Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 16
________________ સામિષ-નિરામિષઆહાર ૧૧ તમારા પોતાના પૂર્વજોની સાથે સર્વથા એકરૂપ બન્યા રહેવાનો દાવો કરો કે ઢોંગકરો પરંતુ હું તમને કે કોઈને પણ નતો એકરૂપ રહેવા દઉં છું કે ન તો એકરૂપ જોઉં પણ છું. ઇતિહાસની આદિથી માનવજાતિનું કોઈ પણ દળ એક જ પ્રકારનાદેશકાલ, સંયોગો યા વાતાવરણમાં ન રહ્યું છે કે ન રહે છે. એક દળ એક જ સ્થાનમાં રહેવા છતાં પણ ક્યારેક કાલકૃત તો ક્યારેક અન્ય સંયોગકૃત વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. વળી એક જ સમયમાં મોજૂદ એવાં જુદાં જુદાં માનવદળો દેશકૃત તથા અન્ય સંયોગકૃત વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર થતાં દેખાય છે. આ સ્થિતિ જેવી આજે છે તેવી પહેલાં પણ હતી. આ રીતે પરિવર્તનનાં અનેક ઐતિહાસિક સોપાનોમાંથી પસાર થતો જૈન સમાજ પણ આજ સુધી ચાલતો આવ્યો છે. તેના અનેક આચાર-વિચાર જે આજે જોવામાં આવે છે તે સદા તેવા જ હતા એવું માનવાનો કોઈ આધાર જેન વાભયમાં નથી. મામૂલી ફરક થતો રહેવા છતાં પણ જ્યાં સુધી આચારવિચારની સમતા મોટે ભાગે રહે છે ત્યાં સુધી તો સામાન્ય વ્યક્તિ એ જ સમજે છે કે આપણે અને આપણા પૂર્વજો એક જ આચાર-વિચારના પાલક-પોષક છીએ. પરંતુ આ ફરક જ્યારે એક યા બીજા કારણે બહુ મોટો થઈ જાય છે ત્યારે તે ફરક સામાન્ય મનુષ્યના ધ્યાનમાં થોડોક આવે છે અને તે વિચારવા લાગે છે કે આપણા અમુક આચાર-વિચાર ખુદ આપણા પૂર્વજોના જ આચાર-વિચારથી ભિન્ન થઈ ગયા છે. આચાર-વિચારનું સામાન્ય અંતર સાધારણ વ્યક્તિના ધ્યાનમાં નથી આવતું પરંતુ વિશેષજ્ઞના ધ્યાન બહાર તે રહેતું નથી. જેનસમાજના આચાર-વિચારના ઇતિહાસનું અધ્યયન કરીએ છીએ તો ઉપર કહેવામાં આવેલી બધી વાતો જાણવા મળે છે. માનવસ્વભાવનાં બે વિરોધી પાસાં માનવસ્વભાવનું એક પાસું તો એ છે કે વર્તમાન સમયમાં જે આચાર-વિચારની પ્રતિષ્ઠા બંધાઈ ગઈ હોય અને જેનું તે આત્યંતિક સમર્થન કરતો હોય તેની વિરુદ્ધ હોય એવા તેના પોતાના પૂર્વજોના આચાર-વિચારને તે જો સાંભળેયા પોતાના ઇતિહાસમાંથી એવી વાત તેને જો મળે તો પુરાણા આચાર-વિચારના સૂચક ઐતિહાસિક દસ્તાવેજ જેવાં શાસ્ત્રીય વાક્યોને પણ તોડીમરડી તેમનો અર્થ વર્તમાન કાળમાં પ્રતિષ્ઠિત આચાર-વિચારની ભૂમિકા પર કરવાનો તે પ્રયત્ન કરે છે. ચારે તરફ ઉચ્ચ અને પ્રતિષ્ઠિત સમજવામાં આવતા પોતાના વર્તમાન આચાર-વિચારથી બિલકુલ વિરુદ્ધ એવા પૂર્વજોના આચાર-વિચારને સાંભળી યા જાણી તે માચાર-વિચારને જેવા છે તેવા જ માનીને પૂર્વજો અને પોતાની વચ્ચે આચાર-વિચારની ખાઈનું અંતર સમજવામાં તથા તેમનો વાસ્તવિક સમન્વય કરવામાં તે અસમર્થ હોય છે. આ જ કારણે તે પ્રાચીન આચાર-વિચારનાં સુચક વાક્યોને પોતાના જ આચાર-વિચારના ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન પૂરા બળથી કરે છે. આ છે માનવસ્વભાવનું એક પાસું - તેનો એક છેડો. હવે આપણે માનવસ્વભાવનું બીજું પાસું તેનો બીજો છેડો પણ જોઈએ. બીજો છેડો એવો છે કે તે વર્તમાન આચાર-વિચારની ભૂમિકા ઉપર કાયમ રહેવા છતાં પણ તેનાથી જુદી પડનારી અને કોઈ કોઈ વાર તો બિલકુલ વિરુદ્ધ જનારી પૂર્વજોની આચાર-વિચારવિષયક ભૂમિકાને માની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130