Book Title: Parv Mahima
Author(s): Ravishankar Maharaj
Publisher: Balgovind Kuberdas Co

View full book text
Previous | Next

Page 118
________________ રાષ્ટ્રજાગૃતિનું પર્વ રીતથી દેશમાં એક નવી તાકાત પેદા થઈ, અને આખે દેશ એક છે એવું ભાન પેદા થયું. શહેર અને ગામડાં બધાં એમનાં કાર્યક્રમમાં સામેલ રહી શક્યાં. એ હડતાળ અને ઉપવાસના દિને હું મુંબઈમાં હતે. શું લેકેને ઉત્સાહ હતું અને કેવી સંપૂર્ણ એ હડતાળ હતી! બજારે તે ઠીક; પણ ઘોડાગાડીઓ, મેટ, હેટલે, અરે, કસાઈખાના સુદ્ધાં બંધ હતાં! દરિયે સ્નાન કરીને, હાથમાં કાળા વાવટા લઈને, સ્મશાનેથી પાછા આવતા ડાઘુએનું સરઘસ નીકળ્યું હોય તેમ સરઘસાકારે લોકે ફર્યા. ગાંધીજીએ તે દિવસે બે સભાઓ ભરી. એક માધવબાગમાં અને બીજી જુમ્મા મસ્જિદમાં. રેલેટ એકટને નાશ અને ખિલાફતનું રક્ષણ એ બે ઠરાવે પણ કર્યા. આમ રેલેટ એકટ તેડ. “હિંદ સ્વરાજ' વેચીને પ્રેસ એકટ પણ તેડડ્યો. સરદાર સાહેબે અને સરેજિની દેવીએ ને બીજા ઘણા આગેવાન સ્ત્રીપુરુષોએ એ ચેપડીઓ વેચવાનું અને વહેંચવાનું કામ કર્યું હતું. ખેડા જિલ્લામાં એ ચેપડી વહેંચવાનું કામ મને એંપાયું. પણ મને સૂચના હતી કે મુંબઈથી ત્યાં પહોંચતાં સુધીમાં માર્ગમાં મારે પકડાવું નહીં. મેં જીવનમાં આવું કામ કરેલું તે નહીં છતાં હામ ભીડી. સ્વ. મેહનલાલ પંડ્યાએ મને મેટરમાં ઘાલીને ગ્રાન્ટેડ સ્ટેશને પહોંચાડો. મારે તે મોટરમાં બેસવાને પણ એ પહેલે જ પ્રસંગ હતે. પુસ્તકનું પિટલું લઈ હું ગાડીમાં બેઠે. વડોદરા સ્ટેશને ડબા બદલવાને હતે. તે વખતે બહાર નીકળવા જતાં પોટલું છૂટું થઈ ગયું. કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134