Book Title: Parv Mahima
Author(s): Ravishankar Maharaj
Publisher: Balgovind Kuberdas Co

View full book text
Previous | Next

Page 12
________________ વિદ્યાર્થીની સાધના આ એકલવ્ય તેમના માટીના પૂતળા પાસે ભ. છતાં અર્જુન કરતાં એકલવ્ય ચડી ગયે, તેનું કારણ? તેની સાધના, તન્મયતા અને ધનુર્વિદ્યા શીખી લેવાની તેની તીવ્ર ઉત્કટ ઈચ્છા. આ બધી વસ્તુઓને લીધે જ તેણે ધારેલી સિદ્ધિ મેળવી. જ્ઞાન તે સાદું છે, પણ તન્મયતા આવે તે ભાવ પ્રદર્શિત થાય. એ રીતે અનન્ય ભાવ મેળવવાની પણ એક કળા છે. એ માટે પ્રથમ તે આપણે શરીર અને મનને મજબૂત બનાવવા પડશે. મન મજબૂત હશે તે શરીર મજબૂત બનશે જ. મન અને શરીર એવાં મજબૂત બનાવવા જોઈએ કે એકેએક ઈન્દ્રિય અંકુશમાં હેય. જેમ ઈચ્છીએ તેમ તેની પાસેથી કામ લઈ શકીએ. ગુરુ દત્તાત્રેયની વાત પણ ઘણું જાણતા હશે કે નદી, ઝાડ, કૂતરે વગેરે ૨૪ તેમના ગુરુ થયા હતા. એ કેવી રીતે ? કેમ કે એ ઝાડને તે ઝાડ તરીકે ભૂલી ગયા. તેમણે વિચાર્યું કે હે ! આ ઝાડ કેવું! પિતે તપે છે અને બીજાને ઠંડક આપે છે. પિતે સહન કરીને બીજાને સુખ આપે છે. આ ભાવ આવ્યો એટલે તેમને ઝાડમાં ગુરૂપ દેખાયું. પાણી વિશે કે વિજ્ઞાનશાસ્ત્રી કહેશે કે પાણીમાં શું? ઐકિસજન અને હાઈડ્રોજન ભેગાં મળે એટલે પાણી બને. પણ ભક્ત હશે તે કહેશે એહે, આ પાણી ક્યાંથી આવ્યું? આ તે ઠેઠ પહાડમાંથી કેટલાંયને પિતાની શીતળતાથી ઠંડક આપતું આપતું વહેતું અહીં સુધી આવ્યું. આમ બંનેની દષ્ટિ જુદી જુદી છે. એટલે આપણને શાળાઓમાં ગમે તેવા નિષ્ણાત શિક્ષકો ભણાવતા હશે તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 134