Book Title: Nyaya Siddhant Muktavali Part 01
Author(s): Abhayshekharsuri Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 201
________________ 190 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી નૈયાયિક : તો પછી ભાવી કોઈ વિજ્ઞાનક્ષણમાં સ્મરણ શી રીતે થઈ શકશે ?) (૭) બૌદ્ધ : જે વિજ્ઞાનક્ષણમાં સ્મરણ થયું તેની પૂર્વવિજ્ઞાનક્ષણમાં એક વિશેષ પ્રકારનો અતિશય માનીએ છીએ. અર્થાત્ આ ઉપાત્ત્વવિજ્ઞાન ક્ષણ, એ પૂર્વની વિજ્ઞાનક્ષણો કરતાં વિશિષ્ટકાર્યજનનની શક્તિરૂપ કંઈક એવી વિશેષતા ધરાવે છે કે જેથી પોતાના પછીની વિજ્ઞાનક્ષણમાં સ્મરણ થઈ શકે. નિયાયિક ઃ આવું કુર્વદ્રપત્વ તો કોઈપણ ક્ષણમાં ઉત્પન્ન થઈને પછીની ક્ષણમાં સ્મરણ પેદા કરી દેશે... : બૌદ્ધઃ ધારો કે ૧૦૦મી વિજ્ઞાનક્ષણમાં સ્મરણ થયું. તો એનું કુર્વદ્નપત્વ ધરાવનાર વિજ્ઞાનક્ષણ માત્ર ૯૯મી ક્ષણ જ છે. એટલે ૯૯મી વિજ્ઞાનક્ષણ પણ પૂર્વની ૯૮ ક્ષણો કરતાં વિશિષ્ટ જ છે. એને આવી વિશિષ્ટ ઉત્પન્ન કરવાનું કુર્વદ્ભૂપત્વ માત્ર ૯૮મી ક્ષણમાં જ છે, પૂર્વની ૯૭ની ક્ષણોમાં નહીં.... એમ પૂર્વ-પૂર્વની ક્ષણોમાં જાણવું. આમ સ્મરણોત્પાદક કુર્વદ્ભૂપત્વ માત્ર ૯૯મી ક્ષણમાં જ ઉત્પન્ન થતું હોઈ પૂર્વની જે તે ક્ષણમાં તે ઉત્પન્ન થવાની આપત્તિ નથી. તેમ જ એ દરેક ક્ષણોમાં સ્મરણોત્પાદક સામગ્રીના બંડલો લઈને ચાલવાની આપત્તિ નથી.] (૮) નૈયાયિક : અમુક ક્ષણમાં જ કુર્વધૂપત્વ ઉત્પન્ન થાય ને અન્ય ક્ષણોમાં નહીં એવું માનવામાં કોઈ પ્રમાણ નથી. (બૌદ્ધ : હાર્યોત્પત્તિનેવ પ્રમાળમ્... ાયંવર્ગનાાળ જ્ગ્યતે.... ૧૦૦મી ક્ષણે જ સ્મરણ થયું એ જ જણાવે છે કે ૯૯મી ક્ષણમાં જ કુર્વવ્રૂપત્વ હોવું જોઈ.. ક્ષેત્રપતિત બીજની ઉત્તરક્ષણમાં અંકુરોત્પત્તિરૂપ કાર્યદર્શન છે એનાથી એ ક્ષેત્રપતિત બીજમાં કુર્વદ્નપત્વ ધર્મ સિદ્ધ થઈ જાય છે. જે કુસૂલસ્થ બીજમાં નથી.) (૯) નૈયાયિક : આમાં કલ્પનાગૌરવ છે. દૃશ્યકારણોથી કાર્યોત્પત્તિનું ઉપપાદન થઈ શકે છે તો વધારામાં (કુર્વવ્રૂપત્વ નામનું) અદૃશ્યકારણ માનવું એમાં ગૌરવ સ્પષ્ટ છે. આશય એ છે કે ક્ષેત્રપતિતબીજથી અંકુરોત્પત્તિ થાય છે, કુસૂલસ્થબીજથી એ થતી નથી. આની સંગતિ કરવા માટે તમે ક્ષેત્રપતિતબીજમાં કુદ્રુપત્વ છે ને કુસૂલસ્થબીજમાં તે નથી એવી કલ્પના કરો છો. પણ આવી કલ્પના વગર પણ આ સંગતિ તો થઈ શકે છે. જેને સહકારીનું સમવધાન હોય એનાથી કાર્યોત્પત્તિ થાય અને જેને સહકારીનું સમવધાન ન હોય એનાથી કાર્યોત્પત્તિ ન થાય. ક્ષેત્રપતિતબીજને ધરણી-સલિલાદિ સહકારીનું સમવધાન હોવાથી અંકુરોત્પત્તિ થાય છે, કુસૂલસ્થબીજને ધરણી-સલિલાદિ સહકારીનું સમવધાન ન હોવાથી અંકુરોત્પત્તિ થતી નથી. તો પછી અતીન્દ્રિય એવું કુર્વદ્મપત્વ કલ્પવાની શી જરૂર છે ? અનન્યથાસિદ્ધ-અવશ્યવૃત કારણ માટે આ નિયમ છે કે તરસનસામગ્રીસત્ત્વપિ તદ્વિતમ્ને જાવિતમ્નઃ કુર્વધૂપત્વના વિલંબે કાર્યવિલંબ કાંઈ દેખાતો નથી કે જેથી એને કારણ માનવું પડે. ઊલટું, કુર્વદ્નપત્વ હોવા છતાં ધરણ-સલિલાદિ ઇતરસામગ્રી ન હોય તો કાર્યવિલંબ દેખાય છે, માટે ધરણિ-સલિલાદિ ઇતરસામગ્રી જ કારણ છે, કુર્વદ્ભૂપત્વ નહીં. બૌદ્ધ : જ્યાં ધરણિ-સલિલાદિ નથી ત્યાં અમે કુર્વધૂપત્વ હોવું ાનતા જ નથી. અને એ ન હોવાથી જ કાર્ય થતું નથી. નૈયાયિક : એટલે એનો અર્થ એ થયો કે જ્યાં ઇતરસામગ્રી હોય ત્યાં કુર્વવ્રૂપત્વ આવે ને એનાથી કાર્ય થાય. જ્યાં ઇતરસામગ્રી ન હોય ત્યાં કુદ્રુપત્વ ન આવે ને તેથી કાર્ય ન થાય. આવો તમારો મત છે, વળી, પ્રત્યક્ષથી તો કુર્વદ્નપત્વ હોવું-ન હોવું દેખાતું નથી. પ્રત્યક્ષથી તો ઇતરસામગ્રી છે-કાર્ય થયું.... નથી-તો કાર્ય ન થયું... આટલું જ દેખાય છે. ને એટલાથી જ સંગતિ થઈ જાય છે. તો પછી કુર્વપત્વ નામના ફોગટીયા-વચેટીયાને માનવાની જરૂર જ શી છે ? નાહકનું ગૌરવ કરવું... (मु.) एतेन क्षणिकशरीरेष्वेव चैतन्यं प्रत्युक्तं, गौरवात्, अतिशये मानाभावाच्च । बीजादावपि सहकारिसमवधानासमवधानाभ्यामेवोपपत्तेः कुर्वद्रूपत्वाकल्पनात् ।

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244