Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 92
________________ અતુર્વિધ વાક્યાર્થીના જ્ઞાનનો ઇતિહાસ 3. પદાર્થજ્ઞાન 4. વાક્યાર્યજ્ઞાન 5. તાત્પર્યાર્થનિર્ણય 5. પ્રત્યવસ્થાન6 જેમ વૈદિક પરંપરામાં પ્રારંભમાં મૂલ મન્ત્રને શુદ્ધ અને અસ્ખલિત રૂપમાં શિખવવામાં આવે છે, પછી તેમના પદોના વિવિધ વિશ્લેષણો, તેના પછી જ્યારે અર્થવિચારણા અર્થાત્ મીમાંસાનો સમય આવે છે ત્યારે ક્રમશઃ પ્રત્યેક પદના અર્થનું જ્ઞાન, પછી પૂરા વાક્યના અર્થનું જ્ઞાન અને છેવટે સાધકબાધક ચર્ચાપૂર્વક તાત્પર્યાર્થનો નિર્ણય કરાવવામાં આવે છે - તેવી જ રીતે જૈન પરંપરામાં પણ ઓછામાં ઓછું નિર્યુક્તિના પ્રાચીન સમયમાં સૂત્રપાઠથી અર્થનિર્ણય સુધીનો તે જ ક્રમ પ્રચલિત હતો જે અનુગમ રાખ્તથી જૈન પરંપરામાં વ્યવહત થયો. અનુગમના છ વિભાગો જે અનુયોગદ્વારસૂત્રમાં છે તેમનું પરંપરાપ્રાપ્ત વર્ણન જિનભદ્ર ક્ષમાશ્રમણે વિસ્તારથી કર્યું છે.28 સંઘઠાસગણિએ ‘બૃહત્કલ્પભાષ્ય’માં તે છ વિભાગોના વર્ણન ઉપરાંત મતાન્તરથી પાંચ વિભાગોનો પણ નિર્દેશ કર્યો છે. જે હો તે, એટલું તો નિશ્ચિત છે કે જૈન પરંપરામાં સૂત્ર અને અર્થ શિખવવાના સંબંધમાં એક નિશ્ચિત વ્યાખ્યાનવિધિ ચિરકાલથી પ્રચલિત રહી. આ વ્યાખ્યાનવિધિનું આચાર્ય હરિભદ્રે પોતાના દાર્શનિક જ્ઞાનના નવા પ્રકારામાં કેટલાક નવીન શબ્દોમાં નવીનતાની સાથે વિસ્તારથી વર્ણન કર્યું છે. હરિભદ્રની ઉક્તિમાં કેટલીય વિરોષતાઓ છે જે વિરોષતાઓને જૈન વાડ્મયને સૌપ્રથમ તેમનું પ્રદાન કહેવી જોઈએ. તેમણે ‘ઉપદેશપદ’માં અર્થાનુગમના ચિરપ્રચલિત ચાર ભેદોને મીમાંસા આદિ દર્શનોના જ્ઞાનનો ઓપ આપીને નવાં ચાર નામો દ્વારા નિરૂપણ કર્યું છે. બન્નેની તુલના આ પ્રમાણે છે - 1. પ્રાચીન પરંપરા 1. પદાર્થ 2. પવિગ્રહ 3. ચાલના 4. પ્રત્યવસ્થાન 3. પદાર્થ 3, પદ્મવિગ્રહ 4 4. ચાલના5 Jain Education International 2. હારિભદ્રીય 1. પદાર્થ 2. વાક્યાર્થ 3. મહાવાક્યાર્થ 4. ઐઠમ્પર્યાર્થ હારિભદ્રીય વિરોષતા કેવળ નવાં નામોમાં જ નથી. તેમની ધ્યાન દેવા યોગ્ય વિરોષતા તો ચારે પ્રકારના અર્થબોધનો તરતમભાવ સમજાવવા માટે દેવામાં આવેલાં લૌકિક તથા શાસ્ત્રીય ઉદાહરણોમાં છે. જૈન પરંપરામાં અહિંસા, નિર્ગન્ધત્વ, દાન અને તપ આદિનું ધર્મરૂપે પ્રથમ સ્થાન છે, તેથી જ જ્યારે એક બાજુ તે ધર્મોના આચરણ ઉપર આત્યન્તિક ભાર આપવામાં આવે છે ત્યારે બીજી બાજુ .તેમાં કેટલાક અપવાદોને યા કેટલીક છૂટોને રાખવી પણ 27. જુઓ અનુયોગદ્વારસૂત્ર, સૂત્ર 155, પૃ. 261 28. જુઓ વિશેષાવશ્યકભાષ્ય, ગાથા 1002થી. 29. જુઓ બૃહત્કલ્પભાષ્ય, ગાયા 302થી. 30. જુઓ ઉપદેશપદ, ગાયા 859-885. 12 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130