Book Title: Parv Mahima
Author(s): Ravishankar Maharaj
Publisher: Balgovind Kuberdas Co

View full book text
Previous | Next

Page 114
________________ રાષ્ટ્રજાગૃતિનું પર્વ ૧૦૫ હિંદને કશું આપવાની એની દાનત તે હતી જ નહીં. એટલે શું કરતાં એ કાયમનું ગુલામ રહે તેના જ નુસખા અંગ્રેજ સરકાર શેધ્યા કરતી હતી. આથી દેશવાસીઓ અત્યંત હતાશ થયા. બંગાળ અને પંજાબમાં રાજની સામે ગુપ્ત હિલચાલ શરૂ થઈ. સરકારથી હવે સ્વરાજ શબ્દ પણ સંખાતે નહે. એણે હવે ખરેખરું પિત પ્રકાશ્ય. સ્વરાજ્યની પ્રવૃત્તિને ધરમૂળથી ઉખેડવા માટે તેણે એક કાયદો કર્યો કે જે કઈ સ્વરાજ્યની ચળવળ ચલાવે છે એમ માલુમ પડે તેને અચોક્કસ મુદત સુધી જેલમાં પૂરી દે. એની સામે અપીલ દલીલ કે વકીલ કશું ન થઈ શકે. ફોજદાર જે નાનો અમલદાર પણ શક પરથી આને અંગે ગમે તે માણસને પકડી શકે. આ કાયદાનું નામ હતું રોલેટ એકટ. દેશમાં એ “કાળા કાયદાને નામે વિખ્યાત છે ગાંધીજી આ વખતે મારવાની ભયંકર બીમારીમાંથી ઊઠયા હતા. એમને આરામ થયે હતું છતાં હજુ પણ પથારીવશ હતા. એમણે આ કાયદો વાં. એક વાર વાંચે ને બીજી વાર વાંચ્યું. તેમણે જોયું કે આમાં તે દેશનું હડહડતું અપમાન છે. આમાં તે મદદ કરનારને જ લપડાક લગાવી છે. એને વિરોધ થ જ જોઈએ. એમણે એ કાયદા સામે લડત ચલાવવાને સંકલ્પ કર્યો. એ સંકલ્પ પછી ગાંધીજીમાં નવું જીવન આવ્યું. અને એ જલદી સાજા થઈ ગયા. ઈશ્વરે જ જાણે દેશના કામ માટે તેમને જલદી સાજા કરવાને નિર્ણય કર્યો હોય એમ બન્યું. કશું જ લખી ન શકાય, કશું જ બોલી ન શકાય, જાણે ઘંટીનાં બે પડ ગળામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134