________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગ્ય એટલે અનુપચરિત ગણાય, પરંતુ જેનું સ્વરૂપ દષ્ટિ ગેચર થતું નથી. તેમજ કદાપિ તેમ બનવાનો સંભવ નથી, તેવી વાતને ઉપચાર પ્રમાણિક ભાવે સંભવત નથી, પણ વ્યભિચારી ગણાય છે. જેમકે “મેમરઘર થતો ની - નિધિ :” મેરૂ રૂપ રવૈયાથી દેવોએ સમુદ્રનું મંથન કર્યું, તેમાંથી અમૃત તથા વિષ રૂપ માખણ નીકળ્યું. વિષનું મહાદેવે પાન કર્યું અને અમૃત સર્વ દેવોને મળ્યું. આવી ઉપચાર કરેલી કલ્પનામાં અવિવેકી માણસે વિશ્વાસ ભલે રાખે પણ સમ્યગૂ જ્ઞાનાનુભવના વિવેકથી તે તે મિથ્યાત્વ ભાવમય જ છે. અહિ જે શેષનાગને દેરડાના ઉપચાર કરાયો છે, અને મેરૂને રેયાને ઉપચાર કરાય છે. તેમાં કેટલીક સંબંધ વિનાની લોકવાયકાને ઉપચાર થયેલ છે. પરંતુ તે મુખ્ય વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવતા નથી પરંતુ મિથ્યાત્વ ભાવથી કરાયેલા વિકલ્પની વાસના મેહનીય કર્મના જોરથી ઉઠેલી હોય તે જ અનુભવ થાય છે. તેથી પ્રાયઃ શબ્દથી લોકમાં અયોગ્ય વસ્તુને પણ આરેપ કરાય છે. હવે પ્રસ્તુત વાત એમ સમજવી કે મુખ્ય અર્થને લયમાં રાખી તેના ભાવને અનુસારે જે ઉપચાર કરાય, તેમાં યથાર્થતા દષ્ટિગોચર થાય છે. પરંતુ અન્ય ઉપચારથી કહેવાયેલે પદાર્થ દેખવામાં કદાપિ આવતું નથી. આથી એમ સમજવું કે જીવને કર્મબંધની ચેગ્યતા હોવાથી તે જીવ કર્મને બંધ કરી સંસારમાં ભ્રમણ કરે છે. અને ભવ્ય સ્વભાવ રૂપ યોગ્યતા વડે ગુરૂને સંયોગ થવાથી ભદ્રિક પરિણામ વડે ઘર્મ સાંભળી, વિનય વિવેક વડે સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્રને પામીને મિક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરે છે. ત્યાં ગુરૂ વા દેવનાં દર્શન,
For Private And Personal Use Only