Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 42
________________ ઘોર દેહદમન કરનારાઓને ભગવાન મહાવીરે તાપસ યા મિથ્યા તપ કરનારા કહ્યા છે.10 તપસ્યાના વિષયમાં પાર્શ્વનાથની દષ્ટિ પણ માત્ર દેહદમન યા કાયક્લેરાપ્રધાન ન હોતાં આધ્યાત્મિક શુદ્ધિલક્ષી હતી. પરંતુ એમાં તો કોઈ સંદેહ જ નથી કે નિર્ગસ્થ પરંપરા પણ કાલના પ્રવાહમાં પડીને અને માનવસ્વભાવની નિર્બળતાને અધીન થઈને આજની મહાવીરની પરંપરાની જેમ મુખ્યપણે દેહદમન તરફ ઝૂકી ગઈ હતી અને આધ્યાત્મિક લક્ષ્ય એક બાજુ પર રહી ગયું હતું. ભગવાન મહાવીરે કર્યું તે આટલું જ છે કે તે પરંપરાગત સ્થૂલ તપનો સંબંધ આધ્યાત્મિક શુદ્ધિ સાથે અનિવાર્યરૂપે જોડી દીધો અને કહી દીધું કે બધી જાતના કાયક્લેશ, ઉપવાસ આદિ શરીરેન્દ્રિયદમન તપ છે પરંતુ તે બાહ્ય તપ છે, આંતરિક તપનથી. આન્તરિક અને આધ્યાત્મિક તપ તો બીજાં જ છે જે આત્મશુદ્ધિ સાથે અનિવાર્ય સંબંધ રાખે છે અને ધ્યાન-શાન આદિ રૂપ છે. મહાવીરે પાશ્ચંપત્યિક નિર્ઝન્ય પરંપરામાં ચાલ્યા આવતાં બાહ્ય તપનો સ્વીકાર તો કર્યો પરંતુ તેને જેમનું તેમ સ્વીકાર્યું નહિ બલ્ક કેટલાક અંશમાં પોતાના જીવન દ્વારા તેમાં ઉગ્રતા લાવીને પણ તે દેહદમનનો સંબંધ આભ્યન્તર તપની સાથે જોડ્યો અને સ્પષ્ટપણે કહી દીધું કે તપની પૂર્ણતા તો આધ્યાત્મિક સુદ્ધિની પ્રાપ્તિથી જ થઈ શકે છે. ખુદ આચરણ દ્વારા પોતાના કથનને સિદ્ધ કરીને જ્યાં એક તરફ મહાવીરે નિર્ઝન્ય પરંપરાના પૂર્વપ્રચલિત શુષ્ક દેહદમનમાં સુધારો કર્યો ત્યાં બીજી તરફ તેમણે અન્ય શ્રમણ પરંપરાઓમાં પ્રચલિત વિવિધ દેહદમનોને પણ અપૂર્ણ તપ યા મિથ્યા તપ કહ્યું. તેથી કહી શકાય કે તપોમાર્ગમાં મહાવીરનું ખાસ પ્રદાન છે અને તે એ કે કેવળ શરીરદમન અને ઇન્દ્રિયદમનમાં જ સમાઈ જતા તપ શબ્દના અર્થને આધ્યાત્મિક શુદ્ધિમાં ઉપયોગી એવા બધા ઉપાયો સુધી વિસ્તૃત કર્યો. આ જ કારણે જૈન આગમોમાં પદે પદે આભ્યન્તર અને બાહ્ય બન્ને પ્રકારનાં તપોનો સાથે સાથે નિર્દેશ આવે છે. બુદ્ધનેતપની પૂર્વ પરંપરા છોડીને ધ્યાન-સમાધિની પરંપરા ઉપર જ અધિક ભાર આપવો હતો જ્યારે મહાવીરને તપની પૂર્વ પરંપરા છોડ્યા વિના પણ તેની સાથે આધ્યાત્મિક શુદ્ધિનો સંબંધ જોડીને જ ધ્યાન-સમાધિના માર્ગ ઉપર ભાર દેવો હતો. આ જ તે બન્નેની પ્રવૃત્તિ અને પ્રરૂપણાનું મુખ્ય અખ્તર હતું. મહાવીરના અને તેમના શિષ્યોના તપસ્વી જીવનની જે અસર સમકાલીન જનતા ઉપર પડતી હતી તેનાથી બાધિત થઈને બુદ્ધને પોતાના ભિક્ષુસંઘમાં અનેક કડક નિયમો દાખલ કરવા પડ્યા જે બૌદ્ધ વિનયપિટકને જોવાથી જણાઈ આવે છે. તો પણ બુદ્ધક્યારેયબાહ્યતાનો પક્ષપાત કર્યો નહિ પરંતુ એથી ઊલટું જ્યારે પણ પ્રસંગ આવ્યો ત્યારે બાહ્યતપનો પરિહાસ જ ર્યો. ખુદ બુદ્ધની આ શેલીને ઉત્તરકાલીન બધા બોદ્ધ લેખકોએ અપનાવી છે, પરિણામે આજ આપણે દેખીએ છીએ કે બુદ્ધનો દેહદમનવિરોધ બૌદ્ધ સંઘમાં સુકમારતામાં પરિણત થઈ ગયો છે, જ્યારે મહાવીરનું બાહ્ય તપોજીવન જૈન પરંપરામાં કેવલ દેહદમનમાં પરિણત થઈ ગયું છે જે બને સામુદાયિક પ્રકૃતિના સ્વાભાવિક દોષ છે, મૂલ પુરુષોના- બુદ્ધ અને મહાવીરના આદર્શોના દોષ નથી. 10. ભગવતી, 3.1,11.9. 11. ઉત્તરાધ્યયન, 30. 12. ઉદાહરણાર્થ, વનસ્પતિ આદિના જંતુઓની હિંસાથી બચવા માટે ચાતુર્માસનો નિયમ. જુઓ બૌદ્ધ સંઘનો પરિચય, પૃ. 22. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130