Book Title: Sati Sursundari Charitram
Author(s): Sushil
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 14
________________ ( 8 ) સતી સુરસુંદરી. | દેવાંગના પણ જેના સૌંદર્ય અને લાલીત્ય પાસે પરાભવ પામે એવી રાજકન્યા કુદરતે પિતાને માટે જ નીમી છે એમ જાણુ મહારાજા અમરકેતુના આનંદનો પાર ન રહ્યો. તરત જ વિવાહની તૈયારીઓ થવા લાગી. આનંદોત્સવની ૯મીએ ઉછળી રહી, અને એક દિવસે શુભ મુહુર્ત કમલાવતી અને અમરકેતુ લગ્નની પવિત્ર ગાંઠથી જોડાયા. માતા-પિતાને સખીઓ વિગેરેથી જૂદી પડી કમલાવતી મહારાજા અમરકેતુના હસ્તિનાપુરને વિષે આવેલા અંતઃપુરમાં આવી રહી. કમલાવતીને, પિતાની એક સખી શ્રીકાંતાથી જુદા પડતાં બહુ દુઃખ થયું. શ્રીકાંતા અને કમલાવતી, કુશાગ્રપુરના એક જ ઉપાધ્યાયને ત્યાં સાથે ભણતાં અને આનંદ-કલેલમાં બાળપણના દિવસે નિર્ગમન કરતાં. કાંતાને પણ પિતાની વહાલી સખીનો વિયોગ દુ:ખરૂપ લાગ્યો. એ વખતે કમલાવતીનું લગ્નનિમિત્ત નૈમિત્તિકે રાજસભામાં ભાખ્યું હતું, તે જ વખતે સાગરશ્રેણીએ પણ પિતાની કન્યા-કાંતા વિષે એ જ પ્રકારને પ્રશ્ન પૂછળ્યો હતે. નૈમિત્તિકે સાગરશ્રેષ્ઠીને કહેલું કે “તમારી પુત્રીને એક કાળો સાપ કરડશે અને એ સાપના ઝેરમાંથી જે કેઈ પુરૂષ તેને બચાવશે તે જ તમારી પુત્રીને પતિ બનશે.” કમલાવતીના સંબંધમાં નૈમિત્તિકે ભાખેલું ભવિષ્ય અક્ષરશઃ સત્ય નીવડ્યું, પણ કાંતાનું ભવિષ્ય હજી અંધકારમાં હતું. વિધિના હાથમાં રમતાં આ બે રમકડાં અત્યારે તે જૂદી જૂદી દિશામાં તણાતાં ચાલ્યાં X X P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 354