Book Title: Parv Mahima
Author(s): Ravishankar Maharaj
Publisher: Balgovind Kuberdas Co

View full book text
Previous | Next

Page 119
________________ ૧૧૦ રાષ્ટ્રજાગૃતિનું પર્વ જાણે નહિ એ રીતે જે વસ્તુ ખેડા જિલ્લામાં પહોંચાડવાની હતી તે વડોદરાના સ્ટેશન જેવા પલેટફેમ પર સેંકડે લેકોની હાજરીમાં વેરાઈ. એટલે મારી ગભરામણને પાર ન રહ્યો, પણ દેવગે કેઈને કાંઈ ખબર ન પડી. ઊલટું લેકેએ પુસ્તકે ભેગાં કરવામાં મદદ કરી. એ ચાપડીએ નડિયાદમાં કૂલચંદભાઈ શાહને સેંપી. એમણે માતર–મહેમદાવાદમાં એ ચોપડીઓ વહેંચવાનું કામ મને સંપ્યું. ચેપડીઓ ઉપર અમે અમારું નામ અને સરનામું લખતા. આથી સરકારનું સી. આઈ. ડી. ખાતું નકામું થઈ ગયું. આમ બંને કાયદાને દેશભરમાં જનતાએ સંગઠિત રૂપમાં જાહેર વિરોધ કર્યો. આ વિરોધ શાંત પ્રકારને હતે. એમાં કેઈની પ્રત્યે દ્વેષ ન હતા. વિરોધ નગ્ન થઈને કરેલે, જેમ પ્રફ્લાદ અને ધ્રુવજીએ નમ્રતાથી છતાં દઢતાથી વિરાધ કરેલે તેમ કાયદાને એ “સવિનય ભંગ” હતે. આવા શાંત વિરોધ સામે શાં પગલાં ભરવાં તેની સરકારને સૂઝ પડી નહીં. એણે કાયદે પાછે તે ન ખેંચ્યો પણ તેનો અમલ પણ ન કર્યો, એટલે એ ચોપડીમાં જ રહી ગયે. ગાંધીજીને સરકારે નિર્દોષ ગણ્યા, એટલે એમને પકડ્યા પણ નહીં. કહ્યું કે એ તે જાહેરસભામાં ભાષણ કરે છે! વળી ‘હિંદ સ્વરાજની ચૂંપડીની આફ્રિકામાં છાપેલી નકલ જપ્ત કરી હતી. હિંદમાં છાપીને વેચવાનો ગુનો નથી! એમ કહીને સરકારે ફેરવી તેવું ! આમ આ સાદે ઉપાય ઘણે યશસ્વી નીવડ્યો અને એ રીતે નિઃશસ્ત્ર પ્રજાને એક સશસ્ત્ર વિદેશી સત્તા સામે લડવાની પદ્ધતિ જડી. એ રીતે લડવાને હિંદની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134