________________
યદ્ભવ્યું.... નિયમ
145
તસ્મિન્ તસ્મિન્ દ્રવ્યે તદ્રુપાલાનોપાલેયત્વમ્ (વ્યાપક)
(૧) આમાં પ્રથમ ‘દ્રવ્ય’ પદ ન મૂકીએ તો વ્યાપ્યાંશ થશે - સ્પિન્ યદ્રવ્ય ધ્વસનન્યત્ન.... તો ઘટધ્વંસપ્રત્યક્ષ ઘટધ્વંસજન્ય છે. એટલે કે પહેલાં યજ્ થી આ પ્રત્યક્ષ પકડાશે, બીજા વ્ થી પટ પકડાશે. પણ પ્રત્યક્ષમાં ઘટોપાદાનોપાદેયત્વ નથી, તેથી વ્યભિચાર, ‘દ્રવ્ય’ પદ મૂકવાથી એ દૂર થઈ જશે. કારણ કે ‘પ્રત્યક્ષ’ એ દ્રવ્ય નથી.
શંકા - ઘટધ્વંસપ્રત્યક્ષ, ઘટધ્વંસજન્ય છે એ વાત સાચી. પણ એમાં તે ઘટધ્વંસત્યેન કારણ ન બનતા વિષયત્વેન કારણ બને છે. (પ્રત્યક્ષ પ્રત્યે વિષય, વિષયત્વેન કારણ હોય છે.) જ્યારે ઉક્તવ્યાપ્તિમાં તો દ્રવ્યધ્વંસને ધ્વંસત્યેન કારણ લેવાનું છે. અર્થાત્ યાં યદ્રવ્યધ્વંતત્વાવચ્છિન્નનનતાનિ વિતનન્યતાવત્તત્તવુંપાવાનોપાલેયમ્ આવી વ્યાપ્તિ અભિપ્રેત છે. તેથી ઘટધ્વંસપ્રત્યક્ષને લઈને વ્યભિચાર ન આવી શકે. તો પછી પ્રથમ ‘દ્રવ્ય’ પદ શા માટે મળ્યું ?
સમાધાન - તો પછી રૂપધ્વંસને લઈને વ્યભિચાર જાણવો. તે આ રીતે - યદ્રવ્ય ન કહેતાં તમે ખાલી ‘ય' કહો છો. તેથી યદ્ = ઘટરૂપધ્વંસ. ચદ્રવ્યધ્વસનન્ય = પદ્રવ્યધ્વંસનન્ય (કારણ કે ઘટધ્વંસ થાય એટલે ઘટરૂપનો પણ નાશ થઈ જ જાય.) એટલે કે ઘટધ્વંસત્વાવચ્છિન્નજનકતાનિરૂપિત જન્યતાવત્ ઘટરૂપધ્વંસ બન્યું. પણ તેવું = ઘટરૂપધ્વંસ તદ્દપાદાનોપાદેય = ઘટોપાદાનોપાદેય નથી. તેથી વ્યભિચાર સ્પષ્ટ છે. એના વારણ માટે પ્રથમ દ્રવ્યપદ છે. હવે યી રૂપવંસ લઈ જ નહીં શકાય, કારણ કે એ ‘દ્રવ્ય’
નથી.
(૨) બીજું ‘દ્રવ્ય’ પદ ન મૂકે તો... કાયવ્યૂહમાં વ્યભિચાર આવે.
ન્યાયમતે એવું માન્યું છે કે મિથ્યાવાસનાનો નાશ થવાથી કૈવલ્ય થાય છે જે સર્વ કર્મોને બાળીને સાફ કરી નાખે છે. જ્ઞાનાનિ સર્વજન મધ્વસાત્ તેર્જુન ! છતાં પ્રારબ્ધ કર્યો તો ઊભાં જ રહે છે. કેમ કે મુર્ત્ત ક્ષીયતે ર્ન પોટિશલેવિ.... આ કર્મોનો નાશ કરવા માટે તે તે કર્મો જે જે સિંહ વગેરેના શરીરોથી ભોગવવા યોગ્ય હોય તે તે બધા શરીરોને એક સાથે યોગબળથી બનાવીને એ કર્મો ભોગવીને નાશ કરાય છે. આવા અનેક (હજારો) શરીર બનાવવા એ ‘કાયવ્યૂહ’ કહેવાય છે. એટલે આ કાયવ્યૂહ પણ શરીર સમુદાયરૂપ હોવાથી દ્રવ્ય તો છે જ ને એ મિથ્યાવાસનાના ધ્વંસજન્ય છે... ને છતાં મિથ્યાવાસનાના ઉપાદાનથી ઉપાદેય નથી, તેથી વ્યભિચાર. મિથ્યાવાસના એ ‘દ્રવ્ય’ ન હોવાથી ‘દ્રવ્ય’ પદ દ્વારા એનું વારણ થાય છે એ જાણવું.
(૩) હવે ‘ધ્વંસ’ પદનું પદકૃત્ય... ધ્વંસ એ એક વિશિષ્ટ પ્રકારનો અભાવ છે, પણ એ ન લેતા માત્ર ‘અભાવ’ જ લેવામાં આવે તો વ્યભિચાર આવે છે. તે આ રીતે -
હવે વ્યાપ્તિ થશે - યદ્રવ્ય યદ્રવ્યાપાવનન્ય - તત્તવુપાલાનોપાયમ્...
તો ઘટદ્રવ્ય, પ્રતિબંધક દ્રવ્ય - તોફાની છોકરો - એના અભાવથી જન્ય છે. પણ એ છોકરાના ઉપાદાનથી ઉપાદેય નથી. માટે વ્યભિચાર... ‘ધ્વંસ’ પદ લેવાથી એનું વારણ થઈ જાય છે, કારણ કે કાર્ય પ્રત્યે પ્રતિબંધકના અભાવને જ કારણ મનાયું છે, પ્રતિબંધકના ધ્વંસને નહીં.
શંકા - શાલીગ્રામ = શિવજીનું લિંગ... એનો ધ્વંસ કરનારો નરકમાં જઈ નારકીય શરીર મેળવે છે. એટલે કે નારકીય શરીર શાલીગ્રામવંસજન્ય છે ને છતાં શાલીગ્રામના ઉપાદાનથી ઉપાદેય નથી... માટે વ્યભિચાર...
સમાધાન – પ્રસ્તુત વ્યાપ્તિમાં ધ્વંસજન્યત્વ સાક્ષાત્ (અટષ્ટાદ્વારા) વિવક્ષિત હોવાથી એ વ્યભિચાર રહેતો નથી. શાલીગ્રામöસથી દૂરાદૃષ્ટ ઉત્પન્ન થાય છે ને એનાથી પછી નારકીયશરીર પેદા થાય છે.
વસ્તુત ઃ આ અદૃષ્ટાદ્વારકત્વ, વ્યપઘ્ધય કે ધ્વંસત્વાવચ્છિન્નજનકતા... આમાંનું કશું જ મૂકવાની જરૂર નથી માત્ર પરિષ્કૃતવ્યાપ્તિ આ રીતે જોઈએ
यद् यत्प्रतियोगिकध्वंसनिष्ठस्वरूपसम्बन्धावच्छिन्नजनकतानिरूपितसमवायसम्बन्धावच्छिन्नजन्यतावत् तद् તદ્રુપાલાનોપાયમ્..... અર્થાત્
યંત્ર સ્વરૂપસમ્પન્થેન ય ́સ:, તંત્ર સમવાયસન્થેન યકૂતનદ્રવ્યમ્ તત્તટુવાવાનોપાવેયમ્.... યત્ર = પાષાણ પરમાણુઓમાં સ્વરૂપ સંબંધથી ય ્ = પાષાણનો ધ્વંસ છે, એ જ પરમાણુઓમાં સમવાયસંબંધથી નૂતનદ્રવ્ય = ભસ્મ રહી છે. તો ભસ્મ એ પાષાણના ઉપાદાનથી ઉપાદેય છે.
-