Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સ્નાત્ર પૂજા સાથે કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી;
રાખડી બાંધી જઈ, શયન પધરાવતી. ૩. નમીય કહે માય તુજ બાળ લીલાવતી,
મેરુ રવિ ચન્દ્ર લગે, જીવજો જગપતિ; સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી,
તેણે સમે ઈન્દ્રસિંહાસન કંપતી. ૪.
- ઢાળ જિન જમ્યાજી જિણ વેળા જનની ઘરે,
તિણ વેળાજી ઈન્દ્રસિંહાસન રિહરે; દાહિણોત્તરજી જેતા જિન જનમે યદા,
દિશિનાયકજી સોહમ ઇશાન બિહું તદા. ૧.
ત્યાં કેળના પાંદડાઓનું સૂતિકા ગૃહ બનાવી, તેમાં માતા અને પુત્રને લાવે છે. શુચિકર્મ કરવા પાણીના કળશો વડે હવરાવે છે. પુષ્પ વગેરેથી પૂજા કરી અલંકાર પહેરાવે છે. પછી હાથે રાખડી બાંધીને શયનમાં પધરાવે છે. ૩.
માતા અને પુત્રને નમસ્કાર કરીને કહે છે, કે હે માતા ! આનંદકારી અને જગતના નાથ એવા તમારા પુત્ર જ્યાં સુધી મેરુપર્વત, સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી જીવો-જયવંતા રહો. આ પ્રમાણે સ્વામીના ગુણ ગાતી ગાતી છપ્પન દિકુમારિકાઓ પોતાના ઘરે જાય છે, એ વખતે સૌધર્મદેવલોકના ઇદ્રનું સિંહાસન કંપાયમાન થાય છે. ૪.
માતાના ઘરમાં જે વખતે જિનેશ્વરનો જન્મ થાય છે તે વખતે ઇંદ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. દક્ષિણ દિશામાં પ્રભુનો જન્મ થાય તો સૌધર્મ ઇદ્રનું અને ઉત્તર દિશામાં જન્મ થાય તો ઇશાનંદ્રનું આસન કંપાયમાન થાય છે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org