________________
%
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
| મહા શક્તિને ધ તું, બંધ જાડા,
તને રોકવા દાખીએ બાંધ્ય આડા; ચીરી ત્યાંય પાષાણ સરવાણું કહેતાં, નમે હિંદના પાટવી સંત નેતા.
ચારણી કાવ્યધારાને દીપાવે એવા ભાવવાળી આ કડી એમની રચેલ છે.
બીજાં એમનાં ગીતે “વીર બંદો', “રાત ઘંટા ચાર વાગે” અને “શિવાજીનું હાલરડું 'ચારણી ઢાળમાપનાં અને ચારણી શબ્દોના પ્રયોગથી રચાયેલાં છે. “શિવાજીના હાલરડા'માં– તે દી તારે શિર ઓશીકાં, મેલાશે તીર બંધૂકા. એ પૂરેપૂરો ચારણી પ્રયોગ છે.
ચારણી ભાષાના પ્રયોગો ઘણાને અગમ્ય અને સુરતમાં લોકભોગ્ય ન બને. એટલે એમણે એ ભાષામાં વધારે ગીતે નહોતાં લખ્યાં.
હે પિરસાવાળા ! સામે વાછરુ બાંધ્યું હોય અને ગાય દૂર ઊભી હોય, પણ એ વાછરુ અને ગાય, એ બંનેને મળ્યા વિના શાંતિ થતી નથી. ઊડી મન અંબર ચડે, ચકવાં જેમ સદાય; ત્યાં) પણ કફરી રાત કળાય, (હજુ) પીને ફાટે,
રિહા! ૨ વિયોગરૂપી રાત પડી છે. ચકવી-ચકો સૂર્યોદય જેવા ઊડી ઊડીને ઊંચે ચડે છે, પણ ક્યાંયે સંયોગનો સૂર્ય દેખાતું નથી.
એ રીતે સાત દુહા લખેલા. રસધારમાં એમણે બધી વિગત આપી આ દુહા લખ્યા છે.
પછી તે આગળના અને મારા રચેલા નવા દુહા ઘણા કવિ મિત્રોને મોકલ્યા કે આમાંથી નવા દુહા શોધી કાઢે, પણ એક મેઘાણી સિવાય કોઈથી એ બની શકયું નથી.
રસધાર વેળાએ રસધાર લખાતી હતી. પિરસાવાળાના દુહા ડાક વધારે મળે તે ઠીક, એમ એમણે મને કહેલું. હું મારા દીર્ઘસૂત્રી સ્વભાવ પ્રમાણે ભૂલી ગયેલ. ઉપરાઉપર ત્રણ પત્તાં આવ્યાં, એટલે સાત દુહા ઘરના જ બનાવી મોકલી દીધા અને લખ્યું કે આટલા મળ્યા છે.
વળતાં એમને કાગળ આવ્યો : “દુલાભાઈ! આ દુહા જે તમારા લખેલા હોય, તે થોડાક વધારે લખી નાખે ને !'
કાગળ વાંચી હું તે ઠરી ગયો કે, વાહ મેઘાણી ! કયા પુણ્યથી પ્રભુ માણસને આવી અકકલ આપતે હશે ! આ દુહાવાછ૨ડું વાળા ! ભાંભરતાં ભળાય; (પણ) થીર ને આતમ થાય, વરસ્યા વિણ
જે, પિરહા ! ૧
જેગડાના દુહા જોગડાની વાતના દુહા અમે નાનપણથી શીખેલા અને બેલતા. પતિ મરી ગયા પછી સ્ત્રી કહે છેસેથે સ્થાને માટ; (અમે) પાટી ઢાળીને પૂરીએ; લખેલ છે લલાટ, (હવે) જટા વણવી, જોગડા ! કડલાં કેને કાજ, પગદા ધેઈને પહેરીએ; ભાંગુ દલ ભડથાર, તુ જોખમતે, જોગીડા ! મરકીન હસતે મુખ, કદી બરકીન લાવ્યા નહીં; (એન) દિલમાં રહ્યું દુઃખ, જનમેજનમનું જગડા !
એવા પચીસ દુહા છે. આ વારતા મેં તુળશીશ્યામ રૂખમણીના ડુંગરા પર માંડેલી. એક પછી એક બધા દુહા ફેંકયા. વાત પૂરી થઈ. એકબીજાના હાથ ઝાલી આથમતે સૂરજે હેઠા ઊતરતાં ઊતરતાં એમણે પૂછયું, “આ દુહા કે ના કહેલ છે ?” કહ્યું,
આ તે એ વાત બની તે દિવસના છે. મારા બાપુ પાસે પણ મેં સાંભળેલા.” એ વાત એમને ગળે ન
જો કવિબ્રા દુલા કાગ ઋતિ-ગુંથી
'પS