Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr
View full book text
________________
જ્ઞાનની સામાન્ય ચર્ચા
૭૫ કેવલજ્ઞાનાવરણ નથી ત્યારે તજ્જન્ય કોઈ પણ મતિ આદિ અપૂર્ણ જ્ઞાનકેવલીમાં હોઈ જ કેવી રીતે શકે ? ન જ હોય. ખરેખર ઉપાધ્યાયજીની આ યુક્તિ શાસ્ત્રાનુકૂલ હોવા છતાં પણ ઉપાધ્યાયજીના પહેલાં કોઈને આ રીતે સ્પષ્ટપણે સૂઝી નથી. (3) જ્ઞાનાવરક કર્મનું સ્વરૂપ
[4] સઘન મેઘ અને સૂર્યપ્રકારની સાથે કેવલજ્ઞાનાવરણ અને ચેતનારાપ્તિની રાસ્ત્રપ્રસિદ્ધ તુલના દ્વારા ઉપાધ્યાયજીએ જ્ઞાનાવરણકર્મના સ્વરૂપ વિશે બે વાતો ખાસ સૂચવી છે. એક તો એક આવરણકર્મ એક પ્રકારનું દ્રવ્ય છે અને બીજી એ કે તે દ્રવ્ય ગમે તેટલું નિબિડ યા ઉત્કટ કેમ ન હોય, તેમ છતાં પણ તે અતિ સ્વચ્છ અભ્ર જેવું હોવાથી પોતાના આવાર્ય જ્ઞાનગુણને સર્વથા આવૃત કરી રાતું નથી.
કર્મના સ્વરૂપ અંગે ભારતીય ચિન્તકોની બે પરંપરાઓ છે. બૌદ્ધ, ન્યાય દર્શન આદિની એક અને સાંખ્ય, વેદાન્ત આદિની બીજી. બૌદ્ધ દર્શન ક્લેશાવરણ, શેયાવરણ આદિ અનેક કર્માવરણોને માને છે પરંતુ તેના મત અનુસાર ચિત્તનું આ આવરણ માત્ર સંસ્કારરૂપ ફલિત થાય છે જે દ્રવ્યસ્વરૂપ નથી. ન્યાય આદિ દર્શનો અનુસાર પણ જ્ઞાનાવરણ અર્થાત્ અજ્ઞાન જ્ઞાનગુણનો પ્રાગભાવ માત્ર હોવાથી અભાવરૂપ જ ફલિત થાય છે, દ્રવ્યરૂપ નહિ. તેથી ઊલટું સાંખ્ય, વેદાન્ત અનુસાર આવરણ જડ દ્રવ્યરૂપ અવરય સિદ્ધ થાય છે. સાંખ્ય અનુસાર બુદ્ધિસત્ત્વનો આવરક તમોગુણ છે જે એક સૂક્ષ્મ જડ દ્રવ્યાંશ માત્ર છે. વેદાન્ત અનુસાર પણ આવરણ અર્થાત્ અજ્ઞાન નામથી વસ્તુતઃ એક પ્રકારનું જડ દ્રવ્ય જ માનવામાં આવેલું છે જેને સાંખ્ય પરિભાષા અનુસાર પ્રકૃતિ યા અતઃકરણ કહી શકાય. વેદાન્ત મૂલઅજ્ઞાન અને અવસ્થાઅજ્ઞાનરૂપેયામૂલાવિદ્યા અને તુલાવિઘારૂપે અનેકવિધ આવરણોની કલ્પના કરી છે જે આવરણો જડ દ્રવ્યરૂપ જ છે. જેન પરંપરા તો જ્ઞાનાવરણકર્મ હો યા બીજાં કર્મો - બધાંને અત્યન્તસ્પષ્ટરૂપે એક પ્રકારનું જડ દ્રવ્ય જ દર્શાવે છે. પરંતુ તેની સાથે સાથે જ તે અજ્ઞાનને અર્થાત્ રાગદ્વેષાત્મક પરિણામને, જે આત્મગત છે અને જે પૌગલિક કર્મદ્રવ્યનું કારણ તથા કાર્ય પણ છે તેને, ભાવકર્મરૂપે બૌદ્ધ આદિ દર્શનોની જેમ સંસ્કારાત્મક માને છે.'
જેનદનપ્રસિદ્ધ જ્ઞાનાવરણીય શબ્દના સ્થાને નીચે જણાવેલા શબ્દો દર્શનાન્તરોમાં પ્રસિદ્ધ છે. બૌદ્ધદર્શનમાં અવિદ્યા અને યાવરણ, સાંખ્યયોગદર્શનમાં અવિદ્યા અને પ્રકાશાવરણ, ન્યાય-વૈશેષિક-વેદાન્ત દર્શનોમાં અવિદ્યા અને અજ્ઞાન.
2. જુઓ તત્ત્વસંગ્રહપંજિકા, પૃ. 869. 3. સ્યાદ્વાદરત્નાકર,1101. 4. જુઓ સ્યાદ્વાદરત્નાકર, પૃ. 1103. 5. જુઓ વિવરણપ્રમેયસંગ્રહ, પૃ. 21, ન્યાયકુમુદચન્દ્ર, પૃ. 806 6. વેદાન્તપરિભાષા, પૃ. 72. 7. ગોમ્મદસાર કર્મકાષ્ઠ, ગાથા6.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org