Book Title: Ogh Niryukti Part 01
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 14
________________ એમાંથી પદાર્થ રત્નો મેળવવાનું, બીજાઓને આપવાનું સાહસ કરું છું. - ઓઘનિર્યુક્તિ ગ્રન્થ ખરેખર એક બંધ નિધાન જ છે, નિર્યુક્તિગાથાઓ - ભાષ્ય ગાથાઓ અને મહાન વૃત્તિકાર શ્રી દ્રોણાચાર્યની વૃત્તિ... આ બધાના પદાર્થો સમજવા, એનું રહસ્ય પકડવું એ અતિશય કપરું છે. આ ગ્રન્થ ઉપર કોઈએ પણ આજ સુધી ભાષાંતર કર્યું નથી. આ ગ્રન્થનો પ્રથમ વાર અભ્યાસ કર્યો ત્યારે તો ઘણા બધા પદાર્થો સમજાયા જ ન હતા. “આવા આવા આચારો શા માટે ? એ વખતના સાધુઓ કેવી રીતે જીવતા હશે ?” વગેરે વગેરે સમજાતું નહિ. પણ જેમ જેમ વધુ ને વધુ અભ્યાસ થતો ગયો, તેમ તેમ આ ગ્રન્થના પદાર્થો વધુ ને વધુ સ્પષ્ટ થવા લાગ્યા. નવાંગીવૃત્તિકારની માફક આ ઓઘનિર્યુક્તિનું ભાષાંતર કરવામાં ત્રણ વસ્તુનો સહારો લેવો પડ્યો. (૧) બીજા ગ્રન્થોના મહાપુરુષોના વચનોને આધારે આ ગ્રન્થમાં દર્શાવેલા પદાર્થો સ્પષ્ટ થતા ગયા. (૨) આગળ-પાછળનો વિચાર કરવા દ્વારા, ચિંતન - પરિશીલન વગેરે દ્વારા પણ તે તે પદાર્થો વધુ ને વધુ સ્પષ્ટ થતા ગયા. | (૩) વર્તમાનના અનેક વિદ્વાનોને પૂછવા દ્વારા પણ પદાર્થોનો બોધ સ્પષ્ટ થતો ગયો. પૂજયપાદ સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સાહેબે કેટલાક ગૂઢ પદાર્થો સમજાવવા દ્વારા ખૂબ જ ઉપકાર કર્યો છે. શાસનના અનેક કાર્યોમાં વ્યસ્તતા હોવાથી સંપૂર્ણ ભાષાંતર તપાસી આપવું તેઓશ્રી માટે શક્ય ન બને એ સ્વાભાવિક છે.. પણ તેમ છતાં જે જે પદાર્થો બિલકુલ સમજાતા ન હતા અને તેઓશ્રીને પૂછાવ્યા, તે તે પદાર્થોમાં તેઓએ ખૂબ જ સુંદર સ્પષ્ટ દે! શાસ્ત્રાનુસારી સમાધાનો દર્શાવ્યા. શાસ્ત્રીયપદાર્થો ઉપરનું તેમનું અપ્રતિમ પ્રભુત્વ જોઈ હૈયામાં હર્ષ ઉછળવા લાગ્યો.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 862