ્છા થાય છે.” આઈ સોનબાઈમા કહે છે કે “હે પુત્રો ! વાણીરૂપી મારા દૂધની ધાર તમે ઝીલી લેજો ખૂબ પીજો અને પચાવજે. એટલી ટેક રાખશે તે તમામ ચારણ પુત્રીઓ વરુડી જેવી જ હશે, અને ચારણ પુત્રો ઈશ્વરદાસજી સમાન બનશે.” માતાજી એક બીજી પણ બહુ સુંદર વાત કહે છે કે, “હે ચારણો ! હવે એકલા જમવાને સમય નથી. ધન દોલત, સંપત્તિ અને બુદ્ધિમાં લાખો દરિદ્રનારાયણને ભાગ છે. સંપત્તિનો ઉપયોગ લોભીઓની માફક પોતે જ એકલા કરશો, તો એવા ભેજનનું તમને અજીર્ણ થશે, અને તે અજીર્ણના ખાટા ઓડકાર આવતાં શરીરમાં મહા રોગ પેદા થશે. એટલે કે તમે બળવાન હો, બુદ્ધિશાળી હો. કciી હતી કI - Page #207 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ - ૧૯૪ છેવટે આશીવાદ આપે છે કે, માટે એની કુખ ઉજળી કરજો.” કે ધનવાન હા, તે। કુટુંબ, ગામ અથવા કાઈ પણ ગરીબને ઊંચે લાવવા, એને ઉપયોગ કરો.” માતાજી “હું ચારણા ! તમે સૌ સુખી રહેા, પણ જગદંબાના દીકરા કહેવા છે. (પાયે તેાય વીપળી લાગ્યું...તે રાગ) રુને માત સમજાવે, આવા કાઈ ચારણા આવે...ટેક ધીર-ગંભીરા, ધારણવ’તા, પાપમાં જેના ન પાવ; (ર) એ...ઊજળાં હૈયાં, વાતના વે, દિલ જેના દરિયાવ. છેરુને.૧ વેણમાં જેના ફૂલડાં ફારે, નેણમાં ના'વે રાષ; (૨) એ...ઊદ્યમવંતા તે આપદાહીણા, દેખે ન કોઈના દોષ. છેરુનેર અક્કલ સૌના સુખમાં આપે, આપ રહ્યુ જમનાર; (૨) એ...બુદ્ધિ કેરા પાશલા બાંધી, નવ ખેલે શિકાર, છેરુને ૩ અન્નના દાતા જૂઠપે તાતા, ગાતા રામાયણગાન; (૨) એ...પારકી પીડા ટાળવા પાતે, પાથરી આપે પ્રાણ. છેરુને...૪ ભાગલી ફેાજુ ભેડવે એવા, થડકયાં આવે થેાભ; (૨) એ...ગૂ પડે જેને ખેલવા રાખે, લેબડીઆળી લાભ. રુને...પ વાણીરૂપી મારાં દૂધડાં કેરી, ઝીલજો ધોળી ધાર; (૨) એ...વરૂડી જેવી ધીડી", એટા ઈસરના અવતાર. છેને.૬ એકલા ખાશો તે રાગીઆ થાશેા, પસ્તાશા વિહા પાર; (૨) એ...જીરવ્યા કોઈથી જાય નહિ એવા અજીરણ ઓડકાર. હેરુને...છ ચારણાને કહે સોનલ માતા, સહુને વાધે સુખ; (૨) ‘કાગ' જાયા તમે જગદંબાની, કોઈ લજવતા ન કુખ. હેરુને...૮ કઘિશ્રી દુલા કા। સ્મૃત્તિ-ઘિ Page #208 -------------------------------------------------------------------------- ________________ કાગવાણી * w અંબા દેહ શાંતિકરણ જગભરણુ તું, ઘડણ ઘણું ભવઘાટ; નમો આઘ નારાયણી, વિશ્વરૂપ વૈરાટ.—૧ છંદ ભુજંગી નમે બ્રહ્મશક્તિ મહાવિશ્વમાયા, નમો ધારની કેટિ બ્રહ્માંડ કાયા; નમે વેદ વેદાંત મેં શેષ બની, નમો રાજકા રંકપે છત્ર ધરની.–૧ નો પૌનરૂપી મહા પ્રાણદાતા, નમો જગતભક્ષી પ્રલે જીવ ઘાતા; નમો દામની તાર તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘમાળા-૨ રમે રાસ તું વ્યોમ બાળા હુલાસી, પૂરે સાથિયા કે'ક રંગે પ્રકાશી; સહે તાલ બ્રહ્માંડ એકી અવાજે, તુંહારાં અનોઠાંહ વાજિંત્ર વાગે.-૩ નિશા શામળી કામળી ઓઢ કાળી, તું હી કાળરાત્રિ નમામિ કરાળી: તું હી તારલે જ્યોત ઝીણી ઝબૂકે, ફરે આભકા પંથ ફેરા ન ચૂકે–૪ પ્રભા ભાનુમેં માત તેરી પ્રકાશે, લખી ઉગ્રતા ઓઘ અંધાર નાશે; તું હી ચંદ્રિકા રૂપ મે હસંતી, ધરી ઓઢણી શ્વેત આર્ભે બસંતી.-૫ દિશા કાલ કે ભેદ તોરા ન દિસે, નમો સેવ્યની બ્રહ્મ રુદ્ર હરિસે; તું હી આભ ઔકાશ કેતા નિપાવે, મથે માનવી થાહું તોરા ન પાવે.-૬ Sી , હું કવો લા કાર સ્મૃતિ-ગ્રંથ . Page #209 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-પ્રધ તું હી સાથરા નીર ગંભીર ગાજે, ભીઠે આકડા વાંકડા નાટ સાજે; ધકે હાલતા લોઢ લેતા હિલોળા, કરંતી જળાં બળ અંગે કિલોળા.-૭ તું હી વાદળાં પા'ડ માથે પછાડે, સરિતા બની ઘૂઘવે ઘોર ત્રાડે; અષાઢે સુ નીલંબરે અંગ ઓઢી, તું હી જાણિયે પાણિયાં સેજ પઢી.-૮ હેમંતે અનોધા હિમાળા હલાવે, - તુંહી પીનમાં શીતળે ગીત ગાવે; વસંતે તુંહી માત હેતે હુલાસી, - લતા ઝાડમાં ફૂલ ફૂલે પ્રકાશી.-૯ ભડી દાનવો સાથ બુઠ્ઠી ભુજાળી, અખાડે અરિ આમળા દીધ ટાળી; પાડે ટલા કેરી વાર લીધા, રણે દોખિયાંરે સરે રેશ દીધા–૧૦ કહી વાર કાળી ધરી હાથ કાતાં, રંગ્યાં રાખતાં લેઈ બંબોળ રાતાં; ભવાની અસાં ભારણાં કેક કીધાં, પછાડી ઘણાં દાનવો રેર પીધાં.–૧૧ તું હી લેહ ખાંડાં ધરી વીશ હાથે, મંડી ખેધ વાઘેશ્વરી દૈત માથે; વડા પા'ડ શા આવતા રાહ આડા, ધકી વેઢકે ડિયાં કાંધ જાડાં-૧૨ પછાડો જળાં સેવળાં દેત ઘાતી, ધરા દીધ રાખી રસાતળ જાતી; કહે સેવકો પાહિ તોહિ સરાહી, નમો વિશ્વગ્રાહી અગ્રાહી વરાહી.-૧૩ : - કામિ દુલા કાII રકૃતિ- આ . Page #210 -------------------------------------------------------------------------- ________________ કાગવાણી A તું હી ટેર ઘેલાદરી સૂણ ધ્રોડી, તમંકી બણું સિંહણ થંભ ત્રોડી; હણી દીધ તેં રામરો દૈત દ્રોહી, નમો નારસિંધી અસુર વિમોહી.-૧૪ ફતેકાર નેજા તિહારા ફરકે, જપે સુર માળા તુંહી પાવ ઝુકે, તું હી હેક ચંડી મહા માન ખંડી, વિખંડી દળાં દાનવાં લક મંડી.–૧૫ તું હી શ્વાસ-ઉસાસરી હાથ દોરી, કળા કેણ જાણે તિહારી અધોરી; સુણી સાદને અંબિકા ધાય વારે, કરો સેવકાં જાજ માતા કિનારે-૧૬ તું હી કારણી ભારણી મેહ, માયા, તું હી તારણી જે શરે કીધ દાયા; તું હી જગત નિભાવણી વિશ્વકાયા, નમો રાજ રાજેશ્વરી ગમાયા.–૧૭ ભરી પૂર્ણ બ્રહ્માંડમાં પૂર્ણ ભાસે, અણુ બીજમાં તું અનેરી પ્રકાશે; તું હી જોગણી ભોગણી જીવ જાયા, નમે સાત દ્વીપેશ્વરી વજ કાયા–૧૮ તું હી બ્રહ્મવિદ્યા અવિદ્યા પરેલી, તું હી તુલ્ય દષ્ટિ તું હી ઉગ્ર દેવી; પરા પસ્થતી મધ્યમાં વૈખવાની, ન જાની ગતિ જાય ગંભીર જ્ઞાની.–૧૯ ખનું એક તું કે'ક બ્રહ્માંડ થાપ, ખનું એકમે કેક લોકો ઉથાપે; તું હી તું તું હી તું તું હી તું જ જાની, મતિ હૈ યથા મોરી એતી બખાની-૨૦ | કવિશ્રી દુલ્લા કાગ સ્મૃતિ-ગુંથા ofit Page #211 -------------------------------------------------------------------------- ________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ –ગ્રંથ નમો માત કાગેશ્વરી ભદ્રકાળી, કળા સોળ ધારી રૂપાળી કૃપાળી; દયા દીઠસે દાસ અંગે નિહારો, ભરેસ મુંહી એક અંબા ! તિહારો.—૨૧ છપ્પય સંવત શ્રેષ્ઠ ઉગનીસ, સાલ નેવું સુખદાઈ શુકલ બીજ બુધવાર, માસ વૈશાખ સુહાઈ, સ્નેહપુરી કરિ વાસ, અતિ હિમેં હુલાસાયો, લક્ષ્મીનાથ, ભવન, મુનિ રહી કે ગુન ગાય. તન વ્યાધિ હરન તારનતરન, જળ થળ રૂ૫ જિણો બા; ‘કાગ’ લગે તૂટે નહિ, તાર એક અંબા તણો. અર્થ હે અંબા ! તું શાંતિ સ્થાપવાવાળી છો. શાંતિ કેણ સ્થાપી શકે? જેનું સ્વરૂપ શાંતિમય હોય. શાંતિ એ અભયની પુત્રી છે અને અભય એ નિર્દોષતાનું બાળક છે. હે દેવી! તું તારા આચરણ અને આશીર્વાદથી સઘળા દોષને નિવારનારી છે. જ્યારે માનવીમાં દોષ હોતો નથી ત્યારે આપોઆપ અભય જન્મે છે. ખોટા વિવેકમાંથી ખુશામત, જુઠી ક્ષમામાંથી નબળાઈ, કંજુસત્તામાંથી ચોરી, અપરાધમાંથી ભય અને ભયમાંથી રાજશાસન જન્મે છે. વળી, હે મા ! તારી જગતશક્તિ સર્વનું ભરણપોષણ કરે છે. એટલે તું થાળી લઈને ઘરોઘર ફરતી નથી પણ પંચતત્ત્વનું જે યંત્ર બનાવ્યું છે તે આપોઆ૫ અન્ન, ઘાસ, ફળ વગેરે સમયસર તૈયાર બનાવી આપે છે. સઘળાં બીજને ઢાંકી તારી મહાશક્તિ અણુ અને પરમાણુરૂપે રહી છે. પ્રાણી માત્રને સહુથી વધારે જરૂર પવનની છે. તો એ વાયુ વિના મૂલ્ય રંક-શ્રીમંત, કીટ-પતંગ અને મછર–ગરુડને મળ્યા કરે છે, તેમ જ વનસ્પતિને પણ જ્યારે જેટલે જોઈએ ત્યારે એ પવન મળ્યા કરે છે. બીજી જરૂર પાણીની. પાણી વિના એક ઘડીમાં પ્રાણી મરતું નથી, જેથી એ જરા દૂર રાખ્યું. તેમાં માનવીને ચેતન અને શ્રમવંત બનાવ્યો, નદીથી, કૂવાથી; તળાવથી, ગમે ત્યાંથી પાણી ભરી લાવે. પછી જરૂરિયાત આવી અન્નની. બીજ તો તે બનાવ્યાં પણ ધરતી માનવીએ ખેડવી જોઈએ, વરસાદ તે વરસાવ્યો પણ માનવીએ ખેતરમાં સુંદર વાવણી કરવી જોઈએ. પછી બીજ ઊગે, જીવનશક્તિ ડોકિયું કરે, ત્યારે માનવીએ એની ચારેક માસ રક્ષા તથા સારવાર કરવી જોઈએ. આ અપાર સિદ્ધિ વચ્ચે મનુષ્ય ભૂખ્યો રહેતો હોય તો તે આળસ, વ્યસની અને થયેલા જ્ઞાનમાં જેને ધ્યાન નથી હોતું તે જ રહે છે. BHAT GIRIDI સમi, Page #212 -------------------------------------------------------------------------- ________________ કાગવાણી ૧૯૯ આધુનિક જમાનાનું સાધન મેટર છે. તેને કેમ હાંકવી એ બરાબર જાણી લીધું હોય પણ મેટર ચલાવતી વખતે એ જ્ઞાનની સાથે જો ધ્યાન નહિ હોય, તે। એ જ્ઞાન કાળને તરશે. કોઈ પણ જીવન અને જગતના જ્ઞાન સાથે ધ્યાન ન હોય તે! એ જ્ઞાન ફક્ત નાશને તેાતરવાનું જ સાધન બનશે. માનવીએ સદા સાવચેત રહી કોઈ વિચાર પ્રથમ કરવા જેવા અને પળે પળે સંભારવા જેવા હોય તે તે, થયેલા જ્ઞાનનું ધ્યાન રાખવુ, તે છે. કોઈ કહે કે મા કથાં ખાવા આપે છે? એ તે અમે ઉત્પન્ન કરીએ છીએ. રાંધીએ છીએ અને ખાઈએ છીએ. ના, એમ નથી. કોઈ પણ માનવીની શક્તિ ઉત્પાદક શક્તિના સીમાડા સુધી પહોંચી નથી. માનવી જે અન્ન, ફળ વગેરે ખાઈ ને તૃપ્ત બને છે એનાં બીજક એણે બનાવ્યાં નથી અને બનાવી પણ શકતા નથી. તેમ શરીરમાં જે અનંત શક્તિ રહેલી છે તેને પોતે લાવી શકતા નથી; એ શક્તિ એને મહાશક્તિમાંથી મળ્યા કરે છે. એટલે હે મા! તું શાંતિની માતા છે તથા પ્રાણી માત્રનું આ રીતે પાષણુ કરવાવાળી છે. વળી, હે મા! અનંત બ્રહ્માંડોના અનંત ઘાટ પણ તેં જ ઘડવા છે. કેટલાં બ્રહ્માંડો છે? કેવી રીતે એ ગેાઠવાયાં છે? કયારે ઉત્પન્ન થયાં છે ? કેવી રીતે અને કયાં સુધી એ રહેવાનાં છે? એનેા પાર માનવી પામી શકયો નથી. ધરતી અને ગ્રહો વગેરે બ્રહ્માંડો તો ઠીક પણ નજરથી ન દેખાય એવા કીટનાં બ્રહ્માંડોથી માંી પશુ-પંખી- માનવી સુધીનાં જુદાં જુદાં બ્રહ્માંડોની તે અદ્ભુત ગોઠવણી કરી છે–ધડણ ઘણા ભત્ર ધાટ હે મા! તને નમસ્કાર શા માટે કરું હ્યું? ઉપર કહેલાં કારણેા માટે. હે નારાયણની મહાશક્તિ ! નજરથી દેખાતા અને મનથી કલ્પના થતા તારી શક્તિનેા ભાગ બાદ કરીએ તે પાછળ શું રહેતુ હશે? એની કલ્પના કરવાની બુદ્ધિ અને શબ્દો માનવયત્રને મળ્યા નથી. પંચભૂત તારાં છે, શરીરા તારાં છે, એમાં ચેતનશક્તિ તારી છે, એને દૂર કરીએ તો પાછળ શું રહેતુ હશે? તું કે ભગવાન ! એનું વર્ણન, એની ભક્તિ, એની લીલા શરીર અને શરીરમાં રહેલી શક્તિ વિના કેમ થશે ! મીઠા વિનાનું અન્ન લૂખુ` કે, જાગતી જોગમાયા; ખાટુ ખાખુ’, જોરાળી જોગમાયા. એમ શક્તિ વિનાનું આટલા અર્થ પ્રથમ દોહાના થયા. હૈ આદિ બ્રહ્મશક્તિ ! હું આ વિશ્વની અપાર માયારૂપ ! તને હું નમસ્કાર કરુ છું. હું મા ! તું માતામાં હેતરૂપે છે, બહેનમાં કરુણારૂપે છે, પત્નીમાં પ્રેમરૂપે છે, અને બીજમાં સુષુપ્તરૂપે સૂતી છે. જગતની એક એક ક્રિયામાં તારી સ` સત્તા વિલસી રહી છે. વિષ્ણુ અને દેવતાઓને સગુણ બનવું હાય ત્યારે તારો આશ્રય લેવા પડે છે; પંચીકૃતભૂતની તારી પાચે યાચના કરે છે. ઈશ્વરના અનેક અવતારેા થયા, તેમાંના ભગવાન શ્રીકૃષ્ણે ચાખે ચોખે કહ્યું છે કે હું મારી માયાનેા આશ્રય કરી અવતાર ધારણ કરુ છું. હું મા ! તું કેટલી મહાન છે! ! કે, તારે અવતાર લેવા હાય ત્યારે કાઇ દેવાતે આશ્રય લેવા પડતા નથી. કવિ” દુલા કાા સ્મૃત્તિ-ાંથ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ સુની સહુ દેવનકે ભય સાદ પ્રગય આપાય આ૫ પ્રસાદ, હે મા ! તારી સર્જનશક્તિ તારાથી જુદી પડતી નથી, કારણ કે અનેક બ્રહ્માંડોને તેં જ ધારણ કર્યા છે. વળી એ બધાંને કેવી રીતે ધારણ કર્યા છે એ મંત્ર તું એક જ જાણે છે. હે મા ! વેદ, વેદાંત, ઉપનિષદ અને પુરાણો વર્ણન કરતા બંધ થઈ જાય છે ત્યાંથી તારી અનિર્વચનીય શક્તિને પ્રારંભ થાય છે. ઋષિઓ, મુનિઓ અને સાક્ષાત્ બ્રહ્માજી પણ આપની રચનાનો પાર પામી શક્યા નથી. ' કર્મ અને શરીર, બીજ અને વૃક્ષ, માતા અને પત્ની, પુત્ર અને પિતાઃ આ ચાર શબ્દઠંધોમાં કાણ કોનું કારણ ? આ કોયડો, આટલા આ આઠ જ શબ્દ વિચારવંત વિદ્વાને અને મેગીઓને પણ અકળાવી મૂકે છે. એનો ભેદ એક તું જ જાણે છે. હે મા ! તારી અપાર લીલાના અંતમાં જવા કરતાં એ લીલા ગાવામાં, ભજવામાં ને એમાં શ્રદ્ધા રાખવામાં મોટી લહેર છે. હે મા ! ક્યારેક રંક રાજા બની જાય છે, ક્યારેક રાજા રંક બની જાય છે; કયારેક આખા વિશ્વ પર સત્તા ચલાવનાર એક દિનની સત્તાને આશ્રય શોધે છે, અને કયારેક ભટકતો અને જીવનપંથમાં આમતેમ અફળા ગરીબ સમ્રાટના મહાત્રનો અધિકારી બને છે. આ બધું હે જોગમાયા ! કર્મ અને કૃપાના તારા કાયદે જ બને છે. પણ, અજાણ લોકો આવા ઓચિંતા મહાન ફેરફારો જોઈ સ્તબ્ધ બને છે. એટલે કેઈ કોઈ વખત તારાં આવાં ચરિત્રને જોઈ અબુધ માનવીઓ મોહને પ્રાપ્ત થાય છે. ૧ હે મા ! વ્યાન, સમાન, ઉદાન, અપાન, પ્રાણ, નાગ, કૂર્મ, કકલ દેવદત્ત, ધનંજય આ દસે વાયુનાં નામ લેવાં તે સોયલાં છે. જેમાં વિદ્યાથી પાઠ ગોખે છે તેમ કઈ વિદ્વાન ગોખી જાય છે. પણ એ બધા વાયુની ઉત્પત્તિ, એનું સ્વરૂપ, એની સ્થિતિ, આગમન અને પ્રયાણ એને કોઈ જાણી શકતું નથી. કારણ કે આ બધી વિધ વિધ રૂપે શરીરયંત્ર ચલાવતી તારી શક્તિઓ છે અને એ બધી શક્તિઓની અધિષ્ઠાત્રી પ્રાણશક્તિ છે. તે શક્તિ પ્રથમ તારી આજ્ઞાને સાંભળીને જગતમાં તેનો અમલ કરે છે; પણ ખરી યુક્તિ તે એ છે કે શરીર માત્રને હે મા તું પ્રાણ આપવાવાળી છે. આ બધી તારી શક્તિઓને માનવી પ્રાપ્ત કરી શકતો નથી, પણ એ શક્તિના અવલંબનથી જીવનપંથ ખેડી રહ્યો છે. નમો જગતભક્ષી પ્રલે છવદ્યાતા એટલે, પ્રલય વખતે તું સર્વનું ભક્ષણ કરી જવાવાળી છો. પ્રાણીમાત્ર સ્થાવર, જંગમને ચૂલે ચડાવી રાંધીને ખાઈ જવાવાળી નહિ, પણ આ બધાં તત્તની રચના એવી છે કે એકબીજા એકબીજામાં મળી જાય છે. સૂર્ય રાતનું ભક્ષણ કરી ગયો કહેવાય છે, પણ તે કંઈ રાત્રિને ખાઈ જતા નથી. અંધકાર હતા તે પ્રકાશ બની ગયો, તેમ મહાપ્રલયમાં સર્વ તો, સર્વ પ્રાણો, સઘળું તારી શક્તિમાં સમાઈ જાય છે. વિરાટના વર્ણનથી જેની બુદ્ધિ થાકી ગઈ છે એવો કવિ હવે મા પ્રત્યે વળે છે. પોતાની દૃષ્ટિથી તેને ક્યાં ક્યાં અને કેવી કેવી રીતે જોઈને કૃતકૃત્ય બને છે તે જોઈએ. - હીંડળે હીંચકી રહેલી માને ખોળે બેસીને કવિ પ્રકૃતિના અપાર રૂપમાં એ માનાં દર્શન કરી રહેલ છે. વર્ષાઋતુ આવે છે. દુર્જનના કાળજા જેવા વાદળાં આભને સાંકડે કરે છે. જાણ્યા છતાં ભૂલેલા માનવીના તો કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ કાગવાણી ૨૧ હૃદયમાં જેમ પાપના થર સંઘરાયા હોય તેમ સાતથરાં વાદળ ભીડાઈ રહ્યાં છે. એ કાળાં વાદળોની ખીણમાં, ચોકમાં અને એના આંગણમાં વીજળીએ નાટારંભ માવ્યો છે. આ તેજના ક્ષણિક એધ કયાંથી આવ્યા ? એ વીજળીને નીર ખતાં કવિ સાત સાગરમાં પહોંચી જાય છે. ત્યાંથી ઠેકડો મારી સૂર્યના ઘર સુધી દોડી જાય છે, ત્યાંથી પાછો ફરી એ વાદળદળમાં ફરી વળે છે. પછી પાછો ધરતી પર બેસી વીજળીનો ચમકાર જુએ છે ને એને મહાયોગમાયા નજરે ચડે છે. આ વિશાળ સૂર્ય અને સમુદ્રનું યંત્ર, એ યંત્ર દ્વારા થતી વાદળાંની બનાવટ અને એ વાદળામાં જ્યારે વીજળી જુએ છે ત્યારે કવિ એમાં માનાં દર્શન કરે છે. હે વીજળીરૂપે તું જ છે. બીજી કઈ શક્તિનું આ ગજુ નથી. વીજળીમાં યોગમાયાને જુએ છે ત્યાં તે આકાશના અવકાશને અને ધરતીના પટને કંપાવી નાખનાર કડાકો વાદળાંની ખોપરીમાં થાય છે. એ ગાજતી મેઘમાળામાં સર્જકશક્તિ માની હાકલ સાંભળી કવિ તે જ વખતે નમી પડે છે. ૨ . હે મા ! તું બાળ સ્વરૂપે વર્ષાઋતુમાં આકાશના ચોકમાં રમતી લાગે છે. મેઘધનુષ્યના સાત સાત રંગી સાથિયા પૂરી તું વ્યોમરૂપી ઘરને શણગારતી દીસે છે. તારાં ગહન વાજિંત્રતાના ગડગડાટથી આખું બ્રહ્માંડ ગાજી ઊઠે છે. મેઘગર્જનારૂપી તારાં વાજિંત્ર સામે બ્રહ્માંડમાં પડછંદા બોલી ઊઠે છે, જાણે કે તારાં દેવી વાઘના તાલ ઝીલાઈ રહ્યા છે. ૩ | હે મા ! પ્રકાશમાં તો તારાં સહુ કોઈ દર્શન કરે છે, પણ કાળી રાતના ઘોર અંધકારમાં પણ તારાં દર્શન થાય છે. કાળી મેશના અર્કમાંથી સજેલી વર્ષાઋતુની કોઈ અમાસની રાત તે જાણે કાળી કામળી ઓઢી હોય એમ લાગે છે. અંધકાર એ પ્રાણીમાત્રને ડરાવનાર છે. એવા હે કાળરાત્રિરૂપી મા ! તને હું નમસ્કાર કરું છું. હે મા ! એ કાળરાત્રિમાં આકાશ તરફ મીટ માંડું છું ત્યાં કાળી કામળીમાંથી તારી અનંત તેજ ઝરતી આંખ્યુંના દર્શન થાય છે. એ નવલખ તારલિયારૂપી આંખવાળી અને તારી પ્રકૃતિના નિયમને કદી પણ ન ભૂલનારી એવી છે વિરાટ જનેતા ! તને નમસ્કાર કરું છું. ૪ હે મા ! સૂર્યમાં જે તેજ છે તે સારું છે. શરીરમાંથી જેમ પ્રાણશક્તિ બાદ કરીએ તો બાકી કશું ન રહે, તેમ સૂર્યમાથી તેજશક્તિ લઈ લઈએ તે પાછળ કંઈ પણ રહેતું નથી. એ તેજશક્તિનાં દર્શન અંધકારના સમૂહો કદી કરી શકતા નથી. આવી ઉગ્ર તેજવાળી હે આદ્યશક્તિ ! કયારેક તે તું અપાર કોમળ અને શીતળ ભાસે છે. કેઈ શરદ પૂનમની રાતે ધોળાં વસ્ત્રો ધારણ કરી તું સચરાચરને હસાવતી અને હસતી દીસે છે. ૫ - દેશ, કાળ અને વસ્તુનો ભેદ આપને લાગુ પડતો નથી. તું ક્યાં છે અને ક્યાં નહિ, આમ કહી શકાય નહિ. વિષ્ણુ, બ્રહ્મા અને સદાશિવ જેનું સેવન અને આરાધન કરી રહ્યા છે, એવી હે યેગમાયા ! તને નમન હજો. સારી કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ મારા - = દુલા કાગ-૨૬ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ અવકાશને નાશ અને ઉત્પત્તિ બંને બુદ્ધિમાં આવી શકતાં નથી. બીજાં ચાર તત્ત્વોની ઉત્પત્તિ અને યુક્તિથી જાણી શકાય છે. દાખલા તરીકે પૃથ્વીનું જળમાં ડૂબી જવું, જળનું અગ્નિમાં બળી જવું, અગ્નિનું વાયુમાં મળી જવું. વાયુનું આકાશમાં લીન થવું. પણ પિલાણને વિનાશ બુદ્ધિગમ્ય નથી, કે પિલાણ ન હોય પછી શું હોય! આ અપંચીકૃત વિષય મન અને કલ્પનાથી બહુ દૂર છે. હે મા ! આવાં અનેક આકાશ તું સરજી શકે છે. આ તારી શક્તિના અંશને પામવા માનવી કાયમ મથી રહ્યો છે. પણ હજ એને પાર લઈ શક્યો નથી. ૬ હે મા ! સાગર જાણે તારે નાવાને હજ હોય એવો લાગે છે. એ સાગરનાં દર્શનમાં તારા રાસનાં દર્શન થાય છે. પાણીના વેઢ એ નવ લાખ લેબડીવાળી શક્તિઓના હાથ હોય અને સામસામા રાસડાના તાલ લેતા હોય એમ લાગે છે. એ સાગરની વીળ (ઓટ) વખતે જાણે તું ડૂબકી મારે છે, એટલે કાંઠા પરનાં પાણી પાછાં જવા માંડે છે. અને તું તળિયેથી જ્યારે બહાર નીકળે છે, ત્યારે સમુદ્રમાં ભરતી થાય છે. આમ હે મા ! સાગરમાં તું ડૂબકીડોળ રમતી હો તેવું લાગે છે. ૭ વાદળીઓના છેડા પકડી પહાડો માથે એને તું પછાડે છે અને પછી નદી બનીને ઘોર ગર્જના કસ્તી સાગર તરફ જાય છે. અષાઢ મહિનામાં આકાશમાં ચડી હું નીચે મીટ માંડું છું ત્યારે જળરૂપી પલંગ પર લીલી ઓઢણી ઓઢી તને શાંતિથી નિદ્રાધીન થએલી દેખું છું. ૮ હે મા ! હેમંત ઋતુમાં જાણે હિમાલય ઉપર બેસીને તું શીતળ ગીત ગાઈ રહી છે એવું લાગે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં તારું સંગીત સંભળાય છે, અને વસંત આવતાં વૃક્ષેત્રક્ષની ડાળીએ ફૂલ કૂલમાં તારાં દર્શન થાય છે. ૯ પ્રકતિમાં વિલસી રહેલ માના આ વિરાટ દર્શનના વર્ણન પછી કવિના ચિત્તમાં ઇતિહાસની યાદ સળવળી ઊઠે છે. જયારે અનેક દાનવો ધર્મને લેપ કરી ત્રિલોકને ત્રાહિ ત્રાહિ કરાવવા માંડેલા ત્યારે માત્ર લીલારૂપ ભયંકર સ્વરૂપ ધરીને હે મા ! તેં એ અહંકારી મહાન રાક્ષસને રણમાં રોળી દીધા હતા. આવા તારા અનેક યુદ્ધોનાં વર્ણન ઋષિ, મુનિ અને ચારણોએ કરેલ છે. ૧૦ હે મહામયી ! તારી તલવારને તે અનેક વાર દુષ્ટ રાક્ષસના લોહીમાં રંગેલી છે. અનેક યુદ્ધો તે કરેલ છે, અને ધર્મવંસી અનેક દૈત્યોનાં લેહીથી તેં તારું અપર ભરેલ છે. ૧૧ હે ભવાની ! હજારો અને લાખો હાથે ખાંડાં અને ખડગ ધારણ કરી તે દાનવકુળને સંહાર કરેલ છે. મહાન પર્વતાકાર રાક્ષસે જેણે ધર્મના માર્ગને રોકેલે હતે એના કંધે તે તોડી નાખ્યા છે. ૧૨ હે માહેશ્વરી જ્યારે હિરણાક્ષ નામને દંત્ય પૃથ્વીને રસાતળ લઈ જતો હતો ત્યારે તે વારાહ ભગવાનમાં તારી શક્તિ મૂકી ધરતીને ઉદ્ધાર કર્યો હતો, અને જળમાં યુદ્ધ કરી ભયંકર રાક્ષસને માર્યો હતા, તને સેવનારો વર્ગ તારું શરણ છે, તારાં ગુણગાન કરે છે, એવી હે અનંત જગતને ધારણ કરવાવાળી મા વારાહી ! તું કઈથી ગ્રહણ થઈ શકે તેવી નથી ૧૩ હે યોગમાયા ! પ્રહલાદને આર્તનાદ સાંભળી તું ઉતાવળે દોડી આવી, એવી નૃસિંહને ધારણ કરનારી હે નારસિંહી ! વિકરાળરૂપે તે થંભમાં દર્શન આપી હિરણ્યકશિપુને પછાડી તેના પ્રાણ હર્યા હતા. કારણ કે એ દાનવ રામને-સત્યનો વિરોધી હતે. ૧૪ ન ઇ કવિ દલા કોણ રમ્રત-la Page #216 -------------------------------------------------------------------------- ________________ કાગવાણી ૨૦૩ હે સર્વેશ્વરી ! તારો કદી કોઈનાથી પરાજય થતો નથી, કારણ કે તને હાર પમાડે એવું કંઈ તત્વ બ્રહ્માંડમાં નથી. જીવન-મરણ સુખ-દુખ, હાનિ-લાભ અને બંધ તથા મોક્ષ એ સર્વ તારા ઉત્પન્ન કરેલાં છે. અને એને માટે “પોતાનાં જ કર્મોને આધીન ને અટલ નિયમ તેં કરેલું છે. એટલે જ સર્વ દેવ, સિદ્ધ, ચારણ, વિદ્યાધર ઝિંપુરુષ અને સજજન માનવી તારી આજ્ઞા અનુસાર જીવન જીવે છે, તારા નામને અખંડ વિશ્વાસથી જાપ જપે છે, તને જ નમસ્કાર કરે છે. | હે મા ! તારા સરખી તું એક જ છો. કારણ કે, જડ અને ચેતનમાં તારી શક્તિ ભાસે છે, લાકડા જેવી વસ્તુમાંથી જ્યારે શક્તિ (કસ) જતી રહે છે ત્યારે એ લાકડું સડી જાય છે, અને લેટ બની જાય છે. પથ્થરમાં દઢતારૂપે રહેલું તારું સત્ત્વ જ્યારે ચાલ્યું જાય છે ત્યારે એની ઘનતા મટી બળહીન બની જાય છે. તને સર્વ પાપોમાં અહંકારરૂપી પાપને વિશેષ તિરસ્કાર છે, એટલે જેને જેને અભિમાન થાય છે એનું માનમર્દન કરવામાં તું જરાપણ ઢીલ કરતી નથી. દાનવકુળાને છિન્નભિન્ન કરનારી તથા અનંત બ્રહ્માંડને રચવાવાળી એવી હે જનેતા ! હું તારે શરણે છું. ૧૫ હે મા ! તારી અનંત અને ભયંકર નહિ પણ સર્જક અને પાલક શક્તિ, અનંતરૂપે અને અનંત રીતે કામ કરી રહી છે. અનંત વૃક્ષો, અનંત ફળ, અનંત સ્વાદ, અનંત ફૂલ, અનંત જળસૃષ્ટિ, અનંત અનંત તારા, અનેક નક્ષત્ર, અનેક સૂર્યો, અપાર ચંદ્રમા, (જે બધાં બહુ દૂર હોવાથી ચાંદરડાં જેવાં લાગે છે, તે બનાવ્યાં છે. એક અણુ જેટલા જળબુંદમાં આંખ, નાક, હાડ, માંસ, લેાહી વિકાર, ઈછી, આશા, ભૂખ, તરસ, બાળપણ, યુવાની, વૃદ્ધત્વ અને મરણનું તેં નિર્માણ કરેલ છે. તારા સ્વરૂપનું વર્ણન તો ક્યાંથી થાય ! પણ તારી સૃષ્ટિ અને એના નિયમોનું વર્ણન ગણપતિ, વ્યાસ અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિ લાખ વર્ષ કરે તે પણ મણમાં પૂણી કાંત્યા જેવું થાય છે. બળવાનમાં બળવાન માનવી હોય, એક જ ક્ષણમાં જગતને બાળી ખાખ કરી નાખે એ બળવાન હોય, પણ શ્વાસની ગતિ રૂંધાય તે એ અશક્ત થઈ જાય છે, અને એ શ્વાસરી ચલાવવા શક્તિમાન થતું નથી. આવી હે સર્વશક્તિમાન મહામાયા ! અમારા સંકટ વખતે સહાય કરજે, અને સંસારસાગરમાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દંભ અને વિનોએ આ જીવનરૂપી વહાણ ડૂબે તે એને કિનારે કરજે. ૧૬ હે મા ! સર્વ જગતનું તું આદિકારણ છો. આ સૃટિ એ તારી ઈચ્છાનું પરિણામ છે. સંત પુરષોએ બતાવેલ શ્રદ્ધા અને સુંદર યુક્તિથી જે તને ભજે છે એને તું આસુરી ભાવનામાંથી બચાવી લે છે. આ જગત એટલે જડચેતન, એનું તું યથાયોગ્ય પાલન કરે છે. જેને માટે જે નિર્માણ કરેલું છે તેને તે આહાર તું જ આપે છે, અને સર્વ વિશ્વને તારા એક જ રોમમાં તું ધારણ કરે છે. હે મા ! જેના પર તારી કૃપા ઉતરે છે એ તારી મેહક માયાને તરી જાય છે. હે મા ! તને ઉપમા આપવા માટે બાવન અક્ષર શક્તિહીણ બની જાય છે, છતાં સંબોધન કર્યા સિવાય રહેવાતું નથી. એ સંબોધન તે આ છે: હે રાજરાજેરી ! ! તને મારા નમસ્કાર હજો. ૧૭ | હે લેગિની આ બ્રહ્માંડની અપાર રચનામાં કંઈ પણ અપૂર્ણ દીસતું નથી. સર્વ પૂર્ણ જ છે. આસપાસ વ્યાપી રહેલા પવનમાંથી થોડોક પવન એક રબરના દડામાં ભરી લઈએ તે પણ એ પવન પૂર્ણ MWISH 8 કuિથી દુલા કાગ રમૃતિ- O * | Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ છે. એ દડા હજારા ગાઉ લઈ જઈએ તેા એ વાયુ પણ પૂર્ણ છે. દડામાંથી પવન કાઢી નાખીએ તેા એ પ્રભજન પણ પૂર્ણ છે. જેમ આકાશનું પેાલાણુ ધડામાં ભરો, ઘડો ફાડી નાખા, એ બંને કાળમાં આકાશ પૂર્ણ જ છે, કદી અપૂર્ણ થતું નથી, તેમ દેખાતી આ દૃશ્ય સૃષ્ટિનાં અનંત રૂપાંતરા થવા છતાં, એની પૂર્ણાંતા નાશ પામતી નથી. આ મધે વ્યાપાર તારી અણુમાત્ર એક જ- શક્તિ કરી રહી છે. એક માણસ ખેડૂત હાય, કવિ હાય, વેપારી હાય, અને માલધારી હોય; તેા એ માનવી કાવ્ય લખતા હાય, વાવણી વાવતા હાય, વેપાર કરતા હોય અને ગાયભેંસને દાતા હોય ત્યારે માણસ તેા એકના એક હાવા છતાં તેની જુદી જુદી શક્તિઓ કામ કરે છે; તેમ આ સૃષ્ટિ તેા તારી લીલાનું પરમાણું છે, અને તારી નાની એવી એક જ શક્તિ એની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે. હે મા ! અણુ જેવા બીજમાં તું કેવી રીતે રહી છે ? એ અનાદિ કાળથી જોવા છતાં હજુ સુધી કાઈ કવિ કે પ`ડિત ખીજની વિસ્તાર શક્તિને પાર પામી શકયા નથી કે બીજમાં જીવનશક્તિ કેમ પ્રગટ થાય છે, અને બાજરા, જુવાર, ચોખા, લીંબડા, આંખે વગેરે વિવિધરૂપે કેમ વિસ્તરે છે ? હે મા ! ભાગ પદાર્થોં ઉત્પન્ન કરી અને ભાગવનારી પણ તુ' જ છે. જેમ પ્`ખી માળા બાંધે, જેમ માણસ ધર બનાવે, એમ વિશ્વરૂપી ધર્ બનાવી એની ભોકતા પણ તું જ છે. રામકૃષ્ણ પરમહંસ દેવે ગાયું છે તેમ-તામાર કમ તુમ કરેા મા-તુ' જ બધું કરી રહી છે, એવી સાત દ્વીપની અધિશ્વરી ! તને નમસ્કાર હો. ૧૮ હે મા ! અવિદ્યા પણ તું જ છે, અને બ્રહ્મવિદ્યા પણ તું જ છે. અવિદ્યા એટલે જન્મમરણને આપનારી અને વિદ્યા એટલે બંધમાંથી મુક્તિ આપવાવાળી. એ બ્રહ્મવિદ્યાના વિસ્તાર વેદના સારરૂપ આ પ્રમાણે કહેલા છે, જેને જ્ઞાનની સાત ભૂમિકા કહેલી છે. શુભેચ્છા, સુવિચારણા, તનુમાનસા, સત્વાપત્તિ, અસ શક્તિ, પદાર્થાભાવિની અને તુ. શુભેચ્છા એટલે વિવેક, વિવેક એટલે સત્યઅસત્યનું જ્ઞાન. એ જ્ઞાન પછી વૈરાગ્ય, વૈરાગ્ય એટલે ભાગ પદ્મા'ની અનિચ્છા. પછી વિષયાથી મતનુ પાછુ વળવું. આવા પાછા વળેલા મનને અને ઇન્દ્રિયાના સમૂહોને તત્ત્વ તરફ વાળવા ગુરુવાકય અને વેદવાકથમાં અટલ વિશ્વાસ. એ પછી મનની ચંચળતાનું સ્થિર થવું, જે સાધનથી આશા-તૃષ્ણા, લાભ-હાનિ, જશ-અપજશ અને મમતા ઉત્પન્ન થાય તે સાધન અને ક અનેના ત્યાગ, એવી ઉપરામવૃત્તિ તડકા-ટાઢ, સુખ-દુઃખ, ભૂખ-તરસ એ ોને સહેવાની સહનશક્તિ અને છેલ્લે બંધન પામેલા સંસારના દોરડાથી છૂટુ થવુ, એટલે મુક્તિ. આ બ્રહ્મવિદ્યા પણ તુ જ છે. અને હે મા ! સ'સારચક્રમાં ગડથાલાં ખાતા આ જીવની મુક્તિ પણ તુ' જ છે. ૧૮ હું મા ! તું સમદષ્ટિ છે, છતાં બાળકને ગૂમડુ થાય તે જેમ મા એને સારા વૈદ પાસે કપાવી કે ચીરાવી નાખે છે; તેમ કોઈ કોઈ વખત અસુરાની રાગરૂપી વૃત્તિ છેાડાવવા અને સજ્જતાને શાંતિ આપવા તું મહાન ઉગ્રતા પણ ધારણ કરે છે. હે મા ! ચાર પ્રકારની વાણી પણ તું જ છે. એ વાણી કયારે અને ફ્રેમ પ્રગટ થઈ, કયારે શબ્દોનાં ક્રૂ રચાયાં ? એની મહારાજ્ઞીને પણ ખબર નથી. ૧૯ હું મા ! તારી અનત શક્તિએ એક જ ક્ષણમાં અનેક સૃષ્ટિ રચે છે અને એટલી જ વારમાં અનંત બ્રહ્માંડોનુ ઉત્થાપન પણ કરી શકે છે. હે વરદાયિની ! તું કેવી છે એ તો ખરેખર તું જ જાણે કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ Page #218 -------------------------------------------------------------------------- ________________ કાગવાણી ૨૦૫ છે. બાકી તે ઋષિઓ, કવિએ અને પડિતા પેાતાની વાણી પવિત્ર કરવા તારા સ્વરૂપને વખાણે છે. મેં પણ એ રીતે મારી મતિના છાબડામાં તારા ગુણગાનના તાલ કરેલા છે. ૨૦ હે કાગની ઈશ્વરી ! હું તારા ચરણે નમસ્કાર કરું છું. તારું કાળીરૂપે પુરાણા વર્ણન કરે છે. પણ કાળી એટલે જીવદ્યાત કરવાવાળી નહિ પણ ભદ્રકાળી; એટલે કલ્યાણ કરવાવાળી હું જનેતા ! તું સાળે કળાથી સદાએ પૂર્ણ અમેાધ રૂપવાળી અને કારણ વિના પ્રાણી માત્ર પર દયા કરવાવાળી છેા. કારણ કે, પશુ પંખીને એનાં બાળકોમાં કાઈ સ્વાર્થ હાતા નથી, છતાં એના પર અપાર સ્નેહ વર્ષાવે છે. માનું સ્થાન જ અદ્ભુત છે. ત્રણે કાળમાં જેની કૃપા નાશ નથી પામતી એનું નામ માતા. હે મા ! તારી મારા પર અપાર યા છે છતાં તારી વિશેષ કૃપાને હું પાત્ર બનુ એવા મારા અખંડ વિશ્વાસનુ પાષણ કરજે. ૨૧ સંવત ૧૯૯૦ની સાલ વૈશાખ સુદ બીજ ને બુધવારે ભાવનગરમાં અતિ પ્રસન્નતાથી, શ્રી. લક્ષ્મીનાથ શિવનાથ વ્યાસ જેવું મકાન ધેાગાગેટ સામે છે અને એ મકાન સામે મેરૂ ખવાસનાં સ્થાપેલ અંબાજી છે, જેની મહા સૌમ્ય મૂર્તિ છે, તેને સોધી આ ભુજંગી છંદ ૨૧ કડીનેો બનાવેલ છે. મારું શરીર ત્યારે સ્વસ્થ ન હતું, પણ આ સ્તુતિ પછી તરત જ મંદવાડ ચાલ્યેા ગયેા. હે મા ! તુ' સકળ આધિવ્યાધિને હરવાવાળી છે, સંસારસમુદ્રને તારનારી છે, જળમાં અને સ્થળમાં તારા ઠેકઠેકાણે વાસ છે. હે જનેતા ! આપના વિશ્વાસને એવા મજબૂત તાર લાગેલ છે કે કદી એ દઢતા ટળશે જ નહિ. નંદરાણી મારા અત્યાર સુધીમાં લખાયેલાં ગીતામાં કયાંયે માતા યશાદાનું નામ આવ્યું ન હતું, એ વિચાર આવવાથી આ કૃષ્ણ અવતારના ગીતા લખવાં શરૂ થયાં. એમાં ‘માતા યશાદાનું આંગણું' એ ભાવ બધાં ભજનના આત્મા સમાન છે, ભગવાન કૃષ્ણ સવારમાં તે!ફાન કરે છે છાશ ફેરવવાના સમય થઈ ગયા છે, ગાયાની ધકબક લાગી રહી છે, વાછરુ કૂદી કૂદીને માતાને ધાવવાં લાગ્યાં છે, એવે સમયે દેવનારી જુદાં જુદાં રૂપ લઈ છાશ માવા નંદરાણીને આંગણે આવેલ છે. જેને ત્યાં છાશ લેવા જાય તેના ધરનું ઘેાડુ ક કામ એ છાશ માગનારી બાઈએ કરી આપે. આ બાઈઓના ટોળામાં લક્ષ્મીજી પણ આવેલાં છે. તે નંદ રાણીની હેલ લઈ તે પાણી ભરવા લાગ્યાં છે. ઇંદ્રાણી છૂપે વેશે માટીની કુલડી લઈ લાંખેા હાથ કરી કહી રહી છે કે, ‘માતા ! મને છાશ આપો...' આ બધી ધમાલ વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણનું તાફાન વધી જાય છે. માતા યશાદા ખીજાઈ તે એક દોરડાથી તેને માટા ખાંડણીઆ સાથે બાંધી દે છે. અહા ! ધનભાગ્ય માતા યશેાદાનાં ! કે, જેની અલ્પ માયાએ અનેક બ્રહ્માંડાને બાંધી લીધાં છે, એવા ભગવાન આજે એના દોરડા વતી બંધાઈ જાય છે. · હું માતા યોાદા ! તારુ ધણા દિવસથી લેણું હતું, ચેપડા પણ બાંધીને અભરાઈએ ચડાવી દીધેલા હતા; તે કરજ આજે ચૂકતે થઈ ગયુ છે. સૃષ્ટિના સકલ જીવ માત્રમાં હું માં ! તારા જેવાં કેાનાં ભાગ્ય વખાણું !” ‘કાગ' કહે છે કે, ‘હે માતા ! ઉધાડે પગે જગતના નાથ જે આંગણાંમાં એસરીમાં અને પગથિયાં પર ખેલે છે, એ પગથિયાંને એક નાનકકો પાણા તે વખતે હું સરજાયા હત તો પણ કૃતા બનત.” કદ્મિશ્રી દુલા કા। સ્મૃત્તિ-ગ્રંથ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ માડી ! તારી કેટલા જનમની કમાણી રે ? —નંદરાણી ! તારાં આંગણાં રે જી...જી; મુરારિ કહે છે મુખથી માજી, તારે હુકમે ભણે છે હા...જી, હા જી; બાપુ બધાના તારા મેટા માતાજી ? તારાં માગણાં રે જી...માડી. ! ટેક ઊભેલી અજાણી નારી, લખમી લેાભાણી; (૨) એને પ્રીતેથી ભરવાં છે તારા પાણી...રે માતાજી. ૧ કરમાં લઈ કુલડી તે ઊભી ઇંદ્રાણી; (૨) ભીખ છાશુની માગ છે બ્રહ્માણી...રે. માતાજી. ૨ જેના માહ બધનમાં, દુનિયા વીંટાણી; (૨) એની દેયુ. તારી રડીએ બંધાણી...રે. માતાજી. ૩ બેઠી જુગ જુગ, માડી ! ચોપડા તું બાંધી; (૨) (આજ) તારી બધી પતી ગઈ ઉધરાણી...રે. માતાજી. ૪ ‘કાગ' તારા ફળિયામાં, રમે અળવાણા; (૨) તારે પગથિયે સરજ્યા નઈ. હું એક પાણા..રે. માતાજી. ૫ દાઢીઆળા આવા ભગવાન શંકર શ્રીકૃષ્ણના દર્શન માટે ગોકુળ આવ્યા. નબાવાને આંગણે માટી ધૂણી ધખાવી, ત્રિશુળ ખાડીને બેઠા. સાથે દશ બાર ભૈરવાની ટોળી. વિચિત્ર વેષ, મોટી મેાટી જટા, ગળામાં સાપ, હાથમાં ડમરુ, સિંહના ચામડાં પહેરેલાં, શંખ તૂ અને શીંગડાના અવાજ. આવે। આ બાવાજીના વેષ જોઈને માતા યશાદા ધ્રૂજવા લાગ્યાં. બધી બાઈ એને ખેાલાવી કરગરીને કહેવા લાગ્યાં કે ‘હે બહેન ! આ ખાવાનુ ડમરું સાંભળું છું, ત્યાં મારું કાળજું કંપી ઊઠે છે, મને એનાં દર્શીનના એટલા અણગમા આવે છે કે વાત નહિ. એની લાલચોળ આંખા, રાખનું મન, ગળામાં મેાટા મેાટા કાળા નાગ; આવા ઘેર વેષવાળા આ આવાને બીજે કાંય મેાકલી આપે. એની ધૂણી મારે આંગણેથી ઉપડાવા. એ જે માગે તે એને તુરત આપીને પણ અહીંથી દૂર કરો.' દોડો દોડો, બધી બહેને આવા, ચાર ચોકની ધૂળ લાવી કૃષ્ણ ઉપરથી ઉતારી ધૂળમૂઠડી કરા, અને નજર ન લાગે એવા દોરા મ`ત્રાવીને જલદી લાવો. આ બાળક બહુ જ બીએ છે. ગમે તે ઉપાયે આ સાધુડાને કચાંક લઈ જાઓ.' બધા પ્રયત્ન કર્યાં પછી એક બહેન આવીને કહેવા લાગી કે, હું યોાદાજી ! બાવે! કાઈ કડિો દુલા કાગ સ્મૃત્તિ ઊંઘ Page #220 -------------------------------------------------------------------------- ________________ કાગવાણી Re રીતે ખસતો નથી, એણે તો એક જ હઠ લીધી છે કે “શ્રી કૃષ્ણને મારે જોવે છે. માટે મને એનાં દર્શન કરાવો, ત્યાર પછી જ જઈશ.” માતાજી કહે કે, બીએ મારો મા રે; દાઢીઆળે બા આવીઓ રે...છ. ટેક વાગે એનું ડમરુ ત્યાં, હૈડામાં થથરું; (૨) આવે છે અઘોરી કેરે અભાવે રે...દાઢી. ૧ કંઠે ફણીધર કાળા, માથાં કેરી માળા (૨) (એ) બીજું કોઈ આંગણીઉં બતાવો રે..દાઢી- ૨ ધૂણી ધખાવી એના, ધામા ઉપડા; (૨) શીખું આપીને કઈ સમજાવો રે...દાઢી. ૩ આવો સહુ બેનડી ! કરે ધૂળ મૂઠડી; (૨) નજરુને દર મંતરી લાવો રે...દાઢી. ૪ ‘કાગ’ સમજે નહિબાવો, ઘણું સમજાવ્ય; (૨) નંદના લાલાને આયા લઈને આવો રે...દાઢી. ૫ છેવા ઘો કઈ હિંદી ભાષાનું કાવ્ય સાંભળેલું કે ગુહ ભીલને હોડીમાં બેસાડી ઉતારવાનું ભાડું લેવાનું કહેતાં શ્રીરામને નાવિક-ભીલે ઉત્તર આપ્યો કે, “મહારાજ ! આપણે તે ધંધાભાઈ કહેવાઈએ. હજામે હજામ, ધોબીએ ધોબી સામસામું મહેનતાણું લેતા નથી, તે— “કાગ ૯ નઈ ખારવાની, કદી ખારવો ઊતરાઈ અને ગુહરાજ-નાવિક એમ દલીલ કરે છે કે – “હું તમને અહીં તારું છું. અને તુમ કેવટ ભવસાગર કરે એ હિસાબે આપણે બેકે એક જ ધંધો કરનારા છીએ.” (કર મન ભજનને વેપાર જી-એ રાગ) “પગ તમે ઘવા ઘો રઘુરાયજી.. પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા” ૦-ટેક રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય છે (૨); નાવ માગી નીર તરવા (૨), ગુહ બેલ્યો ગમ ખાઈ. પગ મને - ૧ કવો !! Sol રતિ ગ્રંથ પર Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ “રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય છે (૨); તે અમારી રંક જનની (૨). આજીવિકા ટળી જાય. પગ મને ” ૨ જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય છે (૨); અભણ કેવું યાદ રાખે (૨), ભણેલ ભૂલી જાય !” પગ મને ૦ ૩ “આ જગતમાં, દીનદયાળુ ! ગરજ કેવી ગણાય છે (૨); ઊભી રાખી આપને પછી (૨), પગ પખાળી જાય.” પગ મને ૦ ૪ નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય છે (૨); પાર ઉતારી પૂછીયું “તમે (૨), શું લેશો ઉતરાઈ.' પગ મને ૦ ૫ નાયીની કદી નાયી બે નઈ, આપણે ધંધાભાઈ જી (૨); ‘કાગ’ યે નહિ ખારવાની (૨), ખારવો ઉતરાઈ” પગ મને ૦ ૬ રામરાજય " રામરાજ્યની ટૂંકી વ્યાખ્યા આ પ્રમાણે છે કે–સર્વ પ્રજાને સુખ અને જેમાંથી સુખશાંતિ ઉત્પન્ન થાય, તે સઘળાં સાધન સૌને સ્વતંત્ર હતાં. પ્રથમ તો મોટામાં મોટું સુખ, અનાજ ઉત્પન્ન કરવાનાં સાધન. ભાગ્યા વરસાદ. સૌને ઘેર ઉત્તમ પ્રકારની ગાયે અને ગધા. સૌસૌને કામ. કેઈ આળસુ થઈને બેસી ન રહે. ક્યાંય ભૂખમરો નહિ. કેઈન રોગ નહિ અને જ્યારે કોઈ માંદુ ન પડતું હોય ત્યારે વૈદ્યની જરૂર કળ્યાંથી હોય ? સૌ અભય. સૌ નીતિવાન. ઘરધર ઉલ્લાસ અને આનંદ, કેઈ કેઈનું પડાવી લેવાની અને એકલા ધનવાન થવાની કોઈની ઈચ્છા પણ ન થાય. બાળકોને શિક્ષણ આપવાવાળા શિક્ષકે આત્મજ્ઞાની, સમભાવી, ત્યાગી અને તપસ્વી. એમની પાસેથી સ્વાર્થ રહિત મળેલી જે વિદ્યા, તે જગતનું કલ્યાણ કરતી. અને કોઈ બાળકોને મદ ઉત્પન્ન ન કરતી. તમામ બાળકે એ વિદ્યાપીઠમાંથી નમ્ર અને વિનયવંત થઈ નીકળતા અને જીવનભર એ જ રીતે વર્તતા. ઘરના રાજા, ઘરની પ્રજા, ઘરનું રાજ ચારે વર્ણની વ્યવસ્થા અને હદ. એ બાંધેલા સમાજ અને રાજવ્યવસ્થાને હક્કો ભેગવવા સૌ સ્વતંત્ર અને કેાઈની આબરૂ કેઈ લઈ શકે નહિ. રામરાજ્યની સૌથી વધારે ખૂબી તો એ હતી કે—કાઈની સુંદર શક્તિ ન રૂંધાઈ રહેતી કે ન એને દુરુપયોગ થ. છે. કોઈ દુલા કાગ કૃતિજ . Page #222 -------------------------------------------------------------------------- ________________ કાગવાણી ૨ce બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ-અતિશૂદ્ર, વાનર, રાક્ષસો એ બધાંની જ્યાં જેની યોગ્યતા હોય, ત્યાં રાજનું કામ કરવા નિમણુક થતી. એમાં ભેદભાવ, કામભાવ કે ધર્મભાવ રાખવામાં ન આવતો. જૂની કહેવત છે કે–ઝાઝા કાયદાવાળા સ્વર્ગમાં રહેવા કરતાં થોડા કાયદાવાળા નરકમાં રહેવું વધારે સારું છે. જીવનવિચાર અને કાર્યક્ષેત્રોને જે રૂંધી રાખે એવા કાયદા પ્રજાને માયકાંગલી અને શક્તિહીણ બનાવે છે. પગલું ભરવું અને કાયદો, શ્વાસ લેવો અને કાયદે, વિચાર કરે ત્યાં પણ કાયદો. ત્રી–પતિ, છોરૂમાવતર, ભાઈ-બહેન અને કુટુંબ, એ બધું તંત્ર કાયદામય બનેલું હોય અને કુટુંબભાવ નાશ પામ્યો હોય, એવું જે કાયદામાં જીવવું એ નાશને નેતરે છે. રામરાજ્યમાં કાયદા બહુ ઓછા હતા. ન્યાયમાં પક્ષ ન હતું. દૂધ, દહીં, ઘી અને તેલ આદિ રસપદાર્થ, કપડાં અને અનાજ એની બધી વ્યવસ્થા પ્રજા યોગ્ય રીતે કરતી. એમાં રાજ્ય કશી હકુમત ન કરતું. રામની રાજ્ય સભામાં નાનાં મોટાં અને જેટલા પક્ષ હતા તે બધાને બેસાડવામાં આવતા અને એની સાચી વાત પર વિચાર કરી અમલ કરવામાં આવતો. એક અપવાદમાં કવિ કહે છે કે મારી બુદ્ધિ કામ કરતી નથી. માતા સીતાને મળેલો વનવાસ તે ન્યાય કે અન્યાય ? એવું હતું રામચંદ્રજીનું રાજજી રામચંદ્રજીનું રાજ, તપતે રઘુકુળનો તાજ- એવું-ટેક. સૌને ધેનુ, સૌને ગધા, સૌને સૌનાં કાજજી (૨); ભૂખ ન મળે, રોગ ન મળે (૨), ન મળે વૈદ સમાજ-એવું-૧ અભય ઘર ઘર, નીતિ ઘર ઘર, મંગળ ઘર ઘર સાજજી (૨); કાળી લખમી ભેળી કરવા (૨), ઉઠે ન ક્યાંય અવાજ–એવું-૨ ગુરુ સઘળા ગોવિંદ જેવા, કૈક હતા રૂષિરાજ જી (૨); વિનયવાળી વિદ્યા મળતી (૨), કરવા રૂડાં કાજ-એવું-૩ રાજા ઘરના, દેશ ઘરનો, સૌને ઘરનાં કાજજી (૨); સૌની હદમાં સૌ સ્વતંતર (૨), સૌની સાબૂત લાજ-એવું-૪ ભીલ, નિશાચર, વાનર, પંખી, રૂષિ, સંત, સમાજજી (૨); ગુણ પ્રમાણે અધિકાર મળતા (૨), કરતા રાજનું કાજ—એવું-૫ થોડા ધારા, ન્યાય નિરમળ, વસ્ત્ર, રસને અનાજજી (૨); એનો વહિવટ રૈયત કરતી (ર), વચ્ચે ન પડતું રાજ-એવું– રામ સભામાં છેટાં મોટાં, સૌને હતો અવાજજી (૨); “કાગ સીતાને સંકટ મળીઉં, કાજ ગણો કે અકાજ-એવું–૭ ((((suી દુલા કાગ સ્મૃતિ-રીથી દુલા કાગ-૨૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ગાંધીડે મારે " શ્રી હરિપુરા મહાસભામાં હું આમંત્રણથી ગયેલ. તા. ૧૫-૨-૩૦ અને ૧૬-૨-૩૮ એમ બે દિવસ પ્રાર્થનામાં મારો બોલવાને કાર્યક્રમ હતે. અગાઉ પૂ. મહાત્માજીને મારાં ગીતે મેં સંભળાવેલ હતાં. સાંભળી તેઓ ખુશી થયા હશે એમ મને લાગ્યું હતું. આ વખતે વ્યાસપીઠ પરથી સ્તુતિ સમયે મેં “મોભીડે” ગાયેલું, જે સાંભળી હજારો માનવીઓ ખુશી થયેલ. ભાવ એવો છે કે હિંદ અને બ્રિટાની બે બહેને મળે છે. બ્રિટાનીઆ પૂછે છે કે “મોહન મેહન એમ ઝંખ્યા કરે છે તે તે તમારા દીકરાને મારે શી રીતે ઓળખવો ? એનાં એંધાણ કહે.” (રાગ-હીંચનો) સે સે વાતુંને જાણનાર, મોભીડે મારે ઝાઝી વાતુંને ઝીલનારો-ટેક ડગલે ડગલે હાલ્યા કરે છે. ઊંચાણમાં ન ઊભનારે (૨); એ...ઢાળ ભાળીને સૌ પ્રોડવા માંડે, (ઈ તે) ઢાળમાં નવ ધોડના મોભીડો - ૧ ભાગ્યા હોય એને ભેરુ થનાર, મેલાં ઘેલાને માનનારો (૨); એ..ઉપર ઊજળાં ને મનમાં મેલાં એવાં, ધોળાને નહિ ધીરનારો. મોભીડ ૦ ૨ એના કાંતેલામાં ફેદો ન ઊમટે, તાર સાદા એકતારો (૨); એ–દેયં દૂબળિયે (પણ) ગેબી ગામડિયે, મુત્સદ્દીને મૂંઝવનાર ભીડે ૦ ૩ પગલાં માંડશે એ મારગડે (એની) આડો ન કોઈ આવનારો (૨); એ..ઝેરના ઘૂંટડા જીરવી જશે ઈ તે, બેલીને ન બગાડનારો મોભીડ ૦ ૪ નાનાં બાળક જેવો હૈયે લેરીલે, શરુમાં આથડનાર (૨); ઈ..નૂણે માખણ જેવો સાદો ને સોયલે ઈ, કાળને નેતરનારો મોભીડ ૦ ૫ ઝીણી ઝૂંપડીએ ઝીણી આંખડીએ, ઝીણી નજરથી જોનાર (૨); એ..પતે ચણેલામાં પોલ ભાળે તે તે, પાયામાંથી જ પાડનારો મોભીડે ૦ ૬ છે. કnિશ્રી દુલા કાચા મૃદિ-૩થ Page #224 -------------------------------------------------------------------------- ________________ કાગવાણી આવવુ... હાય તે। કાચે તાંતણે બંધાઈ ને આવનારા (૨); એ...ના’વવું હાય અને નાડે જો બાંધશે તે, નાડાં તાડાવી નાસનારા મેાભીડે ૦ ૭ રુડા રુપાળા (આખા) થાળ ભરીને, પીરસે પીરસનારા ૨;) એ...અજીરણ થાય એવા આર્ડેર કરે નૈ કદી, જરે એટલું જ જમનારા. મેાભીડો ૦૮ આભે મૂતેલી મેઢી ઊજળિયુંમાં, એક ઘડી ન ઊભનારા (ર); એ...અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડીયુંમાં; વર્ણ તેડાવ્યા જાના મેાલીડા ૯ સૌને માથડે દુ:ખ(ડાં) પડે છે. દુઃખડાંને ડરાવનારા (૨); એ...દુ:ખને માથે પડયો દુઃખ દબાવીને એ તા, સાડ તાણી સૂનારા મેાભીડા ૧૦ કાળ જેવાને મહાકાળ લાગે છે, આભને બાથ ભીડનારા (૨); *સૂરજ આમાં ફરે એવડા ડુંગરા, (૪) ડુંગરાને ડોલાવનારા મેાભીડા ૧૧ ઓળખજે એનડીએ જ એંધાણીએ, એ મારા ખેાળાને ખૂંદનારા (૨); મારા માહનજી એ ઝાઝેરું જીવા મારા, ઘડપણના પાળનારા. મેાભીડે ૧૨ ભામકા સૌની તૈયારી ૨૧૧ આ ગીતના ભાવાર્થ એધા છે કે કોઈ એક મહાપુરુષને જોવા, એમની સાથે રહેવુ', પિછાણવા, એમનાં સિદ્ધાંતાને અનુસરવું અને એમના મય બની જવું, એ બધા જુદા જુદા પ્રકારના ભેદ છે. કવિ આ બધા ભેદોમાંથી એક જ શબ્દના ઉચ્ચાર કરીને એના ઉપર ભાર મૂકે છે કે, “ઓળખજો.” આપણી જૂની માન્યતા છે કે, આસુરી વૃત્તિના અતિરેક વખતે તેને પ્રતિકાર કરવા માટે ઇશ્વરના અંશરૂપે કોઈ મહાપુરુષ જન્મે છે અને વિનાશ પંથે જતાં માનવીઓને એ પાછાં વાળે છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણને લેશ પણ પિછાણ્યા ન હતા, એવાં મનુષ્યા એમના કાળમાં પણ હતાં. આ બધા થએલા અનુભવ ઉપરથી જગતના સર્વાં માનવીઓને કવિ કહે છે કે :- “ઓળખજો, આ બાવા અવતારી.' * અંગ્રેજી કહેવત છે કે—અંગ્રેજના રાજ માથે સૂરજ કદી આથમતા નથી. એવા અંગ્રેજીરૂપી જે ડુ’ગરા, તેને ડાલાવનારા. કવિશ્રી દુલા કાગ સ્મૃતિગ્રંથ ક Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ સંત વિનોબા આત્માની જીભથી બેલી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે, “આકાશ, પૃથ્વી, તેજ, જળ અને વાયુ-પંચભૂતોને કોઈ માલિક ન હોય. સૂયે ખારા પાણીને સમુદ્રમાંથી ખેંચીને મીઠાં બનાવ્યાં અને મધને સંપ્યાં. મેધે પ્રાણીઓનાં જીવન માટે તે જળને વરસાવ્યાં. એ પાણી ભરીને મનુષ્ય ગોળામાં નાખ્યાં. એની કંઈ પણ કિંમત આપી નથી, માટે હાંડો ને ગાગર એ ભલે તમારાં હોય, પણ એ પાણી કોઈની મિલકત નથી. હે માનવીઓ! દિવાસળીને સંધરેલા અગ્નિ કે જામગરીમાં પડતે તણખો ક્યાંથી આવે છે ? એની માલિકી કોની છે ? ચૂલામાં ભારેલા અગ્નિ એ પણ તમારો નથી. કારણ કે તમે એને સ્પર્શ પણ કરી શકતાં નથી. આ તે જીવન જીવવા માટેની ઈશ્વરી બક્ષિસ છે. હા, તમારી માલિકી રાખ પર હોય તેમ બને ખરું. ચેતરફ વંડે બનાવીને મોટી ડેલી મૂકીને તમે એમ નક્કી કર્યું કે, ફળિયાની અંદર રહેલું આકાશ તે તમારી માલિકીનું છે. પણ એ ભ્રમ છે, કારણ કે જીવન જીવવા સિવાય એ આકાશને તમે કંઈ ઉપયોગ કરી શકતા નથી. એટલે કે તમારો કબજો તમે આકાશમાં કર્યો છે અને તમે આકાશ કબજામાં લાવ્યા છો, એ વાત મિથ્યા છે. હે માનવીઓ! દોરી અને પંખા દ્વારા પવન મેળવવાની તમે ગોઠવણ કરી એ બધી ચતુરાઈ અને હોશિયારી તમારી છે, એ વાતને હું કબૂલ કરું છું. પણ તમે પવનના માલિક નથી. તમે પવનના ખરેખર માલિક છે, તે તમારા શ્વાસમાં આવતા પવનને પાંચ-સાત મિનિટ હૃદયમાં રોકી રાખો, તો જ તમારો માલિકી હક સાબિત થાય. પણ એ માલિકી હક પુરવાર કરવામાં રખેને પવન ભેળો પવન ન વળી જાય (મૃત્યુ ન થાય, એનું ખાસ ધ્યાન રાખજો. આકાશ, પૃથ્વી, તેજ, વાયુ-એ બધાં તત્ત્વ પ્રાણીએને જીવાડવા માટે છે, એમનો માલિક ભગવાન છે, કૃત્રિમ વીજળી વગેરે સાધને બીજાને આપીએ છીએ, ત્યારે એનું વળતર લઈએ છીએ, તેમ પ્રકાશ, વરસાદ અને પવન જેવી અમૂલ્ય વસ્તુઓ વાપરવાની કિંમત જો ઈશ્વર માંગે, તે કેટલી થાય? પણ આવી અમૂલ્ય વસ્તુઓ આપનાર -આવા દીનદયાળ ભગવાનની બક્ષિસે જેવી વસ્તુઓ માથે માલિકી હક જમાવવો, એ કેટલું ભયંકર છે ? તેનો વિચાર કર્યો ? ધરતીને ધણી તે ભગવાન છે. અને ધરતી એ પ્રાણીઓની માતા છે. એનું ધાવણ ધવાય, પણ એના ધણી ન થવાય.” અવતારી પુરુષ વિનોબાજી પુકારી રહ્યા છે કે:-“ભામકા સૌની સૈયારી.” (ભેજા ભગત ના ચાબખાને – હીંચને - રાગ) આ બાવો અવતારી...ઓળખો ...આ બા અવતારી... ભાખે છે એ તે “ધરણી નથી તમારી’ ..ઓળખો ...ટેક દરિયે દીધાં...સૂરજે લીધાં..મેઘે વરસાવ્યાં વારી...(૨), એ...ગોળમાં નાખ્યાં...નથી તમારા ગાગર ભલે હોય તમારી ઓળખજો...૧ કેની દિવાસળી ? કેના દેવતા ? ક્યાંથી આવી ચિનગારી ?...(૨), એ.. ભારે અગ્નિ...નથી તમારો...ભભૂતિ ભલે હોય તમારી ઓળખજો...૨ થી એ કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ , Page #226 -------------------------------------------------------------------------- ________________ કાગવાણી ફળિયામાં તમે પૂરેલા આભને...આડી ડેલી ઉતારી...(૨), એ...આભ ઊડળમાં...કાને ન આવ્યું'...ભૂલ કરેલી તમે ભારીઓળખજો...૩ કોની ભેામકા ? કે'ણે બનાવી ?...કણ રહ્યું છે એને ધારી ?...(ર), એ...‘કાગ' કહે તમે આજથી માનજો કે...ભેામકા સૌની તૈયારી એળખજો...૪ (મનદર તા. ૨૧-૭-૫૬) *** ૧૩ શ્રી કૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણે પોતાની તથા કુટુંબની નિર્ભયતા માટે ગોકુળ-મથુરાં છેડી દીધાં અને એ ભાગ્યા હિંદુસ્તાનને આથમણે કાંઠે; અને ઠેઠ દરિયાકિનારે જઈ તે વસ્યા. ત્યાં પણ જરાસંધ રાજાનાં સૈન્ય એમને મારવા આવ્યાં હતાં. યાદવાની હસ્તી એ શ્રીકૃષ્ણ ભગવાનને લઈને જ હતી, છતાં સત્રાજિત યાદવના મણિ ચારાયા: એ ચારી શ્રીકૃષ્ણ પર ઢાળી દેવામાં આવી હતી. અને છેવટે તે ભીલના ખાણથી વીંધાઈ ને પોતાના દેહ છેોડી સ્વધામ પધાર્યા; જગતનું હિત કરનારની માણસાએ આવી દશા કરી છે! માટે, હે કાગ, તુ તો શુ? તારે કદી કાઈ ના ધાખા ન જ કરવા. પ્રાણીમાત્રમાં સ્વાર્થ રહેલ છે. અરે, જડ, ચેતન સર્વાં સ્વાર્થીમય જ છે. દીવા દિવેલ વિનાના પાત્રને છેડી ઈને અંધારાની એટે સૂઈ જાય છે. ફળ વિનાનાં વ્રુક્ષાને પક્ષીઓ છાડી દે છે. વૃદ્ધ પિતાને દીકરાએ ત્યાગી દે છે. પરમ મિત્ર હોય તે પણ સ્વાર્થ ન સરે ત્યારે છેાડી દે છે, એટલું જ નહિ પણ કદાચ દુશ્મન પણ બને છે. પાષક પિતાનુ મડદું હજુ પડયુ. હાય, ત્યાં યુવરાજને કપાળે રાજતિલક થાય છે. આ તે મરણના શાક કે હું ? જગતના તબેલામાં હાથી અને ગધેડો બને બાંધ્યા છે. કયારેક જગત હાથી પર બેસાડી ખમકાર કરશે અને કયારેક અવળે ગધેડે બેસાડી ધૂળ ઊડાડશે. એમાં, હે કાગ ! હસવા અને રોવા જેવું કંઈ જ નથી. સ્વાસ્થ્ય વિના જીવનેા સગા એક જ શ્રીકૃષ્ણ છે. (છંદ—હરિગીત) કાઈ નાવથી તરશે નહિ, ધાખા કદી ધરશો નહિ. જગદંબા માતા જાનકી ધિક્કારથી ાખી તણા, શ્રીરામની મહારાણીએ જંગલ વિષે પુત્રો જણ્યા; મન કંપતી આશાવતી પૃથ્વી તળે પેસી ગઈ, રાધવ-ચરણ સેવા તણી એક આશા દિલમાં રહી ગઈ. ૧ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ આ લેાકના સાગર વિષે દુનિયા તણા દા–રંગના Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ગોકુળ તજી, મથુરાં તજી, સાગરકિનારે જઈ વસ્યા, ત્યાં પણ પ્રભુને મારવા જોદ્ધા જરાસંધના ધસ્યા; મણિ કાજ મોહનને જ સૌ નાતથી ખા કર્યા, અંતે હરિના પ્રાણને જે ભીલને ભાલે હર્યા. ૨ દિવેલ દેખે ત્યાં લગી ઝાંખ એ જરીયે થાય ના, તળિયે ન ભાળે તેલ તે દીપક પછી દેખાય ને; પાલક પિતાનો જીવ જ્યારે કાળથી ઝડપાય છે, મુડદુ પડયું, યુવરાજને ભાલે તિલક ત્યાં થાય છે. ૩ ભ્રમરો ભમે ફૂલઝાડમાં ત્યાં સ્નેહથી બંધાય છે, પુષ્પ વિનાના વૃક્ષને છોડીને ચાલ્યા જાય છે; ફળ-ઝાડ પર પંખી તણાં સંગીત-સૂરો સંભળાય છે, નિષ્ફળ થતાં, નાતે ગયે, પંખીગણે ઊડી જાય છે. ૪ સ્વારથ સર્વે સાર કહે, સજજન કહે, મુખ મિત્ર કહી મલકાય છે, જ્યારે સરે ના સ્વાર્થ ત્યારે દોસ્ત દુશમન થાય છે; હાથી તણા હેદ્દા ધરે, પછી ખર વળી તૈયાર છે, રેતો ન હતો ‘કાગ’ તું, સ્વારથ તણો સંસાર છે. ૫ લીંબડી, તા. ૨૭–૧૯૪૬] મૂર્ખના ધખા શું? મૂર્ખ અથવા અજ્ઞાનીના સારા કે ખરાબ કામ પ્રત્યે હર્ષ અને દુઃખ બેઉન ધરવાં. જેમ કિનારાના ખેતરમાં કોઈ વખત પાણી ભરીને નદી ફાયદો કરે છે અને કોઈ વખત જમીનને બધે કસ ધેાઈ નાખી ખરાબ બનાવી દે છે. એમાં નદીને કઈ ઇરાદો હોતો નથી, તેમ મૂર્ણ પગે પણ પડે મારી નાખવા પણ તૈયાર થાય. એને સારું કે નરસું એવી કઈ ગણતરી જ નથી હોતી, કારણ કે વિધાતારૂપી કુંભારે એને એવો જ ઘાટ ઘરવો હોય છે. અને એને આત્મા પાપના વાદળથી ઘેરાઈ ગયેલ હોય છે, માટે એના ધેખા શં? કેવળ સાધપુર કે મહાપુરુષે એટલે કે માનવી એકલે જ નહીં, પણ ચંદનવૃક્ષ, ધરતી વગેરે મહાતવો છે, તે સજજન છે, ઉધ કોટિનાં છે. સાપ ચંદનને વર્ષો સુધી લપટી રહે છે, છતાં એનું ઝેર જતું નથી, તેમ હળાહળ વિષવાળા સર્પને ચંદન તરછોડતું પણ નથી. છતાં એ સાપના કઈ દુર્ગણ ચંદનમાં આવતા નથી. સોના પર એરણના ઘા પડે, અને અગ્નિમાં નાખવામાં આવે, ધમણથી એ ધમાય, એવાં કંઈક સંકટમાંથી પસાર થયા પછી એ હેમને રંગ વધારે ઊજળો અને તેજસ્વી બને છે. અને પિતાના મેલને ધનાર અગ્નિ, ધમણ અને ઘણને એ કદી ન કરતું નથી. દૂધના ઉત્તમ શરીરને એક છાશનું ટીપું અભડાવે છે; એનું સ્વરૂપ ફેરવી * હું કવિશ્રી દુલા કાગ ઋર્તિ-ગુંથ કે જે Page #228 -------------------------------------------------------------------------- ________________ કાગવાણી નાખે છે. રૂપફેર થાય પછી પણ એ ગોરસ પિતાપણું વીસરતું નથી. એને મંથન કરવામાં આવે છે, પછી માખણને ચૂલે ચડાવી ઊભું કરવામાં આવે છે, એટલા દુઃખ પછી પણ એ ખરાબ બની જતું નથી, અને બધી આકરી કસોટીમાંથી નીકળીને એ તે છેવટે નારાયણરૂપ બની જાય છે. માણસ પૃથ્વીને ખેડે છે, ચીરે છે, છતાં એનો રોષ કર્યા સિવાય ધરતી મનુષ્યને જિવાડવા અને ઉત્પન્ન કરીને આપે છે. આવા સ્વભાવના મહાપુરુષોને મારા નમસ્કાર હજો ! ' મૂરખના ટેક. (જનની જો ગોપીચંદની-એ રાહ). મૂરખના ધોખા રે, સાધુ નવ ધરે છે, વિધિએ ઘડેલે એવો ઘાટ છે; પાપે રે ઘેરાણે એને આતમો, આઠે પર અંગડે ઉચાટ છે. ચંદને તરછોડવા નહિ સાપને, રાખ્યા એને રદિયા મઝાર છે; નાગનાં વિખડાં રે એને નવ નડ્યાં રે, ચડવાં એ તે હરિને કપાળ છે. એરણું ઝીલે ને ઘણના ઘા પડે છે, હૈયે એને નવ રાખ્યો દાવ ઇ; આયુમાં રાણાં કુંદન નિતનવાં રે, એ એના કુળને સ્વભાવ છે. મૂરખના. ૧ મૂરખના૦ ૨ અંગડાં મસ્યા ચૂલે પંડ અભડાવ્યાં છાશે દૂધનાં છે; એની દેયું કેરા શ્રમ જી; જ્યાં ચડ્યાં ત્યાં છાશું કરે ખસી, એના થયાં પરબ્રહ્મ છે. મૂરખના૦ ૩ માનવીએ વધ્યાં રે ધરણી માતને, તોય એણે ક્ષમા ન કરી ત્યાગ છે; અનડાં આપ્યાં રે પ્રાણીને પિવા, કરું એને નમણું હું ‘કાગ’ જી મૂરખના ૪ [ભાવનગર જતાં ટ્રેનમાં. તા. ૪-૮-૪૨] કણિી દુલા કાણા મૃત-ઘ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ અજવાળું પ્રકાશ કેટલે નિરમાની અને પરોપકારી છે ! બીજાનું ભલું કરવા માટે હર કોઈ પળે એ તૈયાર રહે છે, કઈ બોલાવે કે એક પળની પણ વાર લગાડ્યા સિવાય તુરત દોડી આવે છે. કોઈ કાઢી મેલ કે તુરત ભાગી જાય છે. રસ્તામાં, ખેતરમાં, બજારમાં સૂઈ રહે છે. કોઈ છત્રીપલંગ પર પોઢાડે તે ત્યાં પણ પિઢે. ખુલ્લા દ્વારમાં એ કાયમ આવે છે. દ્વાર બંધ કરે તો રહેવાની રકઝક કરતો નથી. વળી દરેકનાં દ્વાર આગળ જેમ પગારદાર બેસી રહે, તેમ હાજર રહે છે. બોલાવે કે તુરત આવે છે. ગામઠી ભાષામાં આપણે એને અજવાળે કહીએ છીએ. એને બોલાવવું એટલે બારીબારણાં ખુલ્લાં કરવાં અને રજા આપવી એટલે બંધ કરવાં, એવો આ ગીતને ભાવાર્થ છે. (રાગ ભૈરવી, આસાવરી છાયો) તમારાં દ્વાર ખોલો તો આવું, બાર તમારે કાયમ બેસું રુ, યાદ કરો તે આવું...તમારાં ટેક માન નથી, અપમાન નથી મન, હર્ષ શોક ના લાવું..; સાદ કરો તે દોડી આવું ( - કાયમ ફરજ બજાવું...તમારાં-૧ કદિએ મારા મનમાં ના'વે, ઉપર પડતું જાવું...; દિલ પ્રમાણે ડગલું માંડું (, ઈચ ન આગળ આવું.. તમારાં-૨ કાઢી મૂકો એનું કદિએ, દિલમાં દુ:ખ ન લાવું...; સેજ તળાઈએ પિટું નહિ તે (૪, શેરીમાં સુઈ જાઉં...તમારાં-૩ કાગ નિયમ છે કાયમ એવો, ખુલ્લા દ્વારમાં જાવું..; હું અજવાળું જગ અજવાળું (જે બાર નહિ ખખડાવું.તમારાં-૪ તાપી (1ી ' 55 1. Page #230 -------------------------------------------------------------------------- ________________ $$$$s $$$$$$$s સંતની સાધના, ભક્તની ભાવના, નામની નામના, તે જમાવી, કાગ કવિરાજ તે', કીર્તિના કોટ પર, કનકનો કળશ દીધે ચડાવી; જગાના જુગે વહી જાય, લૂંટાય ના, કવિ ! તારી અમલી કમાણી, શારદા માતને, મધુરે મેર, કાગ ટહુકી ગયે, કાગવાણી ગગનગામી ગિરિરાજ ગિરનાર શે, એમ સંગે વિહરતા હતા તું, ધનુષ-ટંકાર શાક શબ્દ-કારથી, કાવ્ય લલકાર કરતા હતા તું, મૃત્યુને મારીને, જગ જીતી ગયે, વીર ઉપડી ગયે, ત‘ગ તાણી, શારદા માતને, મધુરે મેરલો, કાગ ટહુકી ગયે, કાગવાણી SSSSSSSSSSSSSSSSSS આવરણ તથા આર્ટ પ્લેટ : નટવર સ્મૃતિ પ્રિન્ટર્સ * રાયપુર : અમદાવાદ. * ફોન નં. 3 6 1 4 3 4