Book Title: Updesh Ratnakar Part 01
Author(s): Kalpyashsuri
Publisher: Jain Shwetambar Murtipujak Trust

View full book text
Previous | Next

Page 356
________________ અંશ-૪ (તરંગ-૪) ] પહેલાં કહેલા ઔષધના ચાર પ્રકારના ભાંગાના દૃષ્ટાંતથી જ બીજી રીતે ચાર પ્રકારના ધર્મને કહે છે....... કહું છું. શ્લોકાર્થ:- (૧) દોષ (૨) ગુણ (૩) ઉભય અને (૪) અનુભય આમ આ ચાર ભાંગા જેવીરીતે ઔષધના થાય છે. તેવી રીતે ધર્મના પણ ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે. (૧) મિથ્યાત્વ (૨) તેનો ત્યાગ (૩) મીશ્ર અને (૪) ભાવશૂન્ય વિશેષાર્થ:- પહેલા પદની વ્યાખ્યા પૂર્વે કહેલાની જેમ પછીના અર્ધપદની વ્યાખ્યા કહે છે. તેવી રીતે ધર્મ પણ ચાર પ્રકારે છે તે ક્રમ પૂર્વક કહે છે :(૧) દોષ (૨) ગુણ (૩) ઉભય (બન્ને) અને (૪) અનુભય (બન્ને નહિ). હવે ધર્મ ક્યા ક્યા છે ? તે કહે છે. :- (૧) મિથ્યાત્વ પહેલાની જેમ જાણવું (૧) મિથ્યાત્વ રૂપ ધર્મ. (૨) તેના (મિથ્યાત્વના) ત્યાગવાળો શુધ્ધ સમ્યકત્વાદિ રૂપ ધર્મ તે મુખ્ય વૃત્તિથી (પ્રધાન પણે) કર્મક્ષયના કારણ રૂપ ગુણવાળો ધર્મ છે. તે ગુણ કરે છે. પ્રસંગથી તો ચકી, ઈન્દ્ર વિ. ની સંપત્તિનું કારણ છે. તેથી ગુણરૂપ છે. કાર્તિક શ્રેષ્ઠિ, શ્રીશ્રેણિક રાજા, શ્રી કુમારપાળ વિ. રાજાઓની જેમ. આમ આ બીજો ભેદ થયો રા. (૩) તે મિથ્યાત્વ થી મિશ્ર કલુષિત ધર્મ ગુણ અને દોષ બન્ને કરે છે. જેમકે નંદમણિયાર તેણે જાતે શ્રી વર્ધમાન સ્વામિના મુખથી ધર્મ અંગીકાર કર્યો અને કૂવા, બગીચા વિ. કરાવવાના મિથ્યા કર્મ વડે કલુષિત કરીને પોતે બનાવેલી વાવમાં દેડકા તરીકે ઉત્પન્ન થયો. પાણી ભરનારીઓના મુખથી શ્રી વર્ધમાન સ્વામિને સમવસરેલા (પધારેલા) સાંભળીને ફરી બોધિને પામ્યો તીય ગતિ આદિરૂપ દોષ અને ફરી બોધિ લાભ રૂપ ગુણ કરનાર ધર્મનો ત્રીજો પ્રકાર થયો ફll |જા ભાવશૂન્ય ધર્મ પહેલાની જેમ જાણી લેવો જો | ઈતિ ૪ અંશે તરંગ ૪ પૂર્ણ / | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 317) [ અંશ-૪, તરંગ-૪] gggaugeoganisataaaaaa #aહ્યaaaaaaaaaaaaaaaaaaaaa99@sansannaaaaaaaaaaaaaaaago Baaaaaaaanક્ષ9BBશક્ષણBaaaaaBaaa8889 રત્નાકર

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374