Book Title: Shabda Ane Shrut
Author(s): Pravin Darji, Balwant Jani
Publisher: Vidyavikas Trust

View full book text
Previous | Next

Page 478
________________ આવરી લીધા છે. એમણે સમીક્ષકની ચાર પદ્ધતિઓની વિગતથી ચર્ચા કરી છે. ગુજરાતી અખબારોમાં સાંસ્કૃતિક ઘટનાઓની સમીક્ષા માટે બહુ ઓછી જગ્યા ફાળવવામાં આવે છે એ અંગે એમણે ટકોર પણ કરી છે. કુમારપાળે બાળસાહિત્ય ઉપર પણ સંખ્યાબંધ પુસ્તકો આપ્યાં છે. એમાંથી કેટલાંકને કેન્દ્ર તથા રાજ્ય સરકારોનાં પારિતોષિકો પણ મળ્યાં છે. એમણે એક વાર્તાસંગ્રહ પણ આપ્યો છે. આમ એમની કલમ સાહિત્ય ઉપરાંત શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવાં વ્યાપક ક્ષેત્રોમાં વિહાર કરી રહી છે. કુમારપાળ વરસોથી અમદાવાદમાં રહે છે પણ એમના શરીરમાં કાઠિયાવાડનું લોહી વહે છે. એમનો જન્મ રાણપુરમાં થયો હતો. રાણપુર એટલે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અખબાર ‘ફૂલછાબ'નું ત્યારનું વડું મથક. ફૂલછાબના સ્થાપક અમૃતલાલ શેઠ. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકાર ભવનની સ્થાપના ૧૯૭૩માં એમના સ્મરણમાં થઈ હતી. હું આ ભવનમાં વરસોથી અધ્યાપક તરીકે કામ કરી રહ્યો છું. આમ અમે સમાનધર્મા છીએ. ઉપરાંત બંને સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં અખબારો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છીએ. આજે કુમારપાળ ગુજરાત સમાચાર'ના કટારલેખક છે. એ જ રીતે હું પણ “ગુજરાત સમાચાર'નો એક અદનો કટારલેખક છું. કુમારભાઈની કલમમાં જે ખમીર દેખાય છે એ એમને રાણપુરની સૌરાષ્ટ્ર સ્કૂલ તરફથી વારસામાં મળેલું છે. બાળપણથી જ એમના પિતા જયભિખ્ખ ઉપરાંત મહાન પત્રકારો શ્રી ગુણવંતરાય આચાર્ય તથા કકલભાઈ કોઠારી અને ભીમજી પારેખ “સુશીલ' જેવા પત્રકારોનું સાંનિધ્ય એમને મળ્યું હતું. ‘ઝગમગમાં બહુ નાની ઉંમરે એમણે ક્રાંતિવીરની કાલ્પનિક કથા લખેલી. સૌરાષ્ટ્ર આમ પણ સંત અને સૂરાઓની ભૂમિ છે. એમની કોલમ ઇંટ અને ઇમારતમાં ઠેર ઠેર સંતોના ત્યાગની કથાઓ વાંચવા મળે છે. એમના પિતા ખ્યાતનામ લેખક હતા, પણ એ પિતાનું નામ વટાવવા માગતા નહોતા. રાજકપૂરની જેમ જ એ આપબળે આગળ આવવા માગતા હતા. એમનું પ્રથમ લખાણ ‘કુ, બા. દેસાઈ નામથી મોકલ્યું હતું. એમનું પ્રથમ પુસ્તક કૉલેજના અભ્યાસકાળ દરમ્યાન પ્રગટ થયું હતું. ૧૯૬૨માં એ કટારલેખક થઈ ગયા હતા. લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર પણ એમણે લખ્યું હતું. આમ એ સફળ ચરિત્રકાર પણ છે. એમણે બાળસાહિત્યનાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે. ચરિત્રસાહિત્યમાં એમનું પુસ્તક ‘અપંગનાં ઓજસ નોંધપાત્ર છે. છેલ્લા દાયકામાં એમનું નોંધપાત્ર પ્રદાન ગુજરાતી વિશ્વકોશમાં છે. આ વિશ્વકોશમાં 437 યાસિન દલાલ

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586