Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 88
________________ ૮૩ મતિ અને શ્રુતની ભેદરેખાનો પ્રયત્ન મતિ અને શ્રુત જ્ઞાનની ભેદરેખા સ્થિર કરનારા બીજા પ્રયત્નના વિચારમાં અક્ષરાક્ષર વ્યુતરૂપે સંપૂર્ણ મૂક-વાચાલજ્ઞાનનું પ્રધાન સ્થાન રહ્યું છે જ્યારે તે ભેદરેખા સ્થિર કરનારા પ્રથમ પ્રયત્નના વિચારમાંકેવળ શાસ્ત્રજ્ઞાન જ મૃતરૂપ રહ્યું છે. બીજા પ્રયત્નને આગમાનુસારી તાર્કિક એટલા માટે કહેવામાં આવ્યો છે કેમકે તેમાં આગમિક પરંપરાસમ્મત મતિ અને શ્રુતના ભેદને તો માની જ લીધો છે પરંતુ તે ભેદના સમર્થનમાં તથા ભેદરેખા આંક્વાના પ્રયત્નમાં શું શ્વેતામ્બર કે શું દિગમ્બર બધાએ ઘણી બધી દોડ તર્કમાર્ગ પર લગાવી છે. [50] ત્રીજો પ્રયત્ન શુદ્ધ તાર્કિક છે જે કેવળ સિદ્ધસેન દિવાકરનો જ જણાય છે. તેમણે તો મતિ અને શ્રુતના ભેદને જ માન્ય રાખ્યો નથી. તેથી જ તેમણે ભેદરેખા સ્થિર કરવાનો પ્રયત્ન પણ નથી. દિવાકરનો આ પ્રયત્ન આગમનિરપેક્ષ તર્વાવલંબી છે. આવો કોઈ શુદ્ધ તાર્કિક પ્રયત્ન દિગમ્બર વાલ્મમાં જોવામાં આવતો નથી. મતિ અને કૃતનો અભેદ દર્શાવનારો આ પ્રયત્ન સિદ્ધસેન દિવાકરની ખાસ વિશેષતા સૂચવે છે. આ વિશેષતા એ છે કે તેમની દષ્ટિ વિશેષપણે અભેગામિની રહી છે જે તે યુગમાં પ્રધાનપણે પ્રતિષ્ઠિત અદ્વૈત ભાવનાનું ફળ જણાય છે કેમકે તેમણે કેવળમતિ અને શ્રુતમાં જ આગમસિદ્ધ ભેદરેખા વિરુદ્ધતર્યો નથી પરંતુ અવધિ અને મન:પર્યાયમાં તથા કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં માનવામાં આવતા આગમસિદ્ધભેદને પણ તર્કના બળના આધારે અમાન્યર્યો છે. ઉપાધ્યાયજીએ મતિ અને શ્રુતની ચર્ચા કરતી વખતે તેમનો ભેદ, તેમના ભેદની સીમા અને તેમનો અભેદ એ વિશે પોતાના સમય સુધીના જૈન વાલ્મયમાં જે કંઈ ચિન્તન મળતું હતું તે બધાનો પોતાની વિશિષ્ટ શૈલીથી ઉપયોગ કરીને, ઉપર્યુક્ત ત્રણે પ્રયત્નોનું સમર્થન સૂક્ષ્મતાપૂર્વકર્યું છે. ઉપાધ્યાયજીની સૂક્ષ્મદષ્ટિ પ્રત્યેક પ્રયત્નના આધારભૂત દષ્ટિબિન્દુ સુધી પહોંચી જાય છે. તેથી તે પરસ્પર વિરોધી જણાતા પક્ષભેદોનું પણ સમર્થનરી શકે છે. જેના વિદ્વાનોમાં ઉપાધ્યાયજી જ એક એવા થયા જેમણે મતિ અને શ્રુતની આગમસિદ્ધ ભેદરેખાને બરાબર દર્શાવવાની સાથે સાથે જ સિદ્ધસેનના અભેદગામી પક્ષને ‘નવ્ય’ શબ્દ [50] દ્વારા શ્લેષથી નવીન અને સ્તુત્ય સૂચવીને સૂક્ષ્મ અને હૃદયંગમ તાર્કિક રોલીથી સમર્થન કર્યું. મતિ અને શ્રતની ભેદરેખા સ્થિર કરનાર અને તે ભેદરેખાને મિટાવી દેનાર એવા ત્રણ પ્રયત્નોનું જે ઉપર વર્ણન કર્યું છે તેની દનાન્તરીય જ્ઞાનમીમાંસા સાથે જ્યારે આપણે તુલના કરીએ છીએ ત્યારે ભારતીય તત્ત્વજ્ઞોના ચિન્તનનો વિકાસક્રમ તથાતેની એકબીજા પર પડેલી અસર સ્પષ્ટપણે ધ્યાનમાં આવે છે. પ્રાચીનતમ સમયથી ભારતીય દાર્શનિક પરંપરાઓ આગમને સ્વતન્ત્ર એવું અલગ જ પ્રમાણ માનતી રહી. સૌપ્રથમ કદાચ તથાગત બુદ્ધે જ આગમના સ્વતંત્ર પ્રામાણ્ય અંગે વાંધો ઉઠાવ્યો અને સ્પષ્ટપણે ઘોષણા કરી કે તમે લોકો મારાં વચનોને પણ અનુભવ અને તર્કથી પરીક્ષાર્યા પછી જમાનો 16 પ્રત્યક્ષાનુભવ અને તર્ક 13. જુઓ નિશ્ચયદ્રાત્રિશિકા, શ્લોક 19; જ્ઞાનબિન્દુ, પૃ. 16. 14. જુઓ નિશ્ચયદ્રાવિંશિકા, શ્લોક 17; જ્ઞાનબિન્દુ, પૃ. 18. 15. જુઓ સન્મતિનો બીજો કાષ્ઠ તથા જ્ઞાનબિ૬, પૃ. 33. 16. તાપીરછેદ્રીત્ત નિષત્ સુવર્ણમિવ પતૈિ: vીફ્ટ મિક્ષ પ્રાં મદૂવો ન તુૌરવત્ II તત્ત્વસંગ્રહ, કારિકા 3588. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130