________________
ચાર પ્રકારની વિપત્તિ, રોગ, સંકટ વિમાં. રણયુધ્ધ વિ. ની જેમ જાણે ધર્મ કાર્યથી જરાપણ પાછા પડતા નથી. (૯) એ પ્રમાણે કર્મરૂપી શત્રુ પર જયને પામે છે. (૧૦)
આવશ્યક, પૌષધાદિને વિષે, સમ્યફ (ઉત્તમ) સંવેગ સધ્યાન રૂપ જલને પીતાં જિન આગમના અર્થરૂપ રસ વડે આત્માને પવિત્ર કરે છે. અને કષાય રૂપી તાપ, ભવરૂપી તૃષ્ણા વિ. થી રહિત, અમર્યાદિત સંતોષધર્મ, સમાધિ રૂપી શીતલતા રૂપ સંપત્તિને અનુભવે છે. - પામે છે. (૧૧) ન્યાય શાસ્ત્રમાં યોગ્ય રીતે વિષયનો ઉપભોગ, સ્વપરિવારના નિર્વાહ માટે દ્રવ્ય ઉપાર્જનના હેતુરૂપ પોતાના કુલ પરંપરાથી આવેલા અનિંદ્ય, ઉચિત ધર્મ વ્યાપાર વિ. કેટલાક આરંભાદિ થકી ઉત્પન્ન થયેલા કર્મની રજ વડે પોતાની જાતને મેલી કરતા હોવા છતાં પણ પાપથી પાછા પડવા રૂપ સમ્યક્ પ્રતિક્રમણ આલોચના પ્રાયશ્ચિત, અનુષ્ઠાન વિ. થી આત્માને શુધ્ધ કરે છે. (૧૨) (૧૩) ક્યારેક કર્મની પરતંત્રતાથી ઉપભોગ વિ. થી ઉત્પન્ન થયેલ પ્રમાદથી સ્કૂલના પામેલા શિથિલ બનેલાઓને ગીતાર્થ ગુરુઓ દ્વારા વિધિ પૂર્વક યાદ કરાવવું વિ. શ્રી ગૌતમ ગુરુ દ્વારા શુધ્ધ ધર્મમાં તૈયાર કરાયેલા મહાશતક શ્રાવકની જેમ રક્ષણ (સ્થિર) કરાય છે. (૧૪) સારી વિધિ પૂર્વક દેહને છોડનારા થાવત્ બારમાં અત દેવલોક સુધીની સુખરૂપ સંપદાની પદવીને પામે છે. અને અનુક્રમે અલ્પ ભવમાં મુક્તિ સુખને પામે છે. (૧૫) એ પ્રમાણે સુખની ઈચ્છાવાળા તેના સારા ઉપાયવાળી પ્રવૃત્તિ કરીને સુખી જ થાય છે. ઈતિ ત્રીજો ગૃહસ્થનો પ્રકાર થયો અને નવમો માનવ પ્રકાર થયો (૯)
એવી રીતે બીલાડો, પોપટ, હાથીના ત્રણ દષ્ટાંતોથી વિવિધ પ્રકારના ગૃહસ્થી બતાવ્યા (વિચાર્યા).
(૧૦) હવે મુનિઓ બે પ્રકારના હોય છે. વીર કલ્પી અને જિન કલ્પી તેમાં જેમ સિંહ દુઃખે કરી પકડી શકાય તેવા મહાબલવાનશાલી પ્રકૃતિવાળા હોય છે. (૧) ઘાસ વિ. ના ત્યાગી બલને પુષ્ટ કરનારા મહામાંસને જ ખાય છે. (૨) પોતાની ગંધ અને ગર્જના થી મૃગ વિ. શુદ્ર
ខ្លួននaaRatណ8ណ8ណeesa
aRentដាណរវាងរងរវាល
aa#BaaaaaaathavaalaBaaaaaaaaaakvaataaaaaaaaaaaaaage
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 265)(અંશ-૩, તરંગ-૩]
3333333 BB 3ERER
198BER-THERaa BHaBEHd HaBHETHER