Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan
Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 119
________________ ૧૧૪ જ્ઞાનબિન્દુનું પરિશીલન (9) કેવલજ્ઞાન-દર્શનોપયોગના ભેદભેદની ચર્ચા [02]કેવલજ્ઞાનની ચર્ચાને પૂરી કરતાં ઉપાધ્યાયજીએ જ્ઞાનબિન્દુમાં કેવલજ્ઞાન અને ક્વલદર્શનના સંબંધમાં ત્રણ પક્ષભેદો અર્થાત્ વિપ્રતિપત્તિઓને નવ્યન્યાયની પરિભાષામાં રજૂ કરી છે જે વિપ્રતિપત્તિઓ જૈન પરંપરામાં પ્રાચીન સમયથી પ્રચલિત રહી છે. તે ત્રણ પક્ષો નીચે પ્રમાણે છે : (1) કેવલજ્ઞાન અને કેવલદર્શન અને ઉપયોગો ભિન્ન છે અને તે બે એક સાથે ઉત્પન્ન થતાં ક્રમશઃ અર્થાત્ એક એક સમયના અંતરે ઉત્પન્ન થતા રહે છે. (2) તે બન્ને ઉપયોગ ભિન્નતો છે પરંતુ તેમની ઉત્પત્તિ ક્રમિકનથી પરંતુ યુગપત્ અર્થાત્ એક સાથે જ થતી રહે છે. (3) ઉક્ત બને ઉપયોગી વસ્તુતઃ ભિન્ન નથી. ઉપયોગ તો એક જ છે પરંતુ તેના જ અપેક્ષાવિશેષકૃત કેવલજ્ઞાન અને કેવલદર્શન એવાં બેનામ છે. તેથી નામ સિવાયની કોઈ ભેદ જેવી વસ્તુ ઉપયોગમાં છે જ નહિ. ઉક્ત ત્રણ પક્ષો ઉપર ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરવો જરૂરી છે. વાચક ઉમાસ્વાતિ, જે વિક્રમની ત્રીજીથી પાંચમી શતાબ્દી વચ્ચે ક્યારેક થયા જણાય છે, તેમનું પૂર્વવર્તી ઉપલબ્ધ જેન વાલ્મય જોવાથી જણાય છે કે તેમાં કેવળ એક જ પક્ષ રહ્યો છે અને તે છે કેવલજ્ઞાન અને કેવલદર્શનના મવર્તિત્વનો. આપણને સૌપ્રથમ ઉમાસ્વાતિના તત્ત્વાર્થભાષ્ય’માં એવો ઉલ્લેખ મળે છે જે સ્પષ્ટપણે યુગપતૃપક્ષનો જ બોધ કરાવી શકે છે. જોકે તત્ત્વાર્થભાષ્યગત ઉક્ત ઉલ્લેખની વ્યાખ્યા કરતાં વિક્રમીય આઠમીનવમી સદીના વિદ્વાન્ શ્વેતામ્બર સિદ્ધસેનગણિએ? તેને કમપરક જ દર્શાવેલ છે અને સાથે સાથે જ પોતાની તત્ત્વાર્થભાષ્યવ્યાખ્યામાં યુગપપક્ષ અને અભેદપક્ષનું ખંડન પણ કર્યું છે, પરંતુ આના ઉપર અધિક ઊહાપોહ કરવાથી જણાય છે કે સિદ્ધસેનગણિ પહેલાં કોઈ તત્ત્વાર્થભાષ્યની વ્યાખ્યા કરતાં ઉક્ત ઉલ્લેખને યુગપપરકપણ દર્શાવ્યો હશે. જો અમારું આ અનુમાન સાચું હોય તો એવું માનીને ચાલવું જોઈએ કે કોઈકે તત્ત્વાર્થભાષ્યના ઉક્ત ઉલ્લેખનીયુગપપરક પણ વ્યાખ્યા કરી હતી જે આજે ઉપલબ્ધ નથી. જેને દિગમ્બર આચાર્ય કુન્દકુન્દની કૃતિ માનવામાં આવે છે તે નિયમસાર ગ્રન્થમાં એક માત્ર યૌગપદ્યપક્ષનો જ ઉલ્લેખ છે (ગાથા 159), પૂજ્યપાદ દેવનન્દીએ પણ તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યા ‘સર્વાર્થસિદ્ધિ માં એક માત્ર યુગપપક્ષનો જ નિર્દેશક્ય છે. શ્રી કુન્દકુન્દ અને પૂજ્યપાદ બન્ને દિગમ્બરીય પરંપરાના પ્રાચીન વિદ્વાન છે અને બન્નેની કૃતિઓમાં એક માત્ર યોગાપદ્યપક્ષનો સ્પષ્ટ ઉલ્લેખ છે. પૂજ્યપાદના ઉત્તરવર્તી દિગમ્બરાચાર્ય સમન્તભઢે પણ પોતની ‘આપ્તમીમાંસા' માં એકમાત્ર 12. मतिज्ञानादिषु चतुएं पर्यायेणोपयोगो भवति, न युगपत् । संभिन्नज्ञानदर्शनस्य तु भगवतः केवलिनो युगपत् सर्वभावग्राहके निरपेक्षे केवलज्ञाने केवलदर्शने चानुसमयमुपयोगो भवति । તત્ત્વાર્થભાષ્ય, 1.31. 13. જુઓ તત્ત્વાર્થભાષ્યટીકા, પૃ11-112. 14. સીજ્ઞાનમનીk સમિતિ તત્ છગ્યેષુ મેળવર્તતે નિરાવરપુયુગપતા સર્વાર્થસિદ્ધિ, 1.9. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130