________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-પ્રથ શ્રી કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગ ભગતબાપુ
શ્રીહરિ હરખે ભજો, છે એક દિવસ જાવું; કરો કમાણું પૂણ્યની, માયા પામી ન અંજાવું. વિવેકથી વિચારીને, પ્રભુ પ્રેમમાં ભીંજાવું; દુનિયા નાશવાન ત્યાં, શું આડંબરે પૂજાવું. લાગી અગ્નિ મૃત્યુ તણી, બચવા પ્રભુ રીજાવું; ભાળી આરમ્ભ દ્વાર ત્યાં, ગગન ઘર ગજાવું. ઈશ્વર આસરે રહી; દેહ અધ્યાસત જાવું; ભાવે ભજ ભગવાન, હું મનને સમજાવું. યાદ કરી ભુતકાળ, ભવિષ્ય હું ઉપજાવું; ભાળી વર્તમાન મહારે, ધર્મની સેવા બજાવું. ઈચ્છું શ્રીહરિની સેવા સત પૂણ્ય નિપજાવું; કાર્ય ધર્મનાં કરતાં, જગતમાં ન લજાવું. ગરીબ તવંગરને, કહે કાળ હું ધ્રુજાવું; ભક્ત સત્યનામ સ્મરે, તેને સુમાર્ગ સજવું. ગર્વ ન કરો કદીયે, દુઃખી પર ન ખીજાવું; તત્વ સમાન આત્મામાં, દૈતમાં ન ઉરજાવું. બાળક યુવાન વૃદ્ધ, દેહ દેખી ન જાવું;
પુરાણ પુર્ણપુરુષ, “શાંતિ” “અજ' શું મજાવું. જામનગર મહંત શાંતિદાસજી ગુરુશ્રી પુરુષોતમદાસજી
સતયુગમાં વાલમિક હતું,
બીજા યુગે ઈસરદાસ;
કળજુગમાં કવિ કાગ થયો,
ઈ છેવટે ગયા કૈલાસ.
નાના ખુંટવડા
પ્રજાપતિ માધા વીર
૬
કth