Book Title: Nyaya Siddhant Muktavali Part 01
Author(s): Abhayshekharsuri Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 195
________________ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી 184 વેતિ ઇત્યાદિમાં જે કર્તા છે એ જ કરણ પણ છે. (૨) કારિકામાં તથાત્યું ફૅન્દ્રિયાળાં નેત્ ? આટલો પૂર્વપક્ષ છે ને ૩૫ધાતે થં સ્મૃતિઃ ? આ ઉત્તરપક્ષ છે. એટલે ઉત્તરપક્ષના વાક્યમાં કોનો ઉપઘાત ? એનો ઉલ્લેખ નથી. તેથી મુક્તાવલીમાં ૩૫થાતે-નાશે ક્ષતિ આટલું જણાવ્યા બાદ ‘આ નાશ કોનો ?’ એ જણાવવા અર્થાત્ ઇત્યાદિ કહ્યું છે. (તેથી ફન્દ્રિયાળાં પદનો અન્વય ઉભયત્ર જાણવો.) (का.) मनोऽपि न तथा, ज्ञानाद्यनध्यक्षं तदा भवेत् । (मु.) ननु चक्षुरादीनां चैतन्यं माऽस्तु, मनसस्तु नित्यस्य चैतन्यं स्यादत आह मनोऽपीति । न तथा=न चेतनम् । ज्ञानाद्यनध्यक्षं तदा भवेत्, मनसोऽणुत्वात्, प्रत्यक्षे महत्त्वस्य हेतुत्वात्, मनसि ज्ञानसुखादिसत्त्वे तत्प्रत्यक्षानुपपत्तिरित्यर्थः । यथा च मनसोऽणुत्वं तथाऽग्रे वक्ष्यते । (મન-આત્મવાદ) (કા.) મન પણ તથા–ચેતન નથી, કારણ કે તદા=એવું માનીએ તો જ્ઞાનાદિ અપ્રત્યક્ષ બની જાય. (મુ.) શંકા : (ચક્ષુ વગેરેનો ઉપઘાત થવા પર સ્મરણ અસંગત બનતું હોવાથી) ચક્ષુ વગેરેમાં ભલે ચૈતન્ય ન માનો, નિત્ય એવા મનમાં ચૈતન્ય સંભવી શકે છે. (મન તો નિત્ય હોવાથી ઉપઘાતનો પ્રશ્ન જ ન હોવાથી સ્મરણની અનુપપત્તિ પણ નહીં થાય.) સમાધાન ઃ મન અણુ હોવાથી અને પ્રત્યક્ષ પ્રત્યે મહત્ત્વ કારણ હોવાથી જો જ્ઞાન-સુખ વગેરે (મહત્પરિમાણશૂન્ય એવા) મનમાં રહ્યા હોય તો એ બધાનું પ્રત્યક્ષ અસંગત ઠરી જાય. મન જે કારણે અણુ મનાયું છે તે આગળ કહેવાશે. (વિ.) જ્ઞાનગુણના આશ્રયભૂત જે દ્રવ્ય છે તેનું પરિમાણ કેવું છે ? આ વિચારીએ. જો એ અણુપરિમાણ હોય તો જ્ઞાનાદિ અપ્રત્યક્ષ બની જવાની આપત્તિ આવે છે. જો એ મધ્યમ પરિમાણ હોય તો એનો અર્થ એ થાય કે એ અવયવી છે. ને તેથી એને અનિત્ય માનવાની આપત્તિ આવે. (તથા એના નાશ બાદ સ્મરણાદિની અનુપપત્તિ વગેરે દોષ ઊભા થાય.) તેથી એને ઉત્કૃષ્ટ=પરમમહત્ પરિમાણવાળું દ્રવ્ય માનવું પડે છે. હવે આ વિભુદ્રવ્યનો તો હંમેશા બધી ઇન્દ્રિય સાથે સંબંધ હોવાથી એકી સાથે અનેક જ્ઞાન થવાની આપત્તિ આવે. એ ન આવે એ માટે એક બીજું કરણ માનવું આવશ્યક બને છે. એનો જેની સાથે સંયોગ, એ ઇન્દ્રિયદ્વારા જ્ઞાન થાય. આ કરણ જો સાવયવ હોય તો એના ઉત્પત્તિ - વિનાશ - કારણો - પ્રાગભાવ વગેરે માનવાનું ગૌરવ થાય, માટે એને નિરવયવઅણુ માનવામાં આવેલ છે. (मु.) नन्वस्तु विज्ञानमेवात्मा, 'तस्य स्वतः प्रकाशरूपत्वाच्चेतनत्वम् । 'ज्ञानसुखादिकन्तु तस्यैवाकारविशेषः । `तस्यापि भावत्वादेव क्षणिकत्वं, 'पूर्वपूर्वविज्ञानस्योत्तरोत्तरविज्ञाने हेतुत्वात् 'सुषुप्त्यवस्थायामप्यालयविज्ञानधारा निराबाधैव, ‘मृगमदवासनावासितवसन इव पूर्वपूर्वविज्ञानजनितसंस्काराणामुत्तरोत्तरविज्ञाने हेतुत्वान्नानुपपत्तिः स्मरणादेિિત ચૈત્ (ક્ષણિક વિજ્ઞાનવાદી બૌદ્ધમત) (મુ.) પૂર્વપક્ષ વિજ્ઞાનને જ આત્મા માની લ્યો. તે સ્વતઃ પ્રકાશરૂપ હોવાથી ચેતન છે. રજ્ઞાન-સુખ વગેરે તેના જ આકારવિશેષ છે. તે પણ ‘ભાવ’ હોવાથી ક્ષણિક છે. પૂર્વપૂર્વ વિજ્ઞાન ઉત્તર-ઉત્તર વિજ્ઞાનનું કારણ હોવાથી (ઉત્તરવિજ્ઞાન પૂર્વવિજ્ઞાનને સદશ હોય છે.) પસુષુપ્તિ અવસ્થામાં પણ આલયવિજ્ઞાનધારા નિરાબાધ જ હોય છે. કસ્તુરીની વાસનાથી વાસિત વસ્ત્રની જેમ પૂર્વપૂર્વ વિજ્ઞાનજનિત સંસ્કારો ઉત્તરોત્તરવિજ્ઞાનમાં કારણ હોવાથી સ્મરણાદિની અસંગતિ થતી નથી. (વિ.) (બૌદ્ધના મુખ્ય ૪ મત છે. સર્વશૂન્યવાદી માધ્યમિક. ક્ષણિક વિજ્ઞાનવાદી યોગાચાર, અનુમેય એવા

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244